CIA ALERT

ગુજરાત Archives - Page 36 of 157 - CIA Live

June 21, 2021
gseb-1280x720.jpg
1min433

ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ધો.12ના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ સરકારના આપેલા પરિણામથી અસંતુષ્ટ હોય તો પરિણામ ગાંધીનગર જમા કરાવીને ફરી પરીક્ષા આપી શકશે. તેમના માટે અલગ પરીક્ષા યોજાશે. હવે પછી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.’

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કર્યું છે કે’ ધોરણ 12ના તમામ પ્રવાહના નિયમિત ઉમેદવાર માટે સરકાર દ્વારા ગુણાંકન પદ્ધતિ અનુસાર પરિણામ તૈયાર કરવામાં આવશે. આ પરિણામ પ્રસિદ્ધ થયા બાદ કોઇ વિદ્યાર્થીને પરિણામથી અસંતોષ હોય તો એવા વિદ્યાર્થી પરિણામ પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે.

તાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર કર્યું છે. આ ફોર્મ્યુલા પ્રમાણે ધો.10ના પરિણામના 50 માર્ક્સ, ધો.11ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે. જુલાઇના બીજા અઠવાડિયામાં માર્કશીટ મળી જશે.

શિક્ષણ બોર્ડે ગત 19 જૂને કરેલા નિર્ણય અનુસાર, ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઇથી યોજવાનો નિર્ણય કર્યો છે. આ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ.પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’

June 19, 2021
jagannath.jpg
1min466

૧૦૮ ને બદલે માત્ર પાંચ કળશમાં પાણી ભરાશે

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજી મંદિરની ૧૪૪મી રથયાત્રાને પગલે મિટિંગનો દોર પૂર્ણ થયો છે અને રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રાને મંજૂરી મળી છે. ૧૦૮ કળશને બદલે માત્ર પાંચ કળશ સાથે જળયાત્રા યોજવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

જળયાત્રામાં કોઈ પણ ભજન મંડળી સામેલ નહિ થઈ શકે. આ વર્ષની જળયાત્રામાં નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન હાજર રહેશે. ૨૪મી જૂનના દિવસે જળયાત્રા યોજાશે. ૧૪૪ મી ભગવાન જગન્નાથજી મંદિરની રથયાત્રાની જળયાત્રાના આયોજનને લઈને મિટિંગ યોજાઈ હતી. જેમાં જળયાત્રા યોજવાનો નિર્ણય લેવાયો છે. જળયાત્રામાં શક્ય હોય તો ગજરાજને પણ હાજર રાખવામાં નહિ આવે. જો જરૂર હશે તો માત્ર એક જ ગજરાજ રાખવામાં આવશે. જળયાત્રામાં ૫૦ થી ઓછા લોકોની હાજરી રહેશે. જેઓ મંદિરના જ સભ્યો હશે. સામાન્ય નાગરિકો રથયાત્રામાં નહિ જોડાઈ શકે.

રથયાત્રા પૂર્વે જળયાત્રાને લઈને પોલીસ તંત્ર પણ સાબદું થયું છે. જળયાત્રામાં બંદોબસ્ત માટે પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. જગન્નાથ મંદિર ખાતે ટ્રસ્ટી અને પોલીસ વચ્ચે બેઠક યોજાશે. જળયાત્રાને લઈને પોલીસ મિટિંગ યોજાશે. જેમાં જળયાત્રાની વ્યવસ્થાને લઈને પોલીસ ઉચ્ચ અધિકારીઓ નિરીક્ષણ કરશે. કોવિડની ગાઈડલાઇન અને જળયાત્રાની વ્યવસ્થા માટે બેઠક કરાશે.

June 16, 2021
gujarat_map-1280x1023.png
1min467

રોકાણ આકર્ષવાની વધુ સંભાવના ધરાવતાં રાજ્યોની યાદીમાં ગુજરાત મોખરે

રોકાણ આકર્ષવાની વધુ સંભાવના ધરાવતાં રાજ્યોની યાદીમાં ગુજરાત મોખરે ગુજરાત બાદ દિલ્હી, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રનો ક્રમ આવે છે.

