CIA ALERT

Alert Archives - Page 283 of 511 - CIA Live

February 1, 2020
banking_strike.jpg
1min4670

વેતન સુધારણાની માગ સાથે આજથી શરૂ થયેલી બે દિવસીય બેન્ક હડતાલમાં દેશભરમાં કરોડો રૂપિયાનાં વ્યવહારો ખોરવાયા હતાં.

મુંબઈ, ચેન્નઈ અને દિલ્હીની ક્લિયરિંગ ગ્રીડમાં કુલ મળીને 23000 કરોડ રૂપિયાનાં 31 લાખ ચેક તા.31મી જાન્યુઆરી 2020ના રોજની હડતાલનાં કારણે ક્લિયર થઈ શક્યા નહોતાં.’

ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસો.(એઆઈબીઈએ)નાં મહામંત્રી સી.એચ.વેંકટચલમનાં જણાવ્યા પ્રમાણે દેશભરમાંથી મળી રહેલા અહેવાલ અનુસાર તામિળનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણ, પશ્ચિમબંગાળ, યુપી, એમપી, પંજાબ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક, કેરળ અને બિહાર જેવા મુખ્ય રાજ્યો સહિતનાં દેશમાં બેન્કની કામગીરી વ્યાપકપણ ખોરવાઈ છે.

નવ બેન્ક કર્મચારી સંગઠનનાં મહામંડળ યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (યુએફબીયુ) દ્વારા આજે સંસદમાં આર્થિક સર્વે અને આજરોજ તા.1લી ફેબ્રુઆરી 2020ને શનિવારે ભારતીય સંસદમાં બજેટ રજૂ થવાનું છે ત્યારે આ હડતાલ કમનસીબ બાબત છે.

વેતનવૃદ્ધિ મુદ્દે સરકાર સાથે વાટાઘાટમાં માગણીઓનો કોઈ ઉકેલ નહીં આવતાં આ હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું. હજી આજે શનિવાર તા.1લી ફેબ્રુઆરીએ પણ બેન્કો બંધ રહેશે અને પછી રવિવાર હોવાથી બેન્ક રજા રહેશે. આમ હવે આજથી એટીએમનાં વ્યવહારોમાં પણ હડતાલની વિપરિત અસરો વર્તાવા લાગે તેવી આશંકા છે.

January 31, 2020
corona-1.jpg
2min7530

કોરોના કહેર : 231ના મોત : 9692 કેસ : 1600 ક્રિટીકલ : 22 દેશોમાં પહોંચી ચૂક્યો છે વાઇરસ

ચીનમાં 212 લોકોને મોતને ઘાટ ઉતારનાર સૌથી ખતરનાક મનાતા જીવલેણ કોરોના વાઇરસ પર રાઉન્ડ ધ ક્લોક વોચ રાખી રહેલી સંસ્થા (ડબલ્યુ.એચ.ઓ.) વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઈઝેશને આખરે તા.30મી જાન્યુઆરીને ગુરુવારે કોરોના વાયરસને ઈન્ટરનેશનલ ઈમરજન્સી જાહેર કરી દીધી છે. કોરોના વાઇરસને પહોંચી વળવા માટે હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર કામગીરી થઇ શકે એ માટે કોરોના વાઇરસને ઇન્ટરનેશનલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.

https://twitter.cohttps://twitter.com/WHO/status/1222967082733559808

WHOના ચીફ ટેડ્રોસ એડનમે જણાવ્યું કે, સૌથી મોટી ચિંતા તેવા દેશોમાં વાયરસને ફેલાતા રોકવાની છે જ્યાં સ્વાસ્થ્યને લગતી વ્યવસ્થા ઓછી છે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે ચીન પર અવિશ્વાસ જેવું કંઈ નથી પરંતુ પ્રયાસ એ છે કે બીજા એવા દેશો જેઓ કોરોના વાયરસમાંથી બહાર આવવા માટે સક્ષમ નથી, તેમની મદદ કરી શકાય.

ટેડ્રોસે જણાવ્યું કે, હાલ પૂરતું યાત્રા કરવા પર તેમજ વેપાર કરવા પર પ્રતિબંધ મૂકાયો છે, જો કે તેની કોઈ જરૂર નથી. આપને જણાવી દઈએ કે, ઘણા દેશો એવા છે જેણે પોતાના નાગરિકોને વુહાન જવા માટે ના પાડી છે. કેટલાક દેશોએ વુહાનથી આવતા લોકો પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. રશિયાએ ચીનની સાથે પોતાની પૂર્વીય બોર્ડરને પણ બંધ કરી દીધી છે.

ચીનમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા 213એ થઇ, 9692 કરતાં વધુ લોકો પીડીત 15,000 દેખરેખ હેઠળ 1600 ક્રિટિકલ કેરમાં

9,692 cases confirmed and 213 dead and 15,000 are under observation. 1600+ under critical condition.

ભારતે ચીનમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે રવાના કર્યું ખાસ પ્લેન

http://cialive.in/special-air-india-plane-ready-to-get-out-indians-trapped-in-wuhan/

January 31, 2020
budget.jpg
1min5300

સરકાર બજેટના એક દિવસ પહેલાં શુક્રવારે 2019-’20 માટેનો આર્થિક સરવે જારી કરશે. બજાર અને નિષ્ણાતો ચાલુ નાણાકીય વર્ષના આર્થિક પ્રદર્શનનો અંદાજ મેળવવા આર્થિક સરવે પર ચાંપતી નજર રાખશે. સરકારના મુખ્ય આર્થિક સલાહકાર (CEA)ની આગેવાનીમાં આર્થિક સરવેનો અહેવાલ તૈયાર કરવામાં આવે છે અને નાણાપ્રધાનની મંજૂરી પછી તે જારી કરાય છે. ક્રિષ્નમૂર્તિ વી સુબ્રમણિયન્ અત્યારના CEA છે.

આર્થિક સરવે 31 જાન્યુઆરીના રોજ સંસદનાં બંને ગૃહોમાં રજૂ કરવામાં આવશે. ત્યાર પછી સુબ્રમણિયન્ પત્રકાર પરિષદને સંબોધશે. જેમાં CEA અને તેમની ટીમ આગામી નાણાકીય વર્ષ માટેની યોજના બાબતે ચર્ચા કરશે. આર્થિક સરવે નાણામંત્રાલયનો વાર્ષિક દસ્તાવેજ છે. તેમાં દેશની આર્થિક પ્રગતિ અને છેલ્લા 12 મહિનાના પડકારોની સમીક્ષા કરાય છે.

ઉપરાંત, સરકારની મહત્ત્વની નીતિઓના પ્રદર્શન અને તેની અસર અંગે પણ માહિતી આપવામાં આવે છે. આર્થિક સરવેમાં મહત્ત્વની રાજકોષીય બાબતો, ફુગાવો,
મેક્રોઇકોનોમિક પરિબળો અને અન્ય આર્થિક પરિબળોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવે છે. તમામ બાબતો અર્થતંત્રની કામગીરીનો નક્કર સંકેત આપે છે. આર્થિક સરવે

હવામાનમાં ફેરફાર, કૃષિ અને રોજગારીની અસર અંગેની વિગતો પણ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, પહેલી ફેબ્રુઆરીએ નાણાપ્રધાન સીતારામન બજેટ રજૂ કરવાના છે તેના એક દિવસ પહેલાં આર્થિક સરવે રજૂ થશે.

January 31, 2020
indiavsnew.jpg
2min5120

વર્તમાન શ્રેણીમાં અજેય સરસાઈ મેળવવામાં અજમાયશ કરવાના મોકો ઊભા થયા છે, પણ ન્યૂ ઝીલેન્ડ સામે શુક્રવારે અહીં રમાનારી ચોથી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત તેની વિજયકૂચમાં કોઈ ઢીલ કરશે નહીં.

મોહમદ શમી અને રોહિત શર્માએ ભારતને બુધવારે સીડોન પાર્ક ખાતેની ત્રીજી ટી-૨૦ મેચમાં સુપર ઓવર મારફતે વિજય મેળવી આપી ૩-૦થી સરસાઈ અપાવવા સાથે ન્યૂ ઝીલેન્ડની ભૂમિ પર પ્રથમ વેળા ટી-૨૦ શ્રેણી જિતાડી હતી અને શ્રેણીની છેલ્લી બે મેચ હવે આગામી ત્રણ દિવસના સમયમાં શુક્રવારે વેલિંગ્ટન અને રવિવારે માઇન્ટ મોન્ગેન્યુ ખાતે રમાનાર છે.

બંને ટીમે હેમિલ્ટનથી વેલિંગ્ટન પહોંચવા ગુરુવારે મુસાફરી કરી હતી અને શ્રેણીની આખરી મેચ માટે પણ આવો જ શ્રમભર્યો કાર્યક્રમ હોવાથી ખેલાડીઓને નેટ-પ્રેક્ટિસ કરવાનો મોકો રહેતો નથી.

પાંચ મેચની ટી-૨૦ શ્રેણી ભાગ્યે જ રમાતી હોવાથી તેમાં ભારતની ટીમની વહેલી સફળતાના કારણે હવે બંને ટીમને આગામી ટી-૨૦ વર્લ્ડ કપ માટે કેટલીક અજમાયશ કરવાની પૂરતી તક મળી રહેશે.

