Alert Archives - Page 260 of 511 - CIA Live

May 7, 2020
vizag_gas.jpg
1min6190

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આવેલા વેન્કટપુરમ ગામમાં આવેલ કેમિકલ પ્લાન્ટમાં આજે વહેલી સવારે 3.30 વાગ્યાની આસપાસ ગેસ લીક થયો હતો. આર એસ વેન્કટપુરમ ગામમાં એલજી પોલિમર્સ ઈન્ડસ્ટ્રીમાં કેમિકલ ગેસ લીકેજ થવાની ઘટના બની છે. આ ગેસ ત્રણ કિમી સુધી ફેલાયો હતો.

જિલ્લા ચિકિત્સા તથા સ્વાસ્થ્ય અધિકારી (ડીએમએચઓ)એ જણાવ્યું કે, આર એસ વેન્કટપુરમ ગામ સ્થિત એલજી પોલિમર ઉદ્યોગમાં રસાયણિ ગેસ લીકેજ બાદ એક બાળક સહિત સાત લોકોનાં મોત થયા છે. મળતી માહિતિ મુજબ, એનડીઆએફ અને એસડીઆરએફની ટીમને ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી હતી. તો બીજી બાજુ પોલીસ અને તંત્રએ સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યૂ કામ ચાલું કરી દીધું હતું. રેસક્યુ ટીમને લગભગ 50 લોકો રસ્તા પર બેભાન અવસ્થામાં મળ્યાં હતા.

આ દુર્ઘટનામાં એક બાળક સહિત આઠ જણનું મોત થયું છે અને 5000 જેટલા લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી મુશ્કેલીઓ થઈ રહી હોવાથી તેઓ બીમાર પડયા હોવાની માહિતિ મળી છે.

હજી પણ ઘટનાસ્થળે રાહતકાર્ય ચાલુ છે અને બાકીના લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યાં છે.

May 7, 2020
CIA_Live_Logo_New2.jpg
1min20450

Click the link for Question Bank for NEET, JEE Main & GUJCET by Gujarat Board

ગુજરાત બોર્ડે નીટ, જેઇઇ મેઇન્સ અને ગુજકેટ જેવી પ્રવેશ પરીક્ષાઓની તૈયારી માટે ગુજરાતી મિડીયમ તેમજ અંગ્રેજી મિડીયમના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નબેંક તૈયાર કરીને તેને લોંચ કરી છે.

ધો.12 ગુજરાત સાયન્સ એ ગ્રુપ અને બી ગ્રુપમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ પ્રશ્ન બેંક અનેક રીતે ઉપયોગી સાબિત થઇ શકશે.

હાલ ચાલી રહેલા લૉકડાઉન દરમિયાન વિદ્યાર્થીઓ સ્વતૈયારી કરી શકે એ માટે આ પ્રશ્નબેંક તૈયાર કરવામાં આવી છે.

ગુજરાતી મિડીયમ માટે

http://gujarat-education.gov.in/TextBook/QuestionBank/index.html

For English Medium

http://gujarat-education.gov.in/TextBook/QuestionBankEnglish/indexeng.html

May 6, 2020
corona-1.jpg
1min5210

તા.6 મે એ રાત્રે 12 વાગ્યાથી અમલી બને એ રીતે તા. 15 મે સુધી અમદાવાદમાં સંપૂર્ણ પણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લૉકડાઉન દરમિયાન ફક્ત દવા અને દૂધની જ દુકાનો ખુલ્લી રહેશે. આ સિવાય તમામ દુકાનો બંધ રહેશે. કરિયાણા તથા શાકભાજી અને ફળની દુકાનો પણ બંધ રહેશે. લૉકડાઉનનો ચૂસ્ત પણે અમલ કરાવવા માટે મિલીટ્રીની બટાલિયન્સ ઉતારવામાં આવી છે.

બીજી તરફ, અમદાવાદમાં 15 મે સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત થતાં જ દુકાનોમાં ખરીદી કરવા માટે ભારે ભીડ ઉમટી પડી હતી. કરિયાણાની અને શાકભાજીની દુકાનોમાં ભીડ જોવા મળી હતી અને લાંબી લાઈનો લાગી હતી.

