ઇન્ડીયા Archives - Page 110 of 215 - CIA Live

June 29, 2020
coronaupdate.jpg
1min4040

સોમવારે 29 june પણ કોરોના કેસના એક દિવસમાં નોંધાતા કેસમાં ઘટાડો નોંધાયો જોકે, કેસનો આંકડો 18,800ને પાર કરીને 18,870 પર પહોચ્યો હતો. આ દેશમાં એક દિવસમાં નોંધાતા પોઝિટિવ કેસમાં ત્રીજા નંબરના સૌથી વધુ કેસ હતા આ પહેલા બે દિવસ દેશના સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા હતા.

દક્ષિણ ભારતમાં કોરોના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. પાછલા કેટલાક દિવસથી અહીં કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડિચેરી સહિત દક્ષિણના પાંચ રાજ્યોમાં સતત કેસ વધી રહ્યા છે. આ રાજ્યોના કુલ કેસનો આંકડો સોમવારે 6,985 રહ્યો છે જે કુલ કેસના 37% છે. રવિવારે આ આંકડો 7,150 હતો અને તેની ટકાવારી કુલ કેસ (19,741) સામે 36.2% રહી હતી. જૂન મહિના પહેલા બે દિવસ દરમિયાન આ રાજ્યોના કેસની ટકાવારી 22%ની નીચે રહી હતી.

પાછલા ત્રણ દિવસમાં દક્ષિણ, પોંડિચેરી સહિતના દક્ષિણના 5 રાજ્યોમાં દિવસ દરમિયાન નોંધાતા કેસમાં ઉછાલો આવ્યો છે. જેમાં તેલંગાણા અને કર્ણાટકામાં 1000 કરતા વધુ કેસ પાછલા એક દિવસમાં નોંધાયા છે.

સોમવારે તામિલનાડુમાં એક દિવસના સૌથી વધુ 3,949 કેસ નોંધાયા. કર્ણાટકામાં 1,105 નવા કેસ નોંધાયા, જે સોમવારે નોંધાયેલા 1,267 પછી બીજા નંબરના સૌથી વધુ કેસ રહ્યા, તેલંગાણામાં સૌથી વધુ 1,087 નવા કેસ શનિવારે નોંધાયા, જ્યારે આંધ્રપ્રદેશમાં રવિવારે 813 કેસ નોંધાયા.

India Corona Updates: 28 June : 19,906 નવા કેસ

ભારતમાં કોરોના વાયરસ (COVID-19)નો કહેર દિવસેને દિવસે વધતો જ જાય છે. કોરોનાના આંકડાઓ દરરોજ એક નવો જ રેકૉર્ડ નોંધાવે છે. છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓએ તમામ રેકૉર્ડસ તોડયા છે અને એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. રવિવારે સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 19,906 નવા કેસ નોંધાયા છે. તેમજ 410 દર્દીઓના મોત થયા છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 5,28,859 કેસ નોંધાયા છે. જ્યારે 2,03,051 એક્ટિવ કેસ છે. તેમજ અત્યાર સુધીમાં 16,095 લોકોનું કોરોનાને લીધે મૃત્યુ થયું છે. તો બીજી બાજુ, 3,09,713 લોકો સારવાર બાદ સાજા થયા છે. વિશેષ, ઈન્ડિયલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ પ્રમાણે 27 જૂન સુધીમાં કોરોનાના 82,27,802 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત છેલ્લા ચોવીસ કલાકમાં 2,31,095 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં શનિવારે 6,368 નવા કેસ નોંધાયા હતા અને 167 લોકોના મૃત્યુ થયા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1,59,133 થઈ ગઈ છે. જેમાંથી 67,600 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 7,273 લોકોના મોત થયા છે.

ગુજરાતમાં શનિવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, ચોવીસ કલાકમાં કોરોનાના 615 નવા કેસ નોંધાયા છે અને 18 લોકોના મોત થયા છે. રાજ્યમાં એક દિવસમાં પ્રથમ વખત 600થી વધારે કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં  રાજ્યમાં કુલ 30,773 પૉઝિટિવ કેસ નોંધાયા છે.

