CIA ALERT

ગુજરાત Archives - Page 154 of 158 - CIA Live

June 23, 2018
rain.jpeg
1min15520

તા.23 જુન, 2018

આજે ભીમ અગિયારસના પવિત્ર દિવસે સુરત સમેત દક્ષિણ ગુજરાતમાં વરસાદના વધામણા થયા છે. આજના શુકનવંતા દિવસે સવારથી જ વરસાદી માહોલ સર્જાતા શોખીન સુરતીઓ માટે મજાનું વીકએન્ડ સેટ થઇ ચૂક્યું છે. વરસાદી વીકએન્ડ માટે જાણે સુરતીઓ તૈયાર થઈ ચૂક્યા છે. શહેરમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને સવારે સાડા નવ વાગ્યાથી છુટા છવાયા ઝાપટા પડ્યા બાદ બપોરે એક વાગ્યે સૂસવાટાભેર પવન સાથે ઝરમરીયો વરસાદ શરૂ થયો હતો.

સવારે 10 વાગ્યાના અરસામાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં મૂશળધાર વરસાદનું ઝાપટું આવતા જ સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. બપોર પડતા સુધીમાં સમગ્ર શહેરમાં કાળા ડીબાંગ વાદળો છવાય જવા પામ્યા હતા.

દક્ષિણ ગુજરાતમાં સાપુતારા, ડાંગ વિસ્તારમાં મૉન્સૂન સિસ્ટમ ઍક્ટિવ થવાની શરૂઆત થયાને હજી માંડ બે દિવસ થયા છે ત્યાં જ આજે વહેલી સવારથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, વ્યારા વગેરે વિસ્તારમાં વાવણીની શરૂઆત થઈ ગઈ છે. સામાન્ય રીતે વાવણી ભીમ-અગિયારસના શુભ દિવસે થતી હોય છે, એ પરંપરાને અનુસારતા આ વખતે આજે ભીમ-અગિયારસ પહેલાં જ અગિયાર દિવસ પહેલાં જ વાવણી શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસું શરૂઆતના પચ્ચીસ દિવસમાં સૌથી સારું રહેતું હોવાથી આ દિવસોમાં વાવણીનો પૂરો લાભ લઈ શકાય એ હેતુથી ગુજરાતમાં ઠેર-ઠેર વાવણી શરૂ કરી દેવામાં આવી છે.

June 22, 2018
rajkot_hubwife.jpg
1min13970

તા.20 જૂન, 2018

ગુજરાતની જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હાલ ભારે રાજકીય ઉથલ-પાથલ થઇ રહી છે. બદલાઇ રહેલી ટર્મને પગલે પદાધિકારીઓની વરણી થઇ રહી છે. રાજકીય ઉથલ-પાથલથી જરા હટકે સમાચારો પૈકી એક રસ પડે તેવા સમાચાર રાજકોટથી મળ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં ખાટરિયા દંપતીનું રાજ સ્થાપિત થયું છે.

તા.20મીએ રાજકોટ જિલ્લા પંચાયતની બેઠક યોજાઇ હતી જેમાં નવી ટર્મ માટે પદાધિકારીઓની વરણીનું કામ હાથ પર લેવાયું હતું. દરમિયાન રાજકોટ જિલ્લાપંચાયતની કારોબારી સમિતિના ચૅરમૅન અર્જુન ખાટરિયાનાં ધર્મપત્ની અલ્પા ખાટરિયાની વરણી  જિલ્લા પંચાયતનાં પ્રમુખ તરીકે કરવામાં આવી હતી. આમ, રાજકોટ જિલ્લા પંચાયતનો કારોબાર ખાટરિયા દંપતિના હાથમાં સોંપવામાં આવ્યો છે.

પતિ અને પત્ની બન્ને રાજકોટ જિલ્લા પંચાયતમાં ચાવીરૂપ હોદ્દાઓ પર બિરાજતા કોંગ્રેસના સભ્યોએ પતિ અર્જુનભાઈ ખાટરીયાની બરાબર ફિરકી ઉતારી હતી. મસ્તી મજાકની છોળો વચ્ચે કારોબારી સમિતિના ચેરમેન અર્જુન ખાટરિયાને પોતાની પત્ની અલ્પા ખાટરિયા કે જેઓ પ્રમુખ તરીકે વરાતાં તેમન ‘મૅડમ’નું સંબોધન કરવાની ફરજ પાડી હતી. અર્જુનભાઈએ હસતાં-હસતાં કહ્યું પણ હતું કે ‘ઘરમાં તેનું ચાલે છે, હવે અહીં પંચાયતમાં પણ તેનું ચાલશે. મારો તો બેઉ બાજુથી બરાબરનો મરો થવાનો છે.’

 

June 22, 2018
liquor.jpg
1min13470

તા.22 જૂન 2018

ગુજરાતમાં એક તરફ દમણ અને રાજસ્થાન તરફથી આવતા દારૂને રોકી નહીં શકતા નશાબંધી વિભાગે દારૂની સત્તાવાર પરમીટ ધરાવતા લોકો પર ભીંસ વધારવા માંડી છે. દારૂની નવી પરમિટ આપવાની તો બંધ કરી દેવાઇ છે તો બીજી તરફ તાજેતરમાં નિવૃત અને પૂર્વ સૈનિકોને આઝાદીના સમયથી મળતી દારૂની પરમિટ પર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂકી દેતા હવે નિવૃત સૈનિકો પણ કચવાય રહ્યા છે.

ગુજરાતમાં વસતા નિવૃત સૈનિકોને આઝાદી પહેલાથી જ દારૂની પરમીટ આપવામાં આવે છે. નિવૃત સૈનિકોએ બજારમાંથી દારૂ ખરીદવાનો હોતો નથી. તેમને સૈનિકોની કેન્ટીનમાંથી જ દારૂની ખરીદી કરવાની હોય છે. દારૂની પરમિટને કારણે જ દારુનું સ્મગલિંગ થઇ રહ્યું હોવાનું માનતા અધિકારીઓના ઇશારે રાજ્ય સરકારે નિવૃત સૈનિકોને આ પ્રકારે દારૂ ની પરમીટ ગત માર્ચ 2018થી જ રદ કરી દીધી છે.

સરકારની નશાબંધી નીતિના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાતમાં વસતા નિવૃત સૈનિકોમાં પડ્યા છે. નિવૃત સૈનિક સંગઠનોનું કહેવું છે કે રાજ્ય સરકાર દ્વારા નવી નશાબંધીની જાહેરાત થાય તે પહેલા જ નિવૃત સૈનિકોની દારૂની પરમીટ આશ્ચર્યજનક રીતે બંધ કરી દેવાઇ છે.

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પાસે નિવૃત સૈનિકોએ ધરણા યોજીને સરકારની નીતિનો વિરોધ કર્યો હતો. નિવૃત સૈનિકોએ સરકારની નશાબંધી નીતિની પણ આકરી ટીકા કરી હતી.ગુજરાતમાં નશાબંધી નીતિનો અમલ કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. છતાં પણ સરકાર કઈ કરી શકતી નથી.

પૂર્વ સૈનિકોની દારૂની પરમીટ રદ કરવાનો ગુજરાત સરકારને કોઈ અધિકાર નથી આ કેન્દ્ર સરકારનો વિષય છે. જો રાજ્ય સરકાર દ્વારા પૂર્વ સૈનિકોની દારૂની પરમીટ પુન: શરૂ નહીં કરાય તો તેમના દ્વારા જલદ આંદોલન કરવામાં આવશે, એવું પૂર્વ સૈનિકોએ નિવેદનમાં જણાવ્યું હતું.

June 15, 2018
drug.jpg
1min13110

બે બ્રિટિશ અને એક વિયેટનામના એેમ ત્રણ વિદેશી નાગરિકો સહિત કુલ ૧૦ જણની ધરપકડ

સમગ્ર વિશ્વમાં પથરાયેલા ડ્રગ રેકેટનો ભંડાફોડ કરતા ડીઆરઆઇએ વડોદરા-ગોવા-મહારાષ્ટ્રની જુદી જુદી જગ્યાઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરીને 10 જણાની ધરપકડ તો કરી જ છે સાથે 308 કિલોગ્રામ કેટામાઇનનો જથ્થો પણ કબજે કર્યો છે. અબજો રૂપિયાના આ કાળા કારોબારનો રેલો ગુજરાતના વડોદરા સુધી વિસ્તર્યો છે.

કેટામાઇન ડ્રગ્સના બનાવીને સપ્લાય કરવાના એક ઇન્ટરનૅશનલ રૅકેટનો ભંડાફોડ DRI મુંબઇએ કર્યો છે. ડીઆરઆઇએ કરેલી કાર્યવાહીમાં ગોવા, રાયગડ તેમ જ વડોદરામાં જુદા જુદા સ્થળોએ રેઇડ પાડી મોટા પ્રમાણમાં ડ્રગ જપ્ત કર્યું છે. અધિકારીઓએ બે બ્રિટિશ અને એક વિયેટનામના એેમ ત્રણ વિદેશી નાગરિકો સહિત કુલ ૧૦ જણની ધરપકડ કરી છે. આ રૅકેટને પકડવા માટે અધિકારીઓએ ‘ઑપરેશન વિટામિન’ હાથ ધર્યું હતું અને એમાં ૨૫૦ કિલો કેટામાઇન બનાવવા માટેનું ૨૦૦૦ કિલો રૉ-મટીરિયલ જપ્ત કર્યું છે.

આ ડ્રગની ડીલ હવાલા દ્વારા થતી હતી અને ભારતમાં આ ડ્રગની સપ્લાય માટે સારીએવી ચેઇન બનાવવામાં આવી હતી. અધિકારીઓએ ત્રણ દિવસમાં સિરીઝ પ્રમાણે ગોવા, વડોદરા અને રાયગડમાં રેઇડનું આયોજન કર્યું હતું અને ૩૦૮ કિલો કેટામાઇન જપ્ત કર્યું હતું, જેમાં રહેવાસી અને ઇન્ડસ્ટ્રિયલ સંકુલનો પણ સમાવેશ છે.

June 13, 2018
namo1.jpg
1min15070

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર નિવાસ્થાને બગીચામાં યોગ અને કસરત કરતો વિડીયો શેર કરીને ફિટનેશ ચેલન્જમાં ભાગ તો લીધો જ પરંતુ, કુમારસ્વામીને પણ ચેલેન્જ ફેંકી

તા.13 જૂન 2018, બુધવારની સવારે નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર આ રીતે પોતાનો ફિટનેસ વિડીયો રજૂ કરીને કર્ણાટકના સી.એમ., મોનિકા બત્રા અને 40 વર્ષથી વધુ વય ધરાવતા આઇ.એ.એસ. ઓફિસર્સને નોમિનેટ કર્યા હતા