આઈ. સી. સી. ટી-૨૦ વર્લ્ડ કપનું ઑસ્ટ્રેલિયામાં ઑક્ટોબર-નવેમ્બરમાં આયોજન થનાર છે.

કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી માટે આ ટી-૨૦ શ્રેણીમાં ન્યૂ ઝીલેન્ડની ટીમનો સંપૂર્ણપણે રકાસ કરવાનો અને નવો ઈતિહાસ સર્જવાનો મોકો રહેલો છે.

જોકે, ભારતને વિજયી ટીમના સંગઠનમાં ફેરફાર કરવાની બહુ જરૂર નથી અને બૅટિંગ તથા બૉલિંગ વિભાગમાં અમુક સ્થાન માટે થોડા ઉમેદવારના દાવા હોવા છતાં, બહુ અજમાયશ અસ્થાને હશે.

સંજુ સેમસન અને રિષભ પંત તકની રાહ જોઈ રહ્યા છે કે જેમાં સેમસનની રમવાની આશા કરાય છે, પણ પંતની પસંદગી કયા બેટ્સમેનને બાકાત રાખવામાં અને કે. એલ. રાહુલને વિકેટકીપર તરીકે ટીમમાં ચાલુ રાખવો કે નહીં તેના પર આધારિત છે.

ભારતના ટોચના ત્રણ બેટ્સમેનની પસંદગી આપોઆપ થઈ શકે છે તથા શ્રેયસ ઐયર હાલ તેના ઘણા સારા ફોર્મમાં રમી રહ્યો છે અને તે પોતાના માટે બૅટિંગમાં ચોથો ક્રમ નક્કી દઈ શકે છે. મનીષ પાંડે તથા શિવમ દુબેને પણ વધુ મેચના અનુભવની આવશ્યક્તા છે.

આગામી બે મેચમાં ભારતના ટોચના ચારમાંથી કોઈપણ બેટ્સમેનને આરામ આપી શકાય છે અને કોહલી તથા રોહિતને આરામ આપવા વેલિંગ્ટન અને મોનગેન્યુમાં વારાફરતી બાકાત રાખવાની કલ્પના કરવી પણ અસ્થાને નથી. આવી યોજનામાં યુવાન ખેલાડીઓને રમવાનો વધુ અનુભવ પ્રાપ્ત થવા ઉપરાંત, તેઓ ટીમમાં પોતાનું સ્થાન કાયમી કરવાનો પ્રયાસ કરી શકશે.

જોકે, બૉલિંગ વિભાગમાં ફેરફાર કરાવાની આશા કરી શકાય છે. વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ અને નવદીપ સૈની રમવાના મોકાની રાહ જોઈ રહ્યા છે, પણ ત્રણેને તુરતમાં રમવાની સંભાવના નથી. ભારતની ટીમના સત્તાવાળા સ્પિનર અને ફાસ્ટ બૉલરને વારાફરતી રમાડવાની યોજના ઘડી શકે છે.

ઑસ્ટ્રેલિયા મધ્યેના મોટા કદના મેદાનો પર સુંદર ભારતીય કેપ્ટન કોહલીની નવા બોલ માટેની યોજનાનો હિસ્સો છે જેથી તે આગામી બે મેચમાં રમવાનો મોકો મેળવી શકે છે. વધુમાં સુંદરની પસંદગી ટીમને બૅટિંગ વિભાગમાં પણ નીચલા ક્રમે કામ આવી શકતી હોવાથી સૈનીને શાર્દુલ ઠાકુરની બદલીમાં રમાડી શકાશે.

આખરી સવાલ જસપ્રીત બુમરાહના સમાવેશનો છે. હેમિલ્ટનમાં તેનો દેખાવ નિરાશાજનક રહ્યો હોવામાં તેની પર રહેતો ટીમની બૉલિંગના શ્રમનો વિચાર કરી શકાય છે. ભારતની ટેસ્ટ અને વન-ડે મેચોની ટીમોનો તે મુખ્ય હિસ્સો છે તથા આ વર્ષના ટી-૨૦ વર્લ્ડ કપ માટે પણ તેની ગણના કરાઈ રહી છે.

ભારતની ટીમમાં હાલ ઈજાની કોઈ સમસ્યા ન હોવા છતાં, સત્તાવાળાઓએ તેને બિનમહત્ત્વપૂર્ણ મેચોમાં રમાડવાનું વધુ પડતું જોખમ ન ખેડવું જોઈએ.

ન્યૂ ઝીલેન્ડની ટીમમાં કોલિન ડી ગ્રેન્ડહોમની બદલીમાં ટોમ બ્રુસને સ્થાન મળ્યું છે.

