CIA ALERT
18. May 2024
July 18, 20211min268

Related Articles



NCC ગુજરાતે કારગીલ વિજય દિનના ઉપલક્ષમાં સૈનિકોને 30,000 કાર્ડ સેન્ડ કર્યા

Share On :
Print Friendly, PDF & Email

ગુજરાતની એનસીસી કેડેટે આવી રહેલા કારગિલ વિજય દિવસ નિમિત્તે જવાનોના શૌર્ય અને બલિદાનને વખાણતા ૩૦,૦૦૦ કાર્ડ સૈનિકોને મોકલ્યા હતા. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ૨૬ જુલાઇએ  કારગિલ વિજય દિવસ ઊજવાય છે. આ વખતે ૨૨મી સંવત્સરી ઊજવાશે.  ૪થી ૧૫ જુલાઇ દરમ્યાન ઉજવવામાં આવેલા ‘ એક મૈં સો કે લિયે’  અભિયાનના એક ભાગરૂપે ગુજરાતમાંથી આ કાર્ડ્સ મોકલવામાં આવ્યા હતા તેમ જ સોશિયલ મીડિયા પર પણ દેશના જવાનોને બિરદાવતા અનેક સંદેશાઓ વહેતા કરવામાં આવ્યા હતા.

ધ નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી) આ પ્રસંગે  અમારા અભિયાન ‘કારગિલ કે વીરો કો ગુજરાત કા આભાર’ ના પાંચમા ચરણના એક ભાગરૂપે હતો. 

‘આ કાર્ડ્સ યુવા કેડેટસ માટે શહીદોની શહાદત અને સરહદોનું રક્ષણ કરતા જવાનોનું સન્માન કરવાનું એક માધ્યમ છે.’ એમ એનસીસીએ જણાવ્યું હતું.

આ કાર્ડ્સ ઉધમપુરના નોર્ધન કમાન્ડના ચીફ લેફ્ટેનન્ટ જનરલ સુધી પહોંચે તેવી આશા અમે રાખી રહ્યા છીએ જેઓ કારગિલ યુદ્ધ વખતે લેફ્ટેનન્ટ કર્નલના હોદ્દા પર હતા અને જેમને વીરચક્ર પ્રાપ્ત થયું છે. ૨૫ જુલાઇ પહેલા કારગિલ ક્ષેત્ર પર તૈનાત સૈનિકોને સુપરત કરવામાં આવશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :