CIA ALERT

Alert Archives - Page 133 of 510 - CIA Live

October 20, 2021
zankh.jpg
2min569

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ચોર્યાસી વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ માટે આજનો દિવસ ભાવુક બની રહ્યો હતો. આજે તેમણે તેમના સ્વર્ગીય પિતા અને કાંઠા વિસ્તારના લોકનેતા સ્વ. રાજાભાઇ (ડુમસ)એ સેવેલું એક સ્વપ્ન સાકાર કર્યાનો આત્મસંતોષ મેળવ્યો હતો.

May be an image of 7 people, people sitting, people standing and indoor
હજીરા સ્થિત આર્સેલર મિત્તલ-નિપ્પોન સ્ટીલ કંપનીમાં યોજાયેલા એક સમારોહમાં ગુજરાત બીજેપી ચીફ સી.આર. પાટીલ, ચોર્યાસીના ધારાસભ્ય ઝંખનાબેન પટેલ સમેત કંપનીના અધિકારીઓની સમૂહ તસ્વીર સીઆઇએ લાઇવ

પોતાના પિતાએ સેવેલા સ્વપ્ન અંગે ચોર્યાસી વિસ્તારના ધારાસભ્ય ઝંખનાબેન પટેલે જણાવ્યું હતું કે મારી બેઠકના પૂર્વ ધારાસભ્ય અને મારા પિતાશ્રી સ્વર્ગીય રાજાભાઈ પટેલનું સ્વપ્ન હતું કે હજીરા ગામના 47 જેટલા નવયુવાનો કે જેઓ જે તે સમયે એસ્સાર સ્ટીલ કંપનીમાં હંગામી કર્મચારીઓ તરીકે કાર્યરત હતા જે આજે AM/NS (આર્સેલર મિત્તલ-નિપ્પોન સ્ટીલ) કંપનીમાં પણ કાર્યરત છે. હજીરા કાંઠા વિસ્તારના આ યુવાનોને કંપનીમાં તમામ મળવા પાત્ર લાભો સાથે નોકરીમાં કાયમી કરવામાં આવે એ સ્વપ્ન મારા પિતા સ્વ. રાજાભાઇએ જોયું હતું. જેને આજે તા.20મી ઓક્ટોબર 2021ના રોજ પૂર્ણ થતા મને આત્મસંતોષ છે કે મારા પિતાના લોકકાર્યોને પૂર્ણ કરવામાં હું નિમિત બની શકું છું.

May be an image of 7 people, people standing, indoor and text that says 'M/NS DIA AM/NS INDIA'
હજીરા સ્થિત આર્સેલર મિત્તલ-નિપ્પોન સ્ટીલ કંપનીમાં યોજાયેલા એક સમારોહમાં ગુજરાત બીજેપી ચીફ સી.આર. પાટીલના હસ્તે હજીરાના 47 નવયુવાનોને કંપનીમાં સ્થાયી નોકરીના નિમણૂંક પત્રો એનાયત કરાવીને ચોર્યાસીના ધારાસભ્ય ઝંખનાબેન પટેલે પોતાના પિતા સ્વ. રાજાભાઇનું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું. સીઆઇએ લાઇવ

આજે હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપની ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલના હસ્તે 23 જેટલા સ્થાનિક નવયુવાનો કે જેઓ એન્જીનિયરીંગ અને ડિપ્લોમા ડિગ્રી ધારકો ધરાવતા હતા તેમને કંપનીમાં કાયમી ધોરણે અને 24 જેટલા એન્જીનિયર્સને ટ્રેઇની તરીકે જોબ લેટર એનાયત કરવામાં આવ્યા હતા.

