CIA ALERT

Alert Archives - Page 211 of 511 - CIA Live

October 24, 2020
mbbs.jpg
4min11500

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નીટ-2020નું પરીણામ જાહેર થયા બાદ સૌથી પહેલા એડમિશન પ્રક્રિયા 15 ટકા નેશનલ ક્વોટાની બેઠકો માટે www.mcc.nic.in વેબસાઇટ પર હાથ ધરવામાં આવી છે. 15 ટકા નેશનલ ક્વોટામાં સમગ્ર દેશમાં આવેલી મેડીકલ અને ડેન્ટલ કોલેજોની 15 ટકા સીટો ઉપરાંત અનેક સેન્ટ્રલ યુનિવર્સિટીઓ સંચાલિત મેડીકલ કોલેજો, દેશની તમામ એઇમ્સ, ઇએસઆઇસી મેડીકલ કોલેજ વગેરેમાં પ્રવેશ આપવામાં આવે છે. આથી નીટ-2020માં હાઇસ્કોર ધરાવતા વિદ્યાર્થીઓએ 15 ટકા નેશનલ ક્વોટામાં રજિસ્ટ્રેશન કરાવવાની તકને નજરઅંદાજ કરવી ન જોઇએ.

15 ટકા નેશનલ ક્વોટામાં આટલી બેઠકો સમાવિષ્ટ

AIQ includes: (All India Quota)

  • i) 15% MBBS/ BDS Seats of States
  • ii) 100% MBBS/ BDS Seats of BHU
  • iii) 100% MBBS Seats of AIIMS across India
  • iv) All India Quota of JIPMER (Puducherry/ Karaikal)
  • v) All India Quota seats of AMU/ DU/ VMMC/ ABVIMS
  • vi) All India Quota Seats of Faculty of Dentistry (Jamia Milia Islamia)
  • vii)All India Quota Seats of ESIC

આ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન www.mcc.nic.in/UGCounselling/

15 ટકા નેશનલ ક્વોટા માટેની પ્રવેશ કાર્યવાહીનું સમયપત્રક

NEET UG 2020 Counselling Schedule (Round 1)

EventDate
Registration/Payment &
Choice Filling
27.10.2020 to 02.11.2020
Choice Filling/ Locking28.10.2020 to 02.11.2020
Processing of Seat Allotment03.11.2020 to 04.11.2020
Result05.11.2020
Reporting06.11.2020 to 12.11.2020

MCC CALL CENTRE : Phone No. : 0120-4073500
TOLL FREE NUMBER : 1800 102 7637


Please contact the above numbers for Queries related to Counseling.
Please note that all queries will be answered during Call centre timings
only i.e 9:00 AM to 8:30 PM

MCC : Emails

 E-mail : adgme@nic.in (Only for Administrative Queries)
 E-mail : financemcc2019@lifecarehll.com (Only for Queries regarding
Finance / Accounts / Refund related matters of online counselling NEET UG)
Note: All the emails must be sent to the respective email IDs for
respective queries / grievances only and any email sent to any other email
ID other than the concerned email IDs would not be considered in any
case. Also, mails will be answered during office hours only i.e 10:00 AM
to 6:00 PM.

October 24, 2020
Data-Protection-Bill-of-India-2018.jpg
1min5260

ઍમેઝોન, ગૂગલ, પૅટીએમ, ફેસબુકના ઉચ્ચ અધિકારીઓને ડેટા પ્રૉટેક્શન બિલને લગતી જૉઇન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી) સમક્ષ હાજર થવાનો આદેશ અપાયા બાદ ઍમેઝોને ૨૮મી ઑક્ટોબરે હાજર થવાનો ઇનકાર કર્યો હતો.

ગૂગલ અને પૅટીએમના ઉચ્ચ અધિકારીઓને ૨૯મી ઑક્ટોબરે તેમ જ ટ્વિટરના અધિકારીઓને ૨૮મીએ બોલાવાયા છે, જ્યારે ફેસબુકના અધિકારી શુક્રવારે આ સમિતિ સમક્ષ હાજર થયા હતા. ઇ-કૉમર્સ ક્ષેત્રની માતબર કંપની ઍમેઝોને સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ હાજર થવાની ના પાડીને વિશેષાધિકારનો ભંગ કર્યો હોવાનું પૅનલનાં અધ્યક્ષા અને ભાજપનાં સંસદસભ્ય મિનાક્ષી લેખીએ શુક્રવારે કહ્યું હતું.

