CIA ALERT

બિઝનેસ Archives - Page 66 of 90 - CIA Live

June 11, 2019
third-party-insurance-500x500.png
1min8850

આગામી 16 જૂનથી કાર્સ અને ટુ-વ્હીલર્સ ઇન્શ્યોરન્સનો ખર્ચ વધશે કેમ કે વીમા નિયમનકાર ઇરડા એ વાહનોની ચોક્કસ કેટેગરીમાં ફરજિયાત થર્ડ પાર્ટી મોટર ઇન્શ્યોરન્સમાં 21 ટકા સુધીનો વધારો કર્યો છે. સામાન્ય રીતે ફરજિયાત ટીપી ઇન્શ્યોરન્સ કવરના દરમાં પહેલી એપ્રિલથી સુધારો થતો હોય છે. પરંતુ આ વખતે નાણાકીય વર્ષ 2019-’20 માટેના નવા દર 16 જૂનથી લાગુ પડશે.

ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ઇરડાઇ)એ એક આદેશમાં જણાવ્યું હતું કે, નાની કાર્સ (1000 સીસી કરતાં ઓછી) માટેના નવા થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સનો ખર્ચ ₹2,012 થશે. જે હાલમાં અસ્તિત્વ ધરાવતાં ₹1,850 કરતાં 12 ટકા વધારે રહેશે. 1,000 સીસીથી 1,500 સીસીની એન્જિન ક્ષમતા ધરાવતી કાર્સ માટેના વીમા પ્રીમિયમ પણ 12.5 ટકા વધારીને ₹3,221 કરવામાં આવ્યા છે.

જોકે, વધારે ઊંચા એન્જિન ક્ષમતા ધરાવતી કાર્સ માટેના ટીપી પ્રીમિયમને ₹7,890 પર જાળવી રાખવામાં આવ્યા છે. 16 જૂનથી 75 સીસી કરતાં ઓછી ક્ષમતા ધરાવતાં ટુ-વ્હીલર માટેની નવી મોટર થર્ડ પાર્ટી લાયેબિલિટી ઇન્શ્યોરન્સ કવર પણ 12.88 ટકા વધીને ₹482 થશે તથા 75 સીસીથી 150 સીસીના એન્જિન ધરાવતાં ટુ-વ્હીલર્સ માટેનો દર ₹752 રહેશે. ટુ-વ્હીલર વીમા પ્રીમિયમમાં સૌથી મોટો વધારો 150-350 સીસીના વાહનો માટે છે જે 21.11 ટકા વધીને ₹1,193 કરવામાં આવ્યો છે.

June 10, 2019
npa-1-1280x720.jpg
1min6610

ગુજરાતમાં દુષ્કાળની પરિસ્થિતિના કારણે નોન પરફોર્મિંગ એસેટ (એનપીએ) વધી હોવાનો મત બેન્કર્સ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે નબળા ચોમાસાની અસર વધુ જોવા મળી છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીએ પાછલા ગુરુવારે નાણાંકિય વર્ષ ૨૦૧૮-૧૯ માટેના આંકડા જાહેર કાર્યા હતા, જે મુજબ કૃષિ ક્ષેત્રે સૌથી વધુ નોન પરફોર્મિંગ એસેટ (એનપીએ) જોવા મળી હતી.

બેન્કર્સના મતે ગુજરાતમાં નબળા ચોમાસાને કારણે એગ્રીકલ્ચર સેક્ટરની પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે આમ થયું છે. ગુજરાતમાં એગ્રીકલ્ચર એનપીએ રૂ. ૫,૬૯૦ કરોડના સ્તરે પહોંચી ગઇ હતી, જે તેના આગલા વર્ષે રૂ. ૩,૯૭૨ કરોડના સ્તરે હતી.

