CIA ALERT

પ્રેરણાદાયી વાત Archives - Page 34 of 42 - CIA Live

January 3, 2019
kiran_hospital-1280x720.jpg
1min18870

હેલ્થ ચેકઅપનું સ્થળ અને તારીખ અને સમય

સુરતના કતારગામ સ્થિત અને 17 મહિનામાં જ દેશ-દુનિયામાં જાણીતી બનેલી કિરણ હોસ્પિટલ (મેનેજ્ડ બાય સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ)ના સંચાલકોએ આગામી તા.6 જાન્યુઆરી 2019ના રોજ બપોરે 3 વાગ્યે ડી.એમ.ડી. પાર્ટી પ્લોટ, જોલી પાર્ટી પ્લોટની સામે, ઉધના-મગદલ્લા રોડ, વેસુ – સુરત ખાતે એક મેગા મિશન હેલ્થ કેર કાર્યક્રમનું આયોજન કર્યું છે.

6 જાન્યુઆરી 2019ના મિશન હેલ્થકેર માટે નોંધણી કરાવો અને હેલ્થ ચેકઅપ પેકેજમાં મેળવો 50 ટકા ડિસ્કાઉન્ટ

કિરણ હોસ્પિટલ આયોજિત મિશન હેલ્થ કેરની વિશેષતા એ છે કે વક્તાઓ તરીકે 17 એક્સપર્ટસ તબીબો જ સામાન્ય લોકોને કેવી રીતે તંદુરસ્ત રહી શકાય તેની માહિતી આપશે. અને એથી વિશેષ આ હેલ્થ ચેક અપ માટે ઓનલાઇન રજિસ્ટ્રશેન કરાવનાર 12 હજારથી વધુ લોકોને કિરણ હોસ્પિટલના રૂ.1000થી લઇને રૂ.25000 સુધીના હેલ્થ ચેકઅપ પેકેજીસમાં સીધા 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

(Photo of Press conference held At Kiran Hospital on 3 Jan. 2019)

પત્રકાર પરિષદમાં કિરણ હોસ્પિટલના મેનેજમેન્ટ પૈકી શ્રી મથુરભાઇ સવાણીએ માહિતી આપી હતી જ્યારે વહીવટી મંડળમાં શ્રી મનજીભાઇ, શ્રી બી.એન. ગુજરાતી, શ્રી જયેશભાઇ લાઠીયા, શ્રી રવજીભાઇ મોણપરા, શ્રી રાજેશભાઇ મકવાણા, શ્રી સુરેશભાઇ કુકડીયા, શ્રી રાજુભાઇ વાનાણી સમેત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

દિકરીઓને જન્મ આપનારી માતાઓનું વિશિષ્ટ સન્માન

કિરણ હોસ્પિટલના મિશન હેલ્થ કેર અંગે માહિતી આપતા પત્રકાર પરિષદમાં સંસ્થાના સુકાની શ્રી મથુર સવાણીએ જણાવ્યું કે તા.6 જાન્યુઆરી 2019નું આ અભિયાન અનેક હેતુઓ સર કરવામાં આવ્યું છે. સામાન્ય લોકોને તંદુરસ્ત કેવી રીતે રહી શકાય, રોગથી દૂર કેવી રીતે રહી શકાય તે અંગે જાણકારી તો આપવામાં આવશે જ સાથોસાથ આ જ સમારોહમાં બેટી બચાવો અભિયાનના ભાગરૂપે કિરણ હોસ્પિટલના ઉદઘાટન સમારોહ  પ્રસંગે કરાયેલી જાહેરાત કે જેમાં એક દિકરી હોવા ઉપરાંત બીજી પણ દિકરીને જન્મ આપનાર 300 જેટલી માતાઓને દિકરીના નામે રૂ.1 લાખના કિરણ સુકન્યા બોન્ડ, તેમજ બે દિકરીઓના જન્મ પછી ઓપરેશન કરાવનાર 9 માતાઓને રૂ.5 લાખના કિરણ સુકન્યા બોન્ડના પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવશે. બોન્ડની રકમ દિકરીઓની ઉંમર 1 વર્ષની થશે ત્યારે રોકડમાં રૂપાંતરીત થઇ શકશે.

