Alert Archives - Page 259 of 511 - CIA Live

May 9, 2020
vitminD.jpg
1min6300

વિટામિન ડીની ઊણપ હોવાથી ઈટલી અને સ્પેનમાં મૃત્યાંક વધુ હતો તેવું વૈજ્ઞાનિકોએ અહેવાલમાં જણાવ્યું છે. વિટામિન ડીના ઓછા સ્તર અને એકયુટ રેસ્પિટરેટરી ટ્રેકટ ઈન્ફેકશન (શ્ર્વસન તંત્રમાં ચેપ) વચ્ચે સંબંધ છે તેવું સંશોધનકારોએ દાવો કર્યો છે.

ઈટલી અને સ્પેનમાં મૃત્યાંક વધુ હતો અને યુરોપના મોટા ભાગના દેશોની સરખામણીમાં આ બંને દેશના લોકોમાં વિટામિન ડીનું પ્રમાણ ઓછું હોય છે. દક્ષિણ યુરોપમાં વૃદ્ધો તડકામાં જવાનું ટાળતા હોય છે. આથી વિટામિન ડીનું પ્રમાણ ઓછું હોય છે તેવું સંશોધનકારો કહે છે.

ઉત્તરી યુરોપના રહેવાસીઓમાં વિટામિન ડીનું પ્રમાણ વધુ હોય છે. તેઓ તડકામાં બહાર નીકળતા હોય છે તથા તેમના આહારમાં કોડલિવર ઓઈલનો સમાવેશ થતો હોય છે. તેઓ વિટામિન ડીના સપ્લીમેન્ટસ પણ લેતા હોય છે. હોસ્પિટલો, વૃદ્ધાશ્રમોમાં રહેતા લોકોમાંથી ૭૫ ટકામાં વિટામીન ડીની ઊણપ હોય છે તેવું લી સ્મિથ નામના સંશોધનકારે જણાવ્યું હતું. સ્કેન્ડિનેવિયાના રાષ્ટ્રોનો સૌથી ઓછો મૃત્યાંક નોંધાયો છે તેવું સંશોધનકારોએ કહ્યું હતું. 

May 9, 2020
corona-gujarat.jpg
1min4670

કોરોનાનો વ્યાપ વધતો અટકાવવામાં ગુજરાત સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઇ છે. રાજ્યમાં ૭૦૨૧ કેસો, ૪૨૫ મૃત્યુ સાથે મૃત્યુ દર ૨૩ ટકા અને રીકવરી રેટ માત્ર ૧૬ ટકા સાથે નિષ્ફળતામાં પ્રથમ નંબરે રહી છે એવો ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે,૪૦ દિવસ પછી પણ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, બોટાદ જેવા શહેરોમાં કોરોનાને કાબુમાં લેવા અને સારવાર કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે.

એટલે જ કેસોની સંખ્યામાં રોજનો ૩૦૦ થી ૪૦૦ જેટલો વધારો થાય છે. રીકવરી રેટ ૧૬% જેટલો ઓછો છે. જે કેરાલામાં ૭૯% જેટલો રીકવરી રેટ છે. ગુજરાતમાં મૃત્યુ દર ૨૩% જેટલો ઉંચો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં એક લાખ જેટલા જ ટેસ્ટ થયા છે. અને ભારતમાં ૭ લાખ જેટલા ટેસ્ટ થયા છે, જ્યારે ૮.૫ કરોડની વસ્તીવાળા જર્મનીએ ૨૫ લાખ ટેસ્ટ પૂર્ણ કર્યા છે અને રોજના ૧.૨૫ લાખ ટેસ્ટ કરે છે. ગુજરાતમાં માત્ર ૫ હજાર ટેસ્ટ થાય છે જ્યારે આપણા કરતાં નાના અને ઓછા સમૃદ્ધ રાજસ્થાન રોજના દસ હજાર ટેસ્ટ કરે છે.

May 8, 2020
CIA_Live_Logo_New2.jpg
1min8280

દેશના શિક્ષણ મંત્રી ડૉ.રમેશચંદ્ર પોખરીયાલે આજે જાહેરાત કરી હતી કે સેન્ટ્રલ બોર્ડમાં અભ્યાસ કરતા દેશભરના ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓની બાકી રહેલી પરીક્ષાઓ તા.1લી જુલાઇથી તા.15 જુલાઇ વચ્ચે લેવામાં આવશે. તેમણે સેન્ટ્રલ બોર્ડની સ્કુલો તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષા અંગેની આ તારીખોની નોંધ લઇને એ મુજબ કામગીરી આરંભી દેવા જણાવ્યું હતું.

દેશના શિક્ષણ મંત્રીએ ટ્વીટ તરીને માહિતી આપી

CBSE 2020 Board Exams for pending papers of CBSE 12th & 10th will be conducted from 1st To 15th July 2020, tweeted HRD Minister Ramesh Pokhroyal ‘Nishank’.  He recently announced exam dates for JEE Advanced 2020 (August 23), NEET 2020 (26 July) & JEE Main 2020 (18 July to 23 July). 


May 8, 2020
aurangabad.jpg
1min5690

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં બનેલી એરેરાટીપૂર્ણ ઘટનામાં માલગાડી ટ્રેનના પાટા પર વિશ્રામ કરી રહેલા મજૂરો પર ફરી વળતા 16 મજૂરોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. દુર્ઘટના તા.8મી મેએ શુક્રવારે ઔરંગાબાદની પાસે આવેલા કરમાડ સ્ટેશનની નજીક બની છે.  

ઔરંગાબાદ ટ્રેન દુર્ધટના અંગે એસપી મોક્ષદા પાટિલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આ દુર્ઘટનામાં અત્યાર સુધી 16 લોકોના મોત થયા છે જ્યારે 3 લોકોનો આબાદ બચાવ થયો છે જે પાટા પર બેઠા હતા. આ શ્રમિકો પગપાળા પોતાને વતન તરફ જઇ રહ્યા હતા. 

દુર્ઘટના અંગે રેલવેએ નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, ટ્રેકમાં કેટલાક મજૂરોને જોઈને પાયલટે ટ્રેનને રોકવાના પ્રયાસ કર્યા હતા પરંતુ ત્યાં સુધી બહું મોડું થઈ ગયું હતું. દુર્ઘટના બદનાપુર અને કરમાડ સ્ટેશનની વચ્ચે પરભાની-મનમાડ સેક્શનની છે. ઈજાગ્રસ્તોને ઔરંગાબાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 

તમામ મજૂરો એક સ્ટીલ ફેક્ટ્રીમાં કામ કરત હતા. મજૂરો ઔરંગાબાદથી તેમના ગામે જતી ટ્રેન પડકીને જાલનાથી ઔરંગાબાદ પગપાળા જઈ રહ્યા હતા. મોડી રાત થઈ જતા બધા આરામ કરવા માટે પાટા પર ઊંઘી ગયા હતા. સવારે આ જ પાટા પરથી માલગાડી પસાર થઈ જતા 14 મજૂરો તેની ઝપટમાં આવી ગયા હતા. 

