Alert Archives - Page 248 of 511 - CIA Live

June 11, 2020
CIA_Live_Logo_New2.jpg
34min534

કેન્દ્રના માનવ સંશાધન વિકાસ મંત્રી શ્રી રમેશચંત્ર પોખરીયાલે આજરોજ તા.11મી જુન 2020ના રોજ નેશનલ ઇન્સ્ટીટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક National Institutional Ranking Framework (NIRF) અંતર્ગત જુદી જુદી વિદ્યાશાખાઓમાં ઇન્ડીયા લેવલની શ્રેષ્ઠ કોલેજોની યાદી જાહેર કરી હતી.

આ પૈકી એન્જિનિયરિંગ કોલેજોની યાદીમાં સુરત સ્થિત નેશનલ ઇન્સ્ટીટ્યુટ સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીનો ટોચની 200 કોલેજોમાં 54 મો ક્રમ આપવામાં આવ્યો છે. એસ.વી.એન.આઇ.ટી., સૂરતને રેન્કિંગમાં 100 માંથી 45 માર્કસ મળ્યા છે.

આ સિવાય ગુજરાતની કોલેજોનો National Institutional Ranking Framework (NIRF), રેન્કિંગમાં ભારે રકાસ થયો છે. અમદાવાદ યુનિવર્સિટી, પીડીપીયુ અમદાવાદ, નિરમા યુનિવર્સિટી, એમ.એસ. યુનિવર્સિટી, આઇઆઇટી ગાંધીનગર સિવાય ભાગ્યે જ કોઇ સંસ્થા નેશનલ રેન્કિંગમાં સ્થાન પામી છે.

