CM રૂપાણી સાથે ઉઝબેકિસ્તાન ગયેલા GJEPC રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયાએ મહત્વના MOU કર્યા
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
હીરા ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા આનુષંગિક ઉદ્યોગોના હિત માટે સતત પ્રયાસો કરી રહેલા સૂરત સ્થિત જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રાદેશિક ચેરમેન અને સ્થાનિક હીરા ઉદ્યોગ આગેવાન શ્રી દિનેશ નાવડીયા હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાથે ઉઝબેકિસ્તાન દેશની બિઝનેસ ટૂર પર છે.
ઉઝબેકીસ્તાનની ગોલ્ડ માઇન્સ તેમજ હીરાની લે-વેચ અંગે મહત્વના એમ.ઓ.યુ. સાઇન કરવામાં આવ્યા
ઉઝબેકિસ્તાનમાં આવેલી સોનાની ખાણ સાથે વિવિધ પાસાઓ પર ભવિષ્યમાં બેઝનેસ બ્રિજ બની શકે કે કેમ એ અંગેની શક્યતાઓ તપાસવા માટે એક મહત્વનો એમ.ઓ.યુ. સાઇન કરવામાં આવ્યો છે. જીજેઇપીસી રિજિયોનલ કાઉન્સિલ વતી શ્રી દિનેશ નાવડીયાએ આ ડીલ સાઇન કરી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી સાથે ઉઝબેકિસ્તાનની બિઝનેસ ટૂર ગયેલા સુરતના હીરા ઉદ્યોગપતિ અને હાલ જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડીયા તેમજ સૂરતના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી મુકેશભાઇ પટેલ તથા અન્ય ડેલિગેટ્સની યાદગાર તસ્વીર
ઉઝબેકિસ્તાન સ્થિત ગોલ્ડ માઇન્સ સાથે ભવિષ્યમાં કોઇ બિઝનેસ ડિલ સંભવ છે કે કેમ એ અંગે સ્ટડી હાથ ધરવામાં આવશે. ટૂંક સમયમાં સ્થાનિક ઉદ્યોગપતિઓ આ શક્યતાઓ તપાસવા માટે ઉઝબેકિસ્તાનની મુલાકાત લે એ રીતે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી સાથે ઉઝબેકિસ્તાનની બિઝનેસ ટૂર ગયેલા સુરતના હીરા ઉદ્યોગપતિ અને હાલ જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન તરીકે ફરજ અદા કરી રહેલા શ્રી દિનેશ નાવડીયા
એવી જ રીતે ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ દ્વારા ડાયમંડ સપ્લાય મળી શકે કે કેમ એ અંગે પણ સમજૂતિ કરવામાં આવી રહી છે. એવી જ રીતે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી ડિસેમ્બર 2019માં યોજાઇ રહેલા સ્પાર્કલ પ્રદર્શનમાં ભાગ લેવા માટે પણ તેમને નિમંત્રિત કરવામાં આવ્યા હોવાનું દિનેશભાઇ નાવડીયાએ જણાવ્યું હતું.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર માટે ૧૮.૬ ટકાના વધારા સાથે રૂ. ૧૧,૨૬૨ કરોડનો ચોખ્કો નપો નોંધાવ્યો છે, જે જુલાઇ-સપ્ટેમ્બરના પાછલા વર્ષના સમયગાળામાં રૂ. ૯૫૧૬ કરોડના સ્તરે હતો. કોન્સોલિડેટેડ રેવન્યૂ વધીને રૂ. ૧૬૩૮૫૪ કરોડના સ્તરે પહોંચી હતી. એ જ સાથે રિલાયન્સ જિઓએ બીજજા ક્વાર્ટરમાં ૪૫.૫ ટકાના વધારા સાથે રૂ. ૯૯૦ કરોડનો ચોખ્ખો નપો અન્ે ૩૩.૭ ટકાના વધારા સાથે રૂ. ૧૨,૫૩૪ કરોડની ઓપરેટીંગ રેવન્યૂ નોંધાવી હતી.
દરમિયાન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી નવ લાખ કરોડ રૂપિયાના કેપીટલ વાળી દેશની પહેલી કંપની બની ગઇ છે. કંપનીના શેરમાં શુક્રવારના રોજ ૧.૭ ટકાનો ઉછાળો આવતા વેલ્યુએશન વધીને ૯.૦૧ લાખ કરોડ રૂપિયા પહોંચી ગયા. ગત વર્ષે સરકારી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને પાછળ છોડતા રીલાયન્સ સૌથી વધુ નફો કરતી કંપની બની ગઇ હતી.
અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વૉર, હૉંગકૉંગ ખાતે થઈ રહેલા દેખાવો અને મધ્ય પૂર્વના દેશોમાં વૅલ્યુ એડેડ ટૅક્સ (વેટ)નો અમલ થતાં આ વર્ષે દેશની જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં અંદાજે પાંચથી દસ ટકાનો ઘટાડો થવાની શક્યતા જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે વ્યક્ત કરી છે.
GJEP કાઉન્સિલના વાઈસ ચેરમેન કોલિન શાહ
વર્તમાન નાણાકીય વર્ષના પહેલા છ મહિનામાં અર્થાત્ એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ખાસ કરીને અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વૉર ચાલુ રહેતાં અમેરિકા ખાતેની નિકાસમાં ઘટાડો થતાં કુલ નિકાસ ગત સાલના સમાનગાળાના ૧,૪૦,૧૫૮.૮૩ કરોડ સામે ૫.૭૦ ટકાથી ઘટીને ૧,૩૨,૧૭૦.૩૨ કરોડની સપાટીએ રહી હોવાનું કાઉન્સિલના વાઈસ ચેરમેન કોલિન શાહે જણાવ્યું હતું.
