CIA ALERT

Alert Archives - Page 138 of 510 - CIA Live

September 23, 2021
pmmodi-1280x855.jpg
2min377

ભારતીય સમયાનુસાર પીએમ મોદી ગુરુવારે સવારે વોશિંગ્ટન પહોંચ્યા હતાં, જ્યાં ભારતીય સમુદાય દ્વારા વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 

ભારતીય સમુદાય દ્વારા વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજથી જ પીએમ મોદી તેમની બેઠકોનો દોર શરૂ કરશે, જે મુજબ પહેલા દિવસે કેટલીય કંપનીઓના સીઈઓ સાથે વડાપ્રધાન મોદી મુલાકાત કરશે. 

એરપોર્ટ પર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત 

કોરોના કાળ વચ્ચે પહેલી વાર પીએમ મોદીની કોઈ મોટી વિદેશી યાત્રા થઈ રહી છે. ગુરુવારે સવારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ વડાપ્રધાન વોશિંગ્ટન પહોંચ્યા હતાં. જયાં એરપોર્ટ પર ભારતીય સમુદાય દ્વારા પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીના આગમનને કારણે એરપોર્ટ પર ભારે ભીડ જોવા મળી હતી.  પીએમ મોદીએ આ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ વડાપ્રધાને ટ્વિટર પર કેટલીક તસવીર શેર કરી હતી. 
 
આજે વડાપ્રધાન મોદીને કેટલીય મહત્વની મુલાકાત છે, જેમાં તેઓ પ્રખ્યાત કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરશે. આ ઉપરાંત પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કૉટ મૉરિસન સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે. 

પીએમ મોદીનો સમગ્ર કાર્યક્રમ (ભારતીય સમયનુસાર) 23 સપ્ટેમ્બર, ગુરુવાર

7.15 PM: ક્યુઅલકોમના સીઇઓ ક્રિસ્ટિયાનો એમોન સાથે બેઠક.
7.35 PM: એડોબના ચેરમેન સાથે બેઠક.
7.55 PM: માર્ક વિડમરને મળો, પ્રથમ સોલ
8.15 PM: જનરલ એટોમિક્સના CEO સાથે બેઠક.
8.35 PM: બ્લેકસ્ટોનના CEO સાથે બેઠક.
11 PM: ઓસ્ટ્રેલિયન પીએમ સ્કોટ મોરિસન સાથે મુલાકાત

24 સપ્ટેમ્બર, શુક્રવાર

12.45 am: ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા
03.00 AM: જાપાની પીએમ સાથે મુલાકાત

પોતાની ત્રણ દિવસની મુલાકાતે પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત હશે.આ સિવાય પીએમ મોદી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ મળવાના છે. પીએમ મોદીએ ક્વાડ દેશોની બેઠકમાં ભાગ લેવાનો છે.આ સાથે જ વડાપ્રધાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને પણ સંબોધિત કરશે.

અફઘાનિસ્તાનમાં તાજેતરના વિકાસ, કોરોના સંકટ, રસીકરણ સહિત તમામ મુદ્દાઓ પર ભારતની ભૂમિકા ખૂબ મહત્વની છે, જેની વૈશ્વિક સ્તર પર અસર પહોંચી છે.  તેવામાં પીએમ મોદીના આ પ્રવાસને ખુબ જ અગત્યનો માનવામાં આવી રહ્યો છે. 

September 23, 2021
IPL_cia.jpg
1min392

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં અહીં 23/9/21 ગુરુવારે મુંબઈ ઇન્ડિયન્સની સામે કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે.

આઇપીએલની ગયા વખતની વિજેતા ટીમ મુંબઈ ઇન્ડિયન્સનો સુકાની રોહિત શર્મા પોતાની ટીમ માટે આ મૅચમાં પ્રેરણાદાયક બની રહેવાની આશા રખાય છે. મુંબઈ ઇન્ડિયન્સ ગયા રવિવારે રોહિત શર્મા અને સ્ટાર ઑલ-રાઉન્ડર હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ચેન્નઇ સુપર કિંગ્સની સામેની મૅચમાં ૨૦ રને હારી ગઇ હતી. આ બન્ને ખેલાડીને તકેદારીના પગલાંના ભાગરૂપે રવિવારની મૅચમાં આરામ અપાયો હતો. આમ છતાં, મુખ્ય પ્રશિક્ષક મહેલા જયવર્દેનેએ જણાવ્યું હતું કે રોહિત શર્મા ગુરુવારની કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મૅચમાં રમવા માટે શારીરિક રીતે સુસજ્જ થઇ જશે.