ઓલલમ્પિક મેડલ વિજેતા અને હાલમાં કેન્દ્ર સરકારના મંત્રી રાજસ્થાનના રાજ્યવર્ધનસિંહે ભારતમાં શરૂ કરેલી ફિટનેસ ચેલેન્જ હવે ખાસ્સી પ્રચલિત બની રહી છે. ભારતીયોને ફિટ એન્ડ ફાઇન રાખવાના આશયથી શરૂ કરાયેલી આ ફિટનેસ ચેલેન્જનો વ્યાપ ત્યારે વધ્યો જ્યારે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિટનેસ ચેલેન્જ સ્વીકારી, ફિટનેસ ચેલેન્જ પૂરા કરતા વિડીયોઝ અને ફોટોગ્રાફ્સ અપલોડ કર્યા અને તેમણે આ મિશન અાગળ વધારતા કર્ણાટકના નવા મુખ્યમંત્રી કુમારસ્વામીને ફિટનેસ ચેલેન્જ ફેંકી છે. પીએમ મોદીએ કુમારસ્વામી ઉપરાંત ટેબલ ટેનિસ પ્લેયર મોનિકા બત્રા અને દેશના એવા તમામ આઈપીએસ અધિકારીઓ જેમની ઉંમર 40 પ્લસ હોય તેમને ફિટનેસ ચેલેન્જ આપી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકીય વિરોધી હોવા છતાં પણ ખેલદિલીની ભાવના વ્યક્ત કરીને કર્ણાટકના મુખ્યમંત્રી બનેલા એચડી કુમારસ્વામીને ફિટનેસ માટે ચેલેન્જ પણ આપી. નરેન્દ્ર મોદીએ બુધવાર, તા.13મી જૂને સોશ્યલ મિડીયા ટ્વિટર પર મોર્નિંગ એક્સરસાઈઝ કરતો તેમજ યોગ કરતો પોતાનો વીડિયો પોસ્ટ છે.

કુમારસ્વામીએ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો

કુમારસ્વામીએ આ ચેલેન્જનો જવાબ આપતું ટ્વીટ કર્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમે મને ફિટનેસ ચેલેન્જ માટે નોમિનેટ કર્યો તે બદલ આભાર. હું સ્વાસ્થ્ય પ્રત્યે ઘણો ચિંતિત છું અને હું માનું છું કે શારીરિક ફિટનેસ જરૂરી છે. યોગા તેમજ ટ્રેડમીલ એ મારા ડેઈલી વર્કઆઉટનો ભાગ છે. પરંતુ હું મારા રાજ્યના સર્વાંગી વિકાસ માટે વધુ ચિંતિત છું અને આ માટે તમારા સહયોગની અપેક્ષા છે.’

 

કોણ કોણ ફિટનેસ ચેલેન્જ સ્વીકારી ચૂક્યું છે

માહિતી અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે શરૂ કરેલી ફિટનેસ ચેલેન્જમાં વિરાટ કોહલી, સાયના નહેવાલ સહિતના સ્પોર્ટ્સ આઈકન્લ ચેલેન્જ સ્વીકારી ચૂક્યા છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ પોતાનો ફિટનેસ વીડિયો શેર કર્યો હતો અને તેણે પીએમ નરેન્દ્ર મોદી તેમજ પૂર્વ ઈન્ડિયન કેપ્ટન એમ એસ ધોનીને ચેલેન્જ આપી હતી.

June 12, 2018
Ravi-Shankar.jpg
1min15410

યોગગુરુ રામદેવને તો ટેલિવિઝન એડમાં જોઇએ જ છીએ હવે શ્રી શ્રી રવિશંકર પણ પોતાની બ્રાન્ડ પ્રોડક્ટની જાહેરાતો પર રૂ.૨૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે

આયુર્વેદ અને હર્બલ પ્રોડક્ટ્સના સેગમેન્ટમાં શ્રી શ્રી રવિશંકરની બ્રાન્ડ શ્રી શ્રી તત્વા સમગ્ર ભારતમાં લગભગ ૧૦૦૦ સ્ટોર્સ ખોલવાનો પ્રારંભિક લક્ષ્યાંક ધરાવે છે

ગત મે માસાંતે પૂરી થયેલી વિશ્વ ક્રિકેટની સૌથી મોટી કોમ્પિટીશન IPLમાં શ્રી શ્રી તત્વાની જુદી જુદી પ્રોડક્ટની જાહેરાતો ટીવી જોવામાં આવી હતી. આ શ્રી શ્રી તત્વા કંપની બીજા કોઇની નહીં પણ શ્રી શ્રી રવિશંકરની છે. ટેલિવિઝન પર જાહેરખબર માટે રૂ.૧૦ કરોડ રૂપિયાના ખર્ચ સાથે FMCG કૅટેગરીમાં મોટા ઍડ્વર્ટાઇઝર્સની યાદીમાં હવે શ્રી શ્રી રવિશંકરની શ્રી શ્રી તત્વ બ્રાન્ડ પણ સામેલ થઇ છે. વાચકોની યાદ હશે જ કે શ્રી બાબા રામદેવ પણ પોતાની પતંજલિ બ્રાન્ડના પ્રમોશન માટે દેશ-દુનિયાના મિડીયામાં કરોડો રૂપિયાની જાહેરખબરો પ્રસારિત કરાવી રહ્યા છે. માર્કેટ સૂત્રો જણાવે છે કે ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં બે બાબાઓ, રવિશંકર અને રામદેવની પ્રોડ્ક્ટનું માર્કેટિંગ વૉર પૂરા વેગથી જોવા મળશે.

શ્રી શ્રી રવિશંકરની શ્રી શ્રી તત્વા માર્કેટિંગમાં FMCG બ્રાન્ડ ગણવામાં આવે છે. સૂત્રોએ આપેલી માહિતી મુજબ શ્રી શ્રી તત્વા જાહેરખબર અને માર્કેટિંગ માટે લગભગ રૂ.૨૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો પ્લાન ધરાવે છે.

આયુર્વેદ અને હર્બલ પ્રોડક્ટ્સના સેગમેન્ટમાં શ્રી શ્રી રવિશંકરની બ્રાન્ડ શ્રી શ્રી તત્વા સમગ્ર ભારતમાં લગભગ ૧૦૦૦ સ્ટોર્સ ખોલવાનો પ્રારંભિક લક્ષ્યાંક ધરાવે છે

શ્રી શ્રી તત્વા તાજેતરમાં કેમ લાઇમલાઇટમાં આવી

શ્રી શ્રી તત્વા ટૂથપેસ્ટ, પર્સનલ કૅર આઇટમ્સ અને ફૂડ-પ્રોડક્ટ્સ જેવી વિશેષ કૅટેગરી પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને IPL-2018 દરમિયાન રૂ.૧૦ કરોડનું બજેટ પ્રોવિઝન પ્રમોશન માટે ફાળવ્યું હતું તેમાંથી ચારેક કરોડ રૂપિયા પર્સનલ કૅર આઇટમ્સની ટીવી-જાહેરાતો માટે, ૩ કરોડ રૂપિયા ટૂથપેસ્ટ માટે અને ૩ કરોડ રૂપિયા ફૂડ-પ્રોડક્ટ્સની જાહેરખબર પર ખર્ચ્યા હતા.

પતંજલિ આયુર્વેદનું વાર્ષિક ટર્નઓવર રૂ.૧૦,૦૦૦ કરોડ કરતાં વધુ છે. પતંજલિના ટર્નઓવરમાં ઝડપી વૃદ્ધિ થવાથી હિન્દુસ્તાન લીવર, પ્રોક્ટર ઍન્ડ ગૅમ્બલ, કોલગેટ પામોલિવ, ફ્યુચર ગ્રુપ અને ડાબર જેવી વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓને આયુર્વેદિક પ્રોડક્ટ્સનો પોર્ટફોલિયો વિસ્તારવાની ફરજ પડી છે.

June 12, 2018
nalin_kotadia.jpg
1min13620

પોલીસ પેપર જોતા કોટડિયા સામે બીન જામીનપાત્ર ગુનો અને ષડયંત્રમાં સામેલ હોવાનું કોર્ટે નોંધ્યું 

સુરતથી આકાર પામેલા અને ગુજરાતભરમાં ફેલાયેલા હજારો કરોડો રૂપિયાના બીટ-કોઇન ખંડણી કેસમાં પોલીસને મચક નહીં આપતા ભાજપના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાનું ધરપકડ વોરંટ સેશન્સ કોર્ટે ઇશ્યૂ કર્યા બાદ પણ તેઓ ઘણાં સમયથી હાજર થતા નથી. પરીણામે ગુજરાત સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચએ ધારીના પૂર્વ ભાજપી ધારાસભ્ય નલિન કોટડિયાને ભાગેડૂ જાહેર કરવા કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી કોર્ટે ગ્રાહ્ય રાખતા હવે સત્તાવાર રીતે કોટડિયાને ભાગેડૂ જાહેર કરવામાં આવ્યા છે.

સીઆઇડી ક્રાઇમે કોટડિયાને સીઆરપીસીની કલમ 82 મુજબ ભાગેડૂ જાહેર કરવા સ્પે. એસીબી કોર્ટમાં અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે,  બિટકોઈન ખંડણી કેસમાં કુલ છ આરોપી પકડાયા છે. શૈલેષ ભટ્ટનું અપહરણ કરી ખંડણી ઉઘરાવવા માટે કાવતરૂં રચાયું હતું. આરોપી કિરીટ પાલડિયા, કેતન પટેલ, જતિન પટેલ અને નલિન કોટડિયા સુરત સર્કિટ હાઉસમાં મળ્યાં હતાં. કાવતરૂં ઘડીને કેતન પટેલે અમરેલી એસ.પી. જગદિશ પટેલ સાથે વાત કરી હતી.

અગાઉ વિવાદાસ્પદ રાજકારણી નલીન કોટડિયા સામે લુકઆઉટ નોટિસ જારી કરી દેશના તમામ એરપોર્ટ પર આ અંગે જાણ કરી દેવામાં આવી છે.

 

June 12, 2018
bhaiyyuji-maharaj.jpg
1min19460
રાષ્ટ્રસંતનું માન મેળવનાર ભૈય્યુજી મહારાજે મધ્યપ્રદેશના ઇન્દૌરમાં પોતાના નિવાસસ્થાને પોતાને જ ગોળી મારીને મોત વહાલું કરી લેતા સમગ્ર ભારતમાં દાવાનળની જેમ સમાચાર વહેતા થયા છે. ભૈય્યુજી મહારાજે કયા કારણોસર મોત વહાલું કર્યું તે કારણો હજી જાણી શકાયા નથી. ભૈય્યજી મહારાજને ગંભીર હાલતમાં ઈન્દૌરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને સારવાર દરમિયાન મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. આ ઘટનાની માહિતી મળતા જ ઇન્દૌરમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો હોસ્પિટલ બહાર જમા થયા છે. તાજેતરમાં જ મધ્યપ્રદેશ સરકારે પાંચ સંતોને રાજ્યમંત્રી તરીકેનો દરજ્જો આપ્યો હતો તેમાં ભૈય્યુજી મહારાજનો પણ સમાવેશ હતો. ભૈય્યુજી મહારાજને એટલા માટે હાઇપ્રોફાઇલ સંત કહેવામાં આવે છે કેમકે નરેન્દ્ર મોદીથી લઇને આરએસએસ પ્રમુખ સમેત ટોચના વીવીઆઇપી તેમની સાથે ઘરોબો ધરાવતા હતા.
નરેન્દ્ર મોદીને પારણા કરાવીને દેશભરમાં પ્રખ્યાત થયા
ભૈય્યુજી મહારાજનું કાર્યક્ષેત્ર સામાન્યતહ મધ્યપ્રદેશ પૂરતું સિમીત હતું પરંતુ, નરેન્દ્ર મોદીએ યોજેલા ધરણા બાદ ભૈય્યુજી મહારાજે નરેન્દ્ર મોદીને પારણા કરાવ્યા હતા, એ ઘટના સમગ્ર ભારત અને વિશ્વભરમાં ભૈય્યુજી મહારાજને ફેમસ કરી દીધા હતા.
સીયારામ કંપની માટે મોડેલિંગ પણ કરી ચૂક્યા છે
હાઇપ્રોફાઇલ સંત ભૈય્યુજી મહારાજની લાઇફસ્ટાઇલને કારણે તેઓ ભારે ચર્ચામાં રહ્યા છે. તેમના ઠાઠમાઠ મિડીયામાં ભારે ચર્ચાસ્પદ રહ્યા છે. તેઓ એક સમયે સીયારામ જેવી કંપની માટે મોડેલિંગ પણ કરી ચૂક્યા છે.
ભૈય્યુજી મહારાજનું મૂળ નામ ઉદય સિંહ શેખાવત છે. તેમનો જન્મ મધ્યપ્રદેશના શુજેલપુરમાં એક કિસાન કુટુંબમાં થયો હતો. તાજેતરમાં જ ભૈય્યજી મહારાજનું નામ તે સમયે ચર્ચામાં આવ્યું હતું,
 