તેમણે પીટીઆઇને કહ્યું હતું કે ‘ઍમેઝોન વિરુદ્ધ સખત પગલાં ભરવા સરકારને સૂચન થઈ શકે એવું કમિટીનો સર્વાનુમત અભિપ્રાય છે.’

દરમિયાન, ફેસબુકના પૉલિસી-હેડ અંખી દાસ શુક્રવારે ડેટા સિક્યૉરિટીના મુદ્દે કમિટી સમક્ષ હાજર થયા હતા. તેમને પૅનલના મેમ્બરો દ્વારા ડેટા સુરક્ષાના મુદ્દે કેટલાક આકરા અને તપાસમાં કડીરૂપ સાબિત થઈ શકે એવા સવાલો પૂછવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અંખી દાસની લગભગ બે કલાક સુધી પૂછપરછ કરાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ તેમને એવું પણ પૂછાયું હતું કે તેમની કંપની કેટલો હિસ્સો યુઝર્સના ડેટા પ્રૉટેક્શન માટે ખર્ચ કરે છે અને કેટલો કરવેરો ભરે છે?

મિટિંગ દરમિયાન એક મેમ્બરે ફેસબુકના મુદ્દે સૂચવ્યું હતું કે ‘સોશિયલ મીડિયાની આ માતબર કંપની પોતાના ઍડવર્ટાઇઝરોના વ્યાપારલક્ષી ફાયદા માટે પોતાના વપરાશકારોના ડેટામાંથી અનુમાનો મેળવી ન શકે.

પૅનલે માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરના ઉચ્ચ અધિકારીઓને ૨૮મી ઑક્ટોબરે બોલાવ્યા છે, જ્યારે ગૂગલ તથા પૅટીએમના અધિકારીઓએ ૨૯મી ઑક્ટોબરે આવવાનું રહેશે.

દરમિયાન, વૉશિંગ્ટનથી મળતા એપીના અહેવાલ મુજબ અમેરિકામાં રિપબ્લિકન સેનેટરોના અંકુશ હેઠળની સેનેટ જ્યુડિશિયરી કમિટીએ ફેસબુક તથા ટ્વિટરના સીઇઓને જીઓપી (ગ્રૅન્ડ ઑલ્ડ પાર્ટી) સમક્ષ આક્ષેપો ખોટા હોવાના પુરાવા આપવા બોલાવ્યા છે.

October 24, 2020
pm_modi.jpg
1min5400

કિસાન સૂર્યોદય યોજના

કિસાન સૂર્યોદય યોજનાનું ઈ લોકાર્પણ પણ આજે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત જૂનાગઢ, દાહોદ, ગીર સોમનાથ અને પાટણ જિલ્લાના 1000થી વધુ ગામડાને આવરી લેવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યના 17.25 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સવારના 5થી રાત્રીના 9 વાગ્યા સુધી વીજળી આપવામાં આવશે. માળખાકીય સુવિધા ઉભું કરવા માટે આગામી 3 વર્ષ માટે રૂપિયા 3500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ગિરનાર રોપ-વે

એશિયાનો સૌથી મોટા રોપવે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ PM નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. ગિરનાર રોપવેના ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં CM વિજય રૂપાણી સહિત અન્ય મંત્રીઓ જૂનાગઢમાં ઉપસ્થિત છે. PM નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ સાથે સાથે કિસાન સૂર્યોદય યોજનાને પણ શરૂ કરવામાં આવી છે. રોપવે દ્વારા 2.3 કિલોમીટરનુ અંતર માત્ર 8 મિનિટમાં કાપવામાં આવશે. ઉષા બ્રેકો કંપની દ્વારા 130 કરોડના ખર્ચે ગિરનાર રોપવે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે ગિરનાર રોપવેને લઇને સૌથી વધુ ઉત્સુકતા જુનાગઢવાસીઓમાં છે.