કોલકાતા નાઇટ રાઇડર્સે આ લીગના બીજા તબક્કાની પ્રારંભિક મૅચમાં રોયલ ચૅલેન્જર્સ બેંગલોરને નવ વિકેટથી હરાવ્યું હતું.

મુંબઈ ઇન્ડિયન્સ આઠ પૉઇન્ટની સાથે ચોથા ક્રમે છે. ગયા વખતની વિજેતા આ ટીમે લીગ ટૅબલમાં આગળ આવવા માટે હવે વિજય મેળવવો જરૂરી છે. રોહિત શર્મા અત્યાર સુધી સારા ફૉર્મમાં રમી રહ્યો છે અને તે કોલકાતા નાઇટ રાઇડર્સની સામે પોતાનું આ ફૉર્મ જાળવી રાખે અને પોતાની ટીમમાં જુસ્સાનો સંચાર કરે એવી આશા છે.

આ ઉપરાંત, સૌરભ તિવારીની આક્રમક બૅટિંગ પણ ઉપયોગી થઇ શકે છે. તેણે ચેન્નઇ સુપર કિંગ્સ સામેની મૅચમાં અણનમ અડધી સદી કરી હતી. કોલકાતા નાઇટ રાઇડર્સે પોતાની અગાઉની મૅચ મોટા તફાવતથી જીતી હોવાથી તેને નવું જોમ મળ્યું છે.

September 23, 2021
madhuban_dam.jpg
1min401

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મંડાણ કર્યા છે. મંગળવારથી બુધવારની સવાર સુધીમાં ખાનવેલ વિસ્તારમાં ભારે વરસાદ પડવાને કારણે નદી-નાળાં છલકાઈ ગયાં છે. સેલવાસમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડયો હતો, જ્યારે ખાનવેલ વિસ્તારમાં આઠ ઇંચથી વધુ વરસાદ પડયો છે.

વલસાડના કપરાડામાં સવારે ૬ થી બપોર સુધી સાડા ચાર ઈંચ વરસાદ વરસી ચૂક્યો હતો. વલસાડ જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. મધુબન ડેમના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદથી ડેમમાં ૧ લાખ ૯૨ હજાર ૩૫૮ ક્યુસેક પાણીની આવક વધતા ડેમના ૧૦ દરવાજા ૩.૨૦ મીટર ખુલ્લા રાખીને ડેમમાંથી દર કલાકે ૧ લાખ ૭૯ હજાર ૨૪૮ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું.  

ડેમના ઉપરવાસમાં ૪૮૪ મિમી વરસાદ ચાર કલાકમાં ખાબકતા દમણગંગા નદીના તટ વિસ્તારમાં આવેલા સેલવાસ, દમણ અને વલસાડ જિલ્લાના ગામડાઓને ઍલર્ટ કરી દેવામાં આવ્યા હતા.

September 22, 2021
modi.jpg
1min368
Narendra Modi in US LIVE Updates: PM Leaves for Visit, Calls it Occasion to  Strengthen Global Strategic Partnership

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રણ દિવસનો અમેરિકા પ્રવાસ આજથી 22/9/21થી શરુ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિદેશ મંત્રી એસ. જયશંકર, એનએસએ અજીત ડોભાલ અને વિદેશ સચિવ શ્રૃંગલા પણ હશે.

Narendra Modi Visiting US From September 22 to September 27

વડાપ્રધાન અમેરિકાના પ્રથમ મહિલા ઉપ રાષ્ટ્રપ્રમુખ કમલા હૈરિસ સાથે મુલાકાત કરશે. રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન સાથે પણ વડાપ્રધાનની મુલાકાત થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન વચ્ચે બે વાર વર્ચ્યુઅલ મીટિંગ થઈ ચૂકી છે પરંતુ પહેલી વાર તેમની રુબરુ મુલાકાત થશે. 