May be an image of one or more people, people standing and indoor
October 20, 2021
Cia_business_news-1280x936.jpg
1min593

Jayesh Brahmbhatt 98253 44944

વિશ્વ પ્રસિદ્ધ ડાયમંડ પેઢી કિરણ જેમ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમાવજીભાઈ પટેલ, ડાયરેક્ટર શ્રી દિનેશ લાખાણી અને શ્રી રાજેશ લાખાણીએ સુરતના ખજોદ ખાતે નિર્માણાધીન સુરત ડાયમંડ બુર્સની સાઇટની ગઇ તા.16 ઓક્ટોબર 2021ના ​​રોજ શનિવારે રૂબરુ મુલાકાત લીધી હતી. કિરણ જેમ્સ ડાયમંડ કંપનીએ સુરત ડાયમંડ બુર્સમાં અંદાજે 1 લાખ ચો.ફૂટ જેટલી વિશાળ ઓફિસ સ્પેશ ખરીદી છે અને તેના ઇન્ટીરીયર ડેકોરેશન માટે કિરણ જેમ્સના ટોપ મેનેજમેન્ટ ઓફિશયલ્સે ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી. કંપનીનો પ્લાન છે કે ડાયમંડ બુર્સ ખાતે સાકાર થઇ રહેલી કિરણ જેમ્સની ઓફિસમાં વૈશ્વિક સ્તરની તમામ અત્યાધુનિક સુવિધાઓ હશે જ્યાં કર્મચારીઓને કામ કરવા માટેનું બળ મળે તેવું વાતાવરણ હશે.

કિરણ જેમ્સના સૂત્રોએ જણાવ્યુ હતું કે સુરત ડાયમંડ બુર્સના પ્રોજેક્ટમાં આકાર પામી રહેલી કિરણ જેમ્સની ઓફિસ અત્યાધુનિક સુવિધાઓ અને વેલ ઇકવીપ્ડ હશે. ઓફિસ સ્પેસની ડિઝાઇનનું કામ જાણીતા મનીષ ચોક્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે. કિરણ જેમ્સએ 15 માળની ઇમારતના ચાર માળમાં ફેલાયેલી 100,000 ચોરસ ફૂટથી વધુ ઓફિસ સ્પેસ કબજો મેળવીને ઇન્ટીરીયર ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરાવી દીધી છે.

કિરણ જેમ્સના મેનેજમેન્ટ દ્વારા જણાવાયા મુજબ સુરત ડાયમંડ બુર્સ જેવા મોટા સંકુલમાં જવા માટે કંપની ઉત્સાહિત છીએ. ડાયમંડ બુર્સ ખાતેની કિરણ જેમ્સની ઓફિસમાં 2000 થી વધુ હીરા સહાયકો અને 500 વેચાણ અને સહાયક ટીમને સમાવશે. કિરણ જેમ્સ સુરત ડાયમંડ બુર્સની નવીનત્તમ ઓફિસ ખાતે પોતાની વેચાણ ટીમ, ખાતાઓ, માનવ સંસાધન અને માર્કેટિંગ ટીમને સંપૂર્ણપણે શીફ્ટ કરવાની યોજના ધરાવે છે. કિરણ જેમ્સ પોતાના કર્મચારીઓએ શ્રેષ્ઠત્તમ માહોલમાં કાર્ય કરી શકે તેવું વાતાવરણ આપવા માટે કટિબદ્ધ છે. કિરણ પરિવારના દરેક સભ્યની સુખાકારીને ધ્યાનમાં રાખીને કાર્યસ્થળની રચના કરવામાં આવશે તેમ કિરણ જેમ્સના નિયામક માવજીભાઇ પટેલે જણાવ્યું હતું.

October 20, 2021
societynews-1280x1040.jpg
2min425

રોટરેક્ટ ડિસ્ટ્રિકટ 3060, જેમાં ૬૮ જેટલી ક્લબ આવેલી છે જેમની વાર્ષિક એવોર્ડ સેરેમનીનું આયોજન સેલવાસ સ્થિત ટ્રીટ રિસોર્ટ ખાતે તાજેતરમાં કરવામાં આવ્યું હતું.