ગુજરાતમાં કોરોના વાયરસની સૌથી ખરાબ અસર અમદાવાદમાં થઈ છે. અમદાવાદમાં કોરોના કેસ અને તેનાથી થતો મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. જેને જોતા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બુધવારે રાત્રે 12 વાગ્યાથી અમદાવાદ સંપૂર્ણપણે બંધ રહેશે. ફક્ત દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રહેશે. આ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. વિજય નેહરા ક્વોરેન્ટીન હોવાથી તેમના સ્થાને નવા મ્યુનિસિપલ કમીશનર બનેલા મુકેશ કુમારે એક બેઠક બાદ આ નિર્ણય લીધો છે.

May 6, 2020
CIA_Live_Logo_New2.jpg
1min8330

ગઇ તા.24મી માર્ચથી લૉકડાઉનની સ્થિતિને પગલે ભારતના બિઝનેસ સિટી તરીકે જાણીતા સુરતમાં ધંધા રોજગારને પારાવાર નુકસાન પહોંચ્યું છે. અનેક ધંધા રોજગાર ધીમે ધીમે શરૂ થઇ રહ્યા છે. બિઝનેસ સિટીમાં હવે લોકો પાસે નવેસરથી કામકાજ શરૂ કરવા માટેની કાર્યશીલ મૂડી પણ રહી નથી. આવા સંજોગોમાં કેન્દ્ર સરકારના પેકેજ જાહેર થઇ રહ્યા છે. પરંતુ, સાથોસાથ સુરતની પોતિકી બેંક વરાછા કો.ઓ. બેંક લિ. દ્વારા ખાસ કોરોના લૉકડાઉનમાં આર્થિક રીતે ભીંસમાં આવેલા ધંધા-રોજગાર કરતા લોકો માટે ફાસ્ટ લોન તેમજ બિઝનેસ લોનની બે હેસલ ફ્રી પેકેજ અમલમાં મૂકવામાં આવ્યા છે.

કોરોના ફાસ્ટ લોનમાં ઝીરો પ્રોસેસિંગ સાથે શક્ય એટલી ઝડપથી લોન પાસ કરાવવાનું આયોજન વરાછા બેંકનું છે.

સૌથી મહત્વની વાત એ છે કે બિલકુલ નાના માણસોને પણ રૂ.50હજાર સુધીનું ધિરાણ ઝડપભેર આપવામાં આવશે. આ લોન સ્કીમમાં પરત ચૂકવણીની મુદત 36 હપ્તા છે અને વ્યાજનો દર 9 ટકા રાખવામાં આવ્યો છે.

વરાછા બેંક ફાસ્ટ લોન યોજનાની વિગત વાંચો અહીં

વરાછા બેંકની બિઝનેસ લોન સ્કીમની વિગત વાંચો અહીં

વેપારીઓને રૂ.5 લાખ સુધીનું ત્વરીત ધિરાણ વ્યાજનો દર 11 ટકા લોનની મુદત 60 મહિના

May 6, 2020
mahila_psi.jpg
1min9510

સુરતમાં તા.5મી મે 2020ના રોજ એક અજીબોગરીબ ઘટના બની હતી. લૉકડાઉનમાં બિન્ધાસ્ત રીતે હરીફરી રહેલા લોકોને શહેર પોલીસ રોકીને કાયદાનું પાલન કરાવી રહી છે એવામાં મજૂરાગેટ વિસ્તારમાં મહિલા પોલિસ સબ ઇન્સ્પેક્ટર પર હુમલો કરવાની અને આ હુમલો પણ બે યુવતિઓ દ્વારા થયો હોવાની ઘટનાએ સમગ્ર ભારતનું ધ્યાન ખેંચ્યું હતું. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મહિલા પીએસઆઇ પર હુમલો કરનાર સુરતની એક યુવતી જે થોડા સમયમાં દિક્ષા લેવાની હતી, સંયમનાં માર્ગે જવાનું આયોજન ધરાવે છે. તેણે લૉકડાઉન દરમિયાન ઉપાશ્રય જવાનું નક્કી કર્યું હતું અને જ્યારે પોલીસ તેને અટકાવી ત્યારે તે પોતાના પરનો સંયમ ખોઇ બેઠી અને તેણે PSI મહિલા પર હિંસક હુમલો કરી દીધો હતો.

ચર્ચા એ ઉઠી છે કે જે યુવતી સન્યાસ લઇને અહિંસા પરમોધર્મના માર્ગે આગળ વધવાનું ઉમદા આયોજન ધરાવે છે તેણે મહિલા PSI કયા સંજોગોમાં હુમલો કર્યો..

સૂરતના કૈલાસ નગર વિસ્તારમાં રહેતી યુવતિની વય 25 વર્ષની છે અને સુરત શહેરનાં લાલ બંગલા ખાતે આવેલા દેરાસરનાં ઉપાશ્રયમાં રહી રહેલા સાધ્વી મહારાજને મળવા તે ગઇ હતી. તે પાછી ફરી રહી હતી ત્યારે તેને પોલીસે અટકાવી અને તેની પૂછપરછ કરી. પોલીસ તેનું કામ કરતી હતી તે શ્રેયાથી જાણે ન સંખાયું અને તેણે મહિલા પોલીસ સાથે ખરાબ ભાષામાં વાત કરી, તમાશો કર્યો અને હોહા કરી. આટલું ઓછું હોય તેમ તેણે મહિલા PSI પર હુમલો કર્યો અને તેમ કરતાં મહિલા પોલીસ કર્મીને આંખની પાસે જ વાગ્યું. તેની આંખ માંડ બચી. આ ઘટના પછી તેની ધરપકડ થઇ અને તેની બહેન જે પણ ઉપાશ્રય ગઇ હતી તે બંન્નેને પોલીસ સ્ટેશન લઇ જવાયા.

May 6, 2020
harshvardhan.jpg
1min6310

દેશના આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને દાવો કર્યો હતો કે દેશમાં હાલમાં કોવિડ-૧૯ (કોરોના વાઇરસ)ના રોગચાળાનું ‘કમ્યૂનિટી ટ્રાન્સમિશન’ નથી થતું અને કોરોનાના દરદીઓ વધવાનો દર ઓછો થઇ રહ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે રોગચાળાને લીધે લોકો આરોગ્ય પ્રત્યે વધુ સજાગ બન્યા છે અને હાથ સહિતના શરીરને વધુ ચોખ્ખું રાખી રહ્યા છે, શ્ર્વાસોચ્છ્વાસ પ્રત્યે સરખું ધ્યાન આપી રહ્યા છે અને વાતાવરણને સ્વચ્છ રાખવાની કોશિશ કરી રહ્યા છે. આ બાબત હવે તેઓ માટે રોજિંદા જીવનનો ભાગ બની જશે અને તેને લીધે ભવિષ્યમાં રોગચાળો નહિ ફેલાય. તેમણે જણાવ્યું હતું કે કોરોના વાઇરસના રોગચાળા દરમિયાન ‘મૅક ઇન ઇન્ડિયા’ને વેગ મળ્યો છે. દેશમાં પર્સનલ પ્રૉટેક્શન ઇક્વિપમેન્ટ, એન-૯૫ અને અનેક દવાનું હવે મોટા પાયે ઉત્પાદન કરાઇ રહ્યું છે. હૉસ્પિટલો અને અન્ય આરોગ્ય સેવા કેન્દ્રો ખાતે સુવિધા વધારાઇ છે.

હર્ષ વર્ધને કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા દેશમાં અનેક ઠેકાણે દારૂની દુકાનો ખોલવા અપાયેલી પરવાનગીને લીધે ઘણાં રાજ્યમાં ઊભી થયેલી અંધાધૂંધીનાં સંબંધમાં ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ પરિસ્થિતિ જલદી થાળે પડવાની આશા વ્યક્ત કરી હતી.

May 5, 2020
vijay_nehra-1280x850.jpg
1min4780

અમદાવાદના મ્યુ. કમિશનર 14 દિવસ માટે ક્વોરન્ટાઈન થયા છે. સરકારને આપેલી માહિતીમાં તેમણે જણાવ્યું છે કે તેઓ કોરોનાના સંપર્કમાં આવ્યા હોવાથી તેઓ અગમચેતીના ભાગરુપે ક્વોરન્ટાઈન થઈ રહ્યા છે. નેહરાનો હવાલો હાલ તેમના પુરોગામી મુકેશ કુમારને સોંપવામાં આવ્યો છે.

May 5, 2020
luxarybus.jpg
1min5250

હીરા ઉદ્યોગને કારણે સૌરાષ્ટ્રથી સૂરત આવીને વસેલા મૂળ સૌરાષ્ટ્રવાસીઓને હાલ કોવીડ-19 લૉકડાઉનમાં સૂરત રહીને કંટાળ્યા છે અને હવે તેમને માદરે વતન જવું છે. સૂરતના વરાછાના ધારાસભ્ય અને સરકારના મંત્રી કુમાર કાનાણીએ આ અંગે સરકારમાં વાતચીત કરતા હવે સૂરતથી સૌરાષ્ટ્ર તેમજ અન્ય જિલ્લાઓમાં જવા માટેની એક પ્રોસીજર નક્કી કરવામાં આવી છે.