ભૈય્યુજી મહારાજને ભારતના હાઇપ્રોફાઇલ સંત માનવામાં આવે છે. ભાજપના રાષ્ટ્રીય સ્તર પરના નેતાઓ સાથે તેમનો ઘરોબો છે. તાજેતરમાં ભૈય્યુજી મહારાજ સાથે જોડાયેલી બે ખબરો ખૂબ ચર્ચામાં રહી હતી. પહેલી તેમના લગ્ન અને બીજુ તેમના પર હુમલો. ગત વર્ષે એપ્રિલ 2017માં ભૈય્યુજી મહારાજે બીજી લગ્ન કર્યા હતા. તેમણે ગ્વાલિયરની ડૉ.આયુષી સાથે સાત ફેરા લીધા હતા. ભૈય્યુ મહારાજની પ્રથમ પત્ની માધવીનું આશરે એકાદ વર્ષ પહેલા (નવેમ્બર 2015 માં) નિધન થયું હતું. પહેલા લગ્નથી તેમની એક દીકરી કુહુ છે, જે હાલ પુણેમાં અભ્યાસ કરી રહી છે.
ભૈય્યુજી મહારાજ થોડા સમય પહેલા જાહેર જીવનથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી, પરંતુ અચાનક તેમના બીજા લગ્નએ લોકોને ચોંકાવી દીધા હતા.
June 4, 2018
mbbs_1.jpg
2min20980

નીટમાં મિનીમમ કેટલા પર્સન્ટાઇલ જોઇએ

 

 

મેડીકલ, પેરામેડિકલમાં પ્રવેશ કાર્યવાહીની વિગતો

IIT, NIT, IITમાં જોસા www.josaa.nic.in થકી થતી પ્રવેશ કાર્યવાહીનું શિડ્યુલ

રાજ્યમાં આવેલી બી.આર્કિટેક્ચર કોલેજમાં પ્રવેશ કાર્યવાહીની જાહેરાત

 

 

આજરોજ તા.4 જૂન 2018એ સીબીએસઇ દ્વારા નીટ-2018ના પરિણામો જાહેર કરવાની સાથે જ ગુજરાત સરકારે રચેલી મેડીકલ એડમિશન કમિટી દ્વારા રાજ્યમાં આવેલી મેડીકલ, ડેન્ટલ તેમજ પેરામેડિકલ કોલેજોમાં પ્રવેશ કાર્યવાહીની જાહેરાત કરી હતી. સી.આઇ.એ. લાઇવ દ્વારા આ વિગતો વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે.

આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ એન.આર.આઇ. ક્વોટામાં પ્રવેશ મેળવવા ઇચ્છે છે તેમના માટે પણ પ્રવેશ કાર્યવાહીની જાહેરાત કરવામાં આવી છે. અહીં પી.ડી.એફ. ફોર્મેટ લિંક ક્લીક કરશો એટલે ફાઇલ ઓપન થશે.

mbbs_nri

June 1, 2018
rutu1.jpg
1min17070

એર એશિયાની બેંગ્લોરથી સુરતની પહેલી ફ્લાઇટના કો-પાઇલટ તરીકે રુતુ ગોસ્વામીને ખાસ ડ્યૂટી સોંપવામાં આવી કેમકે એર એશિયાની વિશિષ્ટતા છે કે જે તે શહેરની પહેલી ફ્લાઇટના પાઇલટ તેમજ કેબિન ક્રુ મેમ્બર્સ જે તે શહેરના મૂળ વતની હોય તેવા સ્ટાફને મોકલે છે

આજે એર એશિયા દ્વારા બેંગ્લોર ટુ સુરતની ફ્લાઇટનું પહેલું વિમાન બેંગ્લોરથી સુરત આવ્યું હતું. આ ફ્લાઇટની અનેક વિશેષતાઓ હતી પરંતુ, એક વિશેષતા એ પણ નોંધનીય છે કે આ ફ્લાઇટમાં કો-પાઇલટ તરીકે રુતુ ગોસ્વામી નામનો યુવાન હતો. રુતુ ગોસ્વામી જન્મે સુરતી છે. રુતુ ગોસ્વામીનો જન્મ સુરત થયો અને એ પછી પાંચ વર્ષ સુધી રુતુ ગોસ્વામીનો ઉછેર સુરત થયો હતો.

એર એશિયા કંપનીની ખાસિયત છે કે જે શહેરમાં પહેલી ફ્લાઇટ રવાના કરતી હોય ત્યારે એ ફ્લાઇટમાં જે તે શહેરના વતની હોય તેવા પાઇલટ અગર તો કેબિન ક્રુ મેમ્બરને ખાસ ડ્યૂટી સોંપે છે. આ પરંપરાના ભાગરૂપે રુતુ ગોસ્વામીની પસંદગી કરવામાં આવી હતી.

બેંગ્લોરથી ફ્લાઇટ સુરત આવી પહોંચી ત્યારે વોટરકેનનથી તેનું સ્વાગત કરવામાં આવ્યું અને જ્યારે રુતુ ગોસ્વામીએ ફ્લાઇટ ડ્યૂટી પૂરી કરીને એરપોર્ટ પર આવ્યા ત્યારે સુરતીઓનો આનંદ સાતમે આસમાને હતો. સુરતને નવી ફ્લાઇટ બેંગ્લોરની તો મળી જ પરંતુ, સાથોસાથ તેને પહેલી વખત ઉડાડીને જે પાઇલટ લાવ્યા તે પણ જન્મે સુરતી છે.

રુતુ ગોસ્વામીએ એરપોર્ટ પર સી.આઇ.એ. સંવાદદાતાને જણાવ્યું કે સ્વાભાવિક છે કે જ્યાં જન્મ થયો હોય તે શહેરમાં પહેલી ફ્લાઇટ ફ્લાય કરીને આવવાનો આનંદ સવિશેષ હોય. રુતુ ગોસ્વામીએ કહ્યું કે તેનો પરિવાર મૂળ ભૂજના છે. તેમના પિતાની સુરત ટ્રાન્સફર થઇ ત્યારે પરિવાર સુરત આવ્યો હતો અને એ સમયે જ રુતુ ગોસ્વામીનો જન્મ સુરતમાં થયો હતો. રુતુના જન્મ પછી પાંચ વર્ષ સુધી તેમનો પરિવાર સુરતમાં રહ્યો હતો આમ, સુરતમાં જન્મીને ઉછરેલા રુતુ ગોસ્વામીએ આજે બેંગ્લોરથી સુરતની પહેલી ફ્લાઇટ ઉડાડી એ એક યાદગાર પ્રસંગ બની ગયો હતો. સુરત એરપોર્ટ પર પ્લેન ઉડાડીને આવેલા રુતુ ગોસ્વામીને આવકારવા ખુદ તેનો સમગ્ર પરિવાર પણ એરપોર્ટ પર ઉપસ્થિત હતો.

એરપોર્ટ પર નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ,  શ્રીમતી દર્શનાબેન જરદોષ, ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ શ્રી હેતલ મહેતા, શ્રી કલ્લુભાઇ દેસાઇ તેમજ અન્ય અાગેવાનોએ રુતુ ગોસ્વામીને ફ્લાવર બુકે આપીને શુભેચ્છાઓ પાઠવી હતી.