CIA ALERT
16. May 2024
July 1, 20191min3030

Related Articles



GST ની અમલવારીનાં બે વર્ષ: આજે નવા સુધારા જાહેર થશે

Share On :
Print Friendly, PDF & Email
જીએસટીની અમલવારીને બે વર્ષ થવાનાં અવસરે સરકાર નવી રીટર્ન સીસ્ટમ શરૂ કરી શકે છે. નાણા મંત્રાલય આવતીકાલ સોમવારે આ કરમાળખામાં સુધારાની જાહેરાત કરે તેવી સંભાવના છે. જેમાં નવી રીટર્ન સીસ્ટમ, કેશ લેજર સીસ્ટમ (રોકડ ખાતા પ્રણાલી)ને તર્કસંગત બનાવવા અને સિંગલ રીફન્ડ, ડિસ્બર્સિંગ મિકેનિઝમ સહિતની બાબતો સામેલ થઈ શકે છે.
કોર્પોરેટ બાબતોના રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર આવતીકાલે જીએસટી સંબંધિત કાર્યક્રમની અધ્યક્ષતા સંભાળશે અને તેમની સાથે આમાં વિભિન્ન વિભાગોના મુખ્ય સચિવો અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. નાણા મંત્રાલયની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય અર્થતંત્રમાં જીએસટીનું આગમન બાજી પલટાવનારું બની રહ્યું છે. તેનાથી બહુસ્તરીય જટિલ કરમાળખું સરળ અને પારદર્શી બન્યું છે. 1 જુલાઈથી પ્રાયોગિક ધોરણે નવી રીટર્ન સીસ્ટમ લાગુ કરી દેવામાં આવશે અને 1 ઓક્ટોબરથી તે ફરજિયાત બની જશે.
એક રોકડ ખાતાના સંદર્ભમાં સરકારે તેને તર્કસંગત બનાવતા 20 બાબતોને પાંચ મુખ્ય વર્ગમાં સામેલ કરશે. ટેક્સ, વ્યાજ, પેનલ્ટી, ફી અને અન્ય આવી બાબતો માટે એક જ રોકડ ખાતુ રહેશે. આ ઉપરાંત સિંગલ રીફન્ડ, ડિસ્બર્સિંગ મિકેનિઝમમાં તમામ ચાર મુખ્ય બાબત એટલે કે સીજીએસટી, એસજીએસટી, આઈજીએસટી અને સેસ માટે રીફન્ડની એક જ વ્યવસ્થા અમલી બનશે.
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :