સાયરસ મિસ્ત્રીને ફરીથી TATA ચેરમેનપદે સ્થાપિત કરવા ટ્રિબ્યૂનલનો આદેશ
ધ નેશનલ કંપની લૉ એપેલેટ ટ્રિબ્યૂનલ (એનસીએલએટી)એ બુધવારે તાતા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે સાયરસ મિસ્ત્રીને પુન:સ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો. એન. ચંદ્રશેખરની ચેરમેનપદે નિમણૂક કરવામાં આવી હતી તેને એનસીએલટીએ ગેરકાયદેસર ગણાવી
હતી. આ ચુકાદા સામે તાતા સન્સ અપીલમાં જઈ શકે તે માટે ચાર સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે અને ત્યાં સુધી મિસ્ત્રીને ચેરમેનપદે પુન:સ્થાપિત કરવાનો અમલ મુલતવી રહેશે.
ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીએ ટ્રિબ્યૂનલના જજમેન્ટને પોતાનો અંગત વિજય નહીં પણ માઇનોરિટી શેરહોલ્ડર્સના વિજય તરીકે ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ટાટા ગ્રુપની લાંબાગાળાની વૃદ્ધિ અને વિકાસ માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવાનો આ સમય છે.
તાતા જૂથને સંસ્થા તરીકે સમૃદ્ધ કરવા અને શેરહોલ્ડર્સ, રોકાણકારો, તાતા જૂથના કર્મચારીઓ સહિતના તમામ હિતધારકોના હક્કોનું રક્ષણ થઇ શકે તેવી રીતે કંપનીઓના મેનેજમેન્ટ, બોર્ડ, તાતા સન્સનું મેનેજમેન્ટ, તાતા સન્સનું બોર્ડ તાતા સન્સના શેરહોલ્ડર્સ મજબૂત ગવર્નન્સ ફ્રેમવર્ક ધરાવી સુમેળપૂર્વક ખભેખભા મિલાવીને કામ કરવાની આવશ્યકતા છે તેવું તેમણે કહ્યું હતું.
પબ્લિક ફર્મમાંથી ટાટા સન્સને ખાનગી કંપનીમાં બદલવાના પગલાંને પણ એનસીએલએટીએ રદ કર્યું હતું. મિસ્ત્રી સામે કોઈ પગલા ન ભરવા ટાટા સન્સને એનસીએલએટીએ નિર્દેશ આપ્યા હતા. સાયરસ મિસ્ત્રી ડિસેમ્બર, ૨૦૧૨માં ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે રતન તાતાના અનુગામી બન્યા હતા. ઑક્ટોબર, ૨૦૧૬માં તેમને અચાનક જ ચેરમેનપદેથી હટાવાયા હતા. મિસ્ત્રીએ નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલની મુંબઈ બેંચ સમક્ષ તેમને પદ પરથી હટાવવાના પગલાંને પડકારી હતી. તેમાં સફળતા ન મળતા તેમણે એનસીએલએટીમાં અપીલ કરી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now