National Institutional Ranking Framework (NIRF) માટે નીચેની લિંક ક્લીક કરો

https://www.nirfindia.org/2020/EngineeringRanking.html

Latest on this Web

ભારતની ટોચની કોલેજોની યાદી

NameStateScoreRank
Indian Institute of Technology Madras Tamil Nadu85.311
 
 
Indian Institute of Science Karnataka84.182
 
 
Indian Institute of Technology Delhi Delhi81.333
 
 
Indian Institute of Technology Bombay Maharashtra80.754
 
 
Indian Institute of Technology Kharagpur West Bengal75.855
 
 
Indian Institute of Technology Kanpur Uttar Pradesh74.996
 
 
Indian Institute of Technology Guwahati Assam68.817
 
 
Jawaharlal Nehru University Delhi68.768
 
 
Indian Institute of Technology Roorkee Uttarakhand68.489
 
 
Banaras Hindu University Uttar Pradesh62.0310
 
 
Calcutta University West Bengal61.0111
 
 
Jadavpur University West Bengal60.7712
 
 
Amrita Vishwa Vidyapeetham Tamil Nadu60.7413
 
 
Manipal Academy of Higher Education Karnataka59.9614
 
 
University of Hyderabad Telangana59.9215
 
 
Jamia Millia Islamia Delhi59.8516
 
 
Indian Institute of Technology Hyderabad Telangana59.5917
 
 
University of Delhi Delhi58.9718
 
 
Savitribai Phule Pune University Maharashtra58.7719
 
 
Anna University Tamil Nadu58.120
 
 
Bharathiar University Tamil Nadu57.3221
 
 
Indian Institute of Technology (Indian School of Mines) Jharkhand56.0522
 
 
Indian Institute of Technology Indore Madhya Pradesh55.9423
 
 
National Institute of Technology Tiruchirappalli Tamil Nadu55.9224
 
 
Indian Institute of Science Education & Research Pune Maharashtra55.4325
 
 
Indian Institute of Technology (BHU) Varanasi Uttar Pradesh54.8226
 
 
Birla Institute of Technology & Science Rajasthan54.1327
 
 
Vellore Institute of Technology Tamil Nadu53.8928
 
 
Indian Institute of Science Education & Research Kolkata West Bengal53.4929
 
 
Homi Bhabha National Institute Maharashtra53.230
 
 
Aligarh Muslim University Uttar Pradesh52.5431
 
 
National Institute of Technology Rourkela Odisha51.8732
 
 
National Institute of Technology Karnataka Karnataka51.8633
 
 
Institute of Chemical Technology Maharashtra51.734
 
 
Indian Institute of Technology Gandhinagar Gujarat51.4935
 
 
Andhra University Andhra Pradesh51.2436
 
 
Jamia Hamdard Delhi51.0237
 
 
Siksha `O` Anusandhan Odisha50.9738
 
 
Indian Institute of Technology Ropar Punjab50.9239
 
 
Indian Institute of Science Education & Research Bhopal Madhya Pradesh50.8340
 
 
University of Madras Tamil Nadu50.7641
 
 
Kerala University Kerala50.7142
 
 
Indian Institute of Engineering Science and Technology West Bengal50.4143
 
 
Panjab University Chandigarh50.2444
 
 
Kalinga Institute of Industrial Technology Odisha50.2444
 
 
National Institute of Technology Warangal Telangana49.8246
 
 
Mysore University Karnataka49.7547
 
 
Shanmugha Arts Science Technology & Research Academy Tamil Nadu49.448
 
 
Mahatma Gandhi University Kerala49.2949
 
 
King George`s Medical University Uttar Pradesh48.9150
 
 
Sri Ramachandra Institute of Higher Education And Research Tamil Nadu48.5951
 
 
Thapar Institute of Engineering & Technology Punjab48.5951
 
 
Osmania University Telangana48.5453
 
 
Indian Institute of Technology Patna Bihar48.0954
 
 
JSS Academy of Higher Education and Research Karnataka48.0954
 
 
Indian Institute of Technology Bhubaneswar Odisha47.9656
 
 
Tata Institute of Social Sciences Maharashtra47.4557
 
 
S. R. M. Institute of Science and Technology Tamil Nadu47.2758
 
 
Indian Institute of Science Education & Research Mohali Punjab47.1959
 
 
Gujarat University Gujarat47.160
 
 
Sathyabama Institute of Science and Technology Tamil Nadu47.0361
 
 
Delhi Technological University Delhi46.8962
 
 
Amity University Noida Uttar Pradesh46.8863
 
 
Alagappa University Tamil Nadu46.8564
 
 
Tezpur University Assam46.8365
 
 
Saveetha Institute of Medical and Technical Sciences Tamil Nadu46.8166
 
 
Indian Institute of Technology Mandi Himachal Pradesh46.5667
 
 
Sri Venkateswara University Andhra Pradesh46.1468
 
 
Visva Bharati West Bengal45.9569
 
 
Koneru Lakshmaiah Education Foundation University Andhra Pradesh45.8970
 
 
Malaviya National Institute of Technology Rajasthan45.6571
 
 
Gauhati University Assam45.4872
 
 
Symbiosis International Maharashtra45.4373
 
 
North Eastern Hill University Meghalaya45.3174
 
 
Dr. D. Y. Patil Vidyapeeth Maharashtra45.0875
 
 
Calicut University Kerala44.7176
 
 
Bharathidasan University Tamil Nadu44.777
 
 
University of Kashmir Jammu and Kashmir44.6778
 
 
Banasthali Vidyapith Rajasthan44.6179
 
 
Indian Institute of Science Education & Research Thiruvananthapuram Kerala44.5380
 
 
Pondicherry University Pondicherry44.4881
 
 
Shiv Nadar University Uttar Pradesh44.4782
 
 
Sri Sivasubramaniya Nadar College of Engineering Tamil Nadu44.4283
 
 
Madurai Kamaraj University Tamil Nadu44.2784
 
 
Birla Institute of Technology Jharkhand44.1785
 
 
PSG College of Technology Tamil Nadu44.1785
 
 
Bharath Institute of Higher Education & Research Tamil Nadu44.0387
 
 
Guru Nanak Dev University Punjab43.8188
 
 
Cochin University of Science and Technology Kerala43.7189
 
 
University of Jammu Jammu and Kashmir43.6190
 
 
Sawai Man Singh Medical College Rajasthan43.591
 
 
SVKM`s Narsee Monjee Institute of Management Studies Maharashtra43.0792
 
 
Motilal Nehru National Institute of Technology Uttar Pradesh42.8793
 
 
National Institute of Technology Silchar Assam42.7694
 
 
Mumbai University Maharashtra42.4595
 
 
National Institute of Technology Durgapur West Bengal42.2696
 
 
Datta Meghe Institute of Medical Sciences Maharashtra42.2497
 
 
Bharati Vidyapeeth Maharashtra42.2398
 
 
Lovely Professional University Punjab41.8199
 
 
Mizoram University Mizoram41.8100
 
 
Bangalore University Karnataka41.8100
 
 
June 11, 2020
online-class-1.jpg
1min14230

સમગ્ર દેશમાં કોવીડ-19ને કારણે ઉદભવેલી સ્થિતિમાં 2020-21નું શૈક્ષણિક વર્ષ શરૂ થઇ ચૂક્યું છે અને ફિઝિકલ ક્લાસીસ શક્ય ન હોઇ, સમગ્ર દેશમાં હાલ શાળાકીય શિક્ષણ ઓનલાઇન કે ટેલિવિઝન મારફતે શરૂ કરાવવામાં આવી રહ્યું છે. પરંતુ, કર્ણાટક સરકારે બાળમંદિરો તેમજ ધો.1થી 5માં કોઇપણ પ્રકારના ઓનલાઇન ક્લાસીસ પર પ્રતિબંધ લાદી દીધો છે. કર્ણાટક સરકારે જણાવ્યું છે કે રાજ્યમાં કોઇપણ બોર્ડ સાથે સંલગ્ન કોઇપણ શાળાઓ ધો.5 સુધીના બાળકોને ઓનલાઇન એજ્યુકેશન આપી શકશે નહીં.

આ પહેલા નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સએ સબમીટ કરેલી રિપોર્ટમાં જણાવ્યું હતું કે આવા વર્ચ્યુઅલ ક્લાસ 6 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સારા નથી.

કર્ણાટકના પ્રાઈમરી એન્ડ સેકન્ડરી શિક્ષણ મંત્રી એસ. સુરેશ કુમારે જણાવ્યું હતું કે ‘પ્રી-પ્રાઈમરી અને પ્રાઈમરી (પાંચમાં ધોરણ સુધી) ક્લાસ ઓનલાઈન ન લેવા જોઈએ. આવા ક્લાસને ક્લાસરૂમ અભ્યાસની બદલી શકાતા નથી અને તેનાથી બાળકોની ઉંમર માનસિક સ્વાસ્થયને નુકસાનકર્તા નિવડી શકે છે.

પ્રાઈવેટ સ્કૂલો ઓનલાઈન ભણાવવા માટે કોઈ ફી નહીં લઈ શકે. જોકે પહેલાથી રેકોર્ડ કરેલા ક્લાસ ચલાવવાની મંજૂરી છે. બેંગલુરુમાં શિક્ષા એક્સપર્ટ્સ સાથેની મીટિંગ બાદ સુરેશ કુમારે સ્પષ્ટતા કરી હતી કે, આ દરમિયાન ધોરણ 6 થી 10 સુધીના ઓનલાઈન ક્લાસ ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.

Latest on This Web

June 11, 2020
CIA_Live_Logo_New2.jpg
2min9490

કોવીડ-19માં શિક્ષણ વિભાગ કે ગુજરાત બોર્ડ લોકો સુધી પહોંચવા વેબસાઇટ પર મદાર રાખે છે ત્યારે

Jayesh Brahmbhatt 98253 44944

કોવીડ-19માં જ્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ મહત્વની માહિતીઓ, પરીપત્રો, નોટિફિકેશન્સ વગેરે છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટે પોતાની સત્તાવાર વેબસાઇટનો સહારો લઇ રહ્યા છે ત્યારે સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં ઉલ્ટી ગંગા વહી રહી છે. વર્તમાન જિલ્લા શિક્ષણાધિકારી રાજ્યગુરુ સાહેબે કોવીડ-19નું લૉકડાઉન શરૂ થયું તેના 3 જ દિવસ બાદ શિક્ષણાધિકારીની કચેરી ની સત્તાવાર વેબસાઇટ https://deosurat.org/Circulars.aspx પર સરક્યુલર મૂકવાની પોતાના કર્મચારીઓને ના પાડી દીધી છે.

https://deosurat.org વેબસાઇટ પર છેલ્લો પરિપત્ર તા.26મી માર્ચ 2020ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. એ પછી કોવીડ-19ની સિચુએશન, માસ પ્રમોશન, ઓનલાઇન ક્લાસીસ, ધો.10-12 સાયન્સના રીઝલ્ટ વગેરે મળીને ડી.ઈ.ઓ. કચેરીએ 250થી વધુ સરક્યુલર સ્કુલો જોગ જારી કર્યા છે. પરંતુ, એક પણ સરક્યુલર ડીઈઓ સુરતની વેબસાઇટ મૂક્યો નથી.

ડીઇઓ રાજ્યગુરુ સાહેબે મહત્વના સરક્યુલર જે તે સ્કુલોના ક્લાર્ક, આચાર્યો કે ટ્રસ્ટીઓને વ્હોટ્સએપ પર અથવા તો ઇમેલ આઇડી પર મોકલવાની સૂચના આપી છે. આવી સ્થિતિમાં ઇમેલ અને વ્હોટ્સ એપ નંબરો બદલાતા રહેતા હોઇ, અનેક શાળાઓ મહત્વના સરક્યુલરથી વંચિત રહી જાય છે. ડી.ઈઓ. કચેરી દ્વારા મોકલવામાં આવતા સેંકડો ઇમેલ રિટર્ન થઇ રહ્યા છે. ગુજરાત સરકાર કે ગુજરાત બોર્ડ કોવીડ-19માં ઉદભવેલી પરિસ્થિતિમાં લોકો સુધી પહોંચવા માટે જો વેબસાઇટ્સનો ઉપયોગ કરતા હોય તો ડી.ઈ.ઓ સુરતને વેબસાઇટ પર સરક્યુલર અપલોડ કરવામાં શું વાંધો આવે છે.

વ્હોટ્સએપ ભરોસે

શહેર જિલ્લાની બે હજારથી વધુ શાળાઓ છેલ્લા અઢી મહિનાથી સુરત જિલ્લા શિક્ષણાધિકારીની મહત્વની સૂચનાઓ, પરીપત્રો, નોંધ વગેરે માટે વ્હોટ્સએપ કે ઇમેલના ભરોસે બેઠી છે, કેટલાય એવા સરક્યુલર છે જે વ્હોટ્સએપ પર મેસેજોના ઢગલામાં અટવાય ગયા અને સ્કુલોએ મહત્વની સૂચનાઓથી વંચિત રહેવું પડ્યું છે.

અનેક શાળાઓ સુધી મહત્વના પરીપત્રો પહોંચી શક્યા નથી.