યુ.એન. મહેતા હોસ્પિટલ

યુ.એન.મહેતા હોસ્પિટલમાં હૃદયરોગ માટે નવી બિલ્ડીંગનવજાત શિશુને જન્મતાની સાથે જ જો હૃદયરોગ હશે તો અત્યાધુનિક સુવિધા પ્રાપ્ય બની શકે એ હૉસ્પિટલનું વડાપ્રધાનના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ યુ.એન.મહેતા હૉસ્પિટલમાં આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં છે. અમદાવાદમાં યુ એન મહેતા હોસ્પિટલ (U.N. Maheta) જેમાં બાળ હૃદયરોગ હોસ્પિટલની નવી બિલ્ડીંગ તૈયાર કરવામાં આવી છે. આ બિલ્ડીંગનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇ લોકાર્પણ કરીને દર્દીઓની સારવાર માટે ખુલ્લી મુકી છે. અતિ આધુનિક ટેકનોલોજી સાથે સજ્જ કરાય છે. યુ.એન.મહેતા હોસ્પિટલ માં તાજા જન્મેલા બાળકોથી માંડી વૃદ્ધાવસ્થા સુધીની તમામ ઉંમરના હૃદયરોગના દર્દીઓની સંપૂર્ણ સારવાર થશે.

October 23, 2020
onion.jpg
1min5640

દેશના અનેક રાજ્યોમાં ડુંગળી (કાંદા)ના ભાવો ભડકે બળી રહ્યા હોઇ, સરકારે શ્રેણીબદ્ધ પગલાંઓ ભર્યા છે જેમાં એક પગલું કાંદાના સ્ટોકમાં બિનજરૂરી સંગ્રહખોરી ન થાય તે માટે મર્યાદા લાદવામાં આવી છે.

કન્ઝ્યુમર અફેર્સના સચિવે આપેલી માહિતી મુજબ બીજો હુકમ ન થાય ત્યાં સુધી દેશમાં કાંદાનો સ્ટોક રિટેલર વેપારી 2 ટન અને વ્હોલસેલર વેપારી 25 ટનથી વધુ જથ્થો રાખી શકશે નહીં.

October 23, 2020
eknath_khadse.png
1min5820

મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા એકનાથ ખડસે ભાજપ છોડીને એનસીપીમાં જોડાયા છે.મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અને વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસનો રાજ માર્ગ વધુ મુશ્કેલ બની રહ્યો છે. મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા એકનાથ ખડસે ભાજપ છોડીને એનસીપીમાં જોડાયા છે. બિહારને બચાવવા ગયેલા ભાજપના નેતાનું મહારાષ્ટ્ર જોખમમાં આવી પડ્યું છે. મહારાષ્ટ્રમાં એકનાથ ખડસેના પ્રભાવને બધા જાણે છે. એકનાથ ખડસેના કારણે મહારાષ્ટ્રમાં ભાજપને ચોક્કસપણે મોટું નુકસાન થઈ શકે છે. ભાજપ સાથે ખડસે કક્ષાના બીજા કોઈ નેતા નથી. તેથી ફડણવીસે બિહારથી પાછા ફરવું પડ્યું હતું. ફડણવીસે હંમેશાં ખડસે વિરુદ્ધ જાહેરમાં બોલવાનું ટાળ્યું છે. છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં એકનાથ ખડસે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે મોટો ઝગડો ચાલી રહ્યો હતો. બંને નેતાઓ એક બીજાને બહુ પસંદ નથી કરતા.

Maharashtra બીજા પક્ષો કરતાં સૌથી વધુ ધારાસભ્યો ધરાવતાં ભાજપ સત્તાની બહાર છે. શરૂમાં સત્તા મેળવી, પણ બહુમતિ મેળવી શક્યા ન હતા. સત્તામાં પાછા આવવા માટે ભાજપ દ્વારા તમામ ધમપછાડા કરીને સંભવિત પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.

દેવેન્દ્ર ફડણવીસને બિહારની ચૂંટણી માટે દેવેન્દ્ર ફડણવીસને પ્રભારી બનાવવામાં આવ્યા હતા. પરંતુ ફડણવીસ બિહારની ચૂંટણીમાં એટલા વ્સ્ત થઈ ગયા કે તેઓ પોતાના રાજ્યમાં ધ્યાન આપી શકતા ન હતા. તેમની સામે ભારે રોષ જોવા મળતો હતો. નેતાઓ પક્ષ છોડી દે એવી સ્થિતી ઊભી થઈ છતાં ફણનવીસ બે ધ્યાન રહ્યાં હતા.

October 23, 2020
kapildev.jpg
1min5610

દિગ્ગજ ભારતીય ક્રિકેટર કપિલ દેવને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાની ખબર મળી રહી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કપિલ દેવની દિલ્હીની એક હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. હાલમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને તેઓ ગંભીર હાલતમાંથી બહાર આવી ગયા છે. તેમના હોસ્પિટલમાં એડમિટ થયા હોવાની ખબર મળતા જ વિરાટ કોહલી, સચિન તેડૂંલકર, ગૌતમ ગંભીર, અનિલ કુંબલે તથા સુરેશ રૈના સહિતના ક્રિકેટરોએ જલ્દીથી સાજા થવાની પ્રાર્થના કરી હતી.

