CIA ALERT

Alert Archives - Page 47 of 509 - CIA Live

November 11, 2024
vistara-air-india.png
1min293

ભારતમાં પ્રીમિયમ બ્રાન્ડની પ્રાઇવેટ એરલાઇન્સ તરીકે ખ્યાતિ મેળવી ચૂકેલી વિસ્તારા એરલાઇન્સ આજે તા.11મી નવેમ્બરને સોમવારે પોતાના વિમાનોની અંતિમ ઉડાનો ભરી રહી છે. આવતીકાલ તા.12મી નવેમ્બરથી વિસ્તારા એરલાઇન્સનું નામોનિશાન મટી જશે અને તેની બધી ઉડાનો એર ઇન્ડિયામાં મર્જ થઇ જશે.

વિસ્તારા સોમવાર, નવેમ્બર 11 ના રોજ તેની પોતાની બ્રાન્ડ હેઠળ તેની અંતિમ ફ્લાઇટનું સંચાલન કરશે, કારણ કે તે એર ઇન્ડિયા સાથે સંપૂર્ણ રીતે એકીકૃત થવાની તૈયારી કરે છે. 12 નવેમ્બરથી, વિસ્તારાની કામગીરી એર ઈન્ડિયા સાથે એકીકૃત થઈ જશે, જે એર ઈન્ડિયા બેનર હેઠળ સિંગલ, કોન્સોલિડેટેડ સેવામાં સંક્રમણને ચિહ્નિત કરશે.

સરકારે એર ઈન્ડિયા-વિસ્તારા મર્જરમાં સિંગાપોર એરલાઈન્સ દ્વારા સીધા વિદેશી રોકાણને મંજૂરી આપી છે, જે એર ઈન્ડિયા બ્રાન્ડ હેઠળ એક સંપૂર્ણ-સેવા કેરિયરમાં તેમના એકીકરણને સુવ્યવસ્થિત કરે છે.

વિસ્તારા, ટાટા ગ્રૂપ અને સિંગાપોર એરલાઈન્સ વચ્ચેનું સંયુક્ત સાહસ એર ઈન્ડિયા સાથે સંપૂર્ણ રીતે સંકલિત થઈ ગયું છે, જેની માલિકી પણ ટાટા ગ્રૂપની છે. આ મર્જર બે વાહકોને એક છત્ર હેઠળ એકીકૃત કરે છે.

એરલાઇન્સે જાહેરાત કરી હતી કે 3 સપ્ટેમ્બર 2024થી ગ્રાહકો ધીમે ધીમે 12 નવેમ્બર 2024ના રોજ અથવા તે પછીની મુસાફરીની તારીખો માટે વિસ્તારા સાથે બુકિંગ કરવાની ક્ષમતા ગુમાવશે.

નવેમ્બર 2022 માં જાહેરાત કરાયેલ એર ઈન્ડિયા સાથે વિસ્તારાના વિલીનીકરણના પરિણામે, સોદો પૂર્ણ થયા પછી સિંગાપોર એરલાઈન્સ યુનિફાઈડ એરલાઈનમાં 25.1 ટકા હિસ્સો ધરાવે છે.

વિસ્તારાના સીઈઓ વિનોદ કન્નને જણાવ્યું હતું કે એર ઈન્ડિયા સાથે મર્જરનો ઉદ્દેશ્ય પ્રવાસીઓના સમગ્ર અનુભવને વધારીને ફ્લીટ અને નેટવર્કને વિસ્તૃત કરીને મુસાફરોને વધુ વિકલ્પો પ્રદાન કરવાનો છે.

“એર ઈન્ડિયા અને વિસ્તારાની ક્રોસ-ફંક્શનલ ટીમો ઘણા મહિનાઓથી એરક્રાફ્ટ, ફ્લાઈંગ ક્રૂ, ગ્રાઉન્ડ-બેઝ્ડ સહકર્મીઓ અને સૌથી અગત્યનું, અમારા મૂલ્યવાન ગ્રાહકોને નવી એર ઈન્ડિયામાં શક્ય તેટલી સીમલેસ બનાવવા માટે સાથે મળીને કામ કરી રહી છે. એર ઈન્ડિયાના સીઈઓ અને એમડી કેમ્પબેલ વિલ્સને અગાઉ કહ્યું હતું.