સુરત શહેર ઉપરાંત જિલ્લાની અંદાજે 2000થી વધુ શાળાઓનો વહીવટ સુરત ડી.ઇ.ઓ. કચેરીના તાબા હેઠળ હોય છે. રોજેરોજ ડી.ઇ.ઓ. કચેરી દ્વારા કંઇકને કંઇક સૂચનાઓ, પરીપત્રો, કાર્યવાહીઓ, સુધારા વધારા નોંધ વગેરે જોગ સ્કુલોને પરીપત્રો પાઠવવાના થતા હોય છે ત્યારે ડી.ઇ.ઓ.ની વેબસાઇટ પર તેનું અપલોડેશન થવું જરૂરી બન્યું છે.

સોમ અને ગુરુવારે મુલાકાતી મળતા નથી, અન્ય દિવસોમાં મુલાકાતી જાય તો કહે સોમ-ગુરુએ આવજો

જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ. રાજ્યગુરુ સામે મુલાકાતીઓની પણ એક ગંભીર ફરીયાદ એ છે કે તેઓ મુલાકાતીઓને ન્યાય આપતા નથી. અનેક લોકો કલાકો સુધી તેમની રાહ જોઇને કચેરીના ધક્કા ખાય રહ્યા છે. નિયમાનુસાર સોમ અને ગુરુવારે તેઓ મુલાકાતીને મળે છે એવી જાહેરાત કરવામાં આવી છે. પણ સોમવાર અને ગુરુવારે તેઓ મુલાકાતીઓના સમયે કચેરીમાં હોતા જ નથી. સોમ અને ગુરુ સિવાયના દિવસોએ મુલાકાતીઓ જાય ત્યારે એમને સોમવાર કે ગુરુવારે જ આવવા માટે કહેવામાં આવે છે.

હવે પછી વાંચો લઘુમતિ શાળાઓમાં બિનજરૂરી શિક્ષકોની ભરતીનું વેલ ઓર્ગેનાઇઝ્ડ કૌભાંડ

Latest on this News Web

June 11, 2020
vodaidea.jpg
1min5560

ટેલિકોમ કંપનીઓની એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (એજીઆર)ના કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે તા.11મી જુનને ગુરુવારે સુનાવણી હાથ ધરાવાની સુપ્રીમ કોર્ટની સૂચનાના આધાર પર ટેલિકોમ શેર્સની નું ભાવી નક્કી થશે. ખાસ કરીને વોડા આઇડિયા માટે આજનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય મહત્ત્વનો રહેશે જેનો શેર છેલ્લા એક મહિનામાં બમણાથી વધારે વધ્યો છે.

સુનાવણીમાં સરકારની વિનંતી પણ સામેલ કરી શકાય છે જેણે ટેલિકોમ કંપનીઓને ચુકવણી માટે 20 વર્ષનો સમય આપવાની માંગણી કરી છે. એનાલિસ્ટ્સે કહ્યું કે કોર્ટ કંપનીઓને વહેલી ચુકવણી કરવા જણાવશે તો આ શેરમાં આવેલી તેજી અટકી જશે.

એજીઆરની ચુકવણી માટે 15-20 વર્ષ કરતાં ઓછો સમય મળશે તો તેમની પાસે 4G માટે મૂડીખર્ચ કરવા નાણાં નહીં બચે. તેથી માર્કેટ શેર પર અસર પડશે કારણ કે રોકાણ નહીં વધારાય તો માર્કેટ હિસ્સો ઘટશે.

ટેલિકોમ ઓપરેટર વોડાઆઇડિયાએ સરકારને એજીઆર પેટે ₹58,254 કરોડની ચુકવણી કરવાની છે જેમાંથી હજુ સુધી માત્ર ₹6,854 કરોડ ચૂકવાયા છે. બુધવારે આ શેર 7.34 ટકા વધીને ₹10.82 બંધ આવ્યો હતો. એક મહિના પહેલાં ₹4.58નો ભાવ હતો. તેની તુલનામાં શેર 136 ટકા વધ્યો છે. તેની સરખામણીમાં છેલ્લા એક મહિનામાં ભારતી એરટેલના શેરમાં છ ટકાનો વધારો થયો છે.

વોડાઆઇડિયાના શેરમાં તેજી એવા સમયે આવી છે જ્યારે ડિલિવરી વોલ્યુમ ઘટ્યું છે. એટલે કે લાંબા ગાળાના રોકાણકારોને તેના ઋણના સ્તર અને એજીઆરની બાકી નીકળતી રકમ અંગે શંકા છે.

ઇટીઆઇજી ડેટાબેઝ દ્વારા એકત્ર કરાયેલા ડેટા પ્રમાણે છેલ્લા એક સપ્તાહમાં ડિલિવરી વોલ્યુમની ટકાવારી 23 ટકાની નજીક હતી જ્યારે છેલ્લા એક મહિનામાં 26.9 ટકા હતી. તે ત્રણ મહિનાના સરેરાશ ડિલિવરી વોલ્યુમ 28.6 ટકા અને છ મહિનાના સરેરાશ ડિલિવરી વોલ્યુમ 28.54 ટકાની નજીક છે.

આ કાઉન્ટરમાં સટ્ટાકીટ પ્રવૃત્તિ દર્શાવે છે. ટેલિકોમ સેક્ટર સારું દેખાય છે અને શેર વધી રહ્યો છે કારણ કે બીજી ટેલિકોમ કંપનીઓ વધી રહી છે. વધુ રેલી આવે તો વોડાફોનનો શેર વેચવો જોઈએ.

લાંબા ગાળાના રોકાણકારોને એજીઆર અને રિપેમેન્ટના મુદ્દે સ્પષ્ટતાની જરૂર છે. કંપની ચાલુ રહે તે માટે એજીઆરની ચુકવણીમાં તેને ઓછામાં ઓછાં 15 વર્ષનો સમયગાળો મળવો જોઈએ.

June 11, 2020
coronaindia-1-1280x1044.jpg
1min7150

છેલ્લા 24 કલાક દરમિયાન વધતાં કોરોના પેશન્ટની સંખ્યામાં રેકૉર્ડ વધારા પછી ભારતમાં કોરોનાવાયરસ પીડિતોની કુલ સંખ્યા ત્રણ લાખ નજીક પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે 10,956 નવા કેસ સામે આવ્યા છે, અને એક દિવસમાં સૌથી વધારે 396 મૃત્યુ પામ્યા છે. ભારતમાં કુલ દર્દીઓની સંખ્યા 2,97,535 થઈ ગયો છે, જેમાંથી 1,47,195 લોકો સ્વસ્થ થઈને ઘરે પાછા ગયા છે, જેને કારણે ભારતમાં રિકવરી રેટ 49.47 ટકા પહોંચી ગયો છે. આ સમયે દેશમાં કુલ 1,41,842 સક્રિય COVID-19 કેસ છે, અને ભારતમાં અત્યાર સુધી 8,498 લોકો COVID-19ને કારણે પોતાની જીવ ગુમાવી ચૂક્યા છે.

આની સાથે જ ભારતમાં કોરોના વાયરસને કારણે સૌથી વધારે પ્રભાવિત દેશોની સૂચીમાં બ્રિટેનને પાછળ મૂકીને ભારત ચોથા નંબરે પહોંચી ગયો છે. ભારત હવે રશિયા, બ્રાઝીલ અને અમેરિકાની પાછળ છે. અમેરિકામાં સૌથી વધારે 20 લાખ કેસ છે, તો તેના પછી બ્રાઝીલમાં સાડાસાત લાખ કેસ છે. જ્યારે ત્રીજા નંબરે રશિયમાં 4 લાખ 93 હજારથી વધારે કેસ છે.

મહારાષ્ટ્રમાં કુલ કેસ
મહારાષ્ટ્રની વાત કરીએ તો માત્ર મહારાષ્ટ્રમાં કુલ 97,648 કેસ પૉઝિટીવ આવ્યા છે જેમાં છેલ્લા 24 કલાકમાં 3607 કેસ નવા છે. હાલ 47980 કેસ સક્રિય છે અને 46078 દર્દીઓ સ્વસ્થ થઈને પાછાં ઘરે ગયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 152 લોકો છેલ્લા 24 કલાકમાં મૃત્યુ પામ્યા છે અને આ સાથે જ મહારાષ્ટ્રમાં મરણાંક 3590 પહોંચ્યો છે.

નોંધનીય છે કે ગુરુવારે કેન્દ્ર સરકારે જણાવ્યું કે દેશમાં ચોક્ક્સ રીતે કૉમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થઈ રહ્યું. ભારતીય કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના મહાનિદેશક બલરામ ભાર્ગવે કહ્યું કે, “અહીં સુધી કે ભારત WHOની કોમ્યુનિટી સ્પ્રેડની વ્યાખ્યા પણ નથી.” તેમણે કહ્યું કે ભારતમાં કૉમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થઈ રહ્યું. શબ્દ ‘કૉમ્યુનિટી સ્પ્રેડ’ને લઈને ઘણા વિવાદની સ્થિતિ છે.

India : 10 June : વધુ 10,911 કેસ : કુલ 2,87,025 કેસ : 8,105નાં મોત

કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બુધવારે અત્યાર સુધીના એક દિવસમાં નોંધાયેલા કોરોના કેસનો નવો રેકોર્ડ બન્યો છે.

10 June બુધવારે નોંધાયેલા નવા 10,911 કેસ સાથે દેશમાં કોરોના વાયરસનો કુલ આંકડો 2,87,025 પર પહોંચ્યો છે. આ સાથે કુલ 356 લોકોના મોત નોંધાયા છે, જેની સાથે કુલ મૃત્યુનો આંકડો 8,000ને પાર કરીને 8,105 પર પહોંચ્યો છે.

દિલ્હીમાં બુધવારે વધુ 1,501 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 32,810 થયો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 984 થયો છે. દિલ્હીમાં આ બીજીવાર બન્યું છે જ્યારે એક દિવસમાં 1,500 કરતા વધારે કેસ નોંધાયા છે. નવા 191 કેસ સાથે તેંગાણામાં 4000 કરતા વધારે કેસ થઈ ગયા છે, અને વધુ 8ના મોત સાથે કુલ મૃત્યુઆંક 156 થયો છે.

ગુજરાતમાં બુધવારે 510 કેસ નોંધવાના કારણે કુલ કેસનો આંકડો 21,553 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કુલ 1347 લોકોના મોત થઈ ગયા છે. રાજ્યમાં સૌથી વધારે અમદાવાદમાં 15,305 કેસ છે.

