CIA ALERT

Alert Archives - Page 137 of 510 - CIA Live

October 2, 2021
CIA-1280x937.jpg
2min590

ચોમાસાના સંભવિત છેલ્લા સ્પેલમાં લગભગ પાંચ દિવસ સુધી દેમાર ઝીકાયેલા વરસાદને કારણે સુરત શહેરમાં લગભગ દરેક વિસ્તારોમાં રસ્તાઓ તૂટી ગયા હતા. નાના મોટા ખાડાઓ પડી ગયા હતા. રસ્તાઓ તૂટી જતાની સાથે જ અનેક લોકોએ બિસ્માર રસ્તાઓથી લઇને રોડ ટેન્ડરમાં ખાયકી સુધીની બૂમો શરૂ કરી દીધી હતી. શહેરભરમાંથી ટીકાઓનો વરસાદ જાણે શરૂ થયો હતો. પરંતુ, છેલ્લા બે દિવસ (તા.30મી સપ્ટેમ્બરથી) ઉઘાડ નીકળતા જ સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકોએ તાબડતોબ શહેરભરમાં તૂટી ગયેલા, બિસ્માર રસ્તાઓનું મરામતનું કામ શરૂ કરાવ્યું છે. છેલ્લા બે દિવસથી લગભગ દરેક વિસ્તારમાં રોડ મેઇન્ટેનન્સના કામો યુદ્ધના ધોરણે થતાં જોવા મળી રહ્યા છે. દરેકે દરેક વોર્ડમાં ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો રોડ મેઇન્ટેનન્સના સ્થળે પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને સમગ્ર કામગીરીની દેખરેખ રાખી રહ્યા છે.

ઉઘાડ નીકળતા જ તક મળી એટલે રસ્તા રિપેરિંગનું કામ શરૂ કરાવ્યું

નાનપુરા-અઠવા-ઉમરા-પોપલોદ વોર્ડ નં.21ના કોર્પોરેટર અશોકભાઇ રાંદેરીયાએ કહ્યું કે ટીકા કરનારાઓ તેમનું કામ કરે છે, અમારું કામ અમે કરીએ છીએ. ભાજપાની સરકાર, કામ કરતી સરકાર અને એટલે જ મતદારોની પસંદ છે. બધા જ જાણે છે ભારે વરસાદ પડ્યો અને રસ્તાઓ તૂટ્યા. તૂટેલા રસ્તાઓને મરામત કરાવવા માટે ઉઘાડ નીકળવો જરૂરી હતો. ઉઘાડ નીકળ્યો અને તરત જ અમારા વોર્ડમાં રસ્તા મરામતના કામો શરૂ કરાવવામાં આવ્યા છે.

ગુજરાત ગેસ સર્કલ પર રોડ મેઇન્ટેનન્સ

શહેરભરમાં તૂટેલા રસ્તાઓની યોગ્ય રીતે મરામતના કામો શરૂ કરાયા છે. આજરોજ તા.1લી ઓક્ટોબરે શહેરના અડાજણ ગુજરાત ગેસ સર્કલ પર પણ મેઇન્ટેનન્સનું કામ હાથ ધરાયું હતું. સ્થાનિક કોર્પોરેટર કેયુર ચપટવાળા તેમજ અન્ય આગેવાનો આ સમયે સ્થળ પર ઉપસ્થિત હતા.

કોર્પોરેટર દિપેશ પટેલ પોતાના વિસ્તારમાં રોડ મેઇન્ટેનન્સની કામગીરી કરી રહ્યા છે

એસડી જૈન સ્કુલ પાસેના રસ્તા પર મરામતનું કામ પૂરજોશમાં કરી દેવાયું

તસ્વીરો જ બોલે છે, પાલિકાના ભાજપ શાસકોએ પુરવાર કરવાની જરૂર નથી કે તેઓ કામ કરતી સરકાર છે

