ગુજરાત Archives - Page 82 of 158 - CIA Live

May 13, 2020
stimulus.jpg
1min5320

તા.13મી મે એ બપોરે 4 કલાકે મિડીયા બ્રિફિંગમાં દેશના નાણામંત્રી નિર્મલા સિતારમણે કોરોના લૉકડાઉનની સ્થિતિ બાદ દેશમાં ધંધા-રોજગાર બેઠા થાય એ માટે વડાપ્રધાને જાહેર કરેલા સ્ટીમ્યુલસ પેકેજના પહેલા ચરણમાં નીચે મુજબની જાહેરાતો કરી હતી.

આ પેકેજમાં સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે ઘણી મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
– MSME એમએસએમઈ  ને ક્રેડિટ ફ્રી લોન આપવામાં આવશે.
– MSME ને 3 લાખ કરોડ રૂપિયા સુધીની લોન ગેરંટી ફ્રી મળશે.
– 45 લાખ MSMEને તેનાથી ફાયદો થશે.
– જે લોન આફવામાં આવશે તેને ચાર વર્ષમાં ચૂકવવાની છે. આ 31 ઓક્ટોબર 2020 સુધી વેલિડ છે.

– સ્ટ્રેસ્ડ MSME માટે 20 હજાર કરોડ રૂપિયા સબ-ઓર્ડિનેટ ડેટ આપવામાં આવશે. તેમાંથી 2 લાખ એમએસએમઈને ફાયદો થશે.
– સરકારે એમએસએમઈની વ્યાખ્યા બદલવાનો નિર્ણય કર્યો છે.

– 18,000 કરોડ રૂપિયા ટેક્સ પેયર્સને આપીને તેમને પણ રાહત કરી આપી છે. 14 લાખ ટેક્સ પેયર્સને તેનો ફાયદો પણ મળ્યો છે.
– પ્રથમ વખત જ્યારે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી તેમાંથી 41 કરોડ એકાઉન્ટ્સમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી મદદ પહોંચાડવામાં આવી હતી.

– કોરોનાના કારણે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ સરકારે 1.7 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું.
– આત્મનિર્ભર ભારતના પાંચ પિલર છે. ઈકોનોમી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડ

May 13, 2020
CIA_Live_Logo_New2.jpg
1min6230

કલરફૂર 4.0 લૉકડાઉન અને 20 લાખ કરોડ રૂપિયાના જંગી સ્ટીમ્લ્યુલસ પેકેજની ઘોષણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તા.12મી મે એટલે કે ગઇકાલે રાત્રે 8 વાગ્યાથી સાડા આઠ વાગ્યા દરમિયાન કરી હતી. હવે આજે તા.13 મી મે ને બુધવારે બપોરે 4 વાગ્યે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ વિગતવાર જાહેરાત કરશે કે રૂ.20 લાખ કરોડના સ્ટીમ્યુલસ પેકેજમાં શું શું હશે. એવું પણ કહેવાય છે કે પેકેજની જાહેરાતો આજે એક દિવસમાં પૂરી નહીં થાય તા.17મી મે સુધી તબક્કાવાર રીતે જુદા જુદા સેક્ટર માટે જાહેરાતો થાય એ સંભવ છે.

દરમિયાન મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ દ્વારા આજે ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી હતી કે નાણા મંત્રી શ્રી નિર્મલા સીતારમણ આજે સાંજે 4 વાગ્યે મિડીયા બ્રિફિંગ કરીને પેકેજ અંગે વિગતવાર માહિતી આપશે.

May 12, 2020
ice_creame_cold_drinks.jpg
1min6460

કેન્દ્રના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કોલ્ડ ડ્રિક્સ, આઇસ્ક્રીમ અને ફ્રોઝન ફૂડ જેવી ખાદ્યચીજોથી કોરોના વાયરસનું સંક્રમણ થતું નથી એવી ગાઇડલાઇન્સ દરેક રાજ્યોને મોકલી આપી છે.

આ ગાઇડલાઇન્સના પાલન માટે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડો. એચ.જી. કોશીયાએ દરેક કલેક્ટરો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરોને સૂચના આપી છે અને જણાવ્યું છે કે, આવા ખાદ્યપદાર્થોના વેચાણને છુટ આપવામાં આવી હોવાથી એમને કનડગત કરવી નહીં.

