CIA ALERT

Alert Archives - Page 307 of 511 - CIA Live

October 29, 2019
jyotish.jpg
2min8710

શનિની પનોતી કે ગ્રહયોગોથી ડરાવતા જ્યોતિષોની પહોંચની બહાર સોશ્યલ મિડીયા ?

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દિપાવલીની રજાઓમાં જો કંઇપણ વધારે વખત વંચાતુ મટિરીયલ હોય તો એ જ્યોતિષો દ્વારા કરવામાં આવેલી (C.I.A. Live) વિક્રમ સંવતના નવા વર્ષ માટેની ભવિષ્યવાણીઓ, ભવિષ્ય કથન હોય છે. ગુજરાતમાં જ્યોતિષો દ્વારા કરવામાં આવતી આ ભવિષ્યવાણીઓને લોકો આખું વર્ષ સાચવી રાખતા હોય છે અને તેમાં લખેલું હોય એ બ્રહ્મવાક્ય માની લેતા હોય છે.

આ વખતના જ્યોતિષીઓના કથનમાં એક ઉડીને આંખ વળગે એવી વાત આપ સૌ સાથી શેર કરી રહ્યો છું. સોશ્યલ મિડીયા આજના યુગમાં દૈનિક ક્રિયા કે કાર્યની જેમ વણાઇ ચૂક્યું છે એવું અભિન્ન અંગ થઇ ચૂક્યું છે. (C.I.A. Live) સોશ્યલ મિડીયાનો સૌથી નકારાત્મક પ્રભાવ વિદ્યાર્થીઓ પર સૌથી વધુ છે. એવી જ રીતે સ્ત્રી વર્ગ સોશ્યલ મિડીયા અને સાઇબર ક્રાઇમથી ભોગ બનતી હોવાની ઘટનાઓ રોજિંદી બની ચૂકી છે. ધંધા-રોજગાર માટે સોશ્યલ મિડીયાના સારા-નરસા પ્રસંગો પણ રોજેરોજ જોવા મળે છે.

નૂતન વર્ષની ભવિષ્યવાણીઓનો પ્રભાવ લોકો પર હોય છે સોશ્યલ મિડીયાથી થતાં નફા નુકસાનનો કોઇ જ પ્રભાવ જ્યોતિષોની ભવિષ્યવાણીઓ પર નથી

વિક્રમ સંવત 2076ના વર્ષ માટે જ્યોતિષોએ જુદા જુદા પ્લેટફોર્મ પરથી કરેલી ભવિષ્યવાણીઓ, ભવિષ્ય કથનમાં રોજેરોજની પ્રવૃતિઓ ત્યાં સુધી કે ગાયને શું ખવડાવવું, ગરીબોને શું દાન આપવું, કઇ દિશામાં બેસવું, કઇ દિશામાં સૂઇ જવું, કાળા મરી, હળદર, દૂધ કોને ક્યાં કેવી રીતે ચઢાવવું વગેરેનું જ્ઞાન પીરસતા જોવા મળે છે પણ સોશ્યલ મિડીયાથી થતા નુફા નુકસાન બાબતે એક હરફ ઉચ્ચાર્યો નથી. (C.I.A. Live) જ્યારે સામાન્ય લોકોની દૈનિક ક્રિયાઓ, દિનચર્યા અંગેની તમામ વાતો, પાસાઓ જ્યોતિષો આવરી લેતા હોય ત્યારે સોશ્યલ મિડીયા તો દૈનિક કાર્યનું એક અભિન્ન અંગ બની ચૂક્યું છે ત્યારે સ્વાભાવિક છે કે તેના નફા-નુકસાનની સારી નરસી બાબતો સામાન્ય લોકો પર રોજેરોજ વર્તાતી જોવા મળે છે. પણ વિક્રમ સંવત 2076 માટે કરવામાં આવેલી ભવિષ્યવાણીઓમાં સોશ્યલ મિડીયા જ્યોતિષોની પહોંચની બહાર હોવાનું જણાય આવે છે.

આવી સ્થિતિમાં વિક્રમના નવા વર્ષમાં જ્યોતિષીઓએ કરેલી આગાહીઓમાં ક્યાંયે સોશ્યલ મિડીયાથી થનારા નફા નુકસાનનો કોઇ જ નામોલ્લેખ સુદ્ધાં નથી. બુદ્ધિજીવી વર્ગ આમેય જ્યોતિષીઓના કથનને માનતા નથી ત્યારે આ મુદ્દો તેમની દલીલને બળ આપી રહ્યો છે.