એક અહેવાલમાં જણાવાયું છે કે ૩૧ માર્ચ, ૨૦૧૯ના રોજ પુરા થતા નાણાકીય વર્ષમાં કૃષિ ક્ષેત્રે કુલ રૂ. ૮૩,૧૫૭ કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે જે ગયા વર્ષના રૂ. ૭૯,૪૮૮ કરોડ કરતાં ૪.૬૧ ટકા વધારે છે. ખરાબ ચોમાસાની અસરથી કૃષિમાં એનપીએ વધ્યો છે. અહેવાલમાં જણાવાયું હતું કે, રાજ્યમાં સામાન્ય કરતા વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું હતું. આથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થઇ હતી. આની સીધી જ અસર કૃષિ ક્ષેત્રને થતા એગ્રીકલ્ચર એનપીએમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

આમાં પણ એગ્રીકલ્ચર ટર્મ લોનમાં પરિસ્થિતિ વધુ ખરાબ છે. વર્ષ ૨૦૧૮-૧૯માં અપાયેલા કુલ ધિરાણ સામે એનપીએ ૬.૮૪ ટકા નોંધાયો છે જયારે ગત વર્ષની તુલનામાં તેમાં ૪૩.૨૫ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

ગુજરાતમાં કુલ એનપીએ ૬.૫૪ ટકા પર સ્થિર છે. ગુજરાત રાજ્યમાં અલગ અલગ ક્ષેત્રે કુલ ૫.૯૦ લાખ કરોડનું ધિરાણ આપવામાં આવ્યું હતું જે આગલા વર્ષના રૂ. ૫.૩૯ લાખ કરોડ કરતા ૯.૫૦ ટકા વધુ છે. નાણાકીય વર્ષ ૨૦૧૯માં રાજ્યમાં અપાયેલા કુલ ધિરાણમાં એનપીએ ૬.૫૪ ટકા નોંધાયું હતું જે ૨૦૧૮માં ૬.૫૩ ટકા હતું.

ખેડૂતોને વીમાના રૂ. ૨,૦૫૦ કરોડ આપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજના અંતર્ગત રાજ્યના ૧૦.૫૪ લાખ ખેડૂતોને રૂ. ૨,૦૫૦ કરોડ વિમાની રકમ ચુકવવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યમાં કુલ ૧૭.૫ લાખ ખેડૂતોને આવરી લેવાયા છે અને કુલ રૂ. ૩,૧૩૭ કરોડનું પ્રીમીયમ વીમા કંપનીઓને ચૂકવાયું હતું.

ચૂકવાયેલા કુલ પ્રીમીયમમાંથી અંદાજે રૂ. ૨૫૦ કરોડ ખેડૂતો દ્વારા અપાય હતા જયારે બાકીની રકમ રાજ્ય અને કેન્દ્ર સરકારો દ્વારા આપવામાં આવી હતી.

June 8, 2019
npa-1280x720.jpg
1min8310

સર્વોચ્ચ અદાલતે એપ્રિલમાં આરબીઆઇના એનપીએના ધારાધોરણો રદ્દ જાહેર કર્યા ત્યારપછી આજે શુક્રવારે, રિઝર્વ બેન્કે બેડ લોન્સ જાહેર કરવા માટેનું નવું કાર્યમાળખું જાહેર કર્યું છે., જેમાં અગાઉ ડિફોલ્ટર્સ જાહેર કરવા માટેની જે મુદ્દત એક દિવસની હતી તે વધારીને 30 દિવસની કરવામાં આવી છે.

રિઝર્વ બેન્કે બેડ લોનના ઉપાયરૂપે 12મી ફેબ્રુઆરી, 2018ના રોજ જાહેર કરેલા કડક નિયમનોને સર્વોચ્ચ અદાલતે બીજી એપ્રિલે રદ્ જાહેર કર્યા હતા, જેમાં આરબીઆઇએ એવો આદેશ આપ્યો હતો કે જો કંપની પુન:ચુકવણીમાં એક દિવસનો પણ વિલંબ કરે તો તેને ડિફોલ્ટર જાહેર કરી દેવી અને બેન્કઓ આ સંભવિત બેડ લોન માટે 180 દિવસની અંદર રેજોલ્યુશન શોધી કાઢવું અન્યથા મામલો બેન્કરપ્સી કોર્ટમાં લઇ જવો.