જેમ જેમ વિસ્તારા આજે એર ઈન્ડિયા સાથે મર્જ થાય છે તેમ, ભારતમાં ફુલ-સર્વિસ કેરિયર્સની સંખ્યા છેલ્લા 17 વર્ષમાં પાંચથી ઘટીને એક થઈ ગઈ છે. આ શિફ્ટ 2012 માં વિદેશી સીધા રોકાણના ધોરણોના ઉદારીકરણને અનુસરે છે, જેના કારણે વિસ્તારા અને અન્ય વિદેશી રોકાણવાળી એરલાઇન્સની સ્થાપના થઈ.

વિસ્તારાનું વિલીનીકરણ ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં વિદેશી કેરિયર્સ સાથેના સંયુક્ત સાહસોના લાંબા યુગના અંતનો સંકેત આપે છે.

2012 માં, યુપીએ સરકારે વિદેશી એરલાઇન્સને 49 ટકા સુધી સ્થાનિક કેરિયર્સની માલિકીની મંજૂરી આપી, જેના કારણે એતિહાદ સાથે જેટ એરવેઝ અને વિસ્તારા અને એરએશિયા ઇન્ડિયાની રચના જેવી ભાગીદારી થઈ.

વિસ્તારા, છેલ્લા દાયકામાં એકમાત્ર નવી સંપૂર્ણ-સેવા કેરિયર, 2015 માં શરૂ થઈ. સમય જતાં, કિંગફિશર અને એર સહારા જેવી એરલાઇન્સ ઝાંખી પડી, જ્યારે જેટ એરવેઝ 2019 માં પડી ભાંગી.

November 8, 2024
1min294

ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા આયોગે સાર્વજનિક સ્થાન પર મહિલાઓની સુરક્ષા માટે નવા દિશા-નિર્દેશ રજૂ કર્યાં છે. આયોગ પુરૂષ દરજીઓને મહિલાઓનું માપ લેવા પર રોક લગાવવા વિચાર કરી રહ્યું છે. યુપી પેનલે પ્રસ્તાવ રજૂ કર્યો છે કે, કોઈપણ પુરૂષ પોલીસ દરજી મહિલાઓનું માપ નહીં લઈ શકે. આ સાથે જ મહિલાની સુરક્ષાને ધ્યાને લેતા મહિલા આયોગે કહ્યું કે, જીમ અને યોગા સેન્ટરમાં પણ મહિલા ટ્રેનર હોવી જોઈએ. જીમ અને યોગા સેન્ટરમાં ડીવીઆર સહિત સીસીટીવ કેમેરા અનિવાર્ય કરવામાં આવે. સ્કૂલ બસમાં મહિલા સુરક્ષાકર્મી અથવા મહિલા શિક્ષિકા હોવી જોઈએ.
આ પણ વાંચોઃ સરકારી ઓફિસોમાં કર્મચારીઓના સિગારેટ-તંબાકુના સેવન પર પ્રતિબંધ, આ રાજ્યએ લીધો મોટો નિર્ણય

મહિલા આયોગના આ સૂચન પર 28 ઓક્ટોબરે લખનૌમાં થયેલી એક બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. મહિલા આયોગના સભ્યોએ મહિલાઓની સુરક્ષાને લઈને મંથન કર્યું હતું. જેમાં મહિલાઓની સુરક્ષા તેમજ તેમના અધિકારોના સંરક્ષણ માટે અમુક નિર્ણય લેવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. જોકે, આ સૂચનોની શક્યતા અંગે હજુ નિર્ણય લેવાયો નથી. એકવાર આ સૂચનનોનો સ્વીકાર કરાયા બાદ આ પ્રસ્તાવને જમીની સ્તર પર અમલીકરણ માટે નીતિ બનાવી તેનો નમૂનો તૈયાર કરી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે.

કોચિંગ સેન્ટરમાં સીસીટીવી

પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે, બુટિક સેન્ટરમાં મહિલાઓનું માપ લેવા માટે મહિલા દરજી નિયુક્ત કરવાની રહેશે, જેમાં સક્રિય સીસીટીવીથી દેખરેખ કરવામાં આવશે. આ સિવાય કોચિંગ કેન્દ્રોમાં સીસીટીવીથી દેખરેખ અને યોગ્ય શૌચાલયની સુવિધા હોવી જોઈએ। મહિલાઓ માટે વિશેષ કપડાં અને સામાન વેચનાર સ્ટોરમાં પણ ગ્રાહકની મદદ માટે મહિલા કર્મચારી નિયુક્ત કરવાની રહેશે.