ટીમમાં એવો વિચાર પણ પ્રસરી રહ્યો છે કે કેપ્ટન કેન વિલિયમસને બૅટિંગ ક્રમમાં બઢતી મેળવી રમવા આવવું જોઈએ. હેમિલ્ટન ખાતેની ટી-૨૦ મેચમાં તેની બૅટિંગના આધારે તેની માર્ટિન ગપ્ટિલની જોડીમાં ઓપનિંગમાં રમવાની તેની ટીમની આવશ્યક્તા છે અને કોલિન મનરો નીચે સરકી શકે છે.

ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કે. એલ. રાહુલ (વિકેટકીપર), મનીષ પાંડે, રિષભ પંત, સંજુ સેમસન, શ્રેયસ ઐયર, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મોહંમદ શમી, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, વૉશિંગ્ટન સુંદર.

ન્યૂ ઝીલેન્ડ: કેન વિલિયમસન (કેપ્ટન), માર્ટિન ગપ્ટિલ, રોસ ટેલર, સ્કોટ કેજલેજિન, કોલિન મનરો, ટોમ બ્રુસ, ડેરિલ મિચેલ, મિચેલ સેન્ટનર, ટીમ સીફર્ટ (વિકેટકીપર), હેમીશ બેનેટ, ઈશ સોઢી, ટીમ સાઉધી, બ્લેર ટિકનેર.

મેચની શરૂઆત: ભારતીય સમય અનુસાર બપોરે ૧૨.૩૦ વાગ્યે.

January 31, 2020
CIA_Live_Logo_New2.jpg
1min11990

વાપી, ધરમપુર, ડભોઇ, કરજણ, સાવરકુંડલા, ખંભાત અને તળાજામાં અધિક જિલ્લા ન્યાયાધીશની કોર્ટ આજથી કાર્યાન્વિત કરવાની ઘોષણા

રાજ્ય સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં વલસાડ જિલ્લાના વાપી તથા ધરમપુર તાલુકામાં, વડોદરા જિલ્લાના ડભોઈ અને કરજણ તાલુકામાં, અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં, આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં તથા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં એમ કુલ સાત અધિક જિલ્લા ન્યાયાધીશની કોર્ટ શરૂ કરવાની મંજૂરી આપી છે.

આ માટે જુદા જુદા સંવર્ગની જગ્યાઓના મહેકમની મંજૂરી પણ આપવામાં આવી છે. રાજ્ય કાયદાપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના લોકોને સસ્તો, ઝડપી અને ઘરઆંગણે ન્યાય મળે તે માટે રાજ્ય સરકારે વધુ એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના સાત તાલુકાઓમાં અધિક જિલ્લા ન્યાયાધીશ કોર્ટો આગામી આજરોજ તા.૩૧ જાન્યુઆરી-૨૦૨૦થી કાર્યરત થશે એવી જાહેરાત કરવામાં આવી છે.

સિવિલ જજો તથા સિનિયર સિવિલ જજોના કોર્ટના ચુકાદાઓ સામે અપીલ તેમ જ રિવિઝન દાખલ કરવા માટે છેવાડા ગામના લોકોને મુખ્ય જિલ્લા મથક સુધી જવું પડતું હતું. જેના કારણે તેના કીમતી સમય અને નાણાનો વ્યય થતો હતો. જ્યારે હવે તાલુકા કક્ષાએ જ અધિક જિલ્લા ન્યાયાધીશ કોર્ટની રચના થવાના પરિણામે છેવાડાના નાગરિકોને ઘરઆંગણે જ સસ્તો અને ઝડપી ન્યાય મળી રહેશે.

આ ઉપરાંત જિલ્લા અદાલતનું વિકેન્દ્રીકરણ થવાના પરિણામે કેસોનો ઝડપી નિકાલ થઈ શકશે. જે ગુનાઓની ગંભીરતા વધુ છે તેવા ગુનાઓના આરોપીઓને યોગ્ય નશ્યત-સજા થાય તે હેતુથી આ નવીન કોર્ટો શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. ગુનાનો ભોગ બનનાર પક્ષકારોને જિલ્લા મથક સુધી ધકકા ખાઈ અને આર્થિક તેમ જ સમયનો ભોગ આપવો ન પડે તે ઉદ્દેશથી સમાજના છેવાડાના નાગરિકના હિતને ધ્યાને રાખીને વર્તમાન સરકારે સંવેદનશીલ વલણ અપનાવીને વધુમાં વધુ અધિક જિલ્લા ન્યાયાધીશોની નામદાર હાઈ કોર્ટના પરામર્શમાં તાલુકા કક્ષાએ સ્થાપના કરવામાં આવી છે.