વધુમાં હૉંગકૉંગ ખાતે ચીનના વિરોધમાં થઈ રહેલા દેખાવો અને મધ્ય પૂર્વના દેશોમાં જાન્યુઆરી ૨૦૧૮થી વેટનો અમલ થતાં દેશની જેમ્સ અને જ્વેલરીની નિકાસ પર વિપરીત અસર પડી હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે હાલનું આ વલણ જોતાં વર્તમાન નાણાકીય વર્ષમાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ ગત સાલની સરખામણીમાં પાંચથી દસ ટકા જેટલી ઘટે તેવી શક્યતા નકારી ન શકાય.
નોંધનીય બાબત એ છે કે ગત સપ્ટેમ્બર મહિનામાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ સપ્ટેમ્બર ૨૦૧૮ના રૂ. ૨૫,૬૯૮.૬ કરોડ સામે ૭.૪૩ ટકાથી ઘટીને ૨૩,૭૮૮.૦૧ કરોડની સપાટીએ તેમ જ કટ અને પૉલિશ્ડ ડાયમંડની નિકાસ ૧૮.૮૭ ટકાથી ઘટીને રૂ. ૧૩,૮૭૪ કરોડ (રૂ. ૧૭,૧૦૧.૪૫ કરોડ)ની સપાટીએ રહી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે હાલમાં આર્થિક મંદીનો સિનારિયો અને નબળી ગ્રાહકલક્ષી માગને ધ્યાનમાં લેતાં તહેવારોની મોસમમાં પણ માગ દબાણ હેઠળ રહે તેવી શક્યતા છે.
સૂરત, ભીવંડી, મુંબઇ, અમદાવાદના ઉદ્યોગ-ધંધાર્થીઓ RCEP અંગે કેન્દ્ર પાસે માગશે જાણકારી
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
આગામી નવેમ્બર 2019માં જેના પર ભારત સરકાર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરશે એ રિજિયોનલ કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમીક પાર્ટનરશીપ RCEP થી સૂરત, મુંબઇ, ભીવંડી વગેરેમાં વિકસેલા ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી અસર થશે અને એવો પણ ભય છે કે સ્થાનિક ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ નામશેષ થઇ જાય. ચાઇના, હોંગકોંગ સમેતના દેશો સામે ભારતીય ઉત્પાદકો ટક્કર આપી નહીં શકે એવા RCEP અને 16 દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ શું કામ અને કેન્દ્ર સરકારનો હેતુ શું એવી વિગતો માગવાનો નિર્ણય આજે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ RCEPના મુદ્દે યોજાયેલી તમામ ઘટકસંઘોના આગેવાનોની બેઠકમાં લેવામાં આવ્યો હતો.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ કેતન દેસાઇ અને ઉપપ્રમુખ દિનેશભાઇ નાવડીયાએ સૂચિત RCEP સામે સ્થાનિક ઉદ્યોગકારો, કારખાનેદારો વતી કેન્દ્ર સરકાર સામે કેવી રીતે રજૂઆત કરી શકાય એ માટેનો સેન્સ લેવા માટે આજે બેઠક યોજી હતી. જેમાં સૂરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા યાર્ન, વિવીંગ, નીટીંગ, ટ્રેડિંગ અને ગારમેન્ટિંગ તમામ સેક્ટર સાથે સંકળાયેલા તમામ ઘટક સંઘો, અગ્રણી ઉધોગગૃહો તેમજ ઉદ્યોગપતિઓ ઉપરાંત મહારાષ્ટ્રના મુંબઇ, ભીવંડી અને અમદાવાદ જેવા વિસ્તારોમાંથી ઉદ્યોગપતિઓએ ભાગ લઇને RCEP અંગે પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા.
બપોરે 4 વાગ્યે શરૂ થયેલી મિટીંગમાં 135 મિનિટ જેટલી મેરેથોન ચર્ચા ચાલી હતી. તમામનો સૂર એક જ હતો કે રિજિયોનલ કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ અન્વયે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટને કારણે સ્થાનિક ઉત્પાદકો, વેપારીઓને મોટું નુકસાન છે કેમકે ચીન, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવા દેશો બિલકુલ આસાનીથી ભારતના માર્કેટમાં પોતાના માલ કોઇપણ પ્રકારના ટેક્સ, ચાર્જ વગર ખડકી દેશે. સૂરત સમેત ભારતના ઉદ્યોગ પાસે એવી ક્વોલિટીનો માલ નથી હોતો કે નથી બનતો જે બહારના દેશોના ઉત્પાદકો બનાવી શકે. આથી સ્થાનિક ઉદ્યોગો પાયમાલ થઇ જશે.
RCEPની સૌથી માઠી અસર ટેક્સટાઇલ ઉદ્યોગકારો પર પડવાની પૂરેપૂરી શક્યતા છે. 135 મિનિટની મેરેથોન ચર્ચાના અંતે એવો નિષ્કર્ષ આવ્યો કે RCEP રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપનો મુસદ્દો જ ચેમ્બર ઓફ કોમર્સ કે અન્ય કોઇ સંસ્થા સંગઠન પાસે નથી, તો કેન્દ્ર સરકારને કે અન્ય અધિકારીઓ સમક્ષ રજૂઆતો શું કરવી, પરીણામે બેઠકના અંતે સર્વાનુમતે એવું નક્કી કરાયું કે બનતી ત્વરાએ કેન્દ્ર સરકારના સક્ષમ મંત્રી પાસે સમય માગીને સૂચિત RCEP નો મુસદ્દો તેમજ કેન્દ્ર સરકારની આ વિષયે શું નીતિ રહેવાની છે એની જાણકારી માગવામાં આવે અને એ પછી ભાવિ લડત કે રજૂઆતોનું સ્વરૂપ નક્કી કરવામાં આવે.
આજની બેઠકમાં ધારદાર રજૂઆતો કરનારાઓમાં
રજનિકાંતભાઇ બચકાણીવાળા – ચેમ્બર પાસે ડેટા બેઝ, ઇકોનોમિસ્ટસ હોવો જોઇએ
નારાયણભાઇ અગરવાલ – એન્ટીંગ ડમ્પીંગ ડ્યૂટીના ઇશ્યુઝ પર લડવું જોઇએ
નવીનભાઇ ઠક્કર – આક્રમક રજૂઆતો જરૂરી
મિતિશભાઇ મોદી (સી.એ.) – તમામ ઉદ્યોગકારો વતી મુદ્દાસર લડત જરૂરી
બ્રિજેશભાઇ ગોંડલિયા – RCEP થી ટેક્સટાઇલના કોઇ સેક્ટરને ફાયદો નથી
લલિતભાઇ ચાંડક – એક થઇને લડવું એ જ સાચી દિશાની લડત
હેમંતભાઇ દેસાઇ– ઇનડાયરેક્ટ ટેક્સીસ સામે સરકારને કહેવું જોઇએ
સમેત અનેક આગેવાનોઓ RCEPના મુદ્દા પર પોતપોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા.
બહારગામથી આવેલા ઉદ્યોગકારોએ શું કહ્યું
ભીવંડી પાવરલૂમ્સ વિવર્સ એસોએશનના આગેવાન પૂનિત ખીમસીયા, સરોશ શેખ, હિરેનભાઇ નાગરા, મુંબઇના અનુરાગ પોદ્દાર સમેત અનેક આગેવાનોએ ઉપસ્થિત રહીને એક સાથે લડત આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
ભીવંડી પાવરલૂમ એસોસિએશનના શ્રી પુનીત ખીમસીયાએ જણાવ્યુ હતુ કે, ભારત નવેમ્બર ર૦૧૯માં ૧પ જેટલા દેશો આરસેપ અંગેનો કરાર કરવા જઇ રહી છે. આ દેશોમાં ચાઇનાનો પણ સમાવેશ થાય છે. ચાઇના ખૂબ જ મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો ભારતમાં ડમ્પ કરશે. જેની માઠી અસર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની આખી ચેનલ ઉપર પડશે.
ભીવંડીના શ્રી સરોજભાઇએ જણાવ્યુ હતુ કે, ચાઇના પાસે અત્યારે પ૦ બિલીયન ડોલરનો માલ પડેલો છે. આરસેપ કરારમાં ભારત સિવાય અન્ય કોઇ વિશાળ માર્કેેટ ચાઇના માટે નથી. ભારતે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને ટકાવી રાખવા માટે કેપીટલ કોસ્ટ ઘટાડીને ઇન્ફ્રાસ્ટ્રકચર પુરુ પાડવુ પડશે. ઇન્ડસ્ટ્રીને પગભર થવા માટે પાંચથી દસ વર્ષનો સમય આપવો જોઇએ.
આદિત્ય બિરલા ગૃપમાંથી શ્રી કિરણભાઇ પંડયાએ જણાવ્યુ હતુ કે, ચાઇનાને કોઇપણ હિસાબે તાત્કાલિક વિશાળ માર્કેટ જોઇએ. તેને પોતાની નજીકનું માર્કેટ ભારતમાં જ મળી રહેશે. આરસેપ કરાર થતાની સાથે જ ચાઇના પોતાની પાસેનો કાપડનો તમામ જથ્થો ભારતના વિશાળ માર્કેટમાં ડમ્પ કરશે. જેથી વિસ્કોસ વેલ્યુ ચેઇન આખેઆખી ડિસ્ટર્બ થશે. સરકારના મેક ઇન ઇન્ડીયા પ્રોજેકટને પણ ગંભીર અસર થશે.
ચેમ્બર પ્રેસિડેન્ટ કેતન દેસાઇએ શું કહ્યું
ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ અંતે એવુ સૂચન કર્યુ હતુ કે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના દરેક સેકટરના આગેવાનો મળીને દસથી પંદર જણાનુ એક પ્રતિનિધી મંડળ ચેમ્બરના નેજા હેઠળ નવી દિલ્હીમાં મિનિસ્ટ્રી ઓફ કોમર્સને મળશે. આરસેપ કરાર કરવામાં સરકારને શું રસ છે તે બાબત સમજીને સરકારશ્રીને આ અંગે અસરકારક રજૂઆત કરવામાં આવશે. પ્રમુખશ્રીના આ સૂચનને સર્વેએ આવકાર્યુ હતુ અને નવી દિલ્હી ખાતે મિનિસ્ટ્રી ઓફ કોમર્સને મળવાનું નકકી કરવામાં આવ્યુ હતુ. ટેક્ષ્ટાઇલ બાદ ડેરી, એગ્રી અને હેવી સહિતની અન્ય ઇન્ડસ્ટ્રીની મુશ્કેલી સમજવા માટે પણ ચેમ્બરમાં મિટીંગનું આયોજન કરવાનું નકકી થયુ હતુ.
