CIA ALERT

Alert Archives - Page 452 of 512 - CIA Live

October 22, 2018
CBI.png
1min6980

CBIમાં બે ઉચ્ચ દરજ્જાના અધિકારીઓ, ડાયરેક્ટર આલોક વર્મા અને નંબર ટુ ગણાતા રાકેશ અસ્થાના વચ્ચે જામેલા યુદ્ધને ઠારવાના પ્રયાસ રૂપે પીએમઓ એ બન્ને અધિકારીઓને મળવા આવવા માટે તેડું મોકલ્યું છે.

ભારતની સર્વોચ્ચ ઇન્વેસ્ટિગેશન એજન્સીમાં પહેલા અને બીજા નંબરના અધિકારી વચ્ચે હાલ ચાલી રહેલા ઓપન વૉરને કારણે સીબીઆઇ સમેત ભારતની સમગ્ર વિશ્વમાં બદનામી થઇ રહી છે. બન્ને ઉચ્ચ દરજ્જાના અધિકારીઓ વચ્ચે આ યુદ્ધ કેવી રીતે શમી શકે એ માટે પીએમ નરેન્દ્ર મોદીએ સીબીઆઈમાં નંબર એક સીબીઆઈ પ્રમુખ અને નંબર બે વિશેષ નિર્દેશક વચ્ચેનો ઝઘડો ઉકેલવા માટે બંને અધિકારીઓને તેડાવ્યા છે. સાથે જ સીબીઆઈએ માંસના વેપારી મોઈન ખાનને ક્લીન ચિટ આપવાના મામલે SIT CBIના ડેપ્યુટી એસપી દેવેન્દ્ર કુમારની ધરપકડ પણ કરી છે.

CBIના પ્રવક્તા અભિષેક દયાળના કહેવા મુજબ વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાના, એજન્સીના અધિકારી દેવેન્દ્ર કુમાર, લાંચ આપવામાં મદદ કરનાર મનોજ પ્રસાદ અને તેમના ભાઈ સોમેશ વિરુદ્ધ 15 ઓક્ટોબરે કેસ નોંધાયો છે.

October 22, 2018
strike.jpg
1min6670

ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના પ્રમુખ ભરતભાઈ આહીરે કરેલી જાહેરાત મુજબ આજરોજ તા.22 ઓક્ટોબર 2018થી ગુજરાત રાજ્યના તમામ 11 હજાર જેટલા પંચાયત તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. આ હડતાળને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કામ પણ બગડે તેવી સંભાવના વર્તી રહી છે.

ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના પ્રમુખ ભરતભાઈ આહીરે કહ્યું હતું કે, પડતર પ્રશ્નોને અંગે અનેક રજૂઆતો છતાં સરકાર દ્વારા તેનો ઉકેલ નથી આવતો. પંચાયતના 1થી 32 અને મહેસૂલના 1થી 18 કામ મળીને કુલ 50 કામોમાંથી 47 કામ તલાટી કમ મંત્રી અને 3 કામ મહેસૂલ તલાટી તથા ઈ-ધરા સેન્ટર મળીને કરે છે. આમ કામનો રેશિયો 90 અને 10 ટકા હોવા છતાં તલાટી મંત્રીઓને વર્ષોથી અન્યાય થાય છે.’ તલાટી મંત્રીઓની હડતાળ 31મી સુધી ચાલી તો સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કાર્યક્રમને લઈને સરકારને કોઈપણ પ્રકારનો સહયોગ તલાટી મંત્રીઓ નહીં આપીએ. રવિવાર સુધી એકતા યાત્રામાં તલાટીઓએ ફરજ બજાવી છે પરંતુ, આજથી હડતાળને કારણે કોઇપણ તલાટી કમ મંત્રીઓ કાર્યક્રમમાં નહીં જોડાય.

પંચાયત તલાટી મંડળ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે ત્યારે સરકારને એકતા યાત્રાની કામગીરીને ફટકો પણ પડી શકે છે. જેથી પંચાયત તલાટીઓની કામગીરી મહેસૂલી તલાટીઓને સોંપવાની કવાયત કલેક્ટરો દ્વારા હાથ ધરાઇ છે. આ જવાબદારી રાતોરાત પરિપત્ર આપીને પ્રાથમિક શાળાઓના આચાર્યોને સોંપવામાં આવી છે.

