CIA ALERT

Alert Archives - Page 282 of 511 - CIA Live

February 3, 2020
ca_ravi-1280x939.jpg
5min9910

कठिन माने जाते C.A. फाउन्डेशन कोर्स को रवि छावछरीया की कोचिंग आसान बना देती है

इन्स्टिट्युट ओफ चार्टर्ड अकाउन्टन्ट ऑफ इन्डिया ने आज दि.3 फरवरी 2020 को C.A. फाउन्डेशन एवं इन्टरमिडीएट के परीणामो की घोषणा की. जैसे ही वेबसाइट पर परिणामो की घोषणा हूई सूरत से रिपोर्ट आनी शुरु हो गई थी कि सूरत के छात्रोने पूरे देश में अपना परचम लहराया है.

चार्टर्ड अकाउन्टन्सी कोर्स को रिस्ट्रक्चर करने के बाद ऐसा माना जा रहा है की C.A. फर्स्ट स्टेज यानी फाउन्डेशन की पढाई कठिन हूई है. पहले फाउन्डेशन कोर्स के बदले सी.पी.टी. की परीक्षा ली जा रही थी. सी.पी.टी. की परीक्षा कुल 200 मार्कस की हो रही थी. परंतु, नए कोर्स के गठन के बाद अमल में लाए गए सी.ए. फाउन्डेशन की परीक्षा 400 मार्कस की हो रही है. पूरे देश में एैसी मान्यता फैली हूई है की सी.ए. फाउन्डेशन अति कठिन बन गया है.

आज सी.ए. फाउन्डेश कोर्स का पहला परीणाम आया और इसमें सूरत में सी.ए. कोर्स की प्राईवेट कोचिंग करवा रहे रवि छावछरीया के छात्रो ने विक्रम सर्जक परीणाम हांसिल कीए है.

सी.आई.ए. न्युज से बात करते हूए सी.ए. रवि छावछरीया ने कहा की उनकी कोंचिंग पा रहे 27 छात्रो ने सी.ए. फाउन्डेशन कोर्स में इन्डिया लेवल पर टोप-50 में रेन्क हांसिल कीए है. कोइ नीजी इन्स्टिट्यूट के इतने छात्रो ने इन्डीया टोप कीया हो ऐसा पहले कभी रिकोर्ड नहीं हूआ.

सूरत के रवि छावछरीया के इन छात्रो ने C.A. फाउन्डेशन कोर्स में इन्डिया टोप-50 में रेन्क हांसिल कीया

Name Rank in India Marks
Kanishka Ladia 10 354
Harshi Sadhani 18 346
Shreya Beriwala 19 345
Priya Shah 22 342
Krishna Agrawal 26 338
Shreya Bansal 28 336
Avi Agrawal 30 334
Ujjwala Modi 30 334
Gaurav Asawa 30 334
Pallav Bhandari 31 333
Tithi Shah 32 332
Anushka Bothra 32 332
Khushi Doshi 37 325
Amisha Bhansali 38 326
Khushi Jindal 38 326
Nilesh Bazari 41 323
Vandan Jain 42 322
Sourabh Agarwal 42 322
Piyush Kejriwal 43 321
Khushi Vyas 44 320
Gopal Bansal 44 320
Pari Motani 46 318
Divyam Sakadsariya 46 318
Ritika Agarwal 47 317
Ishan Jajodia 48 316
Harshita Iyer 50 314
Raksha Agarwal 50 314

टोप रेन्कर छात्रो ने कहा, रवि सर की कोचिंग C.A. की पढाई आसान बना देती है

सी.ए. फाइन्डेशन के परीणाम घोषित होने के बाद सेलिब्रेशन के लिए रवि छावछरीया के क्लासीस पर पहोंचे छात्रो को जब पूछा गया की पूरे देश में सी.ए. फाउन्डेशन को कठिन माना जाता है, आप सब ने इतनी अधिक मात्रामां इन्डिया टोप रेन्क कैसे हांसिल कीया. तब सभी छात्रो ने एक ही बात कही की रवि सर (छावछरीया) की कोचिंग ही हमें कठिन से कठिन पाठ्यक्रम को आसान कर देती है.

सी.ए. इन्टरमिडीएट परीक्षा में भी रवि छावछरीया के छात्रो ने इन्डिया टोप-50 में रेन्क पाए

सी.ए. फाउन्डेशन के साथ साथ आज इन्स्टिट्युट ने इन्टरमिडीएट परीक्षा के परीणामो का ऐलान कीया. इन्टरमिडीएट में भी सूरत के रवि छावछरीया के निम्नदर्शित छात्रो ने टॉप कीया है.

  • आकाश बोथरा – ऑल इन्डिया रेन्क 12
  • राहूल गोयल – ऑल इन्डिया रेन्क 31
  • प्रिया भैया – ऑल इन्डिया रेन्क 34
  • फेनिल रामाणी – ऑल इन्डिया रेन्क 43
  • हर्षित चंडूका – ऑल इन्डिया रेन्क 43
February 3, 2020
CIA_Live_Logo_New2.jpg
4min11480

ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ શુક્રવાર તા.7 ફેબ્રુઆરીએ કહ્યું કે ચીનમાં નવા કોરોના વાયરસના પ્રકોપથી મૃત્યુ આંક વધીને 630 થઈ ગયો છે, કારણ કે ગુરુવારે વધુ 69 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે, આ એક દિવસમાં થયેલા સૌથી વધુ મોતની સંખ્યા છે. જ્યારે કોરોના વાયરસની અસર કુલ 30000 કરતા વધુ લોકોને થઈ છે. બુધવારે વાયરસના કારણે 69 લોકોના મોત થયા છ અને આ મહામારીના નવા 2500 કેસોની પુષ્ટિ થઈ છે, તેમ દેશના સ્વાસ્થ્ય આયોગે જાહેરાત કરી છે.

મૃતકોમાં 70 હુબેઈ પ્રાંત અને તેના વુહાનના લોકો સામેલ છે, આ ક્ષેત્રમાં કોરોનાની સૌથી વધુ અસર છે. ટિયાંજિન, હેઇલોંગજિયાંગ અને ગુઇઝોંગ પ્રાંતમાં એક-એક ડઝન લોકોના મોત થયા છે. બુધ અને ગુરુવારે ચીનમાં નવા સંદિગ્ધ 7500 કેસો સામે આવ્યા છે, જેમાં 2987 કેસો હુબેઈ પ્રાંતન છે.

ચીનના સ્વાસ્થ્ય આયોગે ગુરુવારે સાંજે એમ પણ કહ્યું કે કોરોનાગ્રસ્ત 640 દર્દીઓની હાલત ખૂબ ગંભીર છે, તેમની સારવાર ચાલી રહી છે, જ્યારે 3859ની હાલત ગંભીર છે. કેમ કે હવે કોરોના મનુષ્ય-થી-મનુષ્ય સુધી પ્રસરી રહ્યો છે. 1.86 લાખથી વધુ લોકો હજુ પણ પરીક્ષણ હેઠળ છે.