રાજસ્થાનમાં શનિવારે 284 નવા કેસ નોંધાયા હતા અને 11 લોકોના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 16,944 થઈ ગઈ છે. જેમાંથી 3,186 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 391 લોકોના મોત થયા છે.

મધ્યપ્રદેશમાં શનિવારે 167 નવા કેસ નોંધાયા હતા અને 4 લોકોના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 12,965 થઈ ગઈ છે. જેમાંથી 2,444 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 550 લોકોના મોત થયા છે.

ઉત્તરપ્રદેશમાં  શનિવારે 606 નવા કેસ નોંધાયા હતા અને 19 લોકોના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 21,549 થઈ ગઈ છે. જેમાંથી 6,685 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 649 લોકોના મોત થયા છે.

બિહારમાં શનિવારે શનિવારે કોરોનાના 302 નવા કેસ નોંધાયા હતા અને 2 લોકોના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 8,980 થઈ ગઈ છે. જેમાંથી 1,992 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 58 લોકોના મોત થયા હતા.

June 29, 2020
SpiceJet-MAX2.jpg
1min4770

કોરોના અગાઉ તેમની કુલ ક્ષમતાના ૪૫ ટકા જેટલી પ્રવાસી ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ ઑપરેટ કરવાની સરકારે ઍરલાઈન્સને શુક્રવારે પરવાનગી આપી હતી.

કોરોના વાઈરસને કારણે જાહેર કરવામાં આવેલા લૉકડાઉનના બે મહિના બાદ પચીસ મેથી ઉડ્ડયન ખાતાએ ૩૦ ટકા ક્ષમતા સાથે ડૉમેસ્ટિક પ્રવાસી ફ્લાઈટ્સ શરૂ કરવાની પરવાનગી આપી હતી.

નવા આદેશમાં આ ક્ષમતા ૩૦ ટકાથી વધારીને ૪૫ ટકા સુધી લઈ જવાની પરવાનગી આપવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

જોકે, ૨૩ માર્ચથી બંધ કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય વિમાનસેવા આગામી આદેશ બહાર પાડવામાં ન આવે ત્યાં સુધી બંધ રહેશે, એમ તેમણે કહ્યું હતું.

June 25, 2020
corona_testing1.jpg
1min4970

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રીનીતિન પટેલે જાહેરાત કરી છે કે ગુજરાતની તમામ પ્રાઇવેટ લેબોરેટરીઝમાં હવેથી રુ. 2500માં કોરોનાનો ટેસ્ટ થશે. લેબ ટેકનિશિયનને ઘરે બોલાવવામાં આવે તો ત્રણ હજાર રુપિયા ચાર્જ આપવાનો રહેશે.

શ્રી પટેલે કહ્યું કે તમામ સરકારી હોસ્પિટલોમાં આ ટેસ્ટ ફ્રીમાં કરી આપવાનું ચાલુ જ છે. કોઈપણ એમડી ડોક્ટરને જો દર્દીને કોરોનાનો ટેસ્ટ કરાવવાની જરુરિયાત જણાય તો તેઓ ખાનગી લેબમાં પેશન્ટને મોકલી શકે છે.

નીતિન પટેલે જણાવ્યું હતું કે કોરોનાના ટેસ્ટના ચાર્જમાં કરાયેલો આ ઘટાડો આજથી જ લાગુ પડશે. મતલબ કે, આજથી જે પણ દર્દી ટેસ્ટ કરાવવા આવશે તેની પાસેથી આજે કરાયેલી જાહેરાત અનુસાર જ ચાર્જ વસૂલી શકાશે. જો કોઈ લેબોરેટરી તેનાથી વધુ ચાર્જ લેશે તો તેની માન્યતા રદ્ કરવા સુધીની કાર્યવાહી કરવાની ચીમકી પણ નીતિન પટેલે ઉચ્ચારી હતી.

