CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 109 of 142 - CIA Live

August 6, 2019
CIA_Live_Logo_New2.jpg
1min18430

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત શહેર જિલ્લા સમેત દક્ષિણ ગુજરાતમાં પાણીના મુખ્યસ્ત્રોત ગણાતા ઉકાઇ ડેમની વાત હાલ ચૌરેને ચૌટે ચર્ચાય રહી છે. નુક્કડ પરની ચર્ચામાં ઉકાઇ ડેમનો ઉલ્લેખ ન થાય તો એ ચોમાસું ન કહેવાય.

અહીં જે વિગતો રજૂ કરી રહ્યા છે એ વાંચ્યા પછી આપની ઉકાઇ ડેમ અને તેના ઉપરવાસમાં પડેલા વરસાદ અંગેની જાણકારી સચોટ બનશે.

આ વખતે વરસાદની પહેલી જ હેલીમાં ઉકાઇ ડેમની સપાટી સડસડાટ વધી ગઇ. ઉકાઇના કેચમેન્ટ એરિયામાં પડેલા વરસાદનું પાણી આવ્યું અને ઉકાઇ ડેમની સપાટી વધી, આ જાણકારી સહજ છે. પણ વધુ ઉંડાણથી જાણવું જોઇએ કે ઉકાઇ ડેમમાં જ્યાં વરસાદ પડવાથી પાણી આવે છે એ ઉપરવાસના કયા વિસ્તારમાં ચાલુ વરસાદી સીઝનમાં કેટલો વરસાદ પડી ચૂક્યો છે, આ માહિતી અહીં રજૂ કરવામાં આવી છે.

25.4 મી.મી. બરાબર 1 ઇંચ વરસાદ

ઉકાઇ ડેમના ઉપરવાસના વિસ્તારમાં ખુદ ઉકાઇ કેન્દ્રનો સમાવેશ થાય છે. ઉકાઇ વિસ્તારમાં જ ચાલુ સીઝનમાં કુલ 1501 મી.મી. વરસાદ પડી ચૂક્યો છે. મતલબ કે ઉકાઇ ડેમ જ્યાં છે એ ઉકાઇ વિસ્તારમાં કુલ 59 ઇંચ જેટલો વરસાદ પહેલી જ વરસાદી હેલીમાં પડી ચૂક્યો છે. એ સિવાય ઉકાઇ ડેમના ઉપરવાસમાં આવતા ચીખલધરામાં 1202.80 મી.મી., ચાંદપુરમાં 1160.80 મી.મી., નારણપુરમાં 1079 મી.મી., અકલકુવામાં 779 મી.મી. અને તલોદામાં 714 મી.મી વરસાદ પડ્યો છે જેનું પાણી ઉકાઇ ડેમમાં આવ્યું છે. આ આંકડા સત્તાવાર રીતે ઉકાઇ ડેમ સ્થિત કેન્ટ્રોલ રૂમ દ્વારા આપવામાં આવ્યા છે.

નીચેના કોષ્ટક પરથી જાણી શકાશે કે ઉકાઇ ડેમના ઉપરવાસ (કેચમેન્ટ એરીયા)માં કયા ક્ષેત્રો આવે છે અને તા.6 ઓગસ્ટ સવારે 8 વાગ્યા સુધીમાં ત્યાં કેટલો વરસાદ પડી ચૂક્યો છે

ઉકાઇ ડેમના કેચમેન્ટ એરીયામાં તા.6 ઓગસ્ટ 2019ની સવારે 8 વાગ્યા સુધીમાં પડેલા વરસાદના સત્તાવાર આંકડા
August 6, 2019
CIA_Live_Logo_New2.jpg
1min12310

તા.6 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવી લીધા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ તા.8મી ઓગસ્ટ 2019ને બપોરે 8 કલાકે રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે. અગાઉ એવા રિપોર્ટસ રજૂ કરાયા હતા કે વડાપ્રધાન શ્રી મોદી 4 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. પરંતુ, છેલ્લી ઘડીએ ફેરફાર કરીને આ સમય રાત્રીના 8 કલાકનો કરવામં આવ્યો છે.

