CIA ALERT

Alert Archives - Page 237 of 518 - CIA Live

July 27, 2020
hanuman-beniwal.jpg
1min7640

તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની કોરોનાની તપાસ કરવાની માગ કરનારા રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના નાગૌર સાસંદ હનુમાન બેનીવાલ પોતે જ કોરોનાની અડફેટે ચઢી ગયા છે. તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર આ અંગે જાણ કરી છે.

આરએલપી અધ્યક્ષ નાગૌરના સાંસદ સભ્ય છે. અહીં ભારતીય જનતા પાર્ટીએ બેનીવાલને સપોર્ટ કર્યો હતો જેથી તેઓ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. રાજસ્થાન વિધાનસભામાં પણ તેમની પાર્ટીના ત્રણ ધારાસભ્યો છે. આ અગાઉ તેઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની કોરોનાની તપાસ કરવાની માગ કરીને વિવાદોમાં સંપડાયા હતા.

હનુમાન બેનીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, કોરોનાના લક્ષણ અનુભવાતા મેં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને મારી પત્ની કનિકાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મારી અપીલ છે કે છેલ્લા 10 દિવસોમાં જેટલા પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે અને મારા નજીકના લોકો જે વારંવાર મારા સંપર્કમાં આવ્યા હોય તેવા લોકો ક્વોરન્ટાઈન થઈ જાય.

July 27, 2020
corona_india.jpg
1min4860

દેશમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 48661 નવા કોરોના મામલા સામે આવ્યા હતા અને 705 લોકોનાં મોત થયાં હતાં. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ મામલાનો આંકડો 13,85,522 થયો છે જ્યારે મૃતકોનો આંક પણ વધીને 32,063 થયો છે. જ્યારે કોવિડ19ઈન્ડિયા વેબસાઈટ અનુસાર દેશમાં 24 કલાકમાં નવા કેસનો આંક પહેલી વખત 50,000ને પાર પહોંચી ગયો હતો. જેના પરિણામે રવિવારે આ લખાય છે ત્યાં સુધીમાં કોરોનાના કુલ કેસ 1426753એ પહોંચ્યા હતા તેમજ 9.12 લાખ લોકો રિકવર થયા હતા અને 32698 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

આ અગાઉ સ્વાસ્થ્ય મંત્રાલયે જારી કરેલા આંકડાઓ અનુસાર 8,85,577 લોકો કોવિડ-19ને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસ 4,67,882 રહ્યા છે.
દેશમાં એક તરફ જ્યાં કોરોનાના મામલા સતત વધી રહ્યા છે ત્યારે સરકાર અનુસાર ભારત સતત પોતાની ટેસ્ટિંગ ક્ષમતા વધારી રહ્યું છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (આઈસીએમઆર) અનુસાર ગઈકાલ સુધી કોરોના વાયરસ માટે કુલ 1,62,91,331 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 24 કલાકમાં કરાયેલા ટેસ્ટિંગની સંખ્યા 4,42,263 હતી.. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતે છેલ્લા એક સપ્તાહમાં પ્રતિદિવસ 3.50 લાખ પરીક્ષણ કર્યાં છે.

મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વધુમાં વધુ ટેસ્ટિંગ, ટેસ્ટ, ટ્રેક એન્ડ ટ્રીટની રણનીતિ બનાવવાની સલાહ આપી છે. જેનાથી આરંભના દિવસોમાં પોઝિટિવ’ મામલાઓની સંખ્યા વધી શકે છે,’ પરંતુ અંતમાં મામલાઓમાં ઘટાડો જોવા મળશે. કેન્દ્રએ દિલ્હીમાં આ લક્ષ્ય હાસલ કર્યું છે.

વીતેલા 24 કલાકમાં જ 705 લોકોનાં મોત થયાં તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 257, તામિલનાડુમાં 89, કર્ણાટકમાં 72, આંધ્રપ્રદેશમાં 52, પશ્ચિમ બંગાળમાં 42, ઉત્તર પ્રદેશમાં 39, દિલ્હીમાં 29, ગુજરાતમાં 22, બિહારમાં 14, ઝારખંડમાં 12, રાજસ્થાનમાં 11 અને ઓરિસ્સામાં 10 મોતનો સમાવેશ થાય છે. આ સિવાય પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં 9-9, મધ્યપ્રદેશમાં 8, હરિયાણામાં 7, કેરળમાં 5, ગોવામાં 4, છત્તીસગઢ, પોંડીચેરી, ઉત્તરાખંડ અને નાગાલેન્ડમાં 3-3 જ્યારે આસામ અને લદ્દાખમાં 1-1 દર્દી કોરોનાનો ભોગ બન્યા હતા. દેશની રાજધાની નવી દિલ્હીમાં કોવિડ-19ના 1,142 નવા મામલા સામે આવ્યા બાદ અત્યાર સુધી 1.29 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. દિલ્હીમાં કોવિડ-19ને કારણે મૃત્યુઆંક 3806 થયો છે. તામિલનાડુમાં 24 કલાકમાં 6988 નવા મામલા સામે આવ્યા બાદ આ મહામારીથી સંક્રમિતોનો કુલ આંક 2,06,737 થયો હતો. મૃત્યુઆંક પણ વધીને 3409 થયો છે.