September 28, 2021
android.jpg
1min473

ગુગલ google કંપનીએ 2.3 વર્ઝન ધરાવતા મોબાઇલ ફોન પર જીમેલ, યુટ્યુબ અને ગૂગલને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. પરીણામે 2.3 વર્ઝન ધરાવતા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન આજથી નકામા બની જશે. એન્ડ્રોઇડ વર્ઝન ૨.૩ 11 વર્ષ અગાઉ ડિસેમ્બર 2010માં માર્કેટમાં આવ્યું હતું અને ગૂગલ સતત તેની આ ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરતું રહ્યું છે. ગૂગલના આ વર્ઝનનું નામ જિંજરબ્રેડ છે. હવે એન્ડ્રોઇડ 12ના લોંચ થવાની ઘડીઓ ગણાય રહી છે ત્યારે ગુગલે 11 વર્ષ જૂના એન્ડ્રોઇડ 2.3 વર્ઝનના તમામ ઇન્સ્ટ્રુમેન્ટસ પરથી પોતાની સેવાઓને સમાપ્ત કરી દીધી છે.

જો તમે અત્યાર સુધી એન્ડ્રોઇડ 2.3 વર્ઝનનો ઉપયોગ કરતાં હોવ, તો આજથી તમને જીમેલ, યુટ્યુબ અને ગૂગલની સેવાઓ મળશે નહીં. આ પછી પણ તમારે તમારો જૂુના જ ફોન ઇન્સ્ટ્રુમેન્ટને વપરાશમાં લેવું હોય તો તેમાં એન્ડ્રોઈડ 3.0 કે તેનાથી ઉપરનું વર્ઝન અપગ્રેડ કરવું પડશે, તો તમને આ સેવાઓનો લાભ મળશે.

જો તમારું જૂનું મોબાઇલ ફોન ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ્રોઇડ વર્ઝન અપગ્રેડ કરવામાં સક્ષમ નથી, તો તમારે નવો સ્માર્ટફોન ખરીદવો પડશે.

September 28, 2021
IPL_cia.jpg
1min384

DC Vs KKR –

શારજાહ: અહીં રમાઈ રહેલી આઈપીએલ ટી-૨૦ ટુર્નામેન્ટમાં મંગળવારે દિલ્હી કૅપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો જોવા મળશે. આ મૅચમાં વિજય મેળવીને દિલ્હી કૅપિટલ્સ પ્લૅ ઑફમાં પોતાનું સ્થાન નિશ્ર્ચિત કરી લેવાનો પ્રયાસ કરશે.

અહીંના શારજાહ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાનારી મૅચમાં કેકેઆરના ઈજાગ્રસ્ત ઑલરાઉન્ડર ઍન્ડ્રે રસેલની ટીમમાં ગેરહાજરી દિલ્હી કૅપિટલ્સના આ આશાવાદ માટેનું મોટું અને મહત્ત્વનું કારણ છે. 

આઈપીએલનું ટાઈટલ પ્રથમ જ વખત મેળવવા ઉત્સુક બનેલી દિલ્હી કૅપિટલ્સની ટીમે આ સિઝનમાં હજુ સુધી આક્રમક રમત દેખાડી છે. 

ગયા વરસે આઈપીએલની ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે પરાજિત થયેલી દિલ્હી કૅપિટલ્સની ટીમ આ વખતે આક્રમક મૂડમાં છે અને ગયા વરસની સરખામણીએ વધુ સારું પ્રદર્શન કરવા સજ્જ હોવાનું જણાઈ રહ્યું છે. 

દિલ્હી કૅપિટલ્સને ૧૬ પૉઈન્ટ સાથે આઈપીએલ પૉઈન્ટ ટેબલમાં બીજું તો બે વખત આઈપીએલની વિજેતા કેકેઆર ટીમને ચોથું સ્થાન આપવામાં આવ્યું હતું. 

