CIA ALERT

બિઝનેસ Archives - Page 57 of 90 - CIA Live

November 16, 2019
100281353-gold_bars_piles_gettyP.530x298.jpg
1min5920

સમગ્ર દુનિયામાં લોકો બચત ખાતા અને જીવન વીમા બાદ હવે સોનાની ખરીદીમાં સૌથી વધારે રોકાણ કરી રહ્યા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે પોતાના નવા હેવાલમાં આ મુજબનો દાવો કર્યો છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા પોતાના હેવાલમાં કહેવામાં આવ્યું છે કે સોનાની ખરીદી કરવા અને તેમાં રોકાણ કરવા અંગે લોકો ખાસ રસ ધરાવે છે. સોનામાં રિટેલ રોકાણ અને જ્વેલરી માર્કેટના સંબંધમાં નવા ટ્રેન્ડ અંગે માહિતી આપવામાં આવી છે.

રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સોનું સૌથી વધારે લોકોના પસંદગીનો વિકલ્પ બની રહ્યું છે. સંશોધનમાં કહેવામાં આવ્યું હતું કે’ 56 ટકા રિટેલ રોકાણકારોએ સોનામાં ખરીદીને પ્રાથમિકતા આપી છે. આનાથી વધારે લોકોએ બચત ખાતા અને જીવન વીમામાં રોકાણ કરવાને લઇને ઇચ્છા વ્યક્ત કરી છે.

સર્વેમાં સામેલ કરવામાં આવેલા લોકો પૈકી 78 ટકા લોકો એવા રહ્યા છે જે બચત ખાતામાં રોકાણ કરવાને લઇને વધારે પ્રાથમિકતા આપી રહ્યા છે. આવી જ રીતે 54 ટકા લોકો એવા છે જે જીવન વીમામાં રોકાણ કરવા માટે ઇચ્છુક છે.

‘આ રિસર્ચ રિપોર્ટ માટે 18000 લોકોને સર્વેમાં આવરી લેવામાં આવ્યા હતા. આ સર્વેમાં ચીન, ભારત, ઉત્તરી અમેરિકા, જર્મની અને રશિયા સહિતના દેશોના લોકોને આવરી લેવામાં આવ્યા હતા.

November 8, 2019
old_currency.jpg
1min8760

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આજથી બરાબર 3 વર્ષ અગાઉ તા.8મી નવેમ્બર 2016ના રોજ ભારતમાં રૂ.500 અને રૂ.1000ના દરની ચલણી નોટો રદ્ કરી દેવાના નિર્ણયનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો. ભારતીયો પાસે રૂ.500 અને રૂ.1000ની જે ચલણી નોટો હતી તેને બદલવા માટે તા.8મી નવેમ્બર 2016થી તા.30મી ડિસેમ્બર 2016 સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

3 વર્ષમાં ભારતીય ચલણી નોટોની સીકલ બદલાઇ ગઇ

2016ની 8મી નવેમ્બરથી શરૂ થયેલી જૂની નોટોની બંધી બાદ આજે તા.8મી નવેમ્બર 2019 સુધીમાં ભારતીય ચલણી નોટોની સિકલ જ બદલી દેવામાં આવી છે. 2000 રૂ.ની નવી નોટ સાથે રૂ.500ની પણ નવી નોટ બહાર પાડવામા આવી હતી. એ પછી તબક્કાવાર રીતે રૂ.200, રૂ.100, રૂ.50, રૂ.10ની નવી નોટો બહાર પાડવામાં આવી હતી. ત્રણ વર્ષમાં દરેક રકમની ચલણી નોટોની ડિઝાઇન બદલાઇ ચૂકી છે.

ટ્વીટર પર BlackDay ટ્રોલ

નોટબંધીની આજે ત્રીજી વરસીએ સોશ્યલ મિડીયામાં પ્રત્યાઘાત જોવા મળ્યા. ટ્વીટર પર બ્લેકડે ના હેશટેગ સાથે પાંચ હજારથી વધુ ટ્વીટ જોવા મળી રહી છે. કેટલીક ટ્વીટ ફોટા સાથે કરવામાં આવી છે. જેમકે

મોદી સરકાર પર વ્યંગ નાણાંમાં બધા રંગ છે, બ્લેક કરન્સી જ ગૂમ છે

ટ્વીટર પર આ ઇમેજ ભારે ટ્રોલ થઇ રહી છે. જેમાં ઇન્ડિયન કરન્સી નોટ્સમાં બધા જ કલર આવી ગયા છે પણ બ્લેક કરન્સી ગૂમ હોવા અંગેનો કટાક્ષ મોદી સરકાર પર કરવામા આવી રહ્યો છે.

500 અને 100ની જૂની નોટોને શ્રદ્ધાંજલિ

ટ્વીટર પર એક તસ્વીર આ પણ ખૂબ શેર થઇ રહી છે જેમાં રૂ.500 અને રૂ.1000ની જૂની નોટોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ ફોટોમાં જૂની નોટોને હાર પહેરાવવામાં આવ્યો છે.

2000ની નોટમાં ચીપ હોવા અંગેની અફવા પણ આ રીતે ફેલાવાઇ હતી

https://twitter.com/i/status/1192653963570466816

November 2, 2019
gst.jpg
1min5100

ઑક્ટોબરમાં તહેવારના દિવસો હોવા છતાં ગુડ્સ એન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી) પ્રાપ્તિ રકમ એક લાખ કરોડ રૂપિયાથી ઓછી રહી હતી. એક વર્ષ અગાઉના ઑક્ટોબરમાં ૧,૦૦,૭૧૦ કરોડ રૂપિયાનું કલેકશન નોંધાયું હતું જે વર્તમાન વર્ષના ઑક્ટોબરમાં ઘટીને ૯૫,૩૮૦ કરોડ રૂપિયા થયું હતું.

૨૦૧૯ના સપ્ટેમ્બર મહિનામાં જીએસટી કલેકશન ૯૧,૯૧૬ કરોડ રૂપિયા થયું હતું. નાણાં મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે સીજીએસટી રૂપિયા ૧૭,૫૮૨ કરોડ, એસજીએસટી રૂપિયા ૨૩,૬૭૪ કરોડ, આઈજીએસટી રૂપિયા ૪૬,૫૧૭ કરોડ (આયાત પર મળેલા ૭૭૪ કરોડ રૂપિયા સહિત) અને સેસ પેટે રૂ. ૭૬૦૭ કરોડ (આયાત પર મળેલા ૭૭૪ કરોડ રૂપિયા સહિત) રૂપિયા એમ ઑક્ટોબરમાં કુલ ૯૫,૩૮૦ કરોડ રૂપિયાની ગ્રોસ જીએસટી રેવન્યૂ પ્રાપ્ત થઈ હતી.

સપ્ટેમ્બર મહિના માટે (૩૦ ઑક્ટોબર સુધી) કુલ ૭૩.૮૩ લાખ જીએસટીઆર ૩બી રિટર્ન્સ ભરાયા હતા, તેવું નાણાં મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.

October 27, 2019
gjepc_logo.jpg
1min4940

વૈશ્ર્વિક આર્થિક મંદી અને સોનાના ભાવમાં તેજીનું વલણ રહ્યું હોવાથી વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં દેશની જેમ્સ અને જ્વેલરીની નિકાસ ગત નાણાકીય વર્ષની સરખામણીમાં પાંચથી સાત ટકા ઘટે તેવી શક્યતા છે.

જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની આંકડાકીય માહિતી અનુસાર ગત નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ખાસ કરીને વિકસીત દેશોની માગમાં ઘટાડો થતાં નિકાસ ૫.૩૨ ટકાથી ઘટીને ૩૦.૯૬ અબજ ડૉલરની સપાટીએ રહી હતી. ગત સાલ કુલ (ગ્રોસ) નિકાસ અંદાજે ૪૦ અબજ ડૉલરની રહી હતી, પરંતુ આ વર્ષે નિકાસમાં પાંચથી સાત ટકાનો ઘટાડો થવાની શક્યતા કાઉન્સિલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સવ્યસાચી રૅએ વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત કાઉન્સિલના ચેરમેન પ્રમોદકુમાર અગરવાલે સરકારને સ્થાનિક ઉત્પાદકોના હિત જાળવી રાખવા માટે ફિનિશ્ડ જ્વેલરીને આરસીઈપી (રિજિનલ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશીપ) હેઠળની પ્રસ્તાવિત ટ્રેડ ડીલમાંથી બાકાત રાખવાનો અનુરોધ કર્યો છે. વધુમાં કાઉન્સિલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સવ્યસાચી રૅએ અત્રે જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ ફેસિલિટેશનના ઉદ્ઘાટન પશ્ર્ચાત્ એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે કાઉન્સિલે ફિનિશ્ડ ડાયમંડ અને રંગીન રત્નો પરની આયાત જકાત જે હાલ ૭.૫ ટકા છે તે ઘટાડીને ૨.૫ ટકા કરવાની માગણી કરી છે, જ્યારે અગરવાલે વધુમાં જણાવ્યું હતું કે આ સેન્ટર ઉત્તર ભારત તરફથી નિકાસ વૃદ્ધિ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. આ સિવાય કાઉન્સિલે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સહયોગથી નવાં કોમન ફેસિલિટેશન સેન્ટર સ્થાપવાનું શરૂ કર્યુ છે અને આગામી સેન્ટરો દિલ્હી, જયપુર, કોઈમ્બતુર અને કોલકાતા ખાતે ખોલવામાં આવશે.

જોકે આગામી ચારથી પાંચ વર્ષમાં આ ક્ષેત્રની નિકાસ ૭૫ અબજ ડૉલરની સપાટીએ પહોંચવાની અને હાલમાં રોજગારોની સંખ્યા જે ૫૫ લાખની છે તેમાં ૧૫થી ૨૦ લાખનો ઉમેરો થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. આ ઉપરાંત નિકાસ વૃદ્ધિ માટે કાઉન્સિલ દેશભરના ક્લસ્ટર્સમાં જ્વેલરી પાર્ક સ્થાપવાની પણ યોજના ધરાવે છે, એમ તેમણે જણાવ્યું હતું

October 24, 2019
fmcg-1280x720.jpg
1min5210

રાજકોટ કન્ઝ્યુમર પ્રોડક્ટસ ડિસ્ટ્રીબ્યૂટર્સ એસોસીએશનના પ્રમુખ જીતેન્દ્ર અદાણી કહે છે, અમે રેકીટ, ડાબર, બ્રિટાનીયા, મેરિકો, ઇમામી અને ગોદરેજ એમ છ કંપનીઓના માલ ઉપાડવાનું બંધ કરી દીધું છે. સમગ્ર ગુજરાતના નાના-મોટાં 7 હજાર જેટલા ડિસ્ટીબ્યૂટરો તેને અનુસરી રહ્યા છે.’ ગત તા. 18મીથી માલ ઉઠાવવાનું બંધ કરી નાંખ્યું છે. પાંચ દિવસ પછી કંપનીઓ સાથે વાટાઘાટ ચાલી રહી છે.’ મોલ અને ડિસ્ટ્રીબ્યૂટર્સને અપાતા માલના સમાન ભાવ નહીં રાખવામાં આવે ત્યાં સુધી અમે બહિષ્કાર જાળવી રાખીશું.

ૉમોલ અને ડિસ્ટીબ્યૂટર મારફત વેંચાતી એફએમસીજી પ્રોડક્ટના ભાવમાં ભારે અસમાનતાને લીધે વર્ષોથી કંપનીઓનો માલ ખૂણે ખૂણે પહોંચાડતા ડિસ્ટ્રીબ્યૂટરોના ધંધા ઘસાવા લાગ્યા છે. કંપની બેવડી ભાવનીતિના જોરે માર્કેટ મેળવવા ઇચ્છતી હોય છે તેના કારણે ડિસ્ટ્રીબ્યૂટરોએ રોષે ભરાઇને આંદોલન છેડયું છે. છ દિવસથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવી છ-છ કંપનીઓનો માલ નહીં ઉપાડીને બહિષ્કાર કર્યો છે. કંપનીઓ વાટાઘાટ કરીને ભાવનીતિમાં બદલાવ ન કરે ત્યાં સુધી આંદોલન ચાલશે.

કંપનીઓની બે ભાવની નીતિનો અમારો વિરોધ છે તેમ તેમણે ઉમેર્યું હતુ. ડિસ્ટ્રીબ્યૂટર્સને કંપની ઉંચા ભાવે અને મોલને નીચાં ભાવથી માલ આપે છે. પરિણામે ગ્રાહક ડિસ્ટ્રીબ્યૂટર્સ પાસે માલ ખરીદવા જાય ત્યારે પોતે છેતરાતો હોવાનું અનુભવીને શંકા કરે છે. આમ ડિસ્ટ્રીબ્યૂટર્સ પાસે જતો ગ્રાહક મોલમાંથી જથ્થાબંધમાં સસ્તી પ્રોડક્ટ લઇને વેંચે છે. વેપારમાં આ રીતે અસમાનતા સર્જાય છે.

ઓનલાઇન કે મોલ બિઝનેસનો અમારો વિરોધ નથી. પરંતુ 15-25 જેટલા મોટાં બિઝનેસ જૂથો મોટાં બની રહ્યા છે અને નાનો વેપારી ફસાય રહ્યો છે, બેરોજગારી વધી રહી છે તેનો વિરોધ છે. કેટલીક કંપનીઓ હવે ડિસ્ટ્રીબ્યૂટર્સની ચેનલ દૂર કરીને સીધા જ વેચાણ કરવાના મૂડમાં છે એનાથી નાના વેપારીઓ ખતમ થઇ જશે. ખરેખર તો કંપનીઓએ નાના વેપારીઓ વિકસે અને વેપાર વધે તેવી નીતિ અપનાવવી જોઇએ પણ કંપનીઓ તેમને જ મારી રહી છે.

October 24, 2019
petrol-diesel-1.jpg
1min12690

દેશમાં વર્તમાન સમયમાં અંદાજીત 65000 પેટ્રોલ પંપ છે. જેમાં મોટાભાગના પંપની માલિકી સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દૂસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન પાસે છે. બજારમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, નાયરા એનર્જી અને રોયલ ડચ શેલ પણ છે પણ તેની ઉપસ્થિતિ સીમિત છે.

સરકારે ઈંઘણના છૂટક કારોબારને બિનપેટ્રોલિયમ કંપનીઓ માટે ખુલો મુક્યો છે. હવે એવી કંપનીઓ માટે પેટ્રોલ પંપ ખોલી શકશે જે પેટ્રોલિયમ ક્ષેત્રમાં નથી. માનવામાં આવે છે કે સરકારના નિર્ણયથી ઈંઘણના છૂટક કારોબારના ક્ષેત્રમાં પ્રતિસ્પર્ધા વધશે.

કેબિનેટ બેઠક બાદ જાણકારી આપતા કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, ઈંઘણના છૂટક કારોબારને પેટ્રોલિયમ કારોબારને પેટ્રોલિયમ ક્ષેત્રથી બહારની કંપનીઓ માટે ખોલવાથી રોકાણ અને પ્રતિસ્પર્ધા વધશે. વર્તમાન સમયમાં ઈંઘણના છૂટક કારોબારનો પરવાનો મેળવવા માટે કોઈ કંપનીને હાઈડ્રોકાર્બનની ખોજ, ઉત્પાદન, રિફાઈનિંગ કે પાઈપલાઈન ક્ષેત્રમાં 2000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જરૂર હતી.