અગાઉ ગઇ તા.27મી માર્ચ 2019ના રોજ વડાપ્રધાને દેશવાસીઓ જોગ સંબોધન કર્યું હતું. એ વખતે લોકસભાની ચૂંટણીની ઘોષણા અને એન્ટી સેટેલાઇટ મિસાઇલ ક્ષેત્રમાં ભારતની ઉપલબ્ધિ સંદર્ભે દેશવાસીઓને માહિતી આપી હતી.

આજના પ્રજાજોગ સંબોધનમાં શ્રી મોદી એવું કહેવાય છે કે કેન્દ્ર સરકારે લીધેલા કાશ્મીર સમેતના નિર્ણયો અંગેની માહિતી આપશે.

નરેન્દ્ર મોદી તમામનો આભાર પણ માની શકે છે અને દેશના વિકાસ માટે રચનાત્મક સહયોગ પણ માગી શકે છે.

August 6, 2019
narmada_dam.jpg
1min6690

ઉપરવાસમાં વરસાદ પડતા નર્મદા ડેમમાં ૧.૧૭ લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી હતી. જેને પગલે નર્મદા ડેમની જળ સપાટીમાં છેલ્લા ૧૦ કલાકમાં ૧૫ સેમીનો વધારો થયો હતો જેથી ડેમની જળ સપાટી ૧૨૬.૧૨ મીટર ઉપર પહોંચી હતી.

સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં અને મધ્યપ્રદેશના વિસ્તારમાં વરસાદ પડતાં પાણીની આવકમાં મોટા પ્રમાણમાં વધારો થયો હતો. જ્યારે નર્મદા કેનાલમાં પાંચ હજાર ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું હતું. હાલ ડેમમાં ૧૭૬૦ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણી છે. જ્યારે નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેમાં જિલ્લાના નાંદોદમાં ૬.૨ ઇંચ, ગરુડેશ્ર્વરમાં ૩.૫ ઇંચ, તિલકવાડામાં ૪.૩ ઇંચ અને સાગબારામાં ૫.૩ ઇંચ પડ્યો હતો.

August 5, 2019
Gandhinagar-Gujarat.jpg
1min5810

રાજ્યના વિજ્ઞાન અને પ્રાદ્યોગિક વિભાગે ૯મી ઓગસ્ટની રાત્રે આઠ કલાક પછી ત્રણ દિવસ માટે ગુજરાત સરકારની તમામ પ્રકારની ઓનલાઈન સેવાઓ, વેબસાઈટ, એપ્લિકેશન, ઈ-મેલ, ઈન્ટરનેટ બંધ કરવા તમામ વિભાગોને આદેશ કર્યો હતો. ગાંધીનગર સ્થિત ડેટા સેન્ટરમાં રિપેરિંગનું કામ શરૂ કરવાનું હોવાથી ૧૨મી ઓગસ્ટની રાત્રે ૧૧-૫૯ મિનિટ સુધી જીસ્વાન નેટવર્ક બેઝડ ડેટા સેન્ટર કનેક્ટેડ તમામ સેવાઓને શટડાઉન કરી દેવાશે. આગામી સપ્તાહમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની સરકારના ત્રણ વર્ષની ઉજવણી માટે મહાત્મા મંદિરમાં કાર્યક્રમનું આયોજન થશે તેના બીજા જ દિવસથી ગુજરાત સરકારની ઓનલાઈન સેવાઓ શટડાઉન થવાની સૂચના પછી આ કાર્યક્રમમાં જેમને સહાય આપવાની છે તેવા લાભાર્થીઓની વિગતો, ખર્ચના બીલોની પ્રક્રિયા- નોંધણી ડેટા સેન્ટર બંધ થાય તે પહેલા પૂર્ણ કરવા કૃષિ, ઊર્જા, શિક્ષણ અને શહેરી વિકાસ વિભાગમાં દોડધામ શરૂ થઈ છે.

