CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 131 of 142 - CIA Live

December 26, 2018
shirdiwale_modi.jpeg
1min11680

ભારતમાં જ નહીં બલ્કે સમગ્ર વિશ્વમાં સૌથી વિશાળ ભક્તવર્ગ ધરાવતા શિરડીવાલે સાઇબાબા મંદિરમાં ભક્તજનો માટે ખાસ પ્રસંગો, તહેવારો નિમિત્તે વધુને વધુ લોકો દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થાઓ નિયમિત રીતે ગોઠવાતી હોય છે. આવી જ રીતે આગામી થર્ટી ફર્સ્ટ નાઇટે આખી રાત શિરડી સાઇ મંદિર ભક્તજનો માટે ખુલ્લું રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

SHIRDI SAI BABA SAMADHI

24 કલાક ખુલ્લુ રહેશે શિરડીનું મંદિર

શ્રી સાંઈ સંસ્થાન ટ્રસ્ટ, શિર્ડી તરફથી ૩૧ ડિસેમ્બર અને નવા વર્ષના સ્વાગત માટે શિર્ડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શિર્ડી મહોત્સવ નિમિત્તે લોકોની સંખ્યાને ધ્યાનમાં રાખતાં અને તમામ ભક્તો બાબાના આર્શીવાદ લઈ શકે એ માટે ૩૧ ડિસેમ્બરે આખો દિવસ અને આખી રાત મંદિરનાં દ્વાર ખુલ્લાં રાખવામાં આવશે જેથી ભક્તો બાબાનાં દર્શન કરી શકે.

શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી રૂબલ અગ્રવાલે જણાવ્યું હતું કે ‘૨૦૧૮ની વિદાય અને ૨૦૧૯ના સ્વાગત નિમિત્તે સાંઈબાબાનાં દર્શન માટે શિર્ડીમાં મોટા પ્રમાણમાં ભાવિકો આવશે. જોકે, ૩૧મીએ રાત્રે મંદિર ખુલ્લું રહેશે એટલે પહેલી તારીખે સવારે મળસકે થતી કાકડ આરતી રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ૩૧ ડિસેમ્બર સુધી રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

December 24, 2018
CIA_Live_Logo_New2.jpg
1min6370

ગુજરાત સહિત સમગ્ર દેશની યુનિવર્સિટીઓ અને સાથે જોડાયેલી કૉલેજોમાં છેલ્લા આઠ માસથી અધ્યાપકોની ભરતી પર પ્રતિબંધના કારણે કૉલેજો અને યુનિવર્સિટીઓમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરોએ વડા પ્રધાન અને માનવ સંસાધન મંત્રાલયને પત્ર લખીને ભરતી પરથી પ્રતિબંધ દૂર કરવાની માગણી કરતા જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં પ્રતિબંધ દૂર કરવામાં નહીં આવે તો ઉચ્ચ શિક્ષણમાં અરાજકતાની સ્થિતિ ઊભી થશે.

  • અધ્યાપકોની કુલ સંખ્યાના બદલે વિષય આધારિત ભરતીની સૂચના આપવામાં આવી હતી
  • આ પ્રમાણે ભરતી થાય તો એસ. સી. એસ.ટી.ના ઉમેદવારો સાથે અન્યાય થવાની શક્યતાઓ હતી
  • યુજીસીએ આ નિર્ણય રિફરબેક કરવાના પ્રત્યાઘાત સ્વરૂપે સમૂળગો જ પ્રતિબંધ લાદી દીધો હતો

યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનના સત્તાવાળાઓ દ્વારા 2018-19ના ચાલુ વર્ષમાં અધ્યાપકોની ભરતી માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં અધ્યાપકોની કુલ સંખ્યાના બદલે વિષય આધારિત ભરતીની સૂચના આપવામાં આવી હતી. આ પ્રમાણે ભરતી થાય તો એસ. સી. એસ.ટી.ના ઉમેદવારો સાથે અન્યાય થાય તેવી સ્થિતિના કારણે યુનિવર્સિટીના સેનેટ સભ્યે માનવ સંસાધન પ્રધાન અને એસટી કલ્યાણ વિભાગના ચેરમેનને આ મુદ્દે રજૂઆત કરતા વિભાગ દ્વારા તાકિદે આ પરિપત્ર સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. અને આ નિર્ણયની સાથે દેશભરમાં અધ્યાપકોની ભરતી માટેની પ્રક્રિયા પણ સ્થગિત કરવાનો આદેશ કરાયો હતો. આ નિર્ણયને આઠ માસનો સમય પસાર થઈ ગયો છે પણ અત્યાર સુધી આ મુદ્દે કોઈ નિર્ણય કરવામાં ન આવતા યુનિવર્સિટીમાં અને કૉલેજોમાં શૈક્ષણિક ભરતી થઈ શકતી નથી.

December 23, 2018
ganga.jpg
1min17600

ગંગા નદી જે 39 જગ્યાએથી પસાર થઈ રહી છે તેમાંથી ચોમાસા બાદ માત્ર એક જ જગ્યા એવી છે જ્યાં ગંગાનું પાણી સ્વચ્છ જોવા મળ્યું હતું, એમ સેન્ટ્રલ પૉલ્યુશન કંટ્રોલ બૉર્ડ (સીપીસીબી)એ હાથ ધરેલા અભ્યાસનાં તારણોમાં જણાવવામાં આવ્યું છે.

ગંગા નદી જ્યાંથી પસાર થાય છે તે 41માંથી 37 જગ્યાએ ચોમાસા અગાઉના સમયગાળામાં હળવાંથી લઈને ભયંકર પ્રદૂષણ જોવા મળ્યું હોવાનું બાયોલોજિકલ વૉટર ક્વૉલિટી અસેસમેન્ટ ઑફ રિવર ગંગા (2017-18)ના સીપીસીબી દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

સુપ્રીમ કૉર્ટના આદેશને પગલે સીપીસીબી દ્વારા આ અહેવાલ તૈયાર કરી જાહેર કરવામાં આવ્યો હતો.

ચોમાસા અગાઉના સમયગાળામાં 41માંથી માત્ર ચાર જ જગ્યાએ ગંગા નદીનું પાણી સ્વચ્છ કે આંશિક પ્રદૂષિત હોવાનું જોવાં મળ્યું હતું તો ચોમાસા બાદ 39માંથી માત્ર એક જ જગ્યાએ ગંગાનું પાણી સ્વચ્ચ જોવા મળ્યું હતું.