જાવડેકરે કહ્યું હતું કે, આર્થિક મામલાની સમિતિએ વાહન ઈંઘણના વેપારનો અધિકાર આપવા સંબંધીત દિશાનિર્દેશોની સમીક્ષાને મંજૂરી આપી છે. એવી કંપનીઓ કે જેનો કારોબાર 250 કરોડ રૂપિયા છે તે ઈંઘણના છૂટક કારોબારના ક્ષેત્રમાં ઉતરી શકશે. આ માટે ઓછામાં ઓછા પાંચ પેટ્રોલપંપ ગ્રામ્ય વિસ્તારમાં ખોલવાની શરત રહેશે.

October 23, 2019
MSME-SSI-1280x782.jpg
1min6620

માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈસની (એમએસએમઈ) વ્યાખ્યામાં સરકાર ટૂંકમાં ફેરફાર કરશે એમ પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું. પાંચ વર્ષમાં એમએસએમઈ સેકટરમાં પાંચ કરોડ રોજગારી ઊભી થવાની આશા દર્શાવી હતી.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ઑગસ્ટમાં કહ્યું હતું કે, એમએસએમઈ એકટમાં સુધારો કરવા સરકાર વિચારશે.

એમએસએમઈની એક જ વ્યાખ્યા કરાશે. કરવેરા, ઈન્વેસ્ટમેન્ટ વિ. બાબતમાં એક જ વ્યાખ્યા રહેશે. તે માટે એમએસએમઈ એકટમાં સુધારો કરાશે. ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસની સ્થિતિમાં સુધારો થશે.

ગત વર્ષે ફેબ્રુઆરીમાં કેબિનેટે એમએસએમઈ વર્ગીકરણ માટે પ્લાન – મશીનરીમાં રોકાણથી બદલીને વાર્ષિક ટર્નઓવરનો માપદંડ કરવા કાનૂનમાં સુધારાને મંજૂરી આપી હતી.એમએસએમઈની વ્યાખ્યામાં સૂચિત ફેરફાર ટૂંક સમયમાં અમલી બનાવાશે, એમ ગડકરીએ કહ્યું હતું. એકાદ બેઠક મળ્યા બાદ આ બાબતને અંતિમરૂપ અપાશે. દેશના જીડીપીમાં એમએસએમઈ ૨૯ ટકાનો હિસ્સો ધરાવે છે. ૧૧ કરોડ લોકોને રોજગારી આપે છે. હવે આગામી પાંચ વર્ષમાં પાંચ કરોડ વધુ રોજગારી આપવાનો લક્ષ્યાંક છે. ખાસ કરીને ટ્રાઈબલ, ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રે રોજગારી વધારાશે.

સોલાર વસ્ત્ર સ્કીમ હેઠળ ૧ધ કલસ્ટરને મંજૂરી આપવાની પ્રક્રિયા સરકાર કરી રહી છે. દરેક કલસ્ટર ત્રણથી સાડા ત્રણ હજાર જોબ ઊભા કરવાની સંભાવના ધરાવે છે.ગડકરી માર્ગ પરિવહન મંત્રાલય પણ સંભાળે છે. તેમણે જણાવ્યું હતું કે, નવી દિલ્હી- મુંબઈ વચ્ચે ૧૨ લેનનો એક્સપ્રેસ હાઈવે બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. હાઈવે પર આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ સ્થાપવાની યોજના પણ છે. જે હેન્ડલૂમ – હેન્ડિક્રાફટના માર્કેટિંગ અને ટૂરિઝમમાં મદદરૂપ થશે. ૪૦૦ રેલવે સ્ટેશનો પર કુલ્હડ (માટીના વાસણ)નો ઉપયોગ કરવા ફરજિયાત બનાવાયું છે. હવાઈ મથકે પણ તેનો અમલ કરવાની યોજના છે.