January 31, 2020
strikes.jpg
1min7800

પગારવધારા અંગેની મૅનેજમેન્ટ સાથેની બેઠકમાં સર્વાનુમતી સાધવામાં મળેલી નિષ્ફળતાને પગલે જાહેરક્ષેત્રની બૅંકના યુનિયનોએ આજથી બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ ને પગલે શુક્રવાર તા.31મી જાન્યુઆરીએ સવારથી જ ભારતના અર્થતંત્ર પર તેની અસર વર્તાવા પામી હતી. અનેક બેંકોમાં કર્મચારીઓ કામકાજથી અળગા રહ્યા હતા. બપોર બાદ અબજો રૂપિયાનું ક્લીયરીંગ નહીં જવાથી મોટી અસર સામે આવશે.

હળતાળને કારણે બૅંકની કામગીરી પર અમુક હદે અસર પડે એમ હોવાની એસબીઆઈ સહિતની અનેક બૅંકોએ ગ્રાહકોને જાણ કરી દીધી હોવા છતાં લાખો ગ્રાહકો સમગ્ર દેશમાં બેંક હડતાળથી અટવાયાના પ્રાથમિક અહેવાલો મળ્યા છે.

સંસદના બજેટસત્ર અને વર્ષ ૨૦૨૧-૨૨ના કેન્દ્રીય બજેટ સાથે આવતીકાલ તા.1લી ફેબ્રુઆરીએ પણ હડતાળ હોઇ બેંક કર્મચારીઓ સામે રોષની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે.

ઑલ ઈન્ડિયા બૅંક ઑફિસર્સ કૉન્ફેડરેશન (એઆઈબીઓસી), ઑલ ઈન્ડિયા બૅક ઍમ્પ્લોઈસ અસોસિયેશન (એઆઈબીઈએ) અને નેશનલ ઑર્ગેનાઈઝેશન ઑફ બૅંક વર્કર્સ (એનઓબીડબ્લ્યુ) સહિત નવ બૅંકના યુનિયનોની મુખ્ય સંસ્થા યુનાઈટેડ ફૉરમ ઑફ બૅંક યુનિયન્સ (યુએફબીયુ)એ આ હડતાળની હાકલ કરી છે.

અગાઉ આ અઠવાડિયે મુખ્ય શ્રમ કમિશનર સાથેની બેઠક અનિર્ણીત રહી હોવાનું એઆઈબીઓસીના પ્રમુખ સુશીલકુમારે કહ્યું હતું.

જાહેરક્ષેત્રની બૅંકના કર્મચારીઓના પગારમાં સુધારણા કરવાનું નવેમ્બર ૨૦૧૭થી અનિણીર્ર્ત છે.

ઈન્ડિયન બૅંક્સ અસોસિયેશન (આઈબીએ) સાથેની ગુરુવારની બેઠક યુનિયનની માગણીઓને મામલે નિષ્ફળ ગઈ હોવાને કારણે હડતાળની હાકલ કરવામાં આવી હોવાનું એઆઈબીઈએના જનરલ સેક્રેટરી સી. એચ. વેંકટાચલમે કહ્યું હતું.

આઈબીએના જડ વલણે યુનિયનો પાસે હડતાળ સિવાયનો કોઈ જ વિકલ્પ ખુલ્લો રાખ્યો ન હોવાનું તેમણે કહ્યું હતું.

હડતાળને કારણે પડનારી અગવડો બદલ ગ્રાહકો અમને માફ કરે, પરંતુ બૅંક મેનેજમેન્ટ અને આઈબીએએ આ હડતાળ અમારા પર થોપી છે, એમ તેમણે કહ્યું હતું.

January 29, 2020
platinum-and-gold-1280x960.jpg
1min6760

સોના કરતા પ્લેટિનમ 27 ટકા સસ્તું થયું હોવાથી આ લગ્નસરામાં પ્લેટિનમ પર પસંદગી ઉતારવામાં આવી રહી છે. આ ઉપરાંત, લગ્ન માટેની ખરીદીમાં પોલ્કી અથવા અનકટ હીરા, અન્ય કીમતી જેમસ્ટોન્સ અને પ્લેટિનમ જ્વેલરીની ભારે માંગ છે.

ભારતમાં હાલ સોનાનો ભાવ બજારભાવ ₹40,000ની આસપાસ સેટલ થઇ ચૂક્યો છે. જ્યારે પ્લેટિનમ પ્રતિ 10 ગ્રામ ₹31240નાં ભાવે વેચાઇ રહ્યું છે. સોનાના ભાવ ઊંચા છે ત્યારે ગ્રાહકોએ પસંદગી બદલી છે એમ અગ્રણી ડાયમંડ જ્વેલરી તેમજ બુલિયન આગેવાનોનું કહેવું છે.