October 20, 2018
socialmedia.png
1min22160

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તા.19 ઓક્ટોબર 2018ના રોજ સુરત કલેક્ટર પદે ડો.ધવલ પટેલએ સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયા છોડ્યાના રિપોર્ટ પહેલા વહેલા રજૂ કર્યા ત્યારે કહ્યું હતું કે સુરત કલેક્ટરે શરૂ કરેલો આ ટ્રેન્ડ વાઇરલ થશે અને થયું પણ એવું જ. સુરત કલેક્ટર ડો.ધવલ પટેલના પગલાને ચોમેરથી આવકાર મળ્યો અને અનેક લોકોએ પોતાના કલાકો વેડફી નાંખતા સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાથી દૂર રહેવા માટે મન બનાવી લીધા હોવાના ફિડબેક મળી રહ્યા છે.

સુરત સિટી પ્રાંત અધિકારી, ઓલપાડ પ્રાંત અધિકારી, માંડવી પ્રાંત અધિકારી, બારડોલી પ્રાંત અધિકારી અને કામરેજ પ્રાંત અધિકારી આજે દિવસ દરમિયાન તમામ વ્હોટ્સ એપ ગ્રુપમાંથી એક પછી એક લેફ્ટ થઇ ગયા

આજે સુરત કલેક્ટર ડો.ધવલ પટેલના પગલે સુરત કલેક્ટર બેડામાં ફરજ બજાવતા 5 ડેપ્યુટી કલેક્ટર્સ ( પ્રાંત અધિકારીઓ)એ પણ સોશ્યલ મિડીયાથી દૂર રહેવાના નિર્ણયનો અમલ કર્યો છે. સુરત સિટી પ્રાંત અધિકારી, ઓલપાડ પ્રાંત અધિકારી, માંડવી પ્રાંત અધિકારી, બારડોલી પ્રાંત અધિકારી અને કામરેજ પ્રાંત અધિકારી આજે દિવસ દરમિયાન તમામ વ્હોટ્સ એપ ગ્રુપમાંથી એક પછી એક લેફ્ટ થઇ ગયા હતા. મિડીયા ગ્રુપ સમેત કર્મચારીઓ, અધિકારીઓ, સોશ્યલ ગ્રુપ તમામમાંથી આ અધિકારીઓ ફટાફટ લેફ્ટ થયા હતા.

સોશ્યલ મિડીયાથી દૂર રહેવાનો આ ટ્રેન્ડ સામાન્ય કર્મચારીઓથી લઇને નાયબ મામલતદાર અને મામલતદારોમાં પણ ચર્ચાસ્પદ રહ્યો છે અને આગામી દિવસોમાં સુરત કલેક્ટરેટના વધુ કર્મચારીઓ સોશ્યલ મિડીયાને રામ રામ કરી દે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.

October 20, 2018
9-1280x853.jpg
1min21440

જયેશ બ્રહ્મભટ્ટ, 98253 44944

વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભાઇ પટેલના સ્ટેચ્યુને આગામી તા.31મી ઓક્ટોબર 2018ના રોજ સરદાર જયંતિના દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અનાવૃત કરે એ પૂર્વે સમગ્ર રાજ્યમાં સરદાર એકતા રથયાત્રા ફેરવવાના કાર્યક્રમના ભાગરૂપે આજે સુરત શહેરમાં પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં સ્થાનિક ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઇ મોદીના નેતૃત્વમાં એકતા રથયાત્રાને ફરાવવામાં આવી રહી છે. અશ્વ દળની આગેવાની, 300થી વધુ બુલેટ બાઇક ધારક યુવાનોની ફૌજ અને એ પછી સરદાર વલ્લભભાઇના પ્રતિક સાથેના એક્તા રથને નિહાળીને પશ્ચિમ સુરતવાસીઓ બોલી ઉઠ્યા કે સરદારની આ એકતા રથયાત્રા પૂરી આન, બાન અને શાનથી નીકળી છે.

આજે એકતા રથયાત્રાને પ્રસ્થાન કરાવવા માટે શહેર મેયર શ્રી જગદીશભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી થેન્નારાસન, સાંસદ શ્રી દર્શનાબેન જરદોષ, શહેર ભાજપા પ્રમુખ શ્રી નીતિનભાઇ ભજીયાવાલા, ડેપ્યુટી મેયર શ્રી નિરવ શાહ, સ્થાયી સમિતિ ચેરમેન શ્રી અનિલભાઇ ગોપલાણી,

(આજરોજ તા.20મી ઓક્ટોબર 2018ના રોજ એકતા રથયાત્રાને સુરત પશ્ચિમ મત વિસ્તારમાં ફેરવવામાં આવી રહી છે)

(સુરત પશ્ચિમ વિભાગમાં એકતા રથયાત્રાનું મેનેજમેન્ટ કરી રહેલા શ્રી પૂર્ણેશભાઇ મોદી અને શ્રી નિરવ શાહ)

