CIA ALERT

ગુજરાત Archives - Page 3 of 157 - CIA Live

April 6, 2026
bad_weather.jpg
1min80

એપ્રિલની શરૂઆતથી જ સમગ્ર દેશમાં હવામાન પલટાયું છે. ગુજરાત, મહારાષ્ટ્ર યુપી, બિહાર, દિલ્હી, રાજસ્થાન, ઝારખંડ, પંજાબ સહિત અનેક રાજ્યોમાં આંધી-વરસાદે કહેર મચાવ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે નવું એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગ પ્રમાણે, આ સપ્તાહે ઉત્તર પશ્ચિમ ભારતમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેની અસર 7 અને 8 એપ્રિલે સૌથી વધારે જોવા મળશે. આ દરમિયાન 12 રાજ્યોમાં આંધી-વરસાદની સાથે કરાનું એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગે રાજ્યમાં ફરી માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં 7 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ, દાહોદ, પંચમહાલ, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી છે. 8 એપ્રિલથી રાજ્યમાં ફરી તાપમાનનો પારો ઉંચકાશે.

ઉત્તર પ્રદેશમાં આગામી ત્રણ દિવસ સુધી આંધી-વરસાદની સાથે કરા પડી શકે છે. આઈએમડી અનુસાર 7 અને 8 એપ્રિલે પશ્ચિમ યુપીમાં આંધી-વરસાદ, 8-9 એપ્રિલે પૂર્વ યુપીમાં વરસાદ પડી શકે છે. આ દરમિયાન આશરે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાજ્યમાં બુધવાર સુધી ભારે વરસાદ અને કરા પડી શકે છે.

બિહારમાં પણ આંધી-વરસાદની સાથે કરા પડવાની શક્યતા છે. હવામાન વિભાગ પ્રમાણે, આજથી ત્રણ દિવસ સુધી એટલે કે 8 એપ્રિલ સુધી કરા પડવાની સંભાવના છે. આ દરમિયાન 50 થી 70 કિમીને ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ઉત્તરાખંડમાં મોસમનો મિજાજ બદલાયો છે. હવામાન વિભાગે 72 કલાક સુધી ભારે પવન સાથે ગાજવીજની સંભાવના વ્યક્ત કરી છે. વીજળી પડવાની સાથે 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઊંચાણવાળા વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ શકે છે.

પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 8 એપ્રિલ સુધી કરા પડવાની સંભાવના છે. રાજસ્થાનના અનેક હિસ્સામાં છેલ્લા બે દિવસમાં થયેલા વરસાદ-કરાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. રાજ્યમાં હવામાન વિભાગે વરસાદ, વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે. 6-7 એપ્રિલે ભારે પવન ફૂંકાઈ શકે છે અને પશ્ચિમ તથા પૂર્વ રાજસ્થાનમાં ક્યાંક કરા પડ શકે છે.

હવામાન વિભાગ પ્રમાણે, ઝારખંડમાં કેટલીક જગ્યાએ 6 થી 8 એપ્રિલ દરમિયાન કરા, વરસાદની શક્યતા છે. આ દરમિયાન હવામાન વિભાગે લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. ઓડિશાના કેટલાક જિલ્લામાં 70 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.

March 21, 2026
image-9.png
1min56

ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાએ મળીને કરેલા હુમલાને ત્રણ સપ્તાહ થયા છે. જેની અસર હવે ગુજરાતના ઉદ્યોગો પર જોવા મળી રહી છે. યુદ્ધની આગાના કારણે ગુજરાતના ઉદ્યોગોને આશરે ₹10,000 કરોડના નુકસાનનું સંકટ છે. જેમાંથી કેટલોક હિસ્સો ક્યારેય ભરપાઈ ન થઈ શકે તેવો હોઈ શકે છે.

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના આ સંઘર્ષને કારણે રાજ્યની નિકાસમાં લગભગ 30% જેટલો ઘટાડો થયો છે. આમાંથી આશરે ₹10,000 કરોડનો વ્યવસાય કાયમી ધોરણે ગુમાવ્યો હોવાનું માનવામાં આવે છે અને તેની વસૂલાત થવાની શક્યતા ઓછી છે. આ અસર સિરામિક, ફૂડ એન્ડ બેવરેજીસ, એન્જિનિયરિંગ, જેમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ્સ તેમજ ટેક્સટાઈલ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં જોવા મળી રહી છે.

જો સ્થિતિ આવી જ રહેશે તો નુકસાન વધુ વકરી શકે છે. તેમણે કહ્યું, ₹10,000 કરોડનો આંકડો એ લઘુત્તમ અંદાજ છે. લગભગ 30% નિકાસને અસર થઈ હોવાથી, જો સંઘર્ષ ચાલુ રહેશે તો આગામી ક્વાર્ટરમાં નુકસાન નોંધપાત્ર રીતે વધારે હોઈ શકે છે. સૂત્રોએ યુદ્ધના કારણે વેપારમાં અવરોધ અને ઈંધણના ભાવમાં વધારાથી થતા વ્યાપક આર્થિક પરિણામો અંગે ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જો આ સંઘર્ષ વધુ ત્રણ મહિના લંબાશે તો વૈશ્વિક અર્થતંત્ર મંદી જેવી સ્થિતિ તરફ ધકેલાઈ શકે છે.

ક્રૂડના ભાવમાં પહેલેથી જ લગભગ 35% નો વધારો થયો છે, જેના કારણે ઉદ્યોગોને તેમની ઉત્પાદન ક્ષમતા 100% થી ઘટાડીને લગભગ 50% કરવાની ફરજ પડી છે. આ એવું નુકસાન છે જે સ્થિતિ સામાન્ય થાય તો પણ રિકવર કરી શકાતું નથી. તેમણે ઉમેર્યું હતું કે જો ઝડપી ઉકેલ આવે તો નુકસાન મર્યાદિત કરી શકાય છે. જો 30 થી 45 દિવસમાં સ્થિતિ સ્થિર થાય, તો ઉદ્યોગો અમુક નુકસાન રિકવર કરી શકે છે. જો કે, જો સંઘર્ષ લાંબો ખેંચાશે, તો નુકસાન બે થી ત્રણ ગણું વધી શકે છે.

