તા.5 જુલાઇ 2020ના રોજ ગુરુપૂર્ણિમાના દિવસે સવારે અમરનાથ બાબાની બર્ફાની ગુફા ખાતે સૌપ્રથમ આરતી સાથે અમરનાથયાત્રાને ઔપચરિક રીતે શરુ કરવામાં આવી હતી. આ તસવીર બાબા અમરનાથની આરતી વખતની સૌથી પહેલી તસ્વીર છે.
વિશ્વભરમાં જેના લાખો નહીં પણ કરોડો ચાહકો છે એ ભારતની શીખર યાત્રા ગણાતી બાબા બર્ફાની, અમરનાથ યાત્રામાં આ વખતે કોવીડ-19ના કારણે જઇ નહીં શકાય એવી સ્થિતિ હોઇ, બાબા અમરનાથ યાત્રા મેનેજમેન્ટએ ભાવિકો માટે એક નવો રસ્તો કાઢ્યો છે અને એ રસ્તો ઘરે બેઠા જ ઓનલાઇન બાબા અમરનાથની લાઇવ આરતીનો લહાવો માણવાનો છે.
ગુરુપૂર્ણિમા એટલે કે આજરોજ તા.5મી જુલાઇથી ઘરે બેઠા જ બાબા બર્ફાનીના દર્શન કરી શકાય એ માટે પવિત્ર ગુફામાં સવાર-સાંજ દિવ્ય આરતીની શરૂઆત થઈ છે. જેનું પહેલીવાર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું છે.
શ્રદ્ધાળુઓ ઘરે બેઠા જ દૂરદર્શન પર પવિત્ર હિમલિંગના દર્શન કરી શકે છે. દૂરદર્શન પર સવારે 6 વાગ્યે અને સાંજે 7 વાગ્યે આરતીનું લાઈવ પ્રસારણ થશે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે દૂરદર્શન સાથે મળીને આ માટેની વ્યવસ્થા કરી છે. આ માટેની પૂરતી તૈયારીઓ પણ કરી દેવાઈ છે.
કોરોના વાયરસના પગલે અમરનાથ યાત્રા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે રોજ માત્ર 500 ભક્તોને જમ્મૂના રોડ પરથી જવા દેવાશે. યાત્રા માટે કઠુઆના લખનપુરમાં ભક્તોનો ટેસ્ટ થશે. ટેસ્ટ બાદ જ તેમને આગળ મોકલાશે. વયોવૃદ્ધ લોકોને યાત્રા માટેની અનુમતિ નથી. યાત્રાના માર્ગ પર સુરક્ષાદળો તહેનાત કરી દેવાયા છે.
દૂરદર્શન પર લાઇવ આરતીનું પ્રસારણ કરવામાં આવશે. રોજ સવારે 6થી 6.30 અને સાંજે 5થી 5.30 સુધી પ્રસારણ
Baba Amarnath Aarti will be telecast live on Doordarshan this year every morning and evening. This will be the first time that the aarti will be telecast live. Earlier, recorded videos and visuals were seen. The devotees will be able to watch it from 6:00 am to 6:30 am and 5:00 pm to 5:30 pm daily starting July 6, 2020. \
સાઇબાબાને કરોડો ભાવિકોએ પોતાના આદ્યગુરુ માન્યા છે, માની રહ્યા છે. આ તમામ ભાવિકો આજે પૂર્ણિમાએ દર્શનાર્થે જઇ શક્યા નથી. તેમના માટે અહીં આજે તા.5મી જુલાઇ 2020ને ગુરુપૂર્ણિમાએ સવારે 10 વાગ્યે સાઇબાબાના દર્શનની તસ્વીરો અહીં રજૂ કરી છે.
*श्री साईबाबा संस्थान विश्वस्तव्यवस्था,शिर्डी* *????????!! गुरुपौर्णिमा मुख्य दिवस !!????????* *रविवार दि.०५ जुलै २०२०* *????माध्यान्ह आरती ????* pic.twitter.com/HUHy4rL5WQ
સાઇબાબાને કરોડો ભાવિકોએ પોતાના આદ્યગુરુ માન્યા છે, માની રહ્યા છે. આ તમામ ભાવિકો આજે પૂર્ણિમાએ દર્શનાર્થે જઇ શક્યા નથી. તેમના માટે અહીં આજે તા.5મી જુલાઇ 2020ને ગુરુપૂર્ણિમાએ સવારે 10 વાગ્યે સાઇબાબાના દર્શનની તસ્વીરો અહીં રજૂ કરી છે.
