CIA ALERT

ગુજરાત Archives - Page 155 of 158 - CIA Live

June 1, 2018
v3.jpg
1min49540

આજે સમગ્ર વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે સુરત માટે ગૌરવવંતી બાબત એ છે કે સુરતમાં 1975થી દૂધ અને દૂધ ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલી જૂની અને જાણીતી વિજય ડેરીને આજે નવી દિલ્હી ખાતે યોજાયેલા દબદબાભર્યા કાર્યક્રમમાં નેશનલ ગોપાલ રત્ન એવોર્ડ 2018 એનાયત કરવામાં આવ્યો છે. વિજય ડેરી વતી તેમના મેનેજમેન્ટના શ્રી પિયુષભાઇ પટેલએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ એગ્રિકલ્ચ એન્ડ ફાર્મર્સ વેલ્ફેર ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર હસબન્ડરી, ડેરીઇંગ એન્ડ ફિશરીઝ દ્વારા સમગ્ર ભારત સ્તરે રાષ્ટ્રીય ગોકુલ મિશન ચલાવવામાં આવે છે અને આ મિશનના ભાગરૂપે નેશનલ ગોપાલ રત્ન એવોર્ડ 2018 માટે સુરતની વિજય ડેરી દ્વારા સંચાલિત શ્રી હરી નાણજી ફાર્મના સંચાલન માટે એનાયત કરવામાં આવ્યો છે.

આજે વિશ્વ મિલ્ક ડે નિમિતે દિલ્હી ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં સુરતની વિજય ડેરીના શ્રી પિયુષભાઇ પટેલને સમગ્ર દેશની ટોચની ડેરીઓના સંચાલકોની ઉપસ્થિતમાં રાષ્ટ્રીય સ્તરે દ્વિતીય રહેવા બદલ રૂ.3 લાખનું ઇનામ તેમજ ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

 

નવી દિલ્હી ખાતે તા.1લી જૂન શુક્રવારે યોજાયેલા દબદબાભર્યા સન્માન સમારોહમાં દેશભરના ટોચના ડેરી ઉત્પાદકોની હાજરીમાં સુરતની વિજય ડેરીના માલિક શ્રી પિયુષભાઇ પટેલને રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરષ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

એવોર્ડ લીધા બાદ સુરતની વિજય ડેરીના શ્રી પિયુષ પટેલે સમારોહને સંબોધન કર્યું હતું.

 

સુરતની વિજય ડેરીને શ્રી હરી નારણ ફાર્મના સંચાલન બદલ જે એવોર્ડ અપાયો તેનું પ્રમાણપત્ર

રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ 2018 માટે સુરતની વિજય ડેરીને રાષ્ટ્રીય સ્તરે દ્વિતીય ક્રમનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. વિજય ડેરીના શ્રી પિયુષ પટેલ એવોર્ડ સ્વીકારતા નજરે પડે છે.

રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ આપવા માટે જુદા જુદા ક્રાઇટેરીયા હોય છે જેમાં પશુપાલન એરીયાની સ્વચ્છતા, તેમનો આહાર, તેમનો ઉછેર, વાતાવરણ, રસીકરણ વગેરે બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે.

 

June 1, 2018
gseb.png
1min12760

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઇ તા.28મી મે ના રોજ જાહેર કરેયાલા ધો.10ના પરીણામમાં પરીક્ષકો એટલે કે ઉત્તરવહીઓ ચકાસવા ગયેલા શિક્ષકોએ મોટી સંખ્યા એટલે કે 40 હજાર જેટલી ભૂલો ગણિતના વિષયની ઉત્તરવહીઓની ચકાસણીમાં કરી હોવાની બાબત સપાટી પર આવતા બોર્ડના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. ધો.10ની ઉત્તરવહીઓમાં થયેલી આવી ભૂલો મોટા ભાગે પ્રશ્નોના ગુણોના સરવાળામાં થઇ હોવાનું જાણવા મળે છે.

પેપર તપાસવામાં વધતી જતી શિક્ષકોની ભૂલો ચિંતાનું કારણ છે. જ્યારે ફાઈનલ રિઝલ્ટ બનાવાય છે ત્યારે ડેટા એન્ટ્રી કરતી વખતે ક્રોસ ટોટલિંગ કરવામાં આવે છે. ગયા વર્ષે 10 માર્ક કે તેનાથી વધારે માર્કની 1,237 ભૂલો પકડાઈ હતી. પેપર તપાસવામાં ઉતાવળ અને ભૂલો કરનારા શિક્ષકો પાસેથી એક ભૂલના 50 રૂપિયા લેખે 6.67 લાખનો દંડ વસૂલાયો હતો.

માર્ચ 2018ની એસ.એસ.સી.ની પરીક્ષામાં ગણિત વિષયમાં 2.5 લાખ વિદ્યાર્થીઓ ફેઇલ થયા છે. બોર્ડ દ્વારા પરિણામનું રેન્ડમ ચેકિંગ તેમજ ડિટેઇલ્ડ વેરીફિકેશન કરવામાં આવતા એવી બાબત પરથી પરદો ઉઠ્યો કે પેપર તપાસનારા પરીક્ષકોએ મૂલ્યાંકન તેમજ ગુણોના સરવાળા કરવામાં ભારે દાટ વાળ્યો છે. જુદા જુદા પ્રશ્નોમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણોના સરવાળા કરવામાં ભારે ભૂલો કરી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10નું પેપર તપાસતાં પરીક્ષકોએ ગુણોના સરવાળામાં કરેલી 40,000 ભૂલો ડિટેઇલ્ડ વેરિફકેશનમાં બહાર આવી છે. અંદાજે 3,500 કેસ એવા છે જેમાં 10 માર્ક્સ કે તેનાથી વધારે માર્ક્સની ભૂલ પરીક્ષકોએ કરી છે. પરીક્ષકોએ કરેલી ભૂલો જો સુધારવામાં આવે તો હજારો વિદ્યાર્થીઓના પરિણામ પર તો અસર પડે જ પડે પણ બોર્ડના કુલ પરિણામ ફેરવાય તેમ છે.

બોર્ડના અધિકારીઓ નૈતિક રીતે સ્વીકારી રહ્યા છે કે પરીક્ષકો દ્વારા ઉત્તરવહીઓના મૂલ્યાંકનમાં રહેલી ભૂલોને જો સુધારવામાં ન આવે તો વિદ્યાર્થીઓ સાથે મોટો અન્યાય થયાનું લેખાશે.

આ વર્ષે યોજાયેલી એસએસસીની પરીક્ષામાં 11.02 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા અને તેમાંથી 2.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં ફેઇલ થયા છે. હવે રાજ્ય સરકાર નીતિ વિષયક નિર્ણય કરશે કે પરીક્ષકોએ કરેલી ભૂલનો સુધાર કેવી રીતે કરવો.

June 1, 2018
Gujarat-Police.jpg
1min16270
માફીયા કીંગ દાઉદનો ડાબો હાથ સમાન અને 1992 મુંબઈ બ્લાસ્ટના કેસોમાં મોસ્ટ વોન્ટેડ આરોપી ભાગતા ફરતા અહેમદ મોહમ્મદ ઉર્ફે અહેમદ લંબૂને એક લાંબા સમયથી ચાલી આવતા ઓપરેશનના અંતે ગુજરાત એટીએસની ટીમને સફળતા મળી છે.
બોમ્બે બોંબ બ્લાસ્ટ કેસમાં નાસતા-ફરતા આરોપી અહેમદ લંબુની ધરપકડ માટે સીબીઆઈએ લુક-આઉટ અને ઇન્ટરપોલ લાંબા સમયથી નોટિસ જાહેર કરી છે. એટલું જ નહીં પણ અહેમદ લંબુ અંગે જાણકારી આપનારને  રૂ.પાંચ લાખનું ઇનામ પણ આપવાનું એલાન થઇ ચૂક્યું છે છતાં અહેમદ લંબૂ હાથ આવતો ન હતો. અહેમદ લંબૂ અંગે જુદા જુદા રાજ્યોની પોલીસને અનેક નાની મોટી બાતમીઓ પણ નિયમિત રીતે મળતી રહેતી હતી પરંતુ, તેને પકડી શકાયો ન હતો.
સૂત્રોએ આપેલી માહિતી મુજબ રાજ્યના દક્ષિણ છેવાડે વલસાડ અને વાપીની વચ્ચે દરિયા કિનારે ગુજરાત એટીએસ થોડા સમયથી એક સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. તા.31મી મેના રોજ રાત્રે આ ઓપરેશન દરમિયાન ગુજરાત પોલીસની એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડને કામ્યાબી મળી છે અને લાંબા સમયથી નાસતા ફરતા મોસ્ટ વોન્ટેડ આરોપી અહેમદ લંબૂને ઝબ્બે કરવામાં આવ્યો હતો. અહેમદ લંબૂ પર 1992 બ્લાસ્ટનું કાવતરૂં ઘડવાનો અને હથિયારો પૂરા પાડવાનો આરોપ છે. બોમ્બ બ્લાસ્ટ પછી લંબૂને ભગાડવામાં ડોસાએ મદદ કરી હતી. ત્યારથી તેની શોધખોળ કરવામાં આવી રહી હતી.
June 1, 2018
gas.jpg
1min13980

વાગરાના રહીયાદ ગામે આવેલાં જીએનએફસીના ટીડીઆઇ પ્લાન્ટમાં ચાર વર્ષમાં ફોસ્જીન ગેસ લીકેજની ત્રીજી ઘટના સામે આવી છે. ગયા સોમવારે મોડી રાત્રે ફરી એક વખત ગેસ લીકેજ થતાં રહીયાદ ગામમાં રહેતાં 1,200થી વધારે લોકોએ જીવ બચાવવા ગામ છોડી દેવાની ફરજ પડી હતી. દરમિયાન ગેસની અસરને કારણે 45થી વધારે લોકોને બળતરા તેમ જ ઉલટીઓ થતાં તેમને ભરૂચ ખાતે આવેલી કંપનીની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર્સ કંપનીનો ટીડીઆઇનો પ્લાન્ટ વાગરાના રહીયાદ ગામે આવેલો છે. આ પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઝેરી ગણાતો ફોસ્જીન ગેસ લીકેજ થતાં તેની અસર નજીકમાં આવેલા રહીયાદ ગામમાં જોવા મળી હતી. રાત્રીના 12 વાગ્યા બાદ ગેસની અસર વધી જતાં લોકોએ આંખોમાં બળતરા, શ્ર્વાસોશ્ર્વાસમાં તકલીફનો અનુભવ કર્યો હતો. ગેસ લીકેજ થયો હોવાની વાત વાયુવેગે ફેલાતા ગામમાં રહેતાં 1,200થી વધારે લોકો તેમનો જીવ બચાવવા નજીકમાં આવેલા સૂવા ગામમાં પહોંચી ગયાં હતાં.

રોષે ભરાયેલા લોકોએ કંપનીના ગેટ પર ભારે હોબાળો મચાવતા વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. દરમિયાન ગેસની અસરનો ભોગ બનેલા લોકોની તબિયત લથડતા તેમને સારવાર માટે ભરૂચ જીએનએફસી ટાઉનશીપમાં આવેલી કંપનીની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. હૉસ્પિટલમાં 45થી વધારે લોકોને સારવાર આપવામાં આવી હતી. ફેકટરી ઇન્સપેકટર તથા જીપીસીબીની ટીમે સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. બનાવની જાણ થતાં અધિકારીઓની ટીમ રહીયાદ ગામે દોડી આવી હતી.

June 1, 2018
gir.jpg
1min21410

એશિયાઈ સિંહોના આ ધરતી ઉપરના એક માત્ર અને અંતિમનિવાસ સ્થાન ગીર જંગલના દ્વાર આગામી તા 15 જૂનથી 4 માસ માટે સહેલાણીઓ માટે બંધ રહેશે. આગામી ચોમાસાની ઋતુને લક્ષમાં લઈને, રાજ્યના વનવિભાગ દ્વારા આ નિર્ણય લેવાયો છે.

વન વિભાગના સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ દરમ્યાન જંગલના કાચા રસ્તાઓ ઉપર વાહન ચાલી શકતા નથી. વળી સિંહ જેવા હિંસક પ્રાણી માટે આ સમયગાળો એ તેમનો મેટિંગ પિરિયડ ગણાય છે. જેમાં તેને ખલેલ ન પહોંચે તે માટે પણ જંગલ બંધ કરાય છે. આમ ગીરના વનરાજોનું વેકેશન 4 માસનું તા.15 જૂનથી શરૂ થઈ રહ્યું છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે કેટલાક સહેલાણીઓ ગેરકાયદેસર જંગલમાં પ્રવેશીને વન્ય જીવોના રહેનસહેન પર અટકચાળો કરતા હોય છે આ બાબત પર હવેથી કડકાઇપૂર્વક પગલાં ભરવામાં આવશે.

June 1, 2018
Mansukh-Mandaviya.jpg
1min14640

ગુજરાતના રાજકારણમાં એટલી પ્રવાહી સ્થિતિ પ્રવર્તી રહી છે કે દિલ્હી સ્થિત હાઇકમાન્ડ ગમે તે ઘડીએ મોટા ફેરફાર કરી શકે એવા મળી રહેલા સંકેતોને પગલે ભાજપાના સંગઠન તેમજ સરકાર બન્નેમાં મોટા અને ધરખમ ફેરફારો થશે તેવી અટકળો ભાજપના પ્રાદેશિક નેતાઓથી નારાજ લોકોએ આગની જેમ ફેલાવાની શરૂ કરી દીધી છે. પાછલા દિવસોમાં કોઇક  દિવસ સંગઠનમાં ફેરફાર તો કોઇક દિવસ સરકારના શિખર નેતૃત્વમાં ફેરફાર આવી રહ્યાના ન્યુઝ વાઇરલ થઇ રહ્યા છે. આવું થવાને કારણો પર મળી રહ્યા છે.

લોકસભાની ચૂંટણીને એક વર્ષનો સમય બાકી છે ત્યારે ભાજપે ચૂંટણી કમિટીની રચના કરીને તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી બાજુ પાટીદાર સમાજને રિજવવા માટેના પ્રયાસો પણ શરૂ કરી દેવાતા એવી અટકળો ઊભી થઈ છે કે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને બદલીને પાટીદાર સમાજને મુખ્ય પ્રધાન પદ અપાશે.

આ અટકળો વચ્ચે વડોદરા ખાતે પહોંચેલા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ પત્રકારો સમક્ષ એવી સ્પષ્ટતા કરી હતી કે હું મુખ્ય પ્રધાન પદની રેસમાં નથી. મુખ્ય પ્રધાન પદે વિજય રૂપાણી જ રહેશે.

સુજલામ્ સુફલામ્ જળસંચય અભિયાનની પૂર્ણાહુતિ પ્રસંગે વડોદરાના સિંધુસાગર તળાવ ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્રના રોડ, ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ, શિપિંગ, કેમિકલ-ફર્ટિલાઈઝર્સ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન મનસુખ માંડવિયાના ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પત્રકારોએ એવો પ્રશ્ન પૂછ્યો હતો કે શું તમે ગુજરાતના મુખ્ય પ્રધાન બનવાની રેસમાં છો

તેના જવાબમાં મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, હું મુખ્ય પ્રધાનની રેસમાં નથી. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જ રહેશે. મુખ્ય પ્રધાન બદલવા અંગે જે અફવાઓ ચાલી રહી છે તે ખોટી છે. આ સિવાય વધુ કોઇ વાત તેમણે કરી ન હતી.

મુદ્દો બદલતા શ્રી માંડવીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ટેક્નિકલ ભૂલને કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં એક પૈસાનો ઘટાડો થયો હતો. તેનો ખુલાસો થઈ ગયો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અંગે સરકાર ચિંતિત છે. પેટ્રોલ-ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર પર નક્કી થતાં હોય છે. આવનાર દિવસોમાં તેના પર નિયંત્રણ આવી જશે. સુઝલામ્ સુફલામ્ જળસંચય યોજના બાબતે જણાવ્યું હતું કે, આ યોજનામાં અપેક્ષા કરતા વધારે સારી કામગીરી થઈ છે. અત્યાર સુધી રાજ્યભરમાં 9 હજાર કરતા વધારે તળાવોને ઊંડા કરવાની કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