૨૦ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશનું મૂલ્યાંકન શ્રમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આર્થિક વાતાવરણ, વહીવટ અને રાજકીય સ્થિરતા એ પરિબળોના આધારે કરવામાં આવ્યું હતું.

વહીવટ અને રાજકીય સ્થિરતાની દ્રષ્ટિએ ગુજરાત ટોચે રહ્યું છે, જ્યારે દિલ્હીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્થિક વાતાવરણ વધારે સાનુકૂળ મનાયું છે. કેરળમાં કામદાર સંબંધી બાબતે સરળતા છે.

અહેવાલમાં કહેવાયું છે કે બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડે પોતાની સ્થિતિ સુધારવા માટે ઘણી જહેમત ઉઠાવવી પડશે.

કાઉન્સિલના સિનિયર ફેલો ઇન્દિરા ઐયરે જણાવ્યા મુજબ આ અહેવાલ વર્લ્ડ બૅન્કના અહેવાલ કરતાં અલગ છે. ગયા વર્ષે બહાર પડેલા વર્લ્ડ બૅન્કના અહેવાલમાં કાર્યપદ્ધતિઓ અને વ્યવહારો પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો, જ્યારે કાઉન્સિલના અહેવાલમાં નીતિવિષયક અને માળખાકીય બાબતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

June 14, 2021
corona-gujarat.jpg
1min416

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમી પડતા રાજ્યમાં હવે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યાં છે. રાજ્યમાં મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે તો બીજી બાજુ સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં નવા 455 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 8,20,321 થયો હતો. જેમાંથી વધુ 1063 સહિત આજસુધીમાં કુલ 8,00,075 દરદીએ કોરોનાને હરાવ્યો છે. આ સાથે રિકવરી રેટ 97.53 ટકા થઈ ગયો છે.

આજે 13/6/21, 6 દર્દીનાં કોવિડ ડેથ જાહેર થતા કુલ મૃત્યુઆંક 9,997 નોંધાયો છે.

રાજ્યમાં હવે 10,249 એક્ટિવ કેસ છે, જેમાં 253 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 9,996 દર્દીઓ સ્ટેબલ છે.

સૌરાષ્ટ્રમાં કોરોનાની રફ્તાર હવે એકદમ ધીમી પડી ગઈ છે અને કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે સૌરાષ્ટ્રમાં 132 કેસ નોંધાયા હતા અને 211 દરદી ડિસ્ચાર્જ થયા હતા. સારી બાબત એ રહી કે આજ માત્ર દ્વારકામાં 1 કોવિડ ડેથ જાહેર થયું હતુ. જો કે, જામનગરમાં કોરોનાની સારવાર દરમિયાન 5 દરદીના મૃત્યુ થયા હોવાનું સ્થાનિક તંત્રએ જાહેર કર્યુ હતું. નવા નોંધાયેલા કેસમાં રાજકોટ અને જૂનગઢ સિવાયના તમામ જિલ્લામાં 20થી ઓછા અને તેમાંય 6 જિલ્લામાં સિંગલ ડીઝીટમાં કેસ નોંધાયા હતા. જ્યારે મોરબીમાં એકેય કેસ નોંધાયો નહોતો.

રાજ્યમાં આજે નોંધાયેલ કુલ 455 કેસમાં સુરતમાં 96, અમદાવાદમાં 55, વડોદરામાં 72, રાજકોટમાં 46, જૂનાગઢમાં 34, નવસારીમાં 17, ગીરસોમનાથમાં 14, ભરૂચમાં 11, કચ્છમાં 10, અમરેલીમાં 9, જામનગરમાં 13, પંચમહાલમાં અને વલસાડમાં 8-8, મહેસાણમાં 7, બનાસકાંઠામાં અને દેવભૂમિ દ્વારકામાં 6-6, ખેડા અને પોરબંદર અને સાબરકાંઠામાં 5-5, આણંદમાં 4, ગાંધીનગરમાં 8, મહીસાગર, પાટણ, સુરેન્દ્રનગરમાં 3-3, અરવલ્લી, તાપીમાં 2-2, ભાવનગર, બોટાદ, નર્મદામાં 1-1 કેસનો સમાવેશ થાય છે. અમદાવાદમાં 2, સુરત, વડોદરા, દેવભૂમિ દ્વારકા અને સાબરકાંઠમાં 1-1 કોવિડ ડેથ જાહેર થયું હતું.

June 14, 2021
kejri.jpg
1min435

સુરતમાં આમ આદમી પાર્ટીને પાલિકા ચૂંટણીમાં મોટી જીત મળ્યા પછી તે ગુજરાતમાં પોતાનો વ્યાપ વધારી રહી છે અને આગામી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટી કમર કસી રહી છે.

વતીકાલ તારીખ 14 જુનના રોજ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે. તેઓ અમદાવાદમાં આશ્રમ રોડ ખાતે પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. ગુજરાતની આ મુલાકાત પહેલા તેમણે ટ્વીટ કર્યું હતું કે ‘હવે બદલાશે ગુજરાત, કાલે હું ગુજરાત આવી રહ્યો છું. ગુજરાતના બધા ભાઈ-બહેનોને હું મળીશ’.

નોંધનીય છે કે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીને લઈને રાજકીય હલચલ તેજ થઈ છે. ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગાંધીનગરમાં ત્રણ દિવસ રોકાણ બાદ દિલ્હી જવા રવાના થયા છે અને 15મી જુને ભાજપના તમામ ધારાસભ્યોની બેઠક મળવાની છે. એવામાં આવતીકાલ તા. 14મીએ આપના અધ્યક્ષ કેજરીવાલ અમદાવાદ આવી રહ્યા છે. સુરતની સફળતા બાદ હવે આપ ગુજરાત વિધાનસભાની 2022માં યોજાનારી ચૂંટણી જીતવા તૈયારી કરી રહી છે. કેજરીવાલની હાજરીમાં કેટલાક મોટા રાજકીય માથા આમ આદમી પાર્ટીમાં જોડાશે. કેજરીવાલનું બીજું લક્ષ્ય ગુજરાત વિધાનસભા છે. તેથી હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું ધ્યાન વધુ કેન્દ્રીત કરશે.

June 11, 2021
Mata-Temples-in-Gujarat.png
1min608

કોરોનાની બીજી લહેરને પગલે રાજ્યનાં યાત્રાધામ, મોટાં મંદિરો દર્શાનાર્થીઓ માટે બંધ રખાયાં હતાં જે હવે ભક્તો માટે ખૂલશે. સોમનાથ મહાદેવ મંદિર ૬૧ દિવસ બંધ રહ્યા બાદ ૧૧મી જૂનથી ભાવિકો દર્શન કરે એ રીતે શરૂ કરવામાં આવ્યા છે. વિશ્વપ્રસિદ્ધ દ્વારકા મંદિર પણ આજે તા.૧૧મીની વહેલી સવારથી ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. બીજી તરફ અંબાજી મંદિર ૫૭ દિવસ બાદ ૧૨ જૂનથી દર્શનાર્થીઓ માટે મૂકવામાં આવ્યું છે.

માતાજીનાં દર્શન કરવા આવનારા શ્રદ્ધાળુઓને ગર્ભગૃહ સામે ઊભા રહેવા નહિ દેવાય, તેના બદલે ચાલતાં ચાલતાં જ દર્શન કરવાં પડશે.

ડાકોરનું રણછોડરાય મંદિર, ચોટીલાનું ચામંડુા માતાજીનું મંદિર અને પાવાગઢ મંદિર ૧૧મી જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

કચ્છનું માતાના મઢનું આશાપુરા માતાજીનું મંદિર ૧૧થી ભક્તોના દર્શન માટે શરૂ કરાયું છે. ભાવનગરના ખોડિયાર મંદિર ૧૧મીથી ખૂલ્યું છે તેમજ બગદાણાનું બજરંગદાસ બાપાનું મંદિર ૧૫મી પછી ખૂલશે. વડતાલનું સ્વામિનારાયણ મંદિર અને નડિયાદનું સંતરામપુર મંદિર ૧૧મીથી ભક્તો માટે શરૂ કરવામાં આવ્યું છે.

