CIA ALERT

ગુજરાત Archives - Page 35 of 157 - CIA Live

July 16, 2021
gandhinagar.jpg
1min670

આજે 16/7/2021 સાંજે 4 વાગ્યે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પાટનગરના ગાંધીનગર ખાતે પુનઃનિર્મિત ‘ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન’ તેમજ પંચતારક હોટલ સાથે આઠ જેટલાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનું નવી દિલ્હીથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરવાના છે.

માહિતી મુજ્બ કાયાકલ્પ થયેલા ગાંધીનગર રેલવે સ્ટેશનમાં 3 પ્લેટફોર્મ્સનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે જેમાં 3 પ્લેટફોર્મ, 2 એસ્કેલેટર્સ, 3 એલિવેટર્સ, 2 પેડેસ્ટ્રિયન સબ-વે સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.

July 14, 2021
edible_oil.jpg
1min463

ગુજરાતમાં હવે આગામી દિવસોમાં હિન્દુ તહેવારો શરૂ થશે પરંતુ આ તહેવારો પહેલા જ દર વર્ષની જેમ ખાદ્ય તેલના ભાવમાં પરંપરાગ રીતે ભાવમાં વધારો શરૂ થવા લાગ્યો છે. આ વખતે કાચા માલની અછતના નામે સિંગતેલના ભાવમાં રૂપિયા ૨૫ અને કપાસિયા તેલના ભાવમાં પણ રૂપિયા ૨૫ નો ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે.

અષાઢ મહિનાની શરૂઆત થતા જ હવે તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે આવા ટાંણે લોકોના બજેટ પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ ભાવવધારો અને બીજી તરફ હવે ખાદ્યતેલના ભાવ પણ આસામાને જઈ રહ્યાં છે.

 

કાચા માલની અછતના નામે સિંગતેલના ડબ્બાનો ભાવ ૨૪૦૦ થી ૨૪૫૦ રૂપિયા અને કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ ૨૩૦૦ ને પાર પહોંચાડવામાં આવ્યો  છે. પહેલીવાર કપાસિયા તેલનો ડબ્બો ૨૩૦૦ ને પાર પહોંચ્યો છે. આ વર્ષે કપાસના ભાવ વધતા કપાસિયા તેલના ભાવમાં સતત વધારો ઝીંકાઈ રહ્યો છે. લોકો સૌથી વધુ કપાસિયા તેલનો વપરાશ કરે છે, ત્યારે આ ભાવવધારો ગૃહિણીઓના બજેટને બગાડી દેશે. સતત પંદર દિવસથી ઘટાડા બાદ કપાસિયા તેલ અને સિંગતેલના ભાવમાં વધારો થયો છે.

અત્રે ઉલ્લખનીય છે કે, મે મહિનાના અંતમાં સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. જેથી લોકોને રાહત થઈ હતી. મે મહિનામાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતા ખાદ્યતેલમાં વાયદા બજાર ખુલતાની સાથે જ કડાકો બોલાયો હતો. જેથી સિંગતેલના ડબ્બાના ભાવમાં ૫૦ રૂપિયાનો ઘટાડો થયો હતો. તો કપાસિયા તેલના ભાવ ૩૦ રૂપિયા ઘટ્યા હતા. સિંગતેલ ડબ્બો ૨૫૦૦થી ૨૫૫૦ થયો હતો. જેના બાદ સતત ભાવ ઘટ્યા હતા.

July 10, 2021
rain_forecast.png
1min454

10મી થી 17મી જુલાઇ સુધીમાં ગુજરાતના 75 ટકા ભાગોમાં બે થી ત્રણ ઈંચ તથા બાકીના વિસ્તારોમાં બે ઈંચ સુધીનો વરસાદ થવાની આગાહી જુદી જુદી ક્લાઇમેટ સાઇટ દ્વારા કરવામાં આવી છે.