Mumbai : A woman crosses the road during rains in Mumbai on Monday. PTI Photo (PTI7_17_2017_000340B)
મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે મુંબઈ, ઠાણે અને કોંકણ ક્ષેત્રમાં મેઘકૃપા યથાવત્ રહી છે જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈમાં રવિવારે સવારથી મેઘો મંડાતા શહેરજનો ખુશખુશાલ થઈ ગયા હતા. હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી શહેર તેમજ પરાં વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે. રાજ્યોના છૂટાછવાયા ભાગોમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
ભારે વરસાદને પગલે મધ્ય મુંબઈના હિન્દમાતા વિસ્તાર તેમજ પૂર્વનો પરા વિસ્તાર ચેમ્બુર પાણીમાં ગરક થઈ ગયો છે. દક્ષિણ મુંબઈના કાબામાં રવિવાર સવાર સુધીમાં 129.5 એમએમ વરસાદ પડ્યો હતો. જ્યારે સાંતાક્રુઝમાં પણ 200.8 એમએમ વરસાદ નોંધાયો હતો.
મુંબઈ નજીક આવેલા ઠાણે અને સિંધુદુર્ગ સહિત આસપાસના કોંકણ વિસ્તારમાં ભાર વિરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. વિદર્ભમાં પણ મેઘ મહેર થતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. શનિવારે મુંબઈ શહેરમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત ભારે પવનને પગલે 19 જેટલા સ્થળે ઝાડ પડવાના બનાવ બન્યા હોવાનું બૃહમુંબઈ મ્યુનિ. કોર્પોરેશને જણાવ્યું હતું.
સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે વરસાદ: ગીર સોમનાથ અને અમરેલીમાં પૂરબહાર
ગુજરાતમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પાંચ થી છ ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથમાં સતત બીજા દિવસે મેઘરાજાની સવારી જારી રહી હતી તેમજ કોડીનારમાં આજે સવાર પુરા થતા છેલ્લા ૨૪ કલાકમાં છ ઇંચ વરસાદ વરસ્યા બાદ આજે બપોર સુધીમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અમરેલી અને દ્વારકામાં પણ જોરદાર ઝાપટાં ચાલુ રહ્યાં હતાં.
રાજ્યમાં આ વર્ષે જૂન મહિનામાં વરસાદે ધમાકેદાર શરૂઆત કરી હતી. પરંતુ બાદમાં અમુક જ વિસ્તારોમાં વરસાદ થયો હતો. ગત ૨૩મી જૂન સુધી રાજ્યમાં સરેરાશ ૧૭ ટકા જેટલો વરસાદ પડી ગયો હતો. ૪થી જુલાઇ સુધી સરેરાશ વરસાદની ટકાવારી ૧૬.૮૭ ટકા છે. શુક્રવારે કોડીનારમાં ૬ ઇંચ, અમરેલીના જાફરાબાદમાં ૩.૫ ઇંચ, વાડીયામાં ૨.૫ ઇંચ, બાબરામાં બે ઇંચ, નર્મદાના ડેડીયાપાડામાં બે ઇંચ વરસાદ થયો હતો. છેલ્લા ૧૦ દિવસમાં માત્ર ૨ ટકા સરેરાશ વરસાદ જ થયો છે. અત્યાર સુધી ૧૦૧ તાલુકાઓમાં બેથી ૫ ઈંચ સુધી, ૧૦૩ તાલુકાઓમાં ૫થી ૧૦ ઈંચ સુધી, ૧૮ તાલુકાઓમાં ૧૦ ઈંચથી વધારે જ્યારે ૨૯ તાલુકાઓમાં બે ઇંચથી પણ ઓછો વરસાદ ્છે. છેલ્લા ૫ વર્ષમાં આ જૂન ૨૩ તારીખ સુધીનો આ સૌથી વધુ વરસાદ હતો. ગત વર્ષે પણ આ સમય સુધી ૧૬ ટકા જેટલો વરસાદ જ થયો હતો.