ચોમાસા અગાઉ અને બાદ લેવામાં આવેલા ગંગા નદીનાં પાણીનાં નમૂનાઓનું પૃથ્થકરણ કર્યા બાદ તેને ગુણવત્તાની અલગ અલગ પાંચ શ્રેણી (સ્વચ્છ, આંશિક પ્રદૂષિત, હળવું પ્રદૂષિત, ભારે પ્રદૂષિત અને ભયંકર પ્રદૂષિત)માં વર્ગીકૃત કરવામાં આવ્યું હતું. અહેવાલમાં જણાવ્યાનુસાર ચોમાસા અગાઉ 34 જગ્યાએ ગંગાનું પાણી હળવું પ્રદૂષિત તો ત્રણ જગ્યાએ ભયંકર પ્રદૂષિત હોવાનું જણાઈ આવ્યું હતું.

ઉત્તર પ્રદેશની બે ઉપનદી (પાન્ડુ અને વરુણા)ઓ ગંગા નદીમાં પ્રદૂષણ વધારી રહી હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

જોકે ગંગા નદીનો મુખ્ય પ્રવાહ જ્યાંથી પસાર થાય ત્યાં કોઇ પણ જગ્યાએ ભયંકર પ્રદૂષણ જોવા નહોતું મળ્યું.

મોટાભાગનાં સ્થળોએ હળવું પ્રદૂષણ જોવા મળ્યું હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

December 22, 2018
governement_spying.jpg
1min5790

 

  • ટૅલિગ્રાફ ઍક્ટ અને 2000ના માહિતી તંત્રજ્ઞાન ધારામાં પૂરતી સલામતી રાખવા આવી જોગવાઇ કરાઇ
  • ઇન્ટરનૅટ સર્વિસ પ્રૉવાઇડર્સ (આઇએસપી), ટૅલિકમ્પ્યુનિકૅશન્સ સર્વિસ પ્રૉવાઇડર્સ (ટીએસપી), વચેટિયા (ઇન્ટરમિડિયરીઝ)ને હાલના નિયમની સ્પષ્ટ જાણકારી આપવા આ જાહેરનામું બહાર પડાયું
  • 10 કેન્દ્રીય તપાસ ઍજન્સી માહિતી તંત્રજ્ઞાન ધારા હેઠળ કમ્પ્યુટરોમાંની માહિતી પર નજર રાખી શકશે
  • કેન્દ્રીય તપાસ ઍજન્સીઓ 2000ના માહિતી તંત્રજ્ઞાન ધારાની કલમ 69 હેઠળ કોઇપણ કમ્પ્યુટરમાં સચવાયેલી, તૈયાર કરાયેલી અને મોકલાયેલી માહિતીને આંતરી શકશે, તેના પર નજર રાખી શકશે અને તેની સાંકેતિક માહિતી ઉકેલી શકશે

સરકારે 10 કેન્દ્રીય તપાસ ઍજન્સીને કોઇપણ કમ્પ્યુટરમાંની માહિતીને આંતરવાની, તેના પર નજર રાખવાની અને તેની સાંકેતિક ભાષા ઉકેલવાની સત્તા આપતો આદેશ શુક્રવારે બહાર પાડ્યો હતો અને દાવો કર્યો હતો કે આ સત્તાનો ગેરકાયદે ઉપયોગ રોકવા આમ કરાયું છે તેમ જ માહિતી તંત્રજ્ઞાન (આઇટી) ધારા અને ટૅલિગ્રાફ ઍક્ટમાં સંબંધિત જોગવાઇ છે. કેન્દ્રના ગૃહ મંત્રાલયે

નિવેદનમાં જણાવ્યું હતું કે 20મી ડિસેમ્બર 2018ની રાત્રે બહાર પડાયેલા નવા આદેશમાં કોઇ સલામતી કે તપાસ ઍજન્સીને નવી સત્તા નથી અપાઇ. આમ છતાં, વિપક્ષો સરકારના આ પગલાંના વિરોધમાં એકત્ર થયા છે અને તેને જનતાના મૂળભૂત અધિકાર અને ગુપ્તતા ધારાનો ભંગ ગણાવ્યો હતો.

સરકારે બહાર પાડેલા આદેશ મુજબ 10 કેન્દ્રીય તપાસ ઍજન્સી માહિતી તંત્રજ્ઞાન ધારા હેઠળ કમ્પ્યુટરોમાંની માહિતી પર નજર રાખી શકશે. આદેશમાં જણાવાયું હતું કે કેન્દ્રીય તપાસ ઍજન્સીઓ 2000ના માહિતી તંત્રજ્ઞાન ધારાની કલમ 69 હેઠળ કોઇપણ કમ્પ્યુટરમાં સચવાયેલી, તૈયાર કરાયેલી અને મોકલાયેલી માહિતીને આંતરી શકશે, તેના પર નજર રાખી શકશે અને તેની સાંકેતિક માહિતી ઉકેલી શકશે.

ગૃહ મંત્રાલયે ખુલાસો કર્યો હતો કે ટૅલિગ્રાફ ઍક્ટ અને 2000ના માહિતી તંત્રજ્ઞાન ધારામાં પૂરતી સલામતી રાખવા આવી જોગવાઇ કરાઇ છે.

તેણે જણાવ્યું હતું કે કમ્પ્યુટરમાંની માહિતીને આંતરવાના, તેના પર નજર રાખવાના અને તેની સાંકેતિક માહિતી ઉકેલવાના દરેક કૅસમાં કેન્દ્રના ગૃહ સચિવની કે રાજ્ય સરકારની પરવાનગી લેવાની જરૂર રહેશે.

માહિતી તંત્રજ્ઞાન (માહિતી આંતરવી, નજર રાખવી અને સાંકેતિક માહિતી ઉકેલવી) કાયદા, 2009ની કલમ 4 અને ટૅલિગ્રાફ ઍક્ટની જોગવાઇ મુજબ તપાસ ઍજન્સીઓને આ સત્તા અપાઇ હોવાનો સરકાર દાવો કરે છે.

