CIA ALERT

ગુજરાત Archives - Page 28 of 157 - CIA Live

December 17, 2021
gsssb.jpg
1min497

Reported on 17/12/21

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક મુદ્દે આખરે સરકારે પેપર ફૂટ્યાનું સ્વીકાર્યું છે અને આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ ખુલાસાઓ કર્યા છે. તેમણે મીડિયાને જણાવ્યું કે, ‘પહેલા ક્યારેય પગલાં નહીં લેવાયા તેવા પગલાં આ કેસમાં લેવામાં આવશે. ગુનેગારને એવી સજા કરવામાં આવશે કે ભવિષ્યમાં ફરી કોઈ આવું કરવાની હિંમત નહીં કરે.’

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, પેપર લીક કેસમાં અત્યાર સુધી 6 લોકોની ધરપકડ કરી છે. આ મામલે પ્રાતિંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પોલીસે 406, 409, 420, 120 મુજબ ગુનો દાખલ કર્યો છે, અને આગામી સમયમાં વધુ કલમો ઉમેરવામાં આવશે. કેસમાં હજી 4 આરોપી ફરાર છે અને જલ્દીથી તેમની પણ ધરપકડ કરવામાં આવશે. હાલ કેસની તપાસ ચાલી રહી છે અને આ અંગે વધુ માહિતી આપવામાં આવશે. તેમજ કેસના મૂળ સુધી પહોંચ્યા બાદ પરીક્ષા રદ કરવી કે નહીં તે અંગે નિર્ણય લેવાશે.

ગૃહ રાજ્યમંત્રી વધુમાં જણાવ્યું હતું કે, મામલો સામે આવ્યા બાદ 3 દિવસ સુધી સતત તપાસ ચાલી હતી. જેમાં સામે આવ્યું હતું કે, એક જ જિલ્લામાં 3 ગ્રુપમાં પેપર સોલ્વ કરવામાં આવ્યા હતા. પોલીસે પહેલા શકમંદોને પકડવાનું કામ કર્યું હતું અને પહેલા જ દિવસે 6 લોકોને પકડી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે પ્રાતિંજ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો સાથે હવે ફરિયાદ નોંધવામાં છે. કેસના મૂળ સુધી પહોંચવા માટે સરકાર કટિબદ્ધ છે અને સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Reported on 16/12/21

હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયાના મામલે ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ કરેલો ઈ-મેઈલ જિલ્લા પોલીસને મળતા LCBએ તપાસ તેજ કરી છે અને કૌભાંડમાં સંડોવાયેલા શખ્સોની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે, સમગ્ર મામલે આજે રાજ્ય સરકાર દ્વારા વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.

Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) Assistant Social Welfare Officer,  Surveyor, Accountant/ Inspector & Junior Inspector All Candidates Marks  (Result - Marugujaratupdates.com

પ્રાંતિજના ઉંછાના એક ફાર્મ હાઉસમાંથી હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયા હોવાનો યુવરાજસિંહ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને યુવરાજસિંહે તેના પુરાવા મીડિયા સામે પણ મૂક્યા હતા અને બે કારના નંબર પણ જાહેર કર્યા હતા જે તપાસ દરમિયાન હિંમતનગર બાયપાસ રોડ પરથી મળી આવી હોવાનું જાણવા મળ્યું છે.

પેપર લીક કૌભાંડ મામલે સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો છે, ત્યારે શંકાસ્પદ નંબરોવાળી બંને કાર હિંમતનગરથી મળી આવતા મામલો વધુ ગરમાયો છે. યુવરાજસિંહે જાહેર કરેલી ગાંડી નંબરના માલિક મીડિયા સામે આવ્યા હતા અને આ ષડયંત્રમાં તેમની કોઈ ભૂમિકા નથી તેવી સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, છેલ્લા 20 દિવસથી ગાડી મારી પાસે જ છે. સીસીટીવી ફૂટેજ તથા સમગ્ર પુરાવા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મિટીંગનો દોર જારી રાખ્યો હતો અને તપાસની માહિતી મેળવી હતી. તેઓ સાબરકાંઠા પોલીસના પણ સતત સંપર્કમાં રહ્યા હતા. જેથી શુક્રવાર એટલે કે આજે રાજ્ય સરકાર દ્વારા આ મામલે વધુ સત્તાવાર માહિતી અપાશે તેવું જાણવા મળ્યું છે.

પેપર લીક મામલે હજી સઘન તપાસ ચાલી રહી છે, ત્યારે સંપૂર્ણ પરીક્ષા રદ કરવામાં આવશે કે જે ઉમેદવારોએ પેપર ફૂટી ગયા તેનો લોભ લીધો છે તેટલાની રદ કરાશે તે સવાલ ઉભો થયો છે. ગૌણ સેવા પસંદગી મંડળના પદાધિકારીઓ આ મામલે પોલીસ તપાસમાં શું નીકળે તેની રાહ જોઈ રહ્યા છે. તો બીજી તરફ પેપર ફૂટ્યાની માહિતી અને પુરાવા મીડિયા સમક્ષ રજૂ કરનાર યુવરાજસિંહનું કહેવું છે કે, નૈતિકાના આધારે અસિત વોરા રાજીનામું આપે. જો કે, શિક્ષણમંત્રી અસિત વોરાના સમર્થનમાં નિવેદન આપ્યું છે અને કહ્યું કે સમગ્ર મામલની તપાસ કરવામાં આવશે.

