CIA ALERT

Alert Archives - Page 308 of 511 - CIA Live

October 27, 2019
gjepc_logo.jpg
1min4960

વૈશ્ર્વિક આર્થિક મંદી અને સોનાના ભાવમાં તેજીનું વલણ રહ્યું હોવાથી વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં દેશની જેમ્સ અને જ્વેલરીની નિકાસ ગત નાણાકીય વર્ષની સરખામણીમાં પાંચથી સાત ટકા ઘટે તેવી શક્યતા છે.

જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની આંકડાકીય માહિતી અનુસાર ગત નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ખાસ કરીને વિકસીત દેશોની માગમાં ઘટાડો થતાં નિકાસ ૫.૩૨ ટકાથી ઘટીને ૩૦.૯૬ અબજ ડૉલરની સપાટીએ રહી હતી. ગત સાલ કુલ (ગ્રોસ) નિકાસ અંદાજે ૪૦ અબજ ડૉલરની રહી હતી, પરંતુ આ વર્ષે નિકાસમાં પાંચથી સાત ટકાનો ઘટાડો થવાની શક્યતા કાઉન્સિલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સવ્યસાચી રૅએ વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત કાઉન્સિલના ચેરમેન પ્રમોદકુમાર અગરવાલે સરકારને સ્થાનિક ઉત્પાદકોના હિત જાળવી રાખવા માટે ફિનિશ્ડ જ્વેલરીને આરસીઈપી (રિજિનલ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશીપ) હેઠળની પ્રસ્તાવિત ટ્રેડ ડીલમાંથી બાકાત રાખવાનો અનુરોધ કર્યો છે. વધુમાં કાઉન્સિલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સવ્યસાચી રૅએ અત્રે જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ ફેસિલિટેશનના ઉદ્ઘાટન પશ્ર્ચાત્ એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે કાઉન્સિલે ફિનિશ્ડ ડાયમંડ અને રંગીન રત્નો પરની આયાત જકાત જે હાલ ૭.૫ ટકા છે તે ઘટાડીને ૨.૫ ટકા કરવાની માગણી કરી છે, જ્યારે અગરવાલે વધુમાં જણાવ્યું હતું કે આ સેન્ટર ઉત્તર ભારત તરફથી નિકાસ વૃદ્ધિ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. આ સિવાય કાઉન્સિલે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સહયોગથી નવાં કોમન ફેસિલિટેશન સેન્ટર સ્થાપવાનું શરૂ કર્યુ છે અને આગામી સેન્ટરો દિલ્હી, જયપુર, કોઈમ્બતુર અને કોલકાતા ખાતે ખોલવામાં આવશે.

જોકે આગામી ચારથી પાંચ વર્ષમાં આ ક્ષેત્રની નિકાસ ૭૫ અબજ ડૉલરની સપાટીએ પહોંચવાની અને હાલમાં રોજગારોની સંખ્યા જે ૫૫ લાખની છે તેમાં ૧૫થી ૨૦ લાખનો ઉમેરો થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. આ ઉપરાંત નિકાસ વૃદ્ધિ માટે કાઉન્સિલ દેશભરના ક્લસ્ટર્સમાં જ્વેલરી પાર્ક સ્થાપવાની પણ યોજના ધરાવે છે, એમ તેમણે જણાવ્યું હતું