કોરોના કેસ: શહેરોને પાછળ રાખી દેતાં ગામડાં
અમદાવાદ, તા.26: ગુજરાતમાં સતત છઠ્ઠા દિવસે કોરોના વાયરસના 1 હજારથી વધુ કેસ નોંધાયા છે. સાથે સાથે ગુજરાતમાં’ પ્રથમવાર છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સર્વોચ્ચ 1110 કેસ નોંધાવા પામ્યા છે. સાથે ગુજરાતમાં કોરોના કેસનો કુલ આંક’ 56 હજાર નજીક અર્થાત’ 55822 થયો છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 46 વ્યક્તિને કોરોના સંક્રમણ થઇ રહ્યું છે.

આજે પ્રથમ વાર શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસો વધુ નોંધાવા પામ્યા છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 1110 કેસમાંથી 533 શહેરોમાં અને 577 ગ્રામ્ય વિસ્તારમાં નોંધાવા પામ્યા છે.

ગુજરાતમાં અત્યાર સુધીના સર્વોચ્ચ કોરોના દર્દીઓ વેન્ટિલેટર પર નોંધાયા છે. હાલ 13031′ એકિટવ કેસ છે. જેમાં 85 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકનાં વધુ 21 સાથે કોરોનાથી કુલ મરણાંક 1326 થયો છે.

24 કલાક દરમિયાન નોંધાયેલા 1110 કેસમાંથી સુરત 299 સાથે’ સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક 11672 થયો છે. એ જ રીતે અમદાવાદ શહેરમાં 152 અને ગ્રામ્યમાં 11 નવા કેસ’ મળીને કુલ 163 કેસ સામે આવ્યા છે.’ જેને લઇને અમદાવાદમાં કુલ કેસનો આંક 25771 થયો છે. જ્યારે વડોદરામાં 92, રાજકોટમાં 72,’ બનાસકાંઠા 35, દાહોદ 30, ગાંધીનગર 29, નર્મદામાં 26, પાટણ અને છોટાઉદેપુર 22-22, કચ્છમાં 20, ભરૂચમાં 19, મહેસાણા, પંચમહાલ અને નવસારીમાં 18-18, વલસાડમાં 15, સાબરકાંઠામાં 14, આણંદમાં 11, ખેડા-9, તાપી-9, ડાંગ-6, અરવલ્લી અને મહીસાગરમાં 3-3 કેસ નોંધાવા પામ્યા છે. નોંધનીય બાબત છે કે આજે ગુજરાતમાં 33 જિલ્લામાં કોરોના કેસ નોંધાયા છે.

ગુજરાતમાં વિતેલા 24 કલાક દરમિયાન 21 કોરોના દર્દીઓને કોરોના ભરખી ગયો છે. જેમાં સૌથી વધુ સુરતમાં 12, અમદાવાદમાં 3, વડોદરામાં 2 મૃત્યુ નોંધાવા પામ્યા છે. જુલાઇ માસમાં આજના નવા 12 મોત સાથે સુરતમાં મોતનો આંક 200 થયો છે. જ્યારે અમદાવાદમાં નવા 3 મોત સાથે જુલાઇ માસમાં 134 થયો છે. વડોદરામાં 3 નવા મોત સાથે જુલાઇ માસમાં 20 મૃત્યુ નોંધાયા છે.

July 27, 2020
corona-gujarat.jpg
1min4730

ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણે હવે મહાનગરોની સાથોસાથ ગામડાઓમાં વ્યાપક રીતે પગપેસારો કર્યો છે. ચાલુ માસના અંતમાં હવે બાકી રહેલા નિયંત્રણોમાં વધુ છુટછાટની તૈયારીઓ ચાલી રહી છે એવા સમયે નગરો, ગામડાઓમાં બેફામપણે વકરી રહેલા ચેપથી રાજ્યમાં આજે પહેલી વખત ૫૫ ટકા કેસ નોંધાયા છે જ્યારે મહાનગરોમાં ૪૫ ટકા કેસ નવા ઉમેરાયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં વિક્રમી ૧૧૧૦ કેસમાંથી ૫૩૩ કેસ આઠ મહાનગરોમાંથી તેમજ ૫૭૭ કેસ ગ્રામ્ય વિસ્તારોમાંથી નોંધાયા છે. અલબત્ત ૨૧ મૃત્યુમાંથી ૧૨ મૃત્યુ મહાનગરોમાંથી તેમજ નવ મૃત્યુ ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયા છે.

શનિવાર સાંજથી રવિવાર સાંજ સુધીમાં કોરોના સંક્રમિત લોકોને શોધવા માટે ૨૧૭૦૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આને પગલે ૧૧૧૦ કેસ મળી આવ્યા છે. છેલ્લા ૨૬ દિવસમાં ૨૨મી વખત નવા વિક્રમી કેસ ગુજરાતમાં ઉમેરાયા છે. એમાં સૌથી વધારે સુરત મહાનગરમાંથી ૨૦૧ કેસ ગ્રામ્યના ૯૮ કેસ મળી કુલ ૨૯૯ કેસનો સમાવેશ થાય છે. મહાનગરમાં ૭ અને ગ્રામ્યના ૫ મળી કુલ ૧૨ દર્દીઓના કોવિડ-૧૯ના લીધે મૃત્યુ થયાનું સરકારે જાહેર કર્યું છે. આ જ પ્રમાણે અમદાવાદ મહાનગરમાંથી ૧૫૨ કેસ અને ગ્રામ્યના ૧૧ મળી કુલ ૧૬૩ કેસ જાહેર થયા છે એમાં મહાનગરના ૩ દર્દીના મૃત્યુ થયા છે.

વડોદરામાં છેલ્લા એક મહિનાથી રોજેરોજ કેસ વધી રહ્યા છે. મહાનગરમાંથી નવા ૭૯ કેસ આવ્યા છે જ્યારે જિલ્લાના ૧૩ મળી ૯૨ કેસ તેમજ એક એક દર્દીના મૃત્યુ જાહેર કરાયા છે. અમદાવાદને અડીને આવેલા મહાનગર ગાંધીનગરમાંથી નવા ૬ કેસ તેમજ ગ્રામ્યમાંથી ૧૩ મળી કુલ ૧૯ કેસ પોઝિટિવ મળ્યા છે જ્યારે એક દર્દીનું મૃત્યુ થયું છે.

સૌરાષ્ટ્રના મહાનગરો-જિલ્લાની સ્થિતિ જોઇએ તો સૌથી વધારે સંક્રમિત રાજકોટ મહાનગરમાંથી ૫૨ નવા કેસ ઉમેરાયા છે જ્યારે ગોંડલ, ધોરાજી સહિતના ગ્રામ્ય વિસ્તારમાંથી ૨૦ કેસ આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારના એક દર્દીનું મૃત્યુ થયું છે. જૂનાગઢ મહાનગરમાંથી ૧૮ મળી કુલ વીસ કેસ, ભાવનગર શહેરમાંથી ૧૭ મળી કુલ ૩૧ કેસ, જામનગર મહાનગરમાંથી એક દર્દીનું મૃત્યુ સાથે નવા ૮ કેસ અને ગ્રામ્યના ૬ કેસ નોંધાયા છે.

જિલ્લાઓમાં સૌથી વધારે કેસ સુરતના ગ્રામ્ય વિસ્તાર પછી અમરેલીમાં એક સાથે ૩૯ કેસ નોંધાયા છે. અમરેલી શહેર ઉપરાંત લાઠી, લીલીયા, ધારી જેવા તાલુકાઓમાંથી એક સાથે કેસ મળતાં હાહાકાર મચી ગયો છે. આ જ રીતે બનાસકાંઠા જિલ્લાના દીયોદર, ડીસા, ધાનેરા, લાખેણી, વાવમાંથી કુલ ૩૫ કેસ નોંધાયા છે. નર્મદામાં રાજપીપળા, નાંદોદ, ડેડીયાપાડા, ગરુડેશ્વરમાંથી ૨૬ કેસ આવ્યા છે તો પડોશી દાહોદ જિલ્લાના લીમખેડા, દાહોદ નગરમાંથી ૩૦ કેસ નવા પોઝિટિવ મળ્યા છે.

સુરેન્દ્રનગરના પારડી, વઢવાણ, મુળીમાંથી ૨૪ કેસ, છોટાઉદેપુરમાંથી એક સાથે ૨૨ કેસ નોંધાયા છે. પાટણ નગર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાંથી ૨૨ કેસ, કચ્છમાંથી ૨૦ કેસ, ભરૂચ ૧૯ કેસ મળ્યા છે. મહેસાણા, ગીર સોમનાથ, નવસારીમાંથી ૧૮-૧૮ કેસ નોંધાયા છે. પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ૧૮ કેસ આવ્યા છે. વલસાડમાં પારડી, વાપી, ધરમપુરમાંથી નવા ૧૫ કેસ, સાબરકાંઠાના ઇતર, હિંમતનગર, પ્રાંતિજમાંથી ૧૪ કેસ, આણંદમાંથી ૧૧, મોરબીમાંથી ૧૦, ખેડા, તાપીમાંથી ૯-૯, ડાંગમાંથી એક સાથે ૬ કેસ, બોટાદમાંથી ૫, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, મહીસાગર ૩-૩ કેસ, પોરબંદરમાંથી ૨ કેસ નોંધાયા છે. મોરબીમાં એક દર્દીનું મૃત્યુ થયાનું જાહેર કરાયું છે.

રાજ્યમાં ૨૪ કલાકમાં ૨૧૭૦૮ ટેસ્ટ સાથે અત્યાર સુધીમાં ૬,૪૨,૩૭૦ જેટલા ટેસ્ટ કરાયા છે એમાંથી ૫૫૮૨૨ પોઝિટિવ દર્દી મળી આવ્યા હતા. આ પૈકી ૫૭૩ પાછલા ચોવીસ કલાકમાં ડિસ્ચાર્જ થતાં કુલ આંક ૪૦,૩૬૫ સુધી પહોંચ્યો છે જે કુલ કેસના ૭૨.૩૧ ટકા જેટલો થાય છે. આની સામે ૨૩૨૬ દર્દીઓના અત્યાર સુધી કોવિડ તથા કોવિડ સાથે અન્ય બિમારીને લીધે મૃત્યુ થયા છે. હાલ એક્ટિવ કેસ ૧૩૧૩૧ સુધી પહોંચ્યા છે એમાં ૮૫ દર્દીને વેન્ટીલેટર ઉપર મુકવા પડ્યા છે એ સિવાયના ૧૩૦૪૬ સ્ટેબલ છે.

ગુજરાતમાં દર 10 હજાર કેસની ગતિ

પહેલા 10 હજાર કેસ – 59 દિવસ

બીજા 10 હજાર કેસ – 22 દિવસ

ત્રીજા 10 હજાર કેસ – 19 દિવસ

ચોથા 10 હજાર કેસ – 14 દિવસ

પાંચમા 10 હજાર કેસ – 11 દિવસ

July 26, 2020
CIA_Live_Logo_New2.jpg
2min6410

NRI અને NRG ને ગુજરાતમાં અભ્યાસ માટે આકર્ષવા Study In Guj. સરકારી મિશન

Jayesh Brahmbhatt 98253 44944

કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના સારા, લોકહિતના પ્રોજેક્ટસમાં સુરત, દક્ષિણ ગુજરાતને અન્યાય થયાનો ઘટનાક્રમ કંઇ નવો નથી. દાયકાઓથી આપણે સાંભળી રહ્યા છીએ કે સુરતને કે દક્ષિણ ગુજરાતને અન્યાય કરીને અન્યોને મહત્વ આપવામાં આવી રહ્યું છે. હવે શિક્ષણમાં પણ આ સડો પેસી ગયો હોવાનું જણાય આવે છે.

ગુજરાતના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં અમદાવાદ ખાતે સક્રીય એવા સરકારી અધિકારીઓ અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓના ધંધાદારી સંચાલકોની એક ધરી કામ કરી રહી છે જે દક્ષિણ ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓને અન્યાય કરી રહી છે. આવા લોકોને દક્ષિણ ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓની પ્રગતિ આંખમાં કણાની માફક ખૂંચે છે. યેનકેન પ્રકારે કેટલાક અધિકારીઓ અને અમદાવાદ મધ્યગુજરાતની કેટલીક પ્રાઇવેટ યુનિવર્સિટીઓના સંચાલકોની ધરી દક્ષિણ ગુજરાતની સંસ્થાઓને પ્રતિનિધિત્વ ન મળે એ માટે સક્રીય છે.

દક્ષિણ ગુજરાતમાં અનેક સારી કોલેજો, સારા કોર્સ ચાલી રહ્યા છે, આ કોલેજોમાં વિદેશી વિદ્યાર્થીઓ કે બિન નિવાસી ગુજરાતી વિદ્યાર્થીઓ પ્રવેશ ન લે એ માટે તેમને માહિતી જ ન મળે તેવી ગોઠવણમાં દક્ષિણ ગુજરાતના વિરોધીઓની લોબી સતત કામ કરી રહી છે. સ્ટડી ઇન ગુજરાત મિશનમાં અમદાવાદની લગભગ દરેક પ્રાઇવેટ યુનિવર્સિટીઓ તેમજ કોલેજો સુદ્ધાને સમાવવામાં આવ્યા છે. ઇવન વેબીનારમાં અમદાવાદની આર્ટસ કોલેજના આચાર્યને વકતા બનાવાયા છે પણ દક્ષિણ ગુજરાતની યુનિવર્સિટીનું પત્તુ ધરાર કાપી નાંખવામાં આવ્યું છે.

સ્ટડી ઇન ગુજરાત મિશનમાંથી દક્ષિણ ગુજરાતનો એકડો કાંઢી નંખાયો

ગુજરાત સરકારે ગુજરાતમાં આવેલી કોલેજો અને યુનિવર્સિટીઓમાં એન.આર.આઇ. તેમજ એન.આર.જી. એટલેકે બિન નિવાસી ગુજરાતીઓને ગુજરાત આવીને ભણવા માટે આકર્ષવા એક મિશન હાથ ધર્યું છે. આ મિશનનું નામ આપવામાં આવ્યું છે સ્ટડી ઇન ગુજરાત. સ્ટડી ઇન ગુજરાતની પાર્ટનર યુનિવર્સિટીઓમાં કે પાર્ટનર ઇન્સ્ટીટ્યુટ્સમાં દક્ષિણ ગુજરાતમાંથી એકમાત્ર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને સ્થાન આપવામાં આવ્યું છે અને એ પણ સમખાવા પૂરતું નામ અપાયું છે કેમકે આ અંગે યોજવામાં આવેલા વેબીનારમાંથી તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો એકડો કાઢી નંખાયો છે. એકેય વક્તા કે પ્રતિનિધિત્વ કે પ્રેઝન્ટેશન આપવા માટે દક્ષિણ ગુજરાતની ચાર યુનિવર્સિટીઓ પૈકી એકેયનું નામ કે પ્રતિનિધિને સમાવાયો નથી.

  • વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
  • ઉકા તરસાડીયા યુનિવર્સિટી, સુરત (બારડોલી-મહુવારોડ)
  • ઓરો યુનિવર્સિટી, સુરત
  • પી.પી. સવાણી યુનિવર્સિટી, સુરત (અંકલેશ્વર-કોસંબા)

સ્ટડી ઇન ગુજરાત સેમિનાર તા.25 જુલાઇના શિડ્યુલમાં એકેય દક્ષિણ ગુજરાતમાંથી નહીં

આજે તા.26 જુલાઇના શિડ્યુલમાં એકેય દક્ષિણ ગુજરાતમાંથી નહીં

આ છે સ્ટડી ઇન ગુજરાત મિશન

Also Read

July 26, 2020
breaking_CIA-1280x831.jpg
5min9420

સામાજિક વિજ્ઞાન અને માનવીય મૂલ્યો વિષયો સાથે આર્ટસ ભણનારાઓના ભાગ્ય ઉઘડી ગયા

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આ પ્રકારની માહિતી તમને CiA Live સતત આપે છે, સોશ્યલ મિડીયામાં આપ અમને ફોલો કરીને સતત નવી માહિતી, નોલેજ ગેઇન કરી શકો

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

જે પરીક્ષા ભારતમાં અત્યાર સુધી ફક્ત 4 વર્ષનો એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ કરનાર ઉમેદવારો જ આપી શક્તા હતા એ ગેટ (ગ્રેજ્યુએટ એપ્ટીટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ) પરીક્ષા 2021થી આર્ટસ અને કોમર્સ ગ્રેજ્યુએટ્સ પણ આપી શકશે. ગેટ GATE 2021 પરીક્ષાના લાયકાતના ધોરણોમાં 10+2+4 (એન્જિનિયરિંગ) to 10+2+3 (કોઇપણ સ્નાતક) આ રીતે સુધારવામાં આવ્યા છે.

સામાજિક વિજ્ઞાન (સોશ્યલ સાયન્સ) અને માનવીય મૂલ્યો (હ્યુમેનિટીઝ) વિષયો સાથે આર્ટસ ગ્રેજ્યુએટ ભણનારાઓના ભાગ્ય રાતોરાત ખૂલી ગયા

ગેટ GATE 2021 પરીક્ષામાં બે નવા વિષયો ઉમેરવામાં આવ્યા છે જેમાં એન્વારન્મેન્ટલ સાયન્સ અને એન્વારયન્મેન્ટલ એન્જિનિયરિંગ ઉપરાંત સોશ્યલ સાયન્સ અને હ્યુમેનિટીઝ સાથે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ પણ ગેટ પરીક્ષા આપીને પોતાની કારકિર્દીમાં મહત્વનો વળાંક લઇ શકે છે.

એન્વારન્મેન્ટલ સાયન્સ, એન્જિનિયરિંગ, હ્યુમેનિટીઝ કે સોશ્યલ સાયન્સ વિષય સાથે હાલમાં થર્ડ ઇયર (ફાઇનલ) પરીક્ષા આપી રહેલા કે આપનારા વિદ્યાર્થીઓ પણ આગામી ફેબ્રુઆરી 2021માં લેવાનારી ગેટ પરીક્ષા આપી શકશે.

આ સાથે જ હવે ભારતમાં આર્ટસ અને કોમર્સ ગ્રેજ્યુએટ્સના અભ્યાસક્રમો ભણનારાઓની સંખ્યા અને કોલેજો બન્ને વધી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. કેમકે ગેટ જેવી મહત્વની પરીક્ષામાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગેટ GATE 2021 અત્યંત મહત્વની પરીક્ષા મનાય છે

ગેટ GATE પરીક્ષા માસ્ટર ડિગ્રી કે પીએચડીના એન્જિનિયરિંગના અભ્યાસક્રમો માટે જ લેવામાં આવે છે પરંતુ, આગામી સમયમાં ધંધા રોજગાર, સરકારી ભરતીઓમાં હ્યુમેનિટીઝ અને સોશ્યલ સાયન્સિઝ જેવા વિષયોના નિષ્ણાંતોની પણ ઉભી થનારી માગને ધ્યાને લેતા હવે ગેટ GATE 2021 પરીક્ષામાં હ્યુમેનિટીઝ કે સોશ્યલ સાયન્સ વિષયો સાથે પાસ થયેલા આર્ટસ, સાયન્સ કે કોમર્સ કે અન્ય કોઇપણ સ્નાતકોને આવરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગેટ GATE 2021 ફેબ્રુઆરી 2021માં મુંબઇ આઇઆઇટી દ્વારા લેવામાં આવશે

The Graduate Aptitude Test in Engineering (GATE)-a qualifying exam for those seeking admissions to masters and PhD programmes in science & technology and placements in PSUs-will see a significant shift in the coming year with the inclusion of subjects in humanities and social sciences. So, students from commerce and arts background, too, can opt for GATE 2021 in February that IIT-Bombay will conduct.

ગેટ 2021નું સત્તાવાર નોટિફિકેશન હજુ બહાર પડ્યું નથી. વધુ કોઇપણ માહિતી માટે 98253 44944 પર સંપર્ક કરી શકાય

The eligibility criteria, too, has been modified from 10+2+4 to 10+2+3, enabling students in their third year of undergraduate studies to appear for the exam.

GATE aspirants can appear for 2 subjects

Recognizing the global concern over environmental issues, environmental science and engineering, too, has been introduced, taking the total subject papers to 27. With fewer job opportunities due to the pandemic, many are likely to pursue higher education and GATE will add to their options.

Considering the present Covid-19 pandemic situation, the dates for the GATE-2021 examination have been spread out over a longer duration as 5th, 6th, 7th, 12th, 13th and 14th February 2021.

“With the introduction of subjects in humanities and social sciences, IIT-Bombay, as the organizing institute, wanted to make GATE more inclusive. Many premier institutes, including IIT-Bombay, currently use UGC-NET scores or internal exams for admissions to masters in humanities. These students are not eligible for ministry of HRD scholarships.

With GATE scores, they will have an added advantage of government scholarships. Since PSUs recruit aspirants using GATE scores, it will open up avenues for arts and commerce students too,” said professor Deepankar Choudhury, the organising chairman of GATE 2021. Under humanities, English, economics, linguistics, psychology, sociology and philosophy will be offered in the first year, he said.

Subhasis Chaudhuri, director of IIT-Bombay, said, “This will create much-needed career opportunities for those in humanities and social sciences areas as this may serve as one single standardized criterion for admission to various masters and doctoral programmes in various IITs and other universities in India.”

IIT is expecting the number of aspirants to rise in 2021 with the new reforms. Close to 10 lakh students usually take the test. The exams, scheduled in February, will be spread out over a longer duration, over six days instead of four, due to the pandemic. The dates are February 5, 6, 7, 12, 13 and 14. Students will also get to appear for two subjects, unlike one so far, but only a prescribed set of combinations will be allowed in the first year. The idea is to boost opportunities to study in inter-disciplinary areas.

Read Also on this site

July 25, 2020
shivraj.jpg
1min5690

મધ્યપ્રદેશમાં ધારાસભ્યો અને મંત્રીઓ પછી હવે આજરોજ તા.25મી જુલાઇએ બપોરે બાર વાગ્યા બાદ ખુદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહણ ટ્વીટ કરીને માહિતી જાહેર કરી હતી કે તેમનો પોતાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે.

ભારતમાં કોઇ મુખ્યમંત્રીને કોરોના થયો હોય તેવા શિવરાજ સિંહ દેશમાં પહેલા મુખ્યમંત્રી છે.

July 25, 2020
chardham.jpg
1min8130

પવિત્ર શ્રાણવ માસના આરંભ સાથે જ ભારતભરમાં ધાર્મિક તહેવારોની સીઝન શરૂ થઇ છે અ ે તેમાં પણ સોનામાં સુગંધ ભળે એમ ઉત્તરાખંડ રાજ્ય સરકારે પવિત્ર ચારધામ યાત્રા માટેના દરવાજા અનલૉક કરી દીધા છે.

ઉત્તરાખંડ સરકારે શ્રદ્ધાળુઓ માટે ઉત્તર કાશીના ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રિનાથ સ્થિત ચાર ધામના યાત્રાળુઓ માટે ખુલ્લી મૂકી દીધી છે. શરત એટલી જ છે કે યાત્રાએ જવા માંગતા દરેક શ્રદ્ધાળુએ ઉત્તરાખંડ આગમનના 72 કલાક અગાઉ કરવામાં આવેલા કોવિડ 19નો ટેસ્ટ નો નેગેટીવ રિપોર્ટ સાથે રાખવાનો રહેશે. કોરોના નેગેટીવ ટેસ્ટ સર્ટીફાઇડ વ્યક્તિઓને જ ચારધામ યાત્રા માટે ઓનલાઈન મંજૂરી મળી જશે.

ઉત્તરાખંડ રાજ્ય સરકારની શરત છે કે પહેલા 7 દિવસ હોટેલમાં કોરોન્ટાઇન રહેવું પડશે

ચારધામ દેવસ્થાનમ પ્રબંધન બોર્ડના સીઈઓ રવિનાથ રમણે કહ્યું કે શ્રદ્ધાળુએ ટેસ્ટ રિપોર્ટ પોતાની સાથે આવે ત્યારે લાવવાનો રહેશે. ઉત્તરાખંડમાં બહારથી આવતા શ્રદ્ધાળુઓ માટે આઈસીએમઆર દ્વારા અધિકૃત લેબમાંથી ટેસ્ટ કરાવવાનો રહેશે. યાત્રા દરમિયાન ફોટો આઈડી સાથે રાખવાનો રહેશે. જે શ્રદ્ધાળુ 72 કલાક પહેલા ટેસ્ટ નહીં કરાવે અને ચારધામ યાત્રા કરવા માંગતા હોય તેમને પ્રથમ 7 દિવસ પોતાના ખર્ચે હોટલમાં કોરેન્ટાઈન થવું પડશે ત્યારબાદ જ દર્શન થશે.


July 25, 2020
ats_gujarat.png
1min6440

તાપી જિલ્લાના વ્યારા ખાતેથી ગુજરાત ATS(એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડ)ની ટીમે વોન્ટેડ ત્રણ નક્સલીઓની ધરપકડ કરી છે. તેમની સામે આરોપ છે કે તેઓ આદિવાસી વિસ્તારમાં પથ્થરલગડી વિચારધારાનો પ્રચાર કરી હિંસક વાતાવરણ ઊભું કરી સરકાર ઉથલાવવા હિંસક ઉપાયો કરવાનું કાવતરું રચ્યું હતું.

આ અંગે ATS દ્વારા આપેલી માહિતી મુજબ ગુપ્ત ઈનપુટના આધારે નક્સલી સામુ ઓરેયા, બિરસા ઓરિયા, બબીતા કછપની તેમના વ્યારા ખાતેના ઘરેથી ધરપકડ કરવામાં આવી. જેઓ મુળ ઝારખંડના રહેવાસી છે હાલ વ્યારામાં રહેતા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી પ્રતિબંધિત સંગઠન કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાને લગતી પત્રિકા અને અને મુદ્રિત સામગ્રી મળી આવી હતી. આ ઉપરાંત તેમના મોબાઈલ અને લેપટોપમાં પણ આ પ્રકારની સામગ્રી મળી આવી હતી.

બિસરા ઓરેયા અને સામુ ઓરેયા સહિતના આરોપીઓ દ્વારા ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં સ્થાનિક સતીપતી સંપ્રદાયના અનુયાયીઓમાં પથ્થરલગડી વિચારધારાનો પ્રચાર કરવા માટે નાણાં એકત્રિત કર્યા હતા. તેઓ સ્થાનિકોને હાલની સરકાર સામે તિરસ્કાર ઉત્પન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પથ્થરલગડી આંદોલનની પદ્ધતિદ્વારા સ્થાનિક આદિવાસીઓમાં સરકાર વિરોધી હિંસક બળવાનું વાતાવરણ ઊભું કરી સરકારને ઉથલાવવા માટેનું કાવતરું ઘડી રહ્યા હતા. આ ત્રણેય આરોપીની ધરપકડ કરી તેમની સામે ભારતીય દંડ સહિતાની કલમ 121 A, 124 A, 153 A, અને 120 B મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

પથ્થલગડી ચળવળ ઝારખંડના ખૂંટી જિલ્લાના ઘણા ગામોમાં વર્ષ 2016ના અંતમાં ખૂબ કાર્યરત બની હતી. ઐતિહાસિક રીતે ‘પથ્થલગડી’ શબ્દ કોઈ મૃત વ્યક્તિની સમાધિ પર પથ્થર મૂકવાના આદિવાસી રીવાજમાંથી આવ્યો છે. આ પ્રથાને ધ્યાનમાં રાખીને ઝારખંડમાં આદિવાસી સમુદાયો મોટા પથ્થરો પર સંદેશા પ્રદર્શિત કરે છે. જેને સ્થાનિક રીતે પથ્થલગડી તરીકે ઓળખવામાં આવે છે. જો, કે, તેઓ તેમના ઉદ્દેશો માટે હિંસક અને ગેરકાયદેસર રીતે આ પ્રથાનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે ઝારખંડમાં હિંસાની વિવિધ ઘટનાઓ બની ચૂકી છે.

July 25, 2020
flag.jpg
1min5820

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે સ્વતંત્રતા દિવસ સાથે જોડાયેલી એડવાઇઝરી જાહેર કરી છે. આ બધા સરકારી ઑફિસ, રાજ્ય સરકાર અને રાજ્યપાલોને મોકલવામાં આવી છે. એડવાઇઝરીમાં સ્વતંત્રતા દિવસ પર સામુહિક આયોજનોથી બચવાની સલાહ આપવામાં આવે છે.

એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે આઝાદીનું પર્વ ઉજવવા માટે ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવે. હોમ મિનિસ્ટ્રીએ આ પ્રકારની એડવાઇઝરી દેશમાં કોરોના વાયરસને કારણે વધતાં સંક્રમણને ધ્યાનમાં જારી કરી હોવાનું જણાવ્યું છે.

આ રહી કેન્દ્ર સરકારની એડવાઇઝરી

એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે સંક્રમણના જોખમને જોતાં કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક, સેનિટાઇઝેશન જેવા ઉપાયોનો સ્વીકાર કરવો પડશે. ભીડ એકઠી ન થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હોમ અને હેલ્થ મિનિસ્ટ્રીની પહેલાથી જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે. વેબ કાસ્ટ દ્વારા સમારંભનું સીધું પ્રસારણ કરવામાં આવે.

રાજ્ય સરકારને સલાહ
રાજ્ય સરકારને સલાહ આપવામાં આવી છે કે કાર્યક્રમ માટે ડૉક્ટર્સ, બીજા હેલ્થ વર્કર્સ અને સફાઇ કર્મચારીઓને સન્માન આપવા માટે સમારંભમાં આમંત્રિત કરવા. એવો લોકો જેમણે કોરોનાને માત આપી છે, એટલે કે જે સંક્રમણ થયા પછી સ્વસ્થ થઈ ગયા છે, તેમને પણ સમારંભમાં બોલાવી શકાય છે.

July 25, 2020
ipl2020.jpg
1min5490

યૂએઇ (United Arab Emirates) માં રમાનાર આઇપીએલની 13મી સિઝન 19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને તેનો ફાઇનલ મુકાબલો તા.8 નવેમ્બરે રમાશે. આ જાણકારી ખૂદ આઇપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે તા.24 જુલાઇ 2020ના રોજ સાર્વજનિક કરી હતી.

આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક આવતા સપ્તાહે મળશે. જેમાં કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપીને મંજૂરી આપવામાં આવશે. જો કે બીસીસીઆઈ તમામ ફ્રેંચાઇઝીને સંભવિત કાર્યક્રમની જાણ કરી દીધી છે.

આઇપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે બેઠક તુરંતમાં મળશે, પણ અમે કાર્યક્રમ ઘડી કાઢયો છે. જે અનુસાર આઇપીએલ-2020નો પ્રારંભ યૂએઇમાં 19 સપ્ટેમ્બરથી થશે અને 8 નવેમ્બરે સમાપ્ત થશે. અમને સરકારને મંજૂરીની આશા છે. આ વખતે આઇપીએલ પ1 દિવસ સુધી રમાશે. પટેલે કહ્યંy કે કોવિડ-19 મહામારીના ખતરાથી બચવા માટે ગાઇડ લાઇન્સ તૈયાર કરવામાં આવી રહી છે. સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ આપવો કે ન આપવો તેનો અધિકાર અમીરાત (યૂએઇ) સરકારનો છે. અમે આ ફેંસલો તેમના પર છોડી દીધો છે. જો કે સામાજિક દૂરીનું ચુસ્ત પાલન કરવું પડશે.

યૂએઇમાં ત્રણ મેદાન ઉપલબ્ધ છે. દુબઇ, અબુધાબી અને શારજાહના સ્ટેડિયમ પર આઇપીએલના તમામ મેચ રમાશે. એવા પણ રિપોર્ટ છે કે ટીમોની કેમ્પ માટે આઇસીસીની એકેડેમીનું મેદાન બીસીસીઆઇ ભાડે લેશે. જેમાં બે મેદાન, 38 ટર્ફ પિચ, 6 ઇન્ડોર પિચ અને પ700 સ્ક્વેર ફૂટનું આઉટડોર કન્ડીશનિંગ ફિલ્ડ છે. જેમાં ફિઝિયોથેરાપી અને મેડિકલ સેન્ટર પણ છે.

દુબઇ સરકારના નિયમ અનુસાર જે કોઇ વિદેશીનો કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવે તો તેને ક્વોરન્ટાઇનમાં રહેવું પડતું નથી. આથી આઇપીએલ રમવા આવનાર તમામ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને આયોજન સાથે જોડાયેલા લોકો જો કોરોનાગ્રસ્ત નહીં હોય તો તેમને ક્વોરન્ટાઇન થવાની જરૂર પડશે નહીં.

પ્રત્યેક ટીમ એક મહિના પહેલા યૂએઇ પહોંચશે. એવું જાણવા મળે છે કે મોટાભાગની ટીમ તા.20 ઓગસ્ટ સુધી તેમના ખેલાડીઓને યૂએઇમાં બોલાવી લેશે અને કેમ્પ શરૂ કરશે. આથી તેમને ચાર સપ્તાહનો સમય મળશે.