CIA ALERT
29. April 2024

ગુજરાત Archives - Page 4 of 141 - CIA Live

September 26, 2022
amba.png
1min352

આસ્થા-સાધના-તપ-જપ-ઉલ્લાસના પર્વ શારદીય નવરાત્રિનો આજે 26 સપ્ટેમ્બર 2022થી પ્રારંભ થયો છે. આજથી નવ દિવસ ભક્તો જગતજનનીની આરાધનામાં લિન્ન થશે જ્યારે ખેલૈયાઓ રાસ-ગરબામાં થનગનશે. કોરોનાને પગલે છેલ્લા બે વર્ષથી રાસ-ગરબાનું ભવ્ય આયોજન થઇ શક્યું નહોતું. પરંતુ હવે આ વર્ષે કોઇ  નિયંત્રણ વિના રાસ-ગરબાને મંજૂરી આપવામાં આવતા ખેલૈયાઓનો ઉત્સાહ જબરદસ્ત છે.

નવરાત્રિ એટલે આસુરી શક્તિ ઉપર દૈવશક્તિના વિજય માટે નવદુર્ગા, અંબિકા, જગદંબા, ભગવતી ચંડીકા જેવા અનેક નામોથી પૂજીએ છે તે દેવી શક્તિની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર.નવરાત્રિના પ્રારંભ સાથે આવતીકાલથી શક્તિપીઠ અંબાજી, ચોટીલા, હરસિદ્ધિ માતા, અમદાવાદમાં ભદ્રકાળી સહિતના માતાજીનાં મંદિરોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટશે. જ્યોતિષીઓના મતે ઘટ સ્થાપન, અખંડ દીપ સ્થાપન, જ્વારારોપણ માટે આજે સવારે ૬ઃ૩૦ થી ૮ઃ૦૧ દરમિયાન અમૃત, સવારે ૯ઃ૩૧થી ૧૧ઃ૦૧ શુભ જ્યારે બપોરે ૧૨ઃ૦૭થી ૧૨ઃ૫૫ અભિજીત મુહૂર્તમાં પૂજન અર્ચન હર્ષોલ્લાસભેર થયા હતા..

નવરાત્રિના પ્રારંભે માતાજીના પૂજનમાં અનોખું મહત્વ ધરાવતું મહાન અને શુભ ફળ દેનારું ‘અંબિકા વીસા યંત્ર’ નું શુભ મુહૂર્તમાં સ્થાપન કરી નવરાત્રિ વખતે પૂજન કરવામાં આવે તો માં અંબિકાની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. જેના ફળસ્વરૃપે રોગ, શત્રુઓનો નાશ થાય છે. જેની સાથે ધન, ધાન્ય સંતતી, સમૃદ્ધિ, આયુષ્ય, આરોગ્યની વૃદ્ધિ થાય છે. નવરાત્રિ દરમિયાન માતાજીના મંદિરોમાં પણ વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા છે. અમદાવાદ પ્રાચિન ભદ્રકાળી મંદિરમાં નવરાત્રિના નવેય દિવસ દરમિયયાન માતાજીને અલગ શણગાર થશે. શક્તિપીઠ અંબાજીમાં આવતીકાલે સવારે ૯ થી ૧૦ઃ૩૦ દરમિયાન ઘટ સ્થાપન કરાશે. આ વખતે મહાઅષ્ટમી ૩ ઓક્ટોબર સોમવારના છે.

આ ઉપરાંત ચાચર ચોકમાં દરરોજ સાંજે ગરબા પણ યોજાશે. આમ, આજથી નવ દિવસ માતાજીની આરાધનાનો માહોલ જ જોવા મળશે. નવરાત્રિમાં અનેક સ્થાનેએ બેઠા ગરબાના પણ આયોજન કરવામાં આવે છે. નવરાત્રિના નવેય નોરતા દરમિયાન અનેક ભક્તો ઉપવાસ પણ કરતા હોય છે.