આઈપીએલ: આજે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર

અબુધાબી: અહીં રમાઈ રહેલી આઈપીએલ ટી-૨૦ ટુર્નામેન્ટની આ મૅચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર જોવા મળશે. પરાજયની હેટ્રીક કરનાર મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે તેના ટોચના બૅસ્ટમેનો ફૉર્મ મેળવી લે તે ખૂબ જ જરૂરી છે. યુએઈમાં આઈપીએલનો આરંભ થયા બાદ ત્રણે મૅચમાં પરાજય મેળવનારી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે સમય હાથમાંથી સરી રહ્યો છે. 

૧૦ મૅચમાં આઠ પૉઈન્ટ સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પૉઈન્ટ ટેબલમાં ગબડીને સાતમા સ્થાને પહોંચી ગઈ છે. આઈપીએલની પાંચ વખત ચૅમ્પિયન રહેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે અત્યાર સુધીમાં ચેન્નઈ સુપર કિંગ્સ-સીએસકે, રોયલ ચેલેન્જર્સ બેંગલોર-આરસીબી અને કોલકાતા નાઈટ રાઈડર્સ-કેકેઆર સામેની મૅચમાં પરાજય મેળવ્યો છે.  કૅપ્ટન રોહિત શર્મા સહિત ટોચના બૅટ્સમેનોની નિષ્ફળતા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે ચિંતાનો વિષય છે. બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મૅચમાં વિજયી બનેલી પંજાબની ટીમને પૉઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને મૂકવામાં આવી છે. 

૧૦ મૅચમાં આઠ પૉઈન્ટ સાથે પંજાબ કિંગ્સને પણ હવેની મૅચ ગુમાવવાનું અને પૉઈન્ટ ટેબલમાં નીચે સરકવાનું પરવડે એમ નથી.

September 27, 2021
CIA_Live_Logo_New2.jpg
1min2015

ઉકાઇ ડેમના ફ્લડ સેલના શીફ્ટ ઇન્ચાર્જ ડેપ્યુટી એક્ઝિક્યુટીવ ઇજનેર દ્વારા તા.27મી સપ્ટેમ્બર 2021ના રોજ બપોરે 3 કલાકે ઇશ્યુ કરવામાં આવેલા ફ્લડ રિલિઝ મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે હાલમાં ઉકાઇ ડેમમાં પાણીનું લેવલ 342.08 ફૂટ છે. ડેમમાંથી હાલમાં 1,49,867 ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાણી રિલિઝ કરવાનો આ જથ્થો સાંજે 4 કલાકે વધારીને 1,75,000 ક્યુસેક્સ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને જરૂરીયાત મુજબ તેમજ ડેમમાં પાણીના થઇ રહેલા આવરાને ગણતરીમાં લેતા એ વધારીને 1,95,000 ક્યુસેક્સ પણ કરવામાં આવી શકે છે.

ડેમમાં પાણીના થઇ રહેલા આવરાનું મેનેજમેન્ટ કરવા માટે આ પ્રકારે પાણી છોડાઇ રહ્યું છે.

દર વર્ષે વરસાદની સીઝનમાં ઉકાઇ ડેમમાં થતા પાણીના આવરાને કન્ટ્રોલ કરવા માટે આ પ્રકારે વોટર મેનેજમેન્ટ કરવામાં આવે છે.

September 27, 2021
1min539

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા આજરોજ તા.27મી સપ્ટેમ્બર 2021ને સોમવારે પ્રધાન મંત્રી ડિજિટલ હૅલ્થ મિશન (પીએમ-ડીએચએમ)નું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીયોને એક હેલ્થ આઇડી આપવામાં આવશે જેમાં દરેક નાગરીકના વ્યક્તિગત સ્વાસ્થ્ય સંબંધિત માહિતી, બિમારીઓની માહિતી, ઓપરેશન જો કોઇ કરાવ્યા હોય તો તે અંગેની માહિતી, કોઇક દવાની એલર્જી હોય તો તેની હિસ્ટ્રી વગેરે બાબતો નોંધાશે. કોઇપણ સમયે દવાખાનામાં કે હોસ્પિટલાઇઝેશન વખતે સારવાર નિદાન કરનારા તબીબો માટે આ એક સૌથી સહજ, સરળ અને ઓથેન્ટિંક માહિતી હશે.