6 February 2020

ચીનમાં કોરોના વાઈરસ : મરણાંક 576 થયો : 28 હજારથી વધુ કેસો

ચીનમાં કોરોના વાઈરસે અત્યાર સુધીમાં 576નો ભોગ લીધો છે. વાઈરસ ઈન્ફેક્શનના ૨8૦૦૦થી વધુ કેસ નોંધાયા છે, એમ ચીનના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. 1100 દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા. 3800 દર્દી ગંભીર હાલતમાં છે. ૧.૮૫ લાખ લોકો નિગરાની હેઠળ છે. ચીનની આસપાસના દેશોમાં શંકાસ્પદ કેસ નોંધાયા છે.

ચીનના સત્તાવાળાઓએ આ વાઈરસનો મુકાબલો કરવા તીવ્ર પ્રયાસ શરૂ કર્યા છે. અલગ હૉસ્પિટલ ટૂંકા ગાળામાં ઊભી કરી છે. અન્ય હૉસ્પિટલ પણ ટૂંકમાં ખૂલનાર છે. મિલિટરી મેડિકલ ટીમ દ્વારા સંચાલન થઈ રહ્યું છે.

આઠ વધુ મોબાઈલ કેબિન હૉસ્પિટલ ઊભી થનાર છે. આ વાઈરસ 27 દેશોમાં ફેલાયો છે. ભારતમાં ત્રણ કેસ જોવાયા છે તે તમામ કેરળના છે. ચીને આશા દર્શાવી છે કે ભારત કોઈ વેપાર અંકુશ મૂકશે નહીં. ચીનમાંના ભારતીયોની સુરક્ષા માટે સત્તાવાળાઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે.

ચીનની ઈકોનોમીને કામચલાઉ અસર થઈ શકે છે. ડબ્લ્યુએચઓએ વૈશ્ર્વિક હેલ્થ કટોકટી જાહેર કરેલી છે તેનાથી ગભરાટ નહીં ફેલાવવા ચીને વિનંતી કરી છે.

ચીન જવાબદાર દેશ છે તે ફક્ત તેમના દેશના જ નહીં, પરંતુ વિશ્ર્વભરના નાગરિકોની સુરક્ષાના પગલાં લેશે. ભારત સાથેના તમામ કામકાજ-વેપાર ચાલુ રહે તેવી આશા દર્શાવાઈ હતી. ચીને અગાઉ સાર્સની કટોકટી વખતે સફળતાપૂર્વક સામનો કરીને ઉકેલ લાવ્યા હતા.

તા.4 ફેબ્રુઆરીનો અહેવાલ

તા.4 ફેબ્રુઆરી 2020ની સવારે કોરોના વાઇરસ અપડેટ અંગે ચીનની સત્તાવાર વેબસાઇટ પરથી લેવાયેલી માહિત અનુસાર કોરોના વાઇરસને પગલે અત્યાર સુધીમાં કુલ 421 લોકોના મોત થઇ ચૂક્યા છે. કોરોના વાઇરસથી પ્રભાવિત નાગરીકોની સંખ્યાની સત્તાવાર વિગતો આ મુજબ છે.

  • Confirmed: 20,471 (+3,266)
  • Suspected: 23,214 (+1,656)
  • Recovered: 632 (+157)
  • Deaths: 425 (+64)

નવા જીવલેણ કોરોના વાઈરસને કારણે ચીનમાં સોમવારે એક જ દિવસમાં વધુ 56 જણનાં મોત થતાં કુલ મરણાંક વધીને 421 પર પહોંચ્યો હોવા વચ્ચે આ વાઈરસની ઝપેટમાં આવેલા લોકોની સંખ્યાનો આંક 20,471 પર પહોંચ્યો હોવાની ચીનના આરોગ્ય ખાતાના અધિકારીઓએ સોમવારે જાહેરાત કરી હતી.

ચીનના નેશનલ હૅલ્થ કમિશને સોમવારે જાહેર કરેલા તેનાં દૈનિક અહેવાલમાં જણાવ્યું હતું કે સોમવારે દિવસ દરમિયાન દેશભરમાં કોરોના વાઈરસના નવા 3500 કન્ફર્મ કેસ તો ૫૧૭૩ શંકાસ્પદ કેસ નોંધાયા હતા જેને પગલે આ વાઈરસની અસરમાં આવેલા લોકોની સંખ્યાનો આંક 20,471 પર પહોંચ્યો હતો.

સોમવારે ચીનના દેશભરમાં કોરોના વાઈરસના નવા ૫૧૭૩ શંકાસ્પદ કેસ નોંધાયા હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે રવિવારે આ વાઈરસને કારણે નોંધાયેલા કુલ ૫૭ મોતમાંથી ૫૬ મોત આ વાઈરસનું મુખ્ય કેન્દ્ર મનાતા હુબેઈ પ્રાન્તમાં નોંધાયા હતા.

સોમવારે ૧૮૬ દરદીની હાલત એકદમ ગંભીર થઈ ગઈ હતી તો ૧૪૭ દરદીને સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી, એમ તેમણે કહ્યું હતું.

પંચનાં જણાવ્યાનુસાર દેશભરમાં આ વાઈરસના ભોગ બનેલા ૨૨૯૬ દરદીની હાલત ગંભીર છે તો ૨૧૫૫૮ લોકોને આ વાઈરસની અસર થઈ હોવાની શંકા છે.

આ વાઈરસની અસર પામેલા લોકોના સંપર્કમાં આવ્યા હોય તેવા ૧,૮૯,૫૮૩ લોકોને શોધી કાઢવામાં આવ્યા હતા જેમાંથી ૧૦૦૫૫ લોકોને રવિવારે તબીબી ચકાસણી બાદ રજા આપી દેવામાં આવી હતી તો ૧,૫૨,૭૦૦ લોકો હજુ પણ તબીબી દેખરેખ હેઠળ હોવાનું તેમણે કહ્યું હતું.

કોરોનાના દર્દીઓ મળી રહ્યા હોઇ કેરળમાં સ્ટેટ ડિઝાસ્ટર ઘોષિત

દુનિયાભરમાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા બાદ હવે કેરળ રાજ્યમાં તેને રાજ્ય આપદા ઘોષિત કરી દેવામાં આવી છે. કેરળ સરકારનાં સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખી તેને હવે રાજ્ય આપદા ઘોષિત કરી તમામ જિલ્લાઓમાં એલર્ટ રજૂ કરી દીધું છે. ભારતમાં અત્યાર સુધી કોરોનાના ત્રણ કેસોની પુષ્ટિ થઈ છે અને આ તમામ કેસ કેરળથી જ છે. જે દર્દીઓમાં આ વાયરસની પુષ્ટિ થઈ છે તેઓ તાજેતરમાં જ ચીનથી પરત ફર્યા છે.

કોરોના વાયરસથી સંક્રમિત ત્રીજો શખસ તાજેતરમાં જ ચીનના વુહાન શહેરથી પરત આવ્યો હતો. દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યો છે અને ડૉક્ટર તેની સતત દેખરેખ રાખી રહ્યાં છે. આ દર્દી કેરળના કસારગોડનો રહેવાસી છે. આની વચ્ચે કોરોના વાયરસના કેરળમાં ત્રણ કેસ સામે આવ્યા બાદ પાડોશી રાજ્ય કર્ણાટકના પણ ઘણા જિલ્લાઓમાં પણ હાઈ એલર્ટ ઘોષિત કરી દેવાયું છે.