સુરત પશ્ચિમ વિસ્તારમાં ઠેર-ઠેર લાકોએ એક્તા રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. હજારો લોકો સ્વયંભુ એકતા રથયાત્રામાં જોડાયા હતા. સવારે 9 વાગ્યે તાપી કિનારે રામજી મંદિર પાસેથી એકતા રથયાત્રાને પ્રસ્થાન કરાવવા પૂર્વે સુરત મહાનગરપાલિકા દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પૂજા અર્ચના બાદ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરીને એકતા રથયાત્રાને લીલીઝંડી આપવામાં આવી હતી. ધારાસભ્ય શ્રી પૂર્ણેશ મોદીના નેતૃત્વમાં અડાજણ વિસ્તારમાં જુદા જુદા સ્થળોએથી પસાર થયેલી એકતા રથયાત્રાને સ્થાનિક રહેવાસીઓ, ભાજપાના કાર્યકરો, સંસ્થાઓ વગેરે દ્વારા ઠેરઠેર ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો.

(એકતા રથયાત્રાની સુરત પશ્ચિમ મત વિસ્તારમાં  અશ્વદળએ આગેવાની લીધી હતી)

(સુરત પશ્ચિમ વિભાગમાં એકતા રથયાત્રામાં બુલેટ સાથે કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા)

એકતા રથયાત્રાની પશ્ચિમ વિસ્તારની યાત્રા દરમિયાન કાર્યકરોએ માથે સાફા પહેર્યા હતા. ખાસ કરીને કેસરીયા સાફા સાથેને સેંકડો કાર્યકરોની હાજરીમાં રથયાત્રા આકર્ષક લાગતી હતી. મહિલા કાર્યકરો પણ માથે સાફો પહેરીને એકતા રથયાત્રામાં જોડાઇ હતી. આજની આ રથયાત્રાની આગેવાની ડેપ્યુટી મેયર શ્રી નિરવ શાહ, કોર્પોરેટર શ્રી પ્રવીણભાઇ પટેલ, ભાજપાના પૂર્વ કોષાધ્યક્ષ શ્રી અશોક ગોહિલ, શિક્ષણ સમિતિના સભ્ય શ્રીઓ શ્રી મેહુલ ઠાકર, શ્રી પરિમલભાઇ ચાસીયા, અડાજણના શ્રી મહેશભાઇ પટેલ (વિદ્યાકુંજ), અડાજણના શ્રી હેમંતભાઇ પટેલ, સ્થાનિક વોર્ડ હોદેદારો કાર્યકરો, યુવા પાંખ, મહિલા પાંખ, જુદા જુદા મોરચાના સભ્યો, કાર્યકરો, આગેવાનો વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.

(ડેપ્યુટી મેયર શ્રી નિરવ શાહ એકતા રથયાત્રાના નેતૃત્વમાં)

(અડાજણના કોર્પોરેટર શ્રી પ્રવીણભાઇ પટેલ, શિક્ષણ સમિતિના સભ્યો સર્વશ્રી મેહુલભાઇ ઠાકર, શ્રી પરિમલભાઇ ચાસીયા, સ્થાનિક આગેવાનો સાફા સાથે એકતા રથયાત્રામાં જોડાયા હતા)

(સુરત પશ્ચિમ વિભાગમાં એકતા રથયાત્રાને પ્રસ્થાન પૂર્વે પૂર્ણેશભાઇ મોદી અને અનિલભાઇ ગોપલાણીએ પૂજા અર્ચના કરી હતી)

(સુરત પશ્ચિમ વિભાગમાં એકતા રથયાત્રા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા)

October 20, 2018
Harsh_shangvi.jpg
1min321910

(છેલ્લા 6 વર્ષથી હર્ષ સંઘવી તાપી જાળવણી માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે, ફાઇલ ફોટો)

સિંચાઇ વિભાગ, સુરત મહાનગરપાલિકા, પ્રદુષણ નિયંત્રણ અને ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ તાપીના મામલાઓમાં ઇરાદાપૂર્વક કામગીરી કરતા ન હોવાથી આજે મળેલી જિલ્લા સંકલનની બેઠકમાં રાજનીતિક મર્યાદાથી પર રહીને મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ જે ઉધડો લીધો, તંત્રવાહકોમાં ફફડાટ મચી ગયો