મહારાષ્ટ્ર રાજ્યમાં દેશના સૌથી વધારે કોરોના કેસ નોંધાયેલા છે જ્યાં વધુ 3,254 કેસ સાથે કુલ આંકડો 94,041 પર પહોંચી ગયો છે. જ્યારે નવા 149 મોત સાથે કુલ મૃત્યુઆંક 3,438 થયો છે. રાજ્યમાં 44,500 કોરોનાથી પીડાતા દર્દીઓ સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે.


June 11, 2020
corona-gujarat.jpg
1min5130

ગુજરાતમાં ૫ જૂન પછી પાંચ દિવસમાં ફરીથી ૫૧૦ નવા કોરોના પોઝિટિવ દર્દીઓનો ઉમેરો થયો છે જ્યારે ૩૪ દર્દીઓએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયાં છે. અમદાવાદમાં વધુ ૩૪૩ નવા કેસ ઉમેરાતાં કુલ કેસનો આંક ૧૫૦૦૦ને પાર થઇ ૧૫૩૦૫ થયો છે જ્યારે વધુ ૨૬ દર્દીઓના વિવિધ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં કુલ આંક ૧૦૯૨ એટલે કે હવે ૧૧૦૦ની નજીક પહોંચી ગયો છે. અત્યાર સુધી અમદાવાદ, સુરત, વડોદરા અને ગાંધીનગર, ભાવનગરમાં મૃત્યુ નોંધાતા હતા, એ હવે અન્ય જિલ્લાઓમાં પણ ધીમે ધીમે ચેપ પ્રસરતાં ત્યાં પણ મૃત્યુ વધી રહ્યા છે જે ચિંતાની બાબત છે. છેલ્લા ચોવીસ કલાકમાં સુરત અને અરવલ્લીમાં બે બે, ગાંધીનગર, ભાવનગર, સાબરકાંઠા અને બનાસકાંઠામાં એક એક દર્દીના મૃત્યુ થયા છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સુરતમાં નવા ૭૩ કેસ, વડોદરામાં ૩૫, ભાવનગરમાં ૮, ખેડામાં ૬, રાજકોટમાં ૫,મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, આણંદ, સુરેન્દ્રનગરમાં ૪-૪, ગાંધીનગર, કચ્છ, જામનગર, ભરૂચ, જૂનાગઢ, પોરબંદર, મોરબીમાં ૨-૨ કેસ, પંચમહાલ, પાટણ, છોટા ઉદેપુરમાં એક એક કેસ તેમજ અન્ય રાજ્યના ૩ નવા કેસ ઉમેરાયા છે.

June 11, 2020
mumbai-1.jpeg
1min5870

ભારતમાં વધી રહેલા કેસો વચ્ચે સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં એક દિવસના સૌથી વધુ રેકોર્ડ કેસ સામે આવ્યા છે. બુધવારે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 3254 નવા કેસ સામે આવ્યા છે. આ વધારા સાથે મહારાષ્ટ્રમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા વધીને 94,041 થઇ ગઇ છે. બુધવારના રોજ મહારાષ્ટ્રનો કોરોનાથી મૃત્યુદર પણ ઊંચો રહ્યો હતો, અહી વિતેલા 24 કલાક દરમિયાન 149 દર્દીઓ દમ તોડી ચૂક્યા છે. 

મહારાષ્ટ્રનો કુલ મૃત્યુઆંક પણ વધીને 3438 છે. આ બધા વચ્ચે બુધવારે મહારાષ્ટ્રમાંથી 1879 દર્દીઓ સારવાર મેળવી કોરોનામુક્ત થયા હતા. જે પછી મહારાષ્ટ્રમાં કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા વધીને 44,517 થઇ છે. 

ભારતના અન્ય રાજ્યો, પ્રદેશો પણ કોરોનાની પકડમાં આવી ચૂક્યા છે, રાજધાની દિલ્હીમાં પણ મહારાષ્ટ્રની જેમ જ કોરોના દર્દીઓનો આંકડો વધી રહ્યો છે. બુધવારે દિલ્હીમાંથી એક દિવસના અત્યાર સુધીના સૌથી વધુ 1501 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 48 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોના સંક્રમણના કુલ કેસ વધીને 32,810 થયા છે અને મૃત્યુઆંક 984 છે. 

June 11, 2020
jageshmukati.jpg
1min6140

2020 ખરેખર એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે બેકાર વર્ષ સાબિત થઈ રહ્યું છે. ચાલુ વર્ષે આ દુનિયામાંથી વિદાય લેનારાઓની યાદીમાં વધુ એક કલાકારનું નામ જોડાઈ ગયું છે. ગુજરાતી રંગમંચ અને ટેલિવિઝનના જાણીતા કલાકાર જગેશ મુકાતીએ જીંદગીના તખ્તા પરથી વિદાય લઈ લીધી છે. ગુજરાતી નાટકોમાં પ્રેક્ષકોને ખડખડાટ હસાવનાર અને ‘શ્રી ગણેશ’ સિરિયલ દ્વારા ઘરઘરમાં જાણીતું નામ બનેલા જગેશ મુકાતીનું 47 વર્ષે નિધન થયું છે. શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેમનું મૃત્યુ થયું છે.