November 8, 2024
sumullogo.jpg
1min320

સુરત સ્થિત સુમુલ ડેરી મેનેજમેન્ટ વતી તમામને દિવાળીની અનેક શુભકામનાઓ તેમજ ગુજરાતીઓને નવા વર્ષની અનેકાનેક શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

November 8, 2024
vipul-shah-gjepc.jpg
2min365

કેન્દ્ર સરકારે સોનાના દાગીના બનાવવામાં સોનાના થતાં બગાડના ધોરણો એટલી હદે મર્યાદિત કરી દીધા હતા કે જેને કારણે ઝવેરાત ઉત્પાદકો, ઝવેરીઓને નફાની વાત તો દૂર પણ નુકસાની વહોરવી પડતી હતી. સમગ્ર દેશના ઝવેરાત ઉત્પાદકોમાં આ અન્યાયી નિયમો સામે સખત નારાજગી હતી જેને લઇને જેમ્સ એન્ડ જ્વેલરી એક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સિલે કેન્દ્ર સરકારને રજૂઆતો કરી હતી કે સોનામાંથી દાગીના બનાવનારા ઉત્પાદકોને દાગીના બનાવતી વખતે 5 ટકા સુધીના સોનાનો બગાડ સહન કરવો પડે છે. આ રીતે બગડતું સોનું ક્યાં તો ગોલ્ડ ડસ્ટ, ક્યાંતો ઓગળીને, ક્યાં તો કચરા ભેગું થઇ જતું હોવાથી અગાઉના ધોરણો અનુસાર 5 ટકા બગાડને મંજૂર રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

જીજેઇપીસીની સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે ઝવેરાત ઉત્પાદનમાં થતા સોનાના બગાડ અંગેની માગણીને સ્વીકારી છે. વિદેશી વેપારના મહાનિદેશાલય (ડીજીએફટી) એ આગામી તા.1લી જાન્યુઆરી 2025થી અમલમાં આવે એ રીતે દાગીનાઓના ઉત્પાદનમાં થતાં સોનાના બગાડના નવા ધોરણો અને સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ નોર્મ્સ (SIONs)માં સુધારો કરતું નોટિફિકેશન પ્રસિદ્ધ કરી દીધું છે.

અગાઉ DGFTએ 27મી મે 2024ના રોજ જાહેર સૂચના નંબર 05/2024-25 દ્વારા તમામ દાગીનાઓની તમામ શ્રેણીઓના બગાડના ધોરણોમાં ભારે ઘટાડો કર્યો હતો. આ ઘટાડાઓની ગંભીર અસર પર ધ્યાન આપતા, જીજેઇપીસીએ એ જ દિવસે DGFT અધિકારીઓ સાથે સ્ટેક હોલ્ડર્સની મીટીંગ યોજી હતી. જીજેઇપીસી અને ઝવેરાત ઉત્પાદકોએ દાગીના બનાવવાની પ્રક્રિયા દરમિયાન કઇ રીતે કેટલા પ્રમાણમાં સોનું બગડે છે તે પ્રકારે ઉત્પાદન ડેટા રજૂ કર્યો હતો. પરિણામે, અગાઉ આપવામાં આવેલી સૂચનાનો અમલ સમયાંતરે સ્થગિત કરવામાં આવ્યો હતો.

જીજેઇપીસીએ ઝવેરાત ઉત્પાદકોના હિતમાં કેન્દ્ર સરકાર પાસે બે મુખ્ય રજૂઆતો કરી હતી જેમાં (એ) દાગીનાઓના ઉત્પાદની પ્રક્રિયા સાથે વાસ્તવિક રીતે સંરેખિત થતા બગાડના ધોરણો નિર્ધારિત કરવા અને (બી) નવા નિયમો અપનાવવા માટે ફેરફાર અપનાવવાની પર્યાપ્ત અવધિની મંજૂરી આપવી.

GJEPC ના સંશોધન અને ડીજીએફટી અધિકારીઓ સાથેની વિવિધ ચર્ચાઓ બાદ, બગાડના અગાઉના ધોરણો સાથે વ્યવહારુ ફેરફારો કરવામાં આવ્યા છે જે આગામી તા.1લી જાન્યુઆરી 2025થી અમલમાં આવશે. વચગાળાના સમયગાળા દરમિયાન, અગાઉના ધોરણો 31મી ડિસેમ્બર 2024 સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામામાં SIONs માટેના સુધારણાની પણ વિગતો આપવામાં આવી છે, જે ફિનિશ્ડ જ્વેલરીના ચોક્કસ જથ્થા માટે મંજૂર કાચા માલની માત્રાનો ઉલ્લેખ કરે છે. સુધારેલા ધોરણોનો ઉદ્દેશ્ય ધાતુના અસરકારક ઉપયોગને દાગીનાઓની ઉત્પાદનની પ્રક્રિયાઓની વાસ્તવિકતાઓ સાથે સંતુલિત કરવાનો છે, જેનાથી વધારે ફાયદો પરંપરાગત કારીગરોને થશે.

હેડિંગ બોક્સ

દાગીના ઉત્પાદનમાં સોનાનો બગાડના ધોરણો

વિગત સોનું ચાંદી

હેન્ડ ક્રાફ્ટેડ પ્લેન જ્વેલરી 2.25 3

મશીન મેડ જ્વેલરી 0.45 0.50

સ્ટડેડ હેન્ડ ક્રાફ્ટ જ્વેલરી 4.00 4.00

સ્ટડેડ મશીન મેડ જ્વેલરી 2.80 2.80

માઉન્ટીંગ-ફાઇન્ડીંગ્સ હેન્ડ 2.00 2.50

માઉન્ટીંગ-ફાઇન્ડીં મશીન 0.40 0.50

અન્ય મિકેનાઇઝ્ડ જ્વેલરી 0.90 0.90

ભગવાનની પ્રતિકૃતિ હેન્ડ 4.00 4.00

ભગવાનની પ્લેન પ્રતિકૃતિ 2.00 2.00

November 8, 2024
ntpc2-1280x853.jpg
1min287

, ભારત સરકારના ઔદ્યોગિક સાહસ NTPC લિમિટેડનો 50મો સ્થાપના દિવસ ગઇ તા.07 નવેમ્બર, 2024ના રોજ NTPC કવાસ ખાતે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. NTPC ધ્વજ લહેરાવ્યા પછી, મુખ્ય અતિથિ શ્રીસુરેશ જોન ડેવિડ, પ્રોજેક્ટ હેડ (KAWAS)એ સ્થાપના દિવસ સમારોહમાં ઉપસ્થિત કર્મચારીઓને 76,476 મેગાવોટની વીજ ઉત્પાદન ક્ષમતાની અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

સભાને સંબોધતા તેમણે કહ્યું કે NTPC એ દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. એનટીપીસી હાલમાં કોલસો, ગેસ, નેપ્થા, હાઇડ્રો, પવન અને સૌર સ્ત્રોતોમાંથી વીજળીનું ઉત્પાદન કરીને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. વધુમાં, એનટીપીસી પરમાણુ વીજ ઉત્પાદન માટેની યોજનાનો અમલ કરી રહી છે.

વીજ ઉત્પાદનની સાથે, NTPC કોલસાની ખાણકામ, ગ્રીન હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડમાંથી મિથેનોલ ઉત્પાદન, હાઇડ્રોજન મિશ્રણ, FCEV મોબિલિટી પ્રોજેક્ટ વગેરે ક્ષેત્રોમાં પણ રોકાયેલ છે.

તેમણે કહ્યું કે માનવ સંસાધન વિકાસના ક્ષેત્રમાં પણ અમે અમારી સંસ્થામાં ‘પીપલ બિફોર પીએલએફ’ની ફિલસૂફીને સર્વોચ્ચ સ્થાન આપ્યું છે અને તે મુજબ લોકો મૈત્રીપૂર્ણ નીતિઓ લાગુ કરી છે. NTPC એ નિવૃત્તિ પછી કર્મચારીઓની સારી સંભાળ માટે પેલિએટીવ કેર સેન્ટર અને વૃદ્ધાશ્રમ જેવી નીતિઓ પર અભિન્ન પહેલ કરી છે.

આ પ્રસંગે મુખ્ય મહેમાનશ્રીએ કર્મચારીઓને આહવાન કર્યું હતું કે આપણે દરેક કાર્ય ઉચ્ચ ગુણવત્તા અને નીતિમત્તાથી કરવાની જરૂર છે. મલ્ટિ-ટાસ્કિંગ દ્વારા અમારી ક્ષમતાઓને વધુ વધારવા માટે આપણે હંમેશા લવચીક રહેવું પડશે. તેમના સંબોધનમાં, મુખ્ય અતિથિએ NTPC કવાસ સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓ પ્રત્યે તેમનો આભાર વ્યક્ત કર્યો.

કાર્યક્રમના અંતે, સિમ્યુલેટર ભવન ઓડિટોરિયમમાં NTPC સ્થાપના દિવસ નિમિત્તે NTPC ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર માનનીય શ્રી ગુરદીપ સિંહના સંબોધનનું જીવંત પ્રસારણ યોજવામાં આવ્યું હતું.

આજના કાર્યક્રમને યાદગાર બનાવવા પ્રોજેક્ટ હેડની અધ્યક્ષતામાં સવારે શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને સાંજે સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.

November 7, 2024
trumph-1-1280x720.jpg
1min308

અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં ડોનલ્ડ ટ્રમ્પે અનેક અવરોધોને અતિક્રમીને અદ્ભુત કમબૅક કરીને વિજય મેળવ્યો છે. એક કેસમાં દોષી ઠરાવાયા, ત્રણમાં આરોપી છે, બે વખત તેમને મારી નાખવા હુમલા થયા, બે વખત તેમના પર મહાભિયોગનો સામનો કરવો પડ્યો અને મેઇનસ્ટ્રીમ મીડિયા દ્વારા તેમની સામે સતત અભિયાન ચલાવાયું એ છતાં તેમણે એ બધાને પછાડીને અભૂતપૂર્વ વિજય મેળવ્યો છે. વિજયી બન્યા પછી યુનાઇટેડ સ્ટેટ્સના ૪૭મા પ્રેસિડન્ટ બનવા જઈ રહેલા ટ્રમ્પે કહ્યું હતું કે વી મેડ હિસ્ટરી.

હાઉસની કુલ ૫૩૮ બેઠકોમાંથી ટ્રમ્પે ક્લિયર મૅજોરિટી સાથે ૨૭૯ ઇલેક્ટોરલ બેઠક મેળવી હતી, જ્યારે કમલા હૅરિસે ૨૨૩ બેઠક મેળવી હતી. ટ્રમ્પને કુલ ૫૧ ટકા વોટ મળ્યા હતા જેને કારણે ૨૦૨૦માં તેમણે ગુમાવેલી પ્રેસિડન્સી ફરી એક વખત અંકે કરી લીધી હતી.

ફ્લૉરિડામાં તેમની જીતથી ખુશ થઈને સમર્થકો USA… USAના પોકાર કરી રહ્યા હતા ત્યારે તેમને સંબોધતાં ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાના લોકોની આ મૅગ્નિફિસન્ટ જીત છે જેણે આપણને ફરી એક વાર અમેરિકાને ગ્રેટ બનાવવાનો મોકો આપ્યો છે.

અમેરિકાના અત્યાર સુધીમાં પ્રેસિડન્ટ બનેલા બધા જ પ્રેસિડન્ટમાં તેઓ સૌથી મોટી ઉંમરે ૭૮ વર્ષની ઉંમરે પ્રેસિડન્ટ બન્યા છે. વળી તે એવા બીજા પ્રેસિડન્ટ છે જે એક વાર હાર્યા પછી ફરી ચૂંટાઈ આવ્યા હોય. તેમના પહેલાં ૧૮૯૩માં ગ્રોવર ક્લીવલૅન્ડ હાર્યા બાદ ફરી ચૂંટાઈ આવ્યા હતા.

૨૦૨૦ની ચૂંટણી વખતે ટ્રમ્પે દાવો કરતાં કહ્યું હતું કે તેમણે જો બાઇડનને હરાવ્યા હતા, પણ જો બાઇડને એ ચૂંટણી ચોરીને જીતી હતી. તેમની આ જીતથી હવે તેમની સામે મિસહૅન્ડલિંગ ઑફ સીક્રેટ ડૉક્યુમેન્ટ્સ અને ચૂંટણીમાં અંતરાય ઊભો કરવાના કેસનો અંત આવી જશે.

પૉર્નસ્ટાર સાથે વિતાવેલા સમય બદલ કરેલા પેમેન્ટની વિગતો છુપાવવા તેમના બિઝનેસ-રેકૉર્ડમાં છેડછાડ કરી હોવાના ન્યુ યૉર્કના કેસમાં ટ્રમ્પને દોષી ઠરાવાયા છે. એનો ચુકાદો આ મહિનાના અંતમાં આવવાનો છે જેમાં તેમને જેલવાસ થવાની શક્યતા જોકે ઓછી છે.

નરેન્દ્ર મોદીએ વાત કરી ડોનલ્ડ ટ્રમ્પ સાથે

ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખપદે ફરી ચૂંટાઈ આવ્યા એ પછી નરેન્દ્ર મોદીએ તેમને ફોન કરીને ભવ્ય વિજયનાં અભિનંદન આપ્યાં હતાં. સોશ્યલ મીડિયા પર આ માહિતી આપતાં મોદીએ કહ્યું હતું કે ‘ટેક્નૉલૉજી, ડિફેન્સ, એનર્જી, સ્પેસ અને બીજાં ઘણાં ક્ષેત્રોમાં ભારત-અમેરિકાના સંબંધો મજબૂત કરવા ફરી સાથે મળીને કામ કરવા અમે ઉત્સુક છીએ.’

November 7, 2024
bitcoin.jpg
1min216

  • ટ્રમ્પે અમેરિકાને ક્રિપ્ટોનું વૈશ્વિક મથક બનાવવાની ચૂંટણી પ્રચારમાં ખાતરી આપી છે કમલા હેરિસ કરતા ડોનાલ્ડ ટ્રમ્પ ક્રિપ્ટોકરન્સીસ માટે વધુ પોઝિટિવ હોવાનો ખેલાડીઓ મત ધરાવી રહ્યા છે. ટ્રમ્પના આવવાથી અમેરિકાના સિક્યુરિટીસ એન્ડ એકસચેન્જ કમિશન (એસઈસી)ના ક્રિપ્ટોકરન્સીસ તરફના વલણમાં બદલાવ આવવાની પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે.
  • ક્રિપ્ટો માર્કેટ તરફી વલણ ધરાવતા ડોનાલ્ડ ટ્રમ્પના વિજયની અસર
    અમેરિકાના પ્રમુખપદે ક્રિપ્ટોકરન્સી તરફી ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય થતાં છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈનની આગેવાની હેઠળ વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટમાં મોટી રેલી જોવા મળી હતી. દસ ટકાના ઉછાળા સાથે બિટકોઈને ૭૫૩૬૩ ડોલરની નવી ઊંચી સપાટી દર્શાવી હતી. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન નીચામાં ૬૮૬૫૪ ડોલર જોવાયો હતો અને મોડી સાંજે ૭૩૮૬૦ ડોલર કવોટ કરાતો હતો. બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસમાં પણ સુધારો જોવા મળ્યો હતો. આજથી શરૂ થયેલી ફેડરલ રિઝર્વની બે દિવસની બેઠક પર બજારની નજર રહેશે.

બિટકોઈનમાં જંગી ઉછાળા પાછળ સંસ્થાકીય માગ હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું. અમેરિકાના બિટકોઈન ઈટીએફ હોલ્ડિંગ્સ ગયા મહિને વધી ૬૬ અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું.

જોખમ લેવા માગતા ખેલાડીઓ માટે બિટકોઈન એક પસંદગીની એસેટસ છે. બિટકોઈનમાં ઉછાળાનો અર્થ સંસ્થાકીય રોકાણકારો તેમાં નાણાં ઠાલવી રહ્યા છે એમ બજારના સુત્રોએ જણાવ્યું હતું.

ટ્રમ્પના વિજયથી ડિજિટલ કરન્સીને બળ મળશે. પોતાના ચૂંટણી પ્રચારમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને ક્રિપ્ટોનું વૈશ્વિક મથક બનાવવાની ખાતરી આપી હતી.

બાઈડન વહીવટીતંત્ર હેઠળ જપ્તિના પગલાંઓ બાદ ક્રિપ્ટોકરન્સી ઉદ્યોગ હવે નિયમનકારી માળખાની આશા રાખી રહ્યો છે. બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસ જેમ કે એથરમ વધી ૨૬૨૨ ડોલર, સોલાના ૧૮૫ ડોલર, બીએનબી ૫૮૨ ડોલર બોલાતા હતા.

એલન મસ્કના પીઠબળ સાથેની ક્રિપ્ટો ડોજકોઈન ૨૫ ટકા ઉછળી ૦.૨૦ ડોલર પહોંચી ગઈ હતી. એલન મસ્કે ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો. ક્રિપ્ટોસની એકંદર માર્કેટ કેપ પણ પાંચ ટકાથી વધુ વધી ૨.૫૬ ટ્રિલિયન ડોલર પર પહોંચી ગઈ હતી.

નીચા વ્યાજ દરોને બિટકોઈન માટે તેજીની સ્થિતિ તરીકે જોવામાં આવે છે, કારણ કે રોકાણકારો વધુ નાણાં ઉછીના લઈ જોખમી એસેટસમાં રોકાણ કરવાનું પસંદ કરે છે, ત્યારે વર્તમાન સપ્તાહમાં અમેરિકન ફેડરલ રિઝર્વની ૬-૭ મીએ મળનારી બેઠકમાં વ્યાજ દરમાં જો વધુ ઘટાડોઆવશે તો બિટકોઈન સહિતની ક્રિપ્ટોકરન્સીસમાં ઉછાળો જોવા મળવાની ખેલાડીઓને અપેક્ષા છે.

November 6, 2024
2000.jpg
1min272

દેશમાં રૂ. 2000ની ગુલાબી નોટો પર પ્રતિબંધ મૂકાયો તેને દોઢ વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ પણ હજારો કરોડ રૂપિયાની ગુલાબી નોટો લોકો પાસે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નવેમ્બર મહિનામાં આ અંગેનું નવીનતમ અપડેટ બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ચલણમાંથી કાઢી લેવામાં આવ્યા બાદ 2000 રૂપિયાની કુલ નોટોમાંથી હજુ પણ લોકો પાસે 6,970 કરોડ રૂપિયાની નોટો છે. આ આંકડો 31 ઓક્ટોબર 2024 સુધીનો છે. RBIના લેટેસ્ટ અપડેટમાં જણાવાયું છે કે 2000 રૂપિયાની 98.04 ટકા નોટ પરત આવી ગઇ છે.

ગયા વર્ષે મે મહિનામાં RBIએ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. તે સમયે 3.56 લાખ કરોડ રૂપિયાની કુલ 2000 રૂપિયાની બેંક નોટો ચલણમાં હતી. હવે સમસ્યા એ છે કે કેન્દ્રીય બેંકને નોટ પરત કરવાની ગતિ એકદમ ધીમી થઈ ગઈ છે. આનો અર્થ એવો પણ થાય છે કે જેની પાસે આ નોટો છે તેઓ તેને પરત કરવા માંગતા નથી. બહુ ઓછા લોકો હવે આ નોટો પરત કરવા આવી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં માત્ર 147 કરોડ રૂપિયાની ગુલાબી નોટો પરત આવી છે.

આરબીઆઇએ તેમનો ડેટા પણ શેર કર્યો છે જે અનુસાર 1 જુલાઈ, 2024ના રોજ બજારમાં 7581 કરોડ રૂપિયાની કિંમતની 2000 રૂપિયાની નોટો બચી ગઈ હતી. 1 ઓક્ટોબરે તે રૂ. 7,117 કરોડ હતો અને હવે 31 ઓક્ટોબરે રૂ. 6,970 કરોડ છે. મતલબ કે જુલાઈથી અત્યાર સુધીમાં માત્ર 611 કરોડ રૂપિયાની નોટ જ પરત આવી છે.

આરબીઆઇએ 9 મે 2023ના રોજ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આરબીઆઇએ અગાઉ 2000 રૂપિયાની નોટ બદલવા માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપ્યો હતો. જોકે, સમયાંતરે આ સમયમર્યાદા લંબાવવામાં પણ આવી હતી. રૂપિયા 2000ની નોટ નવેમ્બર 2016માં ચલણમાં લાવવામાં આવી હતી. તે સમયે સરકારે 500 અને 1000 રૂપિયાની નોટો ચલણમાં બંધ કરી દીધી હતી. આ પછી, પર્યાપ્ત માત્રામાં અન્ય મૂલ્યોની બેંક નોટો ઉપલબ્ધ થયા પછી, 2,000 રૂપિયાની બેંક નોટો રજૂ કરવાનો ઉદ્દેશ્ય સિદ્ધ થયો હતો, તેથી 2018-19માં રૂ. 2,000ની નોટોનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું, એમ રિઝર્વ બેંકે જણાવ્યું હતું.

November 5, 2024
trump-vs-harris.png
1min345

અમેરિકામાં 47મી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. અમેરિકામાં ભારતીય સમય અનુસાર સાંજે (5 નવેમ્બર) મતદાન શરૂ થશે. આ ચૂંટણીઓમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ આમને-સામને છે. અત્યાર સુધી કરાયેલા તમામ સર્વેમાં બંને ઉમેદવારો વચ્ચે ગાઢ મુકાબલો થવાની સંભાવના છે. નિષ્ણાતોના મતે અમેરિકાના ઈતિહાસમાં આટલી નજીકની હરીફાઈ અગાઉ ક્યારેય થઈ નથી.

મિનેસોટાના ગવર્નર ટિમ વાલ્ઝ કમલા હેરિસની સાથે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડી રહ્યા છે. બીજી તરફ, જેડી વેન્સ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાનો દાવો કરી રહ્યા છે.
અમેરિકામાં મતદાનનો સમય શું રહેશે?

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન વિવિધ રાજ્યોના સ્થાનિક સમય મુજબ સવારે 7 વાગ્યાથી સવારે 9 વાગ્યાની વચ્ચે શરૂ થશે. આ સમય ભારતીય સમય અનુસાર સાંજે 4:30 થી 9:30 નો રહેશે. મોટાભાગના મતદાન કેન્દ્રો સાંજે 6 વાગ્યાથી મોડી રાત સુધી ચાલુ રહી શકે છે. એટલે કે અમેરિકામાં મતદાન પૂરું થાય ત્યાં સુધીમાં બીજા દિવસે ભારતમાં શરૂ થઈ જશે.

અમેરિકામાં બુધવારે ભારતીય સમય અનુસાર સવારે 4.30 વાગ્યા સુધીમાં મતદાન સમાપ્ત થઈ શકે છે. ઘણા રાજ્યોમાં આ સમય વધુ હોઈ શકે છે કારણ કે અમેરિકાના રાજ્યો ઘણા જુદા જુદા ટાઈમ ઝોનમાં વહેંચાયેલા છે.

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થતાની સાથે જ મત ગણતરી શરૂ થઈ જશે. મતગણતરી પૂરી થયા પછી, પોપ્યુલર વોટનો વિજેતા જાહેર કરવામાં આવે છે, પરંતુ દર વખતે એવું જરૂરી નથી કે જે ઉમેદવાર સૌથી વધુ પોપ્યુલર વોટ મેળવે તે વાસ્તવમાં રાષ્ટ્રપતિ પદનો વિજેતા હોય. કારણ કે અમેરિકામાં રાષ્ટ્રપતિ ખરેખર પોપ્યુલર વોટથી નહીં પરંતુ ઈલેક્ટોરલ કોલેજ દ્વારા ચૂંટાય છે. આ સિવાય ક્યારેક એવું પણ બની શકે છે કે એક રાજ્યમાં અંદાજિત વિજેતા જાહેર કરવામાં આવી રહ્યા છે જ્યારે બીજા રાજ્યમાં મતદાન ચાલી રહ્યું છે.

તેથી, કેટલીકવાર સચોટ પરિણામો મેળવવામાં એક કે બે દિવસ લાગે છે. અમેરિકામાં યોજાયેલી મોટાભાગની રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓમાં મતદાનના દિવસે અથવા બીજા દિવસે સવારે વિજેતાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ વખતે સખત સ્પર્ધાને કારણે રાહ પણ જોવી પડી શકે છે.