જીસ્વાન નેટવર્કમાં ગાંધીનગર સ્થિત ડેટા સેન્ટરથી ગુજરાત સરકારની ૩૦૦થી વધુ વેબસાઈટ અને ૪૦થી વધારે એપ્લિકેશન ઓપરેટ કરવામાં આવે છે. જેના થકી રાજ્યમાં ઓનલાઈન જન્મ- મરણના પ્રમાણપત્ર, મહેસૂલી નોંધ, ખેલમહાકુંભ માટે રજિસ્ટ્રેશન, ભરતી પરીક્ષાઓના ફોર્મ, વાહન હંકારવાનું લાઈસન્સ, ઈ-ટ્રેઝરીથી લઈને શિષ્યવૃતિ સહિતની અનેક યોજનાઓ માટે ૪૦થી વધુ એપ્લિકેશનથી ઓનલાઇન સેવાઓ નાગરિકોને ઉપલબ્ધ કરાવાય છે. જે આગામી સપ્તાહે ગુરુવારની રાતથી રવિવારની મધ્યરાત્રી દરમિયાન બંધ રહેશે એવું મહેસૂલ વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતું.

August 5, 2019
kashmir-news.jpg
1min12860

જમ્મુ અને કાશ્મીરમાં ઊભી થયેલી તંગદિલીને પગલે મહત્ત્વના અને સંવેદનશીલ સ્થળોએ સલામતી વ્યવસ્થા વધારી દેવાઇ છે.

અગાઉ, જમ્મુ અને કાશ્મીરના વહીવટીતંત્રે અમરનાથયાત્રામાં ભાગ લઇ રહેલા લોકોને તેઓની યાત્રા અટકાવીને પાછા ફરવાની સલાહ આપી હતી.

પર્યટકોને પણ સલામતી સામેના જોખમને ધ્યાનમાં રાખીને પાછા જતાં રહેવાની સલાહ અપાઇ હતી.

જમ્મુ એન્ડ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશને ભારતીય ટીમના ઓલ-રાઉન્ડર ઇરફાન પઠાણ સહિત અંદાજે ૧૦૦ ક્રિકેટરને કાશ્મીર છોડી જવાની સૂચના આપી હતી.

આ ઉપરાંત, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને હૉસ્ટેલમાંના વિદ્યાર્થીઓને પણ પરત જવાની સૂચના અપાઇ હતી.

કાશ્મીરના ખીણવિસ્તારમાં ગયા અઠવાડિયે આવી પહોંચેલા વધારાના લશ્કરી દળો ગોઠવાઇ ગયા છે.

ઉનાળા વખતના જમ્મુ અને કાશ્મીરના પાટનગર શ્રીનગરના સીમાડે અને અન્ય મહત્ત્વના રસ્તા પર બેરિકેડ્સ ઊભા કરાયા હતા. સુરક્ષા દળોએ રમખાણ રોકવા માટેના વાહનો પણ તૈયાર રાખ્યા છે.

કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રવિવારે બોલાવેલી બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ, કેન્દ્રના ગૃહસચિવ રાજીવ ગૌબા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ભારતીય લશ્કરે પાકિસ્તાનના સૈન્યના મારા ‘બેટ’ના સાત સૈનિકને શનિવારે હણી નાખ્યા હતા.

જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ એસ. પી. મલિકે જનતાને અફવા પર ધ્યાન નહિ આપવાની સલાહ આપી હતી.

જમ્મુ અને કાશ્મીરમાંથી પર્યટકો, અમરનાથયાત્રીઓ, અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને બીજા લોકો પાછા ફરી રહ્યા હોવાથી અનેક એરવેઝે ભાડાં વધારી દીધા હોવાનો આક્ષેપ કરાય છે. ટેક્સીવાળાઓ દ્વારા પણ પ્રવાસીઓ પાસેથી બેફામ ભાડાં લેવાતા હોવાનું કહેવાય છે.

નેશનલ કોન્ફરન્સની રાજકીય બાબતોને લગતી સમિતિએ રાજ્યમાંની પરિસ્થિતિ અંગે ચર્ચાવિચારણા કરી હતી.