October 23, 2020
indianvisa.jpg
1min5650
Indian visa services to be enhanced at new venue for Bangladeshis

કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક, ટુરિસ્ટ અને મેડિકલ કૅટેગરી સિવાયના બધા વર્તમાન વિઝાને પૂર્વવત્ સ્થિતિમાં લાવવાનો ગુરુવારે નિર્ણય લીધો હતો. કોવિડ-૧૯ની મહામારીને કારણે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લાગુ કરાયું એને પગલે લગભગ આઠ મહિના સુધી તમામ વિઝા પર સસ્પેન્શન લાગુ કરાયું હતું.

મિનિસ્ટ્રી ઑફ હોમ અફેર્સ (એમએચએ)એ એવી પણ જાહેરાત કરાઈ હતી કે તમામ ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા (ઓસીઆઇ) અને પર્સન ઑફ ઇન્ડિયન

ઑરિજિન (પીઆઇઓ) કાર્ડધારકો તથા તમામ અન્ય વિદેશી નાગરિકોને (ટુરિસ્ટ વિઝા સિવાય) કોઈ પણ હેતુસર ભારતનો પ્રવાસ કરવાની પરવાનગી અપાશે. સરકારના આ નિર્ણયથી વિદેશી નાગરિકો ધંધા-વેપાર ઉપરાંત મિટિંગ-કૉન્ફરન્સ, રોજગાર, અભ્યાસ અને સંશોધન માટે ભારત આવી શકશે.

ગૃહ ખાતાએ નિવેદનમાં જણાવ્યું હતું કે ‘કોવિડ-૧૯ની મહામારીને લક્ષમાં રાખીને સરકારે ફેબ્રુઆરી, ૨૦૨૦થી વિદેશી મુસાફરોના ભારત આવવા તથા જવા પર નિયંત્રણ મૂકવા સહિતના શ્રેણીબદ્ધ પગલાં ભર્યા હતા. જોકે, હવે સરકારે વિઝા ફાળવવા સંદર્ભમાં ગ્રેડ પ્રમાણે છૂટછાટ મૂકી છે. જે પ્રકારના વિઝાની છૂટ અપાઈ છે એની કાયદેસરતા પૂરી થઈ ગઈ હશે તો ભારતીય મિશનમાંથી કે સંબંધિત વિભાગમાંથી નવેસરથી વિઝા મેળવી શકાશે.

તબીબી સારવાર માટે ભારત આવવા માગતા વિદેશી નાગરિકો મેડિકલ વિઝા માટે નવેસરથી અરજી કરી શકશે.

‘વંદે ભારત’ મિશન હેઠળ અમુક કૅટેગરીના ઓસીઆઇ તથા પીઆઇઓ કાર્ડધારકોની કૅટેગરી માટે ઍર ઇન્ડિયાની ફ્લાઇટ કાર્યરત્ છે.

October 22, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5710

સ્ટેટ ક્વોટા અને મેનેજમેન્ટ ક્વોટાની ફીમાં અસાધારણ તફાવત હોય છે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

જો નીટ 2020માં સ્કોર ઓછો હોય અને તમે હોમીયોપેથી કે આયુર્વેદિક મેડીસીનની કોલેજમાં પહેલા વર્ષમાં પ્રવેશ મેળવવાની ઇચ્છા રાખતા હોવ તો સંભવ છે કે તમારે ગત વર્ષ કરતા કોલેજોને વધુ ફી એટલે કે તોતિંગ ફી ચૂકવવી પડશે. કેમકે સરકારે હોમીયોપેથી અને આયુર્વેદિક કોલેજોની સ્ટેટ ક્વોટામાં 15 ટકા સીટો ઘટાડી નાંખીને એ મેનેજમેન્ટ ક્વોટામાં ફાળવી આપી છે. હવે પ્રાઇવેટ આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજોમાં મેનેજમેન્ટ ક્વોટા 40 ટકા થઇ ગયો છે. જેમાં 15 ટકા સીટો એન.આર.આઇ. ક્વોટાની છે. આ કોલેજો પર પ્રવેશ કાર્યવાહી પણ પ્રાઇવેટ કોલેજોના કોન્સોર્ટીયમ (મંડળ)ને આપી દેવામાં આવી છે.

ગુજરાત સરકારે મેડીકલ અને પેરમેડીકલ કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21માં પ્રવેશ માટે ગઇ તા.8મી ઓક્ટોબર 2020ના રોજ નોટિફિકેશન જારી કર્યું છે. આ નોટિફિકેશનમાં એક જોગવાઇ એવી કરવામાં આવી છે કે અનએઇડેડ એટલે કે સેલ્ફફાઇનાન્સ એટલે કે પ્રાઇવેટ સંચાલકો દ્વારા ચલાવવામાં આવતી આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજોમાં હવેથી 40 ટકા (15 ટકા એન.આર.આઇ. ક્વોટા સમેત) સીટો પર મેનેજમેન્ટ ક્વોટાથી પ્રવેશ કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાત સરકારની એડમિશન કમિટી સેલ્ફ ફાઇનાન્સ આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજોમાં ફક્ત 60 ટકા સ્ટેટ ક્વોટાની સીટો પર જ પ્રવેશ ફાળવશે. આમ, ટૂંકમાં કહીએ તો જે વિદ્યાર્થીઓનો નીટ-2020માં સ્કોર ઓછો આવ્યો છે તેમના વાલીઓએ હવે વધુ લૂંટાવું પડશે.

Difference Between Ayurveda and Homeopathy (with Comaprarison Chart) - Bio  Differences

હોમીયોપેથી અને આયુર્વેદિક કોલેજોમાં અત્યાર સુધી મેનેજમેન્ટ ક્વોટામાં 25 ટકા સીટો હતી 2020થી એ વધારીને 40 ટકા કરી દેવામાં આવી

કેમકે નીટમાં સ્કોર ઓછો ધરાવતા વિદ્યાર્થીઓ સામાન્યઃ આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજોમાં પ્રવેશ મેળવતા હોય છે. હવે ત્યાં વધુ 15 ટકા સીટો મેનેજમેન્ટ ક્વોટામાં આપી દેવામાં આવી છે. સ્ટેટ ક્વોટા અને મેનેજમેન્ટ ક્વોટાની ફીમાં અસાધારણ તફાવત હોય છે.

ગુજરાત સરકારની આ નીતિને કારણે વાલીઓ પર વધુ આર્થિક બોજ પડશે એ નિશ્ચિત છે.

October 22, 2020
CIA_Live_Logo_New2.jpg
3min24070

પ્રવેશ કાર્યવાહીની બુકલેટ મેળવવા માટે Medical શબ્દ 98253 44944 પર વ્હોટ્સએપ કરો. આ બુકલેટ નીચેની વેબસાઇટ પર ઉપલબ્ધ છે જ…..

આ વેબસાઇટ પર પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે : www.medadmgujarat.org/ug/home.aspx

Jayesh Brahmbhatt 98253 44944

ગુજરાતમાં મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક અને નેચરોપેથી જેવા નીટના સ્કોરથી પ્રવેશ મળી શકે તેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે રચવામાં આવેલી એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અન્ડર ગ્રેજ્યુએટ મેડીકલ કોર્સિસ દ્વારા 2020ના વર્ષ માટેની પ્રવેશ કાર્યવાહી અંગેની કામગીરીની જાહેરાત કરી છે.

ગુજરાતમાં મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક અને નેચરોપેથી કોર્સમાં પ્રવેશ લેવા ઇચ્છતા ઉમેદવારોએ રૂ.200 ઓનલાઇન ભરીને પીન નંબર મેળવવાનો રહેશે.

6 સ્ટેપમાં હાથ ધરાશે પ્રવેશ કાર્યવાહી, સ્ટેપ બાય સ્ટેપ સમજો : : સમયપત્રક ટૂંક સમયમાં

આ પ્રકારે કામગીરી હાથ ધરવી

આ રહ્યા પ્રવેશ કાર્યવાહીના હેલ્પ સેન્ટર્સની માહિતી, કશું સમજ ના પડે તો અહીં પહોંચી જવું

2020 માટેની મેડીકલ કોલેજો, એક નવી કોલેજનો ઉમેરો

2020 માટેની ડેન્ટલ કોલેજો

2020 માટેની આયુર્વેદિક કોલેજો

2020 માટે હોમિયોપેથી કોલેજો

October 22, 2020
pvs.jpg
1min6100
PVS sharma News in Gujarati, Latest PVS sharma news, photos, videos | Zee  News Gujarati

તા.21મી ઓક્ટોબર 2020ની રાત્રે સુરત ભાજપાના ઉપપ્રમુખ અને પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી પી વી એસ શર્માનેના નિવાસે Income Tax ડિપાર્ટમેન્ટે કરેલી કાર્યવાહીના ઘેરાપ્રત્યાઘાત આપતા પી.વી.એસ. શર્મા આજે તા.22મી ઓક્ટોબરે સવારે રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા. તેમણે આરોપ મૂક્યો હતો કે તેમની સામે બદલાની રાજનીતિ થઇ રહી છે અને તેમને મળેલા મૌલિક અધિકારોનું હળાહળ હનન થઇ રહ્યું છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સુરત પોલીસની ટીમને પણ સાથે રાખી હતી.

પોતાના નિવાસની બહાર જ રોડ પર ધરણા પર બેસી ગયેલા પીવીએસ શર્માએ મિડીયાકર્મીઓને કહ્યું હતું કે હું મારી લડત આગળ ચલાવીશ. મારા મૌલિક અધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે. હું મારો અવાજ નહીં દબાવી દેવાના થઇ રહેલા પ્રયાસોથી વિપરીત હું લડત ચાલુ રાખીશ. તેમણે આક્ષેપ કર્યો કે ઇન્કમટેક્સની કાર્યવાહી દરમિયાન છેલ્લા 10 કલાકથી મોબાઇલ ફોન પણ જપ્ત કરી લેવાયો છે. મને વાત કરવા દેવામાં આવતી નથી. ક્યા કાયદા હેઠળ મને આ પ્રકારે વાત કરવા દેવામાં આવી રહી નથી. મારા સમયમાં હું 300 રેડ પાડી ચૂક્યો છું, મને ખબર છે કે કેવી રીતે કાર્યવાહી થાય છે.

આઇ.ટી.ની કાર્યવાહીથી નારાજ પીવીએસ શર્માએ મિડીયા કર્મીઓને જણાવ્યું હતું કે તેમને આપવામાં આવેલી નોટિસનો જવાબ આપવા માટે તા.27 ઓક્ટોબરે કચેરી આવવા જણાવ્યું હતું. આમ છતાં એ પહેલા તા.21મીની રાત્રે રેડ પાડવાની શું જરૂર હતી. મારી પાસે જે ડોક્યુમેન્ટ છે જે આ લોકોના ભ્રષ્ટાચારને ઉજાગર કરી શકે છે, તેનાથી એ લોકો ફફડી રહ્યા છે. તા.21મી ઓક્ટોબરની રાત્રે 10:30થી 22મી ઓક્ટોબરે સવારે 5 વાગ્યા સુધી ઇન્કમટેક્સ વિભાગે પીવીએસ શર્માના ઘરે સર્ચ કર્યું હતું. પીવીએસ શર્માએ કહ્યું કે તેમણે આઇટી કાર્યવાહીમાં સહયોગ આપ્યો છે. તેમણે કહ્યું કે હું પણ પૂર્વ અધિકારી છું અને 300 જેટલી રેડ પાડી ચૂક્યો છું જેથી મને પણ ખ્યાલ છે કે કાયદો કઈ રીતે કામ કરે છે.

નોટબંધી બાદ જ્વેલર્સે કરેલા વેપાર સામે પીવીએસ શર્માએ આંગળી ઉઠાવી અને વિવાદ શરૂ થયો

પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી પીવી શર્માએ બે દિવસ અગાઉ મંગળવારે ટ્વીટર હેન્ડલ પર નોટબંધી દરમિયાન એક જવેલર્સ દ્વારા કરાયેલા કરોડો રૂપિયા વ્યવહારો અંગે પોસ્ટ મૂકી હતી. પીવીએસ શર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રીને ટ્વીટ કરી ED અને CBI તપાસની માંગ કરી હતી. એ પછી કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ પણ આ મુદ્દો પકડીને સીધા જ્વેલર્સના નામ સાથે ટ્વીટ કરતા મામલો બિચક્યો હતો.

આ ઘટના ક્રમ આગળ વધતા તા.21મીએ મોડી રાત્રે સુરતના અત્યંત પોશ એરીયા, પીપલોદ નદી કિનારે સ્થિત ફોર સિઝન્સ નામના વૈભવી હાઇરાઇઝ એપાર્ટમેન્ટના સી વિંગના ચોથા માળે આવેલા પીવીએશ શર્માના નિવાસે પોલીસ બંદોબસ્ત સાથે આઈટી વિભાગના અધિકારીઓએ રેડ પાડી હતી.