તાપી નદીનું પ્રદૂષણ અટકાવવામાં સહાયભૂત થનારા ગણેશ મંડળોને પ્રશસ્તિ પત્રો તેમજ 100 મંડળોને રૂ.11 હજારની સહાય

કિરણ હોસ્પિટલના મિશન હેલ્થ કેર કાર્યક્રમમાં સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવીને તાપી નદીમાં ગણેશજીની પ્રતિમાનુંં વિસર્જન નહીં કરનારા ગણેશ આયોજકોને બિરદાવવા માટે તેમને પ્રશસ્તિ પત્રો એનાયત કરવામાં આવશે. તેમજ આ માટે ઓનલાઇન રજિસ્ટ્રશન કરાવનાર ગણેશ આયોજકો પૈકી ડ્રોથી 100 જેટલા આયોજકોને સિલેક્ટ કરીને તેમને સમારોહમાં જ રૂ.11000ની સહાય આપવામાં આવશે.

17 મહિનામાં કિરણ હોસ્પિટલ એક વટવૃક્ષ બની ગયું

આજથી 17 મહિના અગાઉ કિરણ હોસ્પિટલને લોકસમર્પિત કરવામાં આવી હતી. આ 17 મહિનાની સફર દરમિયાન કિરણ હોસ્પિટલે દિન દુગની રાત ચૌગુની પ્રગતિ કરી.550 બેડની હોસ્પિટલમાં 66 ટકા બેડ જનરલ વોર્ડ માટે ફાળવી દેવાયા છે. જનરલ વોર્ડ એટલે ત્યાં સામાન્યમાં સામાન્ય દર્દીઓ રહી શકે અને એક જનરલ વોર્ડમાં 5થી વધુ બેડ નહીં. કિરણ હોસ્પિટલ કેમ એક વટવૃક્ષ બન્યું એની એટ અ ગ્લાન્સ વિગતો આ રહી.

  • 550 બેડની સંપૂર્ણ હોસ્પિટલ
  • કીડની ટ્રાન્સપ્લાન્ટની માળખાગત સુવિધાઓને પગલે સરકાર દ્વારા મંજૂરી
  • 66 ટકા બેડ જનરલ વોર્ડ માટે ફાળવાયા, એક જનરલ વોર્ડમાં પાંચથી વધુ પેશન્ટ નહીં.
  • 3.5 લાખ જેટલા આઉટ ડોર પેશન્ટસની સારવાર કરાઇ
  • 30મી નવેમ્બર 2019ની સ્થિતિએ કુલ 26,622 દર્દીઓને વિનામૂલ્યે સારવાર ઉપરાંત રૂ.300 આપીને ઘરે પરત મોકલાયા
  • 3789 દર્દીઓને માં અમૃતમ યોજના અન્વયે મોટા મોટા ઓપરેશનનો ખર્ચ બિલકુલ ફ્રીમાં આપવામાં આવ્યો
December 24, 2018
fo2-1280x853.jpg
1min11960

આમ તો સુરત અને સુરતીઓ ઉદાર સખાવતી ગણાય. સુરતમાં કહેવાય છે કે કોઇક સારા કામ-કાર્ય કરવા માટે ટહેલ નાંખે એટલે જોતજોતામાં કરોડો રૂપિયા ભેગા થઇ જાય. ખાણીપીણીના શોખીન સુરતીઓમાં હેલ્પિંગ હેન્ડસની ભાવના પણ ઉજાગર થતી જોવા મળે છે. આવા જ એક સુરતી યુવાન જીગર ટોપીવાલાએ પોતાની નાનકડી દિકરી વિહાની જીગર ટોપીવાલામાં નાનપણથી જ ઉદાર હાથે બીજાને કશુંક આપવાની પ્રેરણાના બી રોપવા માટે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઉગત ખાતે આવેલી શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળાના અંદાજે 286 જેટલા વિદ્યાર્થીઓને ગીફ્ટસ વિતરણ કરવાનો એક કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમની ફળશ્રુતિ રૂપે શહેરના દાનવીરોને મળી છે દાન કરવાની ચેલેન્જ અને એ ચેલેન્જનું નામ પણ રાખવામાં આવ્યું છે હેશટેગ વાઇરલ કર દો ખુશીયા…#KhushiyanViralKarDo

(વિહાની જીગર ટોપીવાળા નામની આ દિકરીમાં અત્યારથી જ ઉદારતા અને સમર્પણની ભાવના વિકસાવવા માટે તેના માતાપિતાએ નાતાલ પર્વને અનુલક્ષીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત રવિશંકર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વિહાનીના હસ્તે ગીફ્ટ વિતરણ કર્યું હતું.)