May 8, 2020
gujrat-012.jpg
1min5000

ગુજરાતના જે લોકો અન્ય રાજ્યોમાં ફસાયા હતા તેમને પરત લાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૨૯૫૪૦ લોકોને પરત લાવવામાં આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાંથી ૧૫૫૨૩, રાજસ્થાનમાંથી ૪૨૫૨, યુપીથી ૧૪૧૨, મધ્યપ્રદેશમાંથી ૧૫૯૦, કર્ણાટકમાંથી ૧૧૩૮, તમિલનાડુમાંથી ૬૦૪ સહિતના રાજ્યમાંથી લોકોને પરત લાવવામાં આવ્યા છે. જ્યારે ગુજરાતમાંથી પરપ્રાંતના ૮૦ હજારથી વધુ લોકોને પણ તેમના વતનમાં મોકવામાં આવ્યા છે, એવું મુખ્ય પ્રધાનના અગ્ર સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, પરપ્રાંતિયોને પોતાના વતન રાજ્ય પહોંચાડવા માટે રાજ્યમાંથી ગઇકાલ સુધીમાં ૬૭ ટ્રેનોના માધ્યમથી ૮૦૪૦૦ જેટલા શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. જેમા યુપી, બિહાર, ઝારખંડ અને ઓડિશાથી આવે છે તેમને મોકલવામાં આવ્યા છે. વધુ ૩૪ ટ્રેનોના માધ્યમથી યુપી, બિહાર, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ અને છત્તિસગઢના લોકોને મોકલવાની તૈયારી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. યુપીની ૨૦, ઓડિશાની ૫, બિહાર ૪, ઝારખંડ ૨, મધ્ય પ્રદેશ ૨ અને છત્તિસગઢ માટે ૧ ટ્રેન રાજ્યના અલગ અલગ શહેરોથી રવાના થશે. જે પૈકી સુરતમાંથી ૧૨, અમદાવાદ અને વિરમગામથી ૩-૩, રાજકોટથી ૨, મોરબીથી ૩, વડોદરાથી ૩, જામનગરથી ૨, નડિયાદ, જૂનાગઢ, મહેસાણા, પાલનપુર, ભરૂચ અને ગોધરાથી પણ ટ્રેનો રવાના થશે.

May 8, 2020
apmc_Surat.jpg
1min4990

અમદાવાદ પછી સૂરતમાં પણ કોરોના સુપર સ્પ્રેડર જેને માનવામાં આવી રહ્યા છે એ શાકભાજી વિક્રેતાઓને ભીંસમાં લેવા ઉપરાંત સૂરત મહાનગરપાલિકા તંત્રએ દૈનિક 1200 ટન શાકભાજીનું ટર્નઓવર ધરાવતી ગુજરાતની મોટામાં મોટી એ.પી.એમ.સી. માર્કેટને તા.8મીએ મધરાતથી એક સપ્તાહ માટે બંધ કરાવી દેવાની સૂચના આપી છે.

સૂરતમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે તા. ૯ મે થી તા.૧૪મી મે સુધી એપીએમસી તેમજ લોકલ માર્કેટમાં શાકભાજી વેચાણ કરનારા લોકો પર ફરજિયાત બંધનો આદેશ કર્યો છે. જેથી એપીએમસી સંચાલકોના જણાવ્યા પ્રમાણે માર્કેટ બંધ કરે તો રૂ.૫ કરોડનું દૈનિક નુકસાન ખેડૂતોને થવાનો અંદાજ છે.

સામાન્ય દિવસોમાં ૫૦ હજારથી વધુ લોકો એપીએમસી માર્કેટમાં શાકભાજીના ખરીદ-વેચાણ કરવા માટે આવે છે. તેની સામે ૨૫૦૦ ટન શાકભાજીનું દૈનિક વેચાણ થાય છે. જોકે, તેની સામે હાલના સમયે કોરોનાના કારણે કરવામાં આવેલા લોકડાઉનથી માંડ ૧૫૦૦૦ વેપારી-ખેડૂતોની અવર-જવરની સાથો-સાથ ૧૨૦૦ ટન જેટલા શાકભાજીનું વેચાણ થઈ રહ્યું છે. આવા સંજોગોમાં જો એપીએમસીને બંધ કરી દેવામાં આવે તો શહેરમાં શાકભાજી વેચાણનો સ્ત્રોત અટવાઈ શકે તેમ છે.

આ અંગે એપીએમસીના ચેરમેને જણાવ્યું હતું કે, માર્કેટ બંધ કરવામાં આવે તો દૈનિક રૂ.૫ કરોડથી વધુનું ખેડૂતોને નુકસાન થાય તેમ છે. એવામાં સૌથી મોટું નુકસાન રાજ્યની બહારથી આવતા વટાણા, તુવેર, ગલકા, પરવળ સહિતના શાકભાજીનો જથ્થો અટકી પડશે તેનાથી થશે.

May 8, 2020
yogi.jpg
1min6220

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકડાઉનને કારણે અન્ય રાજ્યોમાં ફસાયેલા ઉત્તરપ્રદેશના મજૂરોની સૂચિ માંગી છે અને ખાતરી આપી છે કે તે બધાને ઘરે પાછા લાવવામાં આવશે.