સરકારે જણાવ્યું હતું કે ઇન્ટરનૅટ સર્વિસ પ્રૉવાઇડર્સ (આઇએસપી), ટૅલિકમ્પ્યુનિકૅશન્સ સર્વિસ પ્રૉવાઇડર્સ (ટીએસપી), વચેટિયા (ઇન્ટરમિડિયરીઝ)ને હાલના નિયમની સ્પષ્ટ જાણકારી આપવા આ જાહેરનામું બહાર પડાયું છે. રાજ્ય સરકારોના સંબંધિત વિભાગોને પણ 2009ના માહિતી તંત્રજ્ઞાન ધારા હેઠળ આ સત્તા અપાઇ જ છે.

માહિતી તંત્રજ્ઞાન (માહિતી આંતરવી, નજર રાખવી અને સાંકેતિક માહિતી ઉકેલવી) કાયદા, 2009ની કલમ 22માંની જોગવાઇ મુજબ માહિતી આંતરવાના, નજર રાખવાના કે સાંકેતિક માહિતી ઉકેલવાના બધા કૅસ કૅબિનેટ સચિવની અધ્યક્ષતા હેઠળની સમીક્ષા સમિતિ સમક્ષ રજૂ કરવા જરૂરી છે. આ સમિતિની બેઠક દર બે મહિને ઓછામાં ઓછી એક વખત મળવી જોઇએ. રાજ્ય સરકારોના કિસ્સામાં આવા કૅસની સમીક્ષા સંબંધિત મુખ્ય સચિવના નેતૃત્વ હેઠળની સમિતિ કરશે.

ઇન્ટૅલિજન્સ બ્યુરૉ, નાકૉર્ટિક્સ ક્ધટ્રૉલ બ્યુરૉ, એન્ફૉર્સમેન્ટ ડિરૅક્ટરેટ, (આવકવેરા વિભાગ માટે) સૅન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરૅક્ટ ટૅક્સીસ, ડિરૅક્ટરૅટ ઑફ રૅવૅન્યુ ઇન્ટૅલિજન્સ, સૅન્ટ્રલ બ્યુરૉ ઑફ ઇન્વૅસ્ટિગૅશન, નૅશનલ ઇન્વૅસ્ટિગૅશન ઍજન્સી, રિસર્ચ ઍન્ડ ઍનાલિસીસ વિંગ, (જમ્મુ અને કાશ્મીર, ઇશાન ભારત અને આસામના સર્વિસ ઍરિયામાં) ડિરૅક્ટરેટ ઑફ સિગ્નલ ઇન્ટૅલિજન્સ અને દિલ્હી પોલીસ કમિશનર મળીને 10 તપાસ ઍજન્સીને સંબંધિત સત્તા અપાઇ છે.

December 21, 2018
startups.jpg
1min4690

સરકારે જાન્યુઆરીમાં ભારતના ઊભરતા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા સ્ટાર્ટ-અપ ઇન્ડિયા એક્શન પ્લાન લોન્ચ કર્યો હતો. જેનો હેતુ ટેક્સ હોલિડે સહિતનાં પ્રોત્સાહન, ઇન્સ્પેક્ટર રાજ મુક્ત સિસ્ટમ અને કેપિટલ ગેઇન્સ ટેક્સમાંથી મુક્તિ આપવાનો હતો. ઉલ્લેખનીય છે કે, DIPP દ્વારા વિવિધ કેટેગરીમાં રાજ્યોને રેન્કિંગ આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. જેથી પ્રગતિ અને વિકાસનાં જુદાંજુદાં પાસાંમાં રાજ્યો વચ્ચે સ્વસ્થ સ્પર્ધાનો માહોલ ઊભો કરી શકાય. વધુમાં આ સિસ્ટમને કારણે વિવિધ ક્ષેત્રોમાં રાજ્યોની પ્રગતિ પર પણ સતત નજર રાખી શકાય.

નવા ઉદ્યોગસાહસિકો માટે સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ વિકસાવવાની બાબતમાં ગુજરાત નંબર-1 રાજ્ય બન્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રમોશન (DIPP) દ્વારા રાજ્યોને અપાયેલા રેન્કિંગમાં ગુજરાતે આ સિદ્ધિ મેળવી છે. આ કેટેગરીમાં કર્ણાટક, કેરળ, ઓડિશા અને રાજસ્થાને અગ્રણી રાજ્યોની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

DIPP સેક્રેટરી રમેશ અભિષેકે તા.20મી ડિસેમ્બર 2018ના રોજ જણાવ્યું હતું કે, “તમામ રાજ્યો આ કવાયતથી સ્ટાર્ટ-અપ્સની ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.” ઉલ્લેખનીય છે કે, નવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવા સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને વિકસાવવા માટે લેવાયેલાં પગલાંને આધારે રેન્કિંગ આપવામાં આવ્યાં છે.

સમગ્ર પ્રક્રિયામાં 27 રાજ્ય અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશે ભાગ લીધો હતો. રેન્કિંગના માળખામાં ઇન્ટરવેન્શનની સાત કેટેગરી અને 38 એક્શન પોઇન્ટ્સનો સમાવેશ થાય છે. જેમાં પોલિસી સપોર્ટ, ઇન્ક્યુબેશન સેન્ટર્સ, સીડ ફન્ડિંગ, એન્જલ અને વેન્ચર ફન્ડિંગ તેમજ સરળ નિયમોનો સમાવેશ થાય છે.

ગુજરાત આંત્રપ્રિન્યોરલ ઇકોસિસ્ટમના નિર્માણની દિશામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. સરકારના સહયોગ, ઉદ્યોગ સાહસિકોના જુસ્સા, બેસ્ટ કો-વર્કિંગ સ્પેસ, માર્કેટ વગેરે જેવી બાબતોમાં રાજ્ય હંમેશા ટોચના ક્રમે રહ્યું છે. એક વાર ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ સાથે પોતાની સમસ્યા રજૂ કરવાનો પ્રારંભ કરશે તો આપણે આગામી દિવસોમાં વધુ ઇન્ડસ્ટ્રી દ્વારા સ્વિકૃત સ્ટાર્ટ-અપ સોલ્યુશન્સ જોઇ શકીશું.

December 19, 2018
CIA_Live_Logo_New2.jpg
1min5640

વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ વખતે તેઓ ડીજી કોન્સફરન્સમાં હાજરી આપવા માટે 21 ડિસેમ્બરે ગુજરાત જશે. ગુજરાતમાં બીજી વાર ડીજી કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યું છે. કેવડિયા કોલોનીમાં આ કોન્ફરન્સનું આયોજન છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 20, 21, 22 ડિસેમ્બરને દિવસે ડીજી કોન્સફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જે સાધુબેટમાં આવેલા ટેન્ટસિટીમાં યોજાશે. હાલ ત્યાં મીડિયાને જવાથી મનાઈ કરવામાં આવી છે.

ઑલ ઈંડિયા ડીજી કોન્ફરન્સમાં દેશની વિવિધ સુરક્ષા પાંખના 185 ડીજી હાજર રહેશે. રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સમાં વડાપ્રધાનની સાથે કેંદ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહેશે. આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે.

31 ઓક્ટોબરે જ વડાપ્રધાન મોદીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. જેને દોઢ મહિના જેટલો જ સમય થયો ત્યાં ફરીથી મોદી એકતાની આ પ્રતિમાની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનના રોકાણ માટે ખાસ રાજ દરબારી ટેન્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

December 17, 2018
fake-health-website.jpg
2min17960

દેશના દરેક રાજ્યોમાં લાખો લોકોને છેતરનારી કેન્દ્ર સરકારની આરોગ્ય યોજનાઓની સાવ વેબસાઇટ્સ અને મોબાઇલ એપ્સનું આખું લિસ્ટ વાંચો અહીંયા

  • નેશનલ હેલ્થ પ્રોટેક્શન મિશન
  • આયુષ્યમાન ભારત યોજના
  • પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના

ઉપરોક્ત યોજનાઓની સરકારની સત્તાવાર વેબસાઇટ કરતા આ જ નામની બોગસ વેબસાઇટસ પર લાખો લોકો રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે

ભાજપા જેને વિશ્વની સૌથી મોટી વીમા યોજના ગણાવી રહી છે એ આયુષ્યમાન ભારત યોજનાની કેન્દ્ર સરકારની સત્તાવાર વેબસાઇટ પર જેટલા લોકો રજિસ્ટ્રેશન કરાવી શક્તા નથી એનાથી અનેક ગણા લોકો આયુષ્યમાન ભારત યોજનાની બોગસ, સાવ ફેક વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. આશ્ચર્ય પમાડે એવી વાત તો એ પણ છે કે ગુગલ સર્ચ એન્જિન પર પણ કેન્દ્ર સરકારની આરોગ્ય વિષયક અને આવકારદાયક યોજનાઓ સર્ચ કરવામાં આવે ત્યારે ફેક-બોગસ વેબસાઇટ પહેલા આવે છે અને સરકારની સત્તાવાર વેબસાઇટ સાવ પાછળ જોવા મળે છે. દરરોજ હજારો નહીં પણ લાખો યુઝર્સ સરકારની હેલ્થ સર્વિસીસની બોગસ વેબસાઇટ્સનો શિકાર બનતા હોવાની ગંભીર ફરીયાદો દેશના દરેક રાજ્યોમાંથી ઉપસ્થિત થતાં આખરે કેન્દ્ર સરકારે આવી બોગસ વેબસાઇટ્સ તેમજ ફેક મોબાઇલ એપ્લિકેશન્સની ની યાદી જાહેર કરીને તેનાથી દૂર રહેવા સામાન્ય લોકોને હિદાયત આપી છે.

કેન્દ્ર સરકારે મોટા ઉપાડે શરૂ કરેલી આ આરોગ્ય યોજનાઓનો લાભ લેવા માટે લાભાર્થીઓએ ઉપરોક્ત યોજનાઓની સત્તાવાર વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. કેન્દ્ર સરકારની આ યોજનાઓનો ગેરલાભ ઉઠાવતા તત્વોએ બે-પાંચ નહીં પરંતુ 61 જેટલી મોબાઇલ ફોન એપ્લિકેશન્સ, 48 જેટલી ફેક વેબસાઇટ્સ શરૂ કરીને ભારતવાસીઓને છેતરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર પણ કેટલી મજબૂર બની કે કેન્દ્રના આરોગ્ય ખાતાને ખબર છે કે ભારત સરકારની જન આરોગ્ય લક્ષી યોજનાઓનો ગેરલાભ ઉઠાવવા, લાભાર્થીઓને ગેરમાર્ગે દોરવા માટે ઢગલાબંધ વેબસાઇટ્સ, મોબાઇલ એપ્લિકેશન્સ બની છે, કેન્દ્ર સરકારે લોકો જોગ માર્ગદર્શિકા જાહેર કરી છે કે બોગસ વેબસાઇટ્સ કે એપ્સથી દૂર રહેવું. સવાલ એ ઉપસ્થિત થાય છે કે ખુદ કેન્દ્ર સરકારની યોજનાઓનો ગેરકાનૂની રીતે ઉપયોગ કરી રહેલી વેબસાઇટ્સને બંધ કેમ કરાવી શક્તી નથી. જો કેન્દ્ર સરકાર પોર્ન વેબસાઇટ્સ કે જે ભારત બહારથી ઓપરેટ થઇ રહી છે, તેના પર પ્રતિબંધ મૂકી શકતી હોય તો ભારતમાંથી ઓપરેટ થતી અને કેન્દ્ર સરકારની યોજનાઓનો દુરુપયોગ કરી રહેલી વેબસાઇટ્સથી દૂર રહેવાની એડવાઇઝરી લોકો જોગ જારી કરી છે, આ વેબસાઇટ્સને સરકાર કેમ બંધ કરાવી શકતી નથી કે તેના પર પ્રતિબંધ કેમ મૂકી શક્તી નથી એ સવાલ ઉપસ્થિત થાય છે.

કેન્દ્ર સરકારે બોગસ જાહેર કરેલી હેલ્થ વેબસાઇટ્સની સંપૂર્ણ યાદી

 ૉ

 

December 15, 2018
shpoin.jpg
1min8170

દુનિયાનું સૌથી મોટું અને સર્વ સ્વીકૃત સર્ચ એન્જિન ગુગલ કરાવશે હવે તમને શોપિંગ. ગૂગલે ભારતમાં પોતાની ઓનલાઈન શોપિંગ વેબસાઈટ ગૂગલ શોપિંગ લોન્ચ કરી દીધી છે. ગૂગલના ઈ-કોમર્સ સેક્ટરમાં આવતાની સાથે જ તે ભારતમાં પહેલેથી  જ લોકપ્રિય ઓનલાઈન વેબસાઈટ્સ ફ્લિપકાર્ટ, એમેઝોનને જબરદસ્ત ટક્કર આપશે એવું માનવામાં આવી રહ્યું છે.