નવા ધોરણો અગાઉના તમામ રેઝોલ્યુશન્સ પ્લાનનું તાત્કાલિક ધોરણે અમલ થાય એ પ્રમાણે સ્થાન લેશે, જેમાં ડિસ્ટ્રેસ એસેટ રિવાઇટલાઇઝિંગ ફ્રેેમવર્ક, કોપોૌ4રેટ ડેટ રિસ્ટ્રકચરિંગ સ્કીમ્સ, લાંબા ગાળાના પ્રોજેક્ટમાટેની વર્તમાન લોન માટે ફ્લેક્સિબલ સ્ટ્રકચરિંગ, સ્ટ્રેટેજિક ડેટ રિસ્ટ્રકચરિંગ સ્કીમ્સ (એસડીઆર), એસડીઆરની બહાર માલિકીમાં ફેરફાર અને સ્ટ્રેસ્ડ એસેટ્સના ટકાુ સ્ટ્રકચરિંગ માટેની યોજના તથા જોઇન્ટસ લેન્ડર્સ ફોરમનો સમાવેશ થાય છે.

નવા પરિપત્રમાં બેડ લોનની વહેલી ઓળખ, રિપોર્ટીંગ માટેનું કાર્યમાળખું અને બેડ લોન્સ માટે સમયબદ્ધ રેજોલ્યુનની વિગતો આપવામાં આવી છે. આરબીઆઇએ કહ્યું છે કે લેન્ડરે લોન અકાઉન્ટમાં સ્ટ્રેસ પારખીને ડિફોલ્ટની શંકા જાય તો આવી એસેટને સ્પોશિયલ મેન્શન અકાઉન્ટ (એસએમએ) તરીકે વર્ગીકૃત કરવી. રિઝર્વ બેન્કની યોજના પ્રમાણે ડિફોલ્ટ થતાં પહેલા જ ધિરાણદાતાએ રિજોલ્યુશન પ્લાન અમલમાં મૂકવાની તૈયારી કરી લેવાની રહેશે.

કોઇપણ લેન્ડર, બેન્ક, એનબીએફસી કે સ્મોલ ફાઇનાન્સ બેન્ક અથવા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુટે ડિફોલ્ટર તરીકે કોિ બોરોઅરને જાહેર કર્યો હોય તે પછી ડિફોલ્ટના 30 દિવસની અંદર બોરોઅરની સમીક્ષા કરી લેવી. આ પછી જોઇન્ટ લેન્ડર ફોરમની રચના કરવી.

June 8, 2019
vijay-rupani-and-jitu-vaghani-1280x720.jpg
1min6620

ગુજરાતમાં ચાયનાની અનેક અગ્રગણ્ય ઉદ્યોગ કંપનીઓએ પોતાના પ્લાન્ટસ અને કારોબાર શરૂ કરીને ગુજરાતને સેક્ધડ હોમ બનાવ્યું છે, એવું ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

અમદાવાદમાં ચાયના ઈન્ડિયા-ગુજરાત ઇકોનોમિક એન્ડ ટ્રેડ કો-ઓપરેશન કોન્ફરન્સ-ર019નો પ્રારંભ કરાવતા તેમણે વધુમાં કહ્યું હતું કે, આ બધી જ બાબતો અને પરસ્પર સહભાગીતાની ઉત્સુકતા એ વાતની પરિચાયક છે કે ગુજરાત અને ચીન ખાસ કરીને ગુઆન્ગડોંગ પ્રાંત સાથે સામાજિક અને આર્થિક વિકાસની મજબૂત ભાગીદારી સ્થાપિત થઇ છે.

ભારતની કુલ વસ્તીના પાંચ ટકા વસ્તી ધરાવતા ગુજરાતનો જીડીપીમાં 8 ટકા, નિકાસમાં રર ટકા ફાળો છે. એટલું જ નહીં, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં પણ ગુજરાત વિશ્ર્વમાં ચોથા ક્રમે છે. આટઆટલી વિશેષતાઓ સાથે ગુજરાત ભારતમાં અન્ય રાજ્યોની તુલનાએ વિદેશી રાજ્યો-રાષ્ટ્રો સાથેના સંબંધોમાં અગ્રેસર રહ્યું છે તે જ રીતે ગુજરાતનું સીસ્ટર સ્ટેટ ચાયનાનું ગુઆન્ગડોંગ પણ ચીનનું આર્થિક અને ઔદ્યોગિક વિકાસનું પાવર હાઉસ માનવામાં આવે છે.

