ડેવલપમેન્ટ Archives - Page 108 of 142 - CIA Live

August 14, 2019
abhinandan-vir-chakra.png
1min7400

દર વર્ષે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ કેંદ્ર અને રાજ્ય સરકારો દ્વારા સાહસ, શૌર્ય માટે જુદાજુદા વીરતા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. આવી જ એક જાહેરાતના ભાગરૂપે કેન્દ્ર સરકારે ભારતના નેશનલ હીરો બનેલા વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને વીર ચક્રથી સન્માનિત કરવાની ઘોષણા કરી હતી છે. પુલવામા હુમલા બાદ પીઓકેમાં ત્રાસવાદી છાવણીઓ પર ભારતની એરસ્ટ્રાઇક્સ વખતે  વિંગ કમાન્ડર અભિનંદને એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડ્યું હતું. અને તેમનું પણ વિમાન આ ઘર્ષણમાં તૂટી પડ્યું હતું. તેઓ પાકિસ્તાનમાં યુદ્ધ કૈદી તરીકે ઝડપાઇ ગય હતા. એ સમયે તેમણે એક ભારતીય સૈનિકની શાન વધારતા શૌર્યને પ્રદર્શિત કર્યું હતું.

એર સ્ટ્રાઈક બાદની કાર્યવાહી દરમિયાન પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનને કેદ કરી લીધા હતા, પણ ભારતના કુટનીતિ પ્રયાસો બાદ પાકિસ્તાને તેમને છોડવા માટે વિવશ થવું પડ્યું હતું.

અભિનંદન સિવાય સ્ક્વૉડ્રન લીડર મિન્તી અગ્રવાલને યુદ્ધ સેવા મેડલથી સન્માનિત કરાયા છે. મિન્તને આ પુરસ્કાર બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હવાઈ સંઘર્ષ દરમિયાન આપવામાં આવેલા યોગદાન બદલ આપવામાં આવ્યો છે.

August 13, 2019
Gujarat-Police.jpg
1min4900

ગુજરાતમાં સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતના તહેવારો-ઉત્સવો આવતા હોવાથી પોલીસની જવાબદારીમાં વધારો થયો હતો. કાશ્મીરમાં કલમ-૩૭૦ હટાવ્યા બાદની પરિસ્થિતિને ધ્યાને રાખી તહેવારોમાં સમગ્ર રાજ્યમાં પોલીસને ઍલર્ટ રહેવા આદેશ આપ્યા હતા.

રાજ્યના મુખ્ય સચિવે રાજ્ય પોલીસ વડા, ચાર શહેરના કમિશનર તમામ રેન્જ, જિલ્લા એસપી સહિત કલેકટર અને ડીડીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતા, જેમાં પોલીસને આગામી તહેવારો નિમિતે ઍલર્ટ રહેવા તથા કલેકટર અને ડીડીઓને વરસાદ બાબતે સૂચનો કર્યા હતા.

મુખ્ય સચિવે જિલ્લા પોલીસ વડા, અમદાવાદ-સુરત-રાજકોટ અને વડોદરાના કમિશનર, નવ રેન્જના આઈજી, જિલ્લાના એસપીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. કાશ્મીર મુદ્દે કોઇ જગ્યાએ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે તકેદારી રાખવા સૂચનો કર્યા હતા.

તા.૧૫મી ઑગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન અને જન્માષ્ટમી, સાતમ આઠમ સહિતના તહેવારો અલગ અલગ જગ્યાએ ઉજવણીને લઇને ચર્ચા કરી હતી. પોલીસને સતત ઍલર્ટ રહી ચેકિંગ અને પેટ્રોલિંગ કરવા આદેશ કર્યા હતા.

બહારથી આવતા લોકો તથા હૉટેલોમાં રોકાતા લોકોના ચેકિંગ તેમ જ અમુક ચોક્કસ શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે ઍલર્ટ રહેવા સૂચના આપી હતી. 