જેમકે સુરતથી સૌરાષ્ટ્ર કે અન્ય જિલ્લામાં જવા માગતા લોકોએ ઓનલાઇન નોંધણી કરાવવાનું રહેશે. આ અંગેની વેબસાઈટ તા.5મીએ સાંજે અથવા 6એ સવારે લોંચ કરી દેવામાં આવશે. એમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે.

કલેક્ટર ઓફિસમાં ઓનલાઈન અરજી કર્યા બાદ જેમને પરવાનગી મળશે તેમનું મેડિકલ સ્ક્રિનિંગ કરાશે.

ચેકપોસ્ટ પર સહી-સિક્કા કરી બસ કે ખાનગી વાહનમાં જે-તે વ્યક્તિ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી, માસ્ક પહેરીને સુરતથી સૌરાષ્ટ્ર જવા રવાના થઈ શકશે. આ અંગેની તૈયારીઓ કરવા માટે સીએમ દ્વારા એક કમિટિ બનાવાઈ છે, જેના અધ્યક્ષ સ્થાને કિશોર કાનાણીની નિમણૂંક કરાઈ છે. સુરતથી સૌરાષ્ટ્ર જવામાં એક જ શરત રખાઈ છે કે કોઈપણ વ્યક્તિને એક કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાંથી બીજા કન્ટેઈન્મેન્ટ ઝોનમાં જવાની પરવાનગી નહીં અપાય.

સુરતથી ઓલપાડ, અંકલેશ્વર અને જંબુસરના રસ્તે સૌરાષ્ટ્ર જઈ શકાશે. આવતીકાલથી તેના માટે રજિસ્ટ્રેશન શરુ કરાશે અને ત્યારબાદ મંજૂરી આપવાનું શરુ કરાશે. જે લોકોને શરદી, ઉધરસ કે શ્વાસ લેવામાં કોઈ તકલીફ ના હોય તે લોકોને જ પરમિશન અપાશે. સૌરાષ્ટ્ર પહોંચ્યા બાદ જે-તે જિલ્લાના તંત્ર દ્વારા પણ આ લોકોની ચકાસણી કરાશે.

જે લોકોમાં કોરોનાના કોઈપણ લક્ષણ દેખાશે તેને નજીકની હોસ્પિટલમાં મોકલાશે. જે લોકોમાં લક્ષણ નથી તેઓ હોમ ક્વોરન્ટાઈન કે તંત્ર દ્વારા ઉભી કરાયેલી ક્વોરન્ટાઈન ફેસિલિટીમાં રહેવું પડશે. 14 દિવસનો ક્વોરન્ટાઈન પિરીયડ પૂરો થયા બાદ 30 દિવસ સુધી તેમને ત્યાં જ રહેવું પડશે. મતલબ કે, તેઓ 45 દિવસ સુધી સુરત પરત નહીં આવી શકે.

May 5, 2020
CIA_Live_Logo_New2.jpg
2min12260

દેશના શિક્ષણ મંત્રી શ્રી રમેશચંદ્ર પોખરીયાલે આજે વિદ્યાર્થીઓ સાથેની ઓનલાઇન વાતચીતમાં એવી જાહેરાત કરી હતી કે મેડીકલ અને ડેન્ટલના પહેલા વર્ષમાં પ્રવેશ માટેની પરીક્ષા નીટ તા.26મી જુલાઇએ રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવશે જ્યારે જેઇઇ મેઇન્સ ઓનલાઇન ટેસ્ટ તા.18મી જુલાઇથી તા.23 જુલાઇ દરમિયાન લેવામાં આવશે.

NEET 2020 on July 26 & JEE Main to begin on July 18, says HRD Minister

The Ministry of Human Resource and Development on Tuesday announced the fresh schedule for Joint Entrance Exam-Mains (JEE-Mains) and National Eligibility cum Entrance Test (NEET).

As per the announcement the JEE (Mains) 2020 will be conducted between July 18-23 while NEET 2020 will be held on July 26, 2020.
While Joint Entrance Exam-Mains (JEE-MAINS) is conducted for admission to engineering colleges across the country, the National Eligibility cum Entrance Test (NEET) is held for medical colleges.

The entrance exam schedule for the doctors/engineers was announced by the HRD Minister Ramesh Pokhriyal ‘Nishank’ on May 5.

The exams were postponed due to nationwide lockdown announced to contain the Covid-19 spread.