ગુજરાતમાં ખાનગી લેબોરેટરીમાં રોજના સરેરાશ 500 જેટલા કોરોનાના ટેસ્ટ થાય છે. અત્યારસુધી તેના માટે ચારથી સાડા ચાર હજાર રુપિયા જેટલો ચાર્જ વસૂલવામાં આવતો હતો. જોકે, સરકારે પોતાની મંજૂરી વિના કોઈપણ વ્યક્તિનો ખાનગી લેબમાં ટેસ્ટ નહીં થઈ શકે તેવું ફરમાન જારી કર્યું હતું. આ મામલે હાઈકોર્ટમાં અપીલ થતાં અમદાવાદમાં જો એમડી ડોક્ટર જણાવે તો ખાનગી લેબમાં ટેસ્ટ થઈ શકશે તેવી જાહેરાત કરાઈ હતી.

June 25, 2020
ISRO.jpg
2min5400

Pvt sector will be enabled to carry out space activities like building of rockets, providing launch services: ISRO chief K Sivan

Government has approved the establishment of an autonomous nodal agency – Indian National Space, Promotion & Authorisation Centre – for taking independent decisions with respect to permitting & regulating the activities of private companies in space sector: ISRO Chief K Sivan

It will act as a national nodal agency for handholding and promoting private sector in space endeavours and for this ISRO will share its technical expertise as well as facilities: ISRO Chief K Sivan

Watch Live: Address by Secretary, DOS/Chairman, ISRO

Secretary, DOS/Chairman, ISRO will address at 10:30 a.m IST on Thursday June 25, 2020 from ISRO Headquarters, Bengaluru

ISRO – Indian Space Research Organisation यांनी वर पोस्ट केले बुधवार, २४ जून, २०२०
June 25, 2020
rbi.jpeg
1min4640

કેન્દ્રના પ્રધાનમંડળની બુધવારે યોજાયેલી બેઠકમાં ૧૪૮૨ શહેરી કૉ-ઓપરેટિવ બૅન્ક અને ૫૮ આંતરરાજ્ય કો-ઓપરેટિવ બૅન્ક સહિત સરકારી બૅન્કોને આરબીઆઈના સુપરવિઝન હેઠળ લાવવાની જાહેરાત કરી હતી.

આ બૅન્કોમાં અંદાજે ૮.૬ કરોડ જેટલા ડિપોઝિટર છે, એમ તેમણે કહ્યું હતું.

પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (પીએમસી) બૅન્ક કૌભાંડને પગલે લાખો ડિપોઝિટરો સમસ્યાનો સામનો કરી રહ્યા હોવા વચ્ચે પ્રધાનમંડળ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે.

અગાઉ, પ્રધાનમંડળે પીએમસી બૅન્ક જેવી કટોકટીનું પુનરાવર્તન ટાળવા અને કો-ઓપરેટિવ બૅન્કોને વધુ મજબૂત બનાવવા બૅન્કિંગ રૅગ્યૂલેશન ઍક્ટમાં સુધારાને મંજૂરી આપી હતી.

ડિપોઝિટરના નાણાં સલામત હોવાની બાંયધરી પણ તેમણે આપી હતી અને કહ્યું હતું કે એ અંગેનો વટહુકમ ઘડી કાઢવામાં આવશે.

પ્રસારમાધ્યમને સંબોધન કરતા કેન્દ્રના પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે નિયમિત બૅન્કોને લાગુ પડતા આરબીઆઈના તમામ નિયમો હવે કો-ઓપરેટિવ બૅન્કોને પણ લાગુ પડશે.

પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ શીશુ લૉન શ્રેણીના લેણદારને વ્યાજમાં બે ટકા રાહત આપવાનો પણ પ્રધાનમંડળની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે, એમ તેમણે કહ્યું હતું.

અન્ય પછાતજાતિમાં પેટા વર્ગીકરણના મુદ્દાને ચકાસવા બંધારણની કલમ ૩૪૦ હેઠળ રચવામાં આવેલા પંચની મુદત છ મહિના લંબાવીને આવતા વર્ષની ૩૧મી જાન્યુઆરી સુધી કરવાના પ્રસ્તાવને પણ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

ડેરી, મરઘાંબતકાં ઉછેર કેન્દ્ર અને માંસની પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા પ્રધાનમંડળે રૂ. ૧૫,૦૦૦ કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને મંજૂરી આપી હતી.