August 10, 2019
tapi1-1280x605.jpg
3min7750

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

Ukai Dam. Dt.10.08.19. @ 17.00 hrs.

  • Rule Level : 335.00 ft.
  • Present Water Level : 335.68 ft.
  • Inflow: 4,59,698 cusecs.
  • Outflow: 1,89,735 cusec
  • G.S. : 5824.91 MCM
  • Dam filled: 78.56 %
  • Increase in qty: 4951.17 MCM
  • (w.r.t to mini storage of this yr)
  • Hathnur Level:.209.54mt. 
  • Outflow : 95,368.16 cusecs

Ukai Dam. Dt.10.08.19. @ Hr: 12.00 hrs

  • R.L : 335.00 ft.
  • P.W.L: 334.73 ft.
  • Inflow: 533689 cusecs.
  • Outflow: 187406 cusec
  • G.S. : 5675.14 MCM
  • %age filling: 76.54 %
  • Increase in qty: 4801.41 MCM (w.r.t to mini storage of this yr)

ઉકાઇ ડેમમાંથી પોણા બે લાખથી વધુ ક્યુસેક્સ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સુરત મધ્યેથી પસાર થતી તાપી નદી હાલ બે કાંઠે છે, તાપી બે કાંઠે હોવાથી ફ્લેડ ગેટ્સ બંધ કરાયા છે અને તેના કારણે કારદશાની નાળ, અડાજણ મક્કાઇ પુલથી સ્વામીનારાયણ મંદિર રોડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં નદીના પાણી ફરીવળ્યા છે અગર તો ગટરના પાણી બેક મારી રહ્યા છે, આ સિવાય સુરત પર હાલ તુરત કોઇ જ જળ સંકટ કે પૂરનું સંકટ નથી.

જવલ્લેજ જોવા મળતો અદભૂત નજારો, શાસ્ત્રોએ જેને પૂણ્ય સલિલાનું ઉપનામ આપ્યું છે એ સૂર્યપૂત્રી તાપી નદી આજે બે કાંઠે વહેતી જોવા મળી હતી. ઇતિહાસમાં જે રીતે ઉલ્લેખ છે એ રીતે તાપી નદી આજે વહી રહી હતી. અદભૂત નજારો જોવા માટે સુરતીઓ શહેરના બ્રીજો પર ઉમટી પડ્યા હતા. ફોટો બાય સુનિલ પટેલ (ભરીમાતા)

સુરત શહેર પર પૂરનું સંકટ ન આવે એટલા માટે ઉકાઇ ડેમની સપાટી 330 ફૂટ જેટલી જાળવવામાં આવી રહી છે એમ સુરતના અધિકારીઓ જણાવી રહ્યા છે.

સુરત શહેર માટે સૌથી નસીબવંતી વાત એ પણ છે કે ઉકાઇ ડેમમાં જ્યાંથી પાણી આવી રહ્યું છે એ ઉપરવાસના કેચમેન્ટ એરિયામાં આજે સવારે 8 વાગ્યે પૂરા થયેલા વરસાદના આંકડાઓ જોતા ત્યાં વરસાદ સાવ સામાન્ય છે, એટલે આગામી 10-12 કલાકમાં ઉકાઇ ડેમમાં પાણીનો આવરો ઓછો થઇ જશે.

ઉપરવાસમાં વરસાદ સાવ સામાન્ય છે, શનિવારે રાત સુધીમાં ઉકાઇમાં પાણીનો ઇનફ્લો ઓછો થઇ જશે

સુરત શહેરના પાણીના મુખ્યસ્ત્રોત ઉકાઇ ડેમમાં જ્યાંથી પાણીનો આવરો થઇ રહ્યો છે એ કેચમેન્ટ એટલેકે ઉપરવાસના વિસ્તારોમાં આજે તા.10મી ઓગસ્ટ 2019ની સવારે 8 વાગ્યા સુધી નોંધાયેલો વરસાદ સાવ સામાન્ય છે, એટલે ડેમમાં પાણીનો આવરો તબક્કાવાર ઘટી જશે અને શનિવાર તા.10મી એ રાત સુધીમાં ડેમમાં પાણીનો આવરો ઓછો થઇ જશે. આમ છતાં ઉકાઇ ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવાનું જારી રાખવામાં આવશે. એવું જાણવા મળે છે કે ઉકાઇ ડેમની સપાટી હાલ 330 ફૂટની આસપાસ જાળવવામાં આવશે.