આ પ્રસંગે મેમ્બર ઓફ ધ પોલિટિકલ બ્યુરો ઑફ ધ સીપીસી સેન્ટ્રલ કમિટી, પાર્ટી સેક્રેટરી ઓફ ગુઆંગડોંગ સીપીસી કમિટીના શ્રીયુત લી ક્ષીએ જણાવ્યું કે, ભારત અને ચીન વચ્ચે મહત્ત્વપૂર્ણ વ્યાપાર-વાણિજ્યિક સંબંધો વર્ષોથી રહ્યા છે. ગુઆન્ગડોંગ પ્રાંત અને ગુજરાત વચ્ચે થયેલા એમ.ઓ.યુ. અંતર્ગત અનેક પ્રોજેક્ટ્સ ગુજરાતમાં સફળતાપૂર્વક કાર્યાન્વિત થયા છે. અમે ગુજરાત સાથે વધુને વધુ વ્યાપારિક સંબંધો વિકસાવવા માટે આતુર છીએ.

June 7, 2019
premji_rishad.jpg
1min10120

આઇટી સર્વિસિસ કંપની વિપ્રો લિમિટેડના સ્થાપક અને સખાવતી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રીત કરતા અઝિમપ્રેમજી જુલાઇના અંત સુધીમાં કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિવૃત્ત થઇ જશે.

53 વર્ષ સુધી કંપનીનું સુકાન સંભાળનાર 74 વર્ષીય અઝિમ પ્રેમજી નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સ્થાપક ચેરમેન તરીકે યથાવત રહેશે તેમ કંપનીએ જણાવ્યું છે. ચીફ સ્ટ્રેટજી ઓફિસર અને બોર્ડના સભ્ય તેમજ તેમના પુત્ર રિષદ પ્રેમજીને કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેનપદનો હોદો અપાશે. કંપનીમાં નવા એમડી તરીકે સીઇઓ અબિદાલી ઝેડ નીમુચવાલાની નિમણૂક કરાશે.

આ ફેરફારો 30 જુલાઇથી અમલી બનશે રિષદની 31 જુલાઇ 2019થી 30 જુલાઇ 2024 સુધી પાંચ વર્ષ માટે ફુલ ટાઇમ ડિરેકટર તરીકે ફેરનિમણૂક કરાઇ છે. આ માટે શેરહોલ્ડરોની મંજૂરી લેવી પડશે.

અઝિમ પ્રેમજીએ જણાવ્યું છે કે, “અમે એક લાંબી અને સંતોષકારક મજલ કાપી છે. હું ભવિષ્યમાં મારી પરોપકારી ગતિવિધિઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા પર વધુ સમય આપવા માગું છું. મને રિશદના નેતૃત્વ પર ભરોસો અને વિશ્વાસ છે. તેઓ કંપનીના વિકાસમાં વધુ સહયોગ આપશે.”

ભારતીય ઉદ્યોગપતિઓમાં અઝીમ પ્રેમજી સૌથી વધારે ઉદાર દાતા રહ્યા છે. માર્ચ મહિનામાં તેમણે તેમની માલિકીના 34 ટકા જેટલા વિપ્રોના શેર અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનને દાનમાં આપ્યા હતા જે શિક્ષણ માટે સેવાકીય પ્રવૃત્તિ કરે છે. અત્યાર સુધીમાં તેમણે પોતાની 67 ટકા સંપત્તિ અથવા ₹1.45 લાખ કરોડનું દાન કર્યું છે. આ ફાઉન્ડેશન દ્વારા 2010માં અઝીમ પ્રેમજી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. પ્રેમજી પરિવાર સોફ્ટવેર નિકાસકાર કંપનીમાં 74 ટકા હિસ્સો ધરાવે છે.