National Digital Health Mission

વડા પ્રધાને આ યોજના વિશેની જાહેરાત ૧૫મી ઑગસ્ટ, ૨૦૨૦ના દિવસે લાલ કિલ્લા પરથી કરી હતી. 

હાલ, છ કેન્દ્ર શાસિત પ્રદેશમાં હાલ પ્રાથમિક ધોરણે આ યોજનાનો અમલ કરાયો છે. આ ઐતિહાસિક પહેલનું ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૧ના દિવસે સવારે ૧૧ વાગ્યે વડા પ્રધાન ઉદ્ઘાટન કર્યું હતું. આ યોજનાની રાષ્ટ્રવ્યાપી શરૂઆત યોગાનુયોગે નેશનલ હૅલ્થ ઓથોરિટી (એનએચએ)ની યોજના આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાની ત્રીજી વર્ષગાંઠના દિવસથી થઇ રહી છે.

આ પ્રસંગે કેન્દ્રના સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મુદ્દા તરીકે આ યોજનામાં દરેક નાગરિક માટે સ્વાસ્થ્ય ઓળખ (આઇડી)નો સમાવેશ કરાયો છે, જેનો ઉપયોગ એમના સ્વાસ્થ્ય ખાતા તરીકે પણ કરાશે. 

September 27, 2021
cia_gst.jpg
1min381

સરકારે જીએસટી રિફંડનો દાવો કરવા માટે કરદાતાઓના આધાર ઑથેન્ટિકેશનને ફરજિયાત બનાવ્યું છે. સેન્ટ્રલ બૉર્ડ ઑફ ઇનડાઇરેક્ટ ટૅક્સીસ ઍન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)એ જીએસટીના નિયમોમાં સુધારો કર્યો છે, જેમાં જીએસટી માત્ર પાન કાર્ડ સાથે લિંક થયેલા બૅંક ખાતામાં જ જમા થાય (જે ખાતા સાથે જીએસટી રજિસ્ટ્રેશન થયું હોય) સહિતના વિવિધ કરચોરી ડામવાના પગલાં લેવામાં આવ્યા છે. 

જાહેરનામામાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ૧ જાન્યુઆરી, ૨૦૨૨થી જે ઉદ્યોગોએ સમરી રિટર્ન ફાઇલ કરવામાં અને માસિક જીએસટી ભરવામાં ડિફોલ્ટ કર્યું છે, તેઓ આગામી મહિનાનું જીએસટીઆર-૧ વેચાણ રિટર્ન ફાઇલ કરી શકશે નહીં. આ જાહેરનામું ૧૭ સપ્ટેમ્બરે લખનઊ જીએસટી કાઉન્સિલની બેઠકમા ંલવાયેલા નિર્ણયોને અનુસરે છે.  

‘કરચોરીને પકડવા માટે, સરકારે માલિક, ભાગીદાર, કર્તા, મેનેજિંગ ડિરેક્ટર, પૂર્ણ સમયના ડિરેક્ટર અને અધિકૃત હસ્તાક્ષરકર્તા માટે આધાર પ્રમાણીકરણ ફરજિયાત બનાવ્યું છે,’ એમ એએમઆરજી ઍન્ડ એસોસિયેટ્સના સિનિયર પાર્ટનર રજત મોહને જણાવ્યું હતું.   ઇવાયના ટૅક્સ પાર્ટનર અભિષેક જૈને કહ્યું હતું કે, ‘આવક લીકેજ અટકાવવાના ઉદ્દેશથી સરકારે કરદાતાને રિફંડનો દાવો કરવા માટે આધાર ઑથેન્ટિકેશન ફરજિયાત બનાવ્યું છે.                            