આમ છતાં ઉકાઇ ડેમમાં પાણીની સપાટી 330 ફૂટ સુધી જાળવી રાખવા માટે આ લેવલથી ઉપર જેટલું પાણી આવશે એટલું છોડી દેવાની નીતિ અખત્યાર કરવામાં આવી છે. એ ખાસ યાદ રાખવું જોઇએ કે 335 એ રૂલ લેવલ છે, અધિકારીઓએ અગાઉના પાણીના આવરાને ધ્યાને લઇને આ લેવલ બનાવ્યું છે. ઉકાઇ ડેમની પાણીની ભયજનક સપાટી 345 ફૂટ છે. હજુ એકાદ મહિના વરસાદ પડે અને એક સામટું પાણી આવે ત્યારે વિકટ પરિસ્થિતિ ન સર્જાય એ માટે હાલમાં બે લાખ ક્યુસેક્સ પાણી છોડવાામાં આવી રહ્યું છે.

દરમિયાન તા.9મી ઓગસ્ટને બપોરે 4 વાગ્યાથી ઉકાઇ ડેમમાંથી 75 હજાર ક્યુસેક્સ પાણી તાપી નદીમાં છોડવાનું શરૂ કરાયું હતું, જે આજરોજ તા.10મી ઓગસ્ટે સવારે 10 કલાકે વધારીને 1.84 લાખ ક્યુસેક્સ કરવામાં આવ્યું છે. ઉકાઇ ડેમમાંથી પાણી છોડવાને કારણે સ્વાભાવિક છે કે સુરત શહેરની વચ્ચેથી પસાર થતી તાપી નદીમાં પાણીનો આવરો થાય અને તાપી બે કાંઠે વહેતી જોવા મળે. આજે સવારથી જ તાપી નદીને બે કાંઠે જોવા માટે લોકોની ભીડ જામી હતી અને ત્યાંથી જ વાતો વહેતી થઇ કે સુરતમાં પૂર આવી રહ્યું છે.

તાપી નદી બે કાંઠે વહેતી હોઇ, સુરત શહેરની વરસાદી ગટર તથા ફ્લેડગેટ્સ બંધ કરાયા હોઇ નીચાણવાળા વિસ્તારોમાં ગટરીયા પાણી બેક થઇને પાણીનો ભરાવો શરૂ થયો હોવાની વિગતો જાણવા મળી છે.

અમારા એસોસીએટ સુનીલભાઇ પટેલ (ભરીમાતા)એ આજે સવારે બે કાંઠે વહેતી તાપી નદીના પીક્ચર્સ ક્લીક કર્યા હતા જે અહીં પ્રસ્તુત છે.

પૂણ્યસલિલા તાપી મૈયા આ સીઝનમાં બે કાંઠે જોવાનો અદભૂત નજારો , ફોટો સુનીલ પટેલ (ભરીમાતા)
ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે તાપી નદીના ઉપરવાસમાં ઘર કરી ગયેલી લીલ-વેલ, જળકુંભી જેવી વનસ્પતિઓ ફ્લશ આઉટ થઇને દરીયા ભેગી થઇ હતી. તાપી નદીનું પાણી શુધ્ધ થવા પામ્યું છે. ફોટો બાય સુનીલ પટેલ (ભરીમાતા)
તાપી નદીને બે કાંઠે વહેતી જોવાનો લ્હાવો સુરતીઓ છોડે ખરા..આજે સવારથી જ બે કાંઠે વહેતી સૂર્યપૂત્રી તાપી નદીને જોવા માટે લોકો બ્રીજ પર ઉમટ્યા હતા. ફોટો બાય સુનીલ પટેલ (ભરીમાતા)