October 22, 2019
CIA_Live_Logo_New2.jpg
1min11820

RCEP એવું નથી કે ફક્ત ભારતના ઉદ્યોગ-ધંધા ખોરવશે, જાપાની યાર્ન પ્રોડ્યુસર્સમાં પણ ગભરાટ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

રિજિયોનલ કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ RCEPને કારણે 16 દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ થશે અને તેના લીધે સૌથી માઠી અસર જે ઉદ્યોગ પર થવાની છે એમા ટેક્સટાઇલ ઉદ્યોગ સામેલ છે. સૂરત ટેક્સટાઇલ સિટી હોવાના નાતે RCEP સામે અત્યારથી જ લડતના મંડાણ સૂરતથી શરૂ થયા છે.

સિલ્ક વેરાઇટી ઉત્પાદિત કરવા માટે જેનો ઉપયોગ કરવામાં આવે છે એ બેમ્બર્ગ યાર્ન જાપાનમાં બને છે અને આ જાપાની યાર્નના સૌથી મોટા ઉપભોક્તા વિશ્વમાં જો કોઇ હોય તો એ સૂરતના વિવર્સ છે. જાપાનમાં બનતા બેમ્બર્ગ યાર્નનો 60 ટકા હિસ્સો સૂરતના વિવર્સ ઇમ્પોર્ટ કરીને ઉપયોગમાં લે છે. RCEP આવશે તો જાપાનના આ બિઝનેસને પણ કોમ્પિટીશનનો સામનો કરવો પડે તેમ છે.

સૂરતના ટેક્સટાઇલ ઉદ્યોગના મહત્વના અંગ વિવર્સ છે અને વિવર્સ હાલ ગ્રે બનાવવા માટે અનેક દેશી-વિદેશી પ્રોડ્યુસર્સ પાસેથી યાર્ન મેળવે છે. સૂરતના કેટલાક વિવર્સ હાઇક્વોલિટી ગ્રે, સિલ્ક ગ્રે બનાવવા માટે ઇમ્પોર્ટેડ યાર્નનો ઉપયોગ કરે છે અને એમાં જાપાન ખાતે ઉત્પાદિત બેમ્બર્ગ યાર્નનો સમાવેશ થાય છે.

સૂરતના વિવર્સ આગેવાન મયૂરભાઇ ગોળવાલા અને આશિષભાઇ ગુજરાતીએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું કે એવું નથી કે RCEPથી સૂરતના કે ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગોને જ મોટી અસર થવાની છે. જાપાનમાં ઉત્પાદીત થતા બેમ્બર્ગ યાર્ન કે જેમાંથી સિલ્ક ગ્રે ની વેરાઇટીઓ સૂરતમાં બની રહી છે, એ જાપાનીઝ બનાવટના બેમ્બર્ગ યાર્નનો વિશ્વભરમાં સૌથી મોટો ઉપભોક્તા જો કોઇ હોય તો એ સૂરતના વિવર્સ છે.

કલેક્ટીવ ઇન્ફર્મેશન અનુસાર આશિષભાઇ અને મયૂરભાઇ જણાવે છે કે જાપાનમાં ઉત્પાદિત બેમ્બર્ગ યાર્ન પૈકીનું 60 ટકા યાર્ન સૂરતમાં ઠલવાય રહ્યું છે. જો RCEP આવશે તો બેમ્બર્ગ યાર્ન કે જે જાપાન ઉપરાંત ચીન, હોંગકોંગ તેમજ અન્ય દેશો બનાવી રહ્યા છે એમનો માલ પણ સૂરતમાં ઠલવાશે, અને સંભવ છે કે જાપાનની ક્વોલિટી અને રેટની સામે અન્ય કોઇ દેશનું બેમ્બર્ગ યાર્ન ચઢીયાતું હશે તો જાપાને સૂરતને બેઠ્ઠો મળતો બિઝનેસ ગુમાવવો પડે એમ છે.

જાપાનથી સૂરત આવતા બેમ્બર્ગ યાર્નમાંથી સિલ્ક વેરાઇટીનું ગ્રે તૈયાર થાય છે.

હાલ તો જાપાનના સૂરતમાં કે ભારતમાં ઠલવાતા બેમ્બર્ગ યાર્નના વેચાણમાં કોઇ સ્પર્ધા નડતી નથી અને મોટા ભાગે મોનોપોલી ટાઇપનો બિઝનેસ જાપાનીઝ બેમ્બર્ગ યાર્ન પ્રોડ્યુસર્સ કરી રહ્યા છે. પણ સૂરત પાસેથી, ભારત પાસેથી જાપાની પ્રોડ્યુસર્સે પણ આ બિઝનેસ ગુમાવવો પડે એવી નોબત આવીને ઉભી છે.

જાપાની મિડીયા ડેલિગેટ્સ સૂરત આવી રહ્યા છે

આશિષભાઇ ગુજરાતી અને મયૂરભાઇ ગોળવાલાએ જણાવ્યું કે RCEPના આવ્યા બાદ જાપાનના બેમ્બર્ગ યાર્નના સૂરતમાં વેચાણ પર, ભારતમાં વેચાણ પર શું અસર થઇ શકે તેની શક્યતાઓ ચકાસવા માટે આજરોજ તા.22મી ઓક્ટોબર 2019ના રોજ રાત્રે 10 વાગ્યે જાપાનના મિડીયા ડેલિગેટ્સ સૂરત આવી રહ્યા છે. આ સાથે જ મુંબઇ અને ભીવંડીમાં વિવિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ઉધોગ પ્રતિનિધિઓ પણ સૂરત આવી રહ્યા છે. તા.23મી ઓક્ટોબરે આખો દિવસ જાપાની ડેલિગેટ્સ મિટીંગો કરશે, કેટલાક યુનિટ્સની મુલાકાત લેશે તેમજ પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કરશે.

RCEP કરાર નહીં કરવા સ્થાનિક ઉદ્યોગકારોની માગ

સૂરતના ટેક્સટાઇલ ઉધોગકારો સમેત અન્ય ઉદ્યોગ ધંધાર્થીઓએ RCEP કરાર નહીં કરવા સંદર્ભે કેન્દ્ર સરકારને રજૂઆતો કરવાનું મન બનાવી લીધું છે. RCEPમાં જોડાઇ રહેલા 16 દેશો પૈકી ઘણાં દેશો અને તેમના ઉદ્યોગપતિઓ રૂલ્સ ઓફ ઓરિજિન પત્ર પર સહીસિક્કા કરવાના મૂડમાં જણાતા નથી, આવી સ્થિતિમાં ભારતે પણ શું કામ RCEPને ગળે વળગાડવો જોઇએ એવી દલીલ છે સ્થાનિક ઉદ્યોગકારોની.

October 22, 2019
infosys.jpg
1min4650

ભારતીય શેરબજારમાં સૌથી મજબૂત શેર ગણાતી કંપની ઈન્ફોસિસના શેરમાં આજે મંગળવાર તા.22મી ઓક્ટોબર 2019ના રોજ 15 ટકા ગગડી જતા શેરબજાર તેમજ રોકાણકારોમાં હાહાકાર મંચી ગયો હતો. ભારતીય શેરબજારમાં ઇન્ફોસીસ બ્લુચીપ શેર ગણાય છે.

વ્હિસલ બ્લોઅરે કંપનીમાં CEO સલિલ પારેખ અને CFO નિલંજન રોય દ્વારા અનૈતિક કામગીરી થઈ રહી હોવાની કરેલી ફરિયાદને પગલે કંપનીના શેરમાં તોતિંગ ગાબડું પડશે એવી અપેક્ષાઓ સેવાય રહી હતી અને થયું પણ એવું જ.

ભારતીય ઈક્વિટી માર્કેટમાં કંપનીના શેર એક તબક્કે આજે ₹645.35ની સપાટીને સ્પર્શી ગયા બાદ બપોરે 13 ટકા ઘટીને ₹667.40ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. શુક્રવારે કંપનીનો શેર ₹767.75ની સપાટીએ બંધ રહ્યો હતો.

બેનામી પત્રમાં ઈન્ફોસિસના એક કર્મચારીએ 2019-20ના સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં મેનેજમેન્ટે FDR કોન્ટ્રાક્ટમાં ₹353 કરોડના અપફ્રન્ટ પેમેન્ટના રિવર્સલની એન્ટ્રી ધ્યાનમાં ન લેવા દબાણ કર્યું હોવાની ફરિયાદ કરી હતી. આમ કરવાથી નફો ઓછો દેખાય અને કંપનીના શેરના ભાવમાં તેની નકારાત્મક અસર પડે.

પોતાની જાતને નૈતિક ગણાવતાં ફરિયાદીએ 20 સપ્ટેમ્બરે આઈટી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને પાઠવેલા 2 પાનાના પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, પારેખ અને રોય છેલ્લાં કેટલાંક ક્વાર્ટરથી આ ગેરરીતિઓ આચરી રહ્યા હતા અને તેમના ઈ-મેઈલ અને તેમની વચ્ચેની વાતચીતના વોઈસ રેકોર્ડિંગથી આ વાત સાબિત થાય છે.

તેમાં વધુમાં એવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે, કંપનીની કેટલીક મહત્ત્વની વિગતો ઓડિટર્સ અને બોર્ડથી છૂપાવવામાં આવી હતી.વેરિઝોન, ઈન્ટેલ, જાપાનના સંયુક્ત સાહસ, ABN એમરોનું હસ્તાંતરણ તેમ આવકની માન્યતા ઉપર ઠોકી બેસાડવામાં આવી હતી જે, હિસાબી ધારાધોરણોની વિરુધ્ધ છે.

October 21, 2019
CIA_Live_Logo_New2.jpg
2min4590

प्राइवेट बेंकों बेंको का कामकाज जारी रहेगा

सरकारी बैंकों (Public Sector Banks) के विलय और जमा राशि पर ब्याज दर घटने के विरोध में बैंक यूनियनों (Bank Unions) ने मंगलवार दि.22 अक्टुबर 2019 को हड़ताल का आह्वाहन किया है. हालांकि, अधिकारी और निजी क्षेत्र के बैंक हड़ताल में शामिल नहीं होंगे.

इस बेंकों के कामकाज पर हडताल का असर दिखेगा

  1. Andhra Bank
  2. Allahabad Bank
  3. Bank of India
  4. Bank of Baroda
  5. Bank of Maharashtra
  6. Corporation Bank
  7. Central Bank of India
  8. Canara Bank
  9. Dena Bank
  10. Indian Overseas Bank
  11. Indian Bank
  12. Oriental Bank of Commerce
  13. Punjab National Bank
  14. Punjab & Sind Bank
  15. Syndicate Bank
  16. State Bank of India
  17. United Bank of India
  18. Union Bank of India
  19. UCO Bank
  20. Vijaya Bank
  21. India Post Payments Bank

सार्वजनिक क्षेत्र के कई बैंकों के विलय और जमा राशि पर दरों में गिरावट के विरोध में यूनियनों ने एक दिन की हड़ताल पर जाने का फैसला किया है. हड़ताल का आह्वान आल इंडिया बैंक एम्पलाइज एसोसिएशन (AIEBEA) तथा बैंक एम्पलाइज फेडरेशन आफ इंडिया (BEFAI) ने किया है.

भारतीय स्टेट बैंक (SBI) सहित ज्यादातर बैंकों ने अपने ग्राहकों को हड़ताल और उसके प्रभाव के बारे में पहले ही सूचित कर दिया है.