વોર-રિસ્ક ઈન્સ્યોરન્સ, ઉંચા નૂર (ભાડું) ખર્ચ, લાંબા શિપિંગ રૂટ, ઈંધણના વધેલા ભાવ અને મોંઘા કાચા માલના કારણે ખર્ચમાં વધારો થયો છે, જે કાયમી નુકસાનમાં વધારો કરી રહ્યો છે. એકમાત્ર રાહતની વાત મજબૂત સ્થાનિક વપરાશ છે, જેણે તૈયાર અને અર્ધ-તૈયાર માલના મોટા હિસ્સાને સમાવવામાં મદદ કરી છે.

March 21, 2026
image-8-1280x853.png
1min65

સુરતના કહેવાતા યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયા અને તેના સાગરીતો દ્વારા આચરવામાં આવેલા કરોડો રૂપિયાના નકલી નોટના કૌભાંડે સમગ્ર દેશની તપાસ એજન્સીઓને ચોંકાવી દીધી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં સાત આરોપીઓની ધરપકડ કરી છે, જેમને ઘી કાંટા ફોજદારી કોર્ટે 10 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપ્યા છે. આ કૌભાંડમાં હવે પાકિસ્તાન પ્રેરિત ‘ઈકોનોમિક ટેરર’ની આશંકા સેવાઈ રહી છે.

તપાસમાં બહાર આવ્યું છે કે, સુરતના ‘શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન’ના નામે પ્રદીપ જોટાંગિયા નકલી નોટોનું નેટવર્ક ચલાવતો હતો. આરોપીઓએ છેલ્લા બે થી ત્રણ મહિનામાં જ આશરે અઢી થી ત્રણ કરોડ રૂપિયાની બનાવટી નોટો બજારમાં ફરતી કરી દીધી છે. પોલીસે મુકેશ ઠુમ્મરના ઘરે દરોડો પાડી 500 રૂપિયાના દરની 15,600 નકલી નોટો જપ્ત કરી છે. આરોપીઓ અત્યંત આધુનિક રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી અસલી નોટો સ્કેન કરી તેના સીરીયલ નંબર બદલીને આબેહૂબ નકલી નોટો છાપતા હતા.

બનાવટી ચલણી નોટોના કરોડોના કૌભાંડમાં રિમાન્ડ પર સોંપાયેલા અન્ય આરોપીઓમાં મુકેશ ઠુમ્મર, અશોક માવાણી, રમેશ બાલાર, દિવ્યેશ રાણા, ભરત કોટડિયા અને આરતીનો સમાવેશ થાય છે.

રો-મટીરીયલ: નકલી નોટ છાપવા માટે ખાસ પ્રકારનો કાગળ ચીનથી મંગાવવામાં આવતો હતો. આ કાગળમાં આરબીઆઈનો લોગો અને ભારતનું નામ અગાઉથી હોવાની શક્યતા છે.

આતંકી એજન્સીઓની એન્ટ્રી: પાકિસ્તાન દ્વારા ચીન મારફતે ભારતના અર્થતંત્રને તોડવા માટે આ ‘ઈકોનોમિક ટેરર’ ચલાવવામાં આવતું હોવાની આશંકા છે. જેને પગલે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) અને R&AW (રૉ) જેવી કેન્દ્રીય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે.

કયા મુદ્દે તપાસ કરવામાં આવશે?

•આરોપીઓએ શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનની સંસ્થા સહિત કયા કયા ખાતાઓમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા?
•આરોપી મુકેશ ઠુમ્મરે નકલી નોટો છાપવા માટે ચાઈનાથી ખાસ કાગળ કોના મારફતે અને કઈ રીતે મંગાવ્યો હતો?
•આરોપીઓના વાર્ષિક આઈટી રિટર્ન તપાસીને નકલી નોટોના આ કૌભાંડથી મેળવાયેલી રકમમાંથી કોઈ અપ્રમાણિક મિલકતો વસાવવામાં આવી છે કે કેમ?
•આ સમગ્ર પ્રકરણમાં કુલ કેટલા લોકો સંડોવાયેલા છે તેની તપાસ.
•આરોપીઓના ફોન કોલ્સ અને સીડીઆર ડેટાના આધારે તેમના સંપર્કોની તપાસ.
•આરોપીઓ એઆઈ (AI)ની મદદથી 500 રૂપિયાની અસલ નોટ સ્કેન કરીને સિરિયલ નંબર બદલી નકલી નોટો છાપતા હતા.

February 28, 2026
image-33.png
1min104

સોરઠની શાન કહેવાતા સાવજના મોતના આંકડા વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા હતા. ગૃહમાં રજૂ કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ સુધીમાં, રાજ્યમાં ૨૫૫ પુખ્ત નર સિંહ, ૪૦૫ સિંહણ અને ૨૩૧ બચ્ચા છે. એટલે કે અંદાજે 891 સિંહ છે. જોકે, વસ્તીની વિગતોની સાથે, મૃત્યુદરના આંકડાઓએ ચિંતા જગાવી છે. વર્ષ ૨૦૨૪ અને જાન્યુઆરી ૨૦૨૬ વચ્ચે, ગુજરાતમાં કુલ ૩૨૨ સિંહ, સિંહણ અને બચ્ચાના મૃત્યુ નોંધાયા હતા.