September 25, 2021
kartik-Jivani.jpg
1min874

UPSC દ્વારા આજે પરિણામની જાહેરાત કરી દેવામાં આવી છે. દેશભરમાંથી સિવિલ સર્વિસમાં 761 ઉમેદવારો પાસ થયા છે. જેમાંથી સુરતનો કાર્તિક જીવાણી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે અને દેશમાં ટોપ 8માં છે.

તા.24મી સપ્ટેમ્બર 2021ની સંધ્યાએ ભારતમાં યુપીએસસી દ્વારા સિવિલ સર્વિસ પરીક્ષા-2021નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. UPSCના પરિણામમાં કુલ 761 ઉમેદવારો પાસ થયા છે. જેમાં પ્રથમ ક્રમે શુભમ કુમાર આવ્યા છે.

ગુજરાતમાં પ્રથમ નંબરે કાર્તિક જીવાણી આવ્યા છે. તેઓએ સમગ્ર દેશમાં 8મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે તેઓએ અગાઉ સિવિલ સર્વિસની પરીક્ષામાં 84મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આમ અથાગ મહેનત થકી કાર્તિક જીવાણીએ પોતાના લક્ષ્યને હાંસલ કરી દીધો હતો અને હવે તે સુરતના પ્રથમ IAS ઓફિસર બનશે.

કાર્તિક જીવાણીએ 2017માં સિવિલ સર્વિસની પરીક્ષા આપી હતી. જો કે આ પરીક્ષામાં તેઓ નિષ્ફળ નીવડ્યા હતા. પણ તેઓએ હાર માની ન હતી. બે વર્ષ બાદ એટલે કે 2019માં તેઓએ ફરીથી યુપીએસસીની પરીક્ષા આપી હતી. અને 94મો ક્રમ હાંસલ કર્યો હતો. જો કે 2020માં તેઓએ 84મો ક્રમ હાંસલ કર્યો હતો આ વખતે તેઓને IPSમાં સ્થાન મળ્યું હતું. પણ કાર્તિકની ઈચ્છા IAS ઓફિસર બનવાની હતી. અન પોતાના લક્ષ્યને હાંસલ કરવા માટે તેઓએ કોરોના કાળમાં પણ અથાગ મહેનત કરી હતી. અને આજે તેમને સિદ્ધી હાંસલ કરતાં ન ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે. અને હવે તે સુરતથી IAS ઓફિસર બનનાર પ્રથમ ઓફિસર હશે.

કાર્તિકનો જન્મ 1994માં થયો છે. તેના પિતા ડો. નાગજીભાઈ જીવાણી વરાછામાં લેબોરેટરી ચલાવે છે. કાર્તિકે સુરતની પીપી સવાણી અને રાયન ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 12 સાયન્સ સુધીનો અભ્યાસ કર્યો હતો. કાર્તિકે પ્રાથમિક શિક્ષણ ગુજરાતી ભાષામાં મેળવ્યું હતું. જે બાદ તેઓએ મુંબઈની IITમાંથી બી.ટેક મિકેનિકલની ડિગ્રી હાંસલ કરી હતી. 1994માં કાર્તિકના જન્મ સમયે પ્લેગ ફાટી નીકળ્યો હતો અને તે સમયે પ્રસુતિ કરાવવા માટે કોઈ ડોક્ટર પણ મળ્યા ન હતા. પણ તે સમયે એસ.આર.રાવ નામના સુરત કમિશનરે સમગ્ર સુરતની સૂરત બદલી નાખી હતી. અને તેમના કિસ્સા સાંભળીને કાર્તિકને IAS બનવાની ઈચ્છા જાગી હતી.

September 24, 2021
cia_edu-1280x925.jpg
1min450

ડિગ્રી ઈજનેરીની ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર કરવામા આવ્યુ છે. જેમાં પ્રથમવાર બાયોલોજી વિષય સાથે પાસ થયેલા ૮૭૬ વિદ્યાર્થીઓ સહિત ૨૮,૭૫૦ વિદ્યાર્થીઓને ગુજરાતની જુદી જુદી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ મળ્યો છે. પ્રથમ રાઉન્ડના એલોટમેન્ટને સ્પર્શતી કેટલીક હકીકતો જાણવા જેવી છે.

