જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે આજે તા.16મી જૂને બપોરે કરેલી એક ટ્વીટને કારણે ભારતના જ્વેલરી એક્સપોર્ટર્સનો મોટી રાહત થવા પામી છે. ભારતમાં સોના પર લાગૂ કરવામાં આવેલા ફરજિયાત હોલમાર્કિંગમાંથી જ્વેલરી એક્સપોર્ટર્સને મુક્તિ આપવામાં આવી હોવાનો નિર્ણય કેન્દ્રીય વાણિજ્ય મંત્રી શ્રી પિયુષ ગોયલ દ્વારા કરવામાં આવ્યો હોવાનો નિર્દેશ જીજેઇપીસીની ટ્વીટ પરથી મળી રહે છે.
જીજેઇપીસીએ રજૂઆતો કરી હતી કે ભારતીય જ્વેલરી હોલમાર્ક સમગ્ર વિશ્વમાં હજુ સુધી સ્વીકૃતિ પામી શક્યા નથી અને જો ફરજિયાત હોલમાર્કિંગ લાગૂ કરવામાં આવશે તો ભારતીય જ્વેલરી નિકાસકારોનો માલ વિશ્વમાં વેચાશે નહીં અને તેના કારણે ભારતે વિદેશી હૂંડીયામણ ગુમાવવું પડી શકે અને નિકાસકારોનો પણ ધંધો બંધ થઇ જવાનો ભય છે.
જીજેઇપીસીની ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પર લખાયું છે કે જ્વેલરી નિકાસ કારોને હોલમાર્કિંગમાંથી મુક્તિ આપવાના નિર્ણયને કારણે સમગ્ર એક્સપોર્ટર્સને મોટી રાહત થવા પામી છે.
GJEPC lauds the decision of @PiyushGoyal for exempting jewellery exports from mandatory hallmarking. A pragmatic decision that has come as a major relief to the jewellery exporters. pic.twitter.com/5B60hukGjx
અગાઉ જીજેઇપીસી દ્વારા કેન્દ્ર સરકારને અનેક વખત જ્વેલરી એક્સપોર્ટર્સને સોના પર ફરજિયાત હોલમાર્કિંગમાંથી મુક્તિ આપવા માટે મુદ્દાસર રજૂઆતો થઇ ચૂકી છે.
Earlier …
K Srinivasan, Convener, Gold Panel, GJEPC said: “As Indian hallmarked articles do not have acceptance outside India, any legal interpretation that requires an exporter to comply with the hallmarking provisions wholly or partially, will increase the transaction costs in the export stream, making gem and jewellery exports unviable”. The purchases made by foreign buyers at domestic exhibitions are tantamount to export sales and should therefore be outside the purview of the hallmarking order, Srinivasan added.
ઇન્ડિયન આર્મી દ્વારા ફક્ત મહિલા ઉમેદવારો માટે મિલીટરી પોલીસ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ વર્ગમાં ધો.10 પાસ હોય તેવી મહિલાઓને ભરતી કરવામાં આવશે. રજિસ્ટ્રેશન ગઇ તા.6 જુન 2021થી શરૂ થઇ ચૂક્યા છે અને તા.20 જુલાઇ 2021 રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ છે.
ઈન્ડિયન આર્મીમાં સોલ્જર જનરલ ડ્યુટી (વુમેન મિલિટ્રી પોલીસ)માં જોડાવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ માટેની અરજી કરવા સંબંધિત શૈક્ષણિક લાયકાત, વયમર્યાદામાં છૂટછાટ, પરીક્ષા પદ્ધતિની વિગતો, ઓનલાઈન અરજી કરવાની પદ્ધતિ, પરીક્ષા ફી વગેરે સંબંધિત તમામ સૂચનાઓ http://joinindianarmy.nic.in વેબસાઈટ પરથી મેળવી શકાશે.
મહિલા મિલીટરી પોલીસ ભરતી પ્રક્રિયાના નોટિફિકેશનના પહેલા બે પેજ અહીં પ્રસ્તુત છે
આ ભરતી પ્રક્રિયાનું નોટિફિકેશન પીડીએફ ફાઇલ ડાઉન લોડ કરવા માટે નીચેની લિંક પર ક્લીક કરો
રોકાણ આકર્ષવાની વધુ સંભાવના ધરાવતાં રાજ્યોની યાદીમાં ગુજરાત મોખરે
રોકાણ આકર્ષવાની વધુ સંભાવના ધરાવતાં રાજ્યોની યાદીમાં ગુજરાત મોખરે ગુજરાત બાદ દિલ્હી, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રનો ક્રમ આવે છે.
૨૦ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશનું મૂલ્યાંકન શ્રમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આર્થિક વાતાવરણ, વહીવટ અને રાજકીય સ્થિરતા એ પરિબળોના આધારે કરવામાં આવ્યું હતું.
વહીવટ અને રાજકીય સ્થિરતાની દ્રષ્ટિએ ગુજરાત ટોચે રહ્યું છે, જ્યારે દિલ્હીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્થિક વાતાવરણ વધારે સાનુકૂળ મનાયું છે. કેરળમાં કામદાર સંબંધી બાબતે સરળતા છે.