કોવીડ-19ના કેસો હવે સુરતમાં અમદાવાદ કરતા પણ વધુ નોંધાઇ રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના હેલ્થ કમિશનર જયંતિ રવિ સુરતમાં છે, રાજ્યના અનેક ઉચ્ચાધિકારીઓ સુરત આવ્યા છે. દરમિયાન આજે શનિવાર, તા.4 જુલાઇ 2020ના રોજ સવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, ચીફ પ્રિન્સીપાલ સેક્રેટરી કૈલાશનાથન સમેત ગાંધીનગરથી અનેક અધિકારીઓનો કાફલો સુરતમાં આવ્યો છે.
રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ સાથે ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી કે કૈલાસનાથન પણ સુરત પહોંચ્યા છે. આજે આખો દિવસ સીએમ સુરત મ્યુ. કોર્પોરેશન, કલેક્ટર ઓફિસના ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગો કરશે. આ ઉપરાંત તેઓ નવી સિવિલ હોસ્પિટલ અને અન્ય સવલતોની પણ મુલાકાત લઈ કોરોનાના દર્દીઓને સારવાર આપવા ઉભી કરાયેલી વ્યવસ્થાની સમીક્ષા કરવાના છે.
મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ સુરત એરપોર્ટ પર ઉતરતાની સાથે જ કલેક્ટર ડો. ધવલ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની તેમજ અન્ય અધિકારીઓ પાસેથી સુરતનું સ્ટેટસ જાણ્યું હતું.
સુરતની મુલાકાત અંગે ડેપ્યુટી સીએમ નીતિન પટેલએ ફેસબુક પર સ્ટેટસ અપડેટ કર્યું
સુરતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણમને કાબુમાં લેવા માટે સુરત માટે આજે નવી નીતિ ઘડાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરતમાં હવે કોવીડ-19ના કાયદાઓનું પાલન સખ્તાઇથી કરવામાં આવશે. સુરતમાં લૉ એન્ફોર્સમેન્ટ કરાવવામાં સ્થાનિક મહાનગરપાલિકાનું તંત્ર તેમજ પોલીસ તંત્ર વામણું પુરવાર થયું છે અને તેના કારણે જ સંક્રમણના કેસો વધી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને પોલીસ બન્નેના સ્ટાફ મનસ્વી રીતે જ કોવીડની ગાઇડલાઇન્સનું પાલન કરાવતા હતા.
રહેમ કરતા હોઇ એ રીતે ફેરીયાઓ, કામદારો પર પોલીસ એકશન લેતી નથી, બધુ જોર મિડલ ક્લાસ પર
પોલીસ સ્ટાફ રહેમ કરતા હોય એ રીતે કોરોના સુપર સ્પ્રેડર શાકભાજીવાળા ફેરીયાઓ, લૉઅર ક્લાસના કામદારો વગેરેએ માસ્ક ન પહેર્યો હોય, જાહેરમાં થૂંકીને ગંદકી કરતા હોય તેની સામે કેસો નથી કરતા ફક્ત જે લોકો કાયદાનું પાલન કરતા હોય છે. એવા મિડલ ક્લાસ પર જ ભીંસ વધારી રહ્યા છે.
સુરતમાં મહાનગરપાલિકા નિર્મિત ઇડબલ્યુએસ આવાસોમાં કોવીડ 19ની ગાઇડલાઇન્સનું કશું પાલન થતું નથી. આવા વિસ્તારોમાં જો સંક્રમણ ફેલાશે તો એ કાબૂમાં આવતા મોટી કિંમત સુરતના લોકોએ ચૂકવવી પડશે. હવે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી સમેતનો કાફલો આવ્યો છે ત્યારે તેમના ધ્યાને આ જ વાત લાવવામાં આવી છે કે સુરતમાં લૉ એન્ફોર્સમેન્ટમાં સખ્તાઇના અભાવે પરિસ્થિતિ બગડી જવા પામી છે.
આવતીકાલ તા.5 જુલાઇને રવિવારે ખગોળીય તખ્તા પર ચાલુ વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ આકાર પામશે. રવિવાર તા.5મી જુલાઇએ ગુરૂપૂર્ણિમા અવસર છે જે ભારતમાં રંગેચંગે ઉજવાશે પરંતુ, ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી આથી વિધ્વાનો, પંડિતોએ રવિવારના ચંદ્ર ગ્રહણ દરમિયાન સૂતકના નિયમો માનવા ભાવિકોને ના પાડી છે. ચંદ્ર ગ્રહણ ભારતીય સમય અનુસાર સવારે 8 વાગીને 37 મિનિટે શરૂ થશે અને 11 વાગીને 22 મિનિટે પૂરું થશે.