August 10, 2019
CIA_Live_Logo_New2.jpg
1min17240

સુરત શહેરમાં બપોરે બે વાગ્યા બાદ શરૂ થયેલા વરસાદી ઝાપટાઓ સુરતવાસીઓ માટે આફત નોતરી શકે તેમ છે.

ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવેલી રહેલા અંદાજે બે લાખ ક્યુસેક્સ પાણીના ફ્લડને મેનેજ કરવા માટે સુરત શહેરમાં સ્ટોર્મ ડ્રેનેજના ફ્લડ ગેટ્સ જેના આઉટ લેટ્સ તાપી નદીમાં છે એ ફ્લડ ગેટ્સ બંધ કરવામાં આવ્યા હોઇ, સુરતમાં હાલ પડી રહેલા વરસાદનું પાણી સ્ટોર્મ ડ્રેનેજમાં જશે અને સ્ટોર્મ ડ્રેનેજ ભરાશે એટલે સુરતમાં ઠેરઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ શકે છે.

જાણકારો કહે છે કે જો સુરત શહેરમાં વરસાદ સતત ચાલુ રહ્યો તો સુરતમાં ઉકાઇના પાણીના લીધે નહીં પણ વરસાદી પાણીના લીધે પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે.

એ પૂર્વે શહેરમાંથી પસાર થતી તાપી નદીમાં સ્ટોર્મ ડ્રેનેજના ફ્લડ ગેટ્સ બંધ કરવામાં આવતા કેટલાક વિસ્તારોમાં ગટરના પાણી બેક થયા હતા અને પાણી ભરાવાની સ્થિતિ સર્જાવા પામી છે. એ સિવાય તાપી નદી કાંઠેના અડાજણ છેડે સ્વામી નારાયણ મંદિરથી શરૂ કરીને જલારામ ઓવારા સુધીના આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવા પામ્યા છે. જે તસ્વીરમાં દ્રશ્યમાન છે.

તાપી નદીમાં ફ્લડ ગેટ્સ બંધ કરતા નાનપુરા કાદરશાની નાળ વિસ્તારમાં પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે
શહેરના ધાસ્તીપુરા વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા હતા.
August 9, 2019
delhi_bombay.jpg
1min6220

મુંબઈ અને દિલ્હી તથા દિલ્હી અને હાવરા વચ્ચે દોડાવાતી મેલ-એક્સ્પ્રેસ ટ્રેનોની સ્પીડ વધારવા માટે કેન્દ્ર સરકારે રેલવેને મંજૂરી આપી હોવાનું જણાવ્યું હતું. 

મુંબઈ દિલ્હી વચ્ચે દોડાવતી ટ્રેનોની સ્પીડ વધારવાથી બંને શહેર વચ્ચેના ટ્રેનના ટ્રાવેલિંગમાં ઘટાડો થશે.

મુંબઈ-દિલ્હી વચ્ચે ટ્રેનની સ્પીડ વધારવાના પ્રોજેક્ટ પાછળ રૂ. ૬,૮૦૬ કરોડનો ખર્ચ કરવામાં આવશે, જ્યારે તેને ૨૦૨૨-૨૩ સુધીમાં પૂરો કરવાનો ટાર્ગેટ છે.

૧૦૦ દિવસના એજન્ડા હેઠળના વિવિધ પ્રોજેક્ટમાં મુંબઈ-દિલ્હી-મુંબઈ વચ્ચે ટ્રેનોની સ્પીડ વધારવાનો પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

તા.5મી ઓગસ્ટ 2019ના રોજ મળેલી કૅબિનેટની મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો, અને જાહેરાત તા.7મી ઓગસ્ટને બુધવારે તેની સત્તાવાર રીતે કરવામાં આવી હતી.