આજે દુનિયાભરમાં કોઇપણ પ્રકારની માહિતી મેળવવા માટે ગુગલ કરો એવી છાપ ઉભી થઇ છે. ગુગલ દરેક દેશના દરેક લોકો માટે અત્યંત ઉપયોગી અને લોકપ્રિય બન્યું છે એટલે જ ગુગલના નામથી નવા શોપિંગ સર્ચ એક્સપિરિયન્સને ભારતીય ગ્રાહકો માટે લાવવામાં આવ્યું છે. ગુગલ ઓનલાઇન શોપિંગ દ્વારા ગ્રાહકો સરળતાથી કોઈ પણ પ્રોડક્ટ પર મળી રહેલી ઓફરને શોર્ટલિસ્ટ કરી શકશે અને પોતાના માટે યોગ્ય પ્રોડક્ટ પસંદ કરી શકશે.

ગૂગલ શોપિંગની મદદથી ગ્રાહકો મલ્ટીપલ ઈ-કોમર્સ સાઈટ્સ પર મળી રહેલી બેસ્ટ ઓફર્સને એક સાથે જોઈ શકશે, જેમાં રિટેઇલર્સ પણ સામેલ હશે. ગૂગલ શોપિંગ યૂઝર્સ માટે સરળ અને યૂઝર ફ્રેન્ડલી શોપિંગનો અનુભવ કરાવશે. ગૂગલના આ પ્લેટફોર્મ પર ડેડિકેટેડ સેક્શન્સ જોડવામાં આવ્યા છે. જેમા પ્રાઈઝ ડ્રોપ્સ, ટોપ ડીલ અને ગૂગલની પ્રાઈઝ એક સાથે જોઈ શકાશે.  આ સિવાય મોબાઈલ ફોન, સ્પીકર્સ, વૂમન ક્લોધિંગ, બુક્સ, ઘડિયાળ, હોમ ડેકોર ,પર્સનલ કેર  વગેરે જેવી કેટેગરી જોવા મળશે.

આ પ્લેટફોર્મ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ પાવર્ડ શોપિંગનો અનુભવ મળશે. ગૂગલ લેન્સની મદદથી તમે કોઈપણ વસ્તુને સ્કેન કરીને સર્ચ કરી શકશો અને તે માટે ફોનના કેમેરાનો ઉપયોગ પણ કરી શકાશે. ગૂગલ ખાસ કરીને રિટેલર્સ માટે ઉપયોગી બનશે કેમકે અહીં કોઈ પણ રિટેલર રજીસ્ટર થઈ શકે છે.  આ માટે ગૂગલ મર્ચંટ સેન્ટરનો ઉપયોગ કરવાનો રહેશે. મર્ચંટ સેન્ટર  અંગ્રેજી સિવાય હિન્દી ભાષાને પણ સપોર્ટ કરશે.

December 10, 2018
kannor.jpg
1min8460

તા.9મી ડિસેમ્બર 2018ને રવિવારે ક્ધનુર ઍરપોર્ટનું ઉદ્ઘાટન થતાં કેરળ ચાર આંતરરાષ્ટ્રીય વિમાનીમથકો ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. મુલકી ઉડ્ડયન ખાતાના પ્રધાન સુરેશ પ્રભુ અને મુખ્ય પ્રધાન પિનારયી વિજયને સવારે મત્તાન્નુર શહેર નજીકના ઍરપોર્ટ પર સંયુક્ત રીતે ઍર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટને લીલી ઝંડી બતાવી હતી અને એ સાથે વિમાનીમથક સત્તાવાર રીતે કાર્યરત્ થયું હતું. અબુ ધાબી ગયેલી આ ફ્લાઇટમાં ૧૮૬ મુસાફરો હતા.

રાજ્યના બીજા ત્રણ વિમાનીમથકો થિરુવનન્થપુરમ, કોચી અને કોઝિકોડે ખાતે છે. ક્ધનુરનું ઍરપોર્ટ મલબાર અને ક્ધનુરની સાંસ્કૃતિક પરંપરા ઉપરાંત પાડોશી રાજ્ય કર્ણાટકના કોદાગુની પરંપરાને પણ રજૂ કરે છે. ખાસ કરીને મલબાર અને કથકલી, થેય્યમ, યક્ષગણ સહિતના વિવિધ ભારતીય નૃત્યો દર્શાવતા ભીંત પરના રંગચિત્રો આ ઍરપોર્ટની ખાસિયતો છે.

સુરેશ પ્રભુએ ઉદ્ઘાટન પ્રસંગે પ્રવચનમાં કહ્યું હતું કે ‘આ ઍરપોર્ટની શરૂઆતથી રાજ્યના અને ખાસ કરીને ઉત્તર પ્રાન્તના એકંદર વિકાસ તથા સમૃદ્ધિ માટેનો માર્ગ મોકળો કરવા સમાન કહી શકાય.’

આ ઍરપોર્ટ અખાતના દેશોના બિન-રહીશ કેરલાઇટ્સ (એનઆરકે)ને મદદરૂપ થવા ઉપરાંત પર્યટન ઉદ્યોગને તેમ જ નિકાસને વેગ આપશે અને એને પગલે અનેક રોજગારો ઊભા થશે.

મુખ્ય પ્રધાન પી. વિજયને સુરેશ પ્રભુની પ્રશંસા કરી હતી તેમ જ ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ખાસ ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ‘આ ઍરપોર્ટ બની રહ્યું હતું એ સમયે હું મોદીજીને મળ્યો ત્યારે તેમનો પણ પ્રતિસાદ ખૂબ સકારાત્મક હતો.’

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમેન ચન્ડીને આ ઉદ્ઘાટન પ્રસંગે આમંત્રણ ન અપાતાં કૉન્ગ્રેસની આગેવાનીવાળા વિરોધ પક્ષ યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ)એ આ સમારોહનો બહિષ્કાર કર્યો હતો. ભારતીય જનતા પક્ષે પણ બહિષ્કાર કર્યો હતો.

December 8, 2018
surat.jpg
1min14810

Jayesh Brahmbhatt.

તાજેતરમાં સુરત સમેત ભારતના 17 શહેરોને 2035 સુધીમાં વિશ્વના સૌથી ઝડપી ગતિએ પ્રગતિ પામતા શહેરોની યાદીમાં મૂકવામાં આવ્યા હોવાના સમાચારો ઓક્સફર્ડ યુનિવર્સિટીના કોઇક પ્રોફેસરના મોઢેથી પ્રસરાવવામા આવ્યા. સુરત સમેત જે 17 શહેરોનો ઉલ્લેખ કરાયો છે ત્યાં ઓક્સફર્ડના એ અધ્યાપક કે તેમના સાથીઓએ કોઇપણ પ્રકારનો ફિઝિકલ રિપોર્ટ, રેન્ડમ સર્વે, સેમ્પલ સરવે પણ કર્યો નથી. ફક્ત બેઠા બેઠા, આમથી તેમથી મળતા સમાચારોને આધાર બનાવાયા ઉપરાંત કેટલાક ચોક્કસ લક્ષ્યાંકો પાર પાડવા માટે રિપોર્ટને સ્પ્રેડ કરવામા આવ્યા હોવાનું પ્રથમદર્શી નજરે જ જણાય આવે છે. સુરત કે ભારતના 17 શહેરો જો વિશ્વના ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ હશે કે બનશે તો શું વિશ્વના વિકસિત દેશોના બાદ કરતા બાકીના દેશોના શહેરો કશું કરતા જ નહીં હોય? કોઇ તર્ક કે ટ્રેક રેકોર્ડને આધાર બનાવાયા વગર બે-પાંચ લિટીના સ્ટેટમેન્ટથી સુરત ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સિટી બની જશે?

  • ભવિષ્યમાં તાતા, રિલાયન્સ, મહિન્દ્રા, બજાજ, ગોદરેજ જેવી કંપનીઓ હીરા ઉદ્યોગમાં ઝંપલાવે અને કટ એન્ડ પોલીશના યુનિટ્સ શરૂ કરે એવા સમાચારો મળે ત્યારે આ રિપોર્ટને યાદ કરજો.
  • ભવિષ્યમાં સુરત કે આસપાસના વિસ્તારોમાં બિલ્ડરો નહીં પણ મલ્ટી સ્ટેટ કે મલ્ટી નેશનલ કંપનીઓ 100 ટકા વ્હાઇટ અમાઉન્ટ સાથે ફ્લેટ્સ, મકાન, દુકાન ઓફર કરતા હશે ત્યારે આ રિપોર્ટને યાદ કરજો.
  • ભવિષ્યમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફેબ્રિક નહીં પણ ફેબ્રિક તૈયાર થયા પછી અહીં જ રેડીમેડ ગારમેન્ટનો ઉદ્યોગ ખીલતા જુઓ ત્યારે આ રિપોર્ટને યાદ કરજો.

સુરતની વાત કરીએ તો સુરતના ગુણગાન ગાતા રિપોર્ટસ ઇન્ટરનેશનલ લેવલ પરથી કેમ શરૂ કરવામાં આવ્યા, આ તો ઓક્સફર્ડ યુનિવર્સિટીના અધ્યાપકે શરૂઆત કરી છે, હજુ ભવિષ્યમાં વિશ્વની અનેક સંસ્થાઓ કહેશે, સંભવ છે કે વર્લ્ડ બેંકના કોઇ અધિકારી કોઇ  બીચ પર રજાઓ માણતા સુરતના વિકાસ વિશે ટ્વીટ કરશે, સંભવ છે કે અમેરિકાની કોઇ ફાઇનાન્સિયલ સંસ્થા સુરત વિશે ભવિષ્યમાં એવી આગાહી કરશે કે સુરતનો મૃતપ્રાય રિયાલિટી ઉદ્યોગ ફરીથી ધમધમતો થઇ જશે.

હકીકતમાં સુરતના ત્રણ મોટા ઉદ્યોગ કે જે હવે સ્થગિત મોડમાં આવી ગયા છે એને લિફ્ટ કરવા માટે જરૂરી તાકાત કોઇ વ્યક્તિગત વેપારી કે પારિવારીક પેઢી આપી શકે તેમ નથી. (1) સુરતમાં હીરા ઉદ્યોગ કે જે હાલ પારિવારીક પેઢીઓના હાથમાં છે, સિન્થેટિક ડાયમંડના વિશ્વાસઘાતી વેપાર પછી હવે આ ઉદ્યોગમાં વિશ્વસનીયતા ઉદ્યોગસમૂહો જ લાવી શકે તેમ છે. (2) ટેક્સટાઇલ ઉદ્યોગ ફક્ત ફેબ્રિક બનાવે છે, ફાઇબર ટુ ફેશન એટલે કે એન્ડ યુઝર્સ માટે સુરતનું ફેબ્રિક કામ આવતું નથી. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ફાઇબર ટુ ફેશન અવસ્થામાં આવે તો જ ટેક્સટાઇલ ઉદ્યોગમાં નવું જોમ ઉમેરાય તેમ છે. (3) સુરતના બાંધકામ ઉદ્યોગની માઠી અવસ્થા ત્યારે જ બદલાઇ શકે જ્યારે કોર્પોરેટ્સ સુરતમાં ઝંપલાવે. હકીકતમાં સુરતના જમીનોના ભાવ એટલી હદે ઉંચા થઇ ગયા છે કે હવે જમીનોના સોદા અટકી ગયા છે. સુરતના કેટલાક ઉદ્યોગપતિઓએ એટલા ઉંચા ભાવે મોટી મોટી જમીનો પકડી લીધી છે, એથી વિશેષ ઘણા બિલ્ડરોએ એટલા આડેધડ પ્રોજેક્ટસ તાણી બાંધ્યા છે કે ત્યાં આજે કોઇ લેવાલ નથી. સવા લાખથી વધુ ફ્લેટ્સ, દુકાનો ખાલી હોય એવી સ્થિતિમાં બાંધકામ ઉદ્યોગને બેઠો કરવા માટે હવે ઉધોગ સમૂહની આવશ્યકતા રહેલી છે.