October 27, 2019
kyar_cyclone-1280x707.jpg
1min5810

ગુજરાતના કિનારે ત્રાટકનાર સંભવિત વાવાઝોડા ક્યારની અસરના લીધે અરબી સમુદ્રમાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. પવનના કારણે બપોરે ગીર સોમનાથમાં એક બોટ ઊંધી વળી ગઈ હતી તો બીજી તરફ ભારે પવનના કારણે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા સાવચેતીના પગલાંના ભાગરૂપે બેટદ્વારકા જતી ફેરી સર્વિસ બંધ કરાઈ હતી. દ્વારકાથી બેટદ્વારકા વચ્ચે નિત્ય ફેરી સર્વિસ ચાલે છે, જોકે પવનના કારણે સ્થિતિ વણસે અને કોઈ જાનહાનિ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બીજી બાજુ ક્યાર વાવાઝોડું સક્રિય થયું છે અને પશ્ર્ચિમ-ઉત્તર દિશામાં અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે. ક્યારની અસરના લીધે અરબી સમુદ્રમાં ૧૨૦-૧૩૦ કિમી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગની જાણકારી મુજબ ક્યાર દરિયામાં દર ૬ કલાકે ૧૨ કિ.મી. આગળ વધી રહ્યું છે. ક્યારના લીધે ગુજરાતના બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવાયું છે. સરકાર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

ગીર સોમનાથના ઉનાના દરિયામાં બે બોટે જળસમાધિ લીધી છે. ઉનાના સૈયદ રાજપરાની બે બોટ દરિયામાંથી પરત આવતા સમયે ડૂબી હતી. જ્યારે ભારે પવનના કારણે એક બોટ કિનારે ઊંધી વળી ગઇ હતી. જ્યારે ગિરિમથક સાપુતારામાં પણ તોફાની પવન ફૂંકાયો હતો. સાપુતારાના વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડાની સ્થિતિનું નિર્માણ થયું છે. સાપુતારામાં આજે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ વચ્ચે સુસવાટા સાથે પવન ફૂંકાયો હતો.

October 27, 2019
diwali.jpg
1min10190

દીપાવલી એ હિન્દુ ધર્મનો મહત્ત્વપૂર્ણ તહેવાર છે. દિવાળીનો તહેવાર ‘પ્રકાશના પર્વ’ તરીકે જાણીતો છે ત્યારે તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે, ‘મનના પ્રકાશની જાગૃતિ’ સ્થૂળ શરીર અને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે અને તેને આત્મા કહેવાય છે તેવી વિચારધારા હિન્દુ તત્ત્વજ્ઞાનનું કેન્દ્ર છે. આપણે જેવી રીતે આપણા સ્થૂળ જન્મને ઉજવીએ છીએ તેવી રીતે દીપાવલી આંતરિક પ્રકાશનો તહેવાર છે, કે જેને જાણવાથી અંધકારે પ્રકાશમય બને છે. દિવાળી ફટાકડા, પ્રકાશ, ફૂલો, મીઠાઈઓ તથા ભક્તિ દ્વારા ઉજવવામાં આવે છે. પ્રદેશે-પ્રદેશે દિવાળીની કથા અલગ છે ત્યારે આ તમામનો સાર તો એકસરખો જ છે આંતરિક પ્રકાશનો આનંદ લેવો.

રાજ્યમાં દિવાળી પર્વ ઉજવવા માટે લોકોમાં ઉત્સાહ છવાઈ ગયો છે અને બજારોમાં રોનક જોવા મળી રહી છે. ઘરઆંગણે રંગોળી, દીવડા તથા રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે. આજે કાળી ચૌદશ નિમિત્તે શ્રી કાલભૈરવ ભગવાનની ઉપાસના કરવામાં આવી હતી. આજે દિવાળીના દિવસે રાત્રીના સમયે ફટાકડાની આતશબાજી સર્જાશે અને સૌ કોઈ અવનવા ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરશે જ્યારે સોમવારે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં બેસતું વર્ષ ઉજવાશે અને નવા વર્ષની શુભેચ્છાની આપ-લે થશે.