June 9, 2021
CIA_Live_Logo_New2.jpg
2min2197

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા અને એવરેજ પરીણામ લાવતા હજારો વિદ્યાર્થીઓ એવી માગણી કરી રહ્યા છે કે અમને માસ પ્રમોશન કે ધો.12ના ઇન્ટર્નલ માર્કર્સના આધારે પરીણામ નથી જોઇતું, વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષા આપીને વધુ માર્કર્સ લાવી શકાશે એવી દલીલ કરી રહ્યા છે. હકીકતમાં આ એવા વિદ્યાર્થીઓ છે જેમણે શાળાકીય શિક્ષણ ધો.11-12માં કશું ધ્યાન કેન્દ્રીત કર્યું ન હતું અને પરીક્ષા આવે ત્યારે જોઇ લઇશું એવા ઓવર કોન્ફીડન્સમાં આવા હજારો વિદ્યાર્થીઓએ હવે નબળા પરીણામનો સામનો કરવાનો વખત આવ્યો છે.

The online survey, led by the study abroad platform The WorldGrad, was conducted among more than 4,000 users who registered on the platform in the last two months. It showed that 60 per cent of the students do not think that it is a good idea to use pre-boards and internal school marks to calculate their Calss XII results.

ક્રિશ નામનો વિદ્યાર્થી સુરતમાં રહે છે, સીબીએસઇની સ્કુલમાં અભ્યાસ કરે છે, આ વિદ્યાર્થી કહે છે કે મારે ધો.12નું ઇન્ટર્નલ એસેસમેન્ટના આધારે તૈયાર થનારું પરીણામ નથી જોઇતું. હુ જો એન્યુઅલ બોર્ડ પરીક્ષા આપીશ તો વધારે માર્કર્સ લાવી શકું. આ વિદ્યાર્થીને જ્યારે પૂછ્યું કે તમે આંતરિક મૂલ્યાંકનના માર્કર્સથી કેમ સંતુષ્ઠ નથી ત્યારે તેણે કહ્યું કે ઇન્ટર્નલ માર્કર્સ વખતે સ્કુલમાં ધ્યાન આપ્યું જ ન હતું. ધો.10માં પણ એવું જ કર્યું હતું કે છેલ્લા બે મહિના તૈયારી કરીને 80 પ્લસ લાવી શક્યો હતો. આ વર્ષે મારી પરીક્ષા આપવાની પૂરી તૈયારી છે પણ હવે માસ પ્રમોશન અને આંતરિક મૂલ્યાંકનને કારણે મારા માર્કર્સ ઓછા આવશે એમ ક્રિશે જણાવ્યું.

કેટલાક વિદ્યાર્થીઓની એવી પણ દલીલ છે કે ઓનલાઇન સિસ્ટમથી સ્કુલો જ સેટ ન હત

આંતરિક મૂલ્યાંકનથી રિઝલ્ટ આપવાનો વિરોધ કરી રહેલા કેટલાક વિદ્યાર્થીઓ તથા વાલીઓની એ દલીલ પણ વ્યાજબી છે કે શહેરોની કેટલીક સ્કુલોને બાદ કરતા શહેરમાં આવેલી અન્ય સ્કુલો, ગ્રામીણ વિસ્તારોમાં આવેલી સ્કુલોમાં આખું વર્ષ ઓનલાઇન શિક્ષણના નામે કે ઓનલાઇન ટેસ્ટના નામે કશું થયું નથી, જો સ્કુલો જ સિસ્ટમથી સેટ ન થઇ હોય તો વિદ્યાર્થીઓનો શું વાંક