શનિની પનોતી કે અન્ય ગ્રહયોગો અંગે લોકોને ડરાવતા જ્યોતિષો સોશ્યલ મિડીયાના અજગરી ભરડાંથી થતાં નુકસાનથી લોકોને સાવચેત નથી કરી રહ્યા

Symbolic pic : CIA Live

સોશ્યલ મિડીયાથી વિદ્યાર્થી વર્ગને શું નુકસાન

  • વિદ્યાર્થીઓનો અભ્યાસ સોશ્યલ મિડીયા બગાડી રહ્યું છે
  • આરોગ્ય બગડે એ રીતે વિદ્યાર્થીઓ સોશ્યલ મિડીયાના આદી બની ચૂક્યા છે.
  • વિદ્યાર્થીઓ માટે વ્યસન બની ચૂક્યું છે સોશ્યલ મિડીયા
  • પબજી જેવી ગેમ્સ પર સરકારી પ્રતિબંધો મૂકી દેવા પડ્યા હતા (C.I.A. Live)
  • કેટલીક ગેમ્સ રમતા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધાના દાખલા વિશ્વભરમાં બન્યા

સોશ્યલ મિડીયાથી સ્ત્રી વર્ગને નુકસાન

  • સોશ્યલ મિડીયામાં રચ્યા પચ્યા રહેવાના કારણે અનેક સ્ત્રીઓના સંસારમાં કલેષ જન્મે છે
  • સોશ્યલ મિડીયાના દુરુપયોગથી અનેક મહિલાઓ સાઇબર ક્રાઇમનો ભોગ બની
  • સોશ્યલ મિડીયા, સેલ્ફીના ચક્કરમાં અનેક સ્ત્રીઓ પોતાના બાળકોના ઉછેરમાં સમય આપી શકતી નથી (C.I.A. Live)
  • અનેક મહિલાઓ, યુવતિઓના સોશ્યલ મિડીયા પર પોસ્ટ કરાયેલા ફોટાને મોર્ફ કરીને તેમની બદનામી કરવામાં આવી

સોશ્યલ મિડીયાથી માનસિક-શારીરીક આરોગ્યને ગંભીર નુકસાન

  • કામકાજના માટે 24 કલાકમાંથી માંડ 14 કલાક મળે તેમાંથી 3-4 કલાક સોશ્યલ મિડીયામાં બિનજરૂરી પ્રવૃતિઓમાં વેડફાવા માંડતા નાણાંકીયા આવક અને ક્રિએટિવીટી ઘટી જવા પામી છે.
  • એવા લોકો મંદી મંદીના બૂમો પાડી રહ્યા છે જેઓ સોશ્યલ મિડીયા પાછળ પોતાના કામના કલાકો અને મગજ બન્ને બગાડતા જોવા મળે છે. (C.I.A. Live)
  • શારીરીક અને માનસિક આરોગ્ય બન્ને સામે સોશ્યલ મિડીયાએ જોખમ ઉભા કર્યાના દાખલાઓ રોજેરોજ જોવા-જાણવા મળી રહ્યા છે.
  • સોશ્યલ મિડીયા, ઇલેક્ટ્રોનિક મિડીયાથી બનતા ગુનાઓ વધી રહ્યા છે. સાઇબર ક્રાઇમથી બચવું આજે મહત્વની બાબત બની ચૂકી છે.
  • સોશ્યલ મિડીયામાં રચ્યા પચ્યા રહેવાને કારણે આર્થિક નુકસાનીનો કોઇ અંદાજ જ નથી. જે યુઝર્સ પહેલા 500 એમ.બી.ડેટા મહિને કરકસરથી વાપતા હતા એ યુઝર્સને આજે દૈનિક 1500 એમ.બી. ડેટા ઓછો પડી રહ્યો છે. સોશ્યલ મિડીયાના કારણે ઇન્ટરનેટને વપરાશ વધ્યો અને વપરાશ વધતા ડેટા પેક પાછળના ખર્ચા પણ વધ્યા.