5 જુલાઇ રવિવારે ચાલુ વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ લાગવાનું છે. એક મહિનાની અંદર આવતું આ ત્રીજું ગ્રહણ છે. આ ગ્રહણ વાસ્તવિક ચંદ્ર ગ્રહણ ન થતાં એક ઉપછાયા ચંદ્ર ગ્રહણ હશે. ઉપછાયા ચંદ્ર ગ્રહણને ધાર્મિક રીતે વધારે માન્યતા આપવામાં નથી આવતી. 5 જુલાઇના લાગનારું આ ઉપછાયા ચંદ્ર ગ્રહણ સવારે 8 વાગ્યે 37 મિનિટે શરૂ થશે જે 11 વાગીને 22 મિનિટે પૂરું થશે.
ભારતમાં નહીં દેખાય ચંદ્રગ્રહણ
તા.5મી જુલાઇનું ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાય. આ ચંદ્ર ગ્રહણ અમેરિકા, દક્ષિણ-પશ્ચિમ યૂરોપ અને આફ્રિકાના અમુક ભાગમાં દેખાશે. આ ગ્રહણ ભારતમાં નહીં જોવા મળે. ગ્રહણ કાળમાં ચંદ્ર ક્યાંયથી પણ કપાયેલું નહીં પણ સંપૂર્ણ આકારમાં દેખાશે. ગ્રહણ કાળ દરમિયાન ચંદ્રમાઁ ધનુ રાશિમાં હશે.
5 જુલાઇના લાગનારું આ ગ્રહણ ઉપછાયા ચંદ્ર ગ્રહણ હશે. શાસ્ત્રોમાં ઉપછાયા ચંદ્ર ગ્રહણને ગ્રહણ માનવામાં નથી આવતું, તેથી આ દિવસે કોઇપણ કાર્ય પર પ્રતિબંધ પણ નહીં હોય. જો કે, જ્યોતિષવિદ કેટલીક સાવચેતીઓ રાખવાની સલાહ આપે છે. આ ગ્રહણ ધનુ રાશિમાં પૂર્વાષાઠા નક્ષત્ર દરમિયાન, શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના લાગશે. ખાસ વાત એ છે કે આ દિવસે ગુરૂપૂર્ણિમા પણ છે. આ ઉપછાયા ચંદ્રગ્રહણને ધનુર્ધારી ચંદ્રગ્રહણ પણ કહેવામાં આવે છે.
5 જુલાઇના લાગનારું ચંદ્ર ગ્રહણ એક મહિનામાં લાગનારું ત્રીજું ગ્રહણ હશે. 5 જૂનના ચંદ્ર ગ્રહણ હતું, 21 જૂને સૂર્ય ગ્રહણ હતું અને હવે ફરી 5 જુલાઇના ચંદ્ર ગ્રહણ લાગવાનું છે.