કેરળના મુખ્યમંત્રી પિનારઈ વિજયનના નિર્દેશો પર કોરોના વાયરસને રાજકીય આફત જાહેર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ સંક્રમણથી ડરવાની કોઈ જરૂર નથી અને રાજ્યમાં આ સંક્રમણથી બચવા તમામ સાવધાનીઓ વર્તવામાં આવી રહી છે. તમામ જિલ્લાઓ પર નજર રાખવામાં આવી રહી છે અને પ્રભાવિત દેશોથી આવનારા મુસાફરોની તપાસ કરાઈ રહી છે.

સતર્કતા માટે કર્ણાટકના મેંગલુરુ, કોડાગૂ, ચામરાજનગર અને મૈસૂરમાં હાઈ એલર્ટ ઘોષિત કરી દેવાયું છે. કર્ણાટક સરકાર અનુસાર, અત્યાર સુધી 51 મુસાફરો કોરોના વાયરસથી પ્રભાવિત દેશોમાંથી આવ્યા છે અને તેમાંથી 46 લોકોને તેમના ઘરોથી અલગ રાખવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, ભારતે ચીનથી આવનારા વિદેશીઓ માટે ઈ-સેવાઓ અત્યાર પૂરતી સસ્પેન્ડ કરી દીધી છે.

Dated 03/02/2020

362ના મોત : 17,386 દર્દીઓ : 27 દેશોમાં પહોંચ્યો વાઇરસ

વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસ હવે 27 દેશો સુધી વિસ્તરી ચૂક્યો છે. હજુ સુધી જેને ડામવા માટે કોઇ રસી કે દવા શોધી શકાઇ નથી એ કોરોના વાઇરસે તા.2 ફેબ્રુઆરી 2020ના રોજ ચીનમાં ભારે હાહાકાર મચાવ્યો હતો. રવિવારે એક જ દિવસમાં ચીનમાં 57 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 2800 જેટલા નવા કન્ફર્મ કેસો કોરોના વાઇરસના દર્દીઓના મળી આવ્યા છે.

તા.3 ફેબ્રુઆરી 2020ને સવારે 8.30 વાગ્યાની માહિતી અનુસાર કોરોના વાઇરસના કારણે કુલ 362 લોકોના મોત નિપજ્યા છે. ચીનમાં 361 અને ફિલિપાઇન્સમાં 1 દર્દીનું મોત કોરોના વાઇરસને કારણે નિપજ્યું છે.

ચીનમાં કોરોના વાઇરસના કુલ 17,205 કેસો નોંધાયા છે.

ભારતમાં કોરોના વાયરસનો બીજો દર્દી

ભારતમાં ખતરનાક ચીની કોરોના વાયરસનો વધુ એક કેસ મળ્યો છે. કેરળમાં જ આ વાયરસનો બીજો દર્દી હોવાનું જાણવા મળ્યું છે.

પહેલાં ચીનથી પરત ફરેલી એક છાત્રમાં કોરોના વાયરસ હોવાના વાવડ મળ્યા હતા. થ્રિસૂર મેડિકલ કોલેજમાં તેનો ઇલાજ ચાલી રહ્યો છે, જ્યાં તેની તબિયત સ્થિર જળવાઇ રહી છે.
ચીનની યાત્રા કરનાર કેરળના અન્ય એક વ્યક્તિમાં આ ચીની વાયરસનું સંક્રમણ એટલે કે ચેપ હોવાનું બહાર આવતાં ભારતમાં કોરોનાની બીમારીનો બીજો કેસ સામે આવ્યો છે.

બીજા દર્દીને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો છે, જ્યાં તેનું ગહન પરીક્ષણ કરાઇ રહ્યું છે. કેરળના આરોગ્ય મંત્રી કે.કે. શૈલજાએ જણાવ્યું હતું કે અલપ્પુઝા મેડિકલ કોલેજમાં તેનો ઇલાજ જારી છે. આરોગ્ય મંત્રાલયે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી તરફથી અહેવાલ આવવાની રાહ જોવાઇ રહી છે. ભારતમાં કોરોના વાયરસનો બીજો મામલો પણ કેરળમાં જ જોવા મળ્યો છે. આ બીજા દર્દીની હાલત સ્થિર છે અને તેની સતત સારવાર થઇ રહી છે.

ભારતે રવિવારે ચીનમાંથી આવતા ચીની તેમજ અન્ય વિદેશી યાત્રીઓ માટે ઇ-વીઝાની સુવિધા અસ્થાયીરૂપે સ્થગિત કરી દીધી હતી. ચીનમાં કોરોના વાયરસનાં કારણે 300થી વધુ લોકોના મોત, ભારત, અમેરિકા, બ્રિટન સહિત 25 દેશોમાં આ ઘાતક વાયરસના ફેલાવાને ગંભીરતાથી ધ્યાને લેતાં ભારતે આજે આ પગલું લીધું હતું. ભારતીય દૂતાવાસે એવી ઘોષણા કરી હતી કે, પ્રવર્તમાન કોરોના વાયરસથી સર્જાયેલી પરિસ્થિતિના કારણે તત્કાલ પ્રભાવથી ઇ-વીઝા દ્વારા ભારત યાત્રા પર રેક લગાવાય છે.

આ ફેસલો ચીની પાસપોર્ટ ધારકો અને અન્ય દેશોના એ યાત્રીઓ પર લાગુ થશે, જે ચીનમાં રહે છે. એ જ રીતે જે યાત્રીઓને અગાઉથી ઇ-વીઝા જારી કરી દેવાયા છે, તેમનાં પણ ઇ-વીઝા માન્ય નહીં રહે તેવું દૂતાવાસે સ્પષ્ટ કહ્યું હતું.

ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, જેમના માટે ભારતની યાત્રા અનિવાર્ય છે, તેવા યાત્રીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આવા યાત્રીઓ પેઇચિંગ સ્થિત ભારતીય દૂતાવાસ અને શાંઘાઇ અને ગ્વાંગઝોઉ સ્થિત મહાદૂતાવાસ તેમજ આ શહેરોમાં સ્થિત ભારતીય વીઝા આવેદન કેન્દ્રોનો સંપર્ક કરી શકે છે.

શ્રેષ્ઠ મેડીકલ એજ્યુકેશનનો દાવો કરતા ચીનમાં જ વાઇરસે પોલ ખોલી નાંખી

ચીન છેલ્લા એક દસકાથી એકધારું એવો દાવો કરતું હતું કે મેડિકલનું શ્રેષ્ઠ એજ્યુકેશન ચીનમાં આપવામાં આવે છે. આ જાહેરાતોને પગલે જ ભારતથી સ્ટુડન્ટ્સ મેડિકલ એજ્યુકેશન લેવા માટે ચીન ગયા અને હવે એ જ સ્ટુડન્ટ્સ કુદરતના આ કેરને લીધે પાછા આવી રહ્યા છે. મેડિકલ ભણવા જઈ રહેલા સ્ટુડન્ટ્સ મેડિકલ ગ્રાઉન્ડ પર જ પાછા આવે એ જ દેખાડે છે કે ઈશ્વરના સંકેત સામે કોઈનું કશું ક્યારેય ચાલ્યું નથી કે ચાલવાનું નથી.