વાલીઓ અને વિદ્યાર્થીઓ આમાંથી બોધપાઠ લે

હાલમાં હજારો વિદ્યાર્થીઓ એવા છે જેઓ ધો.11-12ના શાળાકીય શિક્ષણની જાણી જોઇને અવગણના થાય તેવા નિર્ણયો લે છે. આવા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં એવી ગેરમાન્યતા પ્રવર્તે છે કે બોર્ડના વર્ષમાં આંતરિક મૂલ્યાંકન કે આંતરિક પરીક્ષાઓ નહીં આપીશું તો સ્કુલ શું કરી લેશે, સ્કુલના અભ્યાસ પર ધ્યાન નહીં આપીશું તો શાળા કશું બગાડી શકવાની નથી. આવી ગેરમાન્યતાઓને કારણે આ વખતે હજારો વિદ્યાર્થીઓને પોતાનું ધો.12નું પરીણામ ગમતું નથી. હવે પછીના ધો.11-12ના વાલીઓ વિદ્યાર્થીઓ એ વાતનો બોધપાઠ લે અને નીચે મુજબનું કામ કરવાથી દૂર રહે.

જેમકે

  • શાળામાં ગયા વગર ડમી સ્કુલમાં એડમિશન લઇને ફક્ત એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરવી
  • સ્કુલના આંતરિક મૂલ્યાંકન પદ્ધતિને નજર અંદાજ કરવી
  • સ્કુલની આંતરીક કસોટીઓ, યુનિટ ટેસ્ટને પ્રાધાન્ય આપવું નહીં.
  • પ્રવેશ પરીક્ષાઓ જેટલું જ જરૂરી શાળાકીય શિક્ષણ પણ છે
  • આઇ.આઇ.ટી., એન.આઇ.ટી.માં એડમિશનનું સપનું જ્યારે જુઓ ત્યારે એ વાસ્તવિક રીતે શક્ય છે કે નહીં તેની ચકાસણી કરો, ગુજરાત બોર્ડ, ગુજરાતમાંથી કેટલા વિદ્યાર્થીઓ જેઇઇની પરીક્ષા આપે છે અને કેટલા વિદ્યાર્થીઓને દર વર્ષે પ્રવેશ મળે છે એની વિગતો જાણો એટલે બધો ખ્યાલ આવી જશે, પછી નક્કી કરો કે જેઇઇ આપણા માટે જરૂરી છે કે નહીં

ઘણાને ધો.12ની માર્કશીટ જોવાની નહીં ગમે અને એને સુધારી પણ નહીં શકે

ધો.12ની માર્કશીટ એ શૈક્ષણિક કારકિર્દી માટેનો પહેલો પડાવ છે. હવે આ વર્ષે બોર્ડની એકઝામ થવાની નથી એટલે આંતરીક મૂલ્યાંકનના આધારે માર્કર્સ મૂકાશે. જીવનભર માટે ધો.12ની માર્કશીટ એ સંભારણું બની રહેતી હોય છે. પરંતુ, હવે હજારો વિદ્યાર્થીઓ એવા છે જેઓ આંતરિક મૂલ્યાંકનનો વિરોધ કરી રહ્યા છે. કેમકે તેમને ધો.12ની પોતાની જ માર્કશીટ નહીં ગમે.

June 9, 2021
gseb-1280x720.jpg
1min620

સરકારે ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી પાસ કરવાની જાહેરાત કર્યા બાદ તેમના પરિણામ તૈયાર કરવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી હતી.

ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળ્યા બાદ તેમના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC)માં માસ પ્રમોશનથી પાસ લખવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ડીઈઓને પરિપત્ર કરી તેમના તાબાની સ્કૂલોને આ અંગે સૂચના આપવા તાકીદ કરાઈ છે.

વિદ્યાર્થીઓના ઓનલાઈન ગુણ મોકલવામાં બેદરકારી દાખવનારા શાળાના આચાર્ય સામે કાર્યવાહી કરવાનો નિર્ણય પણ લેવાયો છે. આ વર્ષે બોર્ડ દ્વારા ગુણ ચકાસણી કરવામાં આવનાર ના હોવાથી શાળાઓને ગુણ મોકલવામાં ખાસ તકેદારી રાખવાનું જણાવાયું છે.