રોટરેક્ટ ડિસ્ટ્રીક્ટ 3060ની એવોર્ડ સેરેમનીમાં રોટરેક્ટ ક્લબ સુરત ઈસ્ટને 6 એવોર્ડ સાથે છવાઇ ગયું હતું. રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઇસ્ટને નીચે મુજબના એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

  • સૌથી વધુ નવા મેમ્બર માટે એવોર્ડ, તેમજ
  • નીતિન ધામેલિયા ને બેસ્ટ ઓફ ધ બેસ્ટ પ્રેસિડેન્ટ નો એવોર્ડ ,
  • ભાવેશ ઘેલાણી ને આઉટસ્ટેન્ડિંગ ડિસ્ટ્રિકટ ઓફિસર, તેમજ
  • કોરોના કાળ માં અવિરત પણે ચાલતું ભોજન નો પ્રોજેક્ટ સેવા ને બેસ્ટ કૉમ્યુનિટી પ્રોજેક્ટ આપવામાં આવ્યો સાથે સાથે
  • ડી.આર.આર સાઈટેશન તેમજ પ્રતીક વસોયા, અને
  • કેયુર કુકડીયા ને રેકેગનાઇજેશન ના એવોર્ડ પ્રાપ્ત થયા હતા.
October 20, 2021
dharmesh_vaniyawla.jpg
1min499

સુરત શહેરના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, ભારતીય જનતા પાર્ટી, સુરત મહાનગરના પ્રેસિડેન્ટ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, મહામંત્રી શ્રી કિશોર બિંદલ, શ્રી મુકેશભાઇ દલાલ વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં આજે તા.20મી ઓક્ટોબર 2021ને બુધવારની સવારે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર. ૧૦ ( અડાજણ – પાલ – ઈચ્છાપોર ) નાં કોર્પોરેટર શ્રી ધર્મેશભાઈ વાણિયાવાલાનાં જનસંપર્ક કાર્યાલયનો ઉદ્ઘાટન સમારંભ સંપન્ન કરવામાં આવ્યો હતો.

આ સરનામે સંપર્ક કરી શકાશે

સુરત મહાનગરપાલિકા વોર્ડ નં.10, અડાજણ, પાલ, ઇચ્છાપોરીયા વિસ્તારના કોર્પોરેટર ધર્મેશ વાણીયાવાલાના જનસંપર્ક કાર્યાલયનું સરનામું નીચે મુજબ છે.

1, અક્ષરધામ સોસાયટી, શિવાજી સર્કલ પાસે, ગંગેશ્વર મહાદેવ મંદિર રોડ, અડાજણ, સુરત-5

October 20, 2021
t20_world.jpg
1min360

પૂર્વ ચેમ્પિયન શ્રીલંકાનો બુધવારે ટી-20 વર્લ્ડ કપના રાઉન્ડ-વનમાં આયરલેન્ડનો સામનો થશે. આ મેચની વિજેતા ટીમ સુપર-12 રાઉન્ડમાં પહોંચવાની નજીક પહોંચી જશે. શ્રીલંકા અને આયરલેન્ડની ટીમ તેમના પહેલા મેચમાં જીત મેળવી ચૂકી છે. શ્રીલંકાએ નામીબિયાને અને આયરલેન્ડસે નેધરલેન્ડ્સને 7-7 વિકેટે હાર આપી હતી. શ્રીલંકાએ બોલરોના શાનદાર દેખાવથી અને આયરલેન્ડે રમતના દરેક વિભાગમાં સક્ષમ દેખાવ કરીને જીત અંકે કરી હતી.

યરલેન્ડના મીડિયમ પેસર કર્ટિસ કેમ્ફરે ચાર દડામાં ચાર વિકેટ લઇને રેકોર્ડ કર્યો હતો.
શ્રીલંકાના સુકાની દાસુન શનાકાને ખબર છે કે આયરલેન્ડ સામે રાહ આસાન નહીં હોય. આથી તેની ટીમે આ મુકબલામાં ભૂલોથી બચીને રમવું પડશે. ટીમને કુસાલ પરેરા, પથુમ નિસંકા અને અનુભવી દિનેશ ચંદિમાલ પાસેથી શાનદાર ઇનિંગની આશા રહેશે. વિશ્વ કપમાં શ્રીલંકા માટે બે સ્પિનર મહેશ થેકશાના અને વાનિંદુ હસંરાગની જોડી હુકમના એક્કા જેવી છે. તેમનાં પ્રદર્શન પર ટીમની નજર રહેશે.

નેધરલેન્ડસ સામેની શાનદાર જીતથી આયરલેન્ડની ટીમ આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે. શ્રીલંકા સામેના મેચમાં આયરલેન્ડની બોલિંગથી વધુ બેટિંગની કસોટી થશે. શ્રીલંકાની બોલિંગમાં વિવિધતા છે. તેની સામે આયરલેન્ડે મોટો સ્કોર કરવો પડશે.

October 19, 2021
CIA-1280x937.jpg
1min654

સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના બે સુરતી ક્રિકેટરો, ચિરાગ ગાંઘી (મિડલ આેડૅર બેટ્‌સમેન), હાર્દિક પટેલ (લેફટ આમૅ સ્પિનર)ની ગુજરાત ક્રિકેટ ટીમમાં બી.સી.સી.આઈ. દ્રારા આયોજીત સૈયદ મુસ્તાક અલી ટી – ૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે પસંદગી પામ્યા છે. આ ટુર્નામેન્ટ તારીખ ૨૮ આેકટોબર, ૨૦૨૧ આેકટોબર દિલ્હી મુકામે રમાશે.

ચિરાગ ગાંઘી આ પહેલા ગુજરાત માટે ૨૬ રણજી ટ્રોફી, ૩૬ વન-ડે, ૫૫ ટી-૨૦ મેચોમાં તેમજ હાર્દિક પટેલ ૧૭ રણજી ટ્રોફી, ૩૦ વન-ડે, ૩૨ ટી-૨૦ મેચોમાં ગુજરાતની ટીમ વતી રમી ચુકયા છે. તેમજ આ બંને અનુભવી ખેલાડી ગુજરાત રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફીઅને સૈયદ મુસ્તાક અલી ટી – ૨૦ની વિજેતા ટીમમાં મહત્વની ભુમિકા અદા કરી હતી.

આ તમામ ખેલાડીઆે એસ.ડી.સી.એના ચીફ સિલેકટર મેહુલ પટેલ(સિનીયર), વિમલ પટેલ, હિરેન પટેલ, પ્રફુલ પટેલ તથા હેડ કોચ શ્રી પ્રતિક પટેલ અને કોચ શ્રી વિપુલ પટેલનાં દેખરેખ હેઠળ તાલીમ લે છે.

આ બંને ખેલાડીઆેને એસ.ડી.સી.એ.ના માનનીય પ્રમુખ હેમંતભાઇ કોન્ટ્રાકટર, મેન્ટર કનૈયાભાઇ કોન્ટ્રાકટર, ક્રિકેટ સેક્રેટરી ડો. નૈમેષભાઇ દેસાઇ તેમજ મેનેજીંગ કમિટી સભ્યો અને ક્રિકેટ કમિટી સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા.

October 19, 2021
CIA-1280x937.jpg
1min691

ઉત્તરાખંડમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી ચારધામ યાત્રા અટકાવી દેવાઈ છે. આ યાત્રા પર નીકળેલા ગુજરાતના સેંકડો પ્રવાસીઓ અધવચ્ચે અટવાઇ ગયા હોવાના અહેવાલ છે. તા.18મી ઓક્ટોબરને સોમવારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાતા પ્રવાસીઓને સલામાત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

હેલ્પલાઈન નંબર 079-23251900

ચારધામની યાત્રા માટે ઉત્તરાખંડ ગયેલા અનેક ગુજરાતીઓ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે હોટેલો, ગેસ્ટ હાઉસોમાં સપડાયા છે. ત્યાં સપડાયેલા ગુજરાતીઓના ખબર અંતર અહીં ગુજરાતમાં વસતા તેમના સગાસબંધીઓ, સ્નેહીઓ વગેરેને મળી શકે એ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક હેલ્પલાઈન નંબર 079-23251900 જાહેર કર્યો છે. આ નંબર પર ઉત્તરાખંડમાં અટવાયેલા ગુજરાતના યાત્રિકોના સગા સંબંધીઓ વિગતો આપી તેમજ મેળવી શકશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડમાં કુદરતી સંકટ અને વરસાદને કારણે ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાઈ ગયા છે તેમને જરૂરી મદદ અને સહાય માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંગ ધામી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. ત્યારબાદ ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાયેલા છે તેમનો સંપર્ક થઈ શકે અને અન્ય માહિતી મેળવી શકાય તે માટે મુખ્યમંત્રી ની સૂચનાને પગલે રાજ્ય સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.