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત શહેરના વિકાસમાં તાપી નદી જેટલું યોગદાન કદાચ કોઇનું ન હોય. 50 લાખથી વધુ સુરતીઓની પાણીની જરુરીયાત પૂરી કરતી તાપી નદીના જતન માટે સુરતના સ્થાનિક વહીવટીતંત્રો સાવ નફ્ફટાઇપૂર્વક કોઇ જ કામ કરતા નથી. જે થાય છે એ ફક્ત શૉમેનશીપ માટે થાય છે. એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી લાગતી કે જો તાપી માતા સાચે જ હોત તો નઘરોળ તંત્રવાહકો તેમને ઘરડાં ઘરમાં નાંખી આવે તેવા ઘાટ હાલમાં તાપી નદીના થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી તાપી નદીના જતન-જાળવણીના મુદ્દે સ્થાનિક તંત્રવાહકોનો ખેલ જોઇ રહેલા મજૂરાના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીનો આજે પિત્તો ગયો હતો અને આજે મળેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય હર્ષ સંઘવીએ તાપી નદીના મુદ્દે જે આક્રમક વલણ અપનાવ્યું તે જોતા હવે તંત્રવાહકો દોડતા થશે એમ લાગે છે. સૂત્રોએ તો ત્યાં સુધી કહ્યું કે હર્ષ સંઘવી એટલા આક્રમક હતા કે જો તેમની પાસે પાવર હોત તો એકાદ બે અધિકારીઓને આજે ઘરે બેસી જવું પડ્યું હોત.

(અગાઉ લેવાયેલા નિર્ણયો બાબતે તંત્રવાહકો કોઇ જ નક્કર કામ નહીં કરતા મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીનો પિત્તો એવો ગયો કે હવે તંત્રવાહકો દોડતા થઇ જશે, પ્રસ્તુત ઇમેજ હર્ષ સંઘવીએ તાપીના મુદ્દે અગાઉ કરેલી ટ્વીટની છે. )

સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત કરતા ધારાસભ્ય હર્ષ સંઘવીએ કહ્યું કે સિંચાઇ વિભાગ હોય, સુરત મહાનગરપાલિકાનું તંત્ર હોય કે પછી પ્રદૂષણ નિયંત્રણ ખાતું અને ખાણ-ખનીજ ખાતું હોય, તાપી નદીના પ્રોજેક્ટસ માટે દરેકની ચોક્કસ ભૂમિકા છે, દરેક તંત્રએ કોઇને કોઇ કામગીરી કરવાની રહે છે, પણ છેલ્લા ઘણાં વર્ષોથી જોઇ રહ્યો હતો કે તમામ તંત્રવાહકો એક બીજા પર ખો આપીને તાપી નદીની જાળવણીની પ્રાથમિક જરૂરીયાતથી દૂર ભાગી રહ્યા હતા. આજે મારે અસ્સલ સુરતી ભાષામાં તેમને સમજાવવા પડ્યા છે.

હર્ષ સંઘવીએ કહ્યું કે તાપી નદીમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે, તાપીનું જતન નહીં થાય તો કશું નહીં રહે. પાણી વગરના વૈશ્વિક શહેરોની સ્થિતિ આપણે જોઇ રહ્યા છે. જેના પર આપણે સૌ નિર્ભર છીએ તેની જાળવણી માટે જો તંત્રવાહકો કંઇ નહીં કરે તો તેમની સામે આકરાંમાં આકરાં પગલાં ભરાવીશ. આજે મેં જે ભાષા, જે અભિગમથી વાત કરી છે તેનાથી વધુ આક્રમક થઇને હવે તાપી નદીની જાળવણીનો મુદ્દો ઉપાડીશ.

જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં તાપી નદીના શુદ્ધિકરણ તેમજ ડ્રેજિંગ બાબતે મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીના સ્ટેન્ડ પછી જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલએ પણ સ્થાનિક અધિકારીઓને નક્કર કામગીરી કરવા સંદર્ભે ચીમકી આપી છે. સૂત્રોએ આપેલી માહિતી મુજબ આજે જ શનિવાર, તા.20મી ઓક્ટોબર 2018ના રોજ સાંજે 4 વાગ્યે કલેક્ટરે સિંચાઇ વિભાગ તેમજ તાપી નદીના પ્રોજેક્ટને સ્પર્શતા વિભાગોના અધિકારીઓ સાથે મિટીંગ યોજી છે.

October 19, 2018
drdhaval.jpg
1min140700

Jayesh Brahmbhatt 98253 44944

સુરત કલેક્ટર અને ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા ડો. ધવલ પટેલે આજે તેમના સહકર્મચારીઓ તેમજ સહ અધિકારીઓને એક છેલ્લો મેસેજ (સોશ્યલ મિડીયા પર) આપીને અચરજમાં મૂકી દીધા હતા. ડો. ધવલ પટેલે કરેલા મેસેજનો સાર એ હતો કે તેઓ હવેથી સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાને કાયમ માટે તિલાંજલી આપી રહ્યા છે. તેઓ મોબાઇલ ફોન યુઝ કરશે, તેના પર ફોન કોલ કરીને, મેસેજ કરીને અગર તો ઇમેલ થકી તેમને (ડો. ધવલ પટેલનો) સંપર્ક કરી શકાશે.