આદિત્યનાથે કહ્યું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં ૩૭ ટ્રેનો આવી ચુકી છે, જેમાં ૩૦,૦૦૦ મજૂરો આવ્યા છે. ગયા અઠવાડિયે હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશના ૩૦,૦૦૦ થી વધુ મજૂરો બસોમાં પહોંચ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું. માર્ચના છેલ્લા અઠવાડિયામાં ૪.૫ લાખ પરપ્રાંતીય મજૂર ઉત્તર પ્રદેશ લાવવામાં આવ્યા હતા.

૧ માર્ચથી ૧૫ માર્ચની વચ્ચે રાજ્યમાં બે લાખ મજૂરો પહોંચ્યા છે, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. આદિત્યનાથે જણાવ્યું હતું કે, “ઉત્તરપ્રદેશ સરકાર તેના તમામ પરપ્રાંતિય મજૂરોને અન્ય રાજ્યોથી પરત લાવવાનો ઇરાદો ધરાવે છે અને આ માટે તેઓની પાસે જિલ્લાવારની સૂચિ માંગવામાં આવી છે. તેમણે કહ્યું, “જે રાજ્યો સૂચિ આપી રહ્યા છે, અમે તરત જ તેમને (સ્થળાંતર કરનારા) પાછા લાવવા પગલાં લઈ રહ્યા છીએ. યોગીએ ગુરુવારે કહ્યું કે, ૨૦ ટ્રેનો ઉત્તરપ્રદેશમાં અન્ય રાજ્યોથી સ્થળાંતર કરનારા મજૂરો સાથે આવી રહી છે જ્યારે શુક્રવારે ૨૫ થી ૩૦ ટ્રેનો આવશે. તેમણે કહ્યું, ‘ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમની ૧૦,૦૦૦ થી વધુ બસોને તેમના ઘરે લઈ જવા માટે તહેનાત કરવામાં આવી છે.’ અન્ય રાજ્યોથી આવતા બધા માટે તબીબી તપાસ અને ક્વૉરન્ટાઈન કેન્દ્રો માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, અને તેમને ફૂડ પેકેટ અને રૂ ૧૦૦૦ આપવામાં આવશે.

આદિત્યનાથે જણાવ્યું હતું કે, રાજ્ય મજૂરોનો “સ્કીલિંગ ડેટા પણ તૈયાર કરી રહ્યું છે જેથી તેમને તે યોગ્યતા પ્રમાણે નોકરી આપી શકાય.

May 8, 2020
Odisha-Surat-trains.jpg
1min5130

સૂરતથી તાજેતરમાં ઓડિશા ગયેલા ૨૧ શ્રમિકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાનું ટેસ્ટીંગના પરીણામમાં માલૂમ પડ્યું હતું. ઓડિશામાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા વધીને ૨૦૬ થઇ છે. રાજ્યના ગંજમ જિલ્લામાં ૧૭ અને મયૂરભંજમાં ચાર દરદી છે.

અગાઉ, રાજ્ય સરકારે ગંજમને રેડ ઝૉનમાં, જ્યારે મયૂરભંજ અને જગતસિંહપુરને ઑરેન્જ ઝૉનમાં રાખવાની જાહેરાત કરી હતી. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે ગંજમ જિલ્લામાં બીજી મેએ કોરોના વાઇરસનો સૌપ્રથમ દરદી નોંધાયો હતો, પરંતુ બાદમાં ત્રણથી ચાર દિવસમાં આવા દરદીઓની સંખ્યા અચાનક ઘણી વધી ગઇ છે.

ગંજમ જિલ્લામાં હીરા ઘસવાના કે તેને લગતા અન્ય કાર્ય સાથે સંકળાયેલા અંદાજે ત્રણ લાખ મજૂર છે. ગુજરાતના સુરતમાં ઓડિશાના હીરાના અનેક કારીગર છે.

ઓડિશામાં ગંજમ ઉપરાંત જાજપુર, ભદ્રક, બાલેશ્ર્વર અને ભુવનેશ્ર્વરને રેડ ઝૉનમાં મુકાયા છે. ઓડિશામાં ૧૦ ઑરેન્જ ઝૉન અને ૧૪ ગ્રીન ઝૉન છે.

May 7, 2020
jeeadv.png
2min5320

દેશના શિક્ષણ મંત્રી રમેશચંદ્ર પોખરીયાલે આજે તા.7મી મે ના રોજ એવી ઘોષણા કરી હતી કે આઇ.આઇ.ટી.માં પ્રવેશ માટે લેવામાં આવતી જેઇઇ એડવાન્સ્ડ 2020 પરીક્ષા હવે તા.23મી ઓગસ્ટ 2020ના રોજ લેવામાં આવશે. સ્વાભાવિક છે કે પરીક્ષા લેટ લેવાની હોવાથી હવે આઇ.આઇ.ટી.માં અભ્યાસ આ વર્ષે અતિશય વિલંબથી શરૂ થશે.

આઇ.આઇ.ટી.માં પ્રવેશ માટે જેઇઇ મેઇન્સમાં દેશના ટોચના 2.40 લાખ વિદ્યાર્થીઓની જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા લેવામાં આવે છે. સૌથી પ્રથમ આઇ.આઇ.ટી.માં પ્રવેશ ફાળવવામાં આવે છે, એ પછી એન.આઇ.ટી., ત્રિપલઆઇટી વગેરેમાં પ્રવેશ ફાળવવામાં આવશે.

23મી ઓગસ્ટ 2020ના રોજ જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા લેવાશે એનો સીધો મતલબ કે પરીક્ષાના પંદરથી વીસ દિવસ બાદ તેનું પરીણામ જાહેર થશે અને એ પછી જોસા (જોઇન્ટ સીટ એલોકેશન ઓથોરિટી) દ્વારા પ્રવેશ પ્રક્રીયા હાથ ધરવામાં આવે છે. આમ સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે એવો અંદાજ હાલ બંધાઇ રહ્યો છે.

JEE Advanced 2020 to be conducted on August 23

The Joint Entrance Examination (Advanced) for admission to IITs will be conducted on August 23, HRD minister Ramesh Pokhriyal announced on Thursday.

The exam was scheduled to be held on May 17 but had to be postponed due to the coronavirus pandemic. JEE Advanced is conducted for admissions to various undergraduate programmes at IITs. This year, IIT Delhi is organising the exam.

The HRD minister on Tuesday announced that the engineering entrance examination, JEE (Main), will be held from July 18-23 and the National Eligibility cum Entrance Test(NEET-UG) for admission to medical colleges will be conducted on July 26. These exams were also postponed due to the nationwide lockdown imposed to curb the COVID-19 spread.

May 7, 2020
cadila.jpeg
1min6440

ધોળકા તાલુકાના ત્રાસદ ગામની હદમાં આવેલા કેડિલા કંપનીના પ્લાન્ટમાં ફરજ બજાવતા 21 કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની ઘટનાએ સમગ્ર ગુજરાત જ નહીં બલ્કે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. કેડીલા ફાર્મા હાલ કોરોના પોઝીટીવ વેક્શીન વિકસાવવાના ન્યુઝમાં ટ્રેન્ડ કરી રહી છે ત્યારે હવે આ જ કંપનીના એક બે નહીં પણ 21 કર્મચારીઓ ઇન્ફેક્ટેડ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

કેડીલા કંપનાના ધોળકા પ્લાન્ટ ખાતે 21 કર્મચારીઓમાં કોરોના ઇન્ફેકશન હોવાનું કન્ફર્મ થતાં પ્લાન્ટને તાત્કાલિક સીલ કરી દેવામાં આવ્યો છે. જે ગામમાં આ પ્લાન્ટ આવેલો છે તેને પણ કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરી સીલ કરવાની તૈયારી શરુ કરાઈ છે.

કેડિલાના ત્રણ કર્મચારીઓનો બુધવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરતાં તેઓ અન્ય કર્મચારીઓના સંપર્કમાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું આમ, 30 જેટલા કર્મચારીઓનો ટેસ્ટ કરાયો હતો, જેમાં 21નો રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાઈ ગયો હતો.