સુરત સહિત દક્ષિણ ગુજરાતના ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના વિવિંગ, નીટિંગ, સ્પીનર્સ, પ્રોસેસિંગ અને ગારમેન્ટીંગ સેકટરના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહયા હતા. આ ઉપરાંત મુંબઇ, ભીવંડી, માલેગાંવ, ઇચ્છલકરંજી અને અમદાવાદ ખાતેથી વિવિધ પાવરલૂમ્સ એસોસિએશનના પ્રતિનિધીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ મિટીંગમાં ઉપસ્થિત સર્વેએ આરસેપથી ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને ભય હોવાનો મત વ્યકત કરી આરસેપથી ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને દૂર રાખવા માટે સરકારશ્રી સમક્ષ રજૂઆત કરવાનુ નકકી કરવામાં આવ્યુ હતુ.
(ભારતમાં હવે જેની બૂમો ઉઠવાની છે એ વિશે જાણો) RCEP શું છે ? કેમ RCEPથી ભારતમાં ફફડાટ? વાંચો A to Z
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
(સૂરતના જાણીતા સી.એ. શ્રી મિતીશ મોદી સાથે થયેલી વાતચીત તેમજ અન્ય સમાચાર માધ્યમોના અભ્યાસ પરથી તૈયાર કરેલી વાંચન સામગ્રી)
ભારતમાં વિવિધ ચીજવસ્તુઓના ઉત્પાદકોથી લઇને વ્યાપારીઓને ખરી ચિંતા હાલના મંદીના માહોલ કરતા RCEP ની છે. સમગ્ર ભારતના ઉદ્યોગ, ધંધા, વ્યાપાર જગતમાં હાલ એક જ મુદ્દો ચર્ચાસ્પદ છે અને એ છે RCEP.
RCEP એટલે શું
અંગ્રેજીમાં RCEP નું ફુલફોર્મ થાય છે Regional Comprehensive Economic Partnership. Regional Comprehensive Economic Partnership એ પ્રપોઝ્ડ (સૂચિત) કરાર છે જે દુનિયાની અડધી વસતિ ધરાવતા 19 દેશો વચ્ચે થવા જઇ રહ્યો છે. Regional Comprehensive Economic Partnership એ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફ.ટી.એ.) છે. Regional Comprehensive Economic Partnership માં જોડાનારા દેશો વચ્ચે જો આ પાર્ટનરશીપ પર સહીસિક્કા થઇ જાય તો 19 દેશો વચ્ચે કોઇપણ પ્રકારની વ્યાપારીક સીમાઓ નહીં રહે. ગમે તે દેશ ગમે તે દેશમાં ગમે તેટલો માલ સપ્લાય કરી શકે, વ્યાપાર કરી શકે અને એ બિલકુલ ટેક્સ ફ્રી. Regional Comprehensive Economic Partnership અન્વયે કોઇપણ પ્રકારનો ટેક્સ કોઇપણ દેશ લાદી શકશે નહીં કે વસૂલ કરી શકે નહીં તેવી જોગવાઇ Regional Comprehensive Economic Partnership માં કરવામાં આવી છે.
RCEP માં કયા કયા દેશો જોડાઇ રહ્યા છે
RCEP માં દક્ષિણ પૂર્વી એશિયાને દેશો જેવા કે બ્રુનેઇ, કમ્બોડિયા, ઇન્ડોનેશીયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ અને વિએટનામ ઉપરાંત ચીન, જાપાન, ભારત, સાઉથ કોરીયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે. આ દેશો વચ્ચે સંભવત આગામી નવેમ્બર 2019માં સહીસિક્કા થાય તેવી સંભાવનાઓ જોતા ભારતમાં RCEP સામે મોટી જંગ છેડાઇ ચૂકી છે અને એ ત્યાં સુધી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ RCEP નો આખો મુદ્દો હાથ પર લેવો પડ્યો છે. ઉપરોક્ત દેશો વચ્ચે RCEP કરાર થઇ જાય તો ભારતના ઉત્પાદકો અને વ્યાપારીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે એમ છે કેમકે ભારતમાં ઉત્પાદિત ચીજવસ્તુઓની ગુણવત્તા, કિંમત, પડતર વગેરે બીજા દેશોને ટક્કર આપી શકે તેમ નથી. આમ, RCEP ભારતના સમગ્ર માર્કેટને ગળી જાય એવી દહેશત સેવાય રહી છે.
સૌથી મોટી દહેશત ભારતના બજારોમાં ચાઇનીઝ માલના ગંજ ખડકાય જશે
RCEP એગ્રીમેન્ટ થાય તો સૌથી મોટી દહેશત એ છે કે હાલમાં ચીનથી ઇમ્પોર્ટ થતાં માલસામાન પર થોડા ગણા નિયંત્રણો લદાયેલા છે પણ જો RCEP લાગૂ થાય તો પછી ચીનનો માલ ભારતમાં આવતા કોઇ રોકી શકશે નહીં કે તેના પર કોઇ ટેક્સ લાગૂ થશે નહીં. સૌથી મોટી અસર ટેક્સટાઇલ અને ડેરી ઉદ્યોગ પર પડે તેવી શક્યતા છે.