અહેવાલમાં કહેવાયું છે કે બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડે પોતાની સ્થિતિ સુધારવા માટે ઘણી જહેમત ઉઠાવવી પડશે.
કાઉન્સિલના સિનિયર ફેલો ઇન્દિરા ઐયરે જણાવ્યા મુજબ આ અહેવાલ વર્લ્ડ બૅન્કના અહેવાલ કરતાં અલગ છે. ગયા વર્ષે બહાર પડેલા વર્લ્ડ બૅન્કના અહેવાલમાં કાર્યપદ્ધતિઓ અને વ્યવહારો પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો, જ્યારે કાઉન્સિલના અહેવાલમાં નીતિવિષયક અને માળખાકીય બાબતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
ફાઇનલની ભારતીય ટીમમાં પાંચ ઝડપી બોલર ટીમમાંથી અક્ષર અને શાર્દુલ બહાર
ભારતની 1પ ખેલાડીની ટીમ:
રોહિત શર્મા,
શુભમન ગિલ,
ચેતેશ્વર પુજારા,
વિરાટ કોહલી (કેપ્ટન),
અંજિકયા રહાણે (વાઇસ કેપ્ટન),
હનુમા વિહારી,
ઋષભ પંત (વિકેટકીપર),
રિધ્ધિમાન સાહા (વિકેટકીપર),
રવિચંદ્રન અશ્વિન,
રવીન્દ્ર જાડેજા,
જસપ્રિત બુમરાહ,
ઇશાંત શર્મા,
મોહમ્મદ શમી,
ઉમેશ યાદવ અને
મોહમ્મદ સિરાઝ
ન્યુઝીલેન્ડ વિરૂધ્ધના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલ માટેની 1પ ખેલાડીની ભારતીય ટીમ આજે જાહેર થઇ છે. જેમાં બોલિંગ કોમ્બિનેશમાં સસ્પેન્સ જોવા મળે છે. જો કે શાર્દુલ ઠાકુર 1પ ખેલાડીની સૂચિમાંથી બહાર થઇ જતાં આખરી ઇલેવનમાં ચાર પેસરના સમાવેશની સંભાવના ઓછી થઇ છે. ટીમમાં પાંચ ઝડપી બોલર રાખવામાં આવ્યા છે. પાછલી ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં જોરદાર દેખાવ કરનાર સ્પિનર અક્ષર પટેલ પણ ફાઇનલની ટીમની બહાર છે. ટીમમાં હનુમા વિહારી પણ છે. જો કે ઓપનિંગમાં રોહિત શર્મા સાથે શુભમન ગિલ હશે તે લગભગ નિશ્ચિત જણાઇ રહ્યંy છે.
ભારતની 1પ ખેલાડીની સૂચિમાં બે સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા છે. જ્યારે બે વિકેટકીપર તરીકે ઋષભ પંત અને રિધ્ધિમાન સાહા છે. સાહાની ભૂમિકા પંતના કવર પૂરતી હશે. જો ચાર ઝડપી બોલરને તક અપાશે તો અશ્વિન-જાડેજામાંથી એક બહાર થશે અને જો ત્રણ ઝડપી બોલરને તક મળશે તો ઇશાંત અને સિરાઝમાંથી એક બહાર થશે.
ભારતમાં કોરોનાની રસી લગાવ્યા બાદ પહેલા મોતની સરકારી પુષ્ટિ થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી એક સમિતિના અહેવાલમાં બહાર આવ્યું છે કે વેક્સિન લીધા બાદ 68 વર્ષના એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે દેશમાં રસી લીધા બાદ 488 જણનાં મોત થયા હોવાના અને 26000ને આડઅસર થઈ હોવાના હેવાલ છે.
રસી લીધા બાદ ગંભીર બીમારી થાય કે મૃત્યુ થાય તેને વૈજ્ઞાનિક ભાષામાં એડવર્સ ઈવેન્ટ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન (એઈએફઆઈ) કહેવાય છે. કેન્દ્રની સમિતિએ રસી લીધા બાદ 31 મૃત્યુની તપાસ કરી હતી અને પછી 68 વર્ષના એક જણનું એક પ્રકારના એલર્જીના રિએક્શન એનાફિલેક્સીસને લીધે મૃત્યુ થયું હોવાને પુષ્ટિ આપી હતી એમ મીડિયા હેવાલોમાં જણાવાયું છે. એઈએફઆઈના અધ્યક્ષ ડો.એન.કે.અરોડાએ મોતને પુષ્ટિ આપી છે પણ વધુ કંઈ કહેવાનો ઈન્કાર કર્યો છે. જો કે,એવા હેવાલ છે કે રસીને કારણે વધુ ત્રણ મૃત્યુ થયા છે પણ તેને સરકારી સમર્થન મળ્યું નથી. સમિતિએ જે 31 મૃત્યુની તપાસ કરી તે પૈકી 18માં મોતને રસીકરણ સાથે કોઈ સંબંધ નીકળ્યો નહોતો. 16 અને 19 જાન્યુઆરીના જેમનું રસીકરણ થયું એવી વધુ બે વ્યક્તિનું પણ વેક્સિનને કારણે એલર્જીથી મૃત્યુ થયું હોવાનું કહેવાય છે.