સ્કૂલોને માર્ક મોકલવા માટેની સૂચના આપવામાં આવી છે કે સ્કૂલોએ માસ પ્રમોશનની ફોર્મ્યુલા પ્રમાણે, ગુણપત્રક તૈયાર કરી વિદ્યાર્થીના નામ, એપ્લિકેશન નંબરની સામે 80+20 ગુણ બોર્ડ કક્ષાના વિષયમાં દર્શાવાના રહેશે. દ્યારે શાળા કક્ષાના વિષયમાં 50+50+20 ગુણ અપલોડ કરવાના રહેશે.

RMAS સંચાલિત શાળાઓમાં વ્યવસાયલક્ષી વિષય ભણાવવામાં આવતો હોય તો 30+20 પ્રમાણે ગુણાંકન કરવાનું રહેશે અને 80+20 મુજબ ઓનલાઈન ભરવાનું રહેશે. ઓનલાઈન ગુણ અપલોડ કરવાની તમામ જવાબદારી શાળાના આચાર્યની રહેશે. જો કોઈ વિદ્યાર્થીના ગુણ ભરવામાં બેદરકારી ધ્યાનમાં આવશે કે બેદરકારીભર્યું ગુણાંકન કરવામાં આવશે તો તેની સામે શિસ્ત વિષયક કાર્યવાહી બોર્ડ દ્વારા કરાશે, તેમ જણાવાયું છે. શાળા દ્વારા ઓનલાઈન મૂકવામાં આવેલા ગુણ અને ગુણપત્રકમાં પ્રિન્ટ થયેલા ગુણ બાબતે કોઈ વિસંગતતા જણાય તો સ્કૂલે બોર્ડમાં રજૂઆત કરવાની રહેશે.

રજૂઆત કરતા ઓનલાઈન ભરેલા ગુણની પ્રિન્ટ, શાળા ગુણાંકન સંબંધિત તમામ દસ્તાવેજો અને વિદ્યાર્થીના ઓનલાઈન ભરાયેલા આવેદનપત્રની નકલ રજૂ કરવાની રહેશે. આ વર્ષે શાળા દ્વારા ગુણાંકન કરવામાં આવનાર હોવાથી ગુણ ચકાસણીની પ્રક્રિયા થશે નહીં.

ચાલુ વર્ષે ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓના શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં રિમાર્ક્સના ખાનામાં ધોરણ 10ની પરીક્ષા માસ પ્રમોશનથી પાસ જાહેર થયેલા તેમ લખવાનું રહેશે. આમ, ધોરણ 10ના માસ પ્રમોશનથી પાસ થયેલા વિદ્યાર્થીઓની માર્કશીટમાં માસ પ્રમોશન પાસ નહીં લખાય પરંતુ LCમાં માસ પ્રમોશન પાસ લખાઈને આવશે. ઉપરાંત પરીક્ષામાં ઉપસ્થિત થનારા વિદ્યાર્થીનું મૃત્યુ કે ઉમેદવાર સ્કૂલ છોડીને લિવિંગ સર્ટિફિકેટ લઈ ગયા હોય તો તે વિદ્યાર્થીનું આવેદનપત્ર રદ કરવા પાત્ર થશે. તેવા આવેદનપત્રની યાદી બનાવી તેમજ અસલ પ્રવેશિકા પર લાલ સહીથી રિમાર્ક કરી બોર્ડની કચેરીએ મોકલવાની રહેશે તેવી સૂચના પણ બોર્ડ દ્વારા અપાઈ છે.