Agenda

  • અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન સાથે દ્વિપક્ષીય મીટિંગ.
  • અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસ સાથે મુલાકાત.
  • ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન સાથે મુલાકાત.
  • જાપાનના પીએમ યોશીહિદે સુગા સાથે મુલાકાત.
  • QUAD દેશોની મીટિંગમાં વડાપ્રધાન ભાગ લેશે.
  • કોવિડ સંબંધિત ગ્લોબલ મીટિંગમાં ભાગ લેશે.
  • અમેરિકન કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે.
  • યુએનની વાર્ષિક સભાને પણ સંબોધિત કરશે.

25 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિફોર્મ બાબતે સ્પષ્ટ વાત કરી શકે છે. અત્યારે જ્યારે ભારત આઝાદીની 75મી જયંતિ ઉજવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન યુએનમાં પોતાની ભાગીદારી વધારવા અને તેમાં જરુરી પરિવર્તન બાબતે પોતાનો પક્ષ રજૂ કરી શકે છે. આ સિવાય અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સંબંધોને લગતી ચિંતાઓ પર પણ વડાપ્રધાન પોતાની વાત મૂકશે. ભારતે જણાવ્યું છે કે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ગઠબંધનની ક્વોડ દેશો પર કોઈ અસર નહીં થાય. આ નવા ગઠબંધનને ઓક્સ નામ આપવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા એવા સમય દરમિયાન જઈ રહ્યા છે જ્યારે દુનિયાભરના દેશો પોતાની અર્થવ્યવસ્થાની ગાડીને પાટા પર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બીજી બાજુ અફઘાનિસ્તાનનું નેતૃત્વ હવે તાલિબાનના હાથમાં છે. આ સ્થિતિમાં અમેરિકા સહિત આખી દુનિયાની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પર છે.

September 21, 2021
cia_edu-1280x925.jpg
3min375

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 બાયોલોજી વિષય સાથે અભ્યાસ પૂરો કરનાર વિદ્યાર્થીઓ હાલમાં નીટ-2021ની પરીક્ષઆનું પરીણામ ક્યારે જાહેર થશે તેની રાહ જોઇને બેઠા છે. પરંતુ, કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓ પરીણામ આવે ત્યાં સુધી રાહ જોયા વગર તેમનો ભાવિ પ્લાન બનાવી દેતા હોય છે. જેમકે અંદાજિત સ્કોરના આધારે કઇ કઇ મેડીકલ કોલેજોમાં પ્રવેશ મળી શકે તેની વિગતો એક પેપર પર તારવી લઇને, તેની ફી, ઘરથી દૂર હોય તો હોસ્ટેલ કે રહેવાની અન્ય વ્યવસ્થા વગેરેથી પોતાની જાતને અપગ્રેડ કરતા હોય છે.

ધો.12 બાયોલોજી વિષય સાથે અભ્યાસ પૂરી કરીને હાલમાં નીટના પરીણામની રાહ જોતા વિદ્યાર્થીઓ માટે અહીં ભારતની ટોપ-20 મેડીકલ કોલેજોની યાદી રજૂ કરી છે. આ માહિતી એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી નિવડશે કે જેમનો સ્કોર 575 પ્લસ આવી શકે તેમ છે અને જે વિદ્યાર્થીઓ ભારતની ટોપ કોલેજમાં અભ્યાસ કરવાનું સપનું ધરાવે છે.

ભારતની ટોપ-20 મેડીકલ કોલેજો

COLLEGESSTATERANK
All India Institute of Medical SciencesDelhi1
Post Graduate Institute of Medical Education and ResearchChandigarh2
Christian Medical CollegeTamil Nadu3
National Institute of Mental Health & Neuro Sciences, BangaloreKarnataka4
Sanjay Gandhi Postgraduate Institute of Medical SciencesUttar Pradesh5
Amrita Vishwa VidyapeethamTamil Nadu6
Banaras Hindu UniversityUttar Pradesh7
Jawaharlal Institute of Post Graduate Medical Education & ResearchPondicherry8
King George`s Medical UniversityUttar Pradesh9
Kasturba Medical College, ManipalKarnataka10
Sree Chitra Tirunal Institute for Medical Sciences and TechnologyKerala11
Institute of Liver and Biliary SciencesDelhi12
St. John’s Medical CollegeKarnataka13
Sri Ramachandra Institute of Higher Education and ResearchTamil Nadu14
Aligarh Muslim UniversityUttar Pradesh15
Madras Medical College & Government General Hospital, ChennaiTamil Nadu16
Maulana Azad Medical CollegeDelhi17
Vardhman Mahavir Medical College & Safdarjung HospitalDelhi18
Dr. D. Y. Patil VidyapeethMaharashtra19
S.R.M. Institute of Science and TechnologyTamil Nadu20
September 21, 2021
prayagraj-news-narendra-giri.jpeg
1min550

પ્રયાગરાજ સ્થિત ગેસ્ટ હાઉસમાંથી અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિનું શંકાસ્પદ સ્થિતિમાં મૃતદેહ મળી આવ્યો છે.

પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી છે. જેમાં તેઓએ કેટલાંક આરોપો પણ લગાવ્યા છે. જો કે, હજુ સુધી પોલીસે કોઈ સ્પષ્ટતા કરી નથી.

થોડા સમય પહેલાં મહંત નરેન્દ્ર ગિરિનો તેમના શિષ્ય આનંદ ગિરિ સાથે વિવાદ થયો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને આ આત્મહત્યાનો કેસ લાગી રહ્યો છે. પણ મોત પાછળનું સાચુ કારણ શું છે એ જાણવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના બાદ ફોરેન્સિક અને સ્પેશિયલ ટીમ પણ પહોંચી હતી. તેઓ વિવિધ પુરાવા એકત્ર કરી રહ્યા છે. પ્રયાગરાજ રેન્જ આઈજી કે.પી, સિંહે જણાવ્યું કે, સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ પહોંચી ત્યારે મહંતનું મોત થઈ ચૂક્યું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યા લાગી રહી છે. મહંત પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી છે. સુસાઈડ નોટમાં તેઓએ કેટલાંક ખુલાસા કર્યા છે.

નરેન્દ્ર ગિરિના નિધન પર પીએમ મોદી અને સીએમ યોગી સહિત અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે, અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરિજીનું નિધન ખૂબ જ દુઃખદ છે. આધ્યાત્મિક પરંપરાઓ પ્રત્યે સમર્પિત રહેતા તેઓએ સંત સમાજની અનેક ધારાઓને એક સાથે જોડવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રભુ તેમના શ્રી ચરણોમાં તેમને સ્થાન આપે. ઓમ શાંતિ. તો સીએમ યોગીએ લખ્યું કે, અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિજીના નિધનથી આધ્યાત્મિક જગતમાં મોટી ખોટ પડશે. પ્રભુ રામને પ્રાર્થના છે કે દિવંગત પુણ્યાત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે તથા શોકાતુર અનુયાયીઓને દુઃખ સહન કરવાની શક્તિ આપે.

September 21, 2021
rain_forecast.png
1min499

આઈએમડી ગુજરાતના હેડ મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, પૂર્વ રાજસ્થાન અને પૂર્વ રાજસ્થાનથી ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર પર પર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે. ‘અનુકૂળ સ્થિતિ હજી પણ રાજ્યને વરસાદ આપશે. બુધવાર બાદથી ક્યારેક ભારે વરસાદની શક્યતાની સાથે છુટોછવાયો વરસાદ પણ પડી શકે છે’, તેમ તેમણે કહ્યું હતું.

21/9/21, મંગળવારે પંચમહાલ, મહીસાગર, નવસારી અને વલસાડના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે, તેવો ઉલ્લેખ આઈએમડીએ કર્યો હતો. શુક્રવારે ડાંગ, નવસારી અને વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે, તેમ આગાહીમાં ઉમેરવામાં આવ્યું હતું.

dt.20/9/21 સોમવારે, રાતે 8 વાગ્યા સુધીમાં છોટા ઉદેપુરમાં 2.83 ઈંચ, બોડેલીમાં 2.51 ઈંચ, પાવી જેતપુરમાં 1.96 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે મહેસાણાના ઉંઝામાં 1.92 ઈંચ, ખેડાના માતરમાં 1.81 ઈંચ અને મહેસાણાના વિસનગરમાં 1.69 ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદે રાજ્યના જળાશયો અને ખેતીને નવું જીવન આપ્યું છે, જે સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં અછતનો સામનો કરી રહ્યા હતા.