વર્ષ પ્રમાણે વિગતવાર આંકડા જોઈએ તો ૨૦૨૪માં કુલ ૧૬૫ સિંહના મૃત્યુ નોંધાયા હતા, આમાંથી ૩૯ મૃત્યુને અકુદરતી ગણવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૫માં રાજ્યમાં ૧૪૮ સિંહના મૃત્યુ નોંધાયા હતા, આમાંથી ૨૨ મૃત્યુ અકુદરતી તરીકે નોંધાયા હતા. જ્યારે જાન્યુઆરી ૨૦૨૬માં પહેલા મહિનામાં જ ૯ સિંહના મૃત્યુ નોંધાયા હતા, જેમાં ૩ મોત અકુદરતી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા.

સત્તાવાર માહિતી અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં કુદરતી અને અકુદરતી બંને કારણોસર નોંધપાત્ર સંખ્યામાં સિંહોના મૃત્યુ થયા છે. 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર, 2024 દરમિયાન, કુલ 28 સિંહ, 28 સિંહણ અને 68 બચ્ચા કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા હતા.

2025 માં, કુદરતી મૃત્યુમાં 28 સિંહ, 38 સિંહણ અને 55 બચ્ચાનો સમાવેશ થાય છે. જાન્યુઆરી 2026 માં (31 જાન્યુઆરી સુધી), બે સિંહ, એક સિંહણ અને ત્રણ બચ્ચા કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા હતા.અકુદરતી મૃત્યુની વાત કરીએ તો, 2024માં 12 સિંહ, 19 સિંહણ અને 11 બચ્ચા નોંધાયા હતા, જ્યારે 2025 માં આ આંકડો ચાર સિંહ, પાંચ સિંહણ અને 11 બચ્ચા હતો. જાન્યુઆરી 2026 માં, એક સિંહ અને બે સિંહણ અકુદરતી કારણોસર મૃત્યુ પામ્યા હતા, આ સમયગાળા દરમિયાન કોઈ બચ્ચાના મૃત્યુની જાણ થઈ નથી.

બીજી બાજુ સિંહોના અકુદરતી મૃત્યુને રોકવા માટે વન વિભાગ ઘણા અલગ અલગ પગલાં લે છે. અત્યાધુનિક મેડિકલ સારવાર, એમ્બ્યુલન્સ, વાઈલ્ડ લાઈફ ટ્રીટમેન્ટ સેન્ટર બનાવવામા આવ્યા છે.

આ સાથે રેડિયો કૉલર સહિતની ટેકનોલોજીની મદદ પણ લેવામાં આવી રહી છે. અકસ્માતો રોકવા માટે સ્પીડ બ્રેકર્સ, કૂવા આસપાસ સંરક્ષણ દિવાલો, રાજુલા-પીપાંવાવ રેલવે ટ્રેક પાસે ચેઈન લિંક ફેન્સિંગ જેવા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. સરકારે જણાવ્યું હતું કે તે ગુજરાતમાં સિંહના અકુદરતી મૃત્યુ ઘટાડવા અને તેમને સુરક્ષિત રાખવા માટે ટેકનોલોજી-આધારિત મોનિટરિંગ, તબીબી સેવાઓ અને જનજાગૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

February 23, 2026
image-27.png
1min87

ગુજરાત હાઈકોર્ટે એક પિતાની હિબસ-કૉર્પ્સ પિટિશન ડિસમિસ કરી હતી અને કહ્યું હતું કે તેમની 18 વર્ષીય દીકરીએ પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને કાયદાકીય દૃષ્ટિએ તેને પોતાનો જીવનસાથી પસંદ કરવાની છૂટ છે. 

પિતાએ અરજીમાં જણાવ્યું હતું કે તેમની દીકરીને એક પુરુષે ગેરકાયદે પોતાની સાથે રાખી છે. જોકે દીકરીએ પરિવારની સંમતિ વિના પોતાની મરજીના પુરુષ સાથે લગ્ન કર્યા હતા. કોર્ટે આ મામલે નોંધ્યું હતું કે અરજદારની દીકરીને પૂરતી સુરક્ષા સાથે કોર્ટમાં બોલાવવામા આવી હતી અને તેણે જણાવ્યું હતું કે તેણે પોતાની ઈચ્છાથી આ પુરુષ સાથે લગ્ન કર્યા છે. યુવતીએ કોઈપણ પ્રકારના દબાણનો ઈનકાર કર્યો હતો. આ સમયે તેનાં માતા-પિતા પણ હાજર હતા.

પિતાએ પણ લગ્નનો ઈનકાર કર્યો ન હતો અને તેણે પોતાની અરજી સાથે મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ જોડ્યું હતું. 
કોર્ટે એમ પણ નોંધ્યું કે અરજદાર પિતા તેમનાં પત્ની અને તેમની દીકરી સાથે વાતચીત કરી હતી, પરંતુ તેમની વચ્ચેનો મતભેદ ઉકેલી શકાયો ન હતો અને પિતા દીકરીને માફ કરવા તૈયાર ન હતા. દીકરીએ પણ સાફ કહ્યું હતું કે તે તેનાં પતિ સાથે જ રહેવા માગે છે. કોર્ટે પિતાની અરજીને ડિસમિસ કરી હતી અને 18 વર્ષની દીકરી 18 વર્ષની થઈ છે અને પોતાની મરજીથી પોતાનું લગ્નજીવન શરૂ કરી રહી છે.

February 23, 2026
image-23.png
1min138

રાજકોટ મહાનગરપાલિકા (RMC) સોમવારે (23મી ફેબ્રુઆરી) શહેરના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન ઓપરેશન હાથ ધરવા જઈ રહી છે. જંગલેશ્વર અને આજી નદીના પટમાં દાયકાઓથી સરકારી અને મનપાની જમીન પર ખડકાયેલા 1489 મકાનો તોડી પાડવા માટે તંત્રએ આખરી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર રાજકોટમાં કડક પોલીસ બંદોબસ્ત અને કલમ-163 લાગુ કરી દેવામાં આવી છે.

મહાપાલિકા દ્વારા આ ઓપરેશન માટે વિશાળ કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. 1130થી વધુ મનપા કર્મચારીઓ (ખાસ એપ્રન અને હેલમેટ સાથે). 260થી વધુ વાહનો જેમાં જેસીબી, હિટાચી, બ્રેકર અને ડમ્પરનો સમાવેશ થાય છે. આજી નદી પટની 55,000 ચો.મી. અને ટી.પી. રોડની 32,000 ચો.મી. મળી કુલ 87,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાશે.

વિસ્તારની સંવેદનશીલતાને જોતા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી કડક નિયમો લાગુ કર્યા છે. 23મીથી 25મી ફેબ્રુઆરી સુધી સમગ્ર રાજકોટમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત 26મી ફેબ્રુઆરી સુધી શહેરમાં 4 થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર મનાઈ છે. 2500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત પહેરો ગોઠવી દેવાયો છે. કોઈપણ પ્રકારના કાંકરીચાળા કે વિરોધના કિસ્સામાં તુરંત ધરપકડના આદેશો અપાયા છે.

તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે અગાઉ આ વિસ્તારના અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ આપવામાં આવ્યા હતા, જેનો પુરાવો વીડિયો દ્વારા જારી કરાયો છે. આથી, આ વખતે કોઈ પણ નવું આવાસ કે વૈકલ્પિક જગ્યા આપવામાં આવશે નહીં. રવિવાર સાંજ સુધીમાં અંદાજે 225 પરિવારોએ સ્વૈચ્છિક રીતે પોતાના મકાનો ખાલી કરી દીધા હતા.

February 19, 2026
image-20.png
1min65

ગુજરાતના દેવામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ગૃહમાં સરકારે માહિતી આપી હતી કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યના દેવામાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2023-24થી વર્ષ 2028-29 સુધીના અંદાજો સરકારના બજેટના દસ્તાવેજોમાં દર્શાવાયા છે. તે જોતા કહી શકાય કે, રાજ્યના જાહેર દેવામાં સતત અને મજબૂત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2023-24માં ગુજરાત રાજ્યનું કુલ જાહેર દેવું રૂ. 3,52,717 કરોડ હતું. જે વર્ષ 2024-25ના સુધારેલા અંદાજ મુજબ વધીને રૂ. 4,30,320 કરોડ પર પહોંચ્યું હતું. આ માત્ર એક વર્ષના ગાળામાં આશરે ₹રૂ. 77,000 કરોડથી વધુનો ઉછાળો દર્શાવે છે.

નાણાં પ્રધાને ગુજરાત સરકારનું વર્ષ 2026-27 માટે જે બજેટ રજૂ કર્યું છે તેના દસ્તાવેજો મુજબ વર્ષ 2025-26માં 4,45,537 કરોડ અને વર્ષ 2026-27માં ગુજરાત સરકારનું કુલ દેવું વધીને 4,87,069 કરોડ થવાનો અંદાજ છે. જ્યારે, સરકારના દેવાનો આ આંકડો 2028-29 સુધીમાં વધીને રૂ. 5,66,845 કરોડ સુધી પહોંચે એવો અંદાજ મૂકાયો છે.

આગામી 5 વર્ષમાં રાજ્યનું જાહેર દેવું આશરે ₹2.24 લાખ કરોડ જેટલું વધી જશે એટલે કે 2023ની સરખામણીએ 2029માં સરકારનું જાહેર દેવું 65 ટકા જેટલું વધારે હશે. દર વર્ષે સરેરાશ ₹45,000 કરોડનું નવું દેવું ઉમેરાય તેવો અંદાજ છે. જોકે, સારી બાબત એ છે કે રાજ્યનું કુલ ઉત્પાદન પણ 68 ટકાના દરે વધવાની ધારણા છે. દેવું વધવા છતાં, GSDPના પ્રમાણમાં દેવાની ટકાવારી 14.38 ટકાથી ઘટીને 13.74 થશે. આનો અર્થ એ છે કે રાજ્યની આવક વધવાની ક્ષમતા દેવા કરતા સહેજ વધુ ઝડપી છે.

સૌથી વધુ ચોંકાવનારો આંકડો રાજકોષીય ખાધનો છે, જે 251 ટકાનો વધવાનો અંદાજ છે. વર્ષ 2023-24માં આ ખાધ માત્ર 23,463 કરોડ હતી. જે 2028-29માં વધીને 82,518 કરોડ થઈ શકે છે. આ ખાધ સૂચવે છે કે સરકાર ખર્ચને પહોંચી વળવા માટે ઉધાર લેવા પર વધુ નિર્ભર રહેશે. વર્ષ 2023-24માં સરકાર પાસે રૂ. 33,477 કરોડની મહેસૂલી પુરાંત હતી. જે 2028-29 સુધીમાં ઘટીને રૂ. 22,000 કરોડ થવાની શક્યતા છે. આ ઘટાડો સૂચવે છે કે વહીવટી ખર્ચ અથવા વ્યાજની ચુકવણીમાં મોટો હિસ્સો વપરાઈ જશે.

February 15, 2026
gujarat-vidhansabha.jpg
1min97

: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલ 16 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. સત્રની શરૂઆત બપોરે 12:00 વાગ્યે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થશે. જે બાદ ગૃહમાં ટૂંકો વિરામ રહેશે. સત્રના પ્રથમ દિવસે શોક દર્શક ઉલ્લેખ થશે, જે બાદ મોટું આકર્ષણ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદની ચૂંટણી રહેશે.

વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ સામ સામે છે. કોંગ્રેસ તરફથી શૈલેષ પરમારે ઉમેદવારી નોંધાવી છે જેનો પ્રસ્તાવ ધારાસભ્ય દિનેશ ઠાકોર રજૂ કરશે. બીજી તરફ ભાજપ તરફથી મંત્રી જીતુ વાઘાણી પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવા માટેનો પ્રસ્તાવ રજૂ કરશે. આ ચૂંટણી ‘ધ્વનિ મત’ દ્વારા કરવામાં આવશે.

બજેટ સત્રનું શિડ્યુલ અને મહત્ત્વની વિગતો

  • કુલ સમયગાળો: 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ
  • કામકાજના દિવસો: 23 દિવસ
  • સામાન્ય બજેટ: 17 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ થશે
  • કુલ બેઠકો: 26 બેઠકોનું આયોજન

આ સત્રમાં શું ખાસ હશે?

  • નવા વિધેયકો: સરકાર આ સત્રમાં સાત જેટલા નવા બિલ (વિધેયકો) રજૂ કરવાની તૈયારીમાં છે.
  • સમાન નાગરિક સંહિતા (UCC): આ સત્ર દરમિયાન ‘યુનિફોર્મ સિવિલ કોડ’ સંબંધિત મહત્ત્વના વિધેયકો રજૂ થાય તેવી પ્રબળ શક્યતા છે.
  • કેન્દ્ર-રાજ્ય પ્રોજેક્ટ્સ: કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા રાજ્યના પડતર અને ચાલુ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ આ વર્ષે ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરી શકે છે. ગત વર્ષના બજેટની સરખામણીએ આ વર્ષે 15 ટકાનો વધારો જોવા મળી શકે છે. અંદાજવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકાર 3.90 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરશે. નાણાં વિભાગે આ અંગેની તમામ તૈયારીઓ તેજ કરી દીધી છે.

February 14, 2026
guj_gov_logo.png
14min81

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વહીવટી માળખામાં મોટો ફેરફાર કર્યો છે. સમગ્ર રાજ્યમાં 37 મામલતદારોની બદલીનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા 165 લોકોને મામલતદાર તરીકે બઢતી સાથે બદલી પણ આપી છે. આ અંગે ગાંધીનગરથી અધિકારીક આદેશ આપવામાં આવ્યો છે. બઢતી તથા બદલીના આદેશ કરવામાં આવ્યા છે. 