પ્રેમજીએ બે વર્ષ અગાઉ વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિપ્રોની સ્થાપના મારા પિતા હશમ પ્રેમજીએ કરી હતી. મેં તેની પ્રોડક્ટ રેન્જ અને ડાઇવર્સિફિકેશનમાં યોગદાન આપ્યું છે.

અમે જે કામ ભૂતકાળમાં કરતા આવ્યા હતા તેને વધુ સારી રીતે કરવા માટે મને પ્રેરણા મળી હતી. 1996માં પ્રેમજી 21 વર્ષની વયે સ્ટેન્ફર્ડ કોલેજ છોડીને ભારત આવ્યા હતા અને પિતાના મૃત્યુ પછી વિપ્રોનો હવાલો સંભાળ્યો હતો. વિપ્રોનું અસલ નામ વેસ્ટર્ન ઇન્ડિયા વેજિટેબલ પ્રોડક્ટ લિ. હતું અને ત્યારે તે મુખ્યત્વે ખાદ્યતેલ બનાવતી કંપની હતી

June 6, 2019
sensex_down.jpg
1min5100

તા.6 જુન 2019ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં બેઝીસ પોઇન્ટનો ઘટાડો કર્યાના નકારાત્મક પ્રત્યાઘાત શેરબજાર પર વર્તાયા હતા. બપોરે શેરબજારના ઇન્ડેક્ષ એવા ગગડ્યા હતા કે સેન્સેક્સમાં 500 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. IT શેરોને બાદ કરતાં તમામ સ્કેટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

રિઝર્વ બેંકે ભરેલા પગલાં શેરબજારને અનુકૂળ રહ્યા નહીં અને ગુરુવાર તા.6 જુન 2019ના રોજ બપોરે શેરબજારમાં ઓઈલ-ગેસ, રિયલ્ટી, કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી.

RBIએ રેપો રેટમાં કરેલો 0.25 ટકાનો ઘટાડો અપૂરતો લાગતાં શેરબજારમાં નિરાશા જોવા મળી હતી. રોકાણકારો નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓના વધુ એક ડિફોલ્ટને કારણે ભારે વ્યથિત થયા છે.

તા.6 જુન 2019ને ગુરુવારે બપોરે સવા બે વાગ્યે BSE સેન્સેક્સ 528.10 પોઈન્ટ્સ ગગડીને 39,555.44 પોઈન્ટ્સ નોંધાયો હતો. એવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 174.50 પોઈન્ટ્સના ઘટાડા સાથે 11847.15 પોઈન્ટ્સની સપાટી સતત નેગેટીવ ટ્રેન્ડ કરી રહ્યો હતો. BSE મિ઼ડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.66 ટકા અને 1.53 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

June 6, 2019
rbi.jpeg
1min18250

વિશ્વની સૌથી મોટી કેશલેસ ઇકોનોમી બની રહેલા ભારતના બેંકીંગ ગ્રાહકોને સૌથી મોટો ફાયદો થવા જઇ રહ્યો છે. ગુરુવાર તા.6 જુન 2019ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એવો નિર્ણય કર્યો છે કે આર.ટી.જી.એસ. RTGS (Real Time Gross Settlement System) અને નેફ્ટ NEFT (National Electronic Funds Transfer) જેવા ઓનલાઇન ટ્રાન્સફરના વ્યવહારો પરનો ચાર્જ કાઢીને આ સેવાઓ બિલકુલ નિશુલ્ક કરી દેવામાં આવે. ભારતની તમામ બેંકોએ આ ફાયદો તેમના ગ્રાહકોને સીધો જ આપવો પડશે. આગામી દિવસોમાં આ અંગે રિઝર્વ બેંક બેંકોને સીધી સૂચના આપશે.

ભારતીય ગ્રાહકો બેંકીંગ વ્યવહારો ખાસ કરીને ફંડ ટ્રાન્સફરનો વધુને વધુ ઉપયોગ કરતા થાય એ હેતુથી રિઝર્વ બેંકે એ નિર્ણય લીધો છે.