RCEPની વ્યાપક અસર સૂરત પર વર્તાશે
જાણકારો કહે છે કે RCEPની સૌથી મોટી અસર સૂરતના અર્થતંત્ર પર વર્તાવાની શક્યતા છે. હાલમાં આમેય ચાઇનીઝ બનાવટના કાપડ વાયા બાંગ્લાદેશ, શ્રીલંકા થઇને ઇન્ડિયામાં ડમ્પ થઇ રહ્યા છે પણ RCEPના આવ્યા બાદ તો ચાઇનાનો માલ ખુલ્લે આમ ભારતમાં ખડકાશે અને સૂરતમાં ઉત્પાદિત કાપડના વેચાણ સામે મોટું જોખમ ઉભું થાય તેમ છે. એવી જ રીતે ગુજરાતના મોટામાં મોટા ડેરી ઉદ્યોગમાં ગણના પામતી સૂરતની સુમુલ ડેરી પર પણ RCEP ના આગમન બાદ મોટી અસર થવાની શક્યતા છે. RCEPના પાર્ટનર કન્ટ્રીમાં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે આ બન્ને દેશો દૂધ અને દૂધની બનાવટો ભારતના બજારોમાં બેરોકટોક મોકલશે. સ્વાભાવિક છે કે ભારતની પ્રોડક્ટસ સામે ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયાની પ્રોડેક્ટસની ગુણવત્તા, કોસ્ટ બધી રીતે સારી હોઇ, સ્થાનિક ઉત્પાદકોને મોટી અસર પહોંચે તેવી શક્યતા છે.
ડેરી ઉદ્યોગ પર RCEPની મોટી અસર થશે એ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ પણ સારી રીતે જાણે છે અને છેલ્લા એક વર્ષથી એન.ડી.ડી.બી. RCEP સામે ઝુંબેશ ચલાવી રહી છે.
નવેમ્બર 2019માં RCEP એગ્રીમેન્ટ પર સહીસિક્કા કરવાની મુદત
આગામી નવેમ્બર 2019માં કહેવાય છે કે ભારતે RCEPમાં જોડાવું છે કે નહીં એ નક્કી કરી દેવું પડશે. RCEP 2012માં આકાર પામ્યો હતો એ પછી અનેક વાંધા, સૂચનો વગેરે વચ્ચે ભારત અત્યાર સુધી RCEPથી દૂર રહ્યું છે પરંતુ, હવે RCEP સાથે જોડાયેલા બાકી દેશો ભારત પર આ કરાર અંગે નિર્ણય લેવાનું દબાણ બનાવી રહ્યા છે. પરીણામ ભારતના વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદીએ RCEP સંબધિત તમામ મુદ્દાઓ હાથ પર લીધા છે.
ઇકોનોમિક ટાઇમ્સનો રિપોર્ટ, લિંક ક્લીક કરીને વાંચો મોદીએ કેમ હાથ પર લેવા પડ્યા આરસેપના મુદ્દાઓ
સૂરતમાં ચેમ્બર ઓફ કોમર્સે 16મી ઓક્ટોબર 2019ના રોજ મહત્વની મિટીંગ યોજી
સૂરતમાં RCEP અંગે ભવિષ્યની રણનીતિ શું, સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનું સ્ટેન્ડ કેવું રહેશે, કેવી રીતે સરકાર અને કેન્દ્રને સૂરતના ઉદ્યોગોને પડનારી RCEP ની અસરોથી માહિતગાર કરવામાં આવશે એ અંગે હાલમાં શહેરના જાણીતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ શ્રી મિતિશભાઇ મોદી RCEP ના તમામ પાસાઓની ચકાસણી કરી રહ્યા છે. આ અંગે એક અગત્યની બેઠક તા.16મી ઓક્ટોબર 2019ના રોજ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજવામાં આવી છે.
RCEP in Brief
The Regional Comprehensive Economic Partnership (RCEP) is a
proposed free trade agreement (FTA) between the ten member states of the
Association of Southeast Asian Nations (ASEAN) (Brunei, Cambodia, Indonesia,
Laos, Malaysia, Myanmar, the Philippines, Singapore, Thailand, Vietnam) and its
six FTA partners (China, Japan, India, South Korea, Australia and New Zealand).
RCEP negotiations were formally launched in November 2012 at the
ASEAN Summit in Cambodia
the proposed RCEP would cover almost every
aspect of economy such as goods, services, investment, economic and technical
cooperation, intellectual property rights (IPR), rules of origin, competition
and dispute settlement.
ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ લિમિટેડે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૯ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ૧.૮ ટકાના વધારા સાથે રૂ. ૮,૦૪૨ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ. ૭,૯૦૧ કરોડનો થયો હતો. કંપનીની જુલાઇ-સપ્ટેમ્બરના ત્રિમાસિક સમયગાળાની કુલ આવક ૫.૮ ટકા રૂ. ૩૮,૯૭૭ કરોડ નોંધાઇ હતી જે, ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ. ૩૬,૮૫૪ કરોડના સ્તરે હતી. ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસે વચગાળાના તેમ જ સ્પેશિયલ ડિવિડંડની જાહેરાત કરી છે. કંપનીની ૧૦ ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં એક રૂપિયાની મૂળ કિંમતના શેરદીઠ પાંચ રૂપિયાનું બીજું વચગાળાનું ડિવિડંડ અને રૂ. ૪૦નું સ્પેશિયલ ડિવિડંડ જાહેર કર્યું છે. આ ડિવિડંડની ચુકવણી ૨૪ ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ કરવામાં આવશે, જેની રેકોર્ડ ડેટ ૧૮ ઓક્ટોબર, ૨૦૧૯ નક્કી કરાઈ છે.
રિતિક રોશન અને ટાઇગર શ્રોફ અભિનિત ફિલ્મ વોર બોક્સ ઓફિસ પર નવા નવા રેકોર્ડ સર્જી રહી છે. ફિલ્મે દશેરાના દિવસે સફળતાના નવા રેકોર્ડ સર્જી દીધા હતા. આ ફિલ્મે દશેરાના દિવસે 27 કરોડની કમાણી કરી લીધી હતી. જો કે મંગળવારના દિવસે આટલી જંગી કમાણીનો આ એક રેકોર્ડ છે. દરેક દિવસની કમાણીના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો ફિલ્મે હજુ સુધી 20 કરોડની કમાણી કરી દીધી છે. જે પહેલા સોમવારના દિવસે પણ રહી હતી.