May 12, 2020
CIA_Live_Logo_New2.jpg
1min18360

સક્ષમ વાલીઓ ફી ભરીને શિક્ષણ બચાવે : FRC પછી શાળાઓ આમેય કફોડી સ્થિતિમાં છે

ગુજરાતના સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે એક જાહેર પત્ર પાઠવીને એવા વાલીઓને પોતાના બાળકોની સ્કુલ ફી ભરી દેવા અપીલ કરી છે કે જેઓ આર્થિક રીતે સક્ષમ છે, હાલમાં લૉકડાઉનના સમયમાં પણ જેમની આવક ચાલુ છે. સરકારી કર્મચારીઓથી લઇને અનેક વાલીઓ છે જેમની લૉકડાઉનમાં આવક ચાલુ છે આમછતાં, એ અન્ય વાલીઓની સાથે શાળાઓની બાકી ફી નથી ભરી રહ્યા.

રાજ્યમાં જ્યારથી ફી રેગ્યુલેટરી કમિશન દ્વારા સ્કુલોની ફી નિર્ધારિત કરવામાં આવી રહી છે ત્યારથી પરિસ્થિતિ બગડી છે. સ્કુલો પોતાનું રિઝર્વ ભંડોળ પણ જાળવી શકી નથી. આવી સ્થિતિમાં જો વાલીઓ ફી નહીં ભરે તો સ્કુલોના સંચાલનમાં મોટા પ્રશ્નો ઉપસ્થિત થશે.

ગુજરાત રાજ્યના સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ શ્રી ભરતભાઇ ગાજીપરા (રાજકોટ), મહામંત્રી શ્રી રાજેશભાઇ નાકરાણી (સૂરત) અને પ્રવક્તા શ્રી દિપકભાઇ રાજ્યગુરુ (સૂરત)એ એક જાહેર પત્ર પાઠવીને શાળા સંચાલકો પર હાલ શું વીતી રહ્યું છે તેનો ચિતાર આપ્યો છે. હાલ લૉકડાઉનને કારણે વાલીઓની આવક બંધ છે અને તેઓ ફી ભરી શકે તેમ નથી. એ સમજી શકાય તેવી વાત છે પણ એવા પણ વાલીઓ છે જેઓ આર્થિક રીતે સક્ષમ છે, સરકારી કર્મચારીઓ છે, લૉકડાઉનમાં આવક જારી હોય તેવા વાલીઓ છે એ પણ શાળાઓની ફી નથી ભરી રહ્યા. બીજી તરફ શાળાઓએ ખાસ કરીને ખાનગી, પ્રાઇવેટ, નોનગ્રાન્ટેડ, સ્વનિર્ભર શાળાઓએ શિક્ષકોનો પગાર, લોનના હપ્તા, મિલકત ભાડા વગેરે ખર્ચા, નિભાવ ખર્ચા વગેરે ચૂકવવા પડે છે. બીજી તરફ ઓનલાઇન શિક્ષણ લગભગ મોટા ભાગની સ્કુલોએ શરૂ કરી દીધા છે, આ તમામ કામગીરી શાળા સંચાલકોએ પોતાના સ્વખર્ચે હાલ તો શરૂ કરી છે. પણ જો વાલીઓ ફી જ નહીં ભરે તો શાળા ચાલશે કેવી રીતે. શિક્ષણ કાર્ય કેવી રીતે આગળ વધશે. શિક્ષકોના પગાર નહીં થાય તો તેમના ઘર કેવી રીતે ચાલશે આવા અનેક પ્રશ્નો સર્જાય રહ્યા હોઇ, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે સક્ષમ વાલીઓ, સરકારી કર્મચારીઓ હોય કે જેમના પગાર ચાલુ હોય એવા તમામને પોતપોતાના બાળકોની શાળાની ફી ભરવા અપીલ કરી છે જેથી શાળા સંચાલકો પણ આર્થિક સંકટમાંથી ઉગરી શકે.