ACPC : ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજોમાં સીટ એલોટમેન્ટ

  • ૪૮ કોલેજોની ૧૬ બ્રાંચોની ૫૩૦૯ બેઠકોમાં એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ માટે ચોઈસ જ આપી ન હતી.
  • એસીપીસીના સીટ એલોટમેન્ટને અંતે સ્ટેટ ક્વોટાને મળતી કુલ બેઠકો પૈકી કુલ ૨૧,૫૪૩ બેઠકો ખાલી રહી છે.

ડિગ્રી ઈજનેરીમાં વિવિધ  ૧૯ જેટલી બ્રાંચોમાં ૧૯ સરકારી અને ૧૧૪ ખાનગી સહિતની ૧૩૩ કોલેજોની ૬૭ હજારથી વધુ બેઠકોમાંથી મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોને બાદ કરતા પ્રવેશ સમિતિએ ભરવાની ૫૦૨૯૩ બેઠકો માટેની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં ૨૮૭૫૦ વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે.

આ વર્ષે મેરિટમાં કુલ ૩૪૬૧૬ વિદ્યાર્થીઓ હતા.જેમાંથી ૩૧૭૫૫ વિદ્યાર્થીએ ચોઈસ ફિલિંગમાં ભાગ લીધો હતો.

  • તમામ બ્રાંચમાં કુલ મળીને ૯.૮૨ લાખથી  વધુ ચોઈસ ભરાઈ હતી.
  • પ્રવેશ ફાળવણીમાં ૧૯ સરકારી કોલેજોની ૧૦૪૯૨ બેઠકોમાંથી ૯૪૦૮ બેઠકો માં પ્રવેશ થયો છે.
  • ૧૧૪ ખાનગી કોલેજોની ૩૯૮૦૧ બેઠકોમાંથી ૧૯૩૪૨ બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે.

એઆઈસીટીઈના નવી ગાઈડલાઈન મુજબ સરકારે આ વર્ષે લાગુ કરેલા નવા નિયમો મુજબ ઈજનેરીની ૧૫ જેટલી બ્રાંચોમાં ધો.12માં બાયોલોજી વિષય સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ પ્રવેશની છુટ અપાઈ છે ત્યારે મેરિટમાં સમાવિષ્ટ બી ગ્રુપના ૧૧૦૦થી વધુ વિદ્યાર્થીઓમાંથી ૮૭૬ વિદ્યાર્થીને બાયોમેડિકલ સહિતની બ્રાંચોમાં પ્રવેશ મળ્યો છે.

  • પ્રથમ રાઉન્ડની ફાળવણી બાદ સરકારી કોલેજોની ૧૦૮૪ અને ખાનગી કોલેજોની ૨૦૪૫૯ બેઠકો ખાલી રહી છે.
  • પ્રથમ રાઉન્ડમાં સૌથી વધુ કમ્પ્યુટર બ્રાંચમાં ૧૦૮૧૦ બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે.
  • કમ્પ્યુટર બ્રાચ માટે ૨૨ હજારથી વધુ વિદ્યાર્થીએ ચોઈસ ભરી હતી.
  • પ્રથમ રાઉન્ડમાં કુલ ૧૩૩ કોલેજોમાંથી માત્ર ૧૩ જ કોલેજોમાં ૧૦૦ ટકા સીટ એલોટમેન્ટ થયુ છે
  • ૫૭ કોલેજોમાં ૫૦ ટકાથી વધુ સીટ એલોટમેન્ટ થયુ છે અને
  • એક કોલેજમાં એક પણ બેઠક પર પ્રવેશ ફાળવાયો નથી.
  • ૭૬ કોલેજોમાં ૫૦ ટકાથી ઓછી બેઠકોમાં પ્રવેશ થયો છે.
  • ૪૮ કોલેજોની ૧૬  બ્રાંચોની ૫૩૦૯ બેઠકોમાં એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ માટે ચોઈસ જ આપી ન હતી.

ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે પ્રથમવાર વિદ્યાર્થીઓની કારકિર્દીને અનુલક્ષીને કોલેજો,કોર્સીસ,બેઠકો,ફી સહિતની તમામ ઉપયોગી માહિતી સાથેની  પુસ્તિકા તૈયાર કરાઈ છે.જેનું આજે શિક્ષણમંત્રી,ટેકનિકલ શિક્ષણ કમિશનર અને પ્રવેશ સમિતિના મેમ્બર સેક્રેટરી દ્વારા વિમોચન કરવામા આવ્યુ હતું.

September 24, 2021
Cia_business_news-1280x936.jpg
1min434

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આમ તો ફ્રાય ડે (શુક્રવાર)નો જ્યારે રેફરન્સ લેવામાં આવે છે ત્યારે મોટા ભાગે બ્લેક ફ્રાય ડે એવા ટાઇટલ જ સાંભળવા મળ્યા છે પરંતુ, આજે તા.24મી સપ્ટેમ્બર 2021નો ફ્રાય ડે ભારતીય શેરબજાર માટે ગુડ ફ્રાયડે બનીને આવ્યો છે.

Sensex closes shy of historic 60,000 mark, Nifty tops 17,800 mark for first  time - BusinessToday

આજે શુક્રવારે ભારતીય શેર બજારના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે સેન્સેક્સે 60,000 સપાટીને કૂદાવી દીધી હતી. અત્યાર સુધી ફક્ત જેની કલ્પના કરવામાં આવી રહી હતી એ 60 હજારનો સૂચકાંક સર કરીને ભારતીય શેરબજારોએ વિશ્વભરના રોકાણકારોનું ધ્યાન ખેંચ્યુ છે.

આજે શેરબજારમાં શરૂઆતના કારોબારમાં બેન્ક અને આઇટી શેરમાં તેજી હતી. સૌથી વધુ વધારો ઇન્ફોસિસના શેરમાં થયો હતો.

ગતરોજ તા.23મી સપ્ટેમ્બર, ગુરુવારે શેરબજારમાં છેલ્લા ઘણા મહિનાઓમાં સૌથી મોટો ઉછાળો આવ્યો હતો. સેન્સેક્સમાં 950 પોઇન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. સવારે 431 પોઈન્ટના વધારા સાથે 59,358 પોઈન્ટ પર ખૂલ્યા બાદ સેન્સેક્સ સાંજે 958 પોઈન્ટ વધ્યો હતો. ગુરુવારે સાંજે સેન્સેક્સ 59,885.36 પોઇન્ટ પર બંધ થયો હતો. જે બુધવારે 58,927.33 પોઇન્ટ પર બંધ થયો હતો. આખા દિવસના કારોબારમાં એક સમય એવો હતો જ્યારે સેન્સેક્સ 59,957.25 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીને સ્પર્શી ગયો હતો. એટલે કે, સેન્સેક્સમાં લગભગ 1030 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. 

September 24, 2021
somnath.jpg
1min675

અરબી સમુદ્ર કાંઠે બિરાજમાન સોમનાથ મંદિરનો સુવર્ણ ઇતિહાસ ફરી જીવંત થાય તે માટે ટ્રસ્ટી મંડળ પ્રયાસ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં સોમનાથ મંદિરનું ગર્ભગૃહ સહિતના અનેક ભાગો સુવર્ણ મઢીત કરવામાં આવેલ છે. ત્યારે હવે આ કડીમાં સોમનાથ મંદિરના ટોચના શિખરને સુવર્ણ મઢીત કરવા અંગે મંદિર ટ્રસ્ટ દ્વારા વિચાર કરવામાં આવેલ છે. આ કામગીરી કરાવવા બાબતે ટ્રસ્ટ દ્રારા એક વિજ્ઞાપન પ્રસિઘ્ઘ કરી કામ કરનાર ઇચ્છકુને આમંત્રિત કર્યા હોવાનું જાણવા મળેલ છે.