આ ઉપરાંત રિઝર્વ બેંક દ્વારા એ.ટી.એમ. ATM (Automated Teller Machines) ના વ્યવહારોમાં ઇન્ટરચેન્જ ફી સ્ટ્રક્ચરને રિવ્યુ કરવા માટેની પણ કમિટીની રચના કરવામાં આવી છે. ભારતમાં ATM (Automated Teller Machines)ની સેવાઓનો વ્યાપ વિસ્તાર વધ્યો છે. ગ્રાહકો સંતોષકારક રીતે અને પહેલા કરતા વધુ પ્રમાણમાં આ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે, પરીણામે બેંકોના કામના ભારણમાં પણ ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં એ.ટી.એમ. ATM (Automated Teller Machines)ના ચાર્જિસ અને ફીના પ્રવર્તમાન દરોને રિવ્યુ કરવા ખાસ કરીને ઘટાડવા માટે નિર્ણય લેવાય તે માટે કમિટી બનાવવામાં આવી છે.

રિઝર્વ બેંક દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં ત્રીજી વખત રેપો રેટમાં કપાત કરવામાં આવતા હવે પછીના દિવસોમાં તેની અસર રૂપે બેંક ધિરાણ સસ્તા દરે મળવાના શરૂ થશે. રિઝર્વ બેંકએ આે તા.6 જુન 2019ના રોજ રેપો રેટમાં 25 બેઝીસ પોઇન્ટનો ઘટાડો કરીને દર 5.75 પહોંચાડ્યો છે.

June 6, 2019
world-bank.jpg
1min5250

વર્લ્ડ બૅંકે આગાહી કરી છે કે આગામી ત્રણ વર્ષમાં ભારતના અર્થતંત્રનો 7.5 ટકાના દરથી વિકાસ થશે. મંગળવારે વર્લ્ડ બૅંકે જાહેર કરેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2018-19માં ભારતનો આર્થિક વૃદ્ધિદર 7.2 ટકા હતો. ચીનનો આર્થિક વૃદ્ધિદર 2018માં 6.6 ટકા હતો જે 2019માં ઘટીને 6.1 ટકા અને 2020માં ઘટીને 6 ટકા થવાનો વર્લ્ડ બૅંકે અંદાજ મૂકયો છે.

વિશ્ર્વમાં સૌથી વધુ ઝડપથી અર્થતંત્રોમાં ભારત પોતાનો પ્રથમ ક્રમ જાળવી રાખશે. 2021માં ચીનનો વૃદ્ધિદર 6 ટકા અને ભારતનો 7.5 ટકા રહેશે તેવો વર્લ્ડ બૅંકના અહેવાલમાં અંદાજ મૂકવામાં આવ્યો છે. 2018-19ના ચોથા કવાર્ટરમાં ભારતનો આર્થિક વૃદ્ધિદર 5.8 ટકા હતો જે છેલ્લાં પાંચ વર્ષનો સૌથી ઓછો વૃદ્ધિદર છે. અર્થતંત્રના વિકાસદરમાં ઘટાડો થવા પાછળ સીએસઓ કૃષિ અને મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં થયેલી પીછેહઠને જવાબદાર માને છે.

ધિરાણ વૃદ્ધિ અને વ્યાજદર હળવા કરવાની નીતિ અપનાવવાથી ખાનગી ખપત અને રોકાણને લાભ થશે, તેવું વર્લ્ડ બૅંકના અહેવાલમાં ધ્યાન દોરવામાં આવ્યું છે. ભારતના શહેરી વિસ્તારોમાં ધિરાણ વૃદ્ધિ થવાથી ખપત વધી હતી, જયારે કૃષિ ઊપજોના ભાવ નીચે રહેવાથી ગ્રામીણ ખપત ઘટી હતી તેવું અહેવામાં કહેવામાં આવ્યું છે.