September 24, 2022
talati.png
1min357

નર્મદા જિલ્લા (Narmada District)ની નરખડી ગ્રામ પંચાયતના તલાટી નીતા પટેલને સુરત એન્ટિ કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા છે. તેમણે ખેતરમાં વીજ કનેક્શન માટે જમીન માલિક પાસે આ લાંચ માગી હતી. લાંચના રૂપિયા લેવા માટે તેમણે એક નવી જ મોડસ ઓપરન્ડી અપનાવી હતી. મહિલા તલાટીએ એસીબીથી બચવા માટે લાંચના રૂપિયા આંગડિયા મારફતે ગાંધીનગર (Gandhinagar)માં અન્ય એક વ્યક્તિને ત્યાં મંગાવી હતી.

i

નરખડી ગ્રામ પંચાયતના તલાટી નીતા પટેલે ખેતરમાં વીજ મીટર કનેક્શન અને ઘર નંબર મેળવવા માટે જમીન માલિક પાસે એક લાખ રૂપિયા માગ્યા હતા. તલાટીએ આ રૂપિયા હાથોહાથ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો અને આંગડિયા મારફતે ગાંધીનગરમાં રહેતા મહેશ આહજોલિયા નામની વ્યક્તિને મોકલી આપવા જણાવ્યું હતું. જોકે, જમીન માલિકે સુરત એસીબીનો સંપર્ક કરી તલાટી લાંચ માગતા હોવા અંગે ફરિયાદ કરી હતી. તે પછી એસીબીએ છટકું ગોઠવી તલાટી અને તેમના સાથીદાર મહેશને ઝડપી લીધા હતા.

જેમની પાસે લાંચ માગવામાં આવી હતી તેમના ખેતરમાં બિયારણ, ખાતર વગેરે સામાન તેમજ મજૂરોને રહેવા માટે પતરાના શેડવાળી ઓરડીઓ બનાવવામાં આવી છે. જેમાં વીજ મીટરની જરૂરિયાત હોવાથી તેમણે નરખડી ગ્રામ પંચાયતમાં ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજૂરી મેળવવા અરજી કરી હતી. પરંતુ, અરજી પર કાર્યવાહી આગળ વધતી ન હતી. ફરિયાદ મુજબ, ગ્રામ પંચાયતના તલાટી નીતા પટેલ દ્વારા વીજ કનેક્શનની કાર્યવાહી આગળ વધારવા માટે રૂપિયા એક લાખની લાંચ માગી હતી.

તલાટીએ લાંચની આ રકમ આંગડિયા મારફતે ગાંધીનગરમાં મહેશ આહજોલિયા નામની વ્યક્તિને પહોંચાડવા કહ્યું હતું. જમીન માલિકે કરેલી ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને તેમાં આંગડિયા મારફતે લાંચની રકમ સ્વીકારનારા મહેશ આહજોલિયાને રંગેહાથ ઝડપી લીધો હતો. બાદમાં લાંચ લેવા મામલે તલાટી નીતા પટેલની પણ એસીબીએ ધરપકડ કરી હતી.

September 24, 2022
weather-forecast.jpg
1min229

હવામાન વિભાગે ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિત ૧૭ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરીને યલો એલર્ટ જારી કર્યો છે.

હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, તેલંગણા, ઓડિશા, બિહાર, પશ્વિમ બંગાળ સહિત ૧૭ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી હતી. કેટલાક રાજ્યોમાં યેલ્લો એલર્ટ પણ જારી કર્યો છે. 

બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાતા દેશના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ઉત્તર પ્રદેશ, દિલ્હી-એનસીઆર અને મધ્યપ્રદેશમાં સર્વાધિક વરસાદ થાય એવી શક્યતા છે. 

September 17, 2022
govt-guj.jpeg
1min244

ગુજરાત સરકારે 16/9/22, શુક્રવારના રોજ આંદોલન પર ઉતરેલા સરકારી કર્મચારીઓની કેટલીક માગણીઓ સ્વીકારી હતી અને રાજ્યના 9 લાખ સરકારી કર્મચારીઓને લાભ થાય તેવા નિર્ણયો જાહેર કર્યા હતા. આમ સરકાર અને આંદોલનકારી સરકારી કર્મચારીઓ વચ્ચે સમાધાન થયું હતું. પરંતુ આજે 17/9/22 શનિવારે સવારે ફરી એક વખત સરકારી કર્મચારીઓના સરકાર સાથેના સમાધાનમાં ભંગાણ જોવા મળ્યું છે. માસ સીએલ પર ઉતરેલા હજારો કર્મચારીઓએ જૂની પેન્શન યોજના મામલે ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતે રેલી યોજી છે. 

September 15, 2022
vipul-chaudhari.jpeg
1min255

– વિપુલ ચૌધરી યુવાન વયથી જ રાજકારણમાં સક્રિય છે અને ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી રહી ચુક્યા છે

અમદાવાદ, તા. 15 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર

ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરી, મહેસાણાના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે. બુધવારે મોડી રાતે વિપુલ ચૌધરીની ગાંધીનગર ખાતેથી અટકાયત કરવામાં આવી હતી. આ કારણે અર્બુદા સેનામાં ભારે રોષ વ્યાપ્યો છે. 

વિપુલ ચૌધરીની સાથે જ તેમના પર્સનલ CA શૈલેષ પરીખની પણ અટકાયત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ બંનેની ધરપકડ કરવામાં આવશે. 

વિપુલ ચૌધરીની મહેસાણા એસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના (સીઆર નંબર 5/2022)ના સંદર્ભમાં અટકાયત કરવામાં આવી છે. તેમની કલમો 406, 409, 420, 465, 467 હેઠળ અને IPCના 468, 471, 120(B) તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની 12, 13(1), 13(2) કલમો અંતર્ગત અટકાયત કરવામાં આવી છે. આ અટકાયતને વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન હતા તે સમયે થયેલી નાણાકીય ગેરરીતિઓ સાથે સંબંધ છે. ખાનગી ગાડીમાં અને સાદા કપડામાં પહોંચેલી પોલીસે ગાંધીનગરથી વિપુલ ચૌધરીની અટકાયત કરી હતી.

320 કરોડની ઉચાપાતના કેસમાં અટકાયત

જાણવા મળ્યા મુજબ દૂધસાગર ડેરીમાં જે ઉચાપાત થઈ તેની ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસમાં રૂપિયા 320 કરોડ જેટલી મોટી રકમની ઉચાપાત થઈ હોવાનું ખુલ્યું હતું. આ અંગેનો રિપોર્ટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગૃહવિભાગની સાથે પોલીસ ભવનને પણ મોકલવામાં આવ્યો હતો.

દૂધસાગર ડેરીમાં આશરે 320 કરોડના બોગસ વ્યવહારો મામલે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી અને તેમના CA સામે ફરિયાદ થઈ હતી. આક્ષેપ હતો કે, વિપુલ ચૌધરીએ 17 બોગસ કંપનીઓ બનાવીને 320 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. નાણાંકીય ગેરરીતિનો મામલે હોવાથી તેમની તથા તેમના CA શૈલેષ પરીખની પણ અટકાયત કરવામાં આવી છે.

ત્યાર બાદ વિપુલ ચૌધરી અને તેમના CA સામે પગલાં ભરીને આખરે તેમની અટકાયત કરવામાં આવી છે. અટકાયત બાદ વિપુલ ચૌધરી અને તેમના CA શૈલેષ પરીખને ACB ઓફિસ લઈ જવામાં આવ્યા છે અને તેમની ધરપકડ કરીને ઉચાપાત અંગે વધુ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.

September 15, 2022
mbbs.jpg
1min414

યુજી મેડિકલ અને પીજી મેડિકલ એમ બંને અભ્યાસક્રમોમાં હવે આ વર્ષથી ઓલ ઈન્ડિયા ક્વોટાના વિદ્યાર્થીઓને પણ બોન્ડ નીતિ લાગુ પડશે. અન્ય રાજ્યોમાં ઓલ ઈન્ડિયા ક્વોટામાં બોન્ડ લેવામા આવતા હોઈ ગુજરાતમાં અત્યાર સુધી ઓલ ઈન્ડિયા ક્વોટામાં બોન્ડ નીતિ લાગુ ન હતી ત્યારે આ બાબતે સરકારને રજૂઆત કરવામા આવી હતી.જેના પગલે સરકારે આ વર્ષથી બંને ક્વોટામાં સમાનપણે બોન્ડ નીતિ લાગુ કરવાની જાહેરાત કરી છે.