અવકાશી પ્રવૃત્તિઓ માટે ખાનગી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવતાં જિતેન્દ્રસિંહે કહ્યું હતું કે નવું જ રચવામાં આવેલું ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન ઍન્ડ ઑથોરાઈઝેશન સેન્ટર ખાનગી કંપનીઓને પણ ભારતીય અવકાશના માળખાનો ઉપયોગ કરવાની સમાન તક આપશે.

મત્સ્ય, પશુસંવર્ધન અને ડેરી ઉદ્યોગના પ્રધાન ગીરીરાજસિંહે કહ્યું હતું કે પશુસંવર્ધન માળખા માટે વિકાસ ભંડોળ સ્થાપવાને પણ પ્રધાનમંડળે મંજૂરી આપી હતી. પાત્ર લાભાર્થીને સરકાર વ્યાજમાં ત્રણ ટકા રાહત આપશે, એમ તેમણે કહ્યું હતું.

મ્યાનમારસ્થિત બ્લૉક એ-૧ અને એ-૩ના વિકાસ માટે ઓએનજીસી વિદેશ લિ. દ્વારા કરવામાં આવનારા વધારાના રોકાણને પણ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.

June 24, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5870

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આજરોજ તા.24મી જુન 2020ને બુધવારે ભારતના દિલ્હી શહેરમાં ડિઝલનો ભાવ પેટ્રોલના ભાવથી પણ ઉંચે ચઢ્યો. સવારે 11 વાગ્યે દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લિટરના રૂ.79,76ના દરે વેચાઇ રહ્યું હતું જ્યારે ડિઝલનો ભાવ પહેલી વાર ભારતમાં પેટ્રોલના ભાવ કરતા વધુ દરે એટલે કે રૂ.79.88ના દરે વેચાઇ રહ્યું હતું.

તા.24 જુને દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લિટરના રૂ.79.76 જ્યારે ડિઝલ પ્રતિ લિટર રૂ.79.88એ વેચાય રહ્યું હતું

ભારતમાં સતત 18મા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો નોંધાયો હતો. આજે તા.24મીએ ઐતિહાસિક રીતે ડિઝલનો ભાવ પેટ્રોલ કરતા વધ્યો ત્યારે પેટ્રોલિયમ એક્સપર્ટસનું કહેવું છેકે વિશ્વના 85 ટકા દેશોમાં પેટ્રોલના દરો ડિઝલના દર કરતા ઓછા છે, ભારત હવે વૈશ્વિક હરોળમાં આવ્યું છે. અત્યાર સુધી ભારતમાં ડિઝલને સસ્તું ઇંધણ માનવામાં આવતું હતું કેમકે તેના રેટ પેટ્રોલથી ખાસ્સા નીચા હતા. પણ હવે ચિત્ર બદલાયું છે અને જાણકારો કહે છેકે હવે ભારતમાં પેટ્રોલના ભાવ ડિઝલની સરખામણીએ ભવિષ્યમાં પણ નીચા જ રહેશે.

દરમિયાન સતત 18માં દિવસે પેટ્રોલ ડિઝલના દરમાં વધારાની સીધી અસર ભારતમાં ચીજવસ્તુઓના ફુગાવા પર પડી રહી છે. આગામી દિવસોમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારાની સીધી અસર મોંઘવારી પર જોવા મળશે.

ભારતમાં ડિઝલ સસ્તુ ઇંધણ હતું એટલે મોટરકાર વપરાશકર્તાઓમાં ડિઝલ કાર ખરીદવાનું ચલણ હતું હવે સિનારીયો બદલાશે

ભારતમાં અત્યાર સુધી ડિઝલને સસ્તું ઇંધણ માનવામાં આવી રહ્યું હતું. પરંતુ, હવે વૈશ્વિક કક્ષાની જેમ ભારતમાં પેટ્રોલ સસ્તુ અને ડિઝલ તેની સરખામણીમાં મોંઘુ થઇ રહ્યું હોઇ, હવે મોટરકાર વસાવવાનો ટ્રેન્ડ બદલાશે. અત્યાર સુધી લોકો પેટ્રોલ કારથી દૂર રહેતા હતા એટલે ડિઝલ કારની સરખામણીમાં પેટ્રોલ કારોના ભાવ ઓછા હતા. ડિઝલ કાર મોંઘી મળતી હતી પરંતુ, હવે જાણકારો કહે છે કે પરિસ્થિતિ બદલાશે અને ડિઝલ કાર લેનારા હવે પેટ્રોલ કાર તરફ વળશે.