આખા વિશ્વને માસ્ક વેચતા ચીને માસ્ક બીજા દેશો પાસેથી ખરીદવા પડ્યા

બીજી વાત, અત્યારે ભારતમાં માસ્કનું ઉત્પાદન લગભગ દરેક કંપનીએ ડબલ કરી નાખ્યું છે. આ એ કંપનીની વાત છે જે કંપનીના માસ્ક ખરીદવાને બદલે ચીનમાં બનતા માસ્ક ખરીદવામાં આવતા હતા. ભાવની દૃષ્ટિએ પણ એ માસ્ક વધારે પોસાતા અને ક્વૉલિટીના નામે પણ એ માસ્કની ડિમાન્ડ રહેતી, પણ આજે પરિસ્થિતિ બદલાઈ છે. હવે ઇન્ડિયન માસ્ક વધારે માગવામાં આવી રહ્યા છે. આખા વિશ્વમાં માસ્ક સપ્લાય કરતા ચીને માસ્ક વિદેશોમાંથી મંગાવવા પડ્યા છે.

ચીન ઑલમોસ્ટ અત્યારે એ માસ્કના ઉત્પાદન સુધી પહોંચી શકે એમ રહી નથી. મોટા ભાગની ફૅક્ટરીઓએ રજા જાહેર કરી દીધી છે તો સાથોસાથ વર્કર્સ પણ રહ્યા નથી. ચીન સરકારે પણ જાહેરાત કરી દીધી છે કે બહાર જ નહીં, ઘરમાં પણ માસ્ક પહેરીને રાખવો. હવે એ ઑર્ડર ભારતને સબમિટ કરવામાં આવ્યો છે અને ભારતથી ચીન માસ્ક મોકલવા માટે ઉત્પાદન ડબલ કરી નાખવામાં આવ્યું છે.

February 3, 2020
schenzhen.jpg
1min4400

2/2/20 રવિવારથી યુરોપની તમારી ટૂર મોંઘી થઇ જશે કારણ કે શેન્ઝેન વિઝા એપ્લિકેશન ફી ૬૦ યુરોથી વધારીને ૮૦ યુરો કરવામાં આવી છે, એવી અધિકારીઓએ માહિતી આપી હતી. યુરોપના ૨૬ દેશોની મુલાકાત લેવા માટે શેન્ઝેન વિઝા લેવા પડે છે. આ ૨૬ દેશમાં ઑસ્ટ્રિયા, ડેન્માર્ક, ફ્રાન્સ, જર્મની , ગ્રીસ, સ્વીટ્ઝરલેન્ડ અને સ્પેનનો સમાવેશ થાય છે.

૨૦૦૬ બાદ પહેલી વાર વિઝા ફીમાં વધારો કરવામાં આવ્યો છે, એવી યુરોપિયન યુનિયને માહિતી આપી હતી. બીજી ફેબ્રુઆરીથી સુધારેલા શેન્ઝેન વિઝા કૉડરૂપે આ વધારો ઝિંકવામાં આવ્યો છે. આ વધારા બાદ શેન્ઝેન વિઝાની ફી ૨૦૦૬થી અત્યાર સુધીને ઇયુના ફુગાવાને ધ્યાનમાં લેતા બરાબર થઇ જશે.

વિઝા ફી વધવાને કારણે સભ્ય રાષ્ટ્રોને વધારાના આર્થિક સ્રોત મળશે અને તેઓ વિઝા એપ્લિકેશનની કાર્યવાહી ઝડપથી અને વધુ કાર્યક્ષમ રીતે કરી શકશે. આંતરરાષ્ટ્રીય ધોરણ કરતાં વિઝા ફી ઓછી છે. નિયમિત પ્રવાસીઓ માટે વિઝા ફીમાં વધારો લોંગ વેલિડિટી વિઝાના નવા નિયમ મુજબ ભરપાઇ થઇ જશે. હકીકતમાં નવા વિઝા ફી અંતર્ગત નિયમિત પ્રવાસીઓ નાણાં બચાવશે કારણ કે તેમણે વારે ઘડીયે વિઝા લેવાની જરૂર નહીં પડે.

અગાઉની જેમ જ હાલમાં પણ છ વર્ષથી નીચેનાં બાળકો માટે વિઝા ફી રાખવામાં નથી આવી. છથી બાર વર્ષનાં બાળકો માટે વિઝા ફી સામાન્ય કરતાં અડધી છે. આ ઉપરાંત નવા વિઝા નિયમોમાં સભ્ય દેશ માટે છથી અઢાર વર્ષની વય જૂથના લોકો માટે વિઝા ફી માફ કરવાનું પણ શક્ય બનશે.

February 1, 2020
budget.jpg
5min4940

What becomes costlier?

Following is a list of imported items that will become costlier following the announcements in the Budget:

> Butter ghee, butter oil, edible oils, peanut butter

> Whey, meslin, maize, sugar beet seeds, preserved potato

> Chewing gum, dietary soya fibre, isolated soya protein

> Walnuts (shelled)

> Footwear, shavers, hair clippers, hair-removing appliances

> Tableware, kitchenware, water filters, glassware

> Household articles of porcelain or china

> Rubies, emeralds, sapphires, rough coloured gemstones

> Padlocks

> Hand sieves and hand riddles

> Combs, hairpins, curling pins, curling grips, hair curlers

> Table fans, ceiling fans and pedestal fans

> Portable blowers

> Water heaters and immersion heaters

> Hair dryers, hand drying apparatus and electric irons

> Food grinders, ovens, cookers, cooking plates, boiling rings, grillers and roasters

> Coffee and tea makers and toasters

> Electro-thermic fluid heaters, devices for repelling insects and electric heating resistors

> Furniture, lamps and lighting fittings

> Toys, stationery item, artificial flowers, bells, gongs, statuettes, trophies

> Printed Circuit Board Assembly (PCBA) of cellular mobile phones, display panel and touch assembly, fingerprint readers for use in cellular mobile phones

The government has proposed to hike the Excise duty on cigarettes, Hookah, Chewing tobacco, Jarda scented tobacco and Tobacco extracts and essence.

2020-02-01 (1)

What becomes cheaper?

The government has proposed to reduce the custom duty on the import of the following items

> Pure-bred breeding horses

> Newsprint C

> Sports goods

> Microphone

> Electric vehicles

February 1, 2020
DICGC.jpg
1min5290

PMC બેંકના સંકટને જોતા ડિપોઝિટ કવરને વધારે કરવાથી બેંક ખાતા ધારકોને મોટી રાહત મળી છે. આ મામલે નાણામંત્રીએ ઉમ્મીદ કરતા વધારે આપ્યું. હવે બેંકમાં તમારી સુરક્ષિત રકમ 1 લાખથી વધીને 5 લાખ રૂપિયા હશે.

અત્યાર સુધી DICGC એક્ટ 1961 અંતર્ગત એક લાખ રૂપિયા સુધીની જમા રકમ પર ઈન્શ્યોરન્સ કવર છે અને જો બેંક ડૂબી જાય તો આ લિમિટથી આગળની જમા રકમ પાછી મળવાની ગેરેન્ટી નથી. આ વળતર નક્કી કરાયું તેને 25 વર્ષથી વધારે સમય થઈ ચૂક્યો છે.