મુંબઈ-દિલ્હી વચ્ચે દોડાવાતી ટ્રેનોની સ્પીડ વધારવા માટે સરકારની મંજૂરી

કેન્દ્રીય પ્રધાનમંડળની મીટિંગમાં સોમવારે કાશ્મીરના ૧૭૦ કલમને નાબૂદ કરવાનો નિર્ણય લીધો હતો.

મુંબઈ દિલ્હી અને દિલ્હી અને હાવરા વચ્ચેના રેલવે રૂટ્સની વિવિધ ટ્રેનોની સ્પીડ વધારવાથી ટ્રેનોની સર્વિસમાં પણ સુધારો થશે.

એટલું જ નહીં, ટ્રેનોની સુરક્ષા(અકસ્માતના પરિપ્રેક્ષ્યમાં)માં પણ વધારો થશે. ટ્રેનમાં પેસેન્જર કેપિસિટી વધારવામાં આવશે.

મુંબઈ-દિલ્હી-મુંબઈ વચ્ચેના રેલવે રૂટ્સમાં ૧૬૦ કિલોમીટરની ઝડપે ટ્રેન દોડાવાશે, જ્યારે ગુડ્સ ટ્રેનના ટ્રાફિકના પરિવહનમાં સુધારો થશે. આ બંને રેલવે રૂટ્સમાં કુલ પેસેન્જર ટ્રાફિકમાંથી બંનેનો કુલ ૨૯ ટકા હિસ્સો છે. 

August 9, 2019
ukai.jpg
1min8380

Dt.09.08.19. Hr: 14.00 hrs.

  • Rule Level : 335.00 ft.
  • Present Water Level : 327.39 ft.
  • Inflow: 669029 cusecs.
  • G.S. : 4630.52 MCM
  • %age filling: 62.45 %
  • Increase in qty: 3757 MCM (w.r.t to mini storage of this yr)
  • Hathnur Level: 211.60 mt. Outflow : 234827 cusecs

હજુ 20 દિવસ પહેલા ઉકાઇ ડેમમાં તળીયું દેખાતું હતું, ડેમમાં ડૂબેલી મિલકતો દેખાઇ રહી હતી અને સરકાર સમેત સુરતવાસીઓ પાણી બાબતે ચિંતાતૂર હતા. કુદરતની બલિહારી અકળ રહી છે, વીસ જ દિવસમાં ઉકાઇ ડેમમાં પાણીની સપાટી 327 ફૂટ પર પહોંચાડી દીધી છે. સુરતવાસીઓ ઉપરાંત ખેડૂતોની પાણીની જરૂરીયાત આખું વર્ષ પૂરી થતી રહે તેટલું પાણી ડેમમાં આવી ચૂક્યું છે.

આજરોજ તા.9મી ઓગસ્ટ 2019ને શુક્રવારે બપોરે 2 વાગ્યે ઉકાઇ ડેમમાં પાણીનો આવરો 6 લાખ 69 હજાર ક્યુસેક્સ નોંધાયો હતો. ઉકાઇ ડેમમાં પાણીની સપાટી 327 ફૂટને પાર થઇ ગઇ હતી.

ઉકાઇ ડેમના અધિકૃત સૂત્રોએ આપેલી માહિતી મુજબ બપોરે બે વાગ્યે ઉકાઇ ડેમમાં પાણીનો આવરો 6.69 લાખ ક્યુસેક્સ હતો અને ડેમ કુલ 62.45 ટકા જેટલો ભરાઇ જવા પામ્યો છે.

તા.9મી ઓગસ્ટ બપોરે 4 વાગ્યાથી ઉકાઇ ડેમમાંથી કુલ 75 હજાર ક્યુસેક્સ પાણી છોડવાનું શરૂ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર શ્રી ડો. ધવલ પટેલે પોતાના વોઇસ મેસેજમાં જણાવ્યું છે કે ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાની કોઇ ગંભીર અસર હાલ વર્તાશે નહીં, કોઇએ ખોટી અફવાથી દોરવાવું નહીં.

તંત્રવાહકો હવે એવી અસમંજસભરી સ્થિતિમાં મૂકાયા છે કે હવે શું કરવું, ડેમમાં પાણીની સપાટી આ રીતે વધશે તો હજુ એક મહિનો વરસાદ પડે તેવી સ્થિતિમાં ડેમાં રૂલ લેવલ કરતા વધુ પાણી આવે તેમ છે.

એ પૂર્વે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ તેમજ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે ઉકાઇ ડેમની સવારે 10 વાગ્યે નોંધાયેલી પાણીની સપાટી 325.97 ફૂટ છે, જે રૂલ લેવલ ૩૩5થી 10 ફૂટ ઓછી છે.

જૂનના બીજા વીકે તો ઉકાઇનું લેવલ ડેડસ્ટોરેજ સુધી પહોંચી ગયું હતું. હાલમાં ઉકાઇ ડેમમાં ૩૧૪૩ એમસીએમ પાણીનું લાઇવ સ્ટોરેજ છે. ડેમની કુલ લાઇવ સ્ટોરેજ કેપેસીટી ૬૭૩૦ એમસીએમ છે. ઉકાઇ ડેમ 60 ટકા ભરાયો છે.

હજુ ચોમાસાને દોઢ મહિનો બાકી છે જેથી ચાલુ સિઝનમાં સારા વરસાદથી સપાટી રૂલ લેવલ નજીક ડેમની સપાટી ૩૩૦ ફૂટ પહોંચી જશે ત્યારે સુરત શહેર અને ખેડૂતોને આખું વર્ષ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એટલો જથ્થો ડેમમાં આવી ચૂક્યો હશે.

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ તેમ જ ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને પગલે હથનુર ડેમની સપાટી 9મી ઓગસ્ટને શુક્રવારે, સવારે 7 કલાકે 210.49 મીટર નોંધાઇ હતી અને ત્યાંથી 1,74,297 ક્યુસેકસ જેટલી મોટી માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું હતું.

હથનૂર ડેમમાંથી છોડવામાં આવેલું પાણી ઉકાઈ ડેમમાં આવતા ડેમની સપાટીમાં વધારો થયો હતો.

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનર સક્રિય થવાના કારણે આગામી ૧૦ ઑગસ્ટ સુધી સુરત, ડાંગ, નવસારી, તાપી, દમણ સહિત ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

August 8, 2019
weather-forecast.jpg
1min5570

દક્ષિણ ગુજરાતમાં અપર એર સરક્યુલેશનની અસરો ઘટવાને કારણે વરસાદનું જોર ઓછું થયું હતું જેથી પૂરના પાણી ઓસરતાં લોકોને રાહત મળી હતી ત્યારે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી હતી કે બંગાળની ખાડીમાં લો-પ્રેશર ડીપ્રેશન સિસ્ટમ સક્રિય થઈ રહી હોઈ બે દિવસમાં એટલે ૮ અને ૯ તારીખ દરમિયાન રાજ્યનાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે જેને પગલે તંત્રને ફરી સજ્જ રહેવાના આદેશો અપાયા હતા.