ડિઝલના ભાવ વધારાને લઇને ટ્વીટર પર પણ જબરદસ્ત ટ્રેન્ડ શરૂ થયો છે

June 22, 2020
rath2.jpg
1min4480

ઓરીસ્સાના જગન્નાથ પુરીમાં તા.23મી જુન 2020ને મંગળવારે ભગવાન જગન્નાથની રથયાત્રાને ચોક્કસ શરતોને આધીન સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે. અગાઉ વિતેલા સપ્તાહે સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં ભારતમાં કરોડોની આસ્થાનું પ્રતિક સમી જગન્નાથપૂરીની રથયાત્રા પર સ્ટે મૂક્યો હતો.

પુનર્વિચાર અરજીઓ પર સુનાવણી કરતા ચીફ જસ્ટિસ એસએ બોબડેના નેતૃત્વમાં 3 જજોની બેન્ચે સોમવારે રથયાત્રા નીકાળવાની મંજૂરી આપી છે. કોર્ટમાં કેન્દ્ર સરકારે પણ રથયાત્રાનું સમર્થન કર્યું હતું.

સર્વોચ્ચ કોર્ટે હવે કહ્યું છે કે હવે આ જગન્નાથ ટેમ્પલ મેનેજમેન્ટ ટ્રસ્ટ અને ઓડિશા સરકારની જવાબદારી છે કે તેઓ ભક્તોની ભીડ એકઠી થયા વગર કેવી રીતે રથયાત્રાનું આયોજન કરે છે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે તેઓ રથયાત્રા મામલે કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરશે.

અગાઉ કેન્દ્રએ સુપ્રીમને કહ્યું હતું કે કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને પુરીમાં રથયાત્રાને ભક્તોની હાજરી વગર મંજૂરી આપવી જોઈએ અને કહ્યું હતું કે સદીઓ જૂની આ પરંપરાને રોકવી જોઈએ નહીં. ઓડિશા સરકારે પણ કેન્દ્રની વાતનું સમર્થન કર્યું હતું.

June 22, 2020
coronaupdate.jpg
1min5170

ભારતમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં એક જ દિવસનો સૌથી મોટો ઉછાળો 15,372 કેસના રૂપે તા.21મી જુનને રવિવારના રોજ નોંધાયો છે.

ભારતમાં હવે કોરોના પોઝીટીવ હોય એવા કુલ દર્દીઓની સંખ્યા 4,26,397 પર પહોંચી ચૂકી છે. દેશમાં પહેલીવાર એક જ દિવસમાં કોરોના વાયરસના કારણે મોતને ભેટેલા લોકોનો આંકડો 400ને પાર કરી ગયો છે.

મહારાષ્ટ્ર અને દિલ્હીના ગણતરીમાં લેવાના રહી ગયેલા કોરોના વાયરસના 2003 મૃત્યુના કેસ સામે આવ્યા હતા તે પછીનો આ 423નો મોટો આંકડો રવિવારે નોંધાયો છે. દેશમાં વાયરસના કારણે મોતને ભેટેલા લોકોનો આંકડો 13,695 થઈ ગયો છે.

પોઝિટિવ કેસ અને ડેથ કેસ બન્નેમાં મહારાષ્ટ્ર આગળ છે. મહારાષ્ટ્રમાં પોઝિટિવ કેસ 3,870 નોંધાયા છે, જેની સાથે કુલ કેસનો આંકડો 1,32,075 થયો છે, અને 186ના મોત થયા છે, જ્યારે 186ના મોત થયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે મોતને ભેટેલા લોકોનો કુલ આંકડો 6,000ને પાર કરીને 6,170 થયો છે. મુંબઈમાં વધુ 1,159 પોઝિટિવ કેસ સાથે 110નાં મોત થયા છે.