December 15, 2021
election_voting.jpg
1min679

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સમય બદલાતાં વાર નથી લાગતી. હજુ દોઢ બે વર્ષ પહેલા લોકડાઉન અને કોવીડ-19ની પહેલી, બીજી લહેર વખતે શહેરોમાં વસતા લોકો પરિવાર સમેત પોતાના વતન, ગામડાઓ તરફ હંગામી હિજરત કરી રહ્યા હતા કેમકે શહેરોમાં કોવીડના કેસો અતિશય વધી રહ્યા હતા. એ સમયે ગામડાઓમાં કેટલાક બની બેઠેલા નેતાઓએ આગેવાની લઇને શહેરોમાં વસતા પોતાના જ ગામવાસીઓને પ્રવેશ આપવાનો ઇન્કાર કરીને તાયફાઓ કર્યા હતા. શહેરોવાળા ગામડાઓમાં કોરોના ઘૂસાડશે એવી દહેશત વ્યક્ત કરીને ગામડાઓના બની બેઠેલા નેતાઓએ શહેરમાં વસતા પોતાન જ ગામવાળાઓને તેમના ઘરો સુધી જતા રોક્યા હતા.

સમય અને પરિસ્થિતિ એવી બદલાય છે કે લોકડાઉન અને બીજી લહેર વખતે જે લોકો ગામમાં નો એન્ટ્રી કરીને બેઠા હતા, શહેરોમાં વસતા પોતાના ગામવાસીઓને ઘૂસવા દેતા ન હતા એ જ લોકો આગામી રવિવારે યોજાઇ રહેલી ગ્રામપંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારી કરી હોઇ, શહેરોવાળાના વોટ લેવા માટે તેમના ઘરોએ આંટાફેરા કરી રહ્યા છે. શહેરોમાં વસતિ ગામવાળાઓના મોભીઓ રાત્રે 9 વાગ્યે ઘરે આવે તો કલાક પછી એટલે કે રાત્રે 10 વાગ્યે પણ મત માગવા માટે શહેરોવાળા ગામવાસીઓના ઘરોના બારણે ટકોરા મારી રહ્યા છે.

આ મુદ્દે હાલ સોશ્યલ મિડીયામાં પણ એટલી બધી પોસ્ટ વાઇરલ થઇ રહી છે કે ચૂંટણીમાં આ મુદ્દો ટર્નિંગ પોઇન્ટ સાબિત થાય તેમ છે.

Rural India vs. Urban India. India as a whole is quickly developing… | by  Asha Bhavan Centre | Medium
Symbolic Photo

ચૂંટણી ગામડાની છે પણ વોટબેંક શહેરી વિસ્તારોમાં છે

ગુજરાતની ગ્રામ પંચાયતોમાં યોજાઇ રહેલી ચૂંટણીની મોટી મતબેંકો શહેરી વિસ્તારોમાં છે. ખાસ કરીને શહેરોની ફરતે આવેલા ગામડાઓમાં તો એવી સ્થિતિ છે કે ગામના દરેક ઘરોમાંથી સિનિયર સિટીઝનોને બાદ કરતા બાકીના તમામ ઘરના સભ્યો શહેરોમાં વસાવેલા ઘરોમાં જ રહે છે. આથી હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું કેન્વાસિંગ શહેરી વિસ્તારોમાં જ વધારે જોવા મળે છે. શહેરોની સમીપ આવેલા ગામડાઓ અત્યંત સમૃદ્ધ એટલે પણ મનાય છે કે ત્યાં જમીનોના ભાવો સાતમે આસમાને આંબી રહ્યા છે અને તેમાં પણ સરપંચ જેવી પોસ્ટનું મહત્વ વધી ગયું છે આથી ગ્રામ પંચાયતોની ચૂંટણી કે જે કોઇપણ પ્રકારના રાજકીય સિમ્બોલ વગર લડાઇ રહી છે છતાં તેમાં પ્રચાર તો રાજકીય ચૂંટણીઓને ઝાંખો પાડે તેવો થઇ રહ્યો છે.

December 15, 2021
cia_multi-1280x1045.jpg
1min506

Jayesh Brahmbhatt 98253 44944

કોવીડ-19થી જેમના મૃત્યુ થયા છે તેમના પરિવારજનોને સત્વરે રૂ.50 હજારની રાહત ચૂકવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી ઝાટકણી બાદ ગુજરાત સરકારે તાબડતોબ આ કાર્યવાહી શરૂ કરી છે અને આ કાર્યવાહીમાં ગુજરાતમાં રૂપાણી સરકારે કોવીડથી થયેલા મૃત્યુની સાચી સંખ્યા છુપાવી હોવાની વાત ખુદ સરકારે રાહતની કરેલી ચૂકવણીના આંકડાઓ જ ચાડી ખાય રહ્યા છે.

વાસ્તવમાં રૂપાણી સરકાર વખતે કોવીડ-19થી ગુજરાતમાં થયેલા કુલ મૃત્યુની સંખ્યા 10 હજારની આસપાસ જણાવવામાં આવી હતી અને જાહેર પણ કરી દેવામાં આવી હતી. એ પછી સુપ્રીમ કોર્ટે કોવીડથી થયેલા મૃત્યુ બદલ પરિવારજનોને રૂ.50 હજારની સહાય ચૂકવવા માટે આદેશ આપતા ગુજરાત સરકારે રાહત ચૂકવણી માટે અરજીઓ મંગાવી જેમાં ગુજરાતભરમાંથી કુલ 38 હજાર જેટલી અરજીઓ આવી છે. અને અત્યાર સુધીમાં ગુજરાત સરકારે 22 હજારથી વધુ મૃતકોના પરિવારજનોને રૂ.50 હજારની રાહત ચૂકવી આપી છે.