સોશ્યલ મિડીયાથી દૂર રહેવા માટે કોઇ પહેલની જ જાણે રાહ જોવાતી હોય એમ

સુરત કલેક્ટર ડો. ધવલ પટેલની પહેલ સમાજના અનેક લોકોને પ્રભાવિત કરશે

પોતાના સહકર્મચારીઓ અને સહઅધિકારીઓને સુરત કલેક્ટર ડો.ધવલ પટેલે પાઠવેલો આ મેસેજ જોતજોતામાં એટલો વાઇરલ થયો કે ન પૂછો વાત. બુદ્ધિજીવીઓથી લઇને સરકારી અધિકારીઓમાં આજે તા.19મી ઓક્ટોબર 2018ની સાંજથી આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. મોટા ભાગના અધિકારીઓનું કહેવું હતું કે આઇ.એ.એસ. ડો. ધવલ પટેલે શરૂ કરેલો ટ્રેન્ડ લાંબો સમય ચાલશે. સોશ્યલ મિડીયા અને સ્માર્ટ ફોન સામાજિક સમસ્યાઓના સૌથી મોટા પરીબળ તરીકે ઉપસી રહ્યા છે.

(આ હતો સુરત કલેક્ટરનો તેમના સહકર્મચારીઓ, અધિકારીઓને અંતિમ સ્માર્ટ ફોન મેસેજ)

સનદી અધિકારી ડો.ધવલ પટેલએ સ્માર્ટ ફોન કે સોશ્યલ મિડીયા પર એક્ટીવ નહીં રહેવા પાછળ તેમનું અંગત કારણ હોવાનું જણાવ્યું છે. ભલે તેઓ અંગત કારણથી સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાથી પરહેઝ રાખશે. પણ હવે પછી તેમણે શરૂ કરેલો આ ટ્રેન્ડ સેંકડો નહીં પણ હજારો લોકો અપનાવતા થશે અને એટલે જ સી.આઇ.એ. લાઇવ વેબ પણ કહે છે કે ડો.ધવલ પટેલ શરૂ કરેલો આ ટ્રેન્ડ દૂર તક જાયેગા.

અનેક બુદ્ધિજીવીઓ સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાથી દૂર થઇ રહ્યા છે. સમાજના અનેક લોકો પ્રભાવશાળી વ્યક્તિઓનો ફોલો કરતા હોય છે. કોઇ સનદી અધિકારી, આઇ.એ.એસ. ઓફિસર જ્યારે સ્માર્ટ ફોને સોશ્યલ મિડીયા વગર સરળતાથી જીવી જાણતો હોય તો પછી સામાન્ય વ્યક્તિઓ તો સરળતાથી તેના વગર રહી શક્શે. અને એટલે જ સ્માર્ટ ફોન કે સોશ્યલ મિડીયાથી દૂર રહેવા માટે કોઇ પહેલની જ જાણે રાહ જોવાતી હોય એમ સુરત કલેક્ટર ડો. ધવલ પટેલની પહેલ સમાજના અનેક લોકોને પ્રભાવિત કરશે એમાં બે મત નથી.

  • ખુદ ફેસબુકના સ્થાપક ઝુકરબર્ગ દિવસમાં 25 મિનીટ પણ ફેસબુક પર હોતા નથી જ્યારે ભારતમાં લાખો નહીં પણ કરોડો લોકો દિવસમાં 4થી 6 કલાક ફેસબુક કે વ્હોટ્સએપ પર ચોંટેલા રહે છે
  • યુથ આઇકોન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે રીલાયન્સના મુકેશ અંબાણીને ક્યારેય કોઇએ સ્માર્ટ ફોન પર વાત કરતા કે ચેટ કરતા જોયા નહીં હોય
  • જાણકારો કહે છે કે સોશ્યલ મિડીયાથી જો વ્યક્તિ દૂર રહે તો તેની પ્રોડક્ટિવિટી અને ક્રિએટિવીટીમાં ખાસ્સો વધારો થઇ શકે
  • ભારતમાં અનેક સામાજિક સમસ્યાઓનું નિરાકરણ આવી જાય જો બહુમતિ લોકો સોશ્યલ મિડીયાનો મર્યાદિત ઉપયોગ કરે.
  • સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાનો મર્યાદિત ઉપયોગ એક પરિવારમાં માસિક રૂ.એક હજારથી ત્રણ હજારની બચત કરાવી શકે
October 19, 2018
cbse1.jpg
4min14400

માનવ સંસાધન વિકાસ મંત્રાલયે,’ સીબીએસઈ સાથે નવી શાળાઓની સંલગ્નતા પ્રક્રિયામાં સુધારો કર્યો છે. એચઆરડી મંત્રી પ્રકાશ જાવડેકરે અહીં એક પત્રકાર પરિષદમાં આ વિશે જાહેરાત કરી હતી.