બોક્સ ઓફિસ પર રીપોર્ટની વાત કરવામાં આવે તો ફિલ્મે પ્રથમ મંગળવારના દિવસે આશરે 27 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે આ ફિલ્મની કમાણી 200 કરોડથી ઉપર પહોંચી ચૂકી છે. આવી રીતે ફિલ્મે પ્રથમ સપ્તાહમાં જ 206 કરોડ રૂપિયાની જંગી કમાણી કરી લીધી છે. આ રીતે પ્રથમ સપ્તાહમાં 200 કરોડથી વધુની કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં તે સૌથી ઉપર રહી છે. તે પહેલા બાહુબલી, સુલ્તાન ફિલ્મે 200 કરોડની કમાણી કરી હતી. એક સપ્તાહમાં 200 કરોડની કમાણી રણબીર કપૂરની સંજુ પણ કરી ગઈ હતી.
વર્ષ 2019માં સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મોની વાત કરવામાં આવે તો આ ફિલ્મ સૌથી વધારે કમાણી કરી ગઈ છે. વર્ષ 2019માં કબીર સિંહ અને ઉરી સૌથી મોટી હિટ ફિલ્મ તરીકે રહી છે. એવી આશા છે કે બાકીની ફિલ્મોના આંકડાને આ ફિલ્મ પાર કરીને તમામ રેકોર્ડ તોડી નાંખશે.
એક્શનથી ભરપૂર ફિલ્મની વાત કરવામાં આવે તો આ ફિલ્મ 200 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. ફિલ્મમાં રિતિક રોશન અને ટાઇગરે હજુ સુધીનો સૌથી જોરદાર દેખાવ એક્શનના મામલે કર્યો છે. વાર્તા એક સિક્રેટ સોલ્જરની છે. જે રિતિક રોશન છે. જે દેશભક્તિના માર્ગે ટાઇગર શ્રોફની મદદ કરે છે. એક્શન ફિલ્મોના રસિયા લોકો માટે આ એક ધમાકેદાર ફિલ્મ છે. ફિલ્મમાં વાણી કપૂર પણ કામ કરી રહી છે. ફિલ્મ રજૂ કરવામાં આવી ત્યારથી લઇને હજુ સુધી આ ફિલ્મને લઇને ભારે ચર્ચા છે, કારણ કે ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સર્જી નાંખશે તેમ તો પહેલાથી જ માનવામાં આવી રહ્યું હતું.
હજુ ફિલ્મની કમાણી 300 કરોડના આંકડાને પાર કરી શકે છે. રિતિક રોશનની હાલમાં એક પછી એક ફિલ્મ સફળતા હાંસલ કરી રહી છે. તે પહેલા તેની સુપર 30 પણ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઈ હતી. હવે વોર ફિલ્મ રેકોર્ડ સફળતા હાંસલ કરી રહી છે. રિતિક ફરી એકવાર એક્શન ફિલ્મના મામલે તમામને ચોંકાવે તેવી સ્થિતિમાં આવી ગયો છે. વિતેલાં વર્ષોમાં પણ તે સુપરહિટ’ ફિલ્મો આપતો રહ્યો છે. વોર ફિલ્મમાં ગ્લેમર સ્ટાર તરીકે વાણી કપૂરને લેવામાં આવી છે. તેમની કેમિસ્ટ્રી જોરદાર રીતે જોવા મળી રહી છે. રિતિક રોશન સુપરસ્ટાર પૈકી એક તરીકે છે. હાલમાં અક્ષય કુમાર અને અજય દેવગનને પણ મોટા સ્ટાર તરીકે એક્શનમાં ગણવામાં આવે છે.’
જાહેરક્ષેત્રની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (જઇઈં)એ એમસીએલઆર’ આધારિત લોન પર વ્યાજદર ઘટાડવાનું એલાન કર્યું હતું. આ પગલાંથી લોન તો સસ્તી બની હતી પરંતુ ફિકસ્ડ ડિપોઝિટ (એફડી)ના વ્યાજ ઘટાડાતાં એફડી ધરાવનારાઓને ફટકો પડશે. બેન્કની વેબસાઈટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર તમામ સમયઅવધિની લોન પર વ્યાજના દરોમાં 10 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. નવા વ્યાજદર 10મી ઓક્ટોબરથી લાગુ થઈ જશે.
એસબીઆઈના નિવેદન મુજબ હવેથી બચત ખાતામાં 1 લાખ રૂપિયા સુધીની જમા રકમ પર 3.50 ટકાની જગ્યાએ 3.25 ટકા વ્યાજ મળશે. નવા દરો 1 નવેમ્બરથી લાગુ થશે.
ફિકસ ડિપોઝિટને લાગેવળગે છે ત્યાં સુધી 1 વર્ષની મુદ્દતની એફડીમાં વ્યાજદર હવે 6.40 ટકા, બે વર્ષ સુધીની બે કરોડથી વધુની એફડીના દર 6.00 ટકા કર્યા છે. નવા દરો 10 ઓકટોબરથી લાગુ થશે.
એક વર્ષની લોન પર હવે વ્યાજના દર ઘટીને 8.05 ટકા થઈ ગયા છે. પહેલાં આ દર 8.15 ટકા હતા. વર્તમાન નાણાકીય વર્ષમાં બેન્કે સતત છઠ્ઠી વખત વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો. હવે એક દિવસની લોન પર વ્યાજદર 7.80 ટકામાંથી ઘટીને 7.70 ટકા, એક મહિનાના લોન પર વ્યાજના દર ઘટીને 7.70 ટકા, ત્રણ મહિનાની લોન પર આ દર ઘટીને 7.75 ટકા, છ મહિના માટે વ્યાજદર 7.90 ટકા, એક વર્ષ માટે 8.05 ટકા, બે વર્ષ માટે 8.15 ટકા અને ત્રણ વર્ષ માટે વ્યાજદર ઘટીને 8.25 ટકા થઈ ગયાં છે.