આ વખતની લગ્નની સીઝનમાં ગ્રાહકોની પસંદગી કીમતી અને જેમસ્ટોન જ્વેલરી તથા પોલ્કી હીરા છે.

પ્લેટિનમ જ્વેલરીમાં હકારાત્મક વલણ જોવા મળે છે, તેમાં પણ ખાસ કરીને પુરુષો ટુ ટોન રિંગ, બ્રેસલેટ, કફલિંક અને ચેઇન ખરીદી રહ્યા છે. આ સિવાય ગ્રાહક માંગમાં પણ નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે, આ રિટેલ માંગ બિનસંગઠિત ઝવેરીઓથી શિફ્ટ થઈને સંગઠિત ક્ષેત્રના ઝવેરીઓ તરફ વળી છે. હીરા અને પ્લેટિનમ ઝવેરાત તરફ ગ્રાહકોની પસંદગી વળી તેનું કારણ તાજેતરના મહિનાઓમાં સોનાના ભાવમાં થયેલો વધારો છે.

તાજેતરનાં મહિનાઓમાં ગોલ્ડ અને પ્લેટિનમ વચ્ચેનો ભાવ તફાવત ઘણો વધ્યો છે. ગ્રાહકો સોના કરતા પ્લેટિનમ પસંદ કરી રહ્યા છે. સામાન્ય રીતે લગ્નમાં સોનાને પ્રાથમિકતા આપવામાં આવે છે પણ આ લગ્નસરામાં અમે પ્લેટિનમને પ્રાધાન્ય અપાઇ રહ્યાની અનુભૂતિ થઇ રહી છે.

નવા જમાનાની યુવતીઓને હવે ડિઝાઇન્ડ ડાયમંડ પોલ્કી નેકલેસ અને બંગડીઓ વગર ચાલતું નથી. તેઓ લગ્ન સમયે ડાયમંડ પોલ્કી જ્વેલરીને અનિવાર્ય સમજવા લાગી છે. કેટલીકે તેમાં પ્લેટિનમનો પણ ઉમેરો કર્યો છે જેથી તેનો દેખાવ અલગ જ તરી આવે.

પ્લેટિનમ હજી ખાસ કેટેગરીમાં આવતી બ્રાઇડલ જ્વેલરી હોવાથી વોલ્યુમની રીતે તેની માંગ સોના કે હીરા જેવી નથી. રિટેલ પ્લેટિનમ જ્વેલરી તે વ્યૂહાત્મક રિટેલ નિર્ણય છે અને તેનો આધાર માંગના ટ્રેન્ડ અને કોઈ ખાસ બજારનાં પરિમાણ પર છે.

January 29, 2020
indiavsnew.jpg
1min5240

ભારતીય ટીમ આજરોજ બુધવાર તા.29મી જાન્યુઆરી 2020ના રોજ રમાનાર ત્રીજી ટી-20 મેચમાં ન્યુઝીલેન્ડમાં જીત સાથે ન્યુઝીલેન્ડની ધરતી પર ઇતિહાસની પહેલી ટી-20 શ્રેણી જીતવાના લક્ષ્ય સાથે મેદાને પડશે.

ટીમ ઇન્ડિયાએ ઓકલેન્ડમાં રમાયેલા પહેલા બે ટી-20 મેચમાં ક્રમશ: 6 અને 7 વિકેટે આસાન જીત નોંધાવી હતી. કોહલીની ટીમ પાંચ મેચની શ્રેણીમાં 2-0થી આગળ છે.

સેદન પાર્કમાં આજે તા.29ને બુધવારે ત્રીજો મેચ રમાવાનો છે. જ્યાં ભારતને કિવિઝ ધરતી પર પહેલી ટી-20 શ્રેણી જીતવાની તક છે. બીજી તરફ’ કેન વિલિયમ્સનના સુકાનીપદ હેઠળની ન્યુઝીલેન્ડની ટીમ શ્રેણી જીવંત રાખવા આવતીકાલના મેચમાં જીત માટે કરો યા મરો કરશે. આ ટીમ સફળ વાપસી માટે જાણીતી છે. આથી ત્રીજો મુકાબલો વધુ રોમાંચક બની રહેશે. મેચ ભારતીય સમય અનુસાર 12-30થી શરૂ થશે.