એવું નથી કે સોશ્યલ મિડીયાથી નુકસાન જ નુકસાન છે ફાયદાઓ પણ અનેક છે

  • જીવનસાથી આ વર્ષે મળશે એવી આગાહી કરતા જ્યોતિષો એવું નથી કહી રહ્યા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ કે વ્હોટ્સ એપ જેવા સોશ્યલ મિડીયાના માધ્યમથી જીવનસાથી મળશે. આજે સોશ્યલ મિડીયાથી લોકોનો જીવનસાથી મળી રહ્યા છે અગર તો જીવનસાથીની સાચી ઓળખ સોશ્યલ મિડીયાથી લોકો મેળવી રહ્યા છે. (C.I.A. Live)
  • મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ સોશ્યલ મિડીયા પોસ્ટ્સનો સહારો લઇને ઉમેદવારોનું વ્યક્તિત્વ અને વ્યક્તિગત પસંદગીનો તાગ મેળવતા હોય છે.
  • ધંધા-રોજગારમાં લોકો પ્રત્યક્ષ બિઝનેસ ટુ કસ્ટમર, ડાયરેક્ટ વેપારથી નુકસાન પામતા લોકોને સોશ્યલ મિડીયા માર્કેટિંગ, ઇનડાયરેક્ટ માર્કેટિંગથી ભરપૂર ફાયદો મળ્યો. આમાં કેમ જ્યોતિષો કંઇ કહી શક્તા નથી.

October 29, 2019
pmmodi_riyadh.jpg
1min7010

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે મોડી રાત્રે નવી દિલ્હીથી સાઉદી અરબ જવા માટે નીકળ્યા હતા. ભારતમાં ભાઇબીજની વહેલી સવારે તેઓ સાઉદીની રાજધાની રિયાધ પહોંચ્યા હતા. વડાપ્રધાન શ્રી મોદી એર ઈન્ડિયાના વિશેષ વિમાનથી રિયાદના કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા. સ્થાનિક સમય મુજબ ત્યાં મધરાત હતી આમ છતાં તેમનું ઉષ્માભેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિંગ સલમાન બિન અબ્દુલઅજીજ અલ સૌદના આમંત્રણ પર રિયાદની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે.

વિદેશ મંત્રાલયના આર્થિક બાબતોના સચિવ ટીએસ તિરુમૂર્તિએ જણાવ્યું કે જે મુખ્ય સમજૂતી પર હસ્તાક્ષર કરાયા છે તેમાં ભારત-સાઉદી સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ પરિષદની શરૂઆત કરવી, રૂપે કાર્ડ શરૂ કરવું તથા બંને દેશોની ઈ-પ્રવાસ પ્રણાલી વચ્ચે સમન્વય લાવવાની સમજૂતીનો સમાવેશ થાય છે.

આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી રૂપે કાર્ડ લોન્ચ કરશે. સાથે જ તે ફ્યુચર ઈન્વેસ્ટમેન્ટ ઈનિશિયેટિવ (FII)ના ત્રીજા સત્રમાં શામેલ થશે. તે મંગળવારે રાત્રે દિલ્હી પરત ફરશે.

October 29, 2019
kedarnath2020.jpg
1min4990

ભાઈબીજના તહેવાર પર આજે યમુનોત્રી મંદિર અને કેદારનાથ ધામના કપાટ શિયાળા માટે બંધ થઈ જશે. યમુનોત્રી મંદિર સમિતિના ઉપાધ્યક્ષ જગમોહન ઉનિયાલે જણાવ્યું કે ભાઈબીજે સવારે આઠ વાગે ખરસાલીથી યમુનાજીના ભાઈ શનિ મહારાજ સમેશ્વર દેવતાની ડોલી યમુનાજીને વિદાય કરવા માટે યમુનોત્રી જવા રવાના થશે.

12.25 વાગે અભિજિત મુહૂર્તમાં યમુનોત્રી મંદિરના કપાટ શીતકાળ માટે બંધ કરી દેવામાં આવશે. યમુનાજીની ઉત્સવ મૂર્તિને ડોલી યાત્રા સાથે ખરસાલી લાવવામાં આવશે. અહીં વિધિ વિધાન અનુષ્ઠાન સાથે યમુનાજીની મૂર્તિને યમુના મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.

કેદારનાથ ધામના કપાટ સવારે 8.30 વાગે બંધ કરવામાં આવશે. બાબા કેદારની પંચમુખી ભોગમૂર્તિ વિગ્રહ ઉત્સવ ડોલીમાં વિરાજમાન થઈને પોતાના શીતકાલીન ગાદીસ્થળ ઓંકારેશ્વર મંદિર માટે પ્રસ્થાન કરતા પહેલા વિરામ માટે રામપુર પહોંચશે. 31 ઓક્ટોબરે બાબાની ભોગમૂર્તિને ઓંકારેશ્વર મંદિરમાં છ મહિનાની પૂજા-અર્ચના માટે વિરાજમાન કરવામાં આવશે.