જો કે બેન્કે રેપો રેટ આધારિત લોન (આરએલએલઆર) પર વ્યાજના દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઉલ્લેખનીય છે કે પહેલી ઓક્ટોબરથી બેન્કે હોમ લોનને રેપો રેટથી જોડી દીધી હતી. આ પહેલાં બેન્કે 9 સપ્ટેમ્બરના એમસીએલઆર આધારિત વ્યાજદરોમાં ઘટાડો કર્યો હતો.
દિવાળી આખર તારીખમાં, એવું પણ બને કે અનેક નોકરીયાતોને દિવાળી પહેલા પગાર (એડવાન્સમાં) ન પણ મળે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
માર્કેટમાં હાલ અંડરટોન મંદી તરફી છે, નાણાંભીડની અભૂતપૂર્વ સ્થિતિ હોવાની દશેરાના તહેવારોની નબળી ખરીદીએ પ્રતીત કરાવી દીધું છે. સુરત વ્યાપારીક શહેર છે, ઉદ્યમીઓથી ભરેલું શહેર છે, નાના-મધ્યમ વર્ગના ધંધાર્થીઓ, કારખાનેદારોથી ભરેલું શહેર છે. બેથી 15-20 કર્મચારીઓ ધરાવતા કારખાનેદારો, વ્યાપારીઓની સંખ્યા અહીં લાખો છે. આવી સ્થિતિમાં દિવાળી આ વખતે બરાબર મહિનાની આખર તારીખમાં આવી રહી છે.
વ્યાપારીઓ-કારખાનેદારોએ ગત સપ્ટેમ્બર 2019 મહિનાનો પગાર નવરાત્રીના તહેવારો દરમિયાન કારીગર-કર્મચારીઓને ચૂકવી દીધો છે અને હવે દિવાળી આખર તારીખમાં હોઇ, ચાલુ ઓક્ટોબર 2019નો પગાર પણ દિવાળી પહેલા ચૂકવવો પડશે અને તેની સાથે જે ધંધાર્થીઓ કર્મચારીઓ, કારીગરો, કામદારોને બોનસ ચૂકવતા હોય તો એ પણ ચાલુ મહિને જ ચૂકવવું પડે તેવી નોબત આવી છે. સુરતમાં ઘણાં વેપારીઓ આ સ્થિતિને પામી ચૂક્યા છે અને તેમના નવરાત્રીના તહેવારોમાં દિવાળીની કેશ મેનેજમેન્ટનું ટેન્શન થઇ ગયું હતું.
Symbolic Photo
માર્કેટ મિડીયમ ચાલતું હોત તો આ ખર્ચા નીકળી શક્યા હોત, પણ મંદી છે એટલે મોટી મુશ્કેલી
23 જણાનો સ્ટાફ ધરાવતા ટેક્સટાઇલ કારખાનેદાર રતીલાલે જણાવ્યું કે દિવાળીના તહેવારોમાં બે વખત (10-12 દિવસ એડવાન્સ) પગાર ચૂકવવો પડે તેવા સંજોગો ભૂતકાળમાં પણ સર્જાયા હતા પણ એ વખતે માર્કેટમાં ઘરાકી હતી અને થોડું જોર લગાડીને એડવાન્સ પગાર માટેની કેશની ગોઠવણ થઇ જતી હતી. પણ આ વખતે માર્કેટમાં મંદી છે અને એ આજકાલની નથી, ઘણા મહિનાઓથી ટર્ન ઓવર નીચું થઇ રહ્યું છે એટલે આ દિવસો કેમ જશે એ સમજાતું નથી.
કોર્પોરેટ સિસ્ટમમાં કદાચ ઓક્ટોબરનો એડવાન્સ પગાર ન પણ થાય
શહેરના જાણીતા લેબર કન્સલ્ટન્ટ કહે છે કે ઘણા ઉદ્યોગ, ધંધાઓ કોર્પોરેટ સિસ્ટમથી ચાલે છે. માર્કેટમાં હાલ મંદીનો માહોલ છે અને એવું પણ બને કે 5થી 7 તારીખ વચ્ચે દર મહિને પગાર કરતા એકમો દિવાળી પહેલા ઓક્ટોબર મહિનાનો પગાર ન પણ ચૂકવે. બોનસ કે કેશ જે સંસ્થઆની પરંપરા હોય તે અનુસાર કામદાર કર્મચારીઓને તહેવાર માટેની રોકડ ચૂકવવાનો અભિગમ પણ રાખે તો નવાઇ નહીં. અનેક એકમોમાં કર્મચારીઓ, કામદારો આ સિસ્ટમથી વાકેફ છે અને તેઓ પણ આ વખતે દિવાળી પહેલા એડવાન્સ પગાર નહીં મળે તો પારિવારીક તકલીફ પડશે એવી અનૂભુતિ કરી રહ્યા છે.
હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગોનું સ્ટેન્ડ આગામી દિવસોમાં ક્લીયર થશે
દિવાળી આખર તારીખમાં આવી રહી હોઇ, કામદારો, કર્મચારીઓને એડવાન્સમાં ઓક્ટોબર મહિનાનો પગાર દિવાળી પહેલા ચૂકવવો જોઇએ કે કેમ એ અંગે દશેરાનો પર્વ પૂર્ણ થયા બાદ હવે આગામી દિવસોમાં શહેરના બે મોટા ઉદ્યોગ હીરા અને ટેક્સટાઇલના ઉદ્યોગકારો, કારખાનેદારો નિર્ણય લેશે કે શું કરવું. માર્કેટની પરિસ્થિતિ જોતા સપ્ટેમ્બર અને ઓક્ટોબર એમ બે મહિનાનો પગાર અને સાથે દિવાળીમાં પેશગી, બોનસ કે એકમમાં જે શિરસ્તો ચાલતો હોય એ ત્રણેયને ભેગા કરવામાં આવે તો કારખાનેદારો અને કામ ઉદ્યોગકારોના રેવન્યુ ખર્ચમાં તોતિંગ વધારો થઇ શકે તેમ છે.
સૌથી મોટી મુશ્કેલી કામદાર-કર્મચારી વર્ગને
કામદાર કર્મચારીઓને પણ એ વાતનો અણસાર આવી ગયો છે કે આ વખતે દિવાળી આખર તારીખમાં છે અને માર્કેટમાં મંદીના ટોનને લઇને જો ઓક્ટોબર 2019નો પગાર એડવાન્સમાં નહીં મળે તો દિવાળીના તહેવારની ઉજવણી ફિક્કી પડે તેમ છે. મધ્યમવર્ગીય પરીવાર તેમજ નોકરીયાત વર્ગે પોતાના સેવિંગ્સમાંથી કરકસરપૂર્વક દિવાળીના ખર્ચા કરવા પડે તેવી સ્થિતિ સર્જાવા તરફ છે.
મૂડી-બચત ઘસાય, લોન ધિરાણ કે ઉછીના પાછીનાથી દિવાળીનું સેટિંગ થશે
જાણકારો કહે છે કે આ વખતે મંદીના માહોલમાં દિવાળીના ખર્ચાને પહોંચી વળવા માટે દરેક વર્ગના લોકો પોતાના રિર્ઝવ, સેવિંગ્સ, કેપિટલ જે રસ્તો સૌથી અનૂકુળ રહે તે અપનાવશે. ભૂતકાળમાં પણ આવા સંજોગો બન્યા હતા એના પરથી જ લોકો આ વર્ષે પણ દિવાળીનો રસ્તો કાઢશે. એવું બને કે મોટા કારખાનેદારો, વ્યાપારીઓ રેવન્યુ ખર્ચને પહોંચી વળવા માટે પોતાની મૂડી કેપિટલમાં થોડો ઘસારો વેઠે, મધ્યવર્ગીય પરિવારો, નોકરીયાતો સેવિંગ્સમાંથી દિવાળીને કેટલાક અનિવાર્ય ખર્ચાઓ કાઢે પણ ખરા, ઘણાં લોકો એવા પણ હશે કે દિવાળીના ખર્ચાઓને પહોંચી વળવા માટે લોન, ધિરાણ, ઉછીના રૂપિયા લાવીને પણ દિવાળીના તહેવારનું સેટિંગ કરશે એમ મનાય છે.
દેશના ૨૫૦ જિલ્લાઓમાં બૅન્કો દ્વારા લોન મેળા તા.3જી ઓક્ટોબર 2019 એટલે કે આજથી શરૂ કરવામાં આવ્યા છે.
તહેવારોના સમયગાળામાં ગ્રાહકોની માગને પહોંચી વળવા એમએસએમઈ અને રિટેલ ગ્રાહકોને ધિરાણ આપવાના કાર્યક્રમના ભાગરૂપે આ લોન મેળા યોજાશે. ચાર દિવસ દરમિયાન કૃષિ, વાહનો, ઘર, રીટેલ, એમએસએમઈ, શિક્ષણ અને વ્યક્તિગત કેટેગરીમાં સ્થળ પર જ લોન મંજૂર થશે.
પ્રથમ તબક્કામાં સ્ટેટ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા કામગીરી હાથ ધરશે
પંજાબ નેશનલ બૅન્ક, સ્ટેટ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા અને કોર્પોરેશન બૅન્ક સહિત તમામ બૅન્કો લોન મેળા માટે સજ્જ થઈ છે. પ્રથમ તબક્કામાં ૨૫૦ જિલ્લા પૈકી ૪૮ જિલ્લામાં સ્ટેટ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા ૧૭ જિલ્લામાં કામગીરી હાથ ધરશે. બરોડા કિશાન પખવાડાનુું પણ આયોજન થયું છે. બૅન્કની બ્રાન્ચ કૃષિ લોનને પ્રમોટ કરવા પર વિશેષ ધ્યાન આપશે.
ખાનગી ક્ષેત્રની બૅન્કોએ પણ રસ દર્શાવ્યો છે. બૅન્ક રિફોર્મનું વ્યવસ્થિત પ્રોસેસ થતું રહે છે. તમામ કેટેગરીમાં લોન મંજૂરીના કામ લોન મેળામાં થશે. ગ્રાહકોને તહેવારોમાં નાણાં સરળતાથી મળી રહેશે.
લોન વિતરણમાં તમામ નાણાકીય નોર્મ્સનું પાલન વિશે જાગૃતતા કેમ્પનું પણ આયોજન થશે. જાહેર ક્ષેત્રની બૅન્કો ઉપરાંત એનબીએફસી, સીડબી, એમએફ વિ. પણ ભાગ લેશે.
બીજા તબક્કામાં ૧૫૦ જિલ્લાને આવરી લેવાશે જે દિવાળી પહેલા ઑકટોબરની ૨૧થી ૨૫ દરમિયાન યોજાશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.