May 31, 2018
gseb.png
1min16340

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ તા.31 મે 2018ના દિવસે સવારે ધો.12 સામાન્ય પ્રવાહોની ગત માર્ચ 2018માં લેવાયેલી રાજ્યવ્યાપી પરીક્ષાઓના પરીણામોની ઘોષણા કરવામાં આવી હતી. આ પરીણામોને જોતા ધો.12 કોમર્સનું સમગ્ર રાજ્યનું ઓવરઓલ પરીણામ ફક્ત 55.55 ટકા જેટલું એવરેજ આવ્યું હતું. આટલું નીચું પરીણામ બોર્ડના ખાનગી વિદ્યાર્થીઓ એટલે કે એક્સ સ્ટુડન્ટ, ઘરે બેસીને પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધુ પડતા વિદ્યાર્થીઓ નાપાસ થતાં પરીણામ નીચું આવ્યું હતું. પરીણામની માહિતી બોર્ડની આ બુકલેટ આધારે મળી શકે છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 2,31,876 વિદ્યર્થીઓ પાસ થયા છે. ધોરણ 12નાં સામાન્ય પ્રવાહમાં ચાર લાખ વિદ્યાર્થીઓએ નોંધાયા હતા. જેમનાં ભવિષ્યનો નિર્ણય આજે થવાનો છે. સૌથી વધુ 100% પરિણામ ધરાવતું કેન્દ્ર સુરતનું નાનપુર બ્લાઈન્ડ અને મહિસાગરનું લુણાવાડા કેન્દ્ર 11.74% સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છે. આ સાથે આહવા ડાંગ જિલ્લો 77.32% સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો છે. તો છોટાઉદેપુર 31.54% સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો જાહેર થયો છે.

આ વર્ષે કુલ 206 શાળાઓનું 100 ટકા પરિણામ જાહેર થયું છે. તો 76 શાળાઓનું 10% કરતાં ઓછું પરિણામ નોંધાયું છે. પરિણામ મુજબ 451 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, 8245 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ, 30306 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ અને 63241 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. આ સાથે અંગ્રેજી માધ્યમની ટકાવારી 73.77% અને ગુજરાતી માધ્યમની ટકાવારી 54.03% જાહેર થઇ છે.

May 29, 2018
Hridaya_Kunj.jpg
1min12990

મુલાકાતીઓ સખણા રહેતા નથી એટલે ગાંધી બાપૂના રૂમને તાળુ મારી દેવાયું

સંચાલકનું કહેવું છે કે મુલાકાતીઓ બાપુનાં ગાદી-તકિયા પર બેસી જાય છે અને ચરખા સાથે પણ અડપલાં કરે છે એટલે તેમની કોઈ વસ્તુને નુકસાન ન થાય એ માટે અમે રૂમ બંધ કરી છે

 

આશ્રમમાં હૃદયકુંજમાં ગાંધીજી ૧૯૧૮થી ૧૯૩૦ સુધી રહ્યા હતા. અહીં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નેતાઓ ગાંધીજીને મળવા આવતા હતા. આ ગાળામાં મોહનદાસ ગાંધીને લોકોએ મહાત્મા ગાંધી તરીકે ઓળખ્યા હતા. ગાંધીજી દાંડીકૂચ વખતે પ્રતિજ્ઞા લઈને નીકળ્યા હતા કે સ્વરાજ મેળવ્યા વિના આ આશ્રમમાં પાછો નહીં આવું. હૃદયકુંજમાં ઐતિહાસિક નિર્ણયો પણ લેવાતા હતા. આ હ્રદયકુંજ નામના ગાંધી બાપૂના રૂમને આખરે તાળુ મારી દેવાયું છે. મુલાકાતીઓની અવળચંડાઇને કારણે આવું કરવું પડ્યું છે. ગાંધીબાપુના આ ખંડમાં બાપુની ગાદી, ચરખો, નાનું ટેબલ તેમ જ ડેસ્ક સાચવી રાખ્યાં છે. આ રૂમમાં કેટલાક સહેલાણીઓ બાપુની ગાદી, ચરખો, ડેસ્કને દૂરથી જોવાને બદલે ગાદીમાં બેસી જતા હોવાની અને ચરખો ફેરવતા હોવાની જાણ સત્તાવાળાઓને થતાં બાપુની વસ્તુઓને નુકસાન ન થાય એ માટે સુરક્ષાનાં કારણોસર રૂમની બહાર લૉક મારવુ પડ્યું છે.

આશ્રમ અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમમાં ગાંધીબાપુની રૂમની અંદરની ચીજોને મુલાકાતીઓ નુકસાન ન પહોંડાજે એ આશયથી રૂમને તાળું મારી દેવામાં આવ્યું છે.

હૃદયકુંજમાં અલગથી ગાંધીખંડ તરીકે ઓળખાતી રૂમને આશ્રમના સત્તાવાળાઓએ તાળું મારતાં આશ્રમની મુલાકાતે આવતા સહેલાણીઓએ બહારથી જ ગાંધીખંડને જોઈને આગળ જવું પડે છે. પહેલાં આ રૂમ ખુલ્લી રાખવામાં આવતી હતી.

સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટના ડિરેક્ટર અતુલ પંડ્યાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોઈ છૂટછાટ ન લે, અનઍડ્વાન્ટેજ ન ઉઠાવે અને નુકસાન ન થાય તેથી આમ કરવું પડ્યું છે. લોકો ગાંધીખંડમાં આવેલી લાકડાની રેલિંગ કૂદી અંદર જઈને ગાદીમાં બેસી જાય છે. આશ્રમ બને એટલો ખુલ્લો રાખ્યો છે અને ‘ડૂ નૉટ ટચ’ જેવું રાખ્યું નથી, કેમ કે અહીં આવતી વ્યક્તિને બાપુની ફીલિંગ આવવી જોઈએ; પણ કોઈ ખોટી છૂટછાટ લે અને નુકસાન થાય એવું ન ચલાવી લેવાય.’

May 26, 2018
G.k._general_hospital-1280x960.jpg
1min13040

વડા પ્રધાન રાહત ભંડાળમાંથી રૂ.150 કરોડના ખર્ચે બનેલી અદાણી જી. કે. હૉસ્પિટલ હંમેશાં ચર્ચામાં રહી છે. જયારથી અદાણીને સંચાલન સોંપાયુ ત્યાર પછી બેદરકારીના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહ્યા છે ત્યારે હવે હૉસ્પિટલમાં ઉપરાઉપરી થઇ રહેલા બાળકોના મોતને લઇને હૉસ્પિટલ સામે ગંભીર આરોપો થઇ રહ્યા છે. 22 તારીખે એક બાળકના મોત બાદ આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

23 મી તારીખે આ મુદ્દે વાલીઓ સાથે બાળકોના મોત મામલે વિરોધ પ્રદર્શિત કરી આક્ષેપ કરાયો હતો કે 20 દિવસમાં 26 બાળકોના મોત થયા છે. આ અંગે અદાણીના સંચાલકો સામે વિરોધ નોંધાવી તપાસની માગ સાથે જાગૃતોએ મામલો ગંભીર હોવાનુ જણાવ્યુ હતુ. જો કે, હૉસ્પિટલ સત્તાધીશોએ આક્ષેપો ફગાવવા સાથે બાળકોનો મૃત્યુદર ઘટ્યો હોવાનો ખુલાસો કર્યો હતો, પરંતુ આ મામલાએ વિવાદ પકડતાં હવે જિલ્લા કલેકટર રેમ્યા મોહને તપાસ અહેવાલ મંગાવવા સાથે સંપૂર્ણ ઘટનાની માહિતી સંચાલકો પાસેથી મેળવવાના આદેશ કર્યા છે. તેની સંપૂર્ણ ચકાસણી બાદ કલેકટર આ મુદ્દે કોઇ કાર્યવાહી કરી શકે છે. આ આક્ષેપોને પગલે ગાંધીનગરથી આરોગ્ય વિભાગની એક ટીમ કચ્છ મોકલવાનું નક્કી કર્યું છે. એક તરફ કચ્છમાં પ્રાથમિક આરોગ્ય સુવિધાનો અભાવ છે. તેવામાં સ્વાભાવિક છે. કે લોકોને અપેક્ષા હોય કે જિલ્લાની મુખ્ય સરકારી હૉસ્પિટલ તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થાય, પરંતુ સરકારે જે ઉદ્દેશ સાથે અદાણી ગ્રુપને સંચાલન સોંપ્યુ હતુ તેમાં અદાણી ગ્રુપ ઊણું ઉતર્યું હોવાના પણ આક્ષેપો કૉંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. દરમિયાન છેલ્લા પાંચ મહિનામાં અદાણી જી. કે. હૉસ્પિટલમાં 111 બાળકોના મોત થયા હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે.

May 26, 2018
dabhoi-1.jpg
1min13080

ગુજરાતના કેવડીયા ખાતે આકાર લઇ રહેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સરદાર વલ્ લભભાઇ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટિ સુધી હવે વડોદરાથી રાજપીપળા સુધી ઝડપી ટ્રેન દોડાવવા માટેની કવાયત શરૂ થઇ ગઇ છે. જેના ભાગરૂપે વડોદરા જિલ્લાના ડભોઇ નગરને એશિયાખંડના પ્રથમ નંબરના નેરોગેજ જંક્શનનું બિરુદની ભેટ આપનાર નેરોગેજ હવે તારીખ 25મી મેથી એક ભૂતકાળ બની ગઇ છે.

હાલ ડભોઇ-કરજણ-ચાંદોદ અને ડભોઇ-ચાંદોદ વચ્ચે દોડતી બાપુ ગાડી રેલવે તંત્ર દ્વારા ગેજ પરિવર્તન કરવાની કામગીરી હાથ ધરવામાં આવનારી હોય યાત્રાધામ ચાંદોદની ટ્રેનનો રૂટ બંધ કરી દેવામાં આવ્યો છે. આમ રજવાડી શાશનથી આ રૂટ પર દોડતી આ બાપુગાડીની 139 વર્ષની આપેલી સેવા બાદ 25-5- 2018 થી ડભોઇમાંથી ગાયબ થઇ જવા પામ્યો છે.

1819માં એપ્રિલ મહિનાથી ગાયકવાડી સાશનમાં ડભોઇ-ચાંદોદનો આ નેરાગેજ ટ્રેક ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આજે આ ટ્રેકને પૂરા 139 વર્ષ થઇ ગયાં છે, ત્યારે વિકાસની દોડ દોડતા આ ગુજરાતમાં નર્મદા ડેમ ખાતે આકાર લઇ રહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ ને લઇ ને ડભોઇ પંથકમાં દોડતી બાપુગાડીઓમાં પણ પરિવર્તનનો પવન ફુંકાવવા માંડયો છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આ રૂટને નેરોગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરિત કરી રાજપીપળા સુધી લંબાવવાની પણ કામગીરી હાથ ધરવાના શ્રી ગણેશ થઇ ગયાં છે. આવા સંજોગોમાં રેલવે દ્વારા લેવામાં આવેલાં નિર્ણય મુજબ ટ્રેન નંબર 52019/52020 મિયાગામ કરજણ-ચાંદોદ પેસેન્જરને ડભોઇ ચાંદોદ વચ્ચે આંશિકરૂપે રદ કરવામાં આવશે. જે મિયાગામ કરજણ ડભોઇ વચ્ચે જ હાલ ચાલશે. જ્યારે ટ્રેન નંબર 52025/52026 ડભોઇ-ચાંદોદ પેસેન્જર સંપૂર્ણપણે 25મીમેના રોજથી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે થઇ ગયા બાદ ગણતરીની મિનિટોમાં ડભોઇથી ચાંદોદનું અંતર તો કપાઇ જશે સાથોસાથ જો રાજપીપળા સુધીની પણ કામગીરી હાથ ધરવામાં આવનાર હોય રેલવે ટ્રેકના કિલોમીટર મુજબ રાજપીપળા ડભોઇ વચ્ચેનું પણ અંતર ઘટશે.

વર્તમાન સુધીમાં ચાર પ્રકારથી ગાડીઓ દોડતી રહી જેમાં 1863 માં એન્જિનની જગ્યાએ બળદો દ્વારા ગાડીઓ ખેંચાતી હતી ત્યાર બાદ સ્ટીમ એન્જિન આવ્યા જે કોલસા અને પાણીથી દોડતાં હતાં કોલસાની તંગીને પહોંચી વળવા મીની ડીઝલ એન્જિનો આવ્યા અને હવે બ્રોડગેજ થતાં મોટા ડીઝલ અને વીજળીના એન્જિનોનાં સથવારે ટ્રેનો દોડતી રહેશે. ભૂતકાળથી વર્તમાન સુધીમાં ચાર પ્રકારથી ગાડીઓ પરિવર્તનનાં પવન સાથે દોડતી રહી.