October 26, 2019
doctors-on-call.jpg
1min5780

અમદાવાદ મેડીકલ એસોશિએશન AMAની આવકારદાયક પ્રવૃત્તિ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દિપોત્સવી પર્વ હિન્દુ સંસ્કૃતિ માટે મહાપર્વ છે અને આ તહેવારો દરમિયાન ધંધો-રોજગારર્થીઓ તમામ 5-7 દિવસ માટે તો રજાનો આનંદ માણતા હોય છે. આવી સ્થિતિમાં આવશ્યક સેવાઓ, કાયદો અને વ્યવસ્થા તેમજ આરોગ્ય લક્ષી સેવાઓની જરૂરીયાત રહેતી હોય છે અને એના માટે જુદા જુદા વ્યવસ્થાતંત્રો આગોતરું આયોજન કરતા હોય છે. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી આર.બી. બ્રહ્મભટ્ટે દિવાળીની રજાઓ દરમિયાન પી.સી.આર. વાહન સવાર પોલીસ જવાનોને દિવાળીની રજાઓ દરમિયાનના એકેએક કોલને ગંભીરતાથી લેવા સૂચના આપીને પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા જણાવ્યું છે. એવી જ રીતે અમદાવાદ મેડીકલ એસોસીએશને પણ એવી વ્યવસ્થા કરી છે કે તા.27મી ઓક્ટોબર 2019થી તા.1લી નવેમ્બર 2019 સુધી આકસ્મિક સંજોગો સર્જાય તો સામાન્ય લોકોને તબીબી સેવાઓ મળી રહેશે.

દિવાળી એવો તહેવાર હોય છે કે આ તહેવારોમાં તબીબો પણ રજા લઇને વ્યસ્ત જીવનમાંથી પરિવાર સાથે આનંદ પ્રમોદ કરતા હોય છે. મોટા ભાગના તબીબો દિવાળી પર ટૂર પર નીકળી જતા હોય છે. પરંતુ, અમદાવાદ મેડીકલ એસોસીએશન દ્વારા દિવાળીના તહેવારોમાં આકસ્મિક સંજોગો માટે તબીબો સાથે પરસ્પર સમજૂતિ કરી છે.

અમદાવાદમાં ફટાકડા તેમજ અકસ્માત જેવા ઈમરજન્સીના કેસો માટે હવે ખાનગી તબીબોની સેવા ઓનકોલ ઉપલબ્ધ રહેશે. અમદાવાદ મેડિકલ અસોસિએશને (AMA)ફેમિલી ડોક્ટરો અને સ્પેશિયાલિસ્ટ સાથે ટાઈ અપ કર્યું છે જેથી તેઓ તહેવાર દરમિયાન ઉપલબ્ધ રહેશે

અમદાવાદ મેડીકલ એસોસીએશન AMAના પ્રેસિડેન્ટ ડો. મોના દેસાઈએ મિડીયા માધ્યમોને જણાવ્યું હતું કે ડોક્ટરની ઓન કોલ રહેવાની આ પહેલ છેલ્લા આઠ વર્ષથી ચાલી રહી છે જેને શહેરીજનો દ્વારા પણ સારો સપોર્ટ મળી રહ્યો છે. ‘આ દિવાળીમાં તો ડેન્ગ્યુ સહિતની બીમારીએ લોકોને ભરડામાં લીધા છે. ગયા વર્ષની સરખામણીમાં સંખ્યા ઓછી હોવા છતાં ઘણાં દર્દીઓ ડોક્ટર પાસે ફોલો અપ માટે આવશે’.

અમદાવાદના લોકોને ડોક્ટરોની માહિતી તેમની ઓફિશ્યલ વેબસાઈટ અને ફેસબુક પેજ પર મળી રહેશે. સિસ્ટમ તા. 27 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી યથાવત્ રહેશે.

આ પહેલના કો-ઓર્ડિનેટર ડો. પ્રજ્ઞેશ વાછરાજાનીએ કહ્યું કે, ડોક્ટર્સ ઓન કોલ પહેલને દર વર્ષે 500 જેટલા કોલ મળે છે. ‘મોટાભાગના કેસો દાજી જવાને લગતા, શ્વાસસંબંધિત તકલીફ તેમજ અકસ્માતોના કેસો હોય છે. આ વર્ષે, અમે મચ્છરજન્ય રોગો પર પણ ધ્યાન રાખી રહ્યા છે’ તેમ તેમણે કહ્યું.