ગુજરાતમાં 50 ટકાથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતમાં પ્રાઇવેટ સ્કુલોમાં અભ્યાસ કરી રહ્યા છે. પ્રાઇવેટ સ્કુલોના સંચાલકોને છેલ્લા 4-5 વર્ષથી જાહેરમાં અપમાનિત કરવાનો ટ્રેન્ડ ચાલી નીકળ્યો છે. આટલું થયા પછી પણ પ્રાઇવેટ સ્કુલો વિના ચાલતું નથી. એફ.આર.સી.ના અમલ પછી શાળા સંચાલકોના નફાની વાત તો દૂર રહી પણ આવક જાવકનો મેળ પણ બેસતો ન હોય એવામાં લૉકડાઉન બાદ સર્જાયેલી સ્થિતિમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સક્ષમ વાલીઓને ફી ભરીને શિક્ષણને બચાવી લેવા અપીલ કરી છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળનો જાહેર પત્ર

May 12, 2020
bhupendrasinh-chudasama-1280x720.jpg
1min8170

ગુજરાતના શિક્ષણ અને કાનૂન વિભાગના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 2017માં ધોળકા વિધાનસભાથી જીતેલી ચૂંટણીને આજે ગુજરાત હાઇકોર્ટે ગેરકાનૂની ગણાવીને ચૂંટણી રદ કરી દીધી છે. હવે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ધારાસભ્ય તરીકે એક પણ કામ કરી શકશે નહીં.

2017માં વિધાનસભા ધોળકાની ચૂંટણીમાં ભાજપાના ઉમેદવાર ભૂપેન્દ્ર ચુડાસમાએ 327 મતની સાંકડી સરસરાઇથી મેળવેલી જીતને હરિફ કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ એ ગુજરાત હાઇકોર્ટમાં પડકારી હતી.

ધોળકા બેઠકની મત ગણતરીમાં ગડબડ થઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના અશ્વિન રાઠોડ દ્વારા હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. કોર્ટમાં મતગણતરી કેન્દ્રના સીસીટીવી ફુટેજ પણ દર્શાવાયા હતા. જેમાં ધોળકા વિધાનસભા બેઠકના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની નિયમો વિરુદ્ધ મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ પર વાતો કરતા જોવા મળ્યા હતા.

May 12, 2020
CIA_Live_Logo_New2.jpg
1min7250

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ તા.11મી મે 2020ના રોજ એક જાહેર નોટિસ બહાર પાડીને આગામી તા.26મી જુલાઇના રોજ નીટ પરીક્ષા આપનારા દેશભરના તમામ પરીક્ષાર્થીઓને જણાવ્યું છે કે હાલમાં એવી વિગતો ધ્યાને આવી છે કે કેટલાક લેભાગુ અને બોગસ તત્વો દ્વારા નીટ પરીક્ષાર્થીઓ પાસેથી એપ્લિકેશન નંબર, એપ્લિકેશન ડિટેઇલ્સ તેમજ પર્સનલ ઇન્ફર્મેશન એન.ટી.એ. (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)ના નામે માગવામાં આવી રહી છે.

એન.ટી.એ. (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) એ સૂચિત કર્યું છે કે એન.ટી.એ. દ્વારા આ પ્રકારે કોઇપણ પરીક્ષાર્થી પાસે કોઇપણ પ્રકારની માહિતી ફોન કોલથી, ઇમેલથી કે મેસેજથી માગવામાં આવી નથી કે ભવિષ્યમાં પણ આવી માહિતી મગાશે નહીં. આ પ્રકારે નીટના પરીક્ષાર્થીઓ પાસેથી તેમની એપ્લિકેશન સંબંધિત માહિતી માગનારા તત્વો બોગસ અને અનધિકૃત છે. પરીક્ષાર્થીઓ આ પ્રકારે કોઇને પણ માહિતી આપે નહીં.

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ આ મુજબની સૂચના જારી કરી છે

ઉપરની ફાઇલ પીડીએફમાં ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લીક કરો

http://data.nta.ac.in/Download/Notice/Notice_20200511063520.pdf

એન.ટી.એ. આવી માહિતી માગનારા સામે કાર્યવાહી કરી રહી છે

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ જણાવ્યું છે કે નીટના પરીક્ષાર્થીઓ પાસેથી એનટીએના નામે બોગસ રીતે માહિતી માગનારા ફેક તત્વોની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે. જો વિદ્યાર્થીઓએ આ પ્રકારે કોઇપણ ફરીયાદ હોય તો તેમણે ઉપરોક્ત નોટીસમાં જણાવેલા સંપર્ક નંબરો પર કોલ કરીને જાણ કરવી.