August 5, 2019
Kashmir-situation-2.jpg
1min13900

જમ્મુ અને કાશ્મીરમાં શું થવાનું છે તે અંગે રવિવારે પણ અનિશ્ર્ચિતતા ચાલુ રહી હતી. એક બાજુ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જ્યારે બીજી બાજુ રાજ્યના પ્રાદેશિક પક્ષોએ એક બેઠક યોજીને રાજ્યનો બંધારણમાંનો ખાસ દરજ્જો રદ કરવાની અથવા રાજ્યનું ત્રણ ભાગમાં વિભાજન કરવાની સરકારની સંભવિત હિલચાલનો વિરોધ કરવાનો નિર્ણય લીધો હતો. ભાજપ પ્રમુખ અમિત શાહે સંસદ ભવનમાં સુરક્ષાના મુદ્દા પર બેઠક બોલાવી હતી જેમાં નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજીત ડોભાલ, ગૃહસચિવ રાજીવ ગાબા સહિત કેટલાક ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. બેઠકમાં અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓને અને પ્રવાસીઓને પાછા બોલાવવાના તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સંસદનું સત્ર પૂરું થયા પછી અમિત શાહ જમ્મુ-કાશ્મીર રાજ્યની મુલાકાત લઈ શકે છે. તેવું સ્રોતો દ્વારા જાણવા મળ્યું છે. સરકારને જાસૂસી માહિતી મળી હતી કે પાકિસ્તાન તરફથી ઘૂસણખોરોને ઘૂસાડવાની તૈયારી ચાલી રહી છે. તે સંદર્ભમાં સરકાર તકેદારીના તમામ પગલાં ભરી રહી છે. કાશ્મીરમાંથી અન્ય રાજ્યોના લોકો પોતાના વતન પાછા ફરી શકે તે માટે વિમાની ભાડાઓ પર ટોચમર્યાદા અને ટ્રેન ટિકિટ લઈ જવાનું રહી જાય તો તેમાં થોડી હળવાશ દાખવવાની જેવા પગલાં પણ ભરવામાં આવ્યા છે. સોમવારે સંસદની બેઠક મળશે તેમાં વિપક્ષી નેતાઓ વડા પ્રધાન મોદી નિવેદન કરે તેવી માગ કરી શકે છે તેવું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સોમવારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર અનામત (બીજો સુધારો) ખરડો ૨૦૧૯ રજૂ કરશે. તેવું જાણવા મળ્યું છે. પહેલી જુલાઈએ આ ખરડો લોકસભામાં પસાર થયો હતો. રાજ્યસભામાં આ ખરડો પસાર થશે તો રાજ્યમાં આર્થિક રીતે પછાત વર્ગ (ઈડબ્લ્યુએસ-ઈકોનોમિક બેકવર્ડ ક્લાસોને, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં ૧૦ ટકા અનામત મળશે. 

August 4, 2019
ausi-flood6.jpg
1min5030

ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૩ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૫૨ ટકા વરસાદ વરસ્યો હતો જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૪૨ જળાશયો ૨૫થી ૫૦ ટકા વચ્ચે ભરાયા હતા. જ્યારે ૪ જળાશયો ૧૦૦ ટકા એટલે કે સંપૂર્ણ, ૭ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા તેમજ ૧૫ જળાશયો ૫૦થી ૭૦ ટકા વચ્ચે ભરાયા હતા. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૫૭.૦૮ ટકા ભરાયું હતું તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું હતું.

રાજ્યમાં હાલમાં ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૨૪,૪૩૮, દમણગંગામાં ૧,૬૫,૯૪૫, ઉકાઇમાં ૪૪,૯૩૭, શેત્રુંજીમાં ૧૮,૮૨૮, કરજણમાં ૫,૮૫૦, ઓઝત-વીઅર(વંથલી)માં ૫,૦૪૩, ઓઝત-વીઅરમાં ૩,૯૯૦, કડાણામાં ૧,૭૧૫, ઝુજમાં ૧,૫૬૭, વણાકબોરીમાં ૧,૫૦૦, વેર- ૨માં ૧,૪૫૦, આજી-૨માં ૧,૪૪૯, ઓઝત-૨માં ૧,૨૮૮ અને આજી-૩માં ૧,૧૯૪ ક્યુસેકનો સમાવેશ થાય છે. 

ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૫.૭૮ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૪.૨૮ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૩૫.૮૪ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૮૮ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૧૮.૯૫ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૩૧.૫૭ ટકા એટલે ૧,૭૫,૭૬૯.૮૨ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું હતું.