ચંદ્ર ગ્રહણ સવારે 8 વાગીને 37 મિનિટે શરૂ થશે અને 11 વાગીને 22 મિનિટે પૂરું થશે
उपच्छाया चंद्र ग्रहण की शुरुआत 5 जून की रात 11 बजकर 16 मिनट से हो जायेगी और इसकी समाप्ति 6 जून की रात 2 बजकर 32 मिनट के करीब होगी। जबकि रात 12 बजकर 54 मिनट पर ये ग्रहण अपने पूर्ण प्रभाव में होगा।
चंद्र ग्रहण भी सूर्य ग्रहण की तरह ही एक खगोलीय घटना है। वैज्ञानिक रूप से ये जितना महत्वपूर्ण माना गया है उतना ही महत्वपूर्ण ये धार्मिक व ज्योतिषीय दृष्टि से भी है। चंद्रमा पर धरती की छाया पड़ने से चंद्र ग्रहण लगता है। लेकिन 5 जून को लगने वाला ग्रहण उपच्छाया चंद्र ग्रहण होगा। ये ग्रहण भारत, यूरोप, अफ्रीक, एशिया और ऑस्ट्रेलिया में दिखाई देग। उपच्छाया चंद्र ग्रहण होने के कारण सूतक काल का प्रभाव कम रहेगा। ज्योतिष में उपच्छाया को ग्रहण का दर्जा नहीं दिया गया है। जिस कारण इसका सूतक काल भी नहीं माना जाता। ये ग्रहण वृश्चिक राशि और ज्येष्ठा नक्षत्र में लगने जा रहा है। जो भारत में भी दिखाई देगा। जानिए इस ग्रहण के बारे में पूरी डिटेल…
ग्रहण का समय: उपच्छाया चंद्र ग्रहण की शुरुआत 5 जून की रात 11 बजकर 16 मिनट से हो जायेगी और इसकी समाप्ति 6 जून 2.32 AM के करीब होगी। जबकि रात 12 बजकर 54 मिनट पर ये ग्रहण अपने पूर्ण प्रभाव में होगा। चंद्र ग्रहण का सूतक ग्रहण लगने से 9 घंटे पहले शुरू हो जाता है।
चंद्र ग्रहण और उपच्छाया चंद्र ग्रहण में अंतर? इससे पहले इसी साल 10 जनवरी को भी उपच्छाया चंद्र ग्रहण लगा था और अब 5 जून को ज्येष्ठ पूर्णिमा के दिन लगने वाला ग्रहण भी ऐसा ही होगा। चंद्र ग्रहण तब माना जाता है जब पृथ्वी सूर्य और चंद्रमा के बीच में आ जाती है और धरती की पूर्ण या आंशिक छाया चांद पर पड़ती है। इससे चांद का बिंब काला पड़ जाता है। इसे खुली आंखों से देखा जा सकता है।
तो वहीं उपच्छाया चंद्र ग्रहण देखने में सामान्य पूर्णिमा के चांद की तरह ही नजर आएगा। जिसमें अंतर कर पाना मुश्किल होगा। बता दें कि ग्रहण लगने से पहले चंद्रमा पृथ्वी की उपच्छाया में प्रवेश करता है जिसे चंद्र मालिन्य कहते हैं अंग्रेजी में इसको (Penumbra) कहते हैं। इसके बाद चांद पृथ्वी की वास्तविक छाया यानी भूभा (Umbra) में प्रवेश करता है। जब ऐसा होता है तब ही वास्तविक ग्रहण होता है। लेकिन कई बार चंद्रमा धरती की उपच्छाया में प्रवेश करके बिना भूभा में जाए ही बाहर निकल कर आ जाता है। इसलिए उपच्छाया के समय चंद्रमा का बिंब केवल धुंधला पड़ता है, काला नहीं। इस धुंधलापन को सामान्य रूप से देखा भी नहीं जा सकता है। इसलिए चंद्र मालिन्य मात्र होने की वजह से ही इसे उपछाया चंद्र ग्रहण कहते हैं ना कि चंद्र ग्रहण।
મોટી સંખ્યામાં લોકોને કોરોનાના લક્ષણો જોવા મળતા નથી એની નોંધ લઇને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે અસિમ્પ્ટોમિક પોઝિટિવ દર્દીઓને હળવા અથવા પ્રિ-સિમ્પ્ટોમિક કોરોના ચેપના કેસોની સૂચિમાં સમાવવા માટે હોમ આઇસોલેશનની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે.
હવેથી હોમ આઇસોલેશનના દર્દીઓને લક્ષણોની શરૂઆતના દસ દિવસ પછી અને ત્રણ દિવસ સુધી તાવ ન આવે તે પછી ડિસ્ચાર્જ આપવામાં આવશે. ત્યાર બાદ તેમને સાત દિવસ હોમ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવશે. હોમ આઇસોલેશન બાદ ટેસ્ટિંગની જરૂર નથી.
દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાના રોગચાળાને કાબૂમાં લેવા આરોગ્ય મંત્રાલય દ્વારા સમયાંતરે વિવિધ જાહેરાત કરાય છે. આ ઉપરાંત દરેક રાજ્ય પાસેથી મળતા કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા અંગે પણ નોંધ રખાય છે. અમુક રાજ્ય દર્દીઓની સંખ્યા ઘણી મોડી જણાવતા હોવાની ફરિયાદ થઈ રહી છે.