કપાટ બંધ કરવાની બધી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મુખ્ય પૂજારી કેદાર લિંગ દ્વારા બાબાના સ્વયંભૂ જ્યોતિર્લિંગને સમાધિનું રૂપ આપી ભસ્મથી ઢાંકી દેવામાં આવશે. આ પ્રસંગે પંચમુખી ભોગ મૂર્તિનો શૃંગાર કરીને ચલ વિગ્રહ ઉત્સવ ડોલીમાં વિરાજમાન કરવામાં આવશે. પરંપરા અનુસાર સવારે 6.30 વાગ્યે ભગવાન કેદારનાથની પંચમુખી મૂર્તિને ડોલીમાં રાખી મંદિર પરિસરમાં ભક્તોના દર્શન માટે રાખવામાં આવશે.

October 29, 2019
md_drug.jpg
1min7120

દિવાળીના તહેવારોની આડમાં ટ્રેન મારફતે મુંબઇ પહોંચાડવામાં આવી રહેલા ડ્ર્ગ્સના મોટા કન્સાઇન્મેન્ટને સૂરત રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. અંદાજે 3.5 કરોડની જંગી કિંમતના આ જથ્થાને બે શખ્સો ટ્રેન મારફતે મુંબઇ લઇ જઈ રહ્યા હતા.

Symbolic Photo

સુરતમાં ફરી બે શખસો ભારે ભરખમ ડ્રગ્સ સાથે ઝડપાયા હતા. સુરત ટ્રેનમાંથી રૂ.૩.૫ કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાતા તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.

ડીઆરઆઈની ટીમે મેફેડ્રોન ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપ્યો હતો. અને આ ઝડપાયેલા ડ્રગ્સનો જથ્થો ૭.૫ કિલો હતો કે જેની બજારમાં કિંમત ૩.૫ કરોડ જેટલી થાય છે. ડ્રગ્સને લઈ બે શખસો ટ્રેનમાં હતા. આટલા ભારે જથ્થામાં ડ્રગ્સ દિલ્હીથી મુંબઈ લઈ જવાતું હતું. જે બે શખશો ઝડપાયા એ હરિયાણાના રહેવાસી છે અને તે મુંબઈ આ ડ્રગ્સને ડિલિવરી કરવાના હતા પરંતુ એ પહેલા સુરતમાં તેનું સુરસુરિયું થઈ ગયું અને જેલ ભેગા કરવામાં આવ્યા હતા.

October 28, 2019
pm_tweet.jpg
1min5050

આજથી શરુ થતા હિન્દુ નવ વર્ષ વિક્રમ સંવત 2076ના કારતક માસ, શુક્લપક્ષના પ્રથમ દિવસ કે જેને ગુજરાતીઓ પરીવારો નવું વર્ષ તરીકે ઉજવે છે. ખાસ ગુજરાતી સમાજને નવા વર્ષ નિમિતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી હતી.

આજરોજ તા.28મી ઓક્ટોબર 2019ને સોમવારે સવારે 7.57 કલાકે વડાપ્રધાન શ્રી મોદીએ ગુજરાતી ભાષામાં ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી. પોતાના ટ્વીટમાં પીએમ મોદીએ કહ્યું કે, ‘આજથી પ્રારંભ થતું નવું વર્ષ આપ સર્વે માટે આનંદદાયી અને આરોગ્યમય બની રહે તેવી પ્રાર્થના. આપ સૌની ખુશી અને સમૃદ્ધિની મનોકામના સાથે સાલમુબારક!’

October 28, 2019
newyear.jpg
1min5180

પ્રકાશના પર્વ દિવાળીની ધામધૂમથી ઊજવણી કરવામાં આવી હતી. આસ્થા, ઉમંગ અને દોડધામભર્યા જીવનમાં નવા ઉત્સાહનો સંચાર કરતું પાવન પર્વ દિવાળીની રવિવારે લોકોએ મનભરીને ઊજવણી કરી હતી. ફટાકડા તેમ જ મીઠાઈ દ્વારા દિવાળીની ઉજવણી કરવા લોકોમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળ્યો હતો. દરમિયાન લોકોએ સંવત ૨૦૭૫ની વિદાય અને ૨૦૭૬ના નૂતન વર્ષને અવકારવા આગોતરી તૈયારીઓ કરી લીધી હતી.

આજરોજ તા. ૨૮મી ઑક્ટોબર કારતક સુદ એકમને સોમવારે ગુજરાતમા પરંપરાગત રીતે નૂતન વર્ષ નિમિત્તે પરિજનો નવાં વસ્ત્રો પહેરી એક બીજાને ઘરે મળવા પહોંચ્યા હતા અને નવા વર્ષની શુભકામનાઓની આપ-લે કરી હતી.

આજરોજ સોમવાર તા.28મી ઓક્ટોબરના રોજ રાજ્યભરમાં બેસતું વર્ષ ઉજવાઇ રહ્યું છે અને નવા વર્ષની શુભેચ્છાની આપ-લે થઇ રહી છે. નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટ પણ ભરવામાં આવ્યો હતો. હિન્દુનો આ સૌથી મોટો તહેવાર હોવાથી લોકોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. દરમિયાન રાજ્યમાં દિવાળી પર્વ ઉજવવા માટે લોકોમાં ઉત્સાહ છવાઈ ગયો હતો અને બજારોમાં રોનક જોવા મળી હતી.

દરમિયાન તા.27મી ઓક્ટોબર 2019ના રોજ દિવાળી નિમિત્તે વેપારીઓએ શુભમુહૂર્તમાં ચોપડાપૂજન કર્યાં હતા. કેટલાક ઠેકાણે ચોપડાને બદલે કોમ્પ્યુટરનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. મંદિરો અને દેવસ્થાનકોમાં અન્નકૂટ ભરાવામાં આવ્યું હતું.

પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે અક્ષરધામ મંદિર પરિસરમાં ૧૦ હજાર દીવડાનો શણગાર કરવામાં આવ્યો હતો. દિવાળીના દિવસે રાત્રીના સમયે ફટાકડાની આતશબાજી સર્જાઈ હતી અને સૌ કોઈએ અવનવા ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી હતી.

October 28, 2019
modi_diwali.jpg
1min5470

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દિવાળીના દિવસે જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં એલઓસી ખાતે ફરજ બજાવતાં સૈનિકોને મળતા તેઓ વડા પ્રધાનની અચાનક મુલાકાતથી અત્યંત ખુશ થઇને ગૌરવ અનુભવ્યું હતું. સૈનિકો ભાવવિભોર થયા હતા

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦નાબૂદી બાદ વડા પ્રધાન મોદીની જમ્મુના સરહદી જિલ્લામાં પ્રથમ મુલાકાત હતી. ઇન્ફેન્ટ્રી ડે ની ઉજવણી પણ સાથે થઇ છે.

બી. જી. બ્રિગેડ વડા કાર્યાલય ખાતે વડા પ્રધાને સૈનિકો સાથે વાતચીત કરી હતી. વડા પ્રધાનની મુલાકાતે અમારી દિવાળી યાદગાર બનાવી છે, એમ સૈનિકોએ કહ્યું હતું. વડા પ્રધાનની મુલાકાતથી અમે આશ્ર્ચર્યચકિત થઇ ગયા હતા અને ગૌરવ અનુભવીએ છીએ. સૈનિકોનું નૈતિક મનોબળ મજબૂત બન્યું છે, એમ સૈનિકોએ કહ્યું હતું.

દેશની સરહદની સુરક્ષા કરતા જવાનોની કામગીરીના વડા પ્રધાને વખાણ કર્યા હતા. સરકાર તમારી પડખે છે એવી ખાતરી તેમણે આપી હતી. પાકિસ્તાને આ વર્ષે ૨૧૦૦ વખત શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે. ૨૯ ભારતીયોનાં મોત થયા છે. સરહદ પર તકેદારી રાખવાનું ચાલુ રાખવા મોદીએ સૈનિકોને કહ્યું હતું. નરેન્દ્ર મોદી

૨૦૧૪માં વડા પ્રધાન બન્યા બાદ દિવાળી દર વર્ષે જવાનોની સાથે મનાવે છે. ૨૦૧૪માં લડાખના સિયાચીનમાં સૈનિકો સાથે દિવાળી મનાવી હતી. ૨૦૧૫માં પંજાબ સરહદે સુરક્ષા જવાનો સાથે દિવાળીમાં રહ્યા હતા. ૨૦૧૬માં હિમાચલપ્રદેશમાં ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ સાથે દિવાળીનો સમય પસાર કર્યો હતો. ૨૦૧૭માં ઉત્તર કાશ્મીર અને ૨૦૧૮માં ઇન્ડો-ચાઇના બોર્ડર નજીક આર્મીના જવાનો સાથે દિવાળી ઉજવી હતી.