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજોના ડીનને પરિપત્ર કરીને જણાવવામા આવ્યુ છે કે રાજ્યમાં સ્નાતક એટલે કે યુજી અને અનુસ્નાતક એટલેકે પીજી મેડિકલ કોર્સીસમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી પ્રવેશ મેળવનાર ઓલ ઈન્ડિયા ક્વોટાના વિદ્યાર્થીઓને પણ સ્ટેટ ક્વોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની જેમ બોન્ડ નીતિ લાગુ પડશે. આમ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી ઓલ ઈન્ડિયા ક્વોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીએ પણ નિયત સમયગાળાની સેવા માટે બોન્ડ આપવાનો રહેશે. આ મુજબની માહિતી મેડિકલ કાઉન્સેલિંગ કમિટીની વેબસાઈટ પર દરેક કોલેજો તાકીદે અપડેટ કરીને આપવાની રહેશે અને રાજ્ય સરકારને જાણ કરવાની રહેશે.

મહત્વનું છે કે નીટ પીજીની પ્રવેશ પરીક્ષા દ્વારા ઓલ ઈન્ડિયા ક્વોટામાં ૫૦ ટકા બેઠકો પર મેડિકલ કાઉન્સેલિંગ કમિટી દ્વારા મેરિટના આધારે પ્રવેશ પ્રક્રિયા કરવામા આવે છે ત્યારે દેશના વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લે છે. ગુજરાતમાં જ કોઈ પણ પ્રકારના બોન્ડની જોગવાઈ પીજી ઓલ ઈન્ડિયા ક્વોટા માટે કરવામા આવી નથી. જેથી ગુજરાતમાં ઓલ ઈન્ડિયા ક્વોટમાં પ્રવેશ લઈ અભ્યાસ પૂર્ણ કરીને સરકારી મેડિકલ કોલેજોમાં નહિવત ફીમાં ભણીને બોન્ડ ભર્યા વિના કે સરકારની હોસ્પિટલોમાં સેવા આપ્યા વિના વિદ્યાર્થીઓ પોતાના રાજ્યોમાં પરત જતા રહે છે.આ બાબતે કેન્દ્રિય આરોગ્યમંત્રીને રજૂઆત કરવામા આવી હતી અને ઓલ ઈન્ડિયા ક્વોટામાં ૫૦ ટકા સરકારી બેઠકોમા પ્રવેશ લેનાર  દરેક વિદ્યાર્થી માટે બોન્ડ નીતિ લાગુ કરવાની માંગ કરવામા આવી હતી.

September 14, 2022
askre.jpg
1min302

-એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં બાંધકામ દરમિયાન સાતમા માળેથી એક લિફ્ટ તૂટી પડતાં 7 શ્રમિકોના મોત

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જ્યાં એસ્પાયર-2 નામની બિલ્ડિંગના બાંધકામ દરમ્યાન 7 શ્રમિકોના મોત થયાના અહેવાલ મળી રહ્યાં છે. 

મળતી માહિતી પ્રમાણે એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં બાંધકામ દરમિયાન સાતમા માળેથી એક લિફ્ટ તૂટી પડતા 7 શ્રમિકોના મોત થયા છે. આ ઘટનામાં બે શ્રમિકોને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

  • ગુજરાત યુનિવર્સિટી નજીક મોટી દુર્ઘટના 
  • એસ્પાયર-2 નામની બિલ્ડીંગનુ કન્ટ્રક્શન વખતે બની ઘટના 
  • મૃતક મજૂરો ઘોઘમ્બાના વતની 
  • સાતમા માળેથી એક લિફ્ટ તૂટી પડતા 7શ્રમિકોના મોત

મૃત્યુ પામનાર શ્રમિકો :

  • મૃતક મજૂરો ઘોઘમ્બાના વતની હોવાની માહિતી મળી રહી છે.
  • સંજયભાઈ બાબુભાઇ નાયક ​​​​​​​​​​​​, ઉમર 20 વર્ષ
  • જગદીશભાઈ રમેશભાઈ નાયક,ઉંમર 21 વર્ષ
  • અશ્વિનભાઈ સોમાભાઈ નાયક,ઉમર 20 વર્ષ​​​​​​
  • મુકેશ ભરતભાઇ નાયક​​​​​​​,ઉમર 25 વર્ષ​
  • મુકેશભાઇ ભરતભાઇ નાયક, ઉમર ​​​​​​​25 વર્ષ
  • રાજમલ સુરેશભાઇ ખરાડી,ઉમંર 25 વર્ષ
  • પંકજભાઇ શંકરભાઇ ખરાડી,ઉમર 21 વર્ષ
September 13, 2022
rainingujarat-1.jpg
1min236