નાયબ મામલતદારમાંથી મામલતદારમાં બઢતી

ક્રમઅધિકારીનું નામહાલનો જિલ્લોનિમણૂંકની જગ્યા (મામલતદાર તરીકે)
1ડિમ્પલબેન પી. સાંગાણીયાવલસાડડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, પાટણ
2વિશાલ એચ. જેપીવાલાનવસારીચૂંટણી મામલતદાર, મોરબી
3પુલિન ટી. ઠાકરમહેસાણાકચ્છ
4વિશાલ ડી. ત્રિવેદીભાવનગરચૂંટણી મામલતદાર, અમરેલી
5જયેશકુમાર વી. ધોકિયાજૂનાગઢચૂંટણી મામલતદાર, ગીર સોમનાથ
6એચ. એમ. સોમાણીભાવનગરડેપ્યુટી રજીસ્ટ્રાર-GRT, અમદાવાદ
7કેતનભાઈ પી. ત્રિવેદીભાવનગરકલેક્ટર કચેરી, બોટાદ
8મહેન્દ્રસિંહ પી. ઝાલાભાવનગરચૂંટણી મામલતદાર, જૂનાગઢ
9મેહુલકુમાર એચ. રાવલસુરેન્દ્રનગરકોટડા-સાંગાણી, રાજકોટ
10હિતેન્દ્રસિંહ એન. ગોહિલસુરેન્દ્રનગરચીફ ઓફિસર, થાનગઢ (ડેપ્યુટેશન)
11ભગીરથસિંહ ડી. ચુડાસમાઅમદાવાદAUDA, આણંદ
12નિશા કે. લાખાણીરાજકોટમૂળી, સુરેન્દ્રનગર
13યતિનકુમાર પી. ભાડજાઆણંદજનસંપર્ક અધિકારી (PRO), ડાંગ
14જયદીપ એસ. પટેલઅમદાવાદઅધિક ચિટનીસ, ખેડા
15દીપમાલા જી. બચાણીઅમદાવાદડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગાંધીનગર
16પુષ્પરાજ જી. ઓલીક્ષ્ત્રિયાગાંધીનગરAUDA, અમદાવાદ
17પરેશ એ. દેસાઈઅમદાવાદજનસંપર્ક અધિકારી (PRO), ગાંધીનગર
18ચિરાગ એચ. પ્રજાપતિઅમદાવાદશામળાજી, અરવલ્લી
19હિતેશકુમાર જે. ચૌહાણગાંધીનગરSSRD-1, અમદાવાદ
20રણજિતસિંહ આઈ. રાઠોડઅમદાવાદફાગવેલ, ખેડા
21વનરાજસિંહ એચ. બારડઅરવલ્લીજનસંપર્ક અધિકારી (PRO), પંચમહાલ
22હરેશકુમાર બી. પટેલસાબરકાંઠાહડાદ, બનાસકાંઠા
23નિલેશ એ. રાઠોડઅમદાવાદડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગાંધીનગર
24વિશાલભાઈ એ. મકવાણાઅમદાવાદમહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી, ગાંધીનગર
25નરેન્દ્રસિંહ ડી. ચાવડાઅમદાવાદમાતર, ખેડા
26અલ્પેશ એન. રાવલબનાસકાંઠાએક્સ્ટ્રા ચિટનીસ, વડોદરા
27ચૈતન્ય બી. સંઘાણીઆણંદNRG ફાઉન્ડેશન, ગાંધીનગર
28કિરણસિંહ એ. વિહોલમહેસાણાપોશિના, સાબરકાંઠા
29ઉપેન્દ્રસિંહ કે. વાઘેલાઅમદાવાદચોટીલા, સુરેન્દ્રનગર
30મીનલબેન વી. પટેલસાબરકાંઠાકલેક્ટર કચેરી, અરવલ્લી
31રામદેવસિંહ જે. ઉમટઅમદાવાદચૂંટણી મામલતદાર, બોટાદ
32ચંદ્રેશ એન. પોરાધિયાપાટણસ્પીપા (SPIPA), અમદાવાદ
33ગૌતમકુમાર એસ. દરજીમહેસાણાકાંકરેજ, બનાસકાંઠા
34રામાજી વી. બારી (રાજપૂત)કચ્છધરણિધર, વાવ-થરાદ
35હરદેવસિંહ આર. પઢિયારસુરેન્દ્રનગરજનસંપર્ક અધિકારી (PRO), કચ્છ
36ભાવના એલ. રબારીઅમદાવાદનડિયાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી
37મુકેશભાઈ એમ. દેસાઈખેડાચિટનીસ, આણંદ
38કુલદીપસિંહ એ. મોડઅમદાવાદધોલેરા SIR ઓથોરિટી
39હરદીપસિંહ બી. સોલંકીસુરતચિટનીસ-TASP-રાજપીપળા, નર્મદા
40માનસી એન. પારેખસુરેન્દ્રનગરજનસંપર્ક અધિકારી (PRO), જૂનાગઢ
41યોગેશકુમાર એમ. પટેલસાબરકાંઠારાહ, વાવ-થરાદ
42કિરણકુમાર કે. ગોસ્વામીપાટણઓગડ, બનાસકાંઠા
43રાજેશકુમાર આર. દેસાઈઅમદાવાદસેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
44સમ્રાટ કે. બ્રહ્મભટ્ટઅમદાવાદઆણંદ શહેર
45કિરીટસિંહ આર. વાઘેલાગાંધીનગરસેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
46તકદીરકુમાર યુ. સોલંકીસાબરકાંઠાકલેક્ટર કચેરી, અરવલ્લી
47શૈલેષકુમાર બી. પ્રજાપતિખેડાગોવિંદ ગુરુ લીમડી, દાહોદ
48ભાવેશ એસ. ધાનાણીકચ્છમજુરા, સુરત શહેર
49આકાશકુમાર એમ. શ્રીમાળીમહેસાણાચૂંટણી મામલતદાર, બનાસકાંઠા
50નિલયકુમાર એચ. પટેલખેડાઘાટલોડિયા, અમદાવાદ
51સંકેતકુમાર એ. શાહસાબરકાંઠાવડગામ, બનાસકાંઠા
52પ્રિયંકકુમાર બી. પટેલસાબરકાંઠામહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
53શાહીના એમ. દિવાનઅમદાવાદવિજિલન્સ સેલ, આદિજાતિ વિકાસ
54નિકુંજ વી. સાવલાવડોદરાભરૂચ (શહેર)
55મોહમદજાબીર એસ. ઘોરીબનાસકાંઠામહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
56હિરેન બી. મકવાણારાજકોટડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગાંધીનગર
57અરવિંદ એ. રાઠોડજામનગરPSO-IORA કલેક્ટર કચેરી, રાજકોટ
58કલ્પેશકુમાર કે. દવેભાવનગરઅમરેલી (શહેર)
59સુનીલકુમાર જી. મહેતાઅમદાવાદસ્પીપા (SPIPA), અમદાવાદ
60નિકુલકુમાર એ. પટેલમહેસાણાPSO-IORA કલેક્ટર કચેરી, અમદાવાદ
61વૈભવ કે. વ્યાસકચ્છચીફ ઓફિસર, મુન્દ્રા (ડેપ્યુટેશન)
62આશિયાનાબાનુ એસ. શેખઅમદાવાદડેપ્યુટી મેનેજર (લેન્ડ), TCGL
63વનરાજસિંહ કે. રાજપૂતઅમદાવાદસાયલા, સુરેન્દ્રનગર
64રંજન વી. સોલંકીઆણંદચૂંટણી મામલતદાર, ખેડા
65પ્રકાશચંદ્ર એન. પટેલમહેસાણાહક્કપત્રક મામલતદાર, બનાસકાંઠા
66સંદીપ જી. રૈયાણીવડોદરાહાલોલ, પંચમહાલ
67અમિતા એન. ભાવસારવડોદરાડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, પંચમહાલ
68પ્રણવકુમાર એચ. આચાર્યરાજકોટજમીન સંપાદન અધિકારી કચેરી, રાજકોટ
69શ્વેતા ટી. પટેલસુરતભરૂચ-અંકલેશ્વર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી
70નિકી એચ. પ્રજાપતિખેડાચિટનીસ ટુ એડિશનલ કલેક્ટર, વડોદરા
71સવસીભાઈ આર. પટેલગાંધીનગરઇરીગેશન સેસ રિકવરી, ખેડા
72શૈલેષભાઈ ડી. બારૈયાભાવનગરબોટાદ (શહેર)
73સુવિધાબા જે. રાઠોડરાજકોટA.T.V.T. મહેસૂલ વિભાગ, ગાંધીનગર
74કિરણકુમાર આર. દેસાઈમહેસાણાલોથલ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી
75જૈમિનીબેન કે. ગોસ્વામીસાબરકાંઠાચિટનીસ ટુ કમિશનર, મધ્યાહન ભોજન
76કલ્પેશ એ. રાયકાઅમદાવાદજમીન સંપાદન અધિકારી કચેરી, સુરત
77પ્રણવ કે. પારેખભાવનગરબાબરા, અમરેલી
78રીતેષકુમાર ટી. શ્રોફઅમદાવાદએક્સ્ટ્રા ચિટનીસ, પંચમહાલ
79જલ્પા બી. બાલ્ધારાજકોટડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, જામનગર
80સ્નેહલ એમ. જાડેજાઅમદાવાદPSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
81અમરતભાઈ એમ. ચૌધરીમહેસાણાએસ્ટેટ ઓફિસર, અંબાજી મંદિર
82નીરવ વી. દવેભાવનગરવડિયા, અમરેલી
83અભિષેક એ. ગોહિલબનાસકાંઠાદિયોદર, વાવ-થરાદ