AMAના અધિકારીઓએ કહ્યું કે આંબાવાડી, નારાણપુરા, નવરંગપુરા, ચાંદખેડા, પાલડી, સેટેલાઈટ-શ્યામલ, સરખેજ, શ્રેયસ ચાર રસ્તા, બાપુનગર, ચાંદલોડિયા, ઘોડાસર, ખોખરા, મણિનગર અને વટવા જેવા વિસ્તારોમાં જ ડોક્ટરો ઉપલબ્ધ રહેશે.

સૂરતમાં ઇન્ડિયન મેડીકલ એસોસીએશનની નવી ટીમે તાજેતરમાં જ પદગ્રહણ કર્યા છે ત્યારે સૂરતના તબીબો પણ આવી પહેલ કરો તો સૂરતવાસીઓને પણ દિવાળીના તહેવારોમાં ઓન કોલ તબીબની સુવિધા ઇમરજન્સીમાં મળી શકે એમ છે.

October 26, 2019
aditya_cm_posters.jpeg
1min7660

મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપની યુતિ સરકાર રચાવા તખ્તો તૈયાર થઈ ચૂકયો છે ત્યારે શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરે (29)ને રાજ્યના આગામી મુખ્યમંત્રી બનાવાય તેવી બૂમરાણ મચાવીને સરકારની આસાન દેખાતી રચનાને કઠીન બનાવી દીધી છે. પક્ષનેતાઓ અને નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો મોટો હિસ્સો આવી માગણી કરી રહ્યો હોવાના અહેવાલ છે. જો શિવસેનાની અસંભવ લાગતી આ માગણી સંતોષવામાં આવે તો આદિત્ય, રાજ્યના સૌથી યુવા સીએમ બની શકે છે. જોકે, વર્તમાન સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે નાયબ સીએમનું પદ આદિત્યને ઓફર કરવાને પોતે રાજી છે. આમ બન્ને પક્ષ વચ્ચે મડાગાંઠ સર્જાય તેવી શક્યતા છે.
શિવસેનાના ધારાસભ્ય પ્રકાશ સુર્વેએ જણાવ્યું હતું કે આદિત્ય આપણા નવા સીએમ બને તેમ અમે ઈચ્છીએ છીએ. આ અમારી પ્રથમ અને પ્રમુખ માગણી છે.

વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ અને અમારો પક્ષ, ફિફટી-ફિફટીની સત્તાવહેંચણીની ફોર્મ્યુલા બાબત સહમત થયો હતો, તેનો શબ્દાર્થ અને ભાવાર્થમાં અમલ અમે ઈચ્છીએ છીએ. ભાજપી મોવડીમંડળ સાથેની વાટાઘાટમાં પક્ષવડા ઉદ્ધવજી તે માગણીને વળગી રહેશે તેવો અમને આત્મવિશ્વાસ છે. પક્ષપ્રમુખ આ બારામાં જે પણ નિર્ણય લેશે તેને અમે માન્ય રાખશું એમ પક્ષના અન્ય ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું.

આદિત્યને સીએમ બનાવવા જોઈએ એમ જણાવી પક્ષના સીનિયર નેતા સંજય રાઉતે’ ઉમેર્યું’ હતું કે શિવસેના મહારાષ્ટ્ર માટે જરૂરી છે. અમે આદિત્યને સીએમ પદે જોવા ઈચ્છીએ છીએ. પક્ષના અન્ય નેતા સંજય ગુપ્તાએ ય આવી જ’ લાગણીનો પડઘો પાડયો હતો. મહારાષ્ટ્ર ચૂંટણીના ‘જાહેર થયેલા પરિણામોમાં ભાજપને 10પ અને શિવસેનાને પ6 બેઠકો મળવા સાથે તેમના જોડાણને સ્પષ્ટ બહુમતિ મળી છે.

October 26, 2019
Indian_currency.jpeg
1min4790

સુરતમાંથી બોગસ ચલણી નોટ છાપતાં વધુ 5 ઝડપાયા: નોટો છાપવાનુ યુ-ટયુબમાંથી શિખ્યા’તા

સુરતના હીરાના વેપારમાં ખરેખર મંદીને પગલે હીરાના કારીગરો ભોગ બની રહ્યાં છે, જેનો કિસ્સો સામે આવ્યો છે. હીરાના કારખાનાઓમાં મંદીના કારણે કામ ન હોવાથી સુરતના 5 હીરાના કારીગરોએ યુ-ટયુબ પર વીડિયો જોઇને 4 મહિનાથી નોટો છાપવાનુ શરૂ કર્યું હતું. આ બનાવટી નોટો વડોદરાના બજારમાં ફરતી કરનાર બે શખ્સોની એસઓજીએ બે દિવસ પહેલાં ધરપકડ કરી હતી અને ત્યારબાદ બંને આરોપીની પૂછપરછમાં તપાસ સુરત સુધી પહોંચી હતી.

એસઓજી પોલીસે સુરતમાંથી આ કાવતરાના માસ્ટર માઇન્ડ સહિત વધુ 5 આરોપીની ધરપકડ કરી છે.

બે દિવસ પહેલાં જ વડોદરા શહેર એસઓજી પોલીસે રૂ. 87500ની 500ના દરની બનાવટી નોટો સાથે અભિષેક વિવેકભાઇ સુર્વે અને સુમિત મુરલીધર નામ્બીયારની ધરપકડ કરી હતી. પોલીસે બન્નેની પૂછપરછ કરતા તપાસનો રેલો સુરતના એ.કે રોડ પરની રૂપમ સોસાયટી સુધી પહોંચ્યો હતો. જ્યાં એસઓજીની ટીમે દરોડો પાડી નકલી નોટોના કોભાંડના ભેજાબાજ આશિષ ધનજીભાઇ સુરાણી, સંજય વિનોદભાઇ પરમાર, કુલદિપ કિશોરભાઇ રાવલ, અભિષેક ઉર્ફે ઢીંગો જયરામભાઇ માંગુકીયા અને વિશાલ વલ્લભભાઇ સુરાણીની ધરપકડ કરી હતી. અને પોલીસે બે કલર પ્રિન્ટર, કોરા કાગળો અને બનાવટી નોટો મળીને 22,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

હીરાના વેપારમાં મંદી હોવાથી પાંચેય યુવાનોએ ભેગા મળી બનાવટી નોટો છાપવાનો પ્લાન ઘડી કાઢયો હતો. જેમાં માસ્ટર માઇન્ટ સંજય પરમારે યુ ટયૂબ પર એક નોટો છાપવા માટેનો વીડિયો સર્ચ કર્યો હતો. વીડિયોમાં નોટો છાપવાની એકદમ સરળ પદ્ધતિ શોધી કાઢી હતી. ત્યારબાદ સંજયે ખરીદેલા લેપટોપ તથા પ્રિન્ટરમાં 100 અને 500ના દરની અસલી નોટો પહેલા સ્કેન કરી હતી. અને ત્યારબાદ કલર પ્રિન્ટરમાં છેલ્લા ચાર મહિના અંદાજીત બે લાખ રૂપિયાની બનાવટી છાપી દીધી હતી. ભેજાબાજ યુવાનોએ સુરતમાં વિવિધ સ્થળોએ નોટ વટાવવાનો પ્રયા કર્યો હતો. પરંતુ સફળ થયા ન હતા.

સંજય પરમાર કાવતરાનો માસ્ટર માઇન્ડ છે. જેણે આશિષ સાથે મળી નોટો છાપવાનુ શરૂ કર્યું હતું અને ત્યારબાદ 100 અને 500ના દરની 1.60 લાખની બનાવટી નોટો છાપી, રૂ. 50,000માં આભિષેક માંગુકીયાને આપી હતી. અભિષેકે 1.60 લાખની બનાવટી નોટો કુલદીપ રાવલને આપી અને કુલદિપે અઢી માસ પહેલા પોરબંદરના અર્જુન મેર આ બનાવટી નોટો પધરાવી દીધી હતી. જેની સામે કુલદિપે રૂ. 50,000 લીધા હતા. જોકે આ નોટો બજારમાં વટાવી ન શકતા અર્જુન મેરએ 87,500ની બનાવટી નોટો કુલદિપને પરત કરી હતી. જેમાંથી રૂ. 35000ની બનાવટી નોટો વડોદરાના અભિષેક સુર્વેને આપી હતી.

October 25, 2019
hariyana_election.jpg
1min5220

હરિયાણામાં લોકસભાની ચૂંટણી એપ્રિલ-મેમાં યોજાઈ હતી ત્યારે ભાજપને મળેલા મતની ટકાવારી ૫૮ ટકા હતી. વિધાનસભાની ચૂંટણીમાં તે ૨૨ ટકા ઘટી છે. લોકસભામાં ભાજપે તમામ ૧૦ બેઠક જીતી હતી. વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પક્ષને બહુમતી નથી. મનોહરલાલ ખટ્ટર સરકારના અનેક પ્રધાનો હારી ગયા છે. “અબકી બાર ૭૫ પાર નારો ભાજપે જાહેર કર્યો હતો, પરંતુ ૪૫ બેઠક પાર કરી શકી નથી. ભાજપની મતની ટકાવારી ઘટીને ૩૬.૩ ટકા રહી છે.

કૉંગ્રેસની મત ટકાવારી લોકસભા ચૂંટણીમાં હતી જ એટલી રહી છે જોકે બેઠકની દૃષ્ટિએ દેખાવ સુધર્યો છે. લોકસભામાં કૉંગ્રેસની મત ટકાવારી ૨૮.૪૨ ટકા હતી. વિધાનસભામાં ૨૮ ટકા આસપાસ જળવાઈ રહી છે.

October 25, 2019
bjp_vs_congress.jpg
1min4730

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગ્ાૃહ પ્રધાન અમિત શાહના ગ્ાૃહ રાજ્ય ગુજરાતમાં વિધાનસભાની છ બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીમાં કૉંગ્રેસે પોતાની બે બેઠકો યથાવત રાખીને ભાજપ પાસેથી એક બેઠક આંચકી લીધી હતી. છ બેઠકમાંથી ભાજપનો ત્રણ અને કૉંગ્રેસનો ત્રણ બેઠકો પર વિજય થયો હતો. સૌથી મોટો સેટબેક રાધનપુર બેઠક પર સર્જાયો હતો. અહીં કૉંગ્રેસમાંથી ધારાસભ્યપદે ચૂંટાયા બાદ ભાજપમાં જોડાઇને ફરીથી ચૂંટણી લડી રહેલા અલ્પેશ ઠાકોરનો કારમો પરાજય થયો હતો તેમજ તેમના સાથીદાર ધવલસિંહ ઝાલાનો પણ બાયડ બેઠક પરથી પરાજય થયો હતો.

ગુજરાતની છ બેઠકોમાં મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠક પર ભાજપના અજમલજી ઠાકોર કૉંગ્રેસના ઉમેદવાર બાબુજી ઠાકોર સામે ૨૯ હજાર જેટલા મતથી જીત્યા હતા જ્યારે થરાદ બેઠક પર કૉંગ્રેસ ગુલાબસિંહ રાજપૂતે ભાજપના જીવરાજ પટેલને છ હજારથી વધુ મતની સરસાઇથી હરાવ્યા હતા. અરવલ્લી જિલ્લાની બાયડ બેઠક પર કૉંગ્રેસના જશુભાઈ પટેલ તેમના હરીફ ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા સામે ૭૪૩ મતની નજીવી સરસાઇથી જીત્યા હતા. જ્યારે અમદાવાદની અમરાઈવાડી બેઠક પર ભાજપના જગદીશ પટેલ કૉંગ્રેસના ધર્મેન્દ્ર પટેલ સામે ૫૬૦૧ મતથી જીત્યા હતા. તેમજ લુણાવાડા બેઠક પર ભાજપના જિગેશ સેવકે કૉંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણને ૧૨ હજારથી વધારે મતની સરસાઇથી હરાવ્યા હતા. પાટણ જિલ્લાની રાધનપુર બેઠક પર કૉંગ્રેસના રઘુ દેસાઇએ ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરને ૩૮૦૭ મતની સરસાઇથી હરાવ્યા હતા.

છ બેઠકોમાંથી લુણાવાડા બેઠક પર ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં વિજયી થયેલા અપક્ષ ઉમેદવાર ભાજપમાં જોડાઇ ગયા હતા. આ બેઠક ઉપરાંત અમરાઇવાડી અને ખેરાલુ એમ ત્રણ બેઠકો જાળવી રાખી હતી જ્યારે બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠક કૉંગ્રેસે આંચકી લીધી હતી. જ્યારે કૉંગ્રેસે બાયડ અને રાધનપુર એમ બન્ને બેઠકો જાળવી રાખી હતી.

અત્રે ગુજરાતની ૬ બેઠક ઉપર સરેરાશ ૫૩.૬૭ ટકા મતદાન નોંધાયું હતું. અમદાવાદના અમરાઇવાડીમાં માત્ર ૩૪.૬૯ ટકા જ્યારે ખેરાલુમાં ૪૬.૧૯ ટકા મતદાન થયું હતું. થરાદમાં ૬૮.૯૩ ટકા, રાધનપુરમાં ૬૨.૯૧ ટકા, બાયડમાં ૬૧.૦૫ ટકા અને લુણાવાડામાં ૫૧.૨૪ ટકા મતદાન થયું હતું. પેટાચૂંટણીમાં સરેરાશ ૫૬.૭૬ ટકા પુરુષ તેમજ ૫૦.૦૩ ટકા મહિલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

October 24, 2019
fmcg-1280x720.jpg
1min5320

રાજકોટ કન્ઝ્યુમર પ્રોડક્ટસ ડિસ્ટ્રીબ્યૂટર્સ એસોસીએશનના પ્રમુખ જીતેન્દ્ર અદાણી કહે છે, અમે રેકીટ, ડાબર, બ્રિટાનીયા, મેરિકો, ઇમામી અને ગોદરેજ એમ છ કંપનીઓના માલ ઉપાડવાનું બંધ કરી દીધું છે. સમગ્ર ગુજરાતના નાના-મોટાં 7 હજાર જેટલા ડિસ્ટીબ્યૂટરો તેને અનુસરી રહ્યા છે.’ ગત તા. 18મીથી માલ ઉઠાવવાનું બંધ કરી નાંખ્યું છે. પાંચ દિવસ પછી કંપનીઓ સાથે વાટાઘાટ ચાલી રહી છે.’ મોલ અને ડિસ્ટ્રીબ્યૂટર્સને અપાતા માલના સમાન ભાવ નહીં રાખવામાં આવે ત્યાં સુધી અમે બહિષ્કાર જાળવી રાખીશું.

ૉમોલ અને ડિસ્ટીબ્યૂટર મારફત વેંચાતી એફએમસીજી પ્રોડક્ટના ભાવમાં ભારે અસમાનતાને લીધે વર્ષોથી કંપનીઓનો માલ ખૂણે ખૂણે પહોંચાડતા ડિસ્ટ્રીબ્યૂટરોના ધંધા ઘસાવા લાગ્યા છે. કંપની બેવડી ભાવનીતિના જોરે માર્કેટ મેળવવા ઇચ્છતી હોય છે તેના કારણે ડિસ્ટ્રીબ્યૂટરોએ રોષે ભરાઇને આંદોલન છેડયું છે. છ દિવસથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવી છ-છ કંપનીઓનો માલ નહીં ઉપાડીને બહિષ્કાર કર્યો છે. કંપનીઓ વાટાઘાટ કરીને ભાવનીતિમાં બદલાવ ન કરે ત્યાં સુધી આંદોલન ચાલશે.