ગુજરાતમાં ફકત દક્ષિણ ગુજરાતમાં સીઝનનો સરેરાશ ૯૦ ટકા વરસાદ પડ્યો હતો. અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પાણી પાણી થઈ જતાં જનજીવન પર ભારે અસર થઈ હતી ત્યારે માડ પૂરના પાણી હજુ ઓસર્યા હતા. ત્યાં જ રાજ્ય હવામાન વિભાગે આગાહી કરી હતી કે, દક્ષિણ ગુજરાત તેમજ બંગાળની ખાડીનાં ઉત્તર પશ્ર્ચિમ, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશામાં સાયક્લોનિક સર્ક્યૂલેશન સર્જાયું છે. તેમજ બંગાળની ખાડીનું લો-પ્રેશર ડીપ્રેશનમાં ફેરવાયું છે, જેને પગલે ૮ ઓગસ્ટની આસપાસ ગુજરાત સુધી પહોંચતાં રાજ્યનાં વાતાવરણમાં પલટો આવશે. તેમજ તા.૯ ઓગસ્ટથી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની પ્રબળ શક્યતા છે. જેથી અમદાવાદમાં પણ તા.૯મી ઓગસ્ટ અને તા.૧૦મી ઓગસ્ટ સુધીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે તેમજ દ.ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત અને ઉ.ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે. આની સાથે આગામી બે દિવસ રાજ્યમાં ગરમીની સાથે બફારાનું પ્રમાણ વધવાની શક્યતા છે. તેમજ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતનાં અનેક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

August 7, 2019
jammu.jpg
1min8870

તા. 6 ઓગસ્ટ 2019 ને મંગળવારે ભારતની લોકસભામાં જમ્મુ કાશ્મીરનું વિભાજન કરીને ત્યાં કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની દરખાસ્ત મંજૂર કર્યાના એક દિવસ બાદ આજરોજ તા.7મી ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ સચિવાલય ખાતે સવારે વટ કે સાથ તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. ઉપરોક્ત તસ્વીર આજે સવારે લેવાયેલી છે જેમાં જમ્મુ સચિવાલયની ઇમારત પર ભારતના રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. એ પણ નોંધનીય છે કે ભારતીય રાષ્ટ્ર ધ્વજની સાથે ગઇકાલ સુધી જમ્મુ કાશ્મીરનો અલગ રાષ્ટ્રધ્વજ હતો એ પણ ફરકાવવામાં આવ્યો હતો. સૂત્રો જણાવે છે કે કેટલીક પ્રક્રીયાઓ પછી અહીં ફક્ત તિરંગો જ ગર્વભેર લહેરાતો જોવા મળશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ, કાશ્મીર, લેહ, લદ્દાખની સરકારી અધિકારીઓની ગાડીઓ પર પણ ભારતના રાષ્ટ્રધ્વજને ગૌરવભેર ફરકાવવામાં આવ્યો હતો.

સાથોસાથ સંસદ અને રાષ્ટ્રપતિ દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને હટાવવા સંબંધિત બિલને મંજૂરી મળ્યા પછી જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડેપ્યુટી સીએમ ડૉ. નિર્મલ સિંહે પોતાની કાર પરથી જમ્મુ-કાશ્મીરનો ઝંડો હટાવી દીધો હતો.

જમ્મુ સચિવાલયની ઇમારત પર તિરંગો લહેરાતા જોઇને ત્યાના સ્થાનિક રહેવાસીઓમાં પણ ખુશાલી છવાય ગઇ હતી.

August 7, 2019
nirbhayasuprem.png
1min5090

મધ્યસ્થતા કોઈ સ્પષ્ટ ઉકેલ લાવવામાં વિફળ રહ્યા બાદ આખરે આજથી સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદનાં વિવાદની સુનાવણી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં આજે સૌપ્રથમ નિર્મોહી અખાડાનાં વકીલે પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે, 100 વર્ષોથી આ વિવાદિત ભૂમિ ઉપર તેનો કબજો રહેલો છે. આ કેસ હવેથી અઠવાડિયામાં ત્રણ દિવસ- મંગળવાર, બુધવાર અને ગુરુવારે સાંભળવામાં આવશે તેવું અદાલતે ઠરાવ્યું છે. દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં વિચારક એન.ગોવિંદાચાર્યે આયોધ્યા કેસની સુનાવણીનું જીવંત પ્રસારણ કરવાની માગણી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. જેને અદાલતે ખારિજ કરી નાખી છે.

અયોધ્યા વિવાદ ઉકેલવા માટે મધ્યસ્થતા સમિતિને આપવામાં આવેલાં નિશ્ચિત સમયમાં તે કોઈ નિરાકરણ લાવી શકી નહોતી. જેને પગલે સર્વોચ્ચ અદાલતે આજથી આ મામલાની રોજિંદી સુનાવણી શરૂ કરી દીધી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સદસ્યોની બનેલી બંધારણીય ખંડપીઠ આ મામલો સાંભળે છે. આ બંધારણીય ખંડપીઠમાં જસ્ટિસ એસ.એ.બોબડે, ડી.વાય. ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસ.એ.નઝીર સામેલ છે.

નિર્મોહી અખાડાનાં ધારાશાત્રી સુશીલ કુમાર જૈને આજે પોતાનો પક્ષ રજૂ કરતાં દલીલ આપી હતી કે, આ જમીન ઉપર તેનો સેંકડો વર્ષોથી હક હતો. તેમણે નક્શો દેખાડતા જણાવ્યું હતું કે તેમનો દાવો વિવાદિત પરિસરનાં આંતરિક ભાગનો છે. આ જમીન ઉપર અખાડાનો જ કબજો હતો પણ પછી અન્યોએ બળપૂર્વક તેમાં અતિક્રમણ કર્યુ હતું. અખાડાની માગ માત્ર પરિસરનાં આંતરિક ભાગની છે. જેમાં સીતા રસોઈ અને ભંડાર ગૃહ સામેલ છે. ડિસેમ્બર 1992 બાદ ઉપદ્રવીઓએ નિર્મોહી અખાડાનું મંદિર પણ ધ્વસ્ત કરી દીધું હતું. જૂના ફેંસલાઓનો હવાલો આપતાં કહેવામાં આવ્યું હતું કે, તે મુજબ એવા સ્થાનને મસ્જિદ ગણાવી શકાય નહીં જ્યાં નમાઝ પઢાતી ન હોય. આ દરમિયાન સુન્ની વક્ફ બોર્ડનાં વકીલ રાજીવ ધવને હસ્તક્ષેપ કરતાં અદાલતે તેમને ઠપકો આપતાં કહ્યું હતું કે, તેનો પક્ષ પણ સમય આવ્યે સાંભળવામાં આવશે.

August 7, 2019
rain_forecast.png
1min10360

રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૨.૬૦ ટકા વરસ્યો

ગુજરાતનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૨.૬૦ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૩૫.૯૮ ટકા, ઉતર ગુજરાતમાં ૩૭.૩૦ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૫૫.૬૩ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૯.૧૫ ટકા. અને દક્ષિણ ગુજરાતમાં ૮૯.૩૯ ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે. રાજયના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર ૦૬/૦૮/૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ડાંગ જિલ્લાના ડાંગ તાલુકામાં ૧૫૬ મી.મી. એટલે કે ૬ ઈંચ, સુબિરમાં ૧૪૫ મી.મી., ક્વાંટમાં ૧૩૦ મી.મી. મળી કુલ બે તાલુકામાં ૫ ઈંચ જેટલો, નસવાડીમાં ૧૦૨ મી.મી. એટલે કે ૪ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વ્યારામાં ૯૪ મી.મી. એટલે કે ૩ ઈંચથી વધુ, ડોલવણમાં ૬૩ મી.મી. અને નીઝરમાં ૫૬ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જયારે તીલકવાડા, સંખેડા, ડભોઈ, છોટા ઉદેપુર, કપરાડા, ઉચ્છલ, સોનગઢ, જેતપુર પાવી, ગરૂડેશ્ર્વર, ગણદેવી, જાંબુઘોડા, ચીખલી, સાગબારા અને નવસારી મળી કુલ ૧૪ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં એનું જોર ઘટાડ્યું છે. રાજયના ૨૩ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.