દિલ્હીમાં પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક બન્નેમાં ઘટાડો નોંધાયો છે. શનિવારે 3630 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે રવિવારે 3000 પોઝિટિવ કેસ નોંધાયા, શનિવારે 77નાં મોત નોંધાયા હતા જ્યારે રવિવારે 63નાં મોત નોંધાયા છે. રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકોડ 59,746 થયો છે, જ્યારે 2,175નાં મોત નોંધાયા છે.

ગુજરાતમાં અમદાવાદમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ છે. આ સાથે જ રાજ્યમાં નવા રેકોર્ડબ્રેક 580 કેસ સાથે કુલ 27,317 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,24,874 ટેસ્ટ કરવામાં આવ્યાં છે.



June 22, 2020
petrol-diesel-1.jpg
1min4520

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ૧૫મા દિવસે ભાવવધારો થયો હતો.

મુંબઇમાં પેટ્રોલનો ભાવ ૩૪ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૮૬.૦૪ થયો હતો, જ્યારે ડીઝલનો ભાવ ૫૮ પૈસા વધીને રૂ. ૭૬.૬૯ થયો હતો.

દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૩૫ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૭૯.૨૩ થયા હતા અને ડીઝલના ભાવ ૬૦ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૭૮.૨૭ થયા હતા.

કોલકાતામાં પેટ્રોલના ભાવ લિટર દીઠ રૂ. ૮૦.૯૫ થયા હતા અને ડીઝલના ભાવ લિટર દીઠ રૂ. ૭૩.૬૧ થયા હતા.

સ્થાનિક સેલ્સ ટૅક્સ અથવા વૅટના આધારે દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અલગ અલગ ભાવવધારો થાય છે. પંદર દિવસ સતત ભાવવધારો કર્યા બાદ પેટ્રોલના ભાવ લગભગ આઠ રૂપિયા વધી ગયા છે અને ડીઝલના ભાવ ૮.૮૮ રૂપિયા વધી ગયા છે.

પેટ્રોલ અને ડીઝલના છૂટક વેચાણ ભાવમાં લગભગ બે તૃતીયાંશ ભાગ એટલે કે લગભગ ૬૩ ટકા તો ટૅક્સ હોય છે.

June 19, 2020
ril-1280x721.jpg
1min5210

ભારતના અબજોપતિ બિઝનેસમેન મુકેશ અંબાણીએ શુક્રવારે જાહેરાત કરી કે તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે સંપૂર્ણ રીતે દેવા મુક્ત થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે, કંપનીએ સમયથી પહેલા પોતાનું લક્ષ્ય પૂરું કરી લીધું છે. કંપની પર હવે તેની નેટ સંપત્તિ ઉપર કોઈ દેવું નથી. કંપનીએ 31 માર્ચ, 2021 સુધી તમામ દેવામાંથી મુક્ત થવાનું લક્ષ્ય રાખ્યું હતું. 

શુક્રવારે સવારે મુકેશ અંબાણી તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે, મેં શેરહોલ્ડર્સને માર્ચ 2021 સુધી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને દેવા મુક્ત કરવાનું વચન આપ્યું હતું જે મેં સમયથી પહેલા પૂર્ણ કર્યું છે. 

કંપનીએ જણાવ્યું છે કે, કંપનીએ જે રાઈટ્સ ઈશ્યુ અને જિયોમાં હિસ્સેદારી વેચીને સંપૂર્ણ રકમ ખૂબ જ ઓછા સમયમાં ભેગી કરી છે આવું દુનિયાભરમાં અત્યાર સુધી થયું નથી. ગ્રૂપે જણાવ્યું છે કે, એવું દેશના કોર્પોરેટ ઈતિહાસમાં ક્યારેય થયું નથી અને આ એટલા માટે ખાસ છે કેમકે કંપનીએ આ કોરોના મહમારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉનની વચ્ચે હાંસલ કર્યું છે. 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 22 એપ્રિલથી શરૂ કરીને નવ અઠવાડિયામાં જિયો પ્લેટફોર્મને લઈને 11 ડિલ કરી હતી જેમાં કંપનીએ 24.70 ટકા હિસ્સેદારી વેચીને 1,15,693.95 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.