અત્યાર સુધી કોર્પોરેટ્સનો ટ્રેક રેકોર્ડ એવો રહ્યો છે કે તેમને કોઇ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તેઓ ક્યાં તો પોતાનો સરવે કરાવે છે અગર તો આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત લોકો કે સંસ્થાઓએ કરેલા સરવેના આધારે એ દિશા તરફ મીંટ માંડે છે.

ઉંચા ભાવે જમીનો પકડીને બેઠેલા ઉદ્યોગપતિઓ ત્યારે જ બચશે જ્યારે કોર્પોરેટ સેક્ટર સુરતમાં ઝુકાવશે

સુરતના કેટલાક ઉદ્યોગપતિઓએ એટલા ઉંચા દરે જમીનો પકડી લીધી છે કે હવે કોઇ વ્યક્તિગત રીતે કે પારિવારિક પેઢી આટલા ઉંચા ભાવે સુરત કે આસપાસની જમીનો ખરીદી નહીં શકે. આવું ને આવું રહેશે તો વિશ્વ વિખ્યાત બનેલા સુરતના અનેક ઉદ્યોગપતિઓ અબજોપતિના સ્ટેટસ પરથી નીચે ઉતરીને કરોડપતિ પર ઉતરી આવશે. સુરતના રિયાલિટી ઉદ્યોગને વેગ ત્યારે જ મળશે જ્યારે જમીનો વેચાશે અને પ્રોજેક્ટસ શરૂ થશે. હવે ઉંચા ભાવની જમીનો ખરીદી શકે તેવું કોઇ હોય તો એ કોર્પોરેટ સેક્ટરની કંપનીઓ જ છે. સુરતમાં હાલ જમીન મકાનનો ધંધો વ્યક્તિગત કે પારિવારીક અને અનઓર્ગેનાઇઝ્ડ મોડમાં ચાલી આવતો ઉદ્યોગ છે પણ હવે આ ઉદ્યોગને લિફ્ટ કરવો હોય તો મુંબઇ, દિલ્હી, બેંગ્લોર, લખનૌની જેમ મોટી મોટી કોર્પોરેટ કંપનીઓને જ આ ઉદ્યોગમાં નાંખવી પડે અને તેમને જ ઉંચા ભાવની જમીનો પરવડે અગર તો  આ કંપનીઓ જ તોતિંગ ફાઇનાન્સ કરીને પ્રોજેક્ટ કરી શકે. ભવિષ્યમાં સુરત કે આસપાસના વિસ્તારોમાં બિલ્ડરો નહીં પણ મલ્ટી સ્ટેટ કે મલ્ટી નેશનલ કંપનીઓ 100 ટકા વ્હાઇટ અમાઉન્ટ સાથે ફ્લેટ્સ, મકાન, દુકાન ઓફર કરતા હશે ત્યારે આ રિપોર્ટને યાદ કરજો.

સિન્થેટિક ડાયમંડ માટે બદનામ થયેલા સુરતના હીરા ઉદ્યોગમાં કોર્પોરેટ સેક્ટર પ્રવેશે તો જ શક્ય છે કે ચમક પાછી ફરે

આવી જ સ્થિતિ સુરતના હીરા ઉદ્યોગમાં પણ પ્રવર્તી રહી છે. સિન્થેટિક ડાયમંડના વેપારમાં પોતાનો ચળકાટ ગુમાવી દેનારા ઉદ્યોગપતિઓના પાપે હવે સુરતના હીરા ઉદ્યોગ પર વિશ્વાસ કરનારા ઓછા છે, સુરતના ભોગે અમદાવાદના કારખાનાઓને ભરપૂર કામ મળી રહ્યા છે. દિવાળી પહેલાથી સુરતના હીરા ઉદ્યોગમાં કારીગરોને રજા આપી દેવી પડી હતી. આવી સ્થિતિમાં હવે સુરતના હીરા ઉદ્યોગમાં ત્યારે જ પ્રાણ ફૂંકાય કે જ્યારે કોર્પોરેટ સેક્ટર આ ઉદ્યોગમાં પ્રવેશે. થોડા મહિના અગાઉ જ્યારે રતન ટાટાએ સુરતના એકાદ-બે હીરાના કારખાનાઓની મુલાકાત લીધી ત્યારે એવી વાતો વહેતી થઇ હતી કે હવે તાતા જૂથ અને તેને પગલે દેશના ટોચના ઉધોગસમૂહો હીરા ઉદ્યોગમાં ઝંપલાવશે. બસ આવી ઘડીઓ ત્યારે જ વજૂદમાં પરીણમશે જ્યારે વિશ્વના ખ્યાતનામ લોકોના મોઢેથી સુરતના વિકાસના ગુણગાન ગવાય. ભવિષ્યમાં તાતા, રિલાયન્સ, મહિન્દ્રા, બજાજ, ગોદરેજ જેવી કંપનીઓ હીરા ઉદ્યોગમાં ઝંપલાવે અને કટ એન્ડ પોલીશના યુનિટ્સ શરૂ કરે એવા સમાચારો મળે ત્યારે આ રિપોર્ટને યાદ કરજો.

આંતર રાષ્ટ્રીય સ્તરેથી વખાણો થશે તો જ ભારતના કોર્પોરેટ્સ સુરત ભણી આકર્ષાય 

સુરતના વિકાસના ગુણગાન આંતર રાષ્ટ્રીય સ્તરેથી થાય તો જ સુરતના રિયલ એસ્ટેટમાં ઉંચા ભાવે જમીનો પકડીને બેઠેલા લોકોની જમીનો કે પ્રોજેક્ટસનું ગાડું આગળ ચાલે તેમ છે. એવી જ રીતે હીરા ઉદ્યોગની ચમક કે વિશ્વસનિયતા આંતર રાષ્ટ્રીય સ્તરે પરત ત્યારે જ ફરી શકે કે જ્યારે ભારતના ખ્યાતનામ કોર્પોરેટ્સ ઉદ્યોગ સમૂહો સુરતમાં ઝૂકાવે. કોર્પોરેટ્સને સુરત ભણી આકર્ષવા માટે એક ચોક્કસ કાર્ટેલ રચવામાં આવી છે. આ કાર્ટેલમાં ઘણાં સ્થાનિક ઉદ્યોગપતિઓ પોતાના વિદેશી સંપર્કો મારફતે ઇન્ટરનેશનલ સેલિબ્રિટીઝના મોઢે સુરતના ગુણગાન ગાતા સ્ટેટ્સમેન્ટસ કરાવશે અને ભવિષ્યમાં પણ આપણને એવા ન્યુઝ મળતા રહેશે કે સુરતમાં આમ, સુરતમાં તેમ, સુરતમાં ફલાણું. હકીકતમાં આ બધું ફીલ ગુડ સિવાય કશું નહીં હોય.