કેરળ, તેલંગાણા સહિત અનેક રાજ્યોમાં વરસાદથી ભારે તારાજી, ઓરેંજ એલર્ટ

દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતી ભારે વરસાદ પડી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે મહારાષ્ટ્ર અને અન્ય કેટલાક સમુદ્રી કાંઠા વાળા રાજ્યોમાં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે. પૂણેમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારેથી અતી ભારે વરસાદ પડયો છે. આગામી બે દિવસ માટે પૂણે અને આસપાસના વિસ્તારોમાં ઓરેંજ એલર્ટ અપાયું છે. આ ઉપરાંત વિદર્ભ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશામાં પણ ભારે વરસાદની આગાહી છે.

બીજી તરફ હાલ તેલંગાણા, કેરળમાં પૂરની સ્થિતિ પેદા થઇ ગઇ છે. તેલંગાણામાં ગોદાવરી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પૂર આવ્યું છે અને નદીના કાંઠા વાળા વિસ્તારોમાં અનેક ગામડા તળાવમાં ફેરવાઇ ગયા છે.

 હજારો લોકોને ગામડામાંથી સુરક્ષીત રેસ્ક્યૂ કરાઇને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય વિસ્તારોમાં પણ ચેતવણી જારી કરવામાં આવી છે. જુલાઇ મહિનામાં જ તેલંગાણાના અનેક જિલ્લામાં પૂરે તબાહી મચાવી હતી. 

તેલંગાણા ઉપરાંત કેરળમાં પણ ચક્રાવાતી વાવાઝોડાએ તબાહી મચાવી છે. કેરળના અનેક મકાનોને આ વાવાઝોડાને કારણે નુકસાન પહોંચ્યું છે. કેરળની ચલક્કુડી નદીની આસપાસ આ ચક્રાવાતી વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં વીજળી ગુલ છે. આ વાવાઝોડાને પગલે ત્રિશૂર જિલ્લાના કલેક્ટર અને અન્ય અધિકારીઓએ ઇમર્જન્સી બેઠક યોજી હતી. 

હાલ તેલંગાણા અને કેરળમાં અનેક લોકોને રેસ્ક્યૂ કરવા ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. કેરળમાં વીજળી પડવાની ઘટનાઓને લઇને પણ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીંના ઇડુક્કી, મલક્કડ, કોઝીકોડ, વાયનાડ, કન્નુર અને કાસરગોડમાં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે. 

September 12, 2022
Gandhinagar-Gujarat.jpg
1min216

વેદાંત જૂથ (Vedant Group)એ 20 અબજ ડોલરના રોકાણ સાથે સેમીકન્ડક્ટર ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાતની પસંદગી (Semiconductor Plant in Gujarat) કરી છે. આ પ્લાન્ટ અમદાવાદ નજીક સ્થાપવામાં આવે તેવી શક્યતા છે. આ વિશે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી.

આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ નજીક ઉત્પાદન ફેસિલિટી સ્થાપવામાં આવશે. ત્યાં ડિસ્પ્લે અને સેમીકન્ડક્ટરનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે. વેદાંત જૂથ પોતાના પ્રોજેક્ટ માટે ઘણા સમયથી લોબિંગ કરી રહ્યું હતું અને કેટલીક છૂટછાટોનો આગ્રહ રાખ્યો હતો. આ પ્લાન્ટ માટે વેદાંતે 99 વર્ષની લીઝ પર 1000 એકર (405 હેક્ટર) જમીન મફતમાં માંગી હતી. આ ઉપરાંત 20 વર્ષ માટે પાણી અને વીજળી પણ એકદમ નીચા અને ફિક્સ ભાવે આપવામાં આવે તેવી માંગણી કરી હતી. વેદાંત કે ફોક્સકોનના પ્રવક્તાએ હજુ આ વિશે ટિપ્પણી કરી નથી. ગુજરાત સરકારે પણ હજુ કોઈ ટિપ્પણી કરી નથી. સૂત્રોએ કહ્યું કે ગુજરાત સરકાર અને વેદાંત વચ્ચે એક ઔપચારિક સમજૂતિપત્ર પર સહી થાય ત્યાર પછી સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.