August 4, 2019
CIA_Live_Logo_New2.jpg
3min10440

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત શહેર જિલ્લાની અંદાજે એક કરોડની વસતિ માટે પીવાના પાણીનો એકમાત્ર સ્ત્રોત ઉકાઇ ડેમમાં પાણીની સપાટી સડસડાટ વધી રહી છે. આજે રવિવારે બપોરે 1 વાગ્યાના અરસામાં ઉકાઇ ડેમની સપાટી વધીને 311.06 ફૂટને પાર કરી ગઇ હોવાની અધિકૃત માહિતી સાંપડી છે. હજુ રૂલ લેવલ 335 ફૂટથી આજની 310 ફૂટની પાણીની સપાટી 25 ફૂટ ઓછી રહી છે. પરંતુ, જે રીતે હાલમાં ઉકાઇ ડેમમાં પાણીનો આવરો થઇ રહ્યો છે તે જોતા આ વખતે ઓગસ્ટ મહિનામાં જ રૂલ લેવલ અને વોટર લેવલ બન્ને સમાંતર પહોંચી જાય તેમ છે.

ડેમમાં પોણાચાર લાખ ક્યુસેક્સ પાણીનો આવરો

તંત્રવાહકો કહે છે કે એ તો ચાલુ ચોમાસાની સીઝન જ દર્શાવશે કે ડેમમાં કેટલું પાણી આવશે અને પાણીની કેટલી સપાટી થશે, હાલ તુરત કોઇ ભયજનક સ્થિતિ નથી.

તા.4 ઓગસ્ટ બપોરે સાડાબાર વાગ્યે ઉકાઇ ડેમમાં પાણીનો આવરો 3 લાખ 88 હજાર ક્યુસેક્સ જેટલો નોંધાયો હતો. ડેમાં જંગી માત્રામાં પાણીનો આવરો થઇ રહ્યો હોઇ ઉકાઇ ડેમમાં પાણીની સપાટી ઝડપભેર વધી રહી છે.

ઉકાઇ ડેમના સત્તાધીશોએ આપેલી સત્તાવાર માહિતી આ મુજબ છે.

Ukai Dam. Dt.04.08.19. Hr: 12.00 hrs.

Rule Level : 335.00 ft.

Present Water Level : 311.06 ft.

Inflow: 387968 cusecs.

G.S. : 2700.89 MCM

Percentage filling: 36.43 %

Increase in qty: 1827.16

MCM (w.r.t to mini storage of this yr)

Hathnur Level: 209.53 mt.

Outflow: 18743.08 Cusecs

ઉકાઇ ડેમમાં હાલ આ વિસ્તારોમાં પડી રહેલા વરસાદનું પાણી આવી રહ્યું છે.

Nandurbar Dist. Rainfall.

(Taluka H.Q.) Dt. 04/08/2019 (Progressive)

Nandurbar – 52 (488)

Navapur – 100 (985)

Taloda – 76 (625)

Akkalkuva – 161 (658)

Shahada – 58 (528)

Akarani – 185 (633)

Total today – 632 mm

Average today – 105.34 (652.83

August 3, 2019
weather-forecast.jpg
1min5750

ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર વરસી રહી છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગે પૂર્વ મધ્ય પ્રદેશમાં લો પ્રેશર નિર્માણ થવાના કારણે આગામી ૪૮ કલાકમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા સહતિ અનેક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. જેને પગલે તંત્ર ઍલર્ટ કરી દેવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં એડીઆરએફ અને પોલીસ તંત્રને સજ્જ કરી દેવામાં આવ્યું છે. રાજ્ય હવામાન વિભાગે આગામી ૪૮ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની કરેલી આગાહીને પગલે સરકારી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે શુક્રવારે પણ ગુજરાતના અનેક તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો જ્યારે અમદાવાદનાં પ્રહલાદનગર, એસજી હાઇવેમાં વરસાદ પડ્યો હતો.

August 3, 2019
spw1.jpg
1min4260
સ્પેનિશ નેવીના યુદ્ધ જહાજ મેન્ડેઝ નુનેજ ગોવામાં આવી પહોંચ્યું ત્યારે ભારતીય નેવી દ્વારા બેન્ડ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્પેનિશ નેવીનું આ જહાજ ત્રણ દિવસની મુલાકાતે આવ્યું છે.