બજેટમાં સરકારે તમારા બેંકની ડિપોઝિટને લઈને મોટી જાહેરાત કરી છે. બેંકમાં જમા રકમ પર તમને હવે 5 લાખ રૂપિયા સુધીની ગેરેન્ટી મળશે. એટલે કે બેંકમાં તમારા 5 લાખ રૂપિયા બિલકુલ સેફ રહેશે. બેંકોમાં પૈસા જમા કરાવનારા લોકો માટે ઈન્શ્યોરન્સ કવર 1 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી દેવાયું છે. જો બેંક ડૂબશે તો તમારી 5 લાખ રૂપિયા સુધીની જમા રકમ તમને પાછી મળી જશે.

પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંક (PMC) સાથે જોડાયેલા મામલામાં સરકાર અને RBIને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં PMC બેંકનું કામકાજ બંધ થઈ ગયું. જેનાથી હજારો ગ્રાહકોના પૈસા ફસાઈ ગયા હતા.

ડિપોઝિટ કવર વધારવાનો મુદ્દો ફાઈનાન્શિયલ રિઝોલ્યૂશન એન્ડ ડિપોઝિટ ઈન્શ્યોરન્સ બિલ સમક્ષ ઉઠ્યો હતો, જે પાછલી સરકારે 2017માં રજૂ કર્યો હતો. જોકે આગામી વર્ષે બિલ સંસદમાંથી પાછું લઈ લેવાયું. ક્રોસ કન્ટ્રી ડિપોઝિટ ઈન્શ્યોરન્સ કવરેજ લિમિટના ડેટાથી માલુમ પડે છે કે ભારતમાં ડિપોઝિટ ઈન્શ્યોરન્સ કવરેજ 1508 ડોલર છે, જ્યારે અમેરિકામાં આ 250,000 ડોલર્સ અને બ્રિટનમાં 111,143 ડોલર છે.

બજેટમાં ડિપોઝિટ ઈન્શ્યોરન્સ વધારવાની જાહેરાત બાદ બેંકબાજાર ડોટ કોમના સીઈઓ આદિલ શેટ્ટીએ તેનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું, આ ડિપોઝિટર સેન્ટીમેન્ટને બૂસ્ટ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આ જાહેરાતથી ખાસ કરીને સીનિયર સીટિઝન્સને ફાયદો મળશે, જે ઘડપણમાં ડિપોઝિટના વ્યાજ પર નિર્ભર રહે છે.

February 1, 2020
budget_point-1280x720.jpg
7min6050

*આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરાયો

*₹5થી 7.5 લાખની આવક પર ટેક્સ 20 ટકાથી ઘટીને 10 ટકા

*7.5 લાખથી 10 લાખસુધીની આવક પરનો ટેક્સ 20 ટકાથી ઘટીને 15 ટકા

*10લાખથી 12.5 લાખ સુધીની આવક પરનો ટેક્સ 30 ટકાથી ઘટાડીને 20 ટકા

*12.5 લાખથી 15 લાખની આવક સુધી 25 ટકા ટેક્સ

*15 લાખથી વધુની આવક પર કોઈ રાહત નહીં

*ડિવિડંડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સ નાબૂદ કરાયો

*કોર્પોરેટ બોન્ડમાં FPIની રોકાણ મર્યાદા વધારીને 15%

*FY21માં રાજકોષીય ખાધ GDPના 3.5 ટકા રહેવાનું અનુમાન

*ડિપોઝીટ વીમાની રકમ ₹1 લાખથી વધારી ₹5 લાખ

*ગિફ્ટ સિટીમાં ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેંજ સ્થપાશે

*મોબાઈલ ફોન અને ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોને પ્રોત્સાહન અપાશે

*18600 કરોડ બેંગલુરુ લોકલ ટ્રેન માટે

*2021માં ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રા માટે ₹1.7 લાખ કરોડ

*પાવર અને રિન્યુએબલ એનર્જી માટે ₹22,000 કરોડની જોગવાઈ

*નેશનલ ગેસ ગ્રીડને 27,000 કિલોમિટર સુધી લંબાવાશે

*ડેટા સેન્ટર પાર્ક માટે ખાનગી ક્ષેત્રને મંજૂરીની શક્યતા

*સોલાર પંપ માટે PM કુસુમ સ્કિમ, 20 લાખ ખેડૂતોને લાભ

*નેશનલ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ એન્ડ ટેકનોલોજી, ₹8000 કરોડની ફાળવણી

*તેજસ જેવી વધુ ટ્રેન

*ન્યુટ્રીશન રિલેટેડ પ્રોગ્રામ માટે ₹35,600 કરોડની ફાળવણી

* મહિલા સંબંધિત યોજના માટે ₹

*સિનિયર સિટિઝન અને દિવ્યાંગ સ્કીમ માટે ₹9500 કરોડની જોગવાઈ

*OBC, SC સ્કીમ માટે ₹85,000 કરોડની ફાળવણી

*ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે પગલાં ભરાશે

*બેટી બચાઓ, બેટી પઢાવોનું સારું પરિણામ

*ઈન્ટરનેટ કનેક્ટિવિટી માટે ₹6,000 કરોડ

*સંપત્તિના સર્જકોનું સન્માન જાળવવામાં આવશે

*દિલ્હીનું પ્રદુષણ દૂર કરવા ₹4,400 કરોડની જોગવાઈ

*ગુજરાતની ધોલાવીરા સહિત 5 આર્કેયોલોજિકલ સાઈટ્સ ડેવલપ કરાશે

*નિકાસકારો માટે વીમાનું ઊંચું કવર

*ટેક્સ હેરેસમેન્ટ નહીં ચલાવી લેવાય

*નોન ગેજેટેડ પોસ્ટની ભરતી કરવા નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી

*ટુરિઝમ માટે ₹2500 કરોડની ફાળવણી

*જમ્મુ-કાશ્મીર માટે ₹30,757 કરોડ અને લદાખ માટે ₹5,958 કરોડની ફાળવણી

*IDBI બેન્કનો બાકીનો હિસ્સો વેચાશે

*લોન રિસ્ટ્રક્ચરિંગથી 5,00,000 MSMEsને લાભ

*ભંડોળ એકત્રીકરણ માટે PSBsને પ્રોત્સાહન

*ગિફ્ટ સિટીમાં ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેંજ સ્થપાશે

*LICમાનો સરકારનો અમૂક હિસ્સો IPO દ્વારા વેચવામાં આવશે

*ડિવિડંડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સ નાબૂદ કરાયો

* દેશવાસીઓની આવક અને ખરીદશક્તિ વધારવાની નેમ

* અર્થતંત્રના ફંડામેન્ટલ મજબૂત

*GST દ્વારા લોકોને ₹1 લાખ કરોડનો લાભ પહોંચાડાયો

* કોમોડિટી પર ટેક્સ ઘટ્યો

* જીવન ધોરણ સરળ બનાવાશે

*GST રિટર્નની સરળ પ્રણાલી દાખલ કરાશે

* અમલદારશાહીનો અંત

*60 લાખ નવા કરદાતાઓ વધ્યા, 40 કરોડ વધુ રિટર્ન

* સરકારી દેવું માર્ચ-14માં 52.2% હતું તે ઘટીને 48.7% ટકા

* ખાનગી ક્ષેત્રોને વધુ તક અપાશે

* 2006થી 2016 સુધીમાં 27.1 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર લવાયા

* કિસાનો માટે 16 પગલાંની જાહેરાત

* પાણીની અછત ધરાવતા 100 જિલ્લાઓ માટે સર્વગ્રાહી પગલાં લેવાશે

* 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરાશે

* રેફ્રિજરેટેડ માલસામાનના વહન માટે PPP ધોરણે કિસાન રેલ,

*WARD અંતર્ગત વેરહાઉસ તૈયાર કરાશે

*પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ 6.11 કરોડ ખેડૂતોને આવરી લેવાયા

*સોલાર પાવરનો ઉપયોગ કરવા ખેડૂતોને ઈન્સેન્ટિવ અપાશે

*ઝીરો બજેટ ખેતી પર ફોકસ

*બગડી જાય તેવા ઉત્પાદનો માટે સીમલેસ નેશનલ કોલ્ડ સપ્લાય ચેઈન

* મરિન રિસોર્સિસના ડેવલપમેન્ટ, મેનેજમેન્ટ માટે ખાસ ફ્રેમવર્ક

*ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ માટે ₹1.23 લાખ કરોડની ફાળવણી

* બાગાયતી કામની પ્રોત્સાહનની યોજના

*2020-21 માટે એગ્રી ક્રેડિટ 15 લાખ કરોડ

*કૃષિ, સિંચાઈ અને ગ્રામીણ વિકાસ માટે ₹2.83 લાખ કરોડ

*વેરહાઉસીસ બાંધવામાં આવશે

*12 નવા રોગને કવર કરતી નવી ઈન્દ્રધનુષ યોજના

* સ્વચ્છ ભારત મિશન માટે ₹12,300 કરોડની ફાળવણી

*પાઈપ્ડ વોટર પ્રોજેક્ટ્સ માટે ₹3.6 લાખ કરોડ

* શિક્ષણમાં FDI, ECBની મંજૂીર

* આરોગ્ય માટે ₹69,000 કરોડની જોગવાઈ

*2025 સુધીમાં ટીબીની નાબૂદી

*ગરીબો માટે ડિગ્રી લેવલનો ઓનલાઈન એજ્યુકેશન પ્રોજેક્ટ્સ

* ‘સ્ટડી ઈન ઈન્ડિયા’ને પ્રોત્સાહન

*જિલ્લા હોસ્પિટલમાં PPP ધોરણે મેડિકલ કોલેજ

*શિક્ષણ માટે ₹99,300 કરોડની ફાળવણી

*સ્કિલ ડેવલપમેન્ટ માટે ₹3,000 કરોડ

* દેશના ઉત્પાદનને પ્રોત્સાહન

* 5 નવા સ્માર્ટસિટીની દરખાસ્ત

*2014-19ના ગાળામાં ભારતમાં FDI વધીને 284 અબજ ડોલર

*ઘાસચારા માટે મનરેગાનો ઉપયોગ

* ઈન્ફ્રા પ્રોજેક્ટ માટે₹100 લાખ કરોડ

*મેડિકલ ડિવાઈસ માટે નવી સ્કિમ

*ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે ન્યૂ ઈન્વેસ્ટમેન્ટ ક્લિયરિંગ સેલ

*તમામ માટે શિક્ષણની નેમ

*નેશનલ ટેક્સટાઈલ મિશન માટે ₹1480 કરોડ

*નાના નિકાસકારો માટે નિર્વિક યોજના

*MSMEsને સ્પર્ધાત્ક બનાવવા નેશનલ લોજિસ્ટિક પોલિસી ટૂંક સમયમાં

*નેશનલ પોલિસ યૂનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક યૂનિવર્સિટીની દરખાસ્ત

*2023 સુધીમાં દિલ્હી-મુંબઈ હાઈવે પૂર્ણ થશે

February 1, 2020
sensex.jpg
1min4540

બજેટની દરખાસ્તોથી નારાજ રોકાણકારોએ રિયલ્ટી, મેટલ, પાવર, કેપિટલ ગૂડ્ઝ, ઓટો અને બેન્ક શેરોમાં આક્રમક વેચવાલી કરતાં BSE સેન્સેક્સ આજે 988 પોઈન્ટ્સ તૂટ્યો હતો.

બજેટમાં આવકવેરામાં શરતી રાહત અને ડિવિડંડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સ નાબૂદ કરવા સહિતની જાહેરાત છતાં શેરબજારમાં નિરાશાના માહોલ જોવા મળ્યો હતો. રાજકોષીય ખાધનો અંદાજ વધવાને કારણે બજાર વધુ ગગડ્યું હતું.

દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 40,905.78 અને નીચામાં 39,631.24 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 987.96 પોઈન્ટ્સ અથવા 2.43 ટકા ગગડીને 39,735.53 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 12,017.35 અને નીચામાં 11,633.30 પોઈન્ટ્સ વચ્ચે અથડાયા બાદ 318.30 પોઈન્ટ્સ અથવા 2.66 ટકા તૂટીને 11,643.80 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 2.21 ટકા અને 2.20 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

આજે IT અને ટેકનો સિવાયના તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા.

આજે ઘટેલા મુખ્ય શેરોમાં ITC 6.97 ટકા, LT 5.98 ટકા, HDFC 5.87 ટકા, SBI 4.83 ટકા, ONGC 4.18 ટકા, ICICI બેન્ક 4.01 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 3.81 ટકા, M&M 3.50 ટકાનો સમાવેશ થાય છે.

આજે વધેલા મુખ્ય શેરોમાં TCS 4.13 ટકા, હિન્દુસ્તાન યૂનિલિવર 1.94 ટકા, નેસ્સે ઈન્ડિયા 1.68 ટકા, ટેક મહિન્દ્રા 1.52 ટકા, ઈન્ફોસિસ 0.50 ટકા અને ભારતી એરટેલ 0.13 ટકાનો સમાવેશ થાય છે.

February 1, 2020
income_tax-1280x853.jpg
1min4760

બજેટ 2020માં સરકારે આસા પ્રમાણે જ મિડલ ક્લાસના કરદાતાઓને મોટી રાહત આપવામાં આવી છે. નવા સ્લેબની જાહેરાત કરતાં નાણાંમંત્રીએ પાંચ લાખ રૂપિયા સુધીની આયને ટેક્સ ફ્રી કરી દીધી છે.

નવી ટેક્સ સ્લેબ પ્રમાણે,
1. 5 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતાં કરદાતાઓને હવે કોઇપણ ટેક્સ પેમેન્ટ કરવાનું નહીં હોય, જૂની વ્યવસ્થામાં આ રકમ 2.5 લાખ રૂપિયા હતી.

2. 5થી 7.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 10 ટકા કર ચૂકવવું પડશે.

3. 7.5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયાની કમાણી પર 15 ટકા ટેક્સ પે કરવાનું રહેશે. જૂની વ્યવસ્થામાં આ કરનો દર 20 ટકા હતો.

4. 10 લાખ રૂપિયાથી 12.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવારાને નવી ટેક્સ વ્યવસ્થામાં 20 ટકાનું પેમેન્ટ કરવાનું રહેશે, જે પહેલા 30 ટકા હતું.