More than 15 lakh students across the country have registered for NEET this year, which is the gateway to medical colleges in India, whereas more than 9 lakh have registered for JEE Mains, the entrance exam for all other engineering colleges except IITs.

The HRD Ministry’s National Testing Agency (NTA) had also given students an option to change their opted centres for the two tests as students have moved to different places since the lockdown.

The Central Board of Secondary Education (CBSE) has yet to announce the remaining Class X and XII remaining examinations, however the paper evaluation work is to begin soon. Many states like Bihar, Uttar Pradesh have started their exam papers evaluation work.

May 5, 2020
coronaguj-1280x875.jpg
2min4680

ગુજરાતમાં 15 May 24 કલાકમાં કોરોના સંક્રમિત દર્દીઓના નવા 340 કેસ નોંધાતા હવે રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 9932 થઈ છે.

આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યુ હતું કે 24 કલાકમાં કુલ 340 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 261, પાટણ અને ગીર સોમનાથમાં 1-1, સુરતમાં 32, વડોદરામાં 15, રાજકોટમાં નવા 12, ગાંધીનગરમાં 11, ખેડા અને જામનગરમાં 1-1, સાબરકાંઠામાં 2, અરવલી અને મહિસાગરમાં 1-1 કેસ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં 24 કલાકમાં 20 લોકો મોતને ભેટ્યા છે.

24 કલાકમાં કુલ 282 લોકોએ કોરોના સામે જીત મેળવી છે. જેથી હવે રાજ્યભરમાં કુલ 4035 લોકો સ્વસ્થ થયા છે. જેથી હવે રાજ્યમાં 40.62 % ડિસ્ચાર્જ રેશિયો થયો છે. આ ઉપરાંત આરોગ્ય સચિવે જણાવ્યુ હતું કે, 24 કલાકમાં કુલ 3150 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જ્યારે અત્યારસુધીમાં કોરોના વાયરસના કુલ 1,27,859 ટેસ્ટ થયા છે. આરોગ્ય સચિવે વધુ માહિતી આપતા જણાવ્યુ હતું કે, કુલ 9932 પોઝિટિવ દર્દીઓમાંથી 5248 સ્ટેબલ છે જ્યારે 43 લોકોને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે.

12મી મે એ 362 નવા કેસ અને 24 મોત : કુલ 8904

ગુજરાત પણ દેશમાં કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 362 કેસ સામે આવ્યા છે. જેથી હવે કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 8904 થઈ છે.

સમગ્ર રાજ્યમાં તા.12મી મે ને મંગળવારના દિવસ દરમિયાન કુલ 362 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 267, વડોદરામાં 27, સુરતમાં 30, ભાવનગરમાં 2, ભરુચમાં 1, ગાંધીનગરમાં 3, પાટણમાં 2, છોટાઉદેપુરમાં 3, કચ્છમાં 6, મહેસાણામાં સાત, ગીર સોમનાથમાં 5, જામનગર અને સાંબરકાઠામાં 1-1, ખેડામાં 3, અરવલ્લી અને દ્વારકામાં 1-1, મહીસાગરમાં 2 કેસનો સમાવેશ થાય છે.

રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યુ હતું કે,’સમગ્ર રાજ્યમાં કુલ 8904 પોઝિટિવ દર્દીઓ છે. જેમાં 5090 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે 30ને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.’ છેલ્લા 24 કલાકમાં 3066 ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 119537 ટેસ્ટ કરવામાં આવ્યાં છે

શનિવારે ગુજરાતમાં 394 નવા કેસ, કુલ આંકડો 7797

ગુજરાતમાં શનિવારે રાત્રે 8 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કુલ 394 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાં આ સાથે જ કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 7797 થઇ છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ ભારત સરકારની નવી ડિસ્ચાર્જ પોલિસી અંગે પણ માહિતી આપી હતી.

ગુજરાતમાં શનિવારે દિવસ દરમિયાન કુલ 394 કેસ સામે આવ્યા હતાં. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ 280 કેસ, વડોદરા 28, સુરત 30, રાજકોટમાં 2, ભાવનગરમાં 10, ભરુચમાં 1, ગાંધીનગરમાં 22, પંચમહાલ અને બનાસકાંઠામાં 2-2, દાહોદમાં 1 તેમજ બોટાદ અને ખેડામાં 2-2, જામનગરમાં સાત, અરવલ્લીમાં 4 અને મહીસાગરમાં 1 કેસનો સમાવેશ થાય છે.