September 21, 2021
IPL_cia.jpg
1min433

અહીં મંગળવારે રમાનારી આઈપીએલની રાજસ્થાન રોયલ્સ અને પંજાબ વચ્ચેની મૅચમાં બંને ટીમ પૉઈન્ટ ટેબલમાં મધ્યમ ક્રમમાં પોતાની સ્થિતિ સુધારવાના પ્રયાસ કરશે. 

છેલ્લી અમુક સિઝન દરમિયાન આ બંને ટીમનું રમત પ્રદર્શન નિરાશાજનક રહ્યું હોવાને કારણે બંને ટીમ પોતાની યોગ્યતા અને ખેલપ્રદર્શન સુધારવાના પ્રયાસ કરશે. આઈપીએલની છેલ્લી ૧૪ સિઝનથી પંજાબની ટીમમાં સ્થિરતા જોવા નથી મળી રહી. કૅપ્ટન અને કોચ સહિતના ખેલાડીઓની સંગીત ખુરશીની જેમ બદલી કરવામાં આવી રહી છે. 

પંજાબની ટીમના કૅપ્ટન કે. એલ. રાહુલની કસોટી થશે કેમ કે તે અનિલ કુંબલેના માર્ગદર્શન હેઠળ તે કેવી બૅટિંગ કરે છે તેના પર જ નહીં, પરંતુ ટીમનું નેતૃત્વ કઈ રીતે કરે છે તેના પર પણ લોકોની નજર હશે. કુંબલે પણ ટીમના કોચ તરીકે પોતાની ક્ષમતા પુરવાર કરવાના પ્રયાસ કરશે. જોકે, પંજાબની નબળી બૉલિંગ રાજસ્થાન રોયલ્સ માટે લાભકારક પુરવાર થશે. 

ટીમ: 
રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન (કૅપ્ટન), લીઆમ લિવિંગસ્ટન, ઈવિન લૅવિસ, ડૅવિડ મિલર, ક્રિસ મૉરિસ, ઑશાન થૉમસ, મુસ્તફિઝુર રહેમાન, ટાબ્રૅઈઝ શામસી, ગ્લૅન ફિલિપ્સ, ચેતન સાકરિયા, રિયાન પરાગ, રાહુલ તેવાટિયા, આકાશસિંહ, અનુજ રાવત, કે. સી. કેરિઅપ્પા, યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે, શ્રેયસ ગોપાલ, કાર્તિક ત્યાગી, મયંક માર્કન્ડે, જયદેવ ઉનડકટ, કુલદીપ યાદવ, મહિપાલ લોમરોર. 

પંજાબ કિંગ્સ: કે. એલ. રાહુલ (કૅપ્ટન), મયંક અગ્રવાલ, અર્શદીપસિંહ, ઈશાન પોરેલ, શાહરૂખ ખાન, મોહમ્મદ શમી, નાથન ઍલિસ, આદિલ રાશિદ, મુરુગન અશ્ર્વિન, હરપ્રીત બ્રાર, મૉસિસ હૅન્રિક્સ, ક્રિસ જૉર્ડાન, ઍડન માર્કરામ, મનદીપ સિંહ, દર્શન નાલકંડે, પ્રભસિમરનસિંહ, રવિ બિશ્ર્નોઈ, ઉત્કર્ષસિંહ, ફાબિઅન ઍલન, સૌરભકુમાર, જાલજ સક્સેના. 

September 21, 2021
dams.jpg
1min413

ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસથી શરૂ થયેલા વરસાદને પગલે હવે અછતની  સ્થિતિ નિવારાઇ છે. રવિવાર dt. 19/9/21 અને સોમવારે 20/9/21 પણ રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે.  

રાજ્યના જળાશયો છલકાઈ ગયાં છે. ગુજરાતમાં વરસાદ પછી ૨૦૬ ડેમો પૈકી ૭૧ ડેમોમાં ૯૦ ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.

રાજ્યમાં આવા ૭૧ ડેમો ઉપર હાઈ એલર્ટ સિગ્નલ અપાયું છે. જ્યારે ૨૦ ડેમોમાં ૯૦ ટકા પાણીનો સંગ્રહ થતાં એલર્ટ અને ૮ ડેમો એવા છે જ્યાં ૮૦ ટકા પાણીનો સંગ્રહ થતાં વોર્નિંગનું સિગ્નલ અપાયું છે. સોમવારે સવારે પૂરા થતા  છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૫ તાલુકાઓમાં વરસાદ થયો હતો . તેમજ દિવસ દરમિયાન પણ અનેક ઠેકાણે હળવાથી ભારે વરસાદ ચાલુ રહ્યો હતો.

વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, ખેડા, બનાસકાંઠા. વડોદરા, આણંદ અને અમદાવાદમાં વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં ૧૯મી સપ્ટેમ્બરની સ્થિતિએ ૫૧ ડેમો ૧૦૦ ટકા ભરાઈ ગયા છે, સરદાર સરોવર સહિત રાજ્યના કુલ ૨૦૭ ડેમોમાં ૬૬.૪૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમોમાં અત્યારે ૭૭.૦૪ ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩માંથી ત્રણ ડેમ સંપૂર્ણ છલકાયા છે. ઉત્તર ગુજરાત અને કચ્છના ડેમોમાં પાણીની ખાસ આવક થઈ નથી. ઉત્તર ગુજરાતના ૧૫ ડેમમાં ૨૯.૨૦ ટકા અને કચ્છના ૨૦ ડેમમાં ૨૬.૪૬ ટકા પાણીનો સંગ્રહ થયો છે. મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમાં ૫૬.૯૩ ટકા ઉપરાંત સરદાર સરોવર ડેમમાં ૫૪.૯૨ ટકા પાણીનો સંગ્રહ થયો છે.

September 20, 2021
IPL_cia.jpg
1min481

આ વર્ષે આઇપીએલના પહેલા તબક્કામાં સાતમાંથી પાંચ મેચમાં જીત મેળવનાર વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તેનું આ શાનદાર ફોર્મ જાળવી રાખવાના લક્ષ્ય સાથે સોમવારે રમાનાર મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ મેદાને પડશે.

આરસીબી હાલ 10 પોઇન્ટ સાથે ત્રીજા નંબરે છે. આ સામે ઇયોન મોર્ગનના કપ્તાન પદ હેઠળની ટીમ કોલકતા નાઇટ રાઇડર્સ સાત મેચમાં ફક્ત બે જીત સાથે ચાર અંક ધરાવે છે અને સાતમા સ્થાને છે. પ્લેઓફ માટે કેકેઆરને બીજા તબક્કાના પ્રથમ મેચથી જ કરો યા મરોનો જંગ ખેલવો પડશે.

કોલકતાની ટીમને બીજા તબક્કાથી ભાગ્ય બદલાશે તેવી આશા છે. 2014માં આવી સ્થિતિમાં સતત નવ મેચ જીતીને ખિતાબ તેનાં નામે કર્યો હતો. ટીમના મેન્ટર ડેવિડ હસ્સીએ કહ્યંy છે કે યુએઇની બદલાયેલી પરિસ્થિતિમાં ટીમ સારાં પરિણામ હાંસલ કરશે. જો કે પહેલા મેચમાં જ કેકેઆરની રાહ કઠિન રહેશે. સામે મજબૂત આરસીબી છે. જેનો કેપ્ટન કોહલી વર્લ્ડ કપ બાદ સુકાન છોડવાની જાહેરાત કરી ચૂક્યો છે. તે હવે મોટી ઈનિંગો રમવા બેતાબ છે.

બન્ને ટીમ વચ્ચે આઇપીએલમાં 27 ટક્કર થઈ છે. જેમાં કેકેઆરે 14 અને આરસીબીએ 13 જીત મેળવી છે. આ સિઝનના પહેલા ભાગના મેચમાં કેકેઆરનો આરસીબી સામે 38 રને વિજય મેળવ્યો હતો. કેકેઆરને સુકાની ઇઓન મોર્ગન, યુવા શુભમન ગિલ, સ્ટાર આંદ્રે રસેલ, અનુભવી દિનેશ કાર્તિક અને શકિબ અલ હસન પાસેથી સારા દેખાવની આશા રહેશે. બીજી તરફ આરસીબીને સુકાની કોહલી, સ્ટાર ડિ’વિલિયર્સ, યુવા પડીકકલ અને ગ્લેન મેકસવેલ પાસેથી ધમાકેદાર ઇનિંગની આશા રહેશે. હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાઝ, જેમિસન અને ચહલ જેવા સારા બોલર બેંગ્લોરની ટીમને વધુ મજૂબત કરી રહ્યા છે. શ્રીલંકન સ્પિનર હસરંગા છૂપો રૂસ્તમ બની શકે છે.