કંપનીઓની બે ભાવની નીતિનો અમારો વિરોધ છે તેમ તેમણે ઉમેર્યું હતુ. ડિસ્ટ્રીબ્યૂટર્સને કંપની ઉંચા ભાવે અને મોલને નીચાં ભાવથી માલ આપે છે. પરિણામે ગ્રાહક ડિસ્ટ્રીબ્યૂટર્સ પાસે માલ ખરીદવા જાય ત્યારે પોતે છેતરાતો હોવાનું અનુભવીને શંકા કરે છે. આમ ડિસ્ટ્રીબ્યૂટર્સ પાસે જતો ગ્રાહક મોલમાંથી જથ્થાબંધમાં સસ્તી પ્રોડક્ટ લઇને વેંચે છે. વેપારમાં આ રીતે અસમાનતા સર્જાય છે.

ઓનલાઇન કે મોલ બિઝનેસનો અમારો વિરોધ નથી. પરંતુ 15-25 જેટલા મોટાં બિઝનેસ જૂથો મોટાં બની રહ્યા છે અને નાનો વેપારી ફસાય રહ્યો છે, બેરોજગારી વધી રહી છે તેનો વિરોધ છે. કેટલીક કંપનીઓ હવે ડિસ્ટ્રીબ્યૂટર્સની ચેનલ દૂર કરીને સીધા જ વેચાણ કરવાના મૂડમાં છે એનાથી નાના વેપારીઓ ખતમ થઇ જશે. ખરેખર તો કંપનીઓએ નાના વેપારીઓ વિકસે અને વેપાર વધે તેવી નીતિ અપનાવવી જોઇએ પણ કંપનીઓ તેમને જ મારી રહી છે.

October 24, 2019
petrol-diesel-1.jpg
1min12710

દેશમાં વર્તમાન સમયમાં અંદાજીત 65000 પેટ્રોલ પંપ છે. જેમાં મોટાભાગના પંપની માલિકી સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દૂસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન પાસે છે. બજારમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, નાયરા એનર્જી અને રોયલ ડચ શેલ પણ છે પણ તેની ઉપસ્થિતિ સીમિત છે.

સરકારે ઈંઘણના છૂટક કારોબારને બિનપેટ્રોલિયમ કંપનીઓ માટે ખુલો મુક્યો છે. હવે એવી કંપનીઓ માટે પેટ્રોલ પંપ ખોલી શકશે જે પેટ્રોલિયમ ક્ષેત્રમાં નથી. માનવામાં આવે છે કે સરકારના નિર્ણયથી ઈંઘણના છૂટક કારોબારના ક્ષેત્રમાં પ્રતિસ્પર્ધા વધશે.

કેબિનેટ બેઠક બાદ જાણકારી આપતા કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, ઈંઘણના છૂટક કારોબારને પેટ્રોલિયમ કારોબારને પેટ્રોલિયમ ક્ષેત્રથી બહારની કંપનીઓ માટે ખોલવાથી રોકાણ અને પ્રતિસ્પર્ધા વધશે. વર્તમાન સમયમાં ઈંઘણના છૂટક કારોબારનો પરવાનો મેળવવા માટે કોઈ કંપનીને હાઈડ્રોકાર્બનની ખોજ, ઉત્પાદન, રિફાઈનિંગ કે પાઈપલાઈન ક્ષેત્રમાં 2000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જરૂર હતી.

જાવડેકરે કહ્યું હતું કે, આર્થિક મામલાની સમિતિએ વાહન ઈંઘણના વેપારનો અધિકાર આપવા સંબંધીત દિશાનિર્દેશોની સમીક્ષાને મંજૂરી આપી છે. એવી કંપનીઓ કે જેનો કારોબાર 250 કરોડ રૂપિયા છે તે ઈંઘણના છૂટક કારોબારના ક્ષેત્રમાં ઉતરી શકશે. આ માટે ઓછામાં ઓછા પાંચ પેટ્રોલપંપ ગ્રામ્ય વિસ્તારમાં ખોલવાની શરત રહેશે.