84કિંજલ કે. ભટ્ટઅમદાવાદPSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
85ધવલ એમ. બેંકરવડોદરાઅંબિકા, સુરત
86ચારુલાતાબેન એમ. પાનારાવડોદરામામલતદાર (પ્રોટોકોલ), નર્મદા
87હીર એ. વંજનીરાજકોટઅધિક ચિટનીસ, જૂનાગઢ
88જીગ્નેશકુમાર એચ. પટેલવડોદરાસંખેડા, છોટાઉદેપુર
89બીજલભાઈ એમ. ત્રામટાસુરેન્દ્રનગરઅમરેલી (ગ્રામ્ય)
90તેજલ પી. જોશીગીર સોમનાથચુડા, સુરેન્દ્રનગર
91અંકિત એન. પરમારદાહોદગોધર, મહીસાગર
92અશ્વિનકુમાર કે. ચાવડાઅમદાવાદGUDA, ગાંધીનગર
93નિધિ જી. જોશીપાટણRERA-1, ગાંધીનગર
94કવિતાબેન એન. પાટીલવલસાડઆસિ. પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, વાંસદા
95ધવલકુમાર કે. પરમારસાબરકાંઠાPSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
96તૃષા જે. સોનીવડોદરાચિટનીસ, દાહોદ
97જય એલ. રાજવઢારાજકોટચૂંટણી મામલતદાર, સુરેન્દ્રનગર
98વિશાલકુમાર એચ. શુક્લાજૂનાગઢચીફ ઓફિસર, સિહોર (ડેપ્યુટેશન)
99હર્ષદકુમાર એલ. મકવાણાપાટણPSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
100હિતેશ વી. દુધાતસુરતઉકાઈ, તાપી
101નિખિલ આર. જોશીમોરબીચિટનીસ, સુરેન્દ્રનગર
102જીગ્નેશકુમાર વી. જાનીમહેસાણાભાભર, વાવ-થરાદ
103હીના વી. શાહગાંધીનગરચૂંટણી મામલતદાર, અમદાવાદ
104રાજેન્દ્રસિંહ એ. રાવગાંધીનગરચૂંટણી મામલતદાર, આણંદ
105નિધિ પી. ચાવડાસુરેન્દ્રનગરહળવદ, મોરબી
106વિજયકુમાર એમ. મકવાણામહેસાણાજનસંપર્ક અધિકારી (PRO), અમદાવાદ
107જયેશ ડી. જકાસણિયાવડોદરાઅરેઠ, સુરત
108મિતેશ એસ. કનેજિયાખેડાકડવાલ, છોટાઉદેપુર
109વિરંગકુમાર બી. વ્યાસપંચમહાલડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, દેવભૂમિ દ્વારકા
110અજયસિંહ પી. રાણાભાવનગરડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગીર સોમનાથ
111મહેન્દ્ર ડી. ભાલોડીરાજકોટખાંભા, અમરેલી
112ભાવિકા કે. મોદીસાબરકાંઠાઆસિ. મેનેજર, હેન્ડલૂમ કોર્પોરેશન
113દીપકકુમાર જી. ગઢવીબનાસકાંઠાઊંઝા, મહેસાણા
114અનિરુદ્ધસિંહ બી. ઝાલાદેવભૂમિ દ્વારકાચીફ ઓફિસર, ભચાઉ (ડેપ્યુટેશન)
115સુરેન્દ્રસિંહ એમ. રાજપૂતબનાસકાંઠાધોલેરા SIR ઓથોરિટી
116જનાર્દન પી. દવેઅરવલ્લીPSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
117હિતેન્દ્રકુમાર એમ. ચૌધરીમહેસાણાઆસિ. પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ખેડબ્રહ્મા
118શિલ્પાકુમારી એલ. રાઠોડસુરેન્દ્રનગરચિટનીસ ટુ એડિશનલ કલેક્ટર, અમદાવાદ
119ધવલ એમ. પરમારપાટણસેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
120પ્રકાશકુમાર કે. ચૌધરીબનાસકાંઠાડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, કચ્છ
121જ્યોતિકાબેન કે. પરમારપાટણસ્પીપા (SPIPA), અમદાવાદ
122મમતા આર. ચૌહાણઅમદાવાદસેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
123અખિલભાઈ એ. દેસાઈઅમદાવાદકોઠંબા, મહીસાગર
124જોગીદાન બી. ગઢવીરાજકોટડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગાંધીનગર
125સંદીપકુમાર એ. ઝવેરીઅમદાવાદચીફ ઓફિસર, ચકલાસી (ડેપ્યુટેશન)
126કિશોરકુમાર બી. બારિયાસુરતજનસંપર્ક અધિકારી (PRO), તાપી
127સુહાગ કે. બારોટખેડાજમીન સંપાદન, ગાંધીનગર
128મંજુ કુમારી આર. ચૌધરીમહેસાણાPSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
129હર્ષદકુમાર વી. ચાવડાસાબરકાંઠાચિટનીસ ટુ એડિશનલ કલેક્ટર, ગાંધીનગર
130પ્રમિલા વી. ગજરેખેડાVUDA, વડોદરા
131કાર્તિકસિંહ એ. વિહોલમહેસાણાઇરીગેશન સેસ રિકવરી, આણંદ
132ગીતાબેન એમ. માલવીબનાસકાંઠાકલેક્ટર કચેરી, વાવ-થરાદ
133પ્રણવકુમાર બી. પુરોહિતગાંધીનગરજમીન સંપાદન અધિકારી કચેરી, અમદાવાદ
134મિહિર એ. શાહમહીસાગરજનસંપર્ક અધિકારી (PRO), દાહોદ
135જીજ્ઞા એચ. ત્રિવેદીઅમદાવાદઆસિ. ઇલેક્શન કમિશનર, SEC
136વિપુલકુમાર એન. સોલંકીઆણંદએક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ-કોર્ટ ૨, અમદાવાદ
137મેહુલકુમાર આઈ. પરમારઆણંદચીફ ઓફિસર, કપડવંજ (ડેપ્યુટેશન)
138તેજલ એન. માલવિયાવડોદરાસાપુતારા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી
139બિપિન એમ. શાહઆણંદકલેક્ટર કચેરી, મહીસાગર
140વીરેન્દ્રકુમાર એ. વામદેવમહેસાણાસમી, પાટણ
141પરિક્ષિત આર. પરમારજામનગરધારી, અમરેલી
142કિરણકુમાર કે. કરોલિયાવડોદરાસુખસર, દાહોદ
143ભાવેશકુમાર ડી. પટેલસાબરકાંઠાસાઠંબા, અરવલ્લી
144દિપેન કે. દેસાઈપાટણજનસંપર્ક અધિકારી (PRO), સુરેન્દ્રનગર
145મહેશકુમાર ડી. માળીબનાસકાંઠાહક્કપત્રક મામલતદાર, કચ્છ
146વિજયસિંહ પી. પરમારભરૂચચીકદા, નર્મદા
147દેવાંગ આર. મેવાણીઅમદાવાદવિજિલન્સ સેલ, વડોદરા
148જીજ્ઞાશાબેન કે. ભટ્ટપોરબંદરચીફ ઓફિસર, રાણાવાવ (ડેપ્યુટેશન)
149સોનલ યુ. સાંગાણીસુરતડેડિયાપાડા, નર્મદા
150શૈલેષકુમાર એચ. દેસાઈગાંધીનગરસેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
151અશ્વિનકુમાર કે. બારૈયાભાવનગરજૂનાગઢ (શહેર)
152આદિત્ય એસ. ત્રિવેદીઅમદાવાદખેડા
153હેમા એન. દેસાઈખેડાકલેક્ટર કચેરી, છોટાઉદેપુર
154અંકુર એમ. લાડાણીજૂનાગઢડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, પોરબંદર
155અર્જુનસિંહ જે. ચૌહાણવડોદરાવઘઈ, ડાંગ
156સંગીતાબેન એમ. દેસાઈઅમરેલીવિજયનગર, સાબરકાંઠા
157કામિની જી. રાઠોડબનાસકાંઠાચૂંટણી મામલતદાર, પાટણ
158પંકજકુમાર એસ. પરમારઅરવલ્લીડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, મહીસાગર
159નરેન્દ્રસિંહ એ. રાવગાંધીનગરભિલોડા, અરવલ્લી
160પ્રવિણભાઈ જી. સોલંકીકચ્છથાનગઢ, સુરેન્દ્રનગર
161રજનીભાઈ એમ. વૈષ્ણવસુરતઆહવા, ડાંગ
162મહેશ કે. બાલિયાબોટાદજસદણ, રાજકોટ
163વનરાજસિંહ ડી. બારિયાઅમદાવાદસેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
164હાર્દિકકુમાર એસ. જોશીદાહોદમોરવા હડફ, પંચમહાલ
165ભાવેશકુમાર પી. ઇટાલિયાસુરતવડોદરા શહેર-પૂર્વ
February 13, 2026
somnath_temple-1280x720.jpg
1min79