દેશમાં 7મી જૂન સુધી 23.7 કરોડ જણને રસી અપાઈ ચૂકી છે અને એક મીડિયા હેવાલ મુજબ 16 જાન્યુઆરીથી 7મી જૂન સુધી રસી લીધા બાદ 488 જણનાં મોત થઈ ચૂક્યા છે તો 26000ને એલર્જી સહિતની આડઅસર થઈ હતી. અલબત્ત રસી લગાવ્યા બાદ આડઅસર અને મૃત્યુની ટકાવારી 0.1 ટકાથી પણ ઓછી છે અને રસીના બે ડોઝ લીધા બાદ કોરોનાથી મૃત્યુની સંભાવના અત્યંત ઘટી જાય છે ત્યારે તમામ નિષ્ણાતો રસી અચૂક લેવાની સલાહ આપે છે.
સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગે આજે એવી જાહેરાત કરી છે કે આવતીકાલ તા.16મી જુન 2021ના રોજ વરાછા સ્થિત હેડ વોટર વર્કસ ખાતેથી આપવામાં આવતો પાણીનો સપ્લાય સંપૂર્ણ બંધ કરવામાં આવશે, જેને કારણે પૂર્વ ઝોન (વરાછા) વિસ્તારમાં પાણી પુરવઠો અંશતઃ અવરોધાય, ઓછા પ્રેશરથી મળી શકે અથવા નહીંવત્ મળી શકે તેવી શક્યતા છે, આથી આ વિસ્તારના રહેવાસીઓને આજે બપોરે મળનાર પાણી સપ્લાય દરમિયાન જરૂરી પાણી પુરવઠો ભરી રાખે, જેથી આવતીકાલ બુધવારે પાણી વગર અગવડ ન પડે.
પૂર્વ વરાછાના આ વિસ્તારોને અસર થશે
આવતીકાલ તા.16મી જુનના રોજ પૂર્વ વરાછાના અશ્વનિકુમાર, ફુલપાડા, લંબેહનુમાન રોડ, ઉમરવાડા, નાના વરાછા, કરંજ અને કાપોદ્રા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના પાણી સપ્લાયને અસર પહોંચશે. એવી પણ શક્યતા છે કે પાણી બિલકુલ ઓછું મળે, પરીણામે આજે તા.15મી જુને બપોરે મળનાર પાણી સપ્લાય દરમિયાન જરૂરીયાત મુજબનો જથ્થો સંગ્રહ કરી લેવા જણાવાયું છે.
પૂર્વ ઝોનમાં પાણી સપ્લાય ખોટકાવા અંગે સુરત મહાનગરપાલિકાએ કરેલી જાહેરાત
કોરોનાની કૂચને અટકાવવાંમાં એવા ઘણાં ‘સાયલન્ટ વોરિયર્સ’ નિમિત્ત બન્યાં, જેમની નેપથ્યમાં-પડદા પાછળની કામગીરીથી કોરોનાનો કહેર કાબુમાં આવ્યો છે. જેનું ઉત્તમ ઉદાહરણ છે નવી સિવિલ હોસ્પિટલનો પી.એસ.એમ.(પ્રિવેન્ટીવ એન્ડ સોશ્યલ મેડિસિન) વિભાગ.
૫૦ કર્મયોગીઓએ આરોગ્ય તંત્ર સાથે પડછાયાની જેમ રહીને સંક્રમણને આગળ વધતું અટકાવવાંમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું
PSM વિભાગે કોરોનાની પહેલી અને બીજી લહેર સમયે સચોટ ડેટા એનાલિસીસના આધારે આગોતરા પગલાઓ દ્વારા ઈન્ફેકશનને નિયંત્રણમાં લાવવા અને કોઈ પણ આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે આગવી વ્યૂહરચના અપનાવીને સુરત શહેર, જિલ્લા અને નવસારી જિલ્લાને સંક્રમણમાંથી બહાર લાવવા તેમજ સંક્રમણને આગળ વધતું અટકાવવાંમાં યોગદાન આપ્યું છે, ક્રાઈસીસ મેનેજમેન્ટ માટે સૂચનો, તેમજ સ્થાનિક પરિસ્થિતિનું આકલન કરીને સુરત મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર, સિવિલ અને સ્મીમેર આરોગ્યતંત્ર સાથે રિઅલટાઈમ ડેટા એનાલિસિસને આધારે સચોટ ફિડબેક આપ્યો હતો. જેનાથી તંત્રને નિર્ણયો લેવામાં મદદ મળતી હતી.
જુદી-જુદી ટાસ્કફોર્સ ટીમ, રેપિડ રિસ્પોન્સ ટીમ, હોમ ક્વોરન્ટાઈન અને આઈસોલેશન, માઈક્રો કન્ટેઈન્મેન્ટ, ફિલ્ડ સર્વેલન્સ, વેક્સિનેશન, ઓક્સિજન ઓડિટ, વિવિધ પ્રકારની માર્ગદર્શિકાઓ (SoP), ડેથ ઓડિટ, ટ્રેનિંગ, રિસર્ચ, હેલ્થ કેર સહિતની કામગીરીમાં આરોગ્ય તંત્રને વાસ્તવિક અને સચોટ ફિડબેક આપીને ચાવીરૂપ કામગીરી બજાવી હતી.
ફરજ દરમિયાન વિભાગીય વડા ડૉ.જયેશ કોસંબિયા તથા તેમના પત્ની કોવિડ પોઝિટીવ થયા હતા. ડૉ.હર્ષદ પટેલ(એસો.પ્રોફેસર), ડૉ.ઈરફાન મોમીન(એસો.પ્રોફેસર, ડૉ.અંજલિ મોદી(આસિ..પ્રોફેસર), ડૉ.જયંત પટેલ (ટ્યુટર) અને ૮ રેસિડેન્ટ ડોક્ટર્સ પોઝિટીવ થયા હતા. ફેકલ્ટી મેમ્બર્સ અને રેસિડેન્ટ ડોક્ટર્સના ૨૦ જેટલા કુટુંબીજનો પણ કોરોનાગ્રસ્ત બન્યાં હતા. જેમાં એક કુટુંબીજનનું અવસાન પણ થયું. આમ છતા સ્વસ્થ થઈને ફરજ પર પાછા ફરી વિપરીત સંજોગોમાં પણ આ વોરિયરોએ રાતદિન કર્મયોગ શરૂ રાખ્યો.
PSM વિભાગના વડા અને પ્રોફેસર ડો.જયેશ કોસંબિયાએ જણાવ્યું કે, કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે કોરોનાના આંકડાઓનું પૃથ્થકરણ, સ્થળ નિરીક્ષણ અને સ્થિતિનું મોનિટરીંગ કરીને આગામી સમયમાં વિવિધ વિસ્તારોમાં કોરોના સંક્રમણની ભાવિ પરિસ્થિતિનો ઊંડાણથી અભ્યાસ કરી બેડ, વેન્ટીલેટરની જરૂરિયાત, કોરોનાની ગતિ, નિવારણના પગલાં વગેરેનું જુદા-જુદા તારણો સાથે મનપાની પ્રતિદિન મળતી કોર કમિટીની મિટિંગમાં પ્રેઝન્ટેશન કરવામાં આવતું હતું. જેના આધારે ઉચ્ચઅધિકારીઓ શહેરમાં કોરોના નિયંત્રણના અટકાયતી પગલાઓનું આયોજન કરતાં હતાં.
સુરત અને નવસારી જિલ્લા માટે અટકાયતી પગલાં લેવાની જવાબદારી નિભાવીને તંત્ર સાથે પડછાયાની જેમ સંકલનમાં રહી કામ કર્યું છે. વિભાગમાં ૧૯ ફેકલ્ટી, બે સિનીયર રેસિ., ૨૦ રેસિડેન્ટ ડોક્ટર અને સપોર્ટીવ સ્ટાફ સહિત ૫૦ કર્મચારીઓએ કોરોનાકાળ દરમિયાન દિનરાત ફરજ બજાવી છે. નવી સિવિલની ટાસ્કફોર્સ ટીમની રોજ સવાર-સાંજ બેઠક મળતી, જેમાં હોસ્પિટલના ઓપીડી-આઈપીડી, ડિસ્ચાર્જ, ડેથ અને બેડ ઉપલબ્ધતા, ઓક્સિજન ઓડિટનું પ્રેઝન્ટેશન કરવામાં આવતું હતું, જેથી જરૂરિયાત પ્રમાણે યોગ્ય વ્યવસ્થા કરી શકાય. “Ask A MASK Campaign” નો કોન્સેપ્ટ અને સ્ટોરીલાઈનબનાવી હતી, જેમાં જે વ્યક્તિએ માસ્ક ના પહેર્યું હોય, યોગ્ય રીતે માસ્ક ના પહેર્યું હોય તેને માસ્ક પહેરવા માટે કોઈ વ્યક્તિ ટોકી શકે છે. સુરત મહાનગરપાલિકાએ આ વિષે જુદા-જુદા પાંચ વિડીયો બનાવીને આમ જનતા માટે ખૂબ પ્રભાવી કેમ્પેઈન ઉભું કર્યું હતું.
બીજી લહેરની વાત કરતા ડો.કોસંબીયા કહે છે કે, ફેબ્રુઆરી,૨૦૨૧ દરમિયાન એક એક્શન પ્લાન બનાવીને બેડની જરૂરિયાતને ધ્યાનમાં લઈને આગામી અઠવાડિયામાં બેડ, ઓક્સિજન, વેન્ટીલેટર, દવાની જરૂરિયાતનું તારણ આપવામાં આવ્યું હતું, તે જ રીતે ઉચ્ચ અધિકારીની બનેલી કોર કમિટીમાં તંત્રની સુસજ્જતા અને કોઈ પણ ગંભીર પરિસ્થિતિ સર્જાય ત્યારે તેને પહોંચી વળવા ટાસ્કફોર્સ અને એક્શન પોઈન્ટનું પણ આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હતું. જે બીજી લહેરમાં ઉપયોગી નીવડ્યું.
આગામી સંભવિત ત્રીજી લહેર વિશેના આગોતરા આયોજન અંગેનો અંદાજ આપતા તેઓ કહે છે કે, સુરત શહેરમાં સંભવિત ત્રીજો વેવ આવે તો અંદાજિત ૨૦,૦૦૦ બાળકોને ચેપ લાગવાની સંભાવના છે. ૨૦૦૦ બાળકોને હોસ્પિટલમાં એડમિશન તેમજ ૨૦૦ બાળકોને ICU બેડની જરૂરિયાત ઊભી થઈ શકે છે. જેથી શહેરની ૭૦ લાખ વસ્તીને ધ્યાનમાં રાખીને ૧૫ વર્ષથી નાના, ૫ વર્ષથી નાના અને એક વર્ષથી નાના બાળકોની ૨૦૧૧ના સેન્સસના આંકડા પ્રમાણે એક પ્રોજેક્શન મોડેલ બનાવવામાં આવ્યું છે. અને આ રીતે બાળકોમાં સંક્રમણને અટકાવવાંનો પ્લાન છે.
*ટ્રાવેલર્સસ્ક્રીનિંગ અને નિયંત્રણના પગલા માટેસ્ટ્રેટેજી*
હાલ સુરતમાં કોવિડ કેસો ઘટી રહ્યા છે. પોઝિટિવિટીનો દર ઓછો જણાય છે તેવા સંજોગોમાં શહેરમાં કોવિડનો ચેપ(સોર્સ) હાજર હોવાથી અટકાયતના પગલાં લઈ શકાય, પરંતુ સુરત શહેરમાં ટ્રાવેલર્સનું યોગ્ય પ્રમાણમાં ટેસ્ટીંગ થાય તો બહારથી આવતા લોકોમાંથી ઇન્ફેક્શન રોકી શકાય. બહારથી આવતા લોકો એસિમ્પ્ટોમેટિક પોઝિટિવ હોય તો તેમના દ્વારા અહીં શહેરમાં ફેલાવો થઈ શકે છે, જેથી ટ્રાવેલર્સ સ્ક્રીનિંગ અને નિયંત્રણના પગલાં માટે સ્ટ્રેટેજી બનાવવામાં આવી છે.
અત્યાર સુધી બીજી લહેરમાં સુરતના ૧૯૧ હેલ્થકેર વર્કર્સ કોવિડ પોઝિટીવ થયા છે, અને તેઓ હોમ કે હોટેલ આઈસોલેશનમાં રહી સ્વસ્થ થઈ ગયા છે. ૧૯૧માંથી ૧૨૦ લોકોએ (૬૩ટકા)રસી લીધી છે. રસીના કારણે હેલ્થકેર વર્કરને કોઈ ગંભીર અસર જણાઈ ન હતી, અને કોરોનાગ્રસ્ત થયાં હોય તો પણ ઓક્સિજનની જરૂરિયાત પડી ન હતી અને તમામ સાજા થઈ ગયા છે એમ ડો.કોસંબીયા જણાવે છે.
*વેક્સિનેશનની કામગીરીને વેગ મળ્યો*
વેક્સિનેશનની કામગીરીને વેગવંતી કરવા ફેબ્રુઆરી માસમાં PSM વિભાગના માર્ગદર્શન હેઠળ સુરત સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર ખાતે વેક્સિનેશન સેન્ટરની કામગીરી શરૂ કરવામાં આવી. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલના કુલ ૪,૩૩૭ હેલ્થકેર વર્કરોએ પ્રથમ ડોઝ અને ૨૭૪૯ એ રસીનો બીજો ડોઝ લીધો છે. તેમજ નવી સિવિલ ખાતે કુલ ૧૦,૭૭૨ લોકોએ પ્રથમ અને ૪,૮૧૯ લોકોએ બીજો ડોઝ લીધો છે.
*સ્થાનિકજરૂરિયાતઅનુસારવિવિધ પ્રકારની માર્ગદર્શિકા (એસ.ઓ.પી.) બનાવી*
તેઓ વધુમાં કહે છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વખતોવખત માર્ગદર્શિકા બહાર પડતી હતી, જેને PSM વિભાગે સ્થાનિક જરૂરિયાત અનુસાર ફેરફાર કરીને ડાયમંડ, ટેક્ષટાઈલ, હોટેલ-રેસ્ટોરન્ટ માટે એસ.ઓ.પી.બનાવવાની મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી. બાગબગીચા, પુસ્તકાલયો, શાળા, કોચિંગક્લાસ, જીમ-યોગ સેન્ટર જેવા વધુ અવરજવરવાળા જાહેરસ્થળોને ફરીથી ખોલવાની એસ.ઓ.પી. પણ તૈયાર અને પ્રસારિત કરવામાં આવી હતી.
સુરત મહાનગરપાલિકાએ અમારા વિભાગના ફેકલ્ટીને ‘રેપિડ રિસ્પોન્સ ટીમ’માં સામેલ કરી શહેરના ચાર ઝોન:- સેન્ટ્રલ, અઠવા, ઉધના અને લિંબાયત ફાળવ્યા હતા. જેમાં દરરોજ એક-એક ટીમ ચાર ઝોનની મુલાકાત લઈને ક્લસ્ટરીંગ ઓફ કેસિસ, હોમ આઈસોલેશન, કન્ટેઈન્મેન્ટ એરિયા, ધન્વંતરિ રથ તથા સંજીવની રથની મુલાકાત લઈને રોજેરોજ મનપાને ફિડબેક અપાતો હતો, જેનાથી નવા કેસના સ્ત્રોત, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને અટકાયતની કામગીરી હાથ ધરવામાં આવતી. જરૂર જણાય ત્યાં જે-તે સ્થળે સંક્રમણના ઓછાવત્તા પ્રમાણને ધ્યાને રાખી વ્યૂહરચના ઘડી કામગીરીમાં સુધારા કરવામાં આવતાં. આ જ રીતે સુરત જિલ્લા અને નવસારી જિલ્લામાં આવી કામગીરી અન્ય બે ટીમ દ્વારા કરી હોવાની તેઓ જણાવે છે.
કોન્ટેક્ટ ટ્રેસિંગ, આઈસોલેશન અને ક્વોરન્ટાઈનને લગતા મુદ્દાઓ પર પ્રાથમિક આરોગ્ય કર્મચારીઓ, એએનએમ, આશા, લેબ ટેકનિશિયન, પ્રાથમિક શાળાના શિક્ષકો, સેનેટરી નિરીક્ષકો અને કરારના કર્મચારીઓ સહિત ૯૮૦ આરોગ્યકર્મીઓને અલગ-અલગ બેચમાં તાલીમ આપી હતી. તેમજ ૪ દિવસના સમયગાળામાં ૧૧૪૫ આરોગ્યકર્મીઓને અમારા ફેકલ્ટી દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગ, માઈક્રોકન્ટેઈન્મેન્ટ, એઆરઆઈ સર્વેલન્સ અને સ્વસુરક્ષા માટે પુન: તાલીમ આપવામાં આવી હતી. સવારે ફિલ્ડવર્ક અને વિઝીટ માટે રવાના થતી ટીમને ૧૦ મિનિટ માટે ઝોન લેવલે બ્રિફિંગ આપવામાં આવતું હોવાનું પણ ડો.કોસંબીયા જણાવે છે.
*મ્યુકરમાયકોસિસના પડકાર સામે સજ્જતા કેળવી*
અમદાવાદ અને રાજકોટમાં મ્યુકરમાયકોસિસ(બ્લેક ફંગસ)ની બિમારી વધતાં મનપા ખાતે આંખ તેમજ કાન, નાક, ગળા વિભાગના ડોક્ટર્સ સાથે IMAની મીટિંગ રાખવામા આવી, જેમાં મ્યુકર માટે સિચ્યુએશનલ એનાલિસિસ કરાયું હતું, અને નવી સિવિલમાં દાખલ દર્દીઓને મ્યુકર થવાના કારણોની માહિતી એકઠી કરવી, તેના લક્ષણો અને સારવારની માહિતી એકઠી કરવી, તેનું દરરોજ એનાલિસિસ કરી મનપા અને આરોગ્યના ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી, જેમાં ૨૬% અનકંટ્રોલ ડાયાબિટીસ, ૧૮% ડાયાબિટીસ સાથે સ્ટીરોઈડ અને ઓક્સિજનના વપરાશવાળા લોકો જણાયા છે.
*આરોગ્યતંત્રમાંPSM વિભાગનીશુંભૂમિકાહોયછે? *
છેલ્લા કેટલાક દાયકાઓમાં પ્રિવેન્ટિવ અને સોશિયલ મેડિસિનનો વ્યાપ વધ્યો છે. PSM એ જાહેર આરોગ્યના આંકડા, સામાજિક આરોગ્ય, મનોવિજ્ઞાન, ક્લિનિકલ અને બાયોલોજીકલ સાયન્સને જોડીને કોઈ એક વ્યક્તિ નહિ, પણ સમગ્ર માનવસમુદાય માટે રોગ નિવારાત્મક કામગીરી કરે છે. આરોગ્યની સમસ્યાને નિવારવી, રોગને આગળ વધતો અટકાવવાં અને સ્થિતિનું વિશ્લેષણ કરી એક્શન પ્લાન બનાવવા, કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્ય યોજનાઓ-અભિયાનોને લાગુ કરવા, જનજાગૃત્તિ કાર્યક્રમો ઘડવા, આરોગ્યકર્મીઓને તાલીમ આપવી અને કોઈ પણ રોગચાળો ફાટી નીકળે ત્યારે ટીમો બનાવી સ્થાનિકતંત્ર સાથે સર્વે, ફિલ્ડવર્ક, તાલીમ જેવી અનેકવિધ કામગીરી કરી રોગચાળાને ફેલાતો અટકાવવાંમાં મહત્વનું પ્રદાન હોય છે. આ વિભાગનું મુખ્ય કામ MBBS, MD વિદ્યાર્થીઓ અને ઈન્ટર્ન ડોક્ટર્સના શૈક્ષણિક તાલીમનું છે, જે આ વિભાગ પૂરી નિષ્ઠાથી બજાવતું આવ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં પ્લેગ, ફ્લડ, બર્ડફ્લૂ અને દર ચોમાસામાં થતાં લેપ્ટોસ્પાયરોસિસ જેવા વિવિધ એપિડેમીકની અટકાયતમાં સિવિલનો PSM વિભાગ બહોળો અનુભવ ધરાવે છે, તથા દર વર્ષે જોવા મળતાં જુદા-જુદા પ્રકારના રોગચાળાઓ જેમ કે, ઓરી, ઝાડા-ઉલ્ટી, ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગોના નિયંત્રણ અને અટકાયતમાં મહત્વનો ભાગ ભજવે છે. સિવિલના PSM વિભાગે અમેરિકાની ૩આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ, યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડા-ટેમ્પા, સેન્ટ જુડ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી-મેમ્ફિસ, સાન ડિએગો સ્ટેટ યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યા છે. જેની સાથે જુદા-જુદા રિસર્ચ કરવામાં આવ્યા છે. આ વિભાગની ઉપરોક્ત વિવિધ કામગીરી માટે રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. આમ, PSM વિભાગ કોરોના ક્રાઈસીસને કંટ્રોલ કરવામાં કેન્દ્રબિંદુ બન્યું છે. કોરોનાની આગેકૂચને અટકાવવાંમાં ‘સાયલન્ટ વોરિયર’ બની ઉભરેલા PSM વિભાગના કર્મયોગીઓએ કોઈ પણ આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા આગવી વ્યૂહરચના વિકસાવી અને કાબિલેતારીફ કામગીરી થકી ક્રાઈસીસ મેનેજમેન્ટમાં સહભાગી થયા છે.
કોરોના કાળમાં બાદ હાલમાં હીરામાં હાલ તેજીનો માહોલ છે, તેમ છતાં અનેક હીરા કંપનીઓ દ્વારા રત્નકલાકારોના પગારમાં વધારો ન કરવામાં આવ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. જેને પગલે ડાયમંડ વર્કર યુનિયને રત્નકલાકારોના પગાર વધારા અંગે એક ઓનલાઇન સર્વે શરૂ કર્યો છે આ સર્વેમાં રત્નકલાકારોના પગાર વધારા અંગે સવાલો પૂછીને માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
ડાયમંડ વર્કર યુનિયનો સર્વે કરાવવા પાછળનો આશય એ છે કે કોરોના સમયગાળામાં અને એ પહેલાં કેટલીક કંપનીઓએ રત્ન કલાકારોને નિયમાનુસાર પગાર વધારો આપ્યો છે? અને કેટલી કંપની એ નથી આપ્યો? એ જાણ્યા પછી રત્નકલાકારોને પગાર વધારાનો લાભ નહીં આપનાર હીરાના કારખાનેદારો સામે લેબર કમિશનર સુધી ફરિયાદ કરવામાં આવશે, એમ ડાયમંડ વર્કર યુનિયને જણાવ્યું હતું.
ડાયમંડ વર્કર યુનિયનના ઉપ પ્રમુખ ભાવેશભાઈ એ જણાવ્યું હતું કે સુરતની ડાયમંડ કંપનીઓમાં તેજીનો માહોલ છે. તેમ છતાં અમુક હીરા કંપનીઓ દ્વારા હજી કારીગરોના પગારમાં વધારો કરવામાં આવ્યો નથી. બીજી તરફ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારા સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનાં ભાવમાં પણ ઘરખમ વધારો થયો છે ત્યારે કર્મચારીઓના પગાર વધે તે માટે અમે પ્રયત્ન કરી રહ્યાં છીએ.
માલ લેવા વેપારીને જ વેચવો જેણે જૂનું પેમેન્ટ ક્લિયર કર્યું હોય : સુરત મર્કન્ટાઇલ એસોસીએશનની ગાઈડલાઈન
ટેક્સટાઈલ ટ્રેડર્સનુ ૬૦ હજાર જેટલું સંખ્યાબળ ધરાવતા સુરત મર્કન્ટાઇલ એસોસીએશનની વ્યાપારિક સમસ્યા સમાધાન તથા પ્રશાસનિક ગાઇડલાઇન નક્કી કરવા માટે આજે સંસ્થાના પ્રમુખ નરેન્દ્ર સાબુના નેતૃત્વમાં મળેલી વર્કિંગ કમિટીની મિટિંગમાં કેટલાક અગત્યના નિર્ણયો લઈને તેનો અમલ કરવા માટે સુરતના હજારો ટેક્સટાઇલ વ્યાપારીઓને હાકલ કરવામાં આવી છે. આજે લેવાયેલા કેટલાક નિર્ણયોમાં સૌથી મહત્વનો નિર્ણય એ છે કે દરેક વેપારીઓને તૈયાર માલ 10% ભાવ વધારો કરીને જ વેચવા માટે હાકલ કરવામાં આવી છે. જેથી કરીને માલ રિટનની શક્યતા ઘટી જશે. બીજો નિર્ણય એ પણ લેવામાં આવ્યો છે કે નવો માલ એવા વેપારીઓને જ વેચવો જેમણે જૂનું પેમેન્ટ ક્લિયર કર્યું હોય.
સુરત મર્કન્ટાઇલ એસોસિએશને એવી પણ અપીલ કરી છે કે એવા લોકો સાથે જ વ્યાપાર કરે જેમને સારી ગુડવિલ અને જૂનો નાતો હોય વ્યાપારીઓ એજન્ટ અઠવાડિયાઓ કોઈપણ વ્યક્તિ ટેક્સટાઇલ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય તેમણે અર્જુને પર કોઈપણ આ સંજોગોમાં રજીસ્ટ્રેશન કરાવવું અત્યંત જરૂરી છે કોઈપણ નવા વેપારીને માલ વેચવા માં અત્યંત સાવધાની રાખી અને પૂર્વ જાણકારી મેળવી લીધા પછી અને શક્ય હોય તો એડવાન્સ ચેક લઈને જ માલ વેચવો જોઈએ રીટન ગુડ સુરતના વ્યાપારી ની સંમતિથી જ ભરત કરવો જોઈએ જો કોઈ વેપારી જબરજસ્તી અને સહમતી વગર ગુડ મોકલાવશે તો તેની સાથે વેપાર કરવો જોઈએ નહીં અને તેનો બહિષ્કાર કરવો જોઈએ
સુરત મર્કન્ટાઇલ એસોસિયેશનના પ્રેસિડન્ટ શ્રી નરેન્દ્રભાઈ સાબુએ જણાવ્યું હતું કે તા.13 જૂને મળેલી મિટીંગમાં લેવાયેલા નિર્ણયો surat mercantile associationના છે આ સંગઠન સાથે ૬૦ હજાર જેટલા વ્યાપારીઓ સંકળાયેલા છે અમે તેમને ફરજ પાડી શકે નહીં પરંતુ તેમને સલામત વ્યાપાર માટે આહવાન કરીએ છીએ.
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમી પડતા રાજ્યમાં હવે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યાં છે. રાજ્યમાં મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે તો બીજી બાજુ સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં નવા 455 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 8,20,321 થયો હતો. જેમાંથી વધુ 1063 સહિત આજસુધીમાં કુલ 8,00,075 દરદીએ કોરોનાને હરાવ્યો છે. આ સાથે રિકવરી રેટ 97.53 ટકા થઈ ગયો છે.
આજે 13/6/21, 6 દર્દીનાં કોવિડ ડેથ જાહેર થતા કુલ મૃત્યુઆંક 9,997 નોંધાયો છે.
રાજ્યમાં હવે 10,249 એક્ટિવ કેસ છે, જેમાં 253 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 9,996 દર્દીઓ સ્ટેબલ છે.
સૌરાષ્ટ્રમાં કોરોનાની રફ્તાર હવે એકદમ ધીમી પડી ગઈ છે અને કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે સૌરાષ્ટ્રમાં 132 કેસ નોંધાયા હતા અને 211 દરદી ડિસ્ચાર્જ થયા હતા. સારી બાબત એ રહી કે આજ માત્ર દ્વારકામાં 1 કોવિડ ડેથ જાહેર થયું હતુ. જો કે, જામનગરમાં કોરોનાની સારવાર દરમિયાન 5 દરદીના મૃત્યુ થયા હોવાનું સ્થાનિક તંત્રએ જાહેર કર્યુ હતું. નવા નોંધાયેલા કેસમાં રાજકોટ અને જૂનગઢ સિવાયના તમામ જિલ્લામાં 20થી ઓછા અને તેમાંય 6 જિલ્લામાં સિંગલ ડીઝીટમાં કેસ નોંધાયા હતા. જ્યારે મોરબીમાં એકેય કેસ નોંધાયો નહોતો.
રાજ્યમાં આજે નોંધાયેલ કુલ 455 કેસમાં સુરતમાં 96, અમદાવાદમાં 55, વડોદરામાં 72, રાજકોટમાં 46, જૂનાગઢમાં 34, નવસારીમાં 17, ગીરસોમનાથમાં 14, ભરૂચમાં 11, કચ્છમાં 10, અમરેલીમાં 9, જામનગરમાં 13, પંચમહાલમાં અને વલસાડમાં 8-8, મહેસાણમાં 7, બનાસકાંઠામાં અને દેવભૂમિ દ્વારકામાં 6-6, ખેડા અને પોરબંદર અને સાબરકાંઠામાં 5-5, આણંદમાં 4, ગાંધીનગરમાં 8, મહીસાગર, પાટણ, સુરેન્દ્રનગરમાં 3-3, અરવલ્લી, તાપીમાં 2-2, ભાવનગર, બોટાદ, નર્મદામાં 1-1 કેસનો સમાવેશ થાય છે. અમદાવાદમાં 2, સુરત, વડોદરા, દેવભૂમિ દ્વારકા અને સાબરકાંઠમાં 1-1 કોવિડ ડેથ જાહેર થયું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.