કોહલીના સફળ સુકાનીપદ હેઠળની ભારતીય ટીમ હાલ શ્રેષ્ઠ ફોર્મમાં છે. 2019ના વન ડે વિશ્વ કપ બાદ તેણે જે પાંચ ટી-20 શ્રેણી રમી છે તેમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જેમાં આ વર્તમાન સિરિઝ પણ સામેલ છે. આ દરમિયાન ફકત આફ્રિકા સામે શ્રેણી જીતી ન હતી. જે 1-1ની બરાબરી પર રહી હતી. જો કે આ ફોર્મેટમાં શાનદાર દેખાવ છતાં ટીમ ઇન્ડિયાની રેન્કિંગમાં ખાસ બદલાવ થયો નથી. ટી-20માં હાલ ભારત ટીમ ક્રમાંકમાં પાંચમા સ્થાને છે. ચોથા સ્થાને પહોંચવા વર્તમાન સિરિઝ પ-0થી જીતવી પડે. ન્યુઝીલેન્ડ છઠ્ઠા સ્થાને છે. જયારે પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને આફ્રિકા ભારતથી આગળ છે. બધાની નજર આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડ કપ પર છે. ટીમ ઇન્ડિયા પણ આઇસીસીની આ ટૂર્નામેન્ટ માટે યોગ્ય સંયોજન તૈયાર કરી રહયું છે. કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરનું ફોર્મ ટીમની પ્લસ નિશાની છે.

ત્રીજી મેચમાં ભારતીય ઇલેવનમાં મોટા ફેરફારની શકયતા નહીંવત છે. કદાચ શાર્દુલ ઠાકુરના સ્થાને નવદિપ સૈનીને તક મળી શકે છે. ટીમ સંયોજનના હિસાબે ઋષભ પંતને ફરી ડગ હાઉસમાં બેસવાનો વારો આવી શકે છે. ઓકલેન્ડનું મેદાન નાનુ હોવાથી કુલદિપને તક મળી ન હતી. તેના સ્થાને રમેલ ચહલે સારી બોલિંગ કરી છે. આથી તે ઇલેવનમાં ટકી રહેશે.

January 28, 2020
Sakat-Chauth-Til-Chauth.jpg
1min8650

આજે તિલકૂટ ચૌથ, પાલ સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણેશ યાગનો આરંભ

ભારતીય ધર્મશાસ્ત્રોમાં આજના દિવસને ભગવાન શ્રી ગણપતિ મહારાજના જન્મદિન તરીકે પણ નવાજવામાં આવે છે. આજે મંગળવાર, તા.28મી જાન્યુઆરી 2020ને મહાસુદ ચતુર્થી, ભારતીય શાસ્ત્રોમાં તિલકૂટ ચોથ, વિનાયક ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં કરાયેલા નિર્દેશ અનુસાર આજના દિવસે ગણેશ ભગવાનનો શિરચ્છેદ થયા બાદ તેઓ ગજમુખ બન્યા હતા. આજના દિવસથી તેઓ ગણપતિ મહારાજ તરીકે ઓળખાયા છે.

આ યોગ આજે મંગળવારે ત્રણ વર્ષ બાદ ‘ગણેશ જયંતી’ના સ્વરૂપમાં સર્જાયો છે. આજના દિવસે વિઘ્નહર્તા દેવની ઉપાસના માટે તેમજ ‘નેતૃત્વ’ના કાર્યમાં સફળતા મેળવવા માટે સર્વોત્તમ માનવામાં આવે છે. ખાસ કરીને આ દિવસે જમણેરી સૂંઢના ગણેશજીની ઉપાસના માટે પણ ઉત્તમ દિવસ કહેવામાં આવે છે.

આજની તિથિ માટે એવું કહેવાય છે કે આ દિવસે જ તેઓનો શિરચ્છેદ થયા બાદ તેઓ ‘ગજમુખ’ બન્યા હોવાથી તેમનો જન્મદિન પણ કહેવાય છે. આ દિવસે સેંકડો શ્રદ્ધાળુઓ દર્શન માટે ગુજરાતનાં ગણેશપુરા, ઐઠોર, સૂરતના પાલના સિદ્ધિ વિનાયક ગણપતિ સહિતનાં પ્રાચીન ગણેશ મંદિરોમાં દર્શન માટે જાય છે.

કાર્યમાં આવતાં વિલંબ દૂર કરવા માટે આ ચતુર્થીનું ખાસ મહત્વ છે. આ દિવસે ગણેશ યાગનું પણ સવિશેષ મહત્ત્વ છે. આ દિવસે તલનાં લાડુ ધરાવાતા હોવાથી આ વિનાયક ચતુર્થીને તિલકુંદ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. તલના લાડુનાં પ્રસાદની સાથે તથા દૂર્વાથી પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થઈ શકે છે. 