મહાશિવરાત્રિ દરમિયાન સોમનાથ મંદિર ટ્રષ્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મહાશિવરાત્રિ હોવાથી આગમી 48 કલાક માટે સોમનાથ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા રાખવામાં આવશે.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરમાં મહાશિવરાત્રિનો પર્વ ધામધૂમ રીતે ઉજવવામાં આવે છે. સોમનાથ ટ્રસ્ટ અને ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્રના અંદાજ મુજબ આ મહાશિવરાત્રિ દરમિયાન 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ આવી શકે છે.

સોમનાથ મંદિર ટ્રષ્ટનો મહત્વપૂર્ણ નિર્ણય

સોમનાથ મંદિરના દ્વાર આગામી 15 ફેબ્રુઆરી, 2026ના રોજ સવારે 04:00 વાગ્યે ખુલશે જે સતત 42 કલાક સુધી એટલે કે 16 ફેબ્રુઆરીની રાત સુધી ખુલ્લા રહેશે. જેથી શિવ ભક્તો કોઇપણ સમયે દર્શનનો લ્હાવો લઈ શકશે.

સોમનાથમાં ભક્તોની ભારે ભીડ આવતી હોવાથી તેમની સુરક્ષા અને સુવિધાઓનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે, જેની પણ સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. ભક્તોની સુરક્ષા માટે પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

સુરક્ષાની વાત કરીએ તો, પ્રવેશદ્વાર પર સિક્યુરિટી ગેટની સંખ્યા 6 થી વધારીને 10 કરી દેવામાં આવી છે. અહીં 500થી પણ વધારે પોલીસ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સતત તૈનાત રહેશે. આ સાથે ઇમરજન્સી માટે 24 કલાક મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ તૈનાત રાખવામાં આવશે.

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ભક્તોની અવરજવર માટે વન-વે વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી અહીં આવતા ભક્તોને કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે! અત્રે નોંધનીય છે કે, સોમનાથમાં મહાશિવરાત્રિ નિમિત્તે ત્રિ-દિવસીય સોમનાથ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કૈલાશ ખેર પણ હાજર રહેશે. મહાશિવરાત્રિ દરમિયાન સોમનાથ આવતા શિવભક્તોને અદ્ભૂત અનુભવ થશે.