સુત્રોએ આપેલી માહિતી મુજબ, ગત શુક્રવારે ઓક્સિજન ઓછું થતા જગેશ મુકાતીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૉસ્પિટલમાં દાખલ કરાતા સૌથી પહેલા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે નેગેટીવ આવ્યો હતો. પરંતુ તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. થોડુંક ચાલતા અને હાંફી હતા, ઓક્સિજન લેવલ સતત નીચે જતું હતું. એટલે તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા અને છેવટે વેન્ટિલેટરનો સહારો આવો પડયો. 10 જૂને બપોરે 3-3.15 વાગ્યાની આસપાસ હૉસ્પિટલમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બુધવારે સાંજે જ પરિવાર દ્વારા તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

બૉલીવુડ, ટેલીવુડ અને ઢોલીવુડના અનેક સેલેબ્ઝે તેમના નિધન પર શૉક વ્યક્ત કર્યો છે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટર મલ્હાર ઠાકરે કહ્યું હતું કે, જગ્ગુ દાદા વિલ મિસ યુ, જો શક્ય હોય તો પાછા આવી જાવ.

અભિનેતા સાથે કામ કરનાર ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ફૅમ અભિનેત્રી અંબિકા રંજનકરે દુ:ખ વ્યક્ત કરતા લખ્યું હતું કે, દયાળુ અને મદદગાર મિત્ર જગેશની હંમેશા યાદ આવશે.

જગેશ મુકાતીએ અનેક ગુજરાતી નાટકો સાથે ટીવી સિરિયલ ‘અમિતા કા અમિત’, ‘શ્રી ગણેશ’ અને ‘ચાલ જીવી લઈએ’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તમને જણાવી દઈએ કે, 2000માં આવેલી સિરિયલ ‘શ્રી ગણેશ’નું અત્યારે પુન:પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. આ સિરિયલમાં અભિનેતાએ ગણેશ ભગવાનનું પાત્ર ભજવ્યું છે.

June 11, 2020
life_insurance-1.jpg
1min5220

વર્તમાન નાણાં વર્ષના સતત બીજા મહિનામાં એટલે કે મેમાં જીવન વીમા કંપનીઓના નવા વેપાર મારફતના પ્રીમિયમ્સ ઘટાડો નોંધાયો હતો. ગયા વર્ષના મેમાં રૂપિયા ૧૮૪૧૪ કરોડની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષના મેમાં નવા વેપાર મારફતના પ્રીમિયમનો આંક ૨૫.૪૦ ટકા ઘટી ૧૩૭૩૯ કરોડ રહ્યો હતો.

નાણાં વર્ષના પ્રથમ બે મહિનાના આંક જોઈએ તો પ્રીમિયમ્સ રૂપિયા ૨૮૩૯૫.૯૦ કરોડ પરથી ૩૦ ટકા ઘટી રૂપિયા ૨૦૪૬૬.૭૬ કરોડ રહ્યું હતું એમ પ્રાપ્ત આંકડા જણાવે છે.

મે ૨૦૧૯માં વીમાના એકંદર આવરણનો આંક જે રૂપિયા ૫.૮૦ ટ્રિલિયન રહ્યો હતો તે વર્તમાન વર્ષના મે સુધીમાં ૨૦.૨૦ ટકા ઘટી રૂપિયા ૪.૭૦ ટ્રિલિયન પર આવી ગયો હતો. દેશમાં ૨૩ ખાનગી જીવન વીમા કંપનીઓ કાર્યરત છે તેમના પ્રીમિયમ્સની આવકમાં મેમાં ૨૮ ટકા જ્યારે એલઆઈસીની નવા પ્રીમિયમ્સ મારફતની આવકમાં ૨૪ ટકા ઘટાડો નોંધાયાનું પણ આંકડા જણાવે છે. એપ્રિલ તથા મેમાં દેશભરમાં લોકડાઉન રહેતા વેપાર પર અસર રહી હતી.

June 11, 2020
coronafeee-1280x720.jpg
1min6250

વાંચો કોરોનામુક્ત દેશની યાદી

ન્યૂ ઝીલેન્ડ, પાપુઆ ન્યૂ ગિનીએ, સેશેન્સ, ફિઝી, ત્રિનિદાદ અને ટોબૈગો, લાઓસ, વેટિકન સિટી, ગ્રીનલેન્ડ, મકાઓ, માન્ટેનિગ્રોએ, ઇરિટ્રિયા, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ, સેંટ પિયરે મિક્વેલોન, અંગ્વેલિયા, સેંટ બાર્થ, કૈરેબિયન નેધરલેન્ડ, મોન્ટસેરાટ, ટકર્સ એન્ડ સાઇકોઝ, સેન્ટ કિસ્ટ એન્ડ નેવિસ તિમોર લેસ્ટે, ફ્રેન્ચ પોલેનેશિયા, અરુબા, ફાઇરો આર્યલેન્ડ, આઇલે ઓફ મેન જેવા તમામ દેશોનો કોરોનામુક્ત દેશોમાં સમાવેશ થાય છે.