October 19, 2021
sensex_green.jpg
1min765

ભારતીય શેરબજારોએ આજે તા.19 ઓક્ટોબર 2021ને મંગળવારે માર્કેટ ખુલતાની સાથે જ નવો રેકોર્ડ બનાવ્યો છે. આજે મંગળવારે સવારે 9.26 કલાકે સેન્સેક્સ 348 અંક વધી 62113 પર કારોબાર કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 104 અંક વધી 18581 પર કારોબાર કરી રહી હતી.

શેર બજારમાં જાણે દિવાળી આવે એ પહેલા જ દિવાળી જેવી તેજીનો અનુભવ થઇ રહ્યો છે. પહેલીવાર સેન્સેક્સ 62100 અને નિફ્ટી 18600ને પાર પહોંચ્યો છે. શેર માર્કેટમાં આવેલી આ તેજીથી રોકાણકારોની તો દિવાળી પહેલા જ દિવાળી શરું થઈ ગઈ છે. કોરોના કાળમાં દરેક ધંધા-રોજગાર મંદ પડ્યા હતા પરંતુ જેમ જેમ કોરોના કેસ ઓછા થઈ રહ્યા છે તેમ તેમ માર્કેટ બમણી તેજીથી વધી રહ્યું છે.

IT, PSU, બેંક, ઓટો ક્ષેત્રમાં તેજી જોવા મળી રહી છે. 35 સત્રમાં બેંક નિફ્ટી 35,000થી 40,000નું સ્તર પાર કરી ગઈ છે. સેન્સેક્સ પર લાર્સન, બજાજ ફિનસર્વ, HCL ટેક, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. લાર્સન 3.22 ટકા વધી 1845.65 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ITC, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રીડ કોર્પ, ટાઈટન કંપની, નેસ્લે સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ITC 2.69 ટકા ઘટી 255.40 પર કારોબાર કરી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 0.77 ટકા ઘટી 7340.50 પર કારોબાર કરી રહ્યો છે.

BSE પર 2526 શેર્સમાં કારોબાર થયો. જેમાંથી 1713 શેર્સ વધારા સાથે અને 701 શેર્સ લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા. તેની સાથે જ BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પ્રથમ વખત 276 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આ પહેલા સોમવારે સેન્સેક્સ 460 પોઈન્ટ વધી 61765 અને નિફ્ટી 138 પોઈન્ટ વધી 18477ના સ્તરે બંધ થયો હતો.

October 19, 2021
cia_edu-1280x925.jpg
1min752

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતમાં આવેલી બેચલર ઓફ આર્કિટેક્ચર અભ્યાસક્રમ ચલાવતી 2 કોલેજોને પ્રવેશાર્થીઓ સંપૂર્ણ પણે રિજેક્ટ કરી દીધી છે ત્યાં સુધી કે એકેય વિદ્યાર્થી સુરતની આ બે કોલેજોમાં પ્રવેશ લેવા તૈયાર નથી.

ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજમાં પ્રવેશ માટે એક પણ વિદ્યાર્થીએ પસંદગી આપી નહીં, 100 ટકા સીટો ખાલી

ગુજરાત સરકારે બેચલર ઓફ આર્કિટેક્ચર અભ્યાસક્રમમાં પ્રવેશ કાર્યવાહી કરવા માટે રચેલી એડમિશન કમિટીએ પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા બાદ ખાલી પડેલી બેઠકોનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં (1) સુરતની પ્રાઇવેટ યુનિવર્સિટી, ભગવાન મહાવીર યુનિવર્સિટી હસ્તકની ભગવાન મહાવીર કોલેજ ઓફ આર્કિટેક્ચરમાં ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટેની સ્ટેટ ક્વોટાની કુલ 90 સીટો પ્રવેશ માટે મૂકવામાં આવી હતી. આ કોલેજમાં પ્રવેશ માટે ગુજરાત કે ગુજરાતની અધર બોર્ડની સ્કુલોના એક પણ વિદ્યાર્થીએ ચોઇશ ફિલિંગ કર્યું ન હતું. પરીણામે ભગવાન મહાવીર કોલેજ ઓફ આર્કિટેક્ચરની સો એ સો ટકા 90માંથી 90 સીટો ખાલી પડી રહી છે.