” પ્રથમ આદિ જયોતિર્લીંગ સોમનાથ મંદિરના શીખર સમાન ટોચને સુવર્ણ મઢીત કરવાની યોજના સોમનાથ ટ્રસ્ટએ હાથ ધરી છે. જેમાં મંદિર દરિયા કિનારે હોવાથી કઇ રીતે આ કામગીરી શકય બને તે માટે જરૂરી વિચારણા કરવામાં આવી રહેલ છે. જેમાં આ સુવર્ણની કામગીરી કરવા માટે કોન્ટ્રાકટ આપવા એકપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (ઈઓઆઈ) ઈચ્છુકો પાસેથી અરજી મંગાવી છે. જેમાં 30 સપ્ટેમ્બર સુધી અરજી ઓનલાઈન જમા કરાવી શકાશે. જેમાં મંદિર સમુદ્રના કિનારે જ હોવાથી આ બાબતે વધુ તકેદારી રાખવી પડશે, મંદિરના શિખરની ઉંચાઈ અંદાજે 10 ફૂટ હશે તેમજ ઈઓઆઈ જમા કરાવ્યા બાદ જે તે ઇચ્છુકો સર્વે કરી શિખરને સુવર્ણ મઢવાની કામગીરી કંઇ રીતે થશે, કેટલી ટકાઉ હશે, તેમાં સોના ઉપરાંત શું શું ઉપયોગ કરવાની જરૂરીયાત રહેશે, કેટલા કિલો સોનાની જરૂરિયાત પડશે. તેવી બાબતોનું તારણ કાઢવામાં આવશે.

શિખર પર અન્ય ધાતુઓ લગાવવામાં આવે તો તેને કાટ લાગવાની શકયતા વધુ રહેશે જ્યારે કિંમતી ધાતુ સોનાને એ બાબતનું જોખમ ઘણું ઓછું રહે છે. શિખરને સુવર્ણ મઢીત કરવાની યોજના માટે દેશભરમાંથી શિવભકતોને ભાગીદારી માટે આમંત્રિત કરવામાં આવશે. આ પ્રોજેકટ હાથમાં લેનાર જે કોઇએ પણ કામગીરી પૂર્ણ કર્યા બાદ 10 વર્ષ સુઘી મેન્ટેનન્સની જવાબદારી નિભાવવાની રહેશે.’

ભુતકાળમાં સોમનાથ મંદિર સોનાનું હોવાનું ઇતિહાસમાં અંકાયેલુ છે. ત્યારે ફરી સોમનાથ મંદિર સુવર્ણનું બને તે માટે છેલ્લા ઘણા વર્ષોથી સોમનાથ ટ્રસ્ટ તબકકાવાર કામગીરી કરી રહ્યું છે. જેમાં અત્યારસુધીમાં સોમનાથ મંદિરનું ગર્ભગૃહ સ્થંભ, દરવાજા, શિવલીંગનું થાળુ, શિખર પરની ઘ્વજા, કળશ, ડમરૂ સહિત 100 કીલો વઘુ સોનાથી સુવર્ણ મઢીત થઇ ચુકી છે. જ્યારે હાલ મંદિરના નૃત્ય મંડપના શિખર પરના કળશોને સુવર્ણ મઢીત કરવાની યોજના ચાલી રહી છે. જેમાં ઘણા કળશો દાતાઓના સહયોગરૂપી દાનથી સુવર્ણ મઢીત થઇ જતા ફીટ કરવામાં આવેલ છે.

ગુજરાતમાં ઘણા મંદિરો સુવર્ણ મઢીત છે. જેમાં ગઢડા સ્વામિનારાયણ મંદિરના મીનારાને 70 કિલો સોનેથી મઢવામાં આવ્યા છે તો 2015 માં વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં પણ 115 કિલો સોનાનો ઉપયોગ કરાયો છે.