સુરતની પોતીકી બાય પ્રોડેક્ટ શું

સુરત પ્રોગ્રેસ ફક્ત વસતિની દ્રષ્ટિએ કરી રહ્યું છે. વસતિને કારણે દરેક ચીજવસ્તુઓની માગ અને સપ્લાય વધ્યા છે. આ બેઝિક પેરામિટર્સ છે. વસતિ વધારો છે એટલે રેલવે ટ્રેનની ફ્રિક્વન્સી તો વધે જ, વસતિ વધારો છે એટલે ફ્લાઇટ્સની આવશ્યકતા તો વધે જ, જીવનજરૂરી ચીજવસ્તુઓથી લઇને બધી જ જરૂરીયાતોના કાઉન્ટર્સ વધતાં સુરતનનો ઇકોનોમિક ગ્રોથ દેખાય રહ્યો છે.

જાણકારોએ સી.આઇ.એ.ને જણાવ્યું કે વિશ્વનું સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સિટી બનવા માટેની સફળ ઓછામાં ઓછી 3 દાયકાઓની હોઇ શકે. હજુ 2050 સુધી એવા કોઇ હાલ-હવાલ નથી જણાતા કે સુરત વિશ્વનું સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સિટી બને.

શું છે સુરતની નબળાઇઓ

  1. સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ છે પણ ફક્ત ફાઇબર ટુ ફેબ્રિક સુધી અહીં ફેબ્રિક્સ બન્યા પછી એન્ડ યુઝર્સ સીધા તેનો ઉપયોગ કરી શકે એવો ફાઇબર ટુ ફેશન ઉદ્યોગ નથી. ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફાઇબર ટુ ફેશન એટલે કે રેડી ટુ વેયર વસ્ત્રો નહી હોવાથી ઉત્પાદનની સાયકલ અધૂરી રહી જાય છે.
  2. સુરતમાં હીરા ઉદ્યોગ છે પણ એ મહદ અંશે જોબ વર્ક અાધારિત છે. એટલે કે કાચા હીરાની આયાત ફક્ત તેના પર કટ અેન્ડ પોલિશની પ્રોસેસ કરવા માટે જ થાય છે. હીરા પર કટ એન્ડ પોલિશની પ્રોસેસ થયા પછી એ ફરી ભારત બહાર મોકલી આપવા પડે છે. સુરતની ઇકોનોમીમાં ટર્ન ઓવર ફક્ત કટ એન્ડ પોલિસની મજૂરી જેટલું જ છે.
  3. સુરતમાં કોઇ એવી પ્રોડક્ટ બનતી નથી કે જે મોનોપોલી આઇટમ હોય અને એવું કોઇ પોટેન્શિયલ નથી કે જેનાથી સુરતમાં બનતી ચીજ વસ્તુઓ ભારત કે વિશ્વના દેશોએ સુરતથી આયાત કરવી પડે.
  4. સુરતના હજીરા વિસ્તારમાં ભારતની દિગ્ગજ કંપનીઓના ફક્ત મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ આવેલા છે. ભારતના આ કોર્પોરેટ્સની હેડ ઓફિસ કે મેઇન ઓફિસ સુરતમાં નથી. રિજિયોનલ કચેરીઓ પણ સુરતની જગ્યાએ અમદાવાદમાં છે, હેડ ઓફિસ કે કોર્પોરેટ ઓફિસ મુંબઇ કે દિલ્હીમાં હોઇ અહીં ઇન્ડસ્ટ્રીયલ ટુરીઝમ પણ બિલકુલ નહીંવત છે.
  5. આંતર રાષ્ટ્રીય સહેલાણીઓની સંખ્યા વધે એવા એકેય પ્રોજેક્ટસ સુરતમાં હજુ સુધી સાકાર કરી શકાયા નથી.
  6. સુરતની એક સાઇડની બોર્ડર પર દરિયા કિનારો હોવા છતાં હજુ સુધી તેને વિકસીત કરી શકાયો નથી. સહેલાણીઓની વાત તો દૂર રહી સુરતના લોકોએ પણ દરીયા કિનારાની મઝા માણવા માટે દક્ષિણ ગુજરાતના દમણ, દેવકા, તિથલ, દાંડી, બોરડી, ઉમરગામ જેવા અન્ય દરિયા કિનારાઓ પર નિર્ભર રહેવું પડી રહ્યું છે.
  7. વીકએન્ડ હોય કે તહેવારો હોય સુરતના લોકોએ ઉજાણી માટે રોડ સાઇડ સ્પોટસનો સહારો ન લેવો પડતો હોત.

આવા મુદ્દાઓ શોધવા કે વિચારવા બેસીએ તો મહાનિબંધ પણ લખાય જાય. કહેવાનું તાત્પર્ય એ છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીના કોઇ અધ્યાપકે કહી ત્યાં બેઠા બેઠા નિવેદન કરી દીધું અને આપણે તેને માનીને ફીલ ગુડ મોડમાં આવી ગયા. કોઇ તર્કસંગત વાત હોય તો ગળે ઉતરે, પણ ફક્ત 15-20 લિટીના આ ન્યુઝને પગલે સુરતમાં જાણે એવો વાયરો ફૂંકાયો કે રાતોરાત વિકાસની ઉથલ-પાથલ મચી જાય. ટૂંકમાં સુરત શહેરની અત્યાર સુધીની આર્થિક પ્રગતિ અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાંથી થતી આવી છે. અનઓર્ગેનાઇઝ્ડનો બહુલ અર્થ એ પણ થાય છે કે સુરતમાં અત્યારપર્યંત અને ઘણું ખરું આજના સંજોગોમાં પણ રોકડીયા આર્થિક વ્યવહારો જ થાય છે. અનઅોર્ગેનાઇઝ્ડ સેક્ટરને હવે ઓર્ગેનાઇઝ્ડ અવસ્થામાં લાવવું પડે અને એ માટે કોર્પોરેટસની જરૂરીયાત વર્તાય રહી છે.