5. 12.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર હવે 25 ટકા પેમેન્ટ કરવાનું રહેશે.

ઇનકમ ટેક્સના જૂના સ્લેબમાં જ્યાં 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઇ ટેક્સ આપવો પડતો ન હતો, તો 2.5-5 લાખ રૂપિયાની આવક પર 5 ટકા કર આપવો પડે છે. 5-10 લાખ રૂપિયાના ટેક્સ સ્લેબ પર 20 ટકા, જ્યારે 20 લાખ રૂપિયાથી બે કરોડ રૂપિયાની વાર્ષિક આવક ધરાવનારા વ્યક્તિને 30 ટકા કર આપવું પડે છે. 2 કરોડથી વધારે કમાણી કરનારા વ્યક્તિને 35 ટકા ટેક્સ ભરવું પડે છે.

નોંધનીય છે કે પેનલ ડાયરેક્ટર ટેક્સ કોડએ ટેક્સ સ્લેબનો વિસ્તાર વધારવાની ભલામણ કરી હતી. ગયા બજેટમાં ઇનકમ ટેક્સમાં કોઇપણ બદલાવની ભલામણ કરવામાં આવી ન હતી. જો કે, 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવનારા ટેક્સપેયર્સને 12,500 રૂપિયાનું રિબેટ આપવામાં આવ્યું હતું. 2019-20 માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનની રકમ 50,000 રૂપિયા રાખવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે બજેટમાં કરવામાં આવેલી આ જાહેરાતોથી સરકારને ઉપભોક્તા માંગ અને નિવેશને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. માંગ અને નિવેશમાં ઘટાડાને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને ખૂબ જ ખરાબ સમયનો સામનો કરવો પડ્યો. જુલાઇ-સપ્ટેમ્બર ત્રૈમાસિકમાં ભારતીય અર્થવ્યવસ્થાની ગ્રોથ રેટ ઘટીને 4.5 ટકા થઈ ગઈ છે.

નબળાં આર્થિક પરિદ્રશ્યને કારણે કેટલા આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓ ભારતના ગ્રોથ રેટમાં કાપ મૂકી ચૂકી છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)એ ચાલું નાણાંકીય વર્ષ માટે ભારતના ગ્રોથ રેટને 5.8 ટકાથી ઘટાડીને 4.8 ટકા કરી દીધું છે.

February 1, 2020
budget_team.jpg
1min5100

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળમાં બીજા બજેટને લોકસભામાં રજૂ કર્યું. નાણાંમંત્રી બજેટ ભાષણ વાંચવા માટે હળદર જેવા પીળા કલરની સાડીમાં પહોંચ્યા. તેમણે કહ્યું કે આ બજેટ સામાન્ય માનવીની આવકને સુનિશ્ચિત કરવા તેમ જ તેમની ક્રય શક્તિને વધારવા પ્રત્યે સંકલ્પિત છે. કેન્દ્રીય નાણાંમંત્રીએ જીએસટીના શિલ્પકાર દિવંગત અરૂણ જેટલીને પણ શ્રદ્ધાંજલિ આપી. આવો સંક્ષેપમાં જાણીએ બજેટની મોટી વાતો…

ટેક્સ સ્લેબમાં મોટો સુધાર
કેન્દ્રીય નાણાંમંત્રીએ જણાવ્યું કે હવે ટેક્સ સ્લેબ્સ ચાર ભાગમાં વહેંચવામાં આવ્યો છે. પાંચ લાખથી સાડાસાત લાખ સુધીની આવક પર 10 ટકા કર આપવો પડશે જે પહેલા 20 ટકા હતો. સાડાસાત લાખથી 10 લાખ સુધીની આવક પર 15 ટકાના દરે કર આપવું પડશે જે પહેલા 20 ટકાના દરે લાગતું હતું, 10 લાખથી સાડા 12 લાખ સુધીની આવક પર 20 ટકાના દરે ટેક્સ લાગશે જે પહેલા 30 ટકાના દરે વસૂલવામાં આવતું. એટલું જ નહીં સાડા 12 લાખથી 15 લાખ સુધીની આવક પર 25 ટકાના દરે કર લાગશે જે પહેલા 30 ટકા લાગતું હતું. 15 લાખ રૂપિયાથી વધારેની આવક પર પહેલાની જેમ જ 30 ટકાના દરે ટેક્સ આપવું પડશે. એટલું જ નહીં જો કરદાતા આયકર અધિનિયમ હેઠળ મળતી કેટલીક કર છૂટ ન લે તો 15 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારાને પહેલા કરતાં ઓછા દરે ટેક્સ આપવું પડશે.

જીએસટીની નવી વ્યવસ્થા પહેલી એપ્રિલથી
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે એક એપ્રિલ 2020થી જીએસટીની નવી સરળ રિટર્ન વ્યવસ્થા લાગૂ થશે. તેમણે જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં જીએસટીમાં બે લાખ નવા કરદાતા જોડાયા અને 40 કરોડ રિટર્ન ફાઇલ થયા.

LICનો અમુક ભાગ વેંચશે સરકાર
કેન્દ્રીય નાણાંમંત્રીએ જાહેર કર્યું કે વિનિવેશ પ્રક્રિયાને આગળ વધારતા સરકાર લાઇફ ઇન્શ્યોરન્સ કૉર્પોરેશન (LIC)નો અમુક હિસ્સો વેંચશે. એટલું જ નહીં IDBI બેન્ક્માં પણ ભાગીદારી વેંચવામાં આવશે. LICનો આઇપીઓ જાહેર કરવામાં આવશે. જો કે, તેમણે એ નથી જણાવ્યું કે સરકાર એલઆઇસીનો કેટલો ભાગ વેંચશે. આ ઘોષણા પછી વિપક્ષે હંગામાં સાથે વિરોધ કર્યો.

બેન્ક ડિપોઝિટ પર મોટી જાહેરાત
સીતારમણે ગ્રાહકોના બેન્ક ડિપોઝિટને લઈને પણ મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે હવે બેન્ક જમા રકમ પર ગ્રાહકોને પાંચ લાખ રૂપિયા સુધીની ગેરન્ટિ મળશે એટલે કે બેન્કના ડૂબી ગયા પછી પણ તમારા પાંચ લાખ રૂપિયા એકદમ સુરક્ષિત રહેશે.

દેશભરમાં લાગશે પ્રીપેડ મીટર
કેન્દ્રીય નાણાંમંત્રીએ દેશભરમાં વીજળીના મીટરોને પણ બદલવાની વાત કરી. તેમણે કહ્યું કે આગામી સમયમાં દેશભરમાં પ્રીપેડ મીટર લગાવવામાં આવશે.

ખેડૂતોને બેગણી આવકનું લક્ષ્ય
કેન્દ્રીય નાણાંમંત્રીએ જણાવ્યું કે સરકાર વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બેગણી કરવાનું લક્ષ્યને લઈને પ્રતિબદ્ધ છે. સરકાર 20 લાખ ખેડૂતોને સોલાર પંપ લગાડવામાં આર્થિક મદદ આપશે. જળસંકટથી પ્રભાવિત 100 જિલ્લા માટે વિસ્તૃત યોજના લાવવામાં આવશે.