રાજ્યના મહેસૂલ મંત્રી અને સરકારના પ્રવક્તા રાજેન્દ્ર ત્રિવેદીએ તા.14મી ડિસેમ્બર 2021ના રોજ મંગળવારે જણાવ્યું હતું કે, સરકારને અત્યાર સુધીમાં લગભગ 38,000 અરજીઓ મળી છે અને રાજ્ય સરકારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા 22,000 ખાતાઓમાં રૂ. 50-50 હજાર ટ્રાન્સફર કર્યા છે.

Centre orders ex-gratia of ₹50,000 to families of those who died of Covid-19

આ રીતે મામલો થાળે પાડવાનો પ્રયાસ

સત્તાવાર કોવિડ -19 મૃત્યુ અને વળતરના દાવાઓની સંખ્યા વચ્ચે મેળ ન હોવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે ત્રિવેદીએ કહ્યું કે, કોવિડ -19 મૃત્યુની ગણતરી માટે રાજ્ય સમિતિ દ્વારા નિર્ધારિત માપદંડોમાં તફાવત હોઈ શકે છે. જો કે, વળતર આપવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા પસાર કરવામાં આવેલ આદેશ મુજબ સહાય ચૂકવવામાં આવી છે.

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે કોવિડ મુત્યુની વ્યાખ્યામાં કરેલા ફેરફાર અન્વયે ગુજરાતમાં કોવિડ અને કોવિડ પોઝિટિવ આવ્યા બાદ 30 દિવસમાં હાર્ટએટેક કે અન્ય કોઇ કારણસર મૃત્યુ પામનાર લોકોને પણ કોવિડ મૃત્યુ ગણવા જેથી આવા લોકોને પણ સહાય આપવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયું છે. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ અન્વયે પહેલ કરીને અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી પહેલા 22 હજાર જેટલા લોકોના ખાતામાં સહાય જમા કરી છે.

December 13, 2021
patagonia.jpg
1min1100

ખાદી, જેને ઘણા લોકો દ્વારા ભારતનું રાષ્ટ્રીય કાપડ માનવામાં આવે છે, તે તેની આંતરરાષ્ટ્રીય ફેશનની શરૂઆત કરવા માટે તૈયાર છે. યુએસ આઉટડોર એપેરલ અને ગિયર રિટેલર પેટાગોનિયા ઇન્કે ભારતમાંથી 30,000 મીટર ખાદી ડેનિમ ફેબ્રિક ખરીદ્યું છે. કેલિફોર્નિયા સ્થિત ફર્મ, જે વિશ્વભરમાં સેંકડો સ્ટોર્સ ધરાવે છે, તેણે તૃતીય-પક્ષ તરીકે અરાવિંદ મિલ્સ-ઊંટઈંઈ (ખાદી વિલેજ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ)ના ટાઇ-અપ દ્વારા ગુજરાતમાંથી 1.08 કરોડની કિંમતનું ફેબ્રિક મેળવ્યું. જેમાંથી 25,000 મીટર ખાદી ડેનિમ ફેબ્રિક ગોંડલની ઉદ્યોગ ભારતી ખાદી સંસ્થામાંથી મોકલવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

ખાદી વિલેજ એન્ડ ઇન્ડસ્ટ્રીઝએ વિશ્વભરમાં ખાદી ડેનિમ ઉત્પાદનનો વેપાર કરવા માટે જુલાઈ 2017માં અરાવિંદ મિલ્સ સાથે કરાર કર્યો હતો. તે પછી, અરાવિંદ મિલ્સ ગુજરાતની ઊંટઈંઈ-પ્રમાણિત ખાદી સંસ્થાઓ પાસેથી દર વર્ષે ખાદી ડેનિમ ફેબ્રિક ખરીદે છે. જેમાં ગોંડલની ઉદ્યોગ ભારતી દ્વારા બે વર્ષમાં 50,000 મીટર જેટલું ખાદી ડેનિમ ફેબ્રિક મોકલવામાં આવ્યું છે. ખાદી ડેનિમનાં ઉત્પાદનની પ્રક્રિયા જોવા માટે રાજકોટના ગોંડલ ખાતે ખાદી સંસ્થા ઉદ્યોગ ભારતીની મુલાકાત લેતા પેટાગોનિયાની ટીમે આ સોદો ગતિમાન કર્યો હતો. ડેનિમની ગુણવત્તાથી સંતુષ્ટ, ટીમે ચાર પ્રકારના ડેનિમ ફેબ્રિકનો ઓર્ડર આપ્યો, જે 100% સુતરાઉ અને 28 ઇંચથી 34 ઇંચ સુધીની પહોળાઈ સાથે બનેલ છે.

ગોંડલની ઉદ્યોગ ભારતી સંસ્થાના કવીનભાઈ પટેલ જણાવે છે કે, આજના યુવાવર્ગને ગમે એવી ફેશન ખાદીમાં આપવા માટે અમારી સંસ્થા મહેનત કરી રહી છે. પેટાગોનિયા ફેશન જે અમેરિકાની પ્રખ્યાત અપરેલ કંપની છે તેમણે યુએસ-આધારિત મૂલ્યાંકનકાર ગઊજઝ સંસ્થાને ગુણવત્તા સહિતની ચકાસણી કરવા માટે રોકી છે. તે ગઊજઝ સંસ્થા ગ્રાહકોને ખાતરી આપે છે કે ખરીદેલી વસ્તુ ‘ઘર અથવા નાની વર્કશોપમાં નૈતિક રીતે હાથથી બનાવવામાં આવી છે’ તેમજ આ સંસ્થા ખાદીની ગુણવત્તા માટે ચરખા, ચાર પાવડી વણાટ કામ, બહેનો અને વણકરને રોજગાર અને ખરેખર ખાદી જ છે ને તે ચકાસણી કરે છે. જેના દ્વારા દેશની એકમાત્ર ગોંડલની ઉદ્યોગ ભારતી સંસ્થાને સર્ટીફિકેટ મળેલું છે. પેટાગોનિયા પહેલા પણ અરવિંદ મીલ્સ મારફતે અમેરિકાની પ્રખ્યાત લેવીસ કંપનીને પણ ડેનિમ ખાદી મોકલી છે.

December 7, 2021
BHUPENDRA.jpg
1min876

વર્ષ 2015માં પાટીદાર આંદોલન દરમિયાન આંદોલનકારીઓ સામે થયેલા તમામ કેસ પરત ખેંચવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાંયધરી આપી હોવાનું જાણવા મળ્યું છે. Gujarat CM 8 ડિસેમ્બરના રોજ દુબઈના બે દિવસના પ્રવાસે જવાના છે. ત્યારબાદ પરત નહીં ખેંચાયેલા કેસોનો અભ્યાસ કરીને અધિકારીઓ સાથે ચર્ચા કરીને નિર્ણય લેવાશે તેવું જાણવા મળ્યું છે.

સોમવારે Dt.6-12-21 સાંજે સીએમ નિવાસ સ્થાને મુખ્યમંત્રી પટેલે ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ, પાટીદાર અગ્રણી- આંદોલનકારીઓ દિનેશ બાંભણિયા, અલ્પેશ કથીરિયા, જયેશ પટેલ, ગીતાબેન પટેલ સહિતના સાથે બેઠક યોજી હતી. આ અંગે માહિતી આપતા દિનેશ બાંભણિયા અને જયેશ પટેલના જણાવ્યા અનુસાર પોણા બે કલાક ચાલેલી બેઠકમાં સીએમ પટેલનું વલણ સકારાત્મક રહ્યું હતું અને તેમણે તમામ કેસ પરત ખેંચવાની બાંયધરી આપી છે.

પાટીદાર આંદોલન દરમિયાન કુલ 481 જેટલા કેસ થયા હતા, જેમાંથી 228 પરત ખેંચાયા હતા. સીએમને અત્યાર સુધી પરત ખેંચવાની હિલચાલ નથી થઈ નથી તેવા 146 કેસ અંગેની વિગતો પણ નરેશ પટેલ દ્વારા રજૂ કરાઈ હતી. તે ઉપરાંત જે આંદોલનકારીઓ મૃત્યુ પામ્યા છે તેમાંથી વારસદારોને અર્ધસરકારી કચેરીમાં નોકરી મળે અને ટીચરગેસના કારણે ઈજાગ્રસ્ત થયા છે તેમને વળતર મળે તે માટેની રજૂઆત પણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત હાર્દિક પટેલ સહિતના ઉપર રાજદ્રોહના કેસ કરાયા છે તે સહેલાઈથી પરત ખેંચાય તેવા નથી તે અંગે પણ અલગથી ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પાટીદાર અગ્રણીઓએ રાજસ્થાનમાં આવા કેસ પરત ખેંચવામાં આવ્યા હોવાની વિગતો રજૂ કરવાાં આવી હતી. તેમાં પણ હકારાત્મક વલણ દાખવ્યું હોવાનો પાટીદાર અગ્રણીઓ દાવો કર્યો હતો.

December 3, 2021
jagdish_thakor.jpg
1min689

2016માં કોંગ્રેસના તમામ હોદ્દા છોડનારા જગદીશ ઠાકોરનું નામ પ્રદેશ પ્રમુખપદે સત્તાવાર રીતે જાહેર થયું. માધવસિંહ સોલંકીના નજીકના નેતા ગણાય છે જગદીશ ઠાકોર.

ગુજરાતમાં છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતાએ રાજીનામાં આપ્યા બાદ નવી નિમણુંક અંગેના વિવાદનો અંત આવી રહ્યો છે. જેમા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે ઠાકોર સમાજના આગેવાન અને ઉત્તર ગુજરાતના ખમતીધર નેતા જગદીશ ઠાકોરને સત્તાવાર પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. આજે સાંજે ગાંધીનગરમાં ધારાસભ્યો સાથેની બેઠકમાં વિરોધ પક્ષના નેતા પદે આદિવાસી નેતા સુખરામ રાઠવાનું નામ જાહેર કરવામાં આવશે.

ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે . દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002થી 2007 અને 2007 થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્યના પગલે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાસંદ રહી ચૂક્યા છે.

ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની અત્યંત નજીક મનાતા જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતમાં સારું વર્ચસ્વ ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે, જગદીશ ઠાકોરે 2016માં કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું. ઠાકોરે એ વખતે એલાન કરેલું કે, હવેથી પોતે માત્ર સામાન્ય કાર્યકર તરીકે જ કામ કરશે. ઠાકોરની આ જાહેરાતે ખળભળાટ મચાવ્યો હતો. આ જાહેરાતના કારણે જગદીશ ઠાકોરની રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હોવાનું મનાતું હતું પણ પાંચ વર્ષમાં જ ઠાકોરે ભવ્ય પુનરાગમન કર્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો સર્વોચ્ચ હોદ્દો મેળવીને જગદીશ ઠાકોરે હાઈકમાન્ડને પોતાની તાકાત અને મહત્વ સમજાવવામાં સફળતા મેળવી છે.

ગુજરાત નેતા વિપક્ષ તરીકે પાવીજેતપુરના આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવા પંસદગી કરાઇ છે અને તેમના નામની સત્તાવાર જાહેરાત આજે સાંજ સુધીમાં કરવામાં આવી શકે છે. અત્યાર સુધી કુલ 8 વખત તેઓ ધારાસભ્યની ચૂંટણી લડ્યા છે. જેમાં 5 વખત વિજેતા બન્યા છે. 7 વખત છોટાઉદેપુર બેઠક ઉપર લડ્યા જયારે વર્ષ 2012 અને 2017માં પાવીજેતપુર બેઠક ઉપર થી ચૂંટણી લડ્યા હતા. પાવીજેતપુરમાં પ્રથમ ચૂંટણીમાં ભાજપના જેન્તી રાઠવા સામે 4273 મતોથી હાર્યા હતા. જ્યારે 2017માં 3052 મતોથી ભાજપના જેન્તી રાઠવા સામે જીત મેળવી હતી. વર્ષ 1985થી ધારાસભ્યની ચૂંટણી લડી રહ્યા છે. તેઓ કવાંટ તાલુકાના જામલી ગામના રહેવાસી છે.

December 2, 2021
cia_multi-1280x1045.jpg
1min569

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

મેડીકલ ખાસ કરીને એમબીબીએસમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ હવે સેકન્ડ ટ્રાયલનો ટ્રેન્ડ એટલી હદે વધી ગયો છે કે આ વર્ષે 2021માં ગુજરાતની મેડીકલ કોલેજમાં પ્રવેશ માટે એપ્લાય કરનારા કુલ 24,228 પ્રવેશાર્થીઓ પૈકી 40 ટકા એટલે કે 9,331 પ્રવેશાર્થીઓ એવા છે જેમણે નીટની પરીક્ષા બીજી વખત આપીને સ્કોર મેળવ્યો છે. આવું કરવા પાછળ બે કારણો છે (1) એડમિશન મળે તેટલો નીટનો સ્કોર આવે એટલા માટે (2) સરકારી મેડીકલ કોલેજો કે જ્યાં ઓછી ફીમાં એમબીબીએસનો અભ્યાસ કરી શકાય તે માટે બીજી વખત નીટની પરીક્ષા આપવાના વલણનો વ્યાપ દર વર્ષે વધી રહ્યો છે.

ગુજરાતની મેડિકલ કોલેજોમાં 2021માં એડમિશન લેવા માટે ફોર્મ ભરનારા કુલ 24,228 ઉમેદવારોમાંથી 9,331 એવા હતા જેમણે ધોરણ 12ની પરીક્ષા 2020 અથવા તે પહેલાના વર્ષમાં પાસ કરી હતી

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડરગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સિસ (ACPUGMEC) દ્વારા MBBS સહિતની 5504 મેડિકલ બેઠકોની એડમિશન પ્રક્રિયા માટે વેરિફેકશન કરવામાં આવ્યું ત્યારે આ આંકડો બહાર આવ્યો હતો.

મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા રિપીટ કરવાનું પસંદ કરી રહ્યા છે તેની પાછળ નક્કર કારણ રહેલું છે. ખાનગી કોલેજમાં એમબીબીએસ કરવું હોય તો દર વર્ષે 8થી 14 લાખ રૂપિયા ફી ભરવી પડે છે. મોટાભાગની પ્રાઈવેટ કોલેજો કરતાં સરકારી કોલેજોમાં કટ-ઓફ ઊંચું હોય છે અને ત્યાં વાર્ષિક ફી પણ 25,000 રૂપિયા જેટલી હોય છે. સરકારી ટ્રસ્ટ દ્વારા ચાલતી GMERS કોલેજોની વાર્ષિક ફી આશરે 3 લાખ રૂપિયા જેટલી હોય છે.

2021માં લેવાયેલી નીટ પરીક્ષાના સ્કોરથી અસંતુષ્ઠ વિદ્યાર્થીઓ 2022માં મોટી સંખ્યામાં નીટની સેકન્ડ ટ્રાયલ આપે તેવી શક્યતા

જે રીતે નીટની સેકન્ડ ટ્રાયલ આપવાનો ટ્રે્ન્ડ વધી રહ્યો છે. 2017થી શરૂ થયેલો નીટ સેકન્ડ ટ્રાયલ આપવાના ટ્રેન્ડને જોઇએ તો દર વર્ષે સેકન્ડ ટ્રાયલ આપનારા વિદ્યાર્થીઓની વધી રહેલી સંખ્યાને જોતા આ વર્ષે 2021માં પહેલી વખત નીટ આપનારા હજારો વિદ્યાર્થીઓએ તેમના સ્કોરથી અસંતોષ વ્યક્ત કરીને નીટ 2022 માટે તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું જણાય રહ્યું છે. ક્લાસીસોના સંચાલકો પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ પ્રમાણે બ્રેઇન વોશ કરીને નીટ સેકન્ડ ટ્રાયલ માટે માનસિક રીતે તૈયાર કરી રહ્યા છે.

December 2, 2021
cbse.jpg
1min668

સેન્ટ્રલ બોર્ડની તા.1લી ડિસેમ્બરે ગુજરાતમાં ધો.12ના વિદ્યાર્થીઓની લેવાયેલી સમાજશાસ્ત્રની પરીક્ષામાં ગુજરાતના રમખાણો વિષય પર પૂછાયેલા એક પ્રશ્નએ ગુજરાતના રાજકારણ તેમજ સેન્ટ્રલ બોર્ડના તંત્રમાં મોટું રમખાણ સર્જ્યું છે. છેવટે સેન્ટ્રલ બોર્ડે એવી જાહેરાત કરી છે કે ગુજરાત રમખાણ પર અયોગ્ય સવાલ પૂછનાર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે. સમગ્ર પ્રકરણ આ મુજબ જાણવા મળ્યું હતું.

સીબીએસઈએ બુધવાર તા.1લી ડિસેમ્બર 2021ના ધો. 12ની પરીક્ષામાં સમાજશાસ્ત્રના પ્રશ્ન પત્રમાં વિદ્યાર્થીઓને એ રાજકીય પક્ષનું નામ જણાવવા કહ્યું જેના કાર્યકાળમાં 2002માં ગુજરાતમાં કોમી મુસ્લિમ વિરોધી હિંસા થઈ હતી. સીબીએસઈએ આ પ્રશ્નને અયોગ્ય અને તેની ગાઈડલાઈન વિરુદ્ધનો ગણાવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)એ જણાવ્યું કે આ મામલે જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સીબીએસઈની સત્ર કસોટીમાં ધો.12 સમાજશાસ્ત્રના પેપરમાં વિવાદિત પ્રશ્ન પૂછવામાં આવ્યા બાદ વિવાદ થતાં બોર્ડે પગલાં ભરવામાં આવશે એમ જણાવ્યું

સીબીએસઈએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, બુધવારે ધો. 12ના સમાજશાસ્ત્રની સત્ર કસોટીમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જે અયોગ્યો છે અને પ્રશ્ન પેપર તૈયાર કરવાની બાબતે બાહરના વિષય નિષ્ણાતો માટે સીબીએસઈની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરાયું છે. સીબીએસઈ આ ભૂલને સ્વીકારે છે અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે.

સીબીએસઈની ગાઈડલાઈન મુજબ પરીક્ષામાં પ્રશ્ન પત્રમાં પૂછવામાં આવતા પ્રશ્નો એકેડેમિક જ હોવા જોઈએ અને વર્ગ-ધર્મ-તટસ્થ હોવા જોઈએ. સામાજીક અને રાજકીય પસંદને આધારે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડે એવા કોઈ વિષયને છેડવો જોઈએ નહીં.

સીબીએસઈ ધો. 12ના સમાજશાસ્ત્રના પેપરમાં પૂછવામાં આવ્યું હતું કે, 2002 ગુજરાતમાં મોટાપાયે મુસ્લિમ વિરોધી હિંસા કઈ સરકારના કાર્યકાળાં થઈ? આ માટે જવાબના વિકલ્પ હતા. કોંગ્રે, ભાજપ, ડેમોક્રેટિક અને રિપબ્લિકન.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સાશનકાળમાં 2002માં ગોધા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના બે ડબ્બાને આગ ચાંપી દેવાયા બાદ રાજ્યમાં વ્યાપક કોમી રમખાણ ભડક્યા હતા. ટ્રેનમાં આગની ઘટનામાં 59 હિન્દુ કારસેવકના મોત થયા હતા. રમખાણોમાં એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો.  

December 2, 2021
raining.jpg
3min422

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી એકવાર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં કારતકે અષાઢી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની બે દિવસની કમોસમી વરસાદની આગાહીના પગલે તા.1લી અને આજે તા.2જી ડિસેમ્બર 2021ના રોજ ગુજરાત સમેત સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તેમજ વાતાવરણમાં પલટો આવતા આખો દિવસ વાદળછાયા વાતાવરણને કારણે ઠંડક પ્રસરી ગઇ છે અને બર્ફીલા પવનના સુસવાટાથી કાશ્મીર જેવો માહોલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો છે.

ગુજરાતમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા છવાઇ ગઇ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હોવાના વાવડ છે. દીવમાં 3 ઇંચ જેટલો વરસદા વરસ્યો છે. તેવી જ રીતે કોડિનારમાં એક, ડોળાસામાં પોણો અને સાવરકુંડલામાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તેમજ અન્ય વિસ્તારોમાં અમીછાંટણા થયા છે.

કોરોના બાદ લગ્નસરાની સીઝન પણ ચાલી રહી છે એવામાં વરસાદ વરસતા ઘણા લગ્નોમાં વિઘ્નો ઉભા થયા છે. આ કમોસમી વરસાદથી કપાસ સહિત રવિપાકને ભારે નુકસાન
પહોંચ્યું છે.’

દીવ:

ઉત્તર-પશ્ચિમ દરિયાઈ ક્ષેત્રોમાં હવાનું દબાણ સર્જાવાનાં કાણે રાત્રીથી જ દીવમાં વરસાદ પડવાનું શરૂ થતાં તે સાંજ સુધી ધીમીધારે ત્રણ ઈંચ વરસાદ પડી ગયો.
જામનગર: જામનગરમાં ગઈકાલ સાંજથી વાતાવરણમાં જોરદાર પલટો આવવા પામ્યો છે. આજે સવારે આકાશમાં વાદળછાંયુ વાતાવરણ રહેતા સૂર્ય નારાયણનાં દર્શન થયા ન હતાં. વાદળછાંયા વાતાવરણ વચ્ચે 3પ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો.

લોઢવા:

લોઢવા તથા આજુબાજુનાં ગામડામાં ગઈકાલ રાત્રીથી ધીમીધારે કમોસમી વરસાદ શરૂ થયેલ છે અને હજુ પણ વરસાદી માહોલ હોય તેથી વધુ વરસાદ થાય તેવી સંભાવના છે. આ વરસાદથી રવી પાકમાં લાખો રૂપિયાનું નુકસાન આ વિસ્તારનાં ખેડૂતોને થતા ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.

જૂનાગઢ:

જૂનાગઢ જિલ્લામાં માવઠાની આગાહીને પગલે આકાશમાં મેઘાવી માહોલ તથા સુસવાટા મારતા ઠંડા પવન વચ્ચે વિસાવદરમાં 8 મી.મી. ભેંસાણમાં ર મી.મી. અને જૂનાગઢમાં છાંટણા પડતા ટાઢોડું છવાયું છે.

બોટાદ:

બોટાદ જિલ્લામાં તા.1લી ડિસેમ્બર વહેલી સવારથી સાંજ સુધી ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી અને બોટાદ જિલ્લાનું સમગ્ર વાતાવરણ એકદમ કાશ્મીરમય બની ગયું હતું.

સાવરકુંડલા:

તા.1લી ડિસેમ્બર રાત્રીનાં પવન સાથે વરસાદ શરૂ થયો હતો. દુકાનનાં છાપરા પડી ગયા હતાં, તેમજ 0ાા ઈંચ જેટલો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

મતિરાળા: તા.1લી ડિસેમ્બર બુધવારની વહેલી સવારે વરસાદી માહેલા સર્જાયો હતો. ધીમીધારે વરસાદ પડી જતાં રસ્તા પર પાણીનાં ખાબોચીયા ભરાયા હતાં. ખુલ્લામાં પડેલ પશુચારો પલળી જવા પામ્યો છે.

બગસરા:

બગસરામાં આજે વહેલી સવારથી વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકો વરસાદનાં લીધે ઠંડીથી ધ્રુજવા લાગ્યાં.

સરા:

સરા ગામના ખેડૂતોએ પાકની કાપણી સહિત માલઢોરનું ચરીયાણ સુરક્ષિત રીતે ઘરમાં ખસેડી લીધેલ હતું. પાકની કાપણી કે નવા પાકનું વાવેતર કરવાનું બંધ રાખી બે દિવસ બાદ કરવાનું મુનાસીબ માન્યું હતું.

કોડિનાર:

કોડિનાર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગત રાતથી વાતાવરણમાં પલટો આવતા છાંટાની શરૂઆત થઈ જે આખી રાત અને આજે ધીમી ગતિએ વરસાદ શરૂ છે. ઈંચ ઉપર વરસાદ થયો છે.

ડોળાસા:

કોડિનાર તાલુકાનાં ડોળાસા વિસ્તાર ગત રાત્રીના આઠ વાગ્યાથી ધીમી ધારનો વરસાદ ચાલુ થયો હતો. આજે સાંજનાં પ વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. આ દરમ્યાન માત્ર 16 મી.મી. વરસાદ નોંધાયો છે. વરસાદની સાથે હીમ જેવી ઠંડક પ્રસરી જતાં લોકોમાં બીમારી ફેલાવાનો ભય પેદા થયો છે.

તાલાળા(ગિર):

તાલાળા પંથકમાં દિવાળી બાદ ઉપરા ઉપરી કમોસમી વરસાદનાં બે રાઉન્ડે કિસાનોની કેડ ભાંગી નાખી છે. તાલાળા પંથકમાં મંગળવાર રાત્રીથી ફરી કમોસમી વરસાદ શરૂ થયેલ બુધવાર બપોરનાં પાંચ વાગ્યા સુધી ધીમીધારે ચાલુ રહ્યો હતો. તાલાળા પંથકમાં કમોસમી વરસાદનાં ઉપરા ઉપરી બે રાઉન્ડથી ખેડૂતો ભાંગી પડયા છે. મંગળવાર સાંજથી શરૂ થયેલ વરસાદથી કેસર કેરીનાં આંબામાં આવેલ મોર તથા ચણાનાં પાકને વ્યાપક નુકસાન થયું છે. તાલાળા પંથકનાં વિવિધ વિસ્તારોમાં ખુશ્બુદાર દેશી ગોળનું ઉત્પાદન કરતા 80 જેટલા રાબડા કાર્યરત હતા. કમોસમી વરસાદથી તમામ ગોળનાં રાબડા બંધ થઈ ગયા છે. જે વાતાવરણ ખુલ્લુ થયા બાદ શરૂ થશે. તાલાળા પંથકના ગોળનાં રાબડામાં દરરોજ એક હજારથી પણ વધુ ડબ્બા ગોળ તૈયાર થતો હતો.

દામનગર:

તા. પહેલી ડિસેમ્બર ગઈ સાંજથી વાતાવરણમાં પલટો આવતા રાત્રીથી દિવસ દરમ્યાન કમોસમી માવઠાનો વરસાદ શરૂ રહ્યો છે. લગ્નસરા હોવા છતાં બજારો સુનકાર છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

પ્રાચી:

પ્રાચી તેમજ ગ્રામ્યવિસ્તારોમાં ગત રાતથી જ ધીભી ધારે શરૂ થયેલ વરસાદ આજે બપોર સુધી પણ શરૂ રહ્યો હતો. આખો દિવસ ઝરમર ઝરમર વરસાદ વરસતા અને ઠંડા પવનનાં કારણે વાતાવરણ ઠંડુગાર થયું હતું.

તળાજા:

તળાજા શહેર અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીનાં નવેક વાગ્યા બાદ કમૌસમી વરસાદ ધીમીધારે શરૂ થયો હતો. માવઠાની શરૂઆતનાં પગલે ડુંગળી, ચણા અને કપાસનાં પાકનો સર્વનાશનાં એંધાણ વર્તાઈ ગયા છે. કૃષિ તજજ્ઞ ડી.એન.ઝાલાએ જણાવ્યું હતું કે હાલ તળાજા પંથકમાં ઘઉંનું વાવેતર ઓછું અને ડુંગળી ચણાનું વાવેતર વધેલ છે. માવઠાનાં કારણે ડુંગળીમાં બાફીયો રોગ અને ચણામાં ફૂગ આવવાના કારણે પાકને મોટું નુકસાન થાય છે. માવઠા સામે પાકને બચાવવો અઘરો છે તેમ છતાંય માવઠાનું પાણી ખેતરને લાયક ન હોય તે ભરાયેલ પાણીને કાઢીને કૂવાનું થોડું પાણી આપવું જોઈએ. સલ્ફરનો ઉપયોગ કરવો જોઈએ, સાથે ઓર્ગેનિક અને પેસ્ટીસાઈટ ફંગી સાઈટનો ઉપયોગ કરવો જોઈએ.