May 12, 2020
crime_in_lockdown.jpg
1min5870

ગુજરાતમાં લોકડાઉન દરમિયાન નિયમોનું ઉલ્લંઘન તેમજ કોરન્ટાઈનના ઉલ્લંઘન બદલ પોલીસ દ્વારા 1.51 લાખ કેસ નોંધવામાં આવ્યા છે તેમજ સીસીટીવી અને ડ્રોન સર્વેલન્સની મદદથી નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો મળીને 27,000ની ધરપકડ પણ થઈ છે તેમ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ સોમવારે માહિતી આપતા જણાવ્યું હતું.  

શિવાનંદ ઝાએ એક વીડિયો કોન્ફરન્સિંગ સંદેશમાં વિગતો આપતા કહ્યું કે, શહેરોમાં ધાબા પર લોકો એકત્ર થતા હોવાની આશંકાએ ઉપયોગમાં લેવાયેલા 2,000 ડ્રોન કેમેરા તેમજ જાહેર સ્થળોએ લગાવાયેલા સીસીટીવી કેમેરામાંથી મળેલા ફૂટેજના આધારે રાજ્યભરમાંથી પોલીસે કુલ 27,600 જેટલા લોકોની નિયમોના ભંગ બદલ ધરપકડ કરી છે.

રાજ્યમાં આવેલી વસાહતોમાં લગાવાયેલા સીસીટીવીના આધારે અમે તપાસ કરતા રવિવારે 23 જેટલા લોકો બહાર ફરી રહ્યા હોવાનું જણાયું હતું. અત્યાર સુધીમાં લોકડાઉન ઉલ્લંઘન બદલ 662 એફઆઈઆર નોંધાઈ છે અને 926 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાએ વધુમાં જણાવ્યું હતું કે, ડ્રોનની મદદથી અમે 12,200 કેસો નોંધ્યા છે અને 22,559 લોકોની ધકપકડ પણ કરવામાં આવી છે.

રવિવારે એક દિવસમાં સીસીટીવીની મદદથી નિયમોનું ઉલ્લંઘન કરનારા 74ને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે લોકડાઉન ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ 3,032 એફઆઈઆર નોંધી છે અને 4,156ની ધરપકડ પણ થઈ છે. ઓટોમેટિક નંબર પ્લેટ રેક્ગનિશન (એએનપીઆર) સિસ્ટમની મદદથી 10,370 કેસો થયા છે. આ ઉપરાંત પોલીસે વીડિયોગ્રાફરની મદદ પણ લીધી હતી અને તેમણે ઝડપેલા વીડિયોની મદદથી 3,506 કેસો પણ નોંધાયા છે તેમ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું.

May 11, 2020
ugc.jpeg
1min6320

કોઇપણ કોલેજીયન પોતાના પ્રશ્નો 011-23236374 અથવા covid19help.ugc@gmail.com રજૂ કરીને નિવારણ મેળવી શકે

હાલમાં કોવીડ-19 અને તેને પગલે ઉદભવેલી લૉકડાઉનની સ્થિતિમાં દેશની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં અનેક દ્વિધા, પ્રશ્નો, સમસ્યાઓ ઉદભવી છે. કોલેજીયન્સ પોતાના પ્રશ્નો અંગે સોશ્યલ મિડીયામાં પોસ્ટસ મૂકી રહ્યા છે પરંતુ, તેનાથી કોઇ ઉકેલ મળતો નથી. આવી સ્થિતિમાં દેશના શિક્ષણમંત્રી ડો. રમેશચંદ્ર પોખરીયાલે દરેક યુનિવર્સિટીને હાલના સંજોગોમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો, સમસ્યાઓ, મૂંઝવણો દૂર કરવા માટે એક અલાયદું સેલ શરૂ કરવા માટે જણાવ્યું છે.

બીજી તરફ, જો કોલેજ કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કોઇ પ્રશ્નો કે સમસ્યા નડતી હોય તો તેના માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન યુજીસીએ ગ્રીવન્સીસ સેલ શરૂ કર્યું છે. આ સેલનો હેલ્પલાઇન નંબર, ઇમેલ આઇ.ડી. તેમજ વેબસાઇટ એડ્રેસ જાહેર કરવામાં આવ્યા છે જ્યાં વિદ્યાર્થી પોતાના પ્રશ્નો રજૂ કરીને સમાધાન મેળવી શકે છે.

શિક્ષણ મંત્રીએ શું કહ્યું

યુજીસીએ પણ સેલ શરૂ કર્યું, દેશના કોઇપણ વિદ્યાર્થી પોતાની ક્વેરીઝ અહીં પાઠવીને સમાધાન મેળવી શકે

May 11, 2020
trains.jpg
1min4840

ભારતીય રેલવે સૌથી પહેલા મેજર રિઓપનિંગનો આરંભ કરવાની જાહેરાત તા.10મી મેને રવિવારે બપોરે કરી હતી. રેલવેના જણાવ્યા અનુસાર તા.12 મે 2020થી પેસેન્જર ટ્રેન તબક્કાવાર રીતે પેસેન્જર ટ્રેન્ો શરૂ કરવામાં આવશે.

શરૂઆતમાં 15 જોડી ટ્રેન સાથે. આ ટ્રેનો દિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટણા, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગાલુરૂ, ચેન્નાઈ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ-તાવીને જોડનારી નવી દિલ્હીથી સ્પેશિયલ ટ્રેનો રૂપમાં ચલાવવામાં આવશે.

આ ટ્રેનોમાં રિઝર્વેશન 11 મેથી સાંજે 4 વાગ્યાથી શરૂ થશે અને ફક્ત આઈઆરસીટીસીની વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે. રેલવે સ્ટેશનો પર ટિકિટ બુકિંગ બંધ રહેશે અને કોઈ કાઉન્ટર ટિકિટ (પ્લેટફોર્મ ટિકિટ સહિત) જારી કરવામાં આવશે નહીં.

May 11, 2020
moraribapu.png
1min10190

 મોરારિબાપુની સૂચનાનુસાર અને એમનાં વ્યક્તિગત માર્ગદર્શન હેઠળ શ્રી ચિત્રકૂટધામ ટ્રસ્ટ અને એમની રામકથાના શ્રોતાઓ દ્વારા આજ સુધીમાં રૂપિયા ત્રણ કરોડ જેટલી રકમની સહાયતા સમાજના વિવિધ વર્ગોને પહોંચાડવામાં આવી છે. માર્ચ માસમાં કોરોના મહામારીની શરૂઆતમાં શરૂઆતના સમયમાં જ લંડન સ્થિત રમેશભાઈ સચદેવ દ્વારા પૂજ્ય બાપુની સૂચનાનુસાર પ્રધાનમંત્રી ફંડમાં રૂપિયા એક કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું.

એ પછીથી મહુવા તાલુકાના વંચિત પરિવારો હોય કે રાજસ્થાનના લોક ગાયકો હોય, બાપુ દ્વારા રોકડ રકમ અને અનાજની કીટ સ્વરૂપે અવિરત સહાય પહોંચી રહી છે. સાત હજારથી પણ વધુ કીટ લોકો સુધી પહોંચાડવામાં આવી છે. એ ઉપરાંત કોરોના મહામારીને નાથવાના કાર્યમાં લાગેલા મેડીકલ, પોલીસ અને સફાઈ કર્મીઓ વગેરે માટે રૂપિયા છ લાખની પીપીઈ કીટનું પણ વિતરણ કરવાનું આયોજન થયેલ છે.

અલંગમાં અનેક પરપ્રાંતિય મજૂરો માટે ભોજન રસોડું શરૂ થયું અને એ પ્રમાણે મહુવામાં ‘ભૂખ્યાને ભોજન’ સંસ્થાને દોઢ લાખની સહાય મોકલવામાં આવી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાહત નિધિને રૂ. ૨૫ લાખની સહાય મોકલવામાં આવેલી છે. બનારસ, મુંબઈ અને સુરતની ગણિકા બહેનોને પણ અનાજ અને જીવન જરૂરિયાતની વસ્તુઓની કીટ મોકલવામાં આવી છે.

જ્યારે જ્યારે આવી વિકટ સ્થિતિ આવી છે ત્યારે પૂજ્ય બાપુની સંવેદના સમાજના તમામ લોકો માટે સમાનભાવે વહી છે.