બજેટ ત્રણ વાતો પર આધારિત
તેમણે જણાવ્યું કે નાણાંકીય વર્ષ એટલે કે 2020-21નું બજેટ મુખ્યત્વે ત્રણ વાતો ‘આકાંક્ષી ભારત, બધાં માટે આર્થિક વિકાસ કરનારું ભારત અને બધાંનું ધ્યાન રાખનારા સમાજ ભારત પર કેન્દ્રિત છે.’

રેલવેમાં આ એલાન

1,150 ટ્રેઇન્સ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના મોડલ પર દોડતી કરાશે. તેજસ જેવી વધુ ટ્રેઇન્સ લોન્ચ કરીને સહેલાણી સ્થળો પરની કનેક્ટીવિટી વધારાશે. મુંબઇ અને અમદાવાદ વચ્ચે હાઇ સ્પીડ ટ્રેઇન ના પ્રોજેક્ટને વધુ ગતિથી અનુસરાશે. રેલ્વે ટ્રેક્સની આસપાસની જમીન રેલ્વેની માલિકીની હશે ત્યાં મોટી સોલર પેનલ્સ લાગુ કરાશે. સરકાર 11,000 ટ્રેક્સનું ઇલેક્ટ્રિફિકેશનનું લક્ષ્ય પણ ધરાવે છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના મૉડલને આધારે 4 સ્ટેશનનું રિ-ડેવલપેન્ટ કરવામાં આવશે. વિવિધ રેલ્વે સ્ટેશન્સ પર 550 વાઇ-ફાઇ ફેસિલિટી કમિશન કરાશે. વડાપ્રધાને પહેલાં પણ પોતે રેલ્વેના માળખાને પોતે વિકાસનું એન્જિન બનાવવા માગે છે તેવું અનેક વાર કહ્યું છે. કેન્દ્ર સરકારનું ફોકસ હંમેશાથી ઇન્ફ્રા સ્ટ્રક્ચર પર રહ્યું છે.

સ્વાસ્થ્ય સેક્ટર માટે માટી જાહેરાત
કેન્દ્રીય નાણાંમંત્રીએ જણાવ્યું કે સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે 69 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આમાં પીએમ જન આરોગ્ય યોજના માટે 6400 કરોડ રૂપિયાનું પ્રસ્તાવ છે. મિશન ઇન્દ્રધનુષનો વિસ્તાક વધારીને તેમાં 12 બીમારીઓ સામેલ કરી લેવામાં આવી છે. જેમાં પાંચ વેક્સીન પણ જોડવામાં આવી છે. આયુષ્માન ભારતના લાભાર્થિઓ માટે ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં પીપીપી મોડ પર હૉસ્પિટલ બનાવવામાં આવશે. પહેલા ચરણમાં 112 જિલ્લાથી આની શરૂઆત થશે. મેડિકલ ઉપકરણો પર જે કર લગાડવામાં આવે છે તે જ રકમથી આ હૉસ્પિટલોનું નિર્માણ કરાવવામાં આવશે. નાણાંકીય વર્ષ 2020-21માં સ્વચ્છ ભારત મિશન માટે 12,300 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સરકારે વર્ષ 2025 સુધી ટીબીની બીમારીને સંપૂર્ણપણે ખતમ કરવાનું લક્ષ્ય સેવ્યું છે. જળ જીવન મિશન માટે 3.6 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

50 ઉચ્ચ શિક્ષણ સંસ્થાન શરૂ થશે
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે જલ્દી નવી શિક્ષા નીતિની જાહેરાત કરવામાં આવશે. માર્ચ 2021 સુધી 150 ઉચ્ચ શિક્ષણ સંસ્થાન શરૂ થઈ જશે જેમાં સ્કિલ્ડ પ્રશિક્ષણ આપવામાં આવશે. ક્વૉલિટી એજ્યુકેશન માટે ડિગ્રીવાળી ઑનલાઇન યોજનાઓ શરૂ કરવામાં આવશે. એટલું જ નગીં તેમણે નેશનલ પોલીસ યૂનિવર્સિટી અને નેશનલ ફૉરેન્સિંક સાયન્સ યૂનિવર્સિટીના પ્રસ્તાવ વિશે પણ જણાવ્યું. તેમણે જણાવ્યું કે ડૉક્ટરોની ઓછપ દૂર કરવા માટે જિલ્લા હૉસ્પિટલની સાથે મેડિકલ કૉલેજ બનશે. બજેટમાં શિક્ષણ માટે 99300 કરોડ જ્યારે સ્કિલ ડેવલપમેન્ટ માટે 3000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

February 1, 2020
airlift1.jpg
1min4500

ભારત સરકાર દ્વારા કોરોના વાયરસની ચપેટમાં આવેલા ચીનથી ભારતીયોને પરત લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં આજે સવારે ચીનથી 324 ભારતીયોને એરલિફ્ટ કરીને દિલ્હી લાવવામાં આવ્યા છે. વુહાન, હુબેઈ જેવા શહેરોમાં કોરોના વાયરસથી પીડિત લોકોની સંખ્યા સૌથી વધુ છે. ચીનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 259 લોકોના મોત થઈ ગયા છે અને 10,000થી વધારે કેસ સામે આવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કોરોનાને ગ્લોબલ ઈમર્જન્સી જાહેર કર્યો છે.

ચીનથી ભારતીયો પરત ફરે તે પહેલાથી જ ભારતીય સેના દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે. ભારતીયોને લાવવા માટે ચીન ગયેલું એર ઈન્ડિયાનું પ્લેન શુક્રવારે સાંજે લેન્ડ કરી ગયું હતું.

આઈટીબીપીએ પણ દિલ્હીમાં એવી વ્યવસ્થા કરી છે, જ્યાં 600 લોકોનો ઈલાજ, દેખભાળ માટે અલગ બેડની વ્યવસ્થા રહેશે. સેનાએ હરિયાણાના માનેસરમાં એક કેન્દ્ર બનાવ્યું છે, જ્યાં ચીનથી આવેલા લોકોને નજર હેઠળ રખાશે. પહેલા યાત્રીઓની એરપોર્ટ પર તપાસ કરાશે, તે પછી તેમને માનેસર કેન્દ્ર લાવવામાં આવશે. જો કોઈ કોરોના વાયરસગ્રસ્ત હોવાની આશંકા હશે તેમને દિલ્હી કેન્ટ સ્થિત હોસ્પિટલમાં બનાવેલા અલગ વોર્ટમાં શિફ્ટ કરવામાં આવશે.

હુબેઈમાં કોરોના વાયરસની અસર સૌથી વધારે જોવા મળી રહી છે. વુહાન આ હુબેઈની રાજધાની છે. અહીં કેન્દ્ર છે જેને સત્તાવાર રીતે 2019-એનસીઓવી નામથી ઓળખાય છે. હુબેઈમાં લગભગ 700 ભારતીયો રહે છે. તેમાં મોટાભાગે મેડિકલના વિદ્યાર્થીઓ અને રિસર્ચ સ્કોલર છે જે ભારતની યુનિવર્સિટીઓમાંથી ત્યાં અભ્યાસ માટે ગયા છે.