ઉમરાળા:

ઉમરાળા પંથકમાં મંગળવારની સાંજથી ઘટાટોપ વાદળો છવાયા બાદ મોડી રાતથી હળવા છાંટા શરૂ થયા હતા જે આજે બુધવારે ઝરમર રૂપે ચાલુ રહ્યા છે.

ભાવનગર:

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે દિવસભર વરસાદી માહોલ વચ્ચે ઝરમરિયો વરસાદ પડયો હતો. ભાવનગર શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદનાં કારણે લગ્નનાં આયોજકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા હતાં. સિહોર તાલુકાનાં નાના સુરકા ગામે તો લગ્નનાં આયોજકોએ ચાલુ લગ્ન અટકાવવા પડયા હતા અને તાડપત્રી સહિતની વસ્તુઓ ગોતવા નીકળવું પડયું હતું. આ ઉપરાંત તળાજા, મહુવા, સિહોર સહિતના વિસ્તારોમાં પણ માવઠું’ થયાના સમાચાર મળી રહ્યા છે.

સુરત:

તા.1લી ડિસેમ્બરને બુધવારની મોડી રાત્રીથી હળવો ધીમી ધારે કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક વ્યાપી જવા પામી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત શહેર જિલ્લા સહિત નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં કમોસમી ઝરમર વરસાદ પડવા સાથે જનજીવન પ્રભાવિત થવા સાથે ખેત પેદાશને પણ ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.’

ઉના :

ઉના, ગીર ગઢડા પંથકમાં ગઈકાલ રાતથી આજ સાંજ સુધીમાં 2.5 ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. આ માવઠાંથી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

December 1, 2021
gujarat_map-1280x1023.png
1min541

અતિવૃષ્ટિનાં કારણે પાક નુકસાની સામે ગુજરાત સરકારે બાકી રહેલા 9 જિલ્લા માટે રાહત પેકેજ-2ની જાહેરાત કરી છે. આ જાહેરાત કરતા પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદનાં કારણે ખેડૂતોને જે નુકસાની થયેલ છે તેના માટે 9 જિલ્લાના 36 તાલુકા 1530 ગામના 5 લાખ ખેડૂતોને 7.65 લાખ હેક્ટર વિસ્તારમાં પાક નુકસાનનું વળતર અપાશે.’

અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ભરુચ, છોટા ઉદેપુર, પંચમહાલ અને વડોદરાના ખેડૂતો માટે 531 કરોડ રૂપિયાનું સહાય પેકેજ

અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ભરુચ, છોટા ઉદેપુર, પંચમહાલ અને વડોદરાના ખેડૂતો માટે 531 કરોડ રૂપિયાનું સહાય પેકેજ સરકારે જાહેર કર્યું છે. હાલમાં ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે સર્વે પૂર્ણ થયા બાદ હવે સહાય પેકેજ આપવાની કામગીરી શરૂ કરાશે. હેક્ટર દીઠ 6800 રૂપિયા આપવામાં આવશે. તમામ અસરગ્રસ્ત ખેડૂતને એસડીઆરએફના નિયમ પ્રમાણે જે સહાય મળવા પાત્ર છે તે મળશે. 6 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. ઓનલાઇન અરજીનો ખર્ચ પણ સરકાર ભોગવશે. બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
અહીં નોંધવું ઘટે કે, અગાઉ ગુજરાત સરકારે અતિવૃષ્ટિથી થયેલાં નુકસાનને લઈ ખેડૂતો માટે કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું હતું. સૌરાષ્ટ્રના 4 જિલ્લા રાજકોટ, જામનગર, જૂનાગઢ અને પોરબંદરના ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરાયું હતું. જેમાં જામનગર જિલ્લાનાં 320 ગામ, રાજકોટ જિલ્લાનાં 156 ગામ, જૂનાગઢ જિલ્લાનાં 135 ગામ અને પોરબંદર જિલ્લાનાં 71 ગામ મળી કુલ’ 682 ગામના ખેડૂતોને સહાયની જાહેરાત કરવામાં આવી હતી.
દરમિયાન ગુજરાતના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના ખેડૂતોનાં ખાતામાં અતિવૃષ્ટિ માટેનું રાહત પેકેજ જમા કરાવવાનું શરૂ કરી દીધું હોવાની જાહેરાત અગાઉ પત્રકાર પરીષદમાં કરી હતી. તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના ખેડૂતોને પાક નુકસાન માટેનાં જાહેર કરેલાં રાહત પેકેજ 587 કરોડનું અમલીકરણ થઈ રહ્યું છે. 155 કરોડ રૂપિયા ખેડૂતોને સીધા ખાતામાં અપાઈ ચૂક્યા છે. આ ચાર જિલ્લા સિવાય અન્ય જિલ્લાનો સર્વે પણ પૂરો થયાનો રાઘવજી પટેલે દાવો કર્યો હતો. સર્વેનો રિપોર્ટ આવ્યા પછી રાહત પેકેજ મુદ્દે નાણા મંત્રાલાય નિર્ણય કરશે, તેમ તેમણે જણાવ્યું હતું.