ક્લિન એનર્જીની જેમ સેમીકન્ડક્ટર ક્ષેત્રે પણ ભારત નંબર વન બનવાની યોજના ધરાવે છે. વેદાંજ જૂથે સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાત સરકાર પાસેથી નાણાકીય અને બિન-નાણાકીય સબસિડી મેળવી છે જેમાં કેપિટલ એક્સપેન્ડિચર તથા સસ્તી વીજળી નો સહિતની સગવડો અપાશે.

સૂત્રોએ એજન્સીને જણાવ્યા પ્રમાણે વેદાંત અને તાઈવાનની ફોક્સકોન (Foxconn) સાથે મળીને સેમીકન્ડક્ટરનું ઉત્પાદન કરવાની છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોતાના રાજ્ય ગુજરાત પર પસંદગી ઢોળવામાં આવી છે. આ પ્લાન્ટ મેળવવા માટે મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે ગળાકાપ હરીફાઈ ચાલતી હતી.

September 12, 2022
police-votes.jpeg
1min241

રાજ્યના ગૃહ વિભાગે પોલીસ પે ગ્રેડ માટે જાહેર કરેલ એલાઉન્સના નિયમોમાં અંતે ફેરબદલ કરવાની ફરજ પડી છે. એલાઉન્સ મેળવનાર તમામ પોલીસ કર્મચારીઓ નારાજ હતા અને સરકાર એક યુદ્ધ છેડ્યું હતુ જેમાં અંતે આજે સરકાર ઝુકવું પડ્યું છે.

તા. ૨૯-8-૨૦૨૨ના ઠરાવ મુજબની ફિક્સ રકમ સ્વિકારી લીધા પછી અન્ય કોઈપણ પ્રકારના ભથ્થા, લાભ મળવાપાત્ર થશે નહીં. આ બાબતે જાણકારી છે અને પોલીસ કર્મચારીને વાંધો વિરોધ નથી તેવી બાંહેધરી આપવાની છે. ફિક્સ રકમ ઉપર ભવિષ્યમાં અન્ય કોઈ ભથ્થાં, લાભ મેળવવા હક્ક, દાવો કોઈપણ રાહે નહીં કરાય કે નહીં કરાવાય તેવી બાંહેધરી મગાતા પોલીસ કર્મચારીઓમાં રોષ હતો. અંતે આજે ગૃહવિભાગે નવો પરિપત્ર બહાર પાડીને આ એફિડેવિટના પ્રસ્તાવને રદ્દ કર્યો છે.

પોલીસના સોશિયલ મીડિયામાં ચાલતા આંદોલનને ડામવા માટે સરકાર અને પોલીસ અધિકારીઓના ધમપછાડા છતાં પોલીસ કર્મચારીઓએ ટસના મસ ના થઈ એફિડેવિટ આપવાનો ઈન્કાર કરતાં આખરે સરકારે નવો ઠરાવ કરવો પડ્યો છે. હવે પોલીસ કર્મચારીઓએ પગાર વધારા પેટે એફિડેવિટ આપવાની જરૂર નથી.

કેજરીવાલના નિવેદન બાદ સલવાયેલી સરકારે પેકેજની જાહેરાત તો કરી દીધી પણ નિયમોને આધિન પગાર વધારો કરવો હતો, જે પોલીસ કર્મચારીઓને સ્વીકાર ન હતો. આખરે ઘીના ઠામમાં ઘી ઢળે એમ સરકારે એફિડેવિટનો નિર્ણય પડતો મૂક્યો છે.

સરકારના એફિડેવિટના નિર્ણય વિરૂદ્ધ પોલીસ કર્મચારીઓ ફરી એક વખત સોશિયલ મીડિયાનો સહારો લઈને પર પે ગ્રેડનું આંદોલન ચલાવ્યું હતું. પરિપત્રમાં તમામ પોલીસ કર્મચારીઓ સમહતિ પત્ર આપવું પડશે તેવી સૂચના આપવામાં આવી હતી.