હાલ કુલ 7797 પોઝિટિવ કેસમાંથી 5210 લોકો સ્ટેબલ છે અને 24 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2091 લોકો કોરોના સામે જીત મેળવવામાં સફળ રહ્યાં છે. ઉપરાંત હોમ ક્વોરન્ટીનમાં 83124 લોકો, સરકારી ફેસિલિટીમાં 5372 ક્વોરન્ટીન, પ્રાઈવેટ ફેસિલિટીમાં 368 એમ કુલ રાજ્યમાં 88864 લોકો ક્વોરન્ટીન હેઠળ છે.

Reported on 8 May

7 મે એ ગુજરાતમાં નવા 388 કેસ : કુલ 7 હજાર ઉપર

તા.7 મે 2020ને ગુરુવારે રાત્રે 8 કલાકે પૂરા થયેલા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાં કોરોનાના નવા 388 દર્દીઓ ઉમેરાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 7013એ પહોંચી ગઈ છે. ગુરુવારે દિવસ દરમિયાન 29 લોકોના મોત થયા છે. જોકે, ગુજરાતમાં રિકવરી રેટ પણ વધ્યો હોવાનું સ્વાસ્થ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

આરોગ્ય વિભાગના અગ્ર સચવિ જયંતિ રવિએ જણાવ્યું કે, ગુજરાતમાં 15 દિવસ પહેલા રિકવરી રેટ 7.34 ટકા હતો, જે આજે 24.36 ટકા થયો છે. આમ, 15 દિવસમાં રિકવરી રેટ 326 ટકા વધ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં જે 388 કેસો નોંધાયા છે, તેમાં અમદાવાદમાં 275, સુરતમાં 45, અરવલ્લીમાં 25, વડોદરમાં 19, ગાંધીનગરમાં 5, જામનગરમાં 4, ખેડા,બનાસકાંઠા અને જામનગરમાં 3-3 અને રાજકોટમાં 2 અને ભાવનગર, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા છે.

જે 29 મોત થયા છે તેમાં પ્રાથમિક રીતે કોવિડ 19ના કારણે 12 અને કોરોના ઉપરાંત અન્ય બીમારી હોય તેવા 17 લોકોના મોત થયા છે. તેમાં અમદાવાદમાં 23, સુરતમાં 4, બનાસકાંઠામાં 1 અને મહેસાણામાં 1 લોકોના મોત થયા છે. આ સાથે રાજ્યમાં મૃતકોનો આંકડો 425એ પહોંચી ગયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 209 લોકો ડિસ્ચાર્જ પણ થયા છે. તે સાથે રાજ્યમાં કુલ 1709 લોકો સાજા થઈને ઘર પાછા ગયા હોવાનું આરોગ્ય વિભાગના અગ્ર સચિવે જણાવ્યું હતું.

Reported on 5 May

ગુજરાતમાં પણ કોરોનાના કેસ દિવસેને દિવસે વધતા જ જાય છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યુ હતું કે,’24 કલાકમાં કુલ 376 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી હવે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5804 થઈ છે.’

તા.4 મે સોમવારે દિવસ દરમિયાન પોઝીટીવ મળેલા 376 કેસોમાં અમદાવાદમાં 256, આણંદમાં 1, ભાવનગરમાં 21, બનાસકાંઠા તથા બોટાદમાં 3, દાહોદમાં 6, ગાંધીનગર અને પંચમહાલમાં 7-7, રાજકોટ અને મહિસાગરમાં 3-3, સુરતમાં 20 અને વડોદરામાં 35 કેસ તેમજ સાબરકાંઠાના 2 કેસનો સમાવેશ થાય છે. જેથી હવે રાજ્યમાં નવા 376 કેસ સાથે જ કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 5804એ પહોંચી છે. જેમાંથી 25 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે અને 4265ની હાલત સ્થિર છે.

રાજ્યમાં 5804 પોઝિટિવ કેસમાંથી 4265 કેસ સ્ટેબલ છે જ્યારે 25 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 29 દર્દીઓ મોતને ભેટ્યા છે. જેમાં 16 લોકોનું મોત કોવિડ 19ના કારણે થયું છે. જ્યારે 13 અન્ય લોકો એવા હતાં જેમને ગંભીર બીમારીઓ લાગુ પડી હતી. જ્યારે 24 કલાકમાં 153 લોકો કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. જેથી હવે રાજ્યભરમાં કુલ 1195 લોકોએ કોરોના સામે જીત મેળવી છે.