રવિવારે દિવાળી એલઓસી નજીક ફરજ બજાવતાં સુરક્ષા જવાનો સાથે ઉજવી હતી. તેઓ બે કલાક રહ્યા હતા. થોડા સમય અગાઉ જ પાક આર્મીએ ફોરવર્ડ પોસ્ટ પર હુમલો કર્યો હતો દેશના જવાનો મારા પરિવાર જેવા છે એમ મોદીએ કહ્યું હતું.

તેમણે રાજોરીમાં હોલ ઓફ ફેમની મુલાકાત લીધી હતી. રાજોરી અને પુંચ વિસ્તારની સુરક્ષા માટે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે હોલ ઓફ ફેમને પરાક્રમ-પ્રેરણા અને પાવનભૂમિ ગણાવી હતી આપણા બહાદુર સૈનિકો સાથે ઉજવણી કરીને દિવાળી વધુ મધુર બની છે.

October 27, 2019
albagdadi.jpg
1min6190

અમેરીકાના ચુનદા સૈનિકોની બનેલી એ ટીમે જે રીતે અલ કાએદાના બિન લાદનને હણ્યો હતો એવ રીતે શનિવારે ભારતીય સમય મુજબ રાત્રીના સમયે ખાસ ઓપરેશન હાથ ધરીને ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના આકા અબુ બકર અલ-બગદાદીનો ખાત્મો બોલાવ્યો હોવાના અહેવાલો સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

યુએસના લશ્કરે ઈદલિબમાં એક અત્યંત ગુપ્ત રેડ દરમિયાન અલ-બગદાદીને ઠાર કર્યો હોવાની વાતોએ સમગ્ર વિશ્વમાં સોશ્યલ મિડીયા પર વાઇરલ થઇ છે. યુએસના ત્રણ સૂત્રોએ આપેલી માહિતી મુજબ ઈદલિબના ઉત્તર પ્રાંતમાં અમેરિકાના લશ્કરે રેડ પાડી હતી જેમાં અબુ બકર અલ-બગદાદીને ઠાર મારવામાં આવ્યો હતો. એમાં અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે કશું મોટું થયું છે. બસ આ ટ્વીટ પછી એ અલ બગદાદી હણાયાના સમાચારો વાયુવેગે વિશ્વરભરમાં પ્રસરી ગયા છે.

આતંકવાદી સંગઠન આઈએસનો સર્વેસર્વા ગણાતા અબુ બકર અલ-બગદાદી ઉપર 170 કરોડ (25 મિલિયન યુએસ ડોલર)નું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ અંગેની કોઈ સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી પરંતુ યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (ભારતીય સમય મુજબ શનિવારે રાત્રે) અમેરીકાની રવિવારે સવારે મહત્વની માહિતી આપવાના છે તેવું વ્હાઈટ હાઉસે ટ્વીટ કર્યું હતું.

યુએસએ 2003માં ઈરાક પર કબ્જો મેળવ્યા બાદથી અલ-અબગદાદી યુએસ લશ્કર વિરુદ્ધ સક્રિય હતો. આંતરાષ્ટ્રીય માધ્યમોમાં પણ અલ-બગદાદીને ઠાર મરાયો હોવાના અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.   


October 27, 2019
housefull.jpg
1min5940

બોક્સ ઓફિસ ઉપર દિવાળીના તહેવારે ત્રણ મોટી ફિલ્મ હાઉસફૂલ 4, મેડ ઈન ચાઈના અને સાંડ કી આંખ રિલીઝ થઈ છે. ઘણા વર્ષો બાદ બોક્સ ઓફિસ ઉપર નોંધપાત્ર ઘસારો જોવા મળી રહ્યો છે. જેમાં હાઉસફૂલ 4ની વાત કરવામાં આવે તો તેને દર્શકો અને ક્રિટિક્સ તરફથી મિશ્ર પ્રતિક્રિયા મળી છે. પરંતુ કમાણીના મામલે ફિલ્મ સારૂ પ્રદર્શન કરી રહી છે. હાઉસફૂલ 4એ પહેલા દિવસે લગભગ 20 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી છે. ફિલ્મને શુક્રવારે ધનતેરસનો ફાયદો મળ્યો હતો. પહેલા દિવસની ઓપનિંગની વાત કરવામાં આવે તો હાઉસફૂલ સિરિઝની તમામ ફિલ્મમાંથી હાઉસફૂલ 4નું ઓપનિંગ સૌથી સારૂ છે. અક્ષય કુમારની મલ્ટી સ્ટારર ફિલ્મમાં રિતેશ દેશમુખ, બોબી દેઓલ, કૃતિ સેનન, કૃતિ ખરબંદા, પૂજા હેગડે, ચંકી પાંડે અને જોની લિવર છે.’

October 27, 2019
1min5070

ચંદીગઢમાં કેન્દ્રીય નિરિક્ષકોની ઉપસ્થિતિમાં ભાજપની વિધાનસભા પક્ષની બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, મનોહરલાલ ખટ્ટર, દુષ્યંત ચૌટાલા આજે રાજ્યપાલ સત્યદેવ નારાયણને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર આજરોજ તા.27મી ઓક્ટોબર 2019ને દિવાળીના પર્વે બીજી વખત મુખ્યપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે અને જેજેપીના દુષ્યંત ચૌટાલા ઉપમુખ્યમંત્રી બનશે. આજે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને ખટ્ટરે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.

બાદમાં ખટ્ટરે કહ્યું હતું કે, આજે રવિવારના દિવસે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના શપથ થશે. જ્યારે બાકી મંત્રીમંડળના સભ્યો ક્યારે શપથ લેશે તે અંગેની માહિતી આવતીકાલે આપવામાં આવશે. જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ની સાથે ડીલ થઈ ગયા બાદ હવે ભાજપ સરકાર બનાવવાની તૈયારીમાં વ્યસ્ત છે.

કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, આવા કોઈ વિચાર ઉપર કોઈ ચર્ચા થઈ નથી. આ પહેલા ભાજપની વિધાનસભા પક્ષની બેઠકમાં ખટ્ટરને મુખ્યમંત્રી બનાવવાનો માર્ગ મોકળો થયો હતો.’

ભાજપ હાઇકમાન્ડના કહેવા મુજબ તા.26મીની બપોરે બપોરે’ ચંદીગઢના યુપી ગેસ્ટહાઉસમાં બેઠક મળી હતી જેમાં ખટ્ટરને નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન, રવિશંકર પ્રસાદ અને ભાજપના મહાસચિવ અરુણ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. હરિયાણામાં 90 સીટોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 40 સીટો મળી છે. જે બહુમતથી છ સીટો ઓછી છે. આવી સ્થિતિમાં ભાજપે 10 ધારાસભ્યો ધરાવનાર દુષ્યંત ચૌટાલાની જેજેપી અને આઠ અપક્ષોનાં સમર્થન સાથે સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે. ભાજપે ગીતિકા આપઘાત કેસમાં આરોપી ગોપાલ કાંડાનું સમર્થન લીધું નથી. મંત્રીઓના શપથને લઇને હજુ સુધી ચિત્ર સ્પષ્ટ નથી. ગઇકાલે સવારે હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેમની વાતચીત થઈ હતી. ખટ્ટરે દિલ્હીમાં સતત બેઠકોનો દોર ચલાવ્યો હતો. ભાજપના પ્રમુખ જેપી નડ્ડા, કેન્દ્રીયમંત્રી અમિત શાહ સાથે શ્રેણીબદ્ધ વાતચીત કરી હતી. કુલ પાંચ અપક્ષ સભ્યો ભાજપને ટેકો આપવા તૈયાર થઈ ગયા હતા. અન્ય ત્રણ પણ ભાજપને ટેકો આપવા માટે તૈયાર થયા હતા. હેવાલ મુજબ અપક્ષ ધારાસભ્યો પુન્ડરીથી રણધીર ગોલન, રાનિયાથી રણજીત સિંહ, મહમથી બલરાજ કુન્ડુ, બાદશાહપુરથી રાકેશ દૌલતાબાદ અને સિરસાથી ગોપાલ કાન્ડા ભાજપને ટેકો આપવા રાજી થઈ ગયા હતા.’ આની સાથે જ ભારતીય જનતા પાર્ટી માટે સરકાર બનાવવાનો રસ્તો સરળ થઈ ગયો હતો.