ઉત્પાદન ક્ષેત્રમાં ઝડપી વૃદ્ધિદર વ્યાપક રહ્યો હતો. સર્વિસ ક્ષેત્ર અને કૃષિ પ્રવૃત્તિમાં ઘટાડો નોંધાયો હતો, જયારે ઔદ્યોગિક ક્ષેત્રમાં વૃદ્ધિદર વધુ રહ્યો હતો.

વેપાર, હૉટેલ, ટ્રાન્સપોર્ટેશન અને કમ્યુનિકેશન પ્રવૃત્તિમાં ધીમી રહી હોવાથી સર્વિસ ક્ષેત્ર ઠંડું રહ્યું હતું. કેપિટલ ગુડ્સની માગ વધુ રહી હોવાથી મેન્યુફેકચરિંગ ક્ષેત્ર, બાંધકામ ક્ષેત્રમાં તેજી જોવા મળી હોવાથી ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉછાળો નોંધાયો હતો.

નાણાપ્રધાન નિર્મલા સીતારામન નરેન્દ્ર મોદી 2.0 સરકારનું બજેટ પાંચમી જુલાઈએ રજૂ કરશે. નાણાપ્રધાન આર્થિક સુધારાઓને વેગ આપશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

June 1, 2019
jobs.gif
1min6650


2018-19ના જાન્યુઆરી – માર્ચ દરમિયાન આર્થિક વિકાસ દર ઘટીને પાંચ વર્ષની નીચી સપાટી 5.8 ટકા થયો છે. કૃષિ અને મેન્યુફેકચરિંગ ક્ષેત્રે કામગીરી નબળી રહેતા તેની અસર થઈ છે. 2018-19 દરમિયાન જીડીપી વૃદ્ધિ 6.8 ટકા રહી છે જે અગાઉના વર્ષે 7.2 ટકા હતી, એમ સીએસએના અહેવાલમાં જણાવ્યું છે.

દેશમાં બેરોજગારીનો દર 2017-18મા વધીને 6.1 ટકા થયો છે, જે 45 વર્ષમાં સૌથી ઊંચો છે, એમ અધિકૃત સાધનોએ જણાવ્યું હતું.

રાજકોષીય ખાધ સાધારણ ઘટી છે. 2018-19મા રાજકોષીય ખાધ ઘટીને જીડીપીના 3.39 ટકા થઈ છે જે બજેટમાં અંદાજાયેલ 3.40 કરતા ઓછી છે જે ખર્ચમાં ઘટાડો અને ટેક્સ સિવાયની આવકમાં વધારો થતા શક્ય બન્યું છે.

રાજકોષીય ખાધ 31 માર્ચ, 2019ના અંતે રૂ. 6.45 લાખ કરોડ થઈ છે, એમ ક્ધટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટે જણાવ્યું હતું.

May 31, 2019
sensex-up.jpg
1min5390

આજે તા.31મી મે 2019ને શુક્રવારે શેરબજારમાં ઉછાળા સાથે શરૂઆત થઈ હતી, તા.30મી મે 2019ના રોજ મોદી સરકાર 2.0ની શપથવિધિની સીધી અસર શુક્રવારે ઉઘડતા બજારે જોવા મળી હતી.

તા.23મી મે 2019ના રોજ પરીણામોની જાહેરાત સાથે જ સેન્સેક્સએ લાઇફટાઇમ હાઇ સપાટી સર કરી હતી. એ પછી આજે સેન્સેક્સે ફરી 40 હજારની સપાટી કૂદાવી હતી.

આજે શુક્રવાર તા.31મી મે એ નિફ્ટીએ 12 હજારની સપાટી પાર કરી હતી. મોદી સરકાર પર વિશ્વાસ કાયમ રાખતા શેરબજારમાં બેન્કિંગ તેમજ આઈટી શેરોમાં લેવાલીના જોરે શરૂઆતી કામકાજમાં સેન્સેક્સ 271 પોઈન્ટ ઉપર 40,122.34ની ઊંચાઈએ સ્પર્શ્યો હતો. નિફ્ટી આંક પણ 81.20 પોઈન્ટ ઉપર ખૂલતા 12,027ને સ્પર્શ્યો હતો.