ગણેશ યાગનું પણ આ દિવસે સવિશેષ મહત્ત્વ છે. જ્યારે લાલ રંગની વસ્તુ અર્પણ કરવાથી રોગમાં રાહત મળે છે. આ દિવસે સંકષ્ટનાશન ગણેશ સ્તોત્રનું પઠન ખૂબ જ લાભદાયી બની રહે છે. અનેક શ્રદ્ધાળુઓ આ દિવસે શ્રીગણપતિ અથર્વશીર્ષનું પણ પઠન કરતાં હોય છે. તો અનેક શ્રદ્ધાળુઓ ગણેશ ચાલીસાનું પણ પઠન કરતાં હોય છે. આ દિવસે બીજું કંઇપણ શક્ય ન બને તો ગણેશજીનાં બાર નામ છે, તેનું સ્મરણમાત્ર વ્યક્તિને કાર્યમાં આવતાં વિલંબને દૂર કરવામાં સહાયક બની શકે છે.

સૂરતના પાલ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં આજે વિશેષ યાગ

સૂરતના પાલ પાટીયા સ્થિત ભગવાન શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે આજે શ્રી ગણેશ અથર્વશિર્ષના પાઠ તેમજ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નીતિન મહેતાએ જણાવ્યું હતું. આજના યોગ દરમિયાન અનેક ભાવિકો મંદિરમાં દર્શનાર્થે પધારતા હોવાથી સિદ્ધિ વિનાયક મંદિરમાં વિશેષ વ્યવસ્થાપન હાથ ધરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાને કેસરસ્નાન સાથે કાર્યક્રમ શરૂ થયા હતા. સવારે 9 કલાકે ગણેશ યાગનો આરંભ કરવામાં આવ્યો હતો. સાંજે 5 કલાકે શ્રીફળ આહૂતિ સાથે યાગની પૂર્ણાહૂતિ કરવામાં આવશે.

January 28, 2020
hemlet-1280x720.jpg
1min5970

ગુજરાતમાં વાહન ચાલકોને શહેરી વિસ્તારમાં હેલ્મેટ મરજિયાત કરવાના નિર્ણય સામે થયેલી અરજીના મામલે ગુજરાત હાઇ કોર્ટે સરકારને નોટિસ આપી છે. જ્યારે સરકારે ગુજરાતમાં વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું મરરાયાત નથી કરાયું, ફરજિયાત જ છે, પાછળ બેસનારે પણ હેક્ષમમેટ પહેરવું ફરજિયાત છે.

હાઇ કોર્ટે ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ રજૂ કરવા આદેશ કર્યો હતો. રાજ્યમાં વાહનચાલકો માટે કેન્દ્ર સરકારના કાયદા પ્રમાણે હેલ્મેટ ફરજિયાત કર્યા બાદ તેની સામે વ્યાપક વિરોધ અને લોકોને પડતી હાલાકીના પગલે રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં શહેરી વિસ્તારોમાં હેલ્મેટને મરરાયાત કરતો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ એક નાગરિક દ્વારા ગુજરાત હાઇ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, સરકારે કેન્દ્ર સરકારના કાયદામાં ફેરફાર કરીને હેલ્મેટની મરજિયાત બનાવી છે. જે થઇ શકે નહીં.

27 January 2020 થયેલી સુનાવણીમાં સરકાર તરફે એવી રૂઆત કરવામાં આવી હતી કે, સરકારે આવો કોઇ પરિપત્ર કે આદેશ જાહેર કર્યો નથી. તેમ જ રાજ્યમાં હેલ્મેટનો ફરજિયાત જ છે. જોકે હાઇ કોર્ટે આ અંગે સરકારને સોગંદમાનુ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે તેમ જ નોટિસ કાઢી કાઢી હતી. સેન્ટ્રલ મોટર વ્હિકલ એક્ટ ૨૦૧૯ના વિરુદ્ધમાં ગુજરાત સરકાર દ્વારા જનતાને શહેરી વિસ્તારમાં હેલ્મેટ પેહરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે બનાવેલા કાયદામાં સેકશન ૧૨૯ મુજબ હેલ્મેટ ફરજિયાત છે, પરંતુ રાજ્ય સરકારે કાયદાને હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને લોકો સુધી પહોંચાડાયો હતો. કોઈપણ રાજ્ય તરફથી કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદો બદલી શકાય નહીં. જો કોઈ રાજય સરકારે પાર્લામેન્ટ દ્વારા બનાવવામાં આવેલા કાયદામાં ફેરફાર કરવું હોય તો ભારતના બંધારણના અનુચ્છેદ ૨૫૪ (૨) મુજબ રાજ્ય વિધાન સભામાં પસાર થયેલા કાયદો રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવાનો હોય છે. જેમાં રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ નોટિફિકેશન બહાર પાડીને કાયદો અમલમાં મુકાય છે. પણ સરકારે આ પ્રકારની કોઈપણ કાર્યવાહી કર્યા વગર જ રાજકીય હેતુ માટે પ્રેસનોટ આપીને શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું મરજિયાત કરી દીધું હતું.