વેસુની વિદ્યામંદિર આર્કિટેક્ચર કોલેજમાં પણ તમામ બેઠકો ખાલી, એકપણ વિદ્યાર્થી પ્રવેશ માટે રાજી નથી

એવી જ રીતે સુરતના વેસુ વિસ્તારમાં આવેલી વિદ્યામંદિર કોલેજ ઓફ આર્કિટેક્ચર સાથે પણ આવું જ બન્યું છે. આ કોલેજ પહેલા ફક્ત કન્યાઓ માટે જ શરૂ કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ નહીં મળતા પછી તેને સામાન્ય કોલેજ બનાવી દેવામાં આવી એ પછી પણ કોઇ પ્રવેશાર્થી આ કોલેજમાં પ્રવેશ લેવા માટે રાજી નથી. હાલ ચાલી રહેલી બી.આર્ક.ની પ્રવેશ પ્રક્રિયામાં પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પછી વિદ્યામંદિર કોલેજ ઓફ આર્કિટેક્ચરની બધી જ બેઠકો ખાલી પડી છે. વિદ્યામંદિર કોલેજ ઓફ આર્કિટેક્ચરમાં ગુજરાત બોર્ડ માટે કુલ 22 સીટો અને અધર બોર્ડ માટે 1 સીટો એસીપીસીમાં મૂકવામાં આવી હતી. જેમાં એક પણ પ્રવેશાર્થીએ ચોઇશ ફિલિંગ કર્યું ન હતું.

ગુજરાતમાં બી.આર્ક.માં પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા બાદ ખાલી પડેલી બેઠકોની માહિતી

સુરતમાં બિલાડીની ટોપની જેમ પ્રાઇવેટ યુનિવર્સિટીઓની હાટડીઓ શરૂ થઇ ગઇ છે ત્યારે કોલેજોની પસંદગી ખૂબ વિચારણા કર્યા બાદ જ કરવી

October 19, 2021
statue_of_unity.jpg
1min481

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લુ રાખવાને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે હવે બંધ નહીં રહે. આગામી 28થી 31 ઓક્ટોબર દરમિયાન પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવાયો છે. પ્રવાસીઓની માગણીને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને સઘન સુરક્ષા પણ ગોઠવવામાં આવશે.

મહત્વનું છે કે, 31મી ઓક્ટોબરે કેવડીયા નર્મદા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત રાષ્ટ્રીય એકતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી થવાની છે. પીએમ મોદી 30 અને 31 ઓક્ટોબરે કેવડીયાના પ્રવાસે હોવાથી પ્રવાસન સ્થળ પાંચ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જેને લઈને હાલ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ નિર્ણય ફેરવાયો છે અને પ્રવાસીઓ માટે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવાયો છે.

પીએમ મોદીના આગમનના કારણે તંત્ર દ્વારા પાંચ દિવસ સુધી કેવડીયામાં પ્રવાસન સ્થળ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આમ 28મીથી 1 નવેમ્બર સુધી કેવડીયાના તમામ પ્રવાસન સ્થળ બંધ રાખવાની સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્રએ વેબસાઈટ પર નોટિસ મૂકીને ઓનલાઈન ટિકિટ બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. સૂત્રોનું માનીએ તો, 30 ઓક્ટોબરના રોજ પીએમ મોદી કેવડીયા પહોંચશે.

ત્યારબાદ સાંજે નર્મદા આરતી કરીને ઘાટનું લોકાર્પણ પણ કરશે અને કેવડીયામાં જ રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ 31મી ઓક્ટોબર એટલે સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે કેવડીયા મુકામે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર રાષ્ટ્રીય એકતાની ઉજવણી થશે. જેમાં સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપીને રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલાશે. આ કાર્યક્રમને લઈને અહીં તડામાર તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે.