કેરળમાં ઇટલીથી પરત ફરેલા એક જ ફેમિલીના 5 ને કોરોના, ભારતમાં 39 કેસ
કોરોના વાઇરસ અંગે યુદ્ધના ધોરણે પગલાં લઇ રહેલી ભારત સરકાર અને રાજ્ય સરકારોના પગલાંની બીજી તરફ આજે રવિવાર તા.8મી માર્ચે ભારતમાં કોરોનાના એક સાથે 5 કન્ફર્મ કેસો કેરેલાથી મળી આવતા સર્વત્ર ચકચાર મચી ગઇ છે. ઇટલીથી કેરળ આવેલા એક પરિવારને કોરોનાના લક્ષણો બાદ તેનું ટેસ્ટિંગ કરવામાં આવતા એક જ પરિવારના 5 લોકોને કોરોના કન્ફર્મ થયો હતો.
શનિવાર સુધી કોરોના કેસોની સંભ્યા 34 હત એ રવિવારે સવારે ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 39 થઈ ગઈ છે.
પરિવાર હાલમાં જ ઈટાલીથી પરત ફર્યો હતો જ્યાં મોટી સંખ્યામાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે.
કેરળના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ જણાવ્યું છે કે, પરિવારે એરપોર્ટ પર પોતાની યાત્રા અંગે જાણકારી આપી નહતી જેને કારણે તેમની તપાસ થઈ શકી નહતી. જે પાંચ લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે તેમાં એક બાળક પણ સામેલ છે.
રાજ્યાના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, બાળક અને તેના માતા-પિતા હાલમાં જ ઈટાલી ગયા હતા. ત્યાંથી પરત ફર્યા બાદ તેઓ તેમના કેટલાક સંબંધીઓ સાથે પણ મળ્યા હતા. તેમના સંબંધીઓ પહેલા હોસ્પિટલમાં પહોંચ્યા હતા જેમનામાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા. તેમને હોસ્પિટલમાં અલગ રાખવામાં આવ્યા હતા ત્યારબાદ પીડિત પરિવારને પણ હોસ્પિટલમાં અલગ રાખવામાં આવ્યા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now