CIA ALERT

Alert Archives - Page 238 of 518 - CIA Live

July 25, 2020
iphone11-1280x960.jpg
1min5940

કેન્દ્ર સરકારના મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ વિશ્વના લોકપ્રિય મોબાઇલ ફોન પૈકી એક Appleએ ચેન્નાઇ પાસે સ્થિત તેના પ્લાન્ટમાં ફ્લેગશિપ ફોન iPhone 11 બનાવવાનું શરુ કરુ દીધુ છે. Appleએ પહેલીવાર ભારતમાં ટોપ ઓફ ધ લાઇન મોડલ બનાવ્યુ છે. જેને ભારત માટે મેક ઇન ઇન્ડિયાની પહેલ હેઠળ મોટી સફળતા માનવામાં આવી રહી છે. 

જોકે તાજેતરમાં પડોસી દેશ ચીન સાથે વધેલા તણાવભર્યા સંબંધોમાં ભારતમાં ચાઇનીઝ પ્રોડક્ટનો બહિષ્કારની ઝુંબેશમાં ચીન માટે એપલના ટોપ મોડલનું ભારતમાં બનવુ અસહ્ય સાબિત થઇ શક છે. અહીં સુધી કે ભારતમાં બનેલા  iPhone 11 ને કંપની એક્સપોર્ટ કરવાનુ પણ વિચારી શકે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 

જોકે હાલમાં ભારતમાં ચીનમાં બનેલા iPhone 11 હેન્ડસેટ્સ વેચાઇ રહ્યા છે તેથી ભારતમાં iPhone 11  બનવા છતા તેના ભાવોમાં ખાસ ફરક પડશે નહીં, પરંતુ ભવિષ્યમાં તેના ભાવમાં ઘટાડો થવાની સંભાવના જરુર રહેલી છે. લોકલ પ્રોડક્સનથી Appleને 22 ટકા ઇમ્પોર્ટ ડ્યુટીનો ફાયદો થાય છે. બીજી તરફ કંપની બેંગ્લુરુ પાસે આવેલા Wistron પ્લાન્ટમાં નવા iPhone SEનું પ્રોડક્શન કરવા પર વિચારી રહી છે, આ પ્લાન્ટમાં iPhone SEના પહેલાના મોડલ બનતા આવ્યા છે. 

Appleના અન્ય એક કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચર Pegatronએ હાલમાં જ ભારતમાં એક સબ્સિડરી કંપનીની નોંધણી કરી છે. ભારતમાં મોંઘા ફોનમાં Appleના હેન્ડસેટ્સનો દબદબો રહ્યો છે. જોકે ઓલઓવર ઇન્ડિયાના સ્માર્ટફોન માર્કેટમાં ચીનની શાઓમીની ટક્કરમાં કોઇ કંપની આવી નથી. 

July 25, 2020
corona-gujarat.jpg
1min4800

ગુજરાતમાં સતત ચોથા દિવસે કોરોનાથી સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યા એક હજારથી વધુ જળવાઇ રહી છે. ચોવીસ કલાકમાં વધુ ૧૦૬૮ દર્દીઓ ચેપગ્રસ્ત હોવાનું સરકારે જાહેર કર્યું છે અને સારવાર હેઠળના ૨૮ દર્દીઓના મૃત્યુ થયા છે એમાં સૌથી વધારે ૧૨ સુરત શહેર અને જિલ્લાના દર્દીઓનો સમાવેશ થાય છે. સુરતમાં સતત વધતાં મૃત્યુ સાથે ફરીથી સંક્રમિત દર્દીઓનો આંક ૩૦૦ને પાર થઇ ૩૦૯ થયો છે એમાં જિલ્લામાંથી વિક્રમી ૯૩ દર્દીઓનો સમાવેશ થાય છે. આ સમયગાળામાં કુલ ૨૨૭ દર્દીઓ ડિસ્ચાર્જ પણ થયા છે.

અમદાવાદ મહાનગરમાં નવા ૧૬૧ દર્દીઓનો ઉમેરો થયો છે તો ૩ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. જ્યારે ૧૯૧ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જિલ્લાના દસક્રોઇ, ધંધૂકા, ધોળકા, બાવળા, વિરમગામ અને સાણંદમાંથી નવા પંદર કેસ મળ્યા છે. જિલ્લાના સારવાર હેઠળના ૧૪ દર્દી ડિસ્ચાર્જ થયા છે.

વડોદરા હવે ધીમે ધીમે દૈનિક એકસો દર્દી તરફ ગતિ કરી રહ્યું હોય તેમ મહાનગરમાંથી વધુ ૭૦ મળી કુલ ૯૨ દર્દીઓ સંક્રમિત થયાનું જાહેર કરાયું છે અલબત્ત, સારવાર હેઠળના મહાનગરના ૩ દર્દીઓના મૃત્યુ પણ સરકારે જાહેર કર્યા છે. આ જ રીતે રાજકોટ મહાનગરમાંથી નવા ૪૬ કેસ નોંધાયા છે અને જિલ્લામાંથી ૧૩ કેસ તેમજ એક દર્દીના મૃત્યુ નોંધાયું છે. ભાવનગર મહાનગરામાંથી ૨૧ મળી કુલ ૩૯ કેસ નોંધાયા છે તો જૂનાગઢમાં મહાનગરમાંથી ૧૭ સાથે કુલ ૨૮ કેસ ઉમેરાયા છે. જામનગરમાં મહાનગરના ૭ મળી કુલ ૧૨ કેસ નોંધાયા છે જ્યારે મહાનગરમાંથી એક દર્દીના મૃત્યુની જાહેરાત કરાઇ છે.

રાજ્યમાં કચ્છમાં ૩, મહેસાણા અને તાપી જિલ્લામાં એક એક દર્દીના મૃત્યુ કોવિડના સંક્રમણથી થયાનું હેલ્થ બુલેટિનમાં જાહેર કરાયું છે.

આ ઉપરાંત ભરૂચ જિલ્લામાંથી નવા ૩૦ દર્દીઓ સંક્રમિત સ્થિતિમાં શોધાયા છે તો અમરેલીમાંથી વધુ ૨૬, સુરેન્દ્રનગરમાં મુળી, ધ્રાંગધ્રા, પાટડી, સાયલા, વઢવાણમાંથી નવા ૨૫ કેસ નોંધાયા છે. સરહદી જિલ્લા કચ્છમાંથી વધુ ૨૨, પાટણ જિલ્લામાંથી ૨૦, ગીર સોમનાથ તથા નવસારીમાંથી ૧૯-૧૯ કેસ, દાહોદ અને વલસાડમાંથી ૧૮-૧૮ કેસ, આણંદ તથા તાપીમાં ૧૦-૧૦, નર્મદા અને સાબરકાંઠામાંથી ૯-૯ કેસ, બોટાદ, ખેડા, પંચમહાલમાંથી ૮-૮ કેસ, અરવલ્લીમાંથી ૭, મોરબીમાંથી ૬, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, મહીસાગર તેમજ પોરબંદરમાંથી વધુ ૨-૨ કેસ ઉમેરાયા છે.

આમ, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫૩,૬૩૧ કેસ નોંધાયા છે પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૮૭૨ દર્દીઓ ડિસ્ચાર્જ થતાં કુલ ૩૮૮૩૦ દર્દી રિવકર્ડ થયાં છે આમ, કુલ રિવકરી રેટ ૭૨.૪૦ ટકા સુધી પહોંચ્યો છે. જોકે, રાજ્યમાં ૨૨૮૩ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસ ૧૨૫૧૮ છે જ્યારે ૮૩ વેન્ટીલેટર ઉપર છે અને એમાંથી ૧૨૪૩૫ સ્ટેબલ છે.

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંક ઝડપથી વધી રહ્યો છે એની પાછળ રોજેરોજ થતાં ટેસ્ટની સંખ્યા તબક્કાવાર રીતે વધારીને સરેરાશ દૈનિક ૧૪થી ૧૫ હજાર કરવામાં આવી છે. ચોવીસ કલાકમાં ૧૪૫૯૫ ટેસ્ટ કરાયા છે એ સાથે કુલ આંક છ લાખને પાર થઇ ૬,૦૬,૭૧૮ થયો છે. આમ, પ્રતિ મિલિયન ૨૨૪.૫૩ ટેસ્ટ દૈનિક થઇ રહ્યા છે, તેમ દાવો કરાયો છે. સરકારે આજે સૌથી વધારે સંક્રમિત દસ રાજ્યોના એક દિવસમાં નોંધાયેલા નવા કેસ, એક્ટિવ કેસ અને કુલ કેસના આંકડા જાહેર કરી દાવો કર્યો છે કે આ ત્રણેય ફેક્ટરમાં ગુજરાત સૌથી નીચે છે. પ્રથમ ક્રમે મહારાષ્ટ્રમાં શુક્રવારે ૯૮૯૫ કેસ નોંધાયા છે જ્યારે એક્ટિવ કેસ ૧,૪૦,૩૯૫ છે જ્યારે કુલ કેસ ૩,૪૭,૫૦૨ છે. આ પછી આંધ્રપ્રદેશ, તામીલનાડુ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, તેલંગણા, ઓરિસ્સા છે. આ ક્રમ એક જ દિવસમાં આવેલા કેસને ધ્યાને લઇ જાહેર કરાયો છે. આ પરિપ્રેક્ષ્યમાં ગુજરાત દસમા ક્રમે રહે છે.

July 24, 2020
crpatil.jpg
1min36190

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ખરો રાજકીય નેતા એ ને કહેવાય કે જે લોકોની નાડ પારખીને ચાલે. ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રમુખ અને સુરતના કદાવર નેતા એ આજે પુરવાર કરી દીધું કે એ ખરા લોક નેતા છે. જ્યારથી સુરતમાં તેમના સન્માન માટે કાર રેલીની જાહેરાત થઇ ત્યારથી ગુજરાતના બુદ્ધીજીવી વર્ગથી લઇને ખુદ ભાજપમાં પણ કોવીડ-19 પેન્ડેમિકમાં સુરત જેવા હોટસ્પોટ શહેરમાં રેલી યોજવાની વિરોધમાં મત આપી રહ્યા હતા. જો રેલી યોજાઇ હોત અને એ પછી સુરતમાં કોરોના કેસો વધ્યા હોત તો દોષનો ટોપલો સી.આર. પાટીલના શિરે ઢોળાયો હોત. આમેય રેલી યોજીને જેટલું માન સન્માન મળવાનું હતું એ મળી ચૂક્યું હતું, છેલ્લી ઘડીએ રેલી રદ કરીને સી.આર. પાટીલ રેલી યોજવા કરતા વધુ માન ખાટી ગયા.

બાજીગર ફિલ્મના ડાયલોગની યાદ આવી ગઇ

कभी कभी कुछ जितने के लिए कुछ हारना पडता है और हार कर जितने वाले को बाजीगर कहेते है

લાખો રૂપિયાના ખર્ચાની સામે કોરોના કેસોની નાલેષીની વધુ કિંમત ચૂકવવી પડી હોત

બીજી તરફ સુરતમાં સીઆર પાટીલના આગમન માટે તડામાર તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી હતી. તેમના રેલી રૂટ માટે લાખો રૂપિયાના ખર્ચે ખાસ રથ તૈયાર કરવામાં આવ્યો હતો. રેલીના બબ્બે વખત રૂટ બદલવામાં આવ્યા હતા. અંદાજે એક લાખ માણસ કાર રેલીમાં જોડાય, સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરે એવું જડબેસલાક પ્લાનિંગ હતું.

તા.24મી જુલાઇએ બપોરે 2.25 કલાકે ખુદ સી.આર. પાટીલએ એવી જાહેરાત કરી કે વર્તમાન કોરોનાની પરિસ્થિતિને જોતા તેઓ પોતાના સન્માન માટે યોજાયેલી રેલી અને અભિવાદન કાર્યક્રમ રદ કરી રહ્યા છે.

રેલી યોજાઇ હોત તો કોરોનાના કેસોની નાલેષી મળી હોત

જો રેલી યોજવામાં આવી હોત તો હવે પછી સુરતમાં કોરોના કેસોની સંખ્યા માટે સીઆર પાટીલની રેલીને પર દોષારોપણ કરીને તેનો દોષનો ટોપલો સીઆર પાટીલના નામે નાલેષી સ્વરૂપે ઢોળાયો હોત. આ બધી બાબતોને ગંભીર ગણીને એ પ્રમાણે નિર્ણય લે એ ને જ ખરો લોક નેતા કહેવાય.

Read Also

July 24, 2020
real_cia-1-1280x1022.jpg
1min14910

સુરતના સરકારી તંત્રો ખાસ કરીને પોલીસ તંત્ર અને મહાનગરપાલિકા તંત્ર મોટા ધરમસંકટમાં મૂકાયા છે. આજરોજ તા.24મી જુલાઇએ ગુજરાત પ્રદેશ પ્રમુખ બન્યા પછી પહેલી વખત સુરત આવી રહેલા સી.આર. પાટીલને સત્કારવા માટે જે પ્રકારે વાલકથી ઉધના મગદલ્લા રોડ સુધીની કાર રેલી કાઢવામાં આવી છે. એ જ પ્રકારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પહેલી વખત સુરત આવી રહ્યા હોઇ તેમના સ્વાગત માટેની રેલી કાઢવાની પરવાનગી માગતી અરજી સ્થાનિક કોંગ્રેસી કોર્પોરેટર નિલેશ કુંભાણીએ કરી છે.

કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણીએ તા.23મી જુલાઇએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને સત્કારવા માટેની રેલીને મંજૂરી આપવા અંગેનો પત્ર સરથાણી પી.આઇ.ને લખ્યો છે. હવે પોલીસ તંત્ર શું કરશે એના પર તમામની નજર ઠરી છે.

કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણીએ તા.23મી જુલાઇએ હાર્દિક પટેલની રેલીને પરવાનગી માટે અરજી કરી

નિલેશ કુંભાણીની ફેસબુક વોલ પરથી લેવાયેલા ચિત્રમાં 2જી ઓગસ્ટે હાર્દિક પટેલની રેલીનું આયોજન થયાની માહિતી મળી

કોંગ્રેસના કોર્પોરેટરની ફેસબુક વોલ પરથી

https://www.facebook.com/photo?fbid=2365329893771975&set=pcb.2365330053771959
July 24, 2020
kavach_CR-1-1280x960.jpg
6min9490

રાજકીય રેલીની એસેસરીઝ બદલાઇ ખેસ અને ટોપીની જગ્યા માસ્ક એ લીધી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

અત્યાર સુધી રાજકીય નેતાઓ કે પાર્ટીઓની રેલીઓ યોજાઇ ત્યારે ત્યારે તેમના સિમ્બોલ ધરાવતા ખેસ કે ટોપીઓ જોવા મળતા, પણ હવે કોવીડ-19માં રાજકીય રેલીઓની એસેસરીઝમાં બદલાવ થયો છે.

આજે તા.24મી જુલાઇ એ દેશના કોરોના હોટસ્પોટ સિટી, કોરોનાગ્રસ્ત સુરત શહેરમાં કોરોના કાળ શરૂ થયા બાદ પહેલી જાહેર ઉજવણી થઇ રહી છે, અને આ જાહેર ઉજવણી ગુજરાત બીજેપી ચીફ બન્યા પછી પહેલી વખત સુરત આવી રહેલા સી.આર. પાટીલને સત્કારવા માટેની છે. ગુજરાત બીજેપી ચીફ બન્યા પછી સી.આર. પાટીલ હવે એક બ્રાન્ડ નેમ ફેમ બની ચૂક્યા છે.

તેમને સત્કારવા માટે કવચ હેલ્થકેર નામની કંપનીએ હાલ કોવીડ-19 પેન્ડેમિકમાં વિશ્વમાં જેનો સૌથી વધુ પ્રચાર થઇ રહ્યો છે એ ફેસ માસ્ક તૈયાર કયા છે.

કવચ હેલ્થકેર નામની કંપનીએ સી.આર. પાટીલના આગમન પૂર્વે ફેસમાસ્ક બજારમાં મૂક્યા

કવચ હેલ્થકેરના અમિત કનેરીયાએ કહ્યું

સુરતના કવચ હેલ્થકેર પ્રોડક્ટસના અમિત કનેરીયાની કંપની કવચ હેલ્થકેર પ્રોડ્ક્ટસએ ગુજરાત બીજેપી ચીફ બન્યા પછી પહેલી વખત સુરત આવી રહેલા સી.આર. પાટીલના આગમન રેલી માટે ખાસ ફેસમાસ્ક તૈયાર કર્યા

સુરતમાં કવચ હેલ્થકેર પ્રોડ્કટ્સના અમિત કનેરીયાએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું કે ગુજરાત ભાજપના પ્રમુખ પદે વરાયા પછી પહેલી વખત સી.આર. પાટીલ સુરત આવી રહ્યા છે અને તેના ઉપલક્ષમાં જ કંપનીને હાલ 300 જેટલા માસ્ક બનાવવાનો ઓર્ડર મળ્યો છે.

અમિત કનેરીયાએ કહ્યું કે આ ટુ લેયર કોટન બેઝ ફેબ્રિક માસ્ક છે. હાલમાં કોવીડ-19 પેન્ડેમિક સિચુએશનમાં માસ્ક પહેરવું અત્યંત જરૂરી છે ત્યારે કંપની દ્વારા કોરોના પ્રોટેકશન માટે આ પ્રકારના માર્ક સી.આર. પાટીલના પ્રદેશ પ્રમુખ બન્યા પછી પહેલી વખત આગમન રેલી માટે બનાવવામાં આવ્યા છે.

કંપનીઓ, સંસ્થાઓ પોતાની બ્રાન્ડ લોગો સાથે માસ્ક બનાવવા સંપર્ક કરે

કવચ હેલ્થકેર પ્રોડક્ટસના અમિત કનેરીયાએ જણાવ્યું કે તેઓ કોઇપણ સંસ્થા કે કંપની માટે તેમના નામ, લોગો, ડિઝાઇન અનુસાર ટુ લેયર, થ્રી લેયર ફેસ્કમાસ્ક તૈયાર કરી આપે છે. કોઇપણ સંસ્થા કે કંપની તેમનો સંપર્ક કરી શકે છે.

કવચ હેલ્થકેરની ફેસબુક પોસ્ટ

Our team prepared a Customized Mask for welcoming the New President of @bjp4gujarat, Shri C.R. Patil (@…

Kavach Healthcare Products यांनी वर पोस्ट केले गुरुवार, २३ जुलै, २०२०

કવચ હેલ્થકેરે ફેસબુક પોસ્ટમાં આ રીતે લખ્યું છે

Our team prepared a Customized Mask for welcoming the New President of @bjp4gujarat, Shri C.R. Patil (@crpaatil).

Welcome home sir!
We are proud of your achievements, keep making Surat proud with your incredible work.
#customizedmask#crpatil#bjp4gujarat#bjp4india#bjp#newpresident#surat#suratcity#suratlove#surti#kavachhealthcareproducts

July 24, 2020
1min6320

વિશ્વમાં હાલ અનેક દેશો કોરોનાની દવાઓ તેમજ વેક્સીન બનાવવાની તૈયારીમાં વ્યસ્ત છે. આ રેસમાં સૌથી ફ્રન્ટ રનર અને વિશ્વનસનીય વેક્સીન અત્યાર સુધીમાં યુ.કે.ના ઓક્સફર્ડના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સીન માનવામાં આવે છે. ભારતમાં ઓક્સફોર્ડે આ વેક્સીન ઉત્પાદન માટે એસઆઈઆઈની પસંદગી કરી છે જે વેક્સીનને લઈને અંતિમ મંજૂરી મળતા પહેલા તેનું ફિલ્ડ ટ્રાયલ કરશે.

ઓક્સફોર્ડની કોરોના વેક્સીન વૈશ્વિક ધોરણે બે વખત હ્યુમન ટ્રાયલ થઇ ચૂકી છે અને હવે ભારતમાં ટ્રાયલ શરૂ થવાની છે. આગામી ઓગસ્ટના અંતમાં કોરોનાથી સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત મહારાષ્ટ્રના મુંબઈ અને પુણેમાં આ વેક્સીનનું હ્યુમન ટેસ્ટિંગ કરવામાં આવશે. જે માટે આ બંને શહેરોના હોટસ્પોટમાંથી 4,000થી 5,000 વોલેન્ટિયર્સની પસંદગી કરવામાં આવશે.

આ માટે મુંબઈ અને પુણેના હોટસ્પોટમાંથી અંદાજીત 5,000 લોકોની પસંદગી કરવામાં આવી રહી છે. વેક્સીનના સ્થાનિક ઉત્પાદક SSIએ આશા વ્યક્ત કરી છે કે જો બધુ બરાબર રહેશે તો આગામી વર્ષે જૂન સુધી વેક્સીન લોન્ચ કરી દેવામાં આવશે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ તૈયાર કરેલી કોરોના વેક્સીનને વૈશ્વિક રીતે એટલા માટે વિશ્વાસપાત્ર માનવામાં આવે છે કેમકે અત્યાર સુધીના હ્યુમન ટ્રાયલ તેમજ વેક્સીનના ટેસ્ટના પરિણામો સંતોષજનક મળી રહ્યા છે અને હવે યુકેમાં તેને મોટા પાયે શરૂ કરી દેવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના મુંબઇ અને પૂણે એ બે શહેરોની જ ટ્રાયલ માટે પસંદગી એટલા માટે કરવામાં આવી છે કે ભારતના એ બે શહેરો મુખ્ય શહેરો છે અને એટલું જ નહીં કોરોનાના મોટા એક્ટીવ હોટસ્પોટ છે. સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં અડધાથી વધારે આ બંને શહેરોમાં છે.

એસઆઈઆઈના સીઈઓ અદાર પુનાવાલાએ કહ્યું છે કે, મુંબઈ અને પુણેમાં વેક્સીન ટ્રાયલ માટે અમે ઘણી જગ્યાઓ શોર્ટલિસ્ટ કરી છે. આ શહેરોમાં કોરોનાના સૌથી વધારે હોટસ્પોટ છે. જેનાથી અમને વેક્સીનની અસરનું આકલન કરવામાં મદદ મળશે.

એસઆઈઆઈના સીઈઓ અદાર પુનાવાલાએ કહ્યું છે કે મંજૂરી મળ્યા બાદ ભારતમાં વેક્સીનના ફેઝ-3 ટ્રાયલ ઓગસ્ટમાં શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું છે કે કંપની ટ્રાયલ શરૂ કરવા માટે બે દિવસની અંદર દવા મહાનિયંત્રક પાસે લાઈસન્સ માટે અરજી કરશે. ત્યાંથી એકથી બે સપ્તાહમાં અમને મંજૂરી મળી જશે તેવી આશા છે. ત્યારપછી વોલેન્ટિયર્સને હોસ્પિટલ લાવવામાં ત્રણ સપ્તાહ લાગશે. આમ એકથી દોઢ મહિનામાં ટ્રાયલ શરૂ થવાની આશા છે.

અદાર પુનાવાલાના પિતા અને કંપનીના ચેરમેન સાઈરસ પુનાવાલાએ કહ્યું છે કે એસઆઈઆઈ ભારતમાં 1,000 પ્રતિ વેક્સીન કે તેનાથી ઓછા રૂપિયામાં વેચવાનો લક્ષ્યાંક છે. જો શરૂઆતની ટ્રાયલ સફળ રહેશે તો કંપની વર્ષના અંત સુધી 30થી 40 કરોડ ડોઝ તૈયાર કરી લેશે. તેમણે જણાવ્યું હતું કે એસ્ટ્રાજેનેકા સાથે જે કરાર થયો છે તે મુજબ એસઆઈઆઈ ભારત અને 70 બીજા મિડલ ઈનકમ ધરાવતા દેશો માટે 1 અબજ વેક્સીન ડોઝ બનાવી શકે છે.

સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની છે. કંપની પ્રત્યેક વર્ષે 1.5 અબજ વેક્સીન ડોઝ તૈયાર કરે છે જેમાં પોલિયોથી લઈને મીજલ્સ સુધીની વેક્સીન સામેલ છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાએ આ ભારતીય કંપનીને કોવિડ-19 વેક્સીન બનાવવા માટે પસંદ કરી છે. પુણેની આ કંપનીએ પહેલા કહ્યું હતું કે તે અંતિમ આદેશ મળ્યા પહેલા જ વેક્સીન બનાવવાનું શરૂ કરી દેશે જેથી જ્યાં સુધી તમામ મંજૂરીઓ મળી જાય ત્યાં સુધી સારા એવા પ્રમાણમાં વેક્સીન તૈયાર થઈ શકે.

July 24, 2020
adm_guide-1280x874.jpg
1min10000

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નોલોજી (એનઆઈટી) જેઈઈ ઍડવાન્સ (જૉઈન્ટ ઍન્ટ્રન્સ ઍક્ઝામ-ઍડવાન્સ)ના આધારે વિદ્યાર્થીઓને ઍડમિશન આપશે અને વિદ્યાર્થીઓએ બારમા ધોરણમાં માત્ર પાસ થવાની જ જરૂર હશે. કોરોના વાઈરસને કારણે ફાટી નીકળેલી મહામારી વચ્ચે સેન્ટ્રલ સીટ ઍલોકેશન બૉર્ડ (સીએસએબી)એ ગુરુવારે એનઆઈટી તેમ જ સેન્ટ્રલી ફંડેડ ટૅક્નિકલ ઈન્સ્ટિટ્યૂટ (સીએફટીઆઈ)માં ઍડમિશન માટેના નિયમો હળવાં કર્યાં હતાં.

મેરીટની ગણતરી યથાવત IITs માટે એડવાન્સ્ડ અને NITs, IIITs મેઇન્સના માર્કસના આધારે પ્રવેશ

એનઆઈટી સ્નાતક ન થયેલા વિદ્યાર્થીઓને જેઈઈ ઍડવાન્સના માર્ક્સને આધારે ઍડમિશન આપશે અને બારમા ધોરણમાં મેળવેલા માર્ક્સ ગણતરીમાં નહીં લે એમ જણાવતાં માનવસંસાધન અને વિકાસ ખાતાએ ગુરુવારે કહ્યું હતું કે વિદ્યાર્થી બારમા ધોરણમાં પાસ થયેલો હશે એ બાબત ઍડમિશન માટે પૂરતી હશે.

જેઈઈ મૅઈન ૨૦૨૦માં પાત્ર ઠરેલા ઉમેદવારે હવે માત્ર બારમા ધોરણનું પાસિંગ સર્ટિફિકેટ મેળવેલું હોય તે જરૂરી હશે, એમ માનવસંસાધન અને વિકાસ ખાતાના પ્રધાન ડૉ. રમેશ પોખરિયાલે કહ્યું હતું.

અગાઉ, એનઆઈટીમાં ઍડમિશન માટે વિદ્યાર્થીએ જેઈઈ-ઍડવાન્સમાં કરેલા દેખાવની સાથે સાથે બૉર્ડની પરીક્ષામાં તેણે ૭૫ કે તેથી વધુ ટકા મેળવ્યા હોય કે પછી જે તે બૉર્ડમાં ટોચના ૨૦ પર્સન્ટાઈલમાં સ્થાન મેળવ્યું હોય તે જરૂરી હતું.

અગાઉ, ઈન્ડિયન ઈન્સ્ટિીટ્યૂટ ઑફ ટૅક્નોલોજી (આઈઆઈટી)એ પણ કહ્યું હતું કે જેઈઈ-ઍડવાન્સમાં કરેલા દેખાવને આધારે તેઓ વિદ્યાર્થીઓને ઍડમિશન આપશે. આ વરસે આઈઆઈટીમાં ઍડમિશન મેળવવા માટે બારમા ધોરણના માર્ક્સ જરૂરી નહીં હોય, એમ તેમણે કહ્યું હતું.

કોરોનાને કારણે અનેક બૉર્ડની બારમા ધોરણની અમુક પરીક્ષાઓ રદ થઈ હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

July 24, 2020
2min5470

તા.23 જુલાઇના ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાંથી મળેલા કોરોના કેસોની સંખ્યા

  • રાજકોટ શહેરમાં 4પ,
  • સુરેન્દ્રનગરમાં 31,
  • ભાવનગરમાં 39,
  • બોટાદમાં 7,
  • જામનગરમાં 3ર,
  • દીવમાં 4,
  • જૂનાગઢમાં 43 સહિત
  • કુલ 249 કેસ સામે આવ્યા છે. રાજકોટમાં એક જ પરિવારના છ સભ્યો, પીડીયુ મેડિકલ કોલેજના ડોક્ટર પણ કોરોનાગ્રસ્ત જાહેર થયા છે. મોરબીમાં પોલીસ જવાન સહિત બેના મૃત્યુ થયા છે.

રાજકોટની સ્થિતિ

રાજકોટ શહેરમાં 6 માસના બાળકથી માંડી 89 વર્ષના વૃધ્ધ આજે કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. ભક્તિનગર પાર્ક રેલનગરમાં 6 માસનો બાળક અને કરણપાર્ક એસ્ટ્રોન સોસાયટીમાં 89 વર્ષના વડિલ મોહનભાઈ ભૂવા તેમજ તેમના પરિવારના પાંચ મળી કુલ છ સભ્યો કોરોનાગ્રસ્ત થયા છે. સરકારી હોસ્પિટલના ર7 વર્ષના ડોક્ટર નીતિન રામાવત પણ ચેપગ્રસ્ત થયા છે.’ શહેરમાં કોરોનાનો જ્યાંથી પગપેસારો થયો હતો તે જંગલેશ્વર, દૂધસાગર રોડ, રેલનગર, દોશી હોસ્પિટલ રોડ, બજરંગવાડી, રામાપીર ચોકડી, રૈયા રોડ, સંતકબીર રોડ એમ મોટાભાગના વિસ્તારોમાં આજે કોરોનાના કેસ નોંધાયા છે. શહેરના 4પ ઉપરાંત જિલ્લામાં 1પ મળી વધુ 60 કેસ થયા છે.
ધોરાજીમાં આજે જમનાવડ રોડ, સ્વામિનારાયણ મંદિર પાસે, બહારપુરા વિસ્તાર, જામકંડોરણા રોડ, માતાવાડી, રંગારી મહોલ્લા વગેરે વિસ્તારમાં એક સાથે 8 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. અહીંયા કુલ કેસ 118 થયા છે.

સુરેન્દ્રનગરની સ્થિતિ

સુરેન્દ્રનગર જિલ્લામાં નવા 31 સાથે કુલ 630 કેસ થયા છે. સુરેન્દ્રનગરના સાજા થયેલા દર્દીઓએ જણાવ્યું હતું કે અમારી સારવાર સરકારે મફત કરી છે. લોકો અમારી નજીક આવતા નથી. અમને સ્નેહની જરૂર છે. પાટડી પંથકમાં મુકબધિર દંપતી જયદીપભાઈ અને શીલ્પીબેન ગજ્જર રહે છે. આ સગર્ભા મહિલા અમદાવાદથી આવ્યા બાદ કોરોનાગ્રસ્ત થયા હતા. તેઓ સાજા થતાં તેમને રજા અપાઈ હતી.

ભાવનગરની સ્થિતિ

ભાવનગર શહેરમાં ર3 અને અધેવાડા, ગારિયાધાર, રાતોલ, ઘોઘાના વાળુકડ, વાઘનગર, મોટી વડાળ, મેઢા, ચોરવડલા, મેવાસા, નાના સુરકા, ઉમળાળા વગેરે ગામોમાં કુલ 16 મળી એક જ દિવસમાં નવા 39 કેસ થયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 1093 થઈ છે. આજે એક દર્દીનું’ મૃત્યુ થયું હતું.

મોરબીની સ્થિતિ

મોરબીમાં પંચાસર રોડ ઉમિયા સોસાયટી, સામાકાંઠે આનંદ નગર, મયુર નગર રોડ, કાયાજી પ્લોટ, ટંકારાના ગજડી ગામ મળી વધુ 6 કેસ થયા છે. જ્યારે મોરબીના પોલીસ લાઈનમાં રહેતા પોલીસ જવાન સલીમભાઈ મકરાણી અને પારેખ શેરીમાં મંજુલાબેન આડેસરા નામના વૃધ્ધાનું મૃત્યુ થયું હતું.

જામનગરની સ્થિતિ

જામનગરમાં રાફડો ફાટયો હોય તેમ શહેરમાં રર સહિત 3ર કેસ નોંધાયા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. શહેરમાં સાધના કોલોની, દિગ્વિજય પ્લોટ, હાપા વેલનાથ સોસાયટી, મહાવીર સોસાયટી, શરૂ સેક્શન, ગોકુલનગર, પંચવટી, નવાગામ ઘેડ, આરબ જમાતખાના પાસે, આર્યસમાજ પાસે, કાલાવડ જકાતનાકા બહાર વગેરે વિસ્તાર ઉપરાંત વાંસજાળિયા, નંદાણા, વસંતપુર, મોટી માટલી, ધ્રોલ, જોડિયાના માધાપર,’ સિક્કા વગેરે મળી 3ર કેસ થયા છે. જેમાં પ0 વર્ષથી ઓછી વયના 13 અને વધુ વયના 19 દર્દી છે. જ્યારે શંકરટેકરી નાગેશ્વર મંદિર પાસે 4પ વર્ષના દર્દીનું મૃત્યુ થયું હતું. જામકંડોરણાના કુંભારવાડામાં હાટકેશ્વર મંદિર પાસે 60 વર્ષના વૃધ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

પોરબંદરની સ્થિતિ

પોરબંદર જિલ્લામાં રામધુન મંદિર નજીક મહારાજ બાગમાં અને બિરલા રોડ પર સિગ્મા સ્કૂલ પાસે એમ બે કેસ નોંધાયા છે. કોરોના હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ અને કાપડના વેપારી પોઝિટિવ જાહેર થયા છે. વેપારીના ભત્રીજાને બે દિવસ પહેલાં કોરોના થયો છે. કોડિનારના ગ્રામ્ય વિસ્તાર ગીર દેવળી અને નવાગામ ખાતે કુલ બે પુરૂષ દર્દી કોરોનાગ્રસ્ત થયા છે. તળાજાના ત્રાપજ અને બેલા, બપાસરા, બોરલા, ઘાટરવાળા વગેરે ગામોમાં કુલ 8 કેસ થયા છે. ગામડામાં સંક્રમણ અટકાવવા પ્રયાસ થઈ રહ્યા છે. પીપરલા ગામના આગેવાનોએ દુકાનોની સમય મર્યાદા, મંદિરો બંધ, માસ્ક ફરજિયાત વગેરે નિયમો કર્યા છે. તળાજા ટીડીઓએ સરપંચનોને કોરોના સંદર્ભે પગલાં લેવા પત્રથી જાણ કરી છે.

બોટાદની સ્થિતિ

બોટાદમાં ભાભણ રોડ, યોગીનગર, ગોપીનાથ સોસાયટી, ગોપાલનગર, આનંદધામ સોસાયટી, સતવારા શેરી અને માંડવા ગઢડા ખાતે વધુ 7 કેસ થયા છે. તાલાલા પંથકમાં હડમતિયા, આંકોલવાડી, આંકોલવાડી ગીર, સુરવા ગીર, બોરવાવ ગીર વગેરે મળી વધુ 6 કેસ થયા છે. દીવમાં એક પોલીસ સહિત ત્રણ સરકારી કર્મચારી અને ઘોઘલાનો એક મળી કુલ ચાર નવા કેસ થયા છે.

જૂનાગઢની સ્થિતિ

જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલ સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા ર4 વર્ષ અને ર7 વર્ષના પુરૂષ સહિત વધુ 31 સંક્રમિત થયા છે.ઉપરાંત ભેસાણ, મેંદરડા, વિસાવદર, વંથલી, માણાવદર વગેરે મળી કુલ 43 કેસ થયા છે. આજે એક કોરોનાગ્રસ્ત વૃધ્ધનું મૃત્યુ થયું છે. અમરેલીમાં વૃંદાવન પાર્કમાં, લીલિયાના પાંચતલાવડા ગામે બે મળી વધુ 3 કેસ થયા છે.

ગીરસોમનાથની સ્થિતિ

ગીર સોમનાથમાં સરેરાશ કાયમી આવતા કેસોના અઢી ગણા, રેકર્ડ બ્રેક 49 કેસથી હાહાકાર મચી ગયો છે. જેમાં વેરાવળમાં 9, ઉના શહેરમાં 6, સુત્રાપાડા, તાલાલા પંથક, કોડિનાર પંથકના ગામોમાં વાયરસ પ્રસર્યો છે. જ્યારે ઉનાના દેલવાડાના 4પ વર્ષના પુરૂષનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આજે થાનગઢમાં કોવિડ 19ના 11 કેસ થયા છે જે પૈકી સાત નગરપાલિકાનાં કર્મચારી છે જેમાં મુખ્ય અધિકારી ચીફ ઓફીસર ચેતનભાઈ મનજીભાઈ જેપાલ, અન્સુમાનસિંહ ગોહિલ, વોટર વર્કસમાં ફરજ બજાવતા જીતેશ ગૌસ્વામી, પ્યુન શૈલેષ ઉર્ફે રાજુભાઈ ચૌહાણ, બે કોમ્પ્યુટર ઓપરેટર, વેરા વસુલાતની ફરજ બજાવનાર દિપેશ વ્યાસ તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં જવાહર સોસાયટીમાં જય અંબે સોસાયટી જુનાવાસ વગેરેમાં કોરોના કેસ થયા છે. ચોટીલામાં અલમદિના પાર્કમાં રહેતા પુરૂષને પોઝિટિવ આવતા ચોટીલા શહેરનો આંક પાંચ ઉપર પહોંચેલ છે.

July 24, 2020
england_vs_westindies-1.jpg
1min6090

કોરોના મહામારી વચ્ચે યજમાન ઇંગ્લેન્ડ અને પ્રવાસી ટીમ વચ્ચે ત્રણ ટેસ્ટની શ્રેણી આઇસીસીના નવા નિયમ સાથે રમાઈ રહી છે. આ શ્રેણીનો ત્રીજો અને નિર્ણાયક ટેસ્ટ મેચ આવતીકાલ શુક્રવારથી ફરી વાર ઓલ્ડ ટ્રેફર્ડના ખાલી સ્ટેડિયમમાં રમાશે. હાલ બન્ને ટીમ 1-1ની બરાબરી પર છે. આથી આ મુકાબલો ફાઇનલ બની રહેશે. આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપ અંતર્ગત રમાઈ રહેલ આ શ્રેણીના પહેલા મેચમાં વિન્ડિઝનો અને બીજા મેચમાં ઇંગ્લેન્ડનો વિજય થયો હતો. શુક્રવારથી શરૂ થનાર ત્રીજો ટેસ્ટ મેચનું જીવંત પ્રસારણ ભારતીય સમય અનુસાર બપોરે 3-30થી સોની સ્પોર્ટ્સ ચેનલ પરથી થશે.

નિર્ણાયક ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની ટીમમાં અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસનની વાપસી નિશ્ચિત માનવામાં આવે છે. જોફ્રા આર્ચરનું રમવું અનિશ્ચિત છે. બાયો સિક્યોરિટી પ્રોટોકોલના ભંગ સબબ તે બીજા ટેસ્ટની બહાર થયો હતો અને પાંચ દિવસ માટે ક્વોરન્ટાઇન થયો હતો. તેને કદાચ ત્રીજા ટેસ્ટમાં પણ વિશ્રામ મળી શકે છે. જો આર્ચરને ટીમમાં સમાવેશ કરાશે તો ઓલી પોપને બહાર બેસવું પડશે જ્યારે વિન્ડિઝની ટીમમાં યુવા ઝડપી બોલર અલજારી જોસેફના સ્થાને રેયમન રેઇફરને તક મળી શકે છે. તેણે પ્રેક્ટિસ મેચમાં પ વિકેટ લીધી હતી.

ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 1પ9 ટેસ્ટ મેચ રમાયા છે. જેમાં ઇંગ્લેન્ડનો પ0માં અને વેસ્ટ ઇન્ડિઝનો પ8માં વિજય નોંધાયો છે. પ1 મેચ ડ્રો રહ્યા છે. ઇંગ્લેન્ડની ધરતી પર બન્ને ટીમની ટક્કર 88 મેચમાં થઈ છે. જેમાં ગૃહ ટીમનો 3પમાં અને વિન્ડિઝનો 31માં વિજય થયો છે. 22 ટેસ્ટ ડ્રો રહ્યા છે.

આવતીકાલથી શરૂ થતાં ત્રીજા ટેસ્ટમાં વરસાદના વિઘ્નની શક્યતા છે. પહેલા બન્ને ટેસ્ટમાં વરસાદને લીધે એક-એક દિવસ ધોવાઈ ગયા હતા. માંચેસ્ટરમાં મેચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. આથી બન્ને ટીમના ઝડપી બોલરોને ફાયદો મળશે. ઇંગ્લેન્ડને ફરી એકવાર તેના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ પાસે વધુ એક વિજયી પ્રદર્શનની આશા રહેશે. ઇંગ્લેન્ડ અને વિન્ડિઝ ટીમની ચિંતા ટોપ ઓર્ડરના બેટ્સમેનોના નબળા દેખાવની છે. આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલ પર ઇંગ્લેન્ડ 11 મેચમાં 6 જીત સાથે 186 પોઇન્ટ ધરાવે છે અને ત્રીજા સ્થાને છે જ્યારે વેસ્ટ ઇન્ડિઝે વર્તમાન શ્રેણીનો પહેલો મેચ જીતીને 40 પોઇન્ટ સાથે ખાતું ખોલાવ્યું હતું. તે 3 મેચમાં 1 જીત સાથે સાતમા સ્થાને છે.

July 24, 2020
amitabh-bachchan-denies-covid-19-negative-1280x718.jpeg
1min5260

બોલિવૂડના શહેનશાહ તરીકે પ્રખ્યાત એવા અમિતાભ બચ્ચન, તેમના પુત્ર અભિષેક બચ્ચન, પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યા બચ્ચન કોરોના વાયરસની અડફેટે આવી ચૂક્યા છે. બચ્ચન પરિવારના આ ચારેય સભ્યો અત્યારે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ દરમિયાન તાજેતરમાં જ એવી વાત વહેતી થઈ હતી કે બીગ બીનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જેને તેઓએ ખોટી ગણાવી છે.

તાજેતરમાં જ સોશિયલ મીડિયા અને તમામ ન્યૂઝ ચેનલ્સ પર આવી રહ્યું હતું કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને ટૂંક સમયમાં જ સમયમાં જ રજા આપવામાં આવશે. અમિતાભે ટ્વીટ કરીને આ વાતને ખોટી ગણાવી છે. તેમણે એક ન્યૂઝ ચેનલના ન્યૂઝને શેર કરીને લખ્યું કે આ એકદમ ખોટા, ગેરજવાબદાર અને પાયાવિહોણા સમાચાર છે !!