કોરોનાની મહામારી સામે અત્યારના સમયમાં મોટાભાગે દરેક દેશ લડી રહ્યા છે. ત્યારે કોરોનાના કહેરથી મહાસત્તા પણ બાકાત રહી નથી. અત્યારના સમયમાં કોરોનાના કારણે સ્થિતિ એટલી ખરાબ થઇ ગઇ છે. કે લોકોના કામ ધંધા બંધ છે. તેઓ ના તો ક્યાંય જઇ શકે છે. ના તો બાળકોને ક્યાંય લઇ જઇ શકે છે. તેમાં પણ મધ્યમ વર્ગના લોકોની હાલત પણ ખરાબ છે.

અત્યારે ઘણી કંપનીઓ પૂરતો પગાર પણ નથી આપી રહી તેવામાં લોકો બોળકોની સ્કૂલ ફી ભરે કે પછી લાઇટબિલ ભરે કે ઘરમાં રાશન ભરે, ત્યારે હાલના સમયમાં કોરોનાના કેસ વધતા હોવા છતાં પણ લોકો પોતાના નોકરી ધંધા કરવા નીકળી પડે છે. ત્યારે મજૂર વર્ગ કે જે પોતાના વતનથી દૂર બે પૈસા કમાવા માટે બીજા રાજ્યોમાં રહે છે. તેમની હાલત તો વધારે ખરાબ છે. તેમને અત્યારે ના તો રોજનું કામ મળે છે. ના તો તેમની પાસે એવી કોઇ બચત છે કે તેઓ છ મહિના સુધી બેસીને ખાઇશકે. ઘણા લોકો મદદ કરે છે પરંતુ જનસંખ્યા એટલી છે કે કોણ કોની અને કેટલી મદદ કરે.

દુનિયામાં કોરોનાના કારણે ચાર લાખ લોકોના મૃત્યુ થયા છે. તેમ જ ૭૩ લાખ જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. તેમ જ આ મહામારી સામે હજુ પણ કેટલાક દેશો લડત આપી રહ્યા છે. ત્યારે કેટલાક એવા પણ દેશો છે કે જેમને કોરોનાને હરાવ્યો છે. અને તે દેશોમાં કોરોનાનો હાલમાં એક પણ કેસ નથી. આવા દેશોના લિસ્ટમાં સૌપ્રથમ નામ ન્યૂ ઝીલેન્ડનો આવે છે. અહી ગત સોમવારે કોરોનાનો છેલ્લો દરદી સ્વસ્થ થઇને ઘરે પહોંચી ગયો છે.

કોરોનાના એક પણ કેસ ના હોય તેવા દેશ પણ નિયમોનું પાલન કરે છે:

હાલમાં દુનિયામાં ૨૫ એવા દેશ છે જ્યાં કોરોનાનો એક પણ કેસ નથી તેમ છતાં તે દેશમાં આ તમામ દેશો ચુસ્તપણે કેટલાક નિયમોનું પાલન કરી રહ્યા છે. જેમકે દરેક જગ્યાએ લોકોનું સ્કેનિંગ કરવું, હાથને વારે વારે ધોવા, જો ખરાબ તબિયત હોય તો અન્ય લોકોના સંપર્કમાં ના આવવું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, કોઇ જગ્યાએ ભીડમાં એકઠા ના થવું, તેમ જ કોઇ પણ પ્રકારના લક્ષણ જણાય તો તરત જ સરકારને જાણ કરવી, આવા ઘણા નિયમો કે જે હાલમાં દેશમાં કોરોનાના કેસ ના હોવા છતાં પણ સુરક્ષાના ભાગરૂપે આવા તમામ નિયમોનું દેશના તમામ નાગરિકોએ પાલન કરવાનું રહે છે. અને આવા નિયમોથી જ કેટલાક દેશો કોરોનામુક્ત બન્યા છે અને તે દેશો અત્યારે અન્ય દેશોને પ્રત્સાહિત કરી રહ્યા છે.

દેશમાં ખૂબજ ઝડપથી વધી રહ્યા છે કેસ

કોરોના વાઇરસના કેસ દેશમાં ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. કોરોના સંક્રમણના બાબતે દેશ ઇટલીથી પણ આગળ નીકળી ગયો છે. ભારતમાં અત્યાર સુધીમાં ૨૭૬૫૮૩ કેસ નોંધાયા છે. જેમાં ૭૭૪૫ લોકોના મૃત્યુ થયા છે. તેમ જ ૧૩૫૨૦૬ કેસ સારા પણ થઇ ગયા છે. બુધવારે સવાર સુધીમાં દુનિયામાં ૭૩૧૬૯૪૪ લોકો કોરોનાથી સંક્રમિત થયેલા છે. તેમ જ ૪૧૩૬૨૭ લોકોનો જાવ કોરોનાના કારણે ગયો છે. દુનિયાભરમાં કોરોના વાઇરસના કારણે ૩૬૦૨૫૦૨ દરદીઓ સારા થયા છે.