CIA ALERT
03. May 2024
March 6, 20201min2710

Related Articles



EPFO વ્યાજદર ઘટાડ્યો : 6 કરોડ કર્મચારીને હોળી પહેલાં હૈયાહોળી

Share On :
Print Friendly, PDF & Email

ર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન – એમ્પ્લૉઇસ પ્રૉવિડન્ટ ફંડ ઑર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)એ અંદાજે છ કરોડ નોકરિયાતનો ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦૨૦નો વ્યાજદર ઘટાડીને સાત વર્ષની સૌથી નીચી સપાટીએ ૮.૫ ટકા રાખ્યો હતો.

અગાઉ, ઇપીએફનો ૨૦૧૮-૨૦૧૯નો વ્યાજદર ૮.૬૫ ટકા હતો. એમ્પ્લૉઇસ પ્રૉવિડન્ટ ફંડ ઑર્ગેનાઇઝેશનની નિર્ણય લેતી સર્વોચ્ચ સમિતિ

સૅન્ટ્રલ બૉર્ડ ઑફ ટ્રસ્ટી (સીબીટી)ની બેઠકમાં ચાલુ નાણાકીય વર્ષનો વ્યાજદર ઘટાડવાનો નિર્ણય લેવાયો હતો.

શ્રમ પ્રધાન સંતોષ ગંગવારે અહીં મિટિંગ પછી જણાવ્યું હતું કે સૅન્ટ્રલ બૉર્ડ ઑફ ટ્રસ્ટીની ગુરુવારની બેઠકમાં ચાલુ નાણાકીય વર્ષનો વ્યાજદર ૮.૫ ટકા રાખવાનું નક્કી કરાયું હતું.

તેમણે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષે એમ્પ્લૉઇસ પ્રૉવિડન્ટ ફંડનો વ્યાજદર ૮.૫ ટકાના દરે ચૂકવ્યા બાદ પણ ઇપીએફઓ પાસે રૂપિયા ૭૦૦ કરોડથી વધુની પુરાંત રહેશે.

શ્રમ મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું હતું કે જો એમ્પ્લૉઇસ પ્રૉવિડન્ટ ફંડનું વ્યાજ ચાલુ વર્ષે ૮.૫૫ ટકાના દરે ચૂકવાય તો પણ ઇપીએફઓની પાસે રૂપિયા ૩૦૦ કરોડથી વધુની પુરાંત રહેશે. જો ઇપીએફઓના સભ્યોને ૮.૫૫ ટકાથી વધુના દરે વ્યાજ ચૂકવાય તો ખાધ ઊભી થાત.

અગાઉ, ઇપીએફનો વ્યાજદર ૨૦૧૨-૨૦૧૩માં ૮.૫ ટકા હતો અને તે પછી સાત વર્ષે ફરી તે સ્તરે ઘટાડી દેવાયો છે. એમ્પ્લૉઇસ પ્રૉવિડન્ટ ફંડે ૨૦૧૩-૨૦૧૪માં ૮.૭૫ ટકા વ્યાજ આપ્યું હતું.

પીએફ પર વ્યાજદરમાં ઘટાડો કરવાની ઘોષણા કરાઈ છે. કેન્દ્રના શ્રમમંત્રી સંતોષ ગંગવારે કહ્યું હતું કે, 2019-20ના વર્ષ માટે કર્મચારી ભવિષ્યનિધિ (પ્રોવિડન્ટ ફંડ) પર 8.50 ટકા વ્યાજ મળશે, જે ગત વર્ષે 2018-19માં 8.65 ટકા હતો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :