CIA ALERT

Alert Archives - Page 153 of 510 - CIA Live

July 10, 2021
messy_nemar.jpg
1min532

ફીફા વર્લ્ડ કપ અને યુરો કપ બાદની સૌથી વધુ લોકપ્રિય અને પ્રતિષ્ઠીત કોપા અમેરિકા કપ ફૂટબોલ ટૂર્નામેન્ટના ફાઇનલમાં ગત ચેમ્પિયન બ્રાઝિલ સામે મજબૂત આર્જેન્ટિનાની ટક્કર થશે. ત્યારે વિશ્વના સ્ટાર સ્ટ્રાઇક લિયોનસ મેસ્સીનું લક્ષ્ય તેના સુકાનીપદ હેઠળ આર્જેન્ટિનાને પહેલીવાર કોઇ મોટી ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનાવવાનું રહેશે. આર્જેન્ટિનાની ટીમે 1993 બાદથી કોઇ મોટો ખિતાબ જીત્યો નથી.

મેસ્સી 2007, 2015 અને 2016ની કોપા અમેરિકા કપ હારનાર આર્જેન્ટિનાની ટીમનો હિસ્સો રહ્યો છે. જ્યારે 2014ના વર્લ્ડ કપના ફાઇનલમાં તેને જર્મની સામે હાર સહન કરવી પડી હતી. આર્જેન્ટિનાએ સેમિ ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં કોલંબિયાને હાર આપીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

બીજી તરફ નેમાર એન્ડ કું. ખિતાબ બચાવવા મેદાને પડશે. બ્રાઝિલ ગત ચેમ્પિયન છે અને આ વખતે પણ ટ્રોફીનું પ્રબળ દાવેદાર છે. બ્રાઝિલે સેમિ ફાઇનલમાં પેરૂને 1-0 ગોલથી હાર આપીને ફાઇનલમાં પ્રવેશ કર્યોં હતો. આર્જેન્ટિના અને બ્રાઝિલ વચ્ચેનો ફાઇનલ મુકાબલો ભારતીય સમય અનુસાર રવિવારે સવારે પ-30 વાગ્યાથી શરૂ થશે.

July 10, 2021
rain_forecast.png
1min455

10મી થી 17મી જુલાઇ સુધીમાં ગુજરાતના 75 ટકા ભાગોમાં બે થી ત્રણ ઈંચ તથા બાકીના વિસ્તારોમાં બે ઈંચ સુધીનો વરસાદ થવાની આગાહી જુદી જુદી ક્લાઇમેટ સાઇટ દ્વારા કરવામાં આવી છે.

બંગાળની ખાડીના ભેજયુકત પવનો ભારત ઉપર ફૂંકાશે. એક સાયકલોનીક સરકયુલેશન ઓડીશા, પશ્ચિમ બંગાળ લાગુ બંગાળની ખાડી ઉપર 4.5 કિ.મી.ના લેવલનું છે. 3.1 કિ.મી.ના લેવલે એક ટ્રફ આ સાયકલોનીક સરકયુલેશનથી આંધ્ર અને ઓડીશા તરફ 3.1 કિ.મી.ના લેવલે છે. જે એક – બે દિવસમાં લો પ્રેશર મધ્ય પશ્ચિમ બંગાળની ખાડીમાં થશે.

તા. 10 થી 17 જુલાઈ સુધીની આગાહી આપતા જણાવેલ છે કે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે અને ક્રમશ: માત્રામાં વધારો થતો જશે. સૌરાષ્ટ્ર અને ગુજરાત રીજનના 75% વિસ્તારોમાં હળવો – મધ્યમ – ભારે અને વધુ ભારે વરસાદ વરસી શકે છે. અમુક દિવસે છૂટોછવાયો કયારેક સાર્વત્રિક અલગ અલગ વિસ્તારમાં જેમાં એકલ દોકલ વિસ્તારોમાં અતિ ભારે આગાહી સમયમાં કુલ વરસાદની માત્રા 50 થી 75 મી.મી. જેમાં અતિ ભારે વરસાદવાળા સેન્ટરોની માત્રા 75 મી.મી.થી 200 મી.મી. સુધી થઈ જશે. સૌરાષ્ટ્ર-ગુજરાતનાં બાકીના 25 ટકા ભાગોમાં અલગ અલગ દિવસોમાં ઝાપટાથી માંડીને બે ઈંચ વરસાદ થઈ શકે છે. કચ્છમાં પણ સમાન સ્થિતિ રહેવાની શકયતા છે.

July 9, 2021
cia_society-1280x880.jpg
2min512

Jayesh Brahmbhatt 98253 44944

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ક્રિએટીવ હાઇવ સ્ટુડીયોના સંયુકત ઉપક્રમે તા. ૯, ૧૦ અને ૧૧ જુલાઇ ર૦ર૧ના રોજ સવારે ૧૧:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યા દરમ્યાન અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે સુરત શહેરના ૭૦થી વધુ કલાકારોના પેઇન્ટીંગ એકઝીબીશન ‘RAY’નું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ‘RAY’ એટલે સારા વર્તમાન અને ભવિષ્યની આશાઓ. આ નામ પસંદ કરવા પાછળનું એકમાત્ર કારણ એ છે કે કોરોના મહામારીના આ સમયગાળા દરમ્યાન જીવનની વ્યાખ્યાઓ બદલાઇ ગઇ છે. દરેકના જીવનના સમીકરણો બદલાઇ જવાને કારણે એક એવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જેને શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે. આ એકઝીબીશનમાં ભાગ લેનારા કલાકારો કેટલાક જરૂરિયાતવાળા છે કે જેમણે કોરોનાને કારણે પોતાની આવક ગુમાવી છે. આવા કલાકારોને ફરીથી પગભર કરવા માટે આ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે કેટલાક એવા કલાકારોએ પણ એકઝીબીશનમાં ભાગ લીધો છે કે જેઓ આ પેઇન્ટીંગમાંથી થનારી કમાણીને બીજાને માટે વાપરશે.

ક્રિએટીવ હાઇવ સ્ટુડીયોના સંચાલક ચરણજીત સિંહ સાથે સંકળાયેલા કલાકારો

  • આશલ મોદી, 
  • આકાશ ખરસાડિયા, 
  • અલીશા પટેલ, 
  • અલ્પા જરીવાલા, 
  • અમી ચુડાસમા, 
  • અમિત પટેલ, 
  • અનિતા નેમાની, 
  • અંજલિ જરીવાલા, 
  • અંકિતા પટેલ, 
  • અર્ચા અગરવાલ, 
  • અવનિ દેસાઇ, 
  • આયુષી અડવાણી, 
  • ભાવેશ જોશી, 
  • ભાવિ બૈદ, 
  • ભાવિનિ ગોલવાલા, 
  • ભાવના બચકાનિવાલા, 
  • બિનલ શાહ, 
  • દીપા ધિમ્મર, 
  • દેવિકા ગુપ્તા, 
  • ધૃતિશા ઘોઘારી, 
  • ડિમ્પલ પટવા, 
  • ડો. અદિતી મિત્તલ, 
  • ડો. મીના શાહ, 
  • ગીતા સુથાર, 
  • હર્ષા રૂચંદાની, 
  • હેમ મોદી, 
  • હેનિશા કાપડીયા ગોહેલ, 
  • હેનિશા કાપડીયા, 
  • ઇશાની શાહ, 
  • ઇશિકા ગુપ્તા, 
  • કરિશ્મા પટેલ, 
  • કેશવી પટેલ, 
  • ક્રિષ્ણા જરીવાલા, 
  • મલક મહેતા, 
  • મનિષ ચૌધરી, 
  • મંજરી મહેતા, 
  • મોના દલાલ, 
  • એમ. ફૈઝાન, 
  • મુગ્ધા બાસમાટકર, 
  • મુસ્કાન બંસલ, 
  • નમિતા અરોરા, 
  • નીપા શાહ, 
  • નિધી દેસાઇ, 
  • નિકિતા જરીવાલા, 
  • નિષ્ઠા ઝાવર, 
  • નિષ્ઠા ઉપાધ્યાય, 
  • પાયલ મલ્હોત્રા, 
  • પ્રાચી જિન્દાલ, 
  • પ્રાચી અડવાણી, 
  • પ્રાચી જરીવાલા, 
  • પ્રીતિ મહેતા, 
  • પ્રેરણા શર્મા, 
  • પ્રિયા અગરવાલ, 
  • રઘુવીર સિંઘ, 
  • રાજવી શાહ, 
  • રાશિ હકીમ, 
  • રીના બિલીમોરીયા, 
  • રૂપલ દોશી, 
  • શાયના જિન્દાલ, 
  • શીખા બાફના, 
  • શિતલ ગાંધી, 
  • શ્રદ્ધા વિરાની, 
  • શ્વેતા શાહ, 
  • સ્નેહલ દલાલ, 
  • સુધા અગરવાલ, 
  • સુરભી રાઠી, 
  • તનવી ચૌહાણ, 
  • વિજય પટેલ અને
  • વિલેશ બિલીમોરીયા આ એકઝીબીશનમાં પોતાની કૃતિઓ રજૂ કરી છે.

2 બાય 2ના કેન્વાસમાં બનેલા આ ચિત્રો વેચાણ માટે ઉપલબ્ધ રહેશે અને આ તમામની વેચાણ કિંમત એક ચિત્રના રૂપિયા છ હજાર રહેશે. જેમાંથી ખર્ચાને બાદ કરીને બાકી રહેલી તમામ આવકનો ઉપયોગ કયાં તો ચેરીટી માટે થશે અથવા તો કેટલાક કલાકારોને આત્મનિર્ભર થવા માટે કરવામાં આવશે. શહેરીજનોને આ એકઝીબીશનની મુલાકાત લેવા માટે અને પેઇન્ટીંગની ખરીદી કરવા માટેનું નિમંત્રણ છે.

July 9, 2021
CIA_Live_Logo_New2.jpg
1min1782

Jayesh Brahmbhatt 98253 44944

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નવીન શેઠે મિડીયા કર્મીઓ સાથે વાતચીતમાં એવી માહિતી આપી છે કે ચાલુ શૈક્ષણિક વર્ષ 2021-22 અને 2022-23ના વર્ષમાં એન્જિનયરિંગમાં પ્રવેશ માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું વેઇટેજ 50 ટકા રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે નિમેલી કમિટીએ લીધો છે. અત્યાર સુધી જીટીયુ સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશનું મેરીટ તૈયાર કરવામાં ધો.12ના પરીણાનું 60 ટકા વેઇટેજ અને ગુજકેટ પરીણામનું 40 ટકા વેઇટેજ હતું. પરંતુ, હવે આ વર્ષ અને આગામી વર્ષે ગુજકેટનું વેઇટેજ 50 ટકા કરી દેવામાં આવ્યું છે. ધોરણ 12ના પર્ફોર્મન્સ અને ગુજસેટના પરિણામને એકસમાન વેઈટેજ આપવામાં આવશે. આ નવો નિયમ આ વર્ષ ઉપરાંત આવતા વર્ષ માટે પણ લાગુ રહેશે”, તેમ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર નવીન શેઠે જણાવ્યું.  

ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત બાદ 11 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી અને નવીન શેઠ આ કમિટીના ચેરમેન છે. ધોરણ 12ના શૈક્ષણિક વર્ષનું પરિણામ મેરીટ આધારિત પ્રોગ્રેશનથી નક્કી કરવામાં આવશે.

ગુજસેટની પરીક્ષા ડિગ્રી એન્જિનિયરિંગ, ડિપ્લોમા એન્જિનિયરિંગ, ફાર્મસી તેમજ એગ્રીકલ્ચર કોર્સની સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં એડમિશન લેવા માગતા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે રાજ્ય કક્ષાએ દર વર્ષે યોજવામાં આવે છે.

કમિટીના ચાર સભ્યોએ ગુજસેટની પરીક્ષાને 100 ટકા વેઈટેજ આપવાના સૂચન કર્યા હતા. “એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ લેવા ગુજસેટની પરીક્ષાના રિઝલ્ટને પૂરેપૂરું વેઈટેજ આપવાની સલાહ કમિટીના કેટલાક સભ્યોએ આપી હતી. જોકે, આ વિકલ્પ સંભવ નહોતો કારણકે તેના લીધે વિદ્યાર્થીઓએ મેરિટ બેઝ્ડ પ્રોગ્રેશનને આધારે મેળવેલું ધોરણ 12નું રિઝલ્ટ નકામું બની જાત”, તેમ નવીન શેઠે ઉમેર્યું.

તદપરાંત એન્જિનિયરિંગ એડમિશન સહિત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બી ગ્રુપ અથવા બાયોલોજી વિષય સાથે પાસ થનારા વિદ્યાર્થી માટે માપદંડ નક્કી કરતી કમિટીએ આ જાહેરાત કરી છે. નવીન શેઠના કહેવા મુજબ, 15 જેટલા એન્જિનિયરિંગ કોર્સ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે જેમાં ધોરણ 12માં મેથ્સના બદલે બાયોલોજી પસંદ કરનારા વિદ્યાર્થીઓ એનરોલ થઈ શકે છે. ડેરી ટેક્નોલોજી, રબર ટેક્નોલોજી, બાયોમેડિકલ એન્જિનિયરિંગ, એગ્રિકલ્ચર ટેક્નોલોજી, કેમિકલ અને બાયો-કેમિકલ એન્જિનિયરિંગ, બાયોમેડિકલ એન્ડ રોબોટિક્સ, બાયો-ઈન્ફોર્મેટિક્સ, નેનો ટેક્નોલોજી અને ટેક્સટાઈલ એન્જિનિયરિંગ સહિતના કોર્સનો સમાવેશ કરાયો છે. આ એન્જિનિયરિંગ કોર્સમાં એડમિશન લેતાં પહેલા ઉમેદાવારોએ મેથેમેટિક્સનો ‘બ્રિજ’ કોર્સ પૂરો કરવો પડશે.

મિકેનિકલ, કમ્પ્યૂટર સાયન્સ અને સિવિલ એન્જિનિયરિંગ જેવા એન્જિનિયરિંગ કોર્સમાં આવતા વર્ષથી બાયોલોજી વિષય સાથે ધોરણ 12 પાસ કરનારા વિદ્યાર્થીઓ એનરોલ નહીં કરી શકે, તેમ નવીન શેઠે કહ્યું.

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12નું રિઝલ્ટ તૈયાર કરવા માટે 25:25:50ના રેશિયોનો ઉપયોગ કરશે. મતલબ કે, વિદ્યાર્થીના ધોરણ 12, 11 અને 10ના પર્ફોર્મન્સનું 25:25:50ના રેશિયોમાં મૂલ્યાંકન કરી બારમા ધોરણનું પરિણામ તૈયાર થશે.

July 9, 2021
CIA_Live_Logo_New2.jpg
1min426

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તા.8મી જુલાઇ 2021ના રોજ ગુજરાત સરકારે કોવીડ-19 ગાઇડલાઇન્સ અપડેશન જાહેર કર્યુ. તા.10મી જુલાઇથી ગુજરાતના ફક્ત મોટા શહેરો એટલે કે 8 મહાનગરપાલિકાઓમાં જ કોરોના કરફ્યુ (રાત્રિ કરફ્યુ) રાત્રે 10થી સવારે 6 સુધી યથાવત્ રહેશે. એ સિવાય કોચિંગ, ટ્યુશન ક્લાસીસોને 50 ટકા ક્ષમતાથી ચલાવવાની છૂટ આપી છે. આખું ગામ જાણે છે કે આજકાલ ટ્યુશન ક્લાસીસો સ્કુલો કરતા મોટા થઇ ચૂક્યા છે, હવે એ ટ્યુશન ક્લાસીસો, કોચિંગ ક્લાસીસો ચાલુ રહેશે પણ એનાથી નાની સ્કુલો કે ધો.11-12 જેવા મોટા વર્ગોમાં સ્કુલો કે કોલેજો ને ચલાવવાની મંજૂરી કેમ નથી અપાતી એ અંગે અનેક તર્ક વિતર્કો વાલીઓ અને બુદ્ધિજીવીઓમાં ચર્ચાસ્પદ બની રહ્યા છે.

ચોરેને ચૌટે ચર્ચાતા તર્ક વિતર્કો એવા છે કે

  • જ્યાં કોરોનાના કેસો બિલકુલ નથી એવા જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવાની મંજૂરી કેમ નથી અપાતી, ગ્રામીણ વિસ્તારોમાં આમેય ઓનલાઇન શિક્ષણ અસરકારક રહ્યું નથી, ત્યાં કેસો પણ ઓછા છે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બંધ છે, જો કોચિંગ ક્લાસીસોને મંજૂરી મળતી હોય તો છેવાડાના જિલ્લાઓ, ગ્રામીણ વિસ્તારોમાં ઉપલા વર્ગોની શાળાઓને મંજૂરી આપવી જોઇએ જેથી વિદ્યાર્થીઓના અભ્યાસને પહોંચતું નુકસાન નિવારી શકાય.
  • સરકારે 50 ટકા ક્ષમતા સાથે ટ્યુશન ક્લાસીસો ચલાવવાની મંજૂરી આપી છે, મોટા શહેરો ઉપરાંત મિડીયમ કક્ષાના, ટાયર થ્રી જેવા અર્બન વિસ્તારોમાં પણ આજકાલ ટ્યુશન ક્લાસીસો કોચિંગ ક્લાસીસો સ્કુલો કરતા મોટા છે અને સ્કુલો કરતા વધુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે, હવે આ ટ્યુશન ક્લાસીસો, કોચિંગ ક્લાસીસો ધમધમી ઉઠશે પણ સરકાર કોલેજો કે શાળાઓ શરૂ કરવાની કેમ પરવાનગી આપતી નથી એ સવાલ ઉપસ્થિત થાય છે.
  • જો સ્કુલ કોલેજો શરૂ કરવાથી કોરોનાના કેસો વધવાનો ભય હોય તો શું કોચિંગ ક્લાસીસોમાં વિદ્યાર્થીઓની અવરજવરથી કોરોનાના કેસો નહીં વધે
  • ધંધાદારી ટ્યુશન ક્લાસીસો કરતા તો શાળાઓમાં વધુ સારી રીતે કોવીડ-19ની ગાઇડલાઇન્સનો અમલ થઇ શકે તેમ છે, ધંધાદારી ક્લાસીસોને જ મંજૂરી આપવા પાછળનો તર્ક સરકારે જાહેર કરવો જોઇએ.
  • જો કોચિંગ ક્લાસીસોને ઓફલાઇન શિક્ષણની મંજૂરી મળી શકતી હોય તો સરકારે એટલિસ્ટ કોલેજો કે જ્યાં પુખ્તવયના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ત્યાં કોવીડ ગાઇડલાઇન્સનો સ્વૈચ્છીક અને ચુસ્ત અમલ શક્ય છે ત્યાં શૈક્ષણિક પ્રવૃતિ ઓફલાઇન કરવા માટે કેમ પરવાનગી આપવામાં આવતી નથી.

July 9, 2021
Tokyo-2020-Olympics.png
1min479

કોવિડ-૧૯ના વધતા જતા કેસોને કારણે   જાપાનની રાજધાની ટોક્યોમાં યોજાનારી ઓલિમ્પિક રમતો પ્રેક્ષકોની ગેરહાજરીમાં જ રમાશે.  વિદેશી પ્રેક્ષકોના આવવા પર તો થોડા મહિના અગાઉ જ પ્રતિબંધ મૂકાઇ ગયો છે અને હવે ઇન્ડોર કે આઉટડોર ગેમ્સમાં સ્થાનિક પ્રેક્ષકો પર પણ પ્રતિબંધ મૂકાયો છે. અગાઉ જાપાનના વડા પ્રધાન યોશિહિદે સુગાએ જણાવ્યું હતું કે ‘કોવિડને કારણે લાદવામાં આવેલી કટોકટીની સ્થિતિ આગામી સોમવારથી શરૂ થશે અને ૨૨ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. તેનો મતલબ એ કે ૨૩ જુલાઇથી ૮ ઑગસ્ટ સુધી રમાનારી ઓલિમ્પિક કટોકટી કાળમાં જ યોજાશે. 

‘નવા પ્રકારના ડેલ્ટા વૅરિએન્ટ્સને ધ્યાનમાં લઇ અને તેના ચેપને દેશભરમાં પ્રસરતો રોકવા અમારે ઘણાં જરૂરી પગલાં લેવાં પડશે.’ એમ સુગાએ વધુમાં જણાવ્યું હતું. એક વખત પ્રેક્ષકો મેચો જોવા આવે એની તરફેણ કરતા વડા પ્રધાને જણાવ્યું હતું કે જો કોવિડને કારણે કટોકટી ઊભી થશે તો બેશક હું પ્રેક્ષકો વગરની ઓલિમ્પિક યોજતા અચકાઇશ નહીં અને થયું પણ એમ જ. જાપાનના ઓલિમ્પિક મિનિસ્ટર તમાયો મારુકાવાએ કોવિડ સમસ્યાને ધ્યાનમાં લઇ ગુરુવારે સત્તાવાર રીતે ઓલિમ્પિક રમતોમાં પ્રેક્ષકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. 

July 8, 2021
amazon-digital-kendra-in-su.jpg
1min735

आठ जुलाई (भाषा) अमेजन इंडिया ने गुरुवार को गुजरात के सूरत में अपना पहला डिजिटल केंद्र शुरू किया, जो कंपनी द्वारा 2025 तक भारत के एक करोड़ छोटे और मझोले उद्योगों को डिजिटल बनाने की पहल का हिस्सा है।

कंपनी द्वारा जारी विज्ञप्ति के मुताबिक गुजरात के मुख्यमंत्री विजय रूपानी ने आभासी रूप से इस डिजिटल केंद्र का उद्घाटन किया।

सूरत शहर में सक्रिय लगभग 41,000 एमएसएमई के लिए फायदेमंद साबित होगा।

अमेजन डिजिटल केंद्र एमएसएमई को ई-कॉमर्स से होने वाले फायदों की जानकारी देगा और उन्हें माल भेजने, डिजिटल मार्केटिंग सेवाओं, जीएसटी और कराधान जैसी सेवाओं के लिए भी सहायता देगा।

इस मौके पर अमेजन इंडिया के वरिष्ठ उपाध्यक्ष और कंट्री हेड अमित अग्रवाल ने कहा कि कंपनी ने जब 2013 में देश में अपना परिचालन शुरू किया था, तब ई-कॉमर्स आमतौर पर शहरों से संबंधित था।

उन्होंने आगे कहा कि कंपनी ने विक्रेताओं को पूरे भारत और विश्व स्तर पर ग्राहकों तक पहुंचने में सक्षम बनाने पर ध्यान केंद्रित किया है, और इसके लिए प्रौद्योगिकी, लॉजिस्टिक्स, वितरण बुनियादी ढांचे और डिजिटल भुगतान में उल्लेखनीय निवेश किया है।

अमेज़न इंडिया पर कुल 8,50,000 विक्रेता मौजूद है, जिनमें से इस ई-कॉमर्स दिग्गज़ ने अकेले जनवरी 2020 से अब तक क़रीब 3,00,000 से अधिक विक्रेताओं को प्लेटफ़ॉर्म पर ऑनबोर्ड किया है। फ़िलहाल Amazon पर अकेले गुजरात से ही 1,00,000 से अधिक विक्रेता जुड़े हुए हैं।

कंपनी ने साफ़ किया है कि सूरत में खुले अपने पहले ‘डिजिटल केंद्र’ (Digital Kendra) पर मिलने वाली प्रतिक्रिया को देखते हुए Amazon India जल्द ही देश के अन्य शहरों में भी इनका विस्तार करती नज़र आएगी।

इस बीच गुजरात के सूरत में इस डिजिटल केंद्र के उद्घाटन के दौरान मुख्यमंत्री विजय रूपानी ने अपने वर्चूअल संबोधन में कहा;

“ये काफ़ी अहम क़दम है क्योंकि इसके ज़रिए MSMEs को हालिया चुनौतियों से निपटनें, अपने व्यवसायों को पुनर्जीवित करने और उनके पुनर्निर्माण को लेकर मदद मिलेगी। इस तरह की पहल का के ज़रिए देश का MSME क्षेत्र भारत को $5 ट्रिलियन की अर्थव्यवस्था बनाने के लक्ष्य में अहम योगदान दे सकता है।”

इस मौक़े पर Amazon India के कंट्री हेड अमित अग्रवाल ने बताया कि कंपनी पहले से ही देश में क़रीब 25 लाख MSMEs यूनिट को डिजिटाइज़ कर चुकी है और अब तक भारत में लगभग 10 लाख रोजगार के अवसर पैदा करने में सहयोग प्रदान कर चुकी है।

July 8, 2021
cng.png
1min447

સામાન્ય લોકો પર મોંઘાવરીનો વધુ એક માર પડ્યો છે. પેટ્રોલ, ડીઝલની કમરતોડ ભાવ વધારાથી લોકો પહેલા જ પરેશાન છે અને હવે સીએનજી અને પીએનજીના ભાવમાં પણ વધારો થયો છે. દિલ્હીમાં સીએનજીની કિંમત 43.40 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને 44.30 પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. જ્યારે ઘરેલુ ઉપયોગમાં લેવાતા પીએનજીની કિંમત પણ વધીને 29.66 એસસીએમ થઈ ગયા છે.

ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (આઈજીએલ)એ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ જાણકારી આપી છે કે દિલ્હી ઉપરાંત ગ્રેટર નોયડા, નોયડા અને ગાઝિયાબાદમાં સીએનજીની કિંમત 49.08 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને 49.98 રૂપિયા કિલો થઈ ગઈ છે. અહીં પર પીએનજીની કિંમત 29.61 રૂપિયા પ્રતિ એસસેમ હશે. આ કંપની દિલ્હી અને એનસીએમાં નેચરલ ગેસ ઉપલબ્ધ કરાવે છે. સીએનજી પીએનજીના નવા દર આજ 8-7-21થી લાગુ થઈ ગયા છે.

રાજ્યમાં આજે 8-7-21 ફરી પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ભાવ વધારો થયો છે. પેટ્રોલમાં પ્રતિ લિટરે 34 પૈસા અને ડિઝલમાં પ્રતિ લિટરે 10 પૈસાનો ભાવ વધારો થયો છે. નવા ભાવ વધારા સાથે રાજ્યમાં પેટ્રોલ-ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100 રૂપિયાને નજીક પહોંચી ગઈ છે. ત્યારે હવે પેટ્રોલ-ડિઝલની કિંમત સામાન્ય નાગરિકો માટે હાલાકીનું કારણ બની રહ્યાં છે. આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં નવા ભાવ વધારા સાથે પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.41 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.54 રૂપિયા પર પહોંચી છે.

ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.61 રૂપિયા અને ડિઝલની કિંમત 96.74 રૂપિયા પર પહોંચી છે. તો રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.19 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.34 રૂપિયા પર પહોંચી છે. જ્યારે વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.08 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.21 રૂપિયા પર પહોંચી છે. જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.33 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.47 રૂપિયા પર પહોંચી છે. તેમજ જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.01 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 97.16 રૂપિયા પર પહોંચી છે.

તેવી જ રીતે સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.43 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.58 રૂપિયા પર પહોંચી છે. ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.98 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 98.10 રૂપિયા પર પહોંચી છે.

July 8, 2021
japan-passport-1280x914.jpg
1min496

દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટની વર્ષ ર0ર1ની રેન્કિંગમાં જાપાન ટોચ પર રહ્યં છે. સિંગાપુર બીજા અને જર્મની તથા દક્ષિણ કોરિયાએ સંયુક્ત રીતે ત્રીજું સ્થાન મેળવ્યું છે. ભારત 6 સ્થાન નીચે આવ્યું છે. ભારતીય પાસપોર્ટ ધારકને હાલ 58 દેશ વિઝા ફ્રી પ્રવેશ આપે છે.

સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ચીન (68મા ક્રમે) અને સંયુક્ત અરબ અમીરાતે જોરદાર છલાંગ (15મા ક્રમે) લગાવી છે. તો સૌથી ખરાબ પાસપોર્ટની શ્રેણીમાં અફઘાનિસ્તાન (116મો ક્રમ, તળીયે), સીરિયા, ઈરાક અને પાકિસ્તાન (113મો ક્રમ)નો સમાવેશ થયો છે.’ ભારત પણ આ પ્રતિષ્ઠિત યાદીમાં ગબડીને (2020માં 84મો ક્રમ) 90મા સ્થાને પહોંચી ગયું છે. જો પાસપોર્ટનો ઓલિમ્પિક યોજવામાં આવે તો જાપાનનો ડંકો વાગી જાય.

દર વર્ષે યાત્રાના હિસાબે વર્ષ ર006થી સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદી જાહેર કરનાર હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર જાપાને ફરી એકવાર દુનિયામાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. જાપાની પાસપોર્ટધારકને દુનિયાના 193 દેશમાં વિઝા ફ્રી અથવા વિઝા ઓન અરાઇવલની સુવિધા ઉપલબ્ધ છે. સિંગાપુરના પાસપોર્ટ ધારકને 19ર દેશોમાં એક્સેસની સુવિધા છે. અમેરિકા અને બ્રિટન 7મા સ્થાને છે. ચીને રર ક્રમનો સુધારો નોંધાવ્યો છે. યુએઈ અગાઉ 68મા સ્થાને હતું જ્યાંથી તે સીધું 1પમા સ્થાને આવી ગયું છે.

July 8, 2021
pm_modi_scindhiya.jpg
1min434

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 7/7/2021, બુધવારે પ્રધાનમંડળમાં ધરખમ ફેરફાર કર્યા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયા, સરબાનંદ સોનાવાલા અને નારાયણ રાણેને પ્રધાનમંડળમાં સ્થાન આપ્યું હતું તો આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધન, આઈટી અને કાયદા ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદ તેમ જ માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકર સહિત ૧૨ પ્રધાનને પડતા મૂક્યા હતા. 

PM Modi Cabinet reshuffle Live News Updates: Narendra Modi Cabinet  Expansion Latest News, Full list of ministers in the Modi Cabinet

મે ૨૦૧૯માં બીજી મુદત માટે વડા પ્રધાનપદનો હોદ્દો સંભાળ્યા બાદ પ્રધાનમંડળમાં પ્રથમવાર ફેરફાર કરવામાં આવ્યા હતા.

પ્રધાનમંડળમાં જેમને સ્થાન આપવામાં આવ્યું છે તેમાં નવા ચહેરાઓ સહિત ૧૫ કૅબિનેટ પ્રધાન અને ૨૮ રાજ્ય કક્ષાના પ્રધાનનો સમાવેશ થાય છે.  

રાષ્ટ્રપતિ ભવનના દરબાર હૉલમાં યોજવામાં આવેલા શપથગ્રહણ સમારોહમાં નવા ચહેરા સહિત ૧૫ કૅબિનેટ પ્રધાનને શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. 

રાજ્યસભાના સાંસદ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ૬૯ વર્ષના નારાયણ રાણેએ સૌપ્રથમ શપથગ્રહણ કર્યા હતા. રાણે બાદ ૫૮ વર્ષના સોનાવાલાએ શપથગ્રહણ કર્યા હતા. 
કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અને મધ્ય પ્રદેશથી રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ કૅબિનેટ પ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા હતા. 

મધ્ય પ્રદેશના તિકમગઢથી લોકસભાના સાંસદ વીરેન્દ્રકુમાર, ઓડિશાથી રાજ્યસભાના સાંસદ અશ્ર્વિની વૈષ્ણવ, બિહારથી રાજ્યસભાના સાંસદ અને જનતા દળ (યુ)ના નેતા આર.સી.પી સિંહ, બિહારના લોકસભાના સાંસદ હાજીપુર પશુપતિકુમાર પારસે પણ કૅબિનેટના પ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા હતા. 

કિરણ રિજિજુ, આર. કે. સિંહ, હરદીપસિંહ પુરી, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, જી. કિસન રેડ્ડી અને અનુરાગ ઠાકુરની પણ કૅબિનેટ સ્તરે બઢતી કરવામાં આવી હતી. 

પ્રધાનમંડળમાં સ્થાન પામેલા નેતાઓની સરેરાશ ઉંમર ૫૮ થી ૬૧ વર્ષ જેટલી છે.