બંગાળની ખાડીના ભેજયુકત પવનો ભારત ઉપર ફૂંકાશે. એક સાયકલોનીક સરકયુલેશન ઓડીશા, પશ્ચિમ બંગાળ લાગુ બંગાળની ખાડી ઉપર 4.5 કિ.મી.ના લેવલનું છે. 3.1 કિ.મી.ના લેવલે એક ટ્રફ આ સાયકલોનીક સરકયુલેશનથી આંધ્ર અને ઓડીશા તરફ 3.1 કિ.મી.ના લેવલે છે. જે એક – બે દિવસમાં લો પ્રેશર મધ્ય પશ્ચિમ બંગાળની ખાડીમાં થશે.

તા. 10 થી 17 જુલાઈ સુધીની આગાહી આપતા જણાવેલ છે કે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે અને ક્રમશ: માત્રામાં વધારો થતો જશે. સૌરાષ્ટ્ર અને ગુજરાત રીજનના 75% વિસ્તારોમાં હળવો – મધ્યમ – ભારે અને વધુ ભારે વરસાદ વરસી શકે છે. અમુક દિવસે છૂટોછવાયો કયારેક સાર્વત્રિક અલગ અલગ વિસ્તારમાં જેમાં એકલ દોકલ વિસ્તારોમાં અતિ ભારે આગાહી સમયમાં કુલ વરસાદની માત્રા 50 થી 75 મી.મી. જેમાં અતિ ભારે વરસાદવાળા સેન્ટરોની માત્રા 75 મી.મી.થી 200 મી.મી. સુધી થઈ જશે. સૌરાષ્ટ્ર-ગુજરાતનાં બાકીના 25 ટકા ભાગોમાં અલગ અલગ દિવસોમાં ઝાપટાથી માંડીને બે ઈંચ વરસાદ થઈ શકે છે. કચ્છમાં પણ સમાન સ્થિતિ રહેવાની શકયતા છે.

July 9, 2021
CIA_Live_Logo_New2.jpg
1min425

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તા.8મી જુલાઇ 2021ના રોજ ગુજરાત સરકારે કોવીડ-19 ગાઇડલાઇન્સ અપડેશન જાહેર કર્યુ. તા.10મી જુલાઇથી ગુજરાતના ફક્ત મોટા શહેરો એટલે કે 8 મહાનગરપાલિકાઓમાં જ કોરોના કરફ્યુ (રાત્રિ કરફ્યુ) રાત્રે 10થી સવારે 6 સુધી યથાવત્ રહેશે. એ સિવાય કોચિંગ, ટ્યુશન ક્લાસીસોને 50 ટકા ક્ષમતાથી ચલાવવાની છૂટ આપી છે. આખું ગામ જાણે છે કે આજકાલ ટ્યુશન ક્લાસીસો સ્કુલો કરતા મોટા થઇ ચૂક્યા છે, હવે એ ટ્યુશન ક્લાસીસો, કોચિંગ ક્લાસીસો ચાલુ રહેશે પણ એનાથી નાની સ્કુલો કે ધો.11-12 જેવા મોટા વર્ગોમાં સ્કુલો કે કોલેજો ને ચલાવવાની મંજૂરી કેમ નથી અપાતી એ અંગે અનેક તર્ક વિતર્કો વાલીઓ અને બુદ્ધિજીવીઓમાં ચર્ચાસ્પદ બની રહ્યા છે.

ચોરેને ચૌટે ચર્ચાતા તર્ક વિતર્કો એવા છે કે

  • જ્યાં કોરોનાના કેસો બિલકુલ નથી એવા જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવાની મંજૂરી કેમ નથી અપાતી, ગ્રામીણ વિસ્તારોમાં આમેય ઓનલાઇન શિક્ષણ અસરકારક રહ્યું નથી, ત્યાં કેસો પણ ઓછા છે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બંધ છે, જો કોચિંગ ક્લાસીસોને મંજૂરી મળતી હોય તો છેવાડાના જિલ્લાઓ, ગ્રામીણ વિસ્તારોમાં ઉપલા વર્ગોની શાળાઓને મંજૂરી આપવી જોઇએ જેથી વિદ્યાર્થીઓના અભ્યાસને પહોંચતું નુકસાન નિવારી શકાય.
  • સરકારે 50 ટકા ક્ષમતા સાથે ટ્યુશન ક્લાસીસો ચલાવવાની મંજૂરી આપી છે, મોટા શહેરો ઉપરાંત મિડીયમ કક્ષાના, ટાયર થ્રી જેવા અર્બન વિસ્તારોમાં પણ આજકાલ ટ્યુશન ક્લાસીસો કોચિંગ ક્લાસીસો સ્કુલો કરતા મોટા છે અને સ્કુલો કરતા વધુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે, હવે આ ટ્યુશન ક્લાસીસો, કોચિંગ ક્લાસીસો ધમધમી ઉઠશે પણ સરકાર કોલેજો કે શાળાઓ શરૂ કરવાની કેમ પરવાનગી આપતી નથી એ સવાલ ઉપસ્થિત થાય છે.
  • જો સ્કુલ કોલેજો શરૂ કરવાથી કોરોનાના કેસો વધવાનો ભય હોય તો શું કોચિંગ ક્લાસીસોમાં વિદ્યાર્થીઓની અવરજવરથી કોરોનાના કેસો નહીં વધે
  • ધંધાદારી ટ્યુશન ક્લાસીસો કરતા તો શાળાઓમાં વધુ સારી રીતે કોવીડ-19ની ગાઇડલાઇન્સનો અમલ થઇ શકે તેમ છે, ધંધાદારી ક્લાસીસોને જ મંજૂરી આપવા પાછળનો તર્ક સરકારે જાહેર કરવો જોઇએ.
  • જો કોચિંગ ક્લાસીસોને ઓફલાઇન શિક્ષણની મંજૂરી મળી શકતી હોય તો સરકારે એટલિસ્ટ કોલેજો કે જ્યાં પુખ્તવયના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ત્યાં કોવીડ ગાઇડલાઇન્સનો સ્વૈચ્છીક અને ચુસ્ત અમલ શક્ય છે ત્યાં શૈક્ષણિક પ્રવૃતિ ઓફલાઇન કરવા માટે કેમ પરવાનગી આપવામાં આવતી નથી.

July 9, 2021
night_curfew.jpg
1min364

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે. જે મુજબ તારીખ 10મીથી 20મી જુલાઈ સુધી રાજ્યમાં માત્ર આઠ મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં જ રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે. જેનો સમય રાત્રે 10થી સવારે 6 સુધીનો રહેશે. જ્યારે ભૂજ, મોરબી, પાટણ, મહેસાણા, ભરૂચ, નવસારી, વલસાડ, અંકલેશ્વર, ગાંધીધામ અને વાપીમાંથી રાત્રિ કર્ફ્યૂ હટાવવામાં આવ્યો છે.

આ ઉપરાંત રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તે શહેરોમાં દુકાનો, લારી-ગલ્લા, શોપીંગ કોમ્પ્લેક્સ વગેરે રાત્રે 9 કલાક સુધી ખુલ્લા રાખી શકશે. જોકે તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ અને કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિએ 31 જુલાઈ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા વાણિજ્ય એકમો ચાલુ રાખી શકાશે નહીં. કોર કમિટીએ એવો પણ નિર્ણય કર્યો છે કે રેસ્ટોરેન્ટ્સ રાત્રિના 09:00 કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. હોમ ડિલીવરી માટે રાત્રે 12 વાગ્યા સુધીની છૂટ અપાઈ છે.

જીમ 60% ક્ષમતા સાથે તેમજ જાહેર બાગ-બગીચાઓ રાત્રિના 09:00 કલાક સુધી ખુલ્લા રાખી શકાશે.’

આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 150 વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. જ્યારે અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ 40 વ્યક્તિઓની મંજૂરી રહેશે.
આ ઉપરાંત તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં ખુલ્લામાં મહત્તમ 200 વ્યકિતઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50 ટકા (મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.

ધો.9થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ/ટ્યુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના’ કાચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ 50% વિદ્યાર્થીઓ સાથે બેચવાઇઝ ચાલુ રાખી શકાશે. શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજી શકાશે.’