સુરતમાં બેકાબુ કોરોનાને અટકાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. તેવામાં આજે સુરત મ્યુનિસિપલ કમિશનરે બંછાનિધિ પાનીએ ગુજરાત રાજ્ય એપેડેમિક ડીસીઝ એક્ટ 1897ની કલમ 2-3-4ના આધારે સુરત મહાનગરપાલિકાના નોર્થ ઝોન (કતારગામ), ઈસ્ટ ઝોન (વરાછા-A) અને ઈસ્ટ ઝોન (સરથાણા-B)માં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે તમામ પાનના લારી/ગલ્લા તથા પાનની દુકાનો 7 દિવસ માટે બંધ રાખવા નિર્ણય કર્યો છે. એટલું જ નહીં, અન્ય વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા, દુકાનો અને લારીઓ પર 4થી વધારે લોકોની ભીડ ન કરવા અને જાહેરમાં થૂંકવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.
સુરતમાં આવેલા તમામ પાનના ગલ્લા/ લારી તથા પાનની દુકાનમાં લોકોની ભીડ થાય છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવામાં આવતું નથી. ઘરથી બહાર નીકળતા લોકો જાહેરમાં માસ્કનો ઉપયોગ કરવાનું પણ ટાળી રહ્યા છે. આ ઉપરાંત પાન મસાલા ખાઈને લોકો જાહેરમાં જ થૂંકતા નજરે પડે છે. જેથી કોરોનાનું સંક્રમણ ભયનજક રીતે ફેલાઈ રહ્યું છે. જેથી શહેરના મ્યુનિસિપલ કમિશનરે ઉપરોક્ત વિસ્તારોમાં પાનના ગલ્લા, દુકાનો અને લારીઓ 7 દિવસ બંધ રાખવા નિર્ણય કર્યો છે.
કોવીડ-19ના ફેલાય રહેલા સંક્રમણની સામે સુરતવાસીઓ પૈકી કેટલાક લોકો ભારે બેદરકારી દાખવી રહ્યા છે જેને લઇને સુરતમાં દિનપ્રતિદિન કોરોના કેસોની સંખ્યા સતત વધી રહી છે. અનેક ગણ્યમાન્ય વ્યક્તિઓ, સેલિબ્રિટીઓ, રાજકીય નેતાઓ અપીલ કરી ચૂક્યા છે કે કોવીડ 19માં ગાઇડલાઇનનું પાલન કરવામાં આવે. પણ હજુ 25 ટકા લોકો માસ્ક વગર, સૂચનાઓનું પાલન કર્યા વગર બેધકડ ફરી રહ્યા છે.
બેદરકાર સુરતીઓએ હવે સમજવું પડશે
બેદરકાર રહેલા સુરતીઓ હવે સમજવું પડશે. સુરતમાં બિરાજમાન અને વિશ્વવિખ્યાત અંબિકાનિકેતન મંદિરમાં બિરાજમાન મા અંબાએ પણ આજે માસ્ક ધારણ કરવો પડ્યો છે. સુરતવાસીઓને સમજાવવા માટે આજે અંબિકાનિકેતન ટ્રસ્ટના મેનેજમેન્ટ દ્વારા નિર્ણય લઇને માં અંબાને માસ્ક પરિધાન કરાવવામાં આવ્યો હતો.
સુરતમાં અંબિકાનિકેતન મંદિરમાં બિરાજમાન મા અંબાના કરોડો ભક્તો છે. માં અંબાને ખુબ માને છે. અબાલવૃદ્ધોમાં માં અંબા માનીતા છે. કોવીડ 19નું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લોકો ખાસ તકેદારી રાખે, બિનજરૂરી ફર્યા ન કરે, માસ્ક પહેરે, વારેઘડીયા હાથ ધુએ વગેરે કાળજી રાખે એ માટે અંબિકાનિકેતન ટ્રસ્ટએ અપીલ કરી છે.
અંબિકાનિકેતન ટ્રસ્ટના ઓફિશ્યલ ફેસબુક હેન્ડલ પર આ સ્ટેટસ તા.2 જુલાઇ 2020ના રોજ અપડેટ કરવામાં આવ્યું હતું
કોરોના વાયરસના સંક્રમણ સામે ઝઝૂમી રહેલા મેક્સિકોમાં ઈરાપુટાઓ શહેરમાં એક બંદૂકધારીએ ભીષણ ગોળીબારમાં 24 લોકોના મોત નિપજ્યા છે. પ્રાપ્ય જાણકારી પ્રમાણે આ ગોળીબારમાં અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી છે જેના કારણે મૃત્યુઆંક હજી વધે તેવી શક્યતા છે.
ઘટનાની જાણ થતા જ મેકિસકો પોલીસ અને એટીટ કમાન્ડો ફોર્સની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. જોકે, હજી સુધી હુમલાખોરની ભાળ મલી શકી નથી. ઈરાપુટાઓ શહેરમાં એક મહિનામાં ગોળીબારની આ બીજી ઘટના છે. આ અગાઉ 6 જૂનના પુનર્વાસ કેન્દ્રમાં બંદૂકધારીઓએ ગોળીબાર કરીને 10 લોકોને મોતના ઘાટ ઉતાર્યા હતા. રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેનુઅલ લોપેઝે આ હુમલાને વખોડી નાખતા તપાસના આદેશ આપ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર બંદૂકધારીઓની સંખ્યા એક કરતા વધારે હોઈ શકે છે. તેમને ઝડપી પાડવા માટે મોટા પાયા પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર તેમણે પહેલા રિહેબ સેન્ટર પર ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદ તેમાં આગ લગાવી દીધી હતી.
વિદ્યાર્થીઓના અનુરોધ અને વિરોધ બાદ જેઈઈ મેઈન અને નીટની પરીક્ષાને સ્થગિત કરી દેવાઈ છે. આ બંનેની પરીક્ષાઓ હવે સપ્ટેમ્બરમાં લેવામાં આવશે. માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વિટ કરી આ જાણકરી આપી.
પોખરિયાલે ટ્વિટ કરી લખ્યું કે, ‘વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે અમે #JEE અને #NEET પરીક્ષાઓને સ્થિગિત કરવાનો નિર્ણય લીધો છે. JEEની પરીક્ષા 1થી 6 સપ્ટેમ્બર વચ્ચે આયોજિત કરાશે. JEE એડવાન્સ્ડની પરીક્ષા 27 સપ્ટેમ્બર અને NEETની પરીક્ષા 13 સપ્ટેમ્બરે આયોજિત કરાશે.’
Dated 1 July 2020
NEET-JEE અંગે બે દિવસમાં ફેંસલો : ઘણુંખરું પરીક્ષાની તારીખ બદલાવાની સંભાવના
દેશભરના 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ જેની કાગડોળે વાટ જોઇ રહ્યા છે એ એન્જિનિયરિંગની નેશનલ ટેસ્ટ જેઇઇ મેઇન્સ અને મેડીકલ ડેન્ટલની નેશનલ એન્ટ્રન્સ નીટ પરીક્ષા ચાલુ જુલાઇ દરમિયાન લેવી કે નહીં લેવી એ અંગે કેન્દ્ર સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી પાસેથી ભલામણો મંગાવી છે અને આગામી એકાદ બે દિવસમાં નીટ અને જેઇઇ મેઇન્સ પરીક્ષા લેવી કે નહીં તે અંગેની સત્તાવાર જાણકારી સાર્વજનિક કરવામાં આવશે એમ દેશના શિક્ષણ પ્રધાન શ્રી રમેશચંદ્ર પોખરીયાલે આજે જણાવ્યું હતું.
તેમણે ટ્વીટર, ફેસબુક પર પોતાના હેન્ડલ પર નીટ અને જેઇઇ અંગે આ મુજબની સ્પષ્ટતા મૂકી છે.
HRD Minister on Twitter (Dt. 7.2)
Looking at the prevailing circumstances & requests received from students & parents appearing for #JEE & #NEET examinations, a committee consisting of @DG_NTA & other experts has been advised to review the situation & submit its recommendations to @HRDMinistry latest by tomorrow. pic.twitter.com/xByKLUqAIc
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) July 2, 2020
मौजूदा परिस्थितियों एवं NEET और JEE परीक्षाओं में उपस्थित होने वाले छात्रों और उनके माता-पिता / अभिभावकों से प्राप्त निवेदन को देखते हुए, डीजी एनटीए एवं अन्य विशेषज्ञों से मिलकर बनी समिति को सलाह दी है कि वे स्थिति की समीक्षा करें और इन परीक्षाओं के बारे में कल तक एमएचआरडी को अपनी सिफारिशें प्रस्तुत करें
દેશમાં મોટા ભાગની પરીક્ષાઓ મુલતવી રાખી દેવાઇ છે, નીટ જેઇઇમાં પણ આવું જ થવાની શક્યતા
ભારતમાં મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, તમિલનાડુ જેવા રાજ્યોમાં કોવીડ-19ના કેસોની વધી રહેલી સંખ્યા ઉપરાંત સમગ્ર ભારતભરમાં હાલ સરેરાશ 18-19 હજાર દૈનિક કેસો આવી રહ્યા હોઇ, આવી સ્થિતિમાં આગામી તા.18થી 24 જુલાઇ દરમિયાન જેઇઇ મેઇન્સ, અને 26 જુલાઇએ નીટ રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવાની ઘોષણા કરવામાં આવી હતી. પરંતુ, હવે દેશની વર્તમાન સ્થિતિ જોતા આ પરીક્ષા યોજી શકાય તેવી સ્થિતિ ન હોઇ, વધુ એક વખત પરીક્ષા મુલતવી રાખીને ભવિષ્યમાં નવી તારીખોનું એલાન કરવામાં આવે તેવી શક્યતા છે.
ચીન સાથે સરહદે ભારે તંગદીલી વચ્ચે ભારતને ફ્રાંસ પાસેથી અવકાશી યોદ્ધા રાફેલ યુદ્ધ વિમાનો મળવા જઈ રહ્યાં છે. આ યુદ્ધ વિમાનો ભારતને આગામી મહિને જ મળી જશે. પહેલા તબક્કામાં ચારના બદલે કુલ છ રાફેલ ભારતને મળશે અને તે પણ ફૂલ લોડેડ હશે. આ વિમાનો સૌથી પહેલા ગુજરાતના જામનગર એરબેઝ પર આવશે જ્યાં મુહૂર્ત પણ થશે.
ભારતમાં રાફેલ પહેલાં જામનગર ખાતે લેન્ડિંગ કરશે. જ્યાં કસ્ટમ વિધિ પૂરી થયા બાદ વિમાન ફરી ઉડાન ભરીને અંબાલા એરબેઝ ખાતે પહોંચશે. રાફેલનો સમાવેશ એરફોર્સની ગોલ્ડન એર સ્કવોડ્રનમાં કરાયો છે. મી સ્ટિલ્થ ટેકનોલોજીથી સજ્જ અને હવામાંથી હવામાં માર કરતી દુનિયાની સૌથી ખતરનાક અને સૌથી લાંબી રેન્જ ધરાવતી મિટિયોર મિસાઈલ્સ સહિતના શસ્ત્રોથી સજ્જ રાફેલ વિમાનોના આગમનથી ભારતીય વાયુસેનાની તાકાત બમણી થશે. પહેલાં ફ્રાન્સ ભારતને ચાર વિમાનોની ડિલિવરી આપવાનું હતું. જેમાંથી ચાર ડબલ સીટ ધરાવતા ટ્રેનર એરક્રાફ્ટ હતા. જોકે હવે ફ્રાન્સ ભારતને ૬ વિમાનો આપશે અને તે પણ લડાઈમાં તરત ઉતારી શકાય તેવી સ્થિતિમાં હશે. ફ્રાંસથી જ રાફેલ વિમાનોને ભારતીય વાયુસેનાના પાઈલોટસ ઉડાવીને લાવશે. આ પાયલટો હાલમાં વિમાનની તાલીમ ફ્રાન્સમાં જ લઈ રહ્યા છે. વિમાનોને ભારત લાવવા માટે પણ ભારે પ્લાનિંગ ચાલી રહ્યુ છે. કારણ કે ફ્રાન્સથી ભારત વચ્ચે રાફેલ વિમાન દુનિયાના સંખ્યાબંધ દેશોમાંથી પસાર થશે. આ દરમિયાન વિમાન પ્રતિ કલાક ૧૦૦૦ કિલોમીટર ઝડપથી ઉડાન ભરશે. ફ્રાન્સથી ઉડાન ભર્યા બાદ અડધા રસ્તા સુધી ફ્રાન્સનું હવામાંથી હવામાં ફ્યુલ ભરી શકતું વિમાન સાથે રહેશે. રાફેલ વિમાન બે વખત ફ્યુલ ભરવા ઉતરાણ કરશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.