‘શાળાઓને સંલગ્નતા આપવાની પ્રક્રિયામાં સીબીએસઈએ અનેક ફેરફાર કર્યા છે, રાજ્ય અને કેન્દ્ર-એમ બેઉ સ્તરે એનઓસી લેવાનું બિનજરૂરી ડુપ્લિકેશન (બેવડાપણું) અમે નિવાર્યું છે,’ એમ જણાવી જાવડેકરે ઉમેર્યું હતું કે હાલ દેશમાં 20,700 શાળાઓ સીબીએસઈ સાથે સંલગ્ન છે અને દર વર્ષે નવી શાળા ખોલવા બેથી અઢી હજાર અરજીઓ બોર્ડને મળે છે.

અગાઉ રાજ્ય સ્તરે એનઓસી ઇન્સ્પેક્શન સંકળાયું હોય તેવી સંલગ્નતા પ્રક્રિયા રહેતી અને તે પછી એ જ એનઓસી ઈન્સ્પેક્શન સીબીએસઈ દ્વારા કરાતું એમ જણાવી જાવડેકરે ઉમેર્યું હતું કે મંત્રાલયે આ પ્રક્રિયા દૂર કરી છે.’ ઝડપ, પારદર્શકતા અને સીબીએસઈ સાથે કામ પાડવાની સરળતા અંકે કરવા સીબીએસઈ સંલગ્નતાના બાયલોઝ સુધારવામાં આવ્યાની છણાવટ જાવડેકરે કરી હતી. હવે જિલ્લા શિક્ષણ અધિકારી સીબીએસઈ સંલગ્નતાનું ફોર્મ ચકાસશે.

News in English

Establishing a school in India was never easy. Besides building the infrastructure such as classrooms, laboratories and libraries, the paperwork and long process involved was a damper. However, getting an approval for setting up a school affiliated to the Central Board of Secondary Education (CBSE) may just be a cake walk, if the Union government walk the talk on reducing paperwork and other formalities by 75%, and taking the process online.

Union human resource development minister Prakash Javadekar on Thursday said school reforms will speed up the approval process, reduce pendency and curb duplicity of work between central and state governments.

All processes will be online to bring in transparency in the school sector, which caters to millions of students across India, added school education secretary Rina Ray.

Instead of physical verification, CBSE will focus on learning outcome while granting approval. “The inspection will focus on academic excellence and progress of students over time, innovations and quality of pedagogy, capacity of teachers and teacher training, inclusive practices in school, and quality of co-scholastic activities. This will not only help the board and the school to track students’ progress over time, but will also identify areas that would need further effort,” the central board said.

Schools affiliated to the CBSE will have to make full fee disclosures on their websites. In a way, the reform move liberalized the school affiliation system under the CBSE, authorities in the ministry said.

From now on schools will be required to provide two documents instead of 14, while seeking CBSE affiliation, according to the plan. Most physical inspections will be conducted by the district education officer.

Javadekar said the new rules reflect a “shift from the highly complex procedure followed earlier to a simplified system based on preventing duplication of processes”.

“As a result of this major change, the board shall not revisit any of the aspects vetted by the state during inspection and the delay because of scrutiny and non-compliance of deficiencies in these documents shall be drastically curtailed.”

CBSE has more than 20,783 schools under its jurisdiction, catering to over 20 million students. As it is the central board, it works as a model for nearly 28 state school boards in terms school reforms, change in inspection and approval system.

The entire school sector caters to nearly 250 million students and the country spends more than 2.5% of the gross domestic product on the sector.

Instead of school management waiting for years, the affiliation process can be completed in a few months and there will be no pendency, CBSE said.

Javadekar said that in 2018 the government cleared about 8,000 applications, some of which were seven or eight years old.

CBSE will inspect the learning outcome in affiliated schools every five years.

 

 

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944

For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944

October 19, 2018
Modi_Shirdi2.jpg
1min12320
  • નરેન્દ્ર મોદી શિરડી સાઇબાબાના દરબારમાં પહોંચ્યા
  • સાંઈબાબા શતાબ્દી પર વિશેષ ચાંદીના સિક્કાનું અનાવરણ
  • સાંઈબાબાની સમાધિને સો વર્ષ પૂર્ણ થવાનો અવસર
  • વડાપ્રધાને મંદિરમાં એક વિશેષ ધ્વજા પણ લહેરાવી

મહારાષ્ટ્રના અહમદનગરમાં સાંઈબાબાની સમાધિને સો વર્ષ પૂર્ણ થવા અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ તા.19મી ઓક્ટોબર 2018ને શુક્રવારનાર રોજ શિરડી પહોંચ્યા હતા.

સાંઈબાબાની સમાધિને સો વર્ષ પૂર્ણ થવાના અવસરે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી ઉજવણી-મહોત્સવના સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નરેન્દ્ર મોદીએ સાઇબાબા મંદિરમાં જઇને વિશેષ પૂજા અર્ચના કરી હતી અને સાંઈબાબા શતાબ્દી પર વિશેષ ચાંદીના સિક્કાનું અનાવરણ કર્યુ હતું.

વડાપ્રધાને મંદિરમાં એક વિશેષ ધ્વજા પણ લહેરાવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગત વર્ષે ઓક્ટોબરમાં શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. જો કે પીએમનો કાફલો રોકીને વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપનાર સ્થાનિક મહિલા કાર્યકર્તા તૃપ્તી દેસાઈની પોલીસે અટક કરી હતી. ભૂમાત્મા રણરાગિણી સેનાની અધ્યક્ષ તૃપ્તી દેસાઈ સબરીમાલા મંદિરમાં તમામ મહિલાઓના પ્રવેશના મુદ્દે મોદીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

October 19, 2018
rice.jpg
1min11160

જાણીતી અભિનેત્રી નિહારિકા રાઇઝાદાએ ભારતની પ્રથમ રાઇસ સ્કિન કેર કોસ્મેટિક બ્રાન્ડની વિવિધ પ્રોડક્ટ્સનું પ્રમોશન કર્યું

ભારતની પ્રથમ રાઇસ સ્કિન કેર કોસ્મેટિક બ્રાન્ડની એમ્બેસેડર અને જાણીતી અભિનેત્રી નિહારિકા રાઇઝાદાએ શહેરના વીઆર મોલ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કંપનીની પ્રોડક્ટ રાઇસ સ્કિન અફેરનું પ્રમોશન કર્યું હતું. પ્રાચિન પદ્ધતિઓના આધાર અને કોરિયન આરએન્ડડીના સહયોગથી રાઇસે પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી રજૂ કરી છે, જે તમારી ત્વચાના ઉંડાણમાં જઇને તેને પુનર્જીવિત કરે છે અને તેને સુંદર અને મુલાયમ રાખે છે.

ચોખામાંથી પ્રાપ્ત કરાયેલા ઓઇલ રાઇસ બ્રાન ફેટી એસિડની ઉંચી માત્રા ધરાવે છે, જે તમારી ત્વચાને પરફેક્ટ મોઇશ્ચર પ્રદાન કરે છે. એન્ટીઓક્સિડન્ટ્સ, વીટામીન બી અને ઇ તથા અદ્ભુત કુદરતી તત્વો ધરાવતી પ્રોડક્ટ્સ તમારી ત્વચાને હાઇડ્રેટ રાખવાની સાથે-સાથે તેની સુરક્ષા પણ કરે છે. તમારી અપેક્ષા મૂજબ સુંદર અને આકર્ષક ત્વચા પ્રાપ્ત કરવા માટે કોસ્મેટિક્સ બનાવવા માટે રાઇસ કેન્દ્રિત છે.

ઉલ્લેખનીય છે કે રાઇસ કોસ્મેટિક્સ પેરાબીન, ફિનોક્સેથેનોલ, મિનરલ ઓઇલ, સોડિયમ લ્યુરેથ સલ્ફેટ, આર્ટિફિશિયલ ડાઇ, ટ્રાઇથેનોલામાઇન વગેરેથી મુક્ત છે અને કુદરતી ઘટકોથી તૈયાર કરાયેલી પ્રોડક્ટ્સ ત્વચાની પૂરતી કાળજી રાખે છે.

ઉલ્લેખનીય છે કે આ પ્રોડક્ટ કુદરતી તત્વો ધરાવવાની સાથે-સાથે કેમિકલ ફ્રી, લાંબા પરિણામો, ત્રણ લાઇટિંગ વ્હાઇટિંગ ઇફેક્ટ આપે છે તેમજ રાઇસ બ્રાનની સાથે-સાથે ફળો અને ફુલોના ઘટકો ત્વચાને મુલાયમ અને આકર્ષક બનાવે છે. આ પ્રસંગે બ્યુટી વર્લ્ડમાં કંપનીની કામગીરી તથા ભાવિ યોજનાઓની પણ જાણકારી આપવામાં આવી હતી.

