સૂરતના હીરા ઉદ્યોગમાં સક્રીય એવા નાના અને મધ્યમ કક્ષાના કારખાનેદારો કફોડી હાલતમાં મૂકાયા છે. એક તરફ છેલ્લા દોઢ મહિનાથી ધંધો બંધ અને બીજી તરફ લોકડાઉનના દોઢ મહિનાથી પણ વધુ સમયમાં પગાર ના મળતાં લાખો રત્ન કલાકારો કફોડી સ્થિતિમાં મૂકાયા છે. સરકારનો આદેશ હોવા છતાંય રત્ન કલાકારોને પગાર નહીં કરી શકનારા સૂરતના અંદાજે 118 જેટલા કારખાનેદારો સામે કારીગરોના યુનિયને લેબર કમિશનમાં ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે.
આવા 118 લોકો સામે યુનિયન દ્વારા લેબર કમિશનમાં ફરિયાદ કરવામાં આવી છે. જોકે, અહીં મુશ્કેલી એ પણ છે કે ઘણા કારખાનેદારો કારીગરોને પૂરો પગાર ચૂકવી શકવાની સ્થિતિમાં નથી. 50-200 કારીગરો ધરાવતા નાના અને મધ્યમ કક્ષાના ઘણા કારખાનેદારોએ હજુ સુધી કારીગરોને કોઈ આર્થિક મદદ નથી કરી.
