June 8, 2021
Gujarat-map.jpg
1min639

ગુજરાતમાં કોરોનાવાઈરસને લોકડાઉન અને મીની લૉકડાઉન સહિતના નિયમોને લીધે સતત સતત બીજા વર્ષે પણ હૉટેલો, રેસ્ટોરન્ટ, વોટરપાર્ક અને રિસોર્ટના માલિકોને ભારે નુકસાન કોરોનાને કારણે મનોરંજન પૂરું પાડતા એમ્યુઝમેન્ટ ઉદ્યોગો વેન્ટિલેટર પર પહોંચી ગયા હોવાથી આખરે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ ઉદ્યોગોને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ, વીજ બિલનો ફિક્સ ચાર્જ પણ માફી આપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં હૉટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટર પાર્ક્સને રાહત આપતી જાહેરાત કરી છે. મુખ્ય પ્રધાનના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર રાજ્યમાં તા. ૧લી એપ્રિલ ૨૦૨૧ થી ૩૧મી માર્ચ ૨૦૨૨ સુધીના એક વર્ષના સમય માટે હોટેલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવા હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને વીજ બિલમાં ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બિલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે. આ નિર્ણયને લીધે આર્થિક રાહત મળશે.

હાલ ગુજરાતમાં કોરોનાને કારણે વોટર પાર્ક બંધ છે. જ્યારે હોટેલ અને રેસ્ટોરન્ટમાં રાતના ૯ વાગ્યા સુધી ટેક અવે ફેસિલિટી અને રાતના ૧૦ વાગ્યા સુધી હોમ ડિલિવરી કરવાની છૂટ આપવામાં આવી છે.

આમ હાલ હોમ ડિલિવરી અને ટેક અવે પર જ હોટેલ ઈન્ડસ્ટ્રી નભી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અંદાજે ૫૦,૦૦૦ હોટેલ-રેસ્ટોરન્ટ કાર્યરત છે. જે સીધી અને આડકતરી રીતે ૧૦થી ૧૨ લાખ લોકોને રોજગારી આપી રહ્યો હોવાનો અંદાજ છે. હવે હોટેલ અને રેસ્ટોરન્ટમાં લોકો મોટાભાગે સાંજે જમવાનું પસંદ કરતા હોય છે, પરંતુ કોરોનાને કારણે આઠ વાગે હોટેલ અને રેસ્ટોરન્ટ બંધ કરી દેવી પડે છે. જેના કારણે ઇન્ડસ્ટ્રીને બહુ મોટુ નુકસાન થઈ રહ્યું છે.

June 6, 2021
saurashtra_university.jpg
1min470

તારીખ 1પમી જૂનથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શરૂ થનારી તમામ પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 15મી જૂનથી પોસ્ટ ગ્રેજ્યુએશનની અને ર1મી જૂનથી અન્ડર ગ્રેજ્યુએશનની ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે ર1મી જૂનથી શરૂ થનારી પરીક્ષાની સત્તાવાર જાહેરાત કરાઈ ન હતી. આ માટે કેન્દ્રોથી માંડી મોટાભાગની તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવાઈ હતી. દરમિયાન તાજેતરમાં કેન્દ્ર સરકારે સીબીએસઈ ધો. 12ની અને તેના પગલે રાજ્ય સરકારે પણ ધો. 12ની ઓફલાઈન પરીક્ષાઓ રદ કરી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારના નિર્ણય બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તારીખ 15મી જૂનથી શરૂ થનારી પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના 30 જેટલા અભ્યાસક્રમોની પરીક્ષા 1પમી જૂનથી શરૂ થનારી હતી. જેમાં વિવિધ કોર્સમાં રપથી 30 જેટલા વિદ્યાર્થીઓ જ છે. આ વિદ્યાર્થીઓ સ્કૂલના વિદ્યાર્થીઓ કરતા ઉંમર અને પરિપક્વતામાં મોટા છે. માટે કોરોના સામેની સાવચેતીના પગલાં જાતે લઈ શકે છે. આમાંથી ઘણા વિદ્યાર્થીઓએ રસી લઈ લીધી હોવાનું પણ સંભવ છે. પરીક્ષા આપ્યા પછી પરિણામને આધારે તેમને નોકરીમાં સર્ટિફિકેટ ઉપયોગી થઈ શકે એમ છે. આમ છતાં વહીવટી નબળાઈને કારણે પરીક્ષા મોકૂફ રખાતા વિદ્યાર્થીઓમાં નારાજગી ફેલાઈ છે.