October 19, 2018
seva4-1.jpg
1min13130

રોટી એ કોઈ પણ મનુષ્યની મુખ્ય જરૂરિયાત હોય છે . મનુષ્ય કોઈ પણ જરૂરિયાત ને ઘટાડી શકે છે પરંતુ શરીર નું પોષણ કરવામાટે જરૂરી રોટી અને પાણીની જરૂરને કોઈ પણ રીતે  ટાળવી શક્ય નથી. વિધિની વક્રતા યાતો પછી નસીબજોગે અગર કોઈ વ્યક્તિને ભોજન વગર રહેવું પડે તો  તેનાથી વધુ દારુણ દુઃખ આ દુનિયામાં બીજું એકેય નથી.આપણા સુરત શહેરમાં ઘણી મોટી સંખ્યામાં મજૂરી કરીને ગુજરાન ચલાવતો એક વર્ગ રહેછે . તેમનામાંથી ઘણા લોકો પોતાના પરિવારથી દૂર રહે છે .તેમને ઘણી વાર વિવિધ કારણોસર આ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.

સેવા ફાઉન્ડેશન તબીબી ક્ષેત્રે અને એમ્બ્યુલન્સની સગવડ કરાવવા ઉપરાંત બીજી અનેક પ્રકારની સેવાઓ  જરૂરિયાતમંદ લોકોને  ઉપલબ્ધ કરાવવાનું કામ કરી રહયું છે . સેવા ક્ષેત્રમાં હંમેશા વ્યસ્ત રહેનાર સંસ્થાએ જ્યારે તબીબી સુવિધા જરૂરિયાત મંદ લોકોને પહોંચાડવાના કાર્ય દરમિયાન જોયું કે અહીં તો ભોજનની સમસ્યા પણ છે એટલે પછી આ દિશામાં પોતાના પ્રયાસો શરુ કરી દીધા.

સુરત શહેરમાં ઘણી બધી સંસ્થાઓ ભોજન ઉપલબ્ધ કરાવવાની દિશામાં કામ કરી રહી છે .તેમાંની એક છે અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ જે ઓછામાં ઓછી કિંમતે પૌષ્ટિક ભોજન આપવાનું કામ કરેછે . જમણની ગુણવત્તા એટલી સારી હોય છે કે ટ્રસ્ટી મંડળના સભ્યો પણ આ ભોજન લેછે .આવી સમાજ ને સમર્પિત સંસ્થાના સહયોગથી આજે અન્નપૂર્ણા સેવા રથનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તે સેવા ફાઉન્ડેશન માટે ગૌરવની બાબત છે.આ અન્નપૂર્ણા રથ ગરીબ અને પછાત વિસ્તારના  જરૂરિયાતમંદ લોકોને ફક્ત ૧૦ રૂપિયામાં ભોજન આપશે.

તા.17મી ઓક્ટોબર 2018ના રોજ પ્રતિષ્ઠિત લોકોની ઉપસ્થિતિમાં આ રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તા.17મી ઓક્ટોબર 2018ના રોજ ભોજન વિના મુલ્યે આપવામાં આવ્યું હતું.આ સિવાય જે જરૂરિયાત વાળી વ્યક્તિ હશે તેમને માટે આ વ્યવસ્થા કાયમ માટે રાખવામાં આવશે.કોઈ વ્યક્તિના સ્વાભિમાનને ઠેસ ના પહોંચે એ માટે ભોજનની ઓછામાં ઓછી કિંમત ૧૦ રૂપિયા રાખવામાં આવી છે .

આ પ્રસંગે અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ સેવા તથા સેવા ફાઉન્ડેશન આ પ્રસંગે બધા સહયોગી અને મદદકર્તાઓનો આભાર માને છે અને અભિનંદન પાઠવે છે.

સમારંભમાં જે પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહયા તેમાં મુખ્ય મહેમાબ તરીકે પ્રસિદ્ધ ઉદ્યોગપતિ સૂર્યકાન્ત જ।લાન, સુરતના મેયર ર્ડો.જગદીશ પટેલ, અન્નપૂર્ણા ટ્રસ્ટના અધ્યક્ષ જે પી અગ્રવાલ , છાંયડોના પ્રેસિડેન્ટ ભરતભાઈ શાહ, માનવ સેવા ટ્રસ્ટના જયરામભાઈ શાહ, વિનોદ અગ્રવાલ, કિશોરભાઈ વિન્દલ, શ્રીમતી સુષમા અગ્રવાલ, શ્રીમતી રૂપલ શાહ, ગુરુ નાનક હોસ્પિટલના ગોવિંદજી અને સેવા ફાઉન્ડેશનના અધ્યક્ષ રાજીવ ઓમર ખાસ ઉપસ્થિત રહયા હતા.