વાંચનાલયો 60 ટકા ક્ષમતા સાથે અને પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 75% પેસેન્જ કેપેસીટીમાં ચાલુ રહેશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટને કર્ફ્યૂમાંથી મુક્તિ આપવામાં આવે છે. તમામ ડ્રાઇવર અને કંડક્ટરએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.

પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ’ સ્ટેડીયમ/સંકુલમાં’ રમતગમત’ ચાલુ રાખી શકાશે. રમતગમતમાં ભાગ લેનાર ખેલાડી, સપોર્ટ સ્ટાફ, ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.

સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ 60 ટકા કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. વોટરપાર્ક, સ્પા, સ્વિમિંગ પુલ બંધ રહેશે. તમામ છૂટછાટ સામે કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.

July 8, 2021
rath2.jpg
1min450

અમદાવાદની 144મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને સરકારે લીલીઝંડી આપી દીધી છે. આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની બેઠક તેની જાહેરાત કરવામાં આવી હતી. આમ રથયાત્રાની તૈયારીને આખરી ઓપ અપાશે.

કેબિનેટની બેઠકમાં રથયાત્રાને કોરોના ગાઇડલાઇન અને અમુક શરતોને આધિન મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. બેઠકમાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે રથયાત્રાને લઈને ગૃહવિભાગ અને મંદિર ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે રથયાત્રાનો પ્લાન બનાવશે.

અમદાવાદ શહેરના જમાલપુર સ્થિત આવેલા જગદીશ મંદિરેથી અષાઢી બીજના રોજ નીકળતી રથયાત્રા 12 જુલાઈએ નીકળશે. મંદિરનાં સૂત્રોએ જણાવ્યું હતું કે રથયાત્રાના પ્રારંભ પહેલા વિધિ કરવામાં આવે છે. જેમાં પ્રથમ રથ આગળની ધૂળ કે માટી સોનાના તારવાળી સાવરણીથી દૂર કરીને રોડ સ્વચ્છ કરવામાં આવે છે. આ વિધિ રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવે છે ત્યારે વિજય રૂપાણી આ વિધિ કરશે. આ માટે તેમણે આમંત્રણ પણ સ્વીકાર્યું છે. જો કે રથયાત્રાની લંબાઈનો નિર્ણય શહેર પોલીસ દ્વારા કરશે.

June 29, 2021
rain_forecast.png
1min614

તા.29મી જૂને સવારે 8 કલાકે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જીલ્લામાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ હળવો વરસાદ પડવાના એંધાણ છે.

દીવ-દમણ, દાદરાનગર હવેલીના કેટલાંક વિસ્તારમાં પણ વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે, રાજ્યનાં અનેક જીલ્લાઓમાં હજુ પણ વરસાદની શક્યતા નહીંવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

June 26, 2021
adm_guide-1280x874.jpg
2min3196

જયેશ બ્રહ્મભટ્ટ 9825344944

ગુજરાતમાંથી જેઇઇ મેઇન્સ પરીક્ષા સવાલાખથી વધુ વિદ્યાર્થીઓ આપતા હોય છે, તેમાંથી આઇઆઇટી અને એનઆઇટીમાં માંડ 500 ને પ્રવેશ મળતો હોય છે, જેઇઇમાં 98 પીઆર આવ્યા પછી પણ સારી એનઆઇટી નથી મળી શકતી, આવી સ્થિતિમાં બે વર્ષ જેઇઇ પાછળ સૌથી મૂલ્યવાન સમય બગાડ્યો, રૂપિયા ખર્ચ્યા, મગજ બગાડ્યું, પરીવારનો માહોલ બગાડ્યા પછી વિદ્યાર્થીઓએ ધો.12 અને ગુજકેટના આધારે જ્યાં પ્રવેશ મળે છે ત્યાં ગુજરાત ટેક્નોલોજીલ યુનિવર્સિટી સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવવો પડે છે.

શિક્ષણ સર્વદા વિદ્યાર્થીઓનું અખબાર તેમજ સી.આઇ.એ. લાઇવ અહીં આપને એ સમજ આપી રહ્યા છે કે 2020માં ગુજરાતની કઇ કોલેજો છે જ્યાં સૌથી પહેલા પ્રવેશ બંધ થયા અને કઇ એવી બ્રાન્ચ છે જ્યાં ટોપર્સે લાઇન લગાડી દીધી હતી. બ્રાન્ચની વાત કરીએ તો ટેક્નોલોજીની બ્રાન્ચ મેળવવા માટે ગુજરાતના ટોપર્સ વિદ્યાર્થીઓએ હોટકેકની જેમ પડાપડી કરી હતી. ઇન્ફર્મેશ એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી (આઇ.સી.ટી.), કમ્પ્યુટર સાયન્સ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇન્ફર્મેશન ટેકનોલોજી આ બ્રાન્ચમાં સૌથી ઉંચા મેરીટે પ્રવેસ ક્લોઝ થયા હતા એટલું જ નહીં પણ સૌથી વધુ વિદ્યાર્થીઓએ પણ કોર બ્રાન્ચની સરખામણીમાં ટેકનોલોજીની બ્રાન્ચમાં પ્રવેશ મેળવ્યા હતા.

Gujarat First 25 Cutoff 2020

www.cialive : ઉપરોક્ત ચાર્ટ ગુજરાતમાં એસીપીસી (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા 2020માં ધો.12 મેથ્સ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ હાથ ધરવામાં આવેલી પ્રવેશ પ્રક્રિયાના અંતે જાહેર કરાયેલા કટઓફ માર્કસની છે. (સી.આઇ.એ. લાઇવ.)

2020માં ટોપર્સે નીચે દર્શાવેલી કોલેજોમાં સૌથી પહેલા એડમિશન કન્ફર્મ કરાવી દીધા હતા

  • 1. ધીરુભાઇ અંબાણી યુનિર્વસિટી, ગાંધીનગર (પ્રાઇવેટ) www.cialive
  • 2. ધરમસિંહ દેસાઇ યુનિવર્સિટી, નડીયાદ (પ્રાઇવેટ)
  • 3. નિરમા યુનિવર્સિટી, અમદાવાદ (પ્રાઇવેટ) www.cialive
  • 4. એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા (ગ્રાન્ટ ઇન એઇડ)
  • 5. એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ (સરકારી)
  • 6. બિરલા વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ, વલ્લભ વિદ્યાનગર (ગ્રાન્ટ ઇન એઇડ)
  • 7. વિશ્વકર્મા સરકારી એન્જિનયિરંગ કોલેજ, અમદાવાદ (સરકારી) www.cialive
  • 8. સ્કુલ ઓફ એન્જિનયરિંગ, અમદાવાદ યુનિવર્સિટી (પ્રાઇવેટ)
  • 9. પંડિત દિનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટી ગાંધીનગર (પ્રાઇવેટ)
  • 10. જીસીઇટી, સરકારી એન્જિનિયરિંગ કોલેજ, વલ્લભ વિદ્યાનગર (પ્રાઇવેટ)

2020માં ટોપર્સે નીચેની બ્રાન્ચમાં એડમિશન લીધા

  • 1. ઇન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ (આઇ.સી.ટી.)
  • 2. કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ
  • 3. કમ્પ્યુટર એન્જિનિયરિંગ www.cialive
  • 4. ઇન્ફર્મેશન ટેક્નોલોજી
  • 5. કેમિકલ એન્જિનિયરિંગ

વધુ મૂૂઝવણ થતી હોય તો હજુ પણ કશું મોડું થયું નથી, પર્સનલ કાઉન્સેલિંગ માટે નીચે મુજબ સંપર્ક કરી શકાય

June 25, 2021
night_curfew.jpg
1min441

ગુજરાતમાં ૧૦મી જુલાઈ સુધી વેપારીઓ, વ્યવસાયીઓ અને તમામ સ્ટાફે ૧૦મી જુલાઈ સુધીમાં ફરજિયાત રીતે કોરોનાની રસી લેવી પડશે. જોકે અમદાવાદ સહિત ૧૮ શહેરોમાં ૩૦મી જૂન સુધી રસી લેવાની રહેશે.

રાજ્યની અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર સહિત આઠ મહાનગરપાલિકા તેમજ વાપી, અંકલેશ્ર્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર સહિત કુલ ૧૮ શહેરોમાં રાત્રી કરફ્યૂ સહિતનાં નિયંત્રણો ચાલુ રહેશે. આ ૧૮ શહેરોમાં રાત્રી કરફયૂનો સમય એક કલાક ઘટાડીને રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીનો કરાયો છે. રાજ્યના કુલ ૩૬માંથી ૧૮ શહેરોમાં કરફ્યૂ મુક્તિનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેમાં વિસનગર, કડી, ડીસા, મોડાસા, રાધનપુર, વેરાવળ-સોમનાથ, છોટા ઉદેપુર, વીરમગામ, બોટાદ, પોરબંદર, પાલનપુર, હિંમતનગર, અમરેલી, સુરેન્દ્રનગર, દાહોદ, આણંદ, નડિયાદ અને ગોધરાનો સમાવેશ થાય છે.

તેમજ રાજ્યનાં સિનેમાઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ ૫૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે. તેમજ લગ્ન પ્રસંગમાં ૧૦૦ લોકો સુધી ઉપસ્થિત રહી શકશે.

આ ૧૮ શહેરોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૩૦મી જૂન સુધીમાં વૅક્સિન ફરજિયાત લેવાની રહેશે. રાજ્યના આ સિવાયના તમામ વિસ્તારોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૧૦ મી જુલાઇ સુધીમાં વૅક્સિન ફરજિયાત લેવાની રહેશે.

આ શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે ૯ વાગ્યા સુધી ૬૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. હોમ ડિલિવરી રાત્રે ૧૨ કલાક સુધી ચાલુ રાખી શકાશે. આ ૧૮ શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રીના ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

June 21, 2021
guj_corona.jpg
1min638

કોવિડ મહામારીને નાથવા માટે વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા આજે તા.21મી જૂન 2021ને સોમવારથી રાજ્યવ્યાપી વેક્સિનેશન મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની જાહેરાત અનુસાર રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકા વિસ્તારના 1025 રસીકરણ કેન્દ્ર પર મંત્રીઓ, આગેવાનો, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં 21મી જૂને સવારે 9 વાગ્યે વેક્સિન ઉત્સવના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા.

મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી ગાંધીનગરના સેક્ટર-8ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા વેક્સિન ઉત્સવમાં ભાગ લીધો હતો.

મુખ્યપ્રધાને કહ્યું કે, 18થી 44 વર્ષની વય જૂથના યુવાનોના વેક્સિનેશન માટે પણ રાજ્ય સરકારે પૂરતું આયોજન કર્યું છે. 21મી જૂનથી યુવાનોને વેક્સિનેશન માટે અગાઉથી રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે. હવેથી દરેક વ્યક્તિ વોક-ઇન વેક્સિન લઈ શકશે. રાજ્યમાં દરેક નાગરિકોને ઘરઆંગણે આસાનીથી વેક્સિન ઉપલબ્ધ કરાવી શકાય એ માટે રાજ્યમાં વેક્સિનેશન બૂથની સંખ્યા પણ વધારીને 5,000 કરવામાં આવી છે.

વેક્સિનેશનમાં તા.20મી જૂન સુધીમાં 2 કરોડ 20 લાખ ડોઝ સાથે ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. ફ્રન્ટલાઇન વોરિયર્સ અને 44થી વધુ વયના લોકોના વેક્સિનેશનમાં ગુજરાત અન્ય રાજ્યો કરતાં અગ્રેસર છે. એટલું જ નહીં પ્રતિ મિલિયન વ્યક્તિનો વેક્સિનેશન રેશિયોમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 45 વર્ષથી વધુ વયના નાગરિકોને વેક્સિનેશનના 1,38,12,595 ડોઝ અપાયા છે જ્યારે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વોરિયર્સને 30,75,163 વેક્સિન ડોઝ અપાયા છે.