૨૪ ડિસેમ્બરના રોજ શહેરની શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળા, ઉગત ના વિદ્યાર્થીઓ એ નાનકડા બાળ સાન્ટા કલોઝ સાથે નાતાલની ઉજાણી કરી હતી. વિદ્યાર્થીઓમાં ડાન્સ, ક્વિઝ અને તેમની ઉમર મુજબ ગિફ્ટ્સ, ચોકલેટસ તથા કેક આપી ભૂલકાઓના ચહેરા પર ખુશાલી મહેકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરતના અડાજણ સ્થિત ડિજીટલ મિડીયા માર્કેટિંગ ફર્મ ઓનલાઈન યુગ ના મેનેજમેન્ટએ આ ચેલેન્જ લઇને દાનવીર તરીકે જાણીતા સુરતીઓને એક નવી દિશા આપી છે.

(શિક્ષણ સમિતિ સંચાલિત ઉગત ખાતે આવેલી રવિશંકર પ્રાથમિક શાળામાં નાતાલની પર્વે જીગર ટોપીવાળા એન્ડ ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા 286 જેટલા બાળકોને ગીફ્ટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો)

બાળપણથી નાના બાળકોમાં ઉદારતા અને સમર્પણની ભાવનાના બીજ રોપાય અને સમગ્ર જીવન દરમિયાન તેઓ તેનો વ્યાપ વધારે એવા પ્રયાસના ભાગરૂપે સુરત મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત રવિશંકર મહારાજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

(શિક્ષણ સમિતિ સંચાલિત ઉગત ખાતે આવેલી રવિશંકર પ્રાથમિક શાળામાં નાતાલની પૂર્વ સંધ્યાએ ગીફ્ટ વિતરણ કરતા જૈવલ કુનાલ મારફતિયા)

દાન અને મદદની ભાવના રાખીને આગળ વધે એ જ આપણી સભ્યતા અને સંસ્કાર છે. આ વર્ષ ના અંત પેહલા એક નાનકડી પ્રતિજ્ઞા લઇને આપણા બાળકોને દાન કરતા શીખવીએ અને ગરીબ બાળકોની મદદ શરુ કરીએ. સોશ્યિલ મીડિયા પર લોકોને પ્રેરિત કરવા માટે #KhushiyanViralKarDo મુકી તમારા ફોટોસ શૅર કરો. સુરતના દરેક લોકો દાન કરે અને ખુશી ફેલાવામાં પોતાનું યોગદાન આપે, એ ઉદેશ્ય સાથે ચાલો અપને પણ આજે એક ચેલેન્જ લઈએ અને બીજા પાંચ લોકોને ચેલેન્જ લેવા પ્રેરિત કરીયે.

(વિહાની ટોપીવાળાની સખાવત સાથે શહેરમાં શરૂ થઇ ચેલેન્જ #KhushiyanViralKarDo)

દરેક ગરીબ બાળક ને પણ એ જ ઉજાણી અને મજાક મસ્તી નો હક છે જે આપણા બાળકો ને છે. ૨૦૧૯ ની શરૂઆત દરેક બાળક માટે યાદગાર બને એ માટે એક ખુશ ભવિષ્ય ની તરફ કદમ ઉઠાવીયે, ચાલો ખુશી વાયરલ કરીયે.

December 24, 2018
mal7.jpg
4min8500

આજના જમાનામાં એન.જી.ઓ. બનાવીને સમાજ સેવાની જાણે ફેશન ચાલી નીકળી છે. સમાજ સેવાના ક્ષેત્રમાં બે પ્રકારના લોકો જોવા મળે છે. એક પ્રકાર એવો હોય છે જેમાં કેટલાક લોકો પબ્લિસિટી મેળવવા માટે જ સામાજિક સેવાના ક્ષેત્રમાં જોડાતા હોય છે અને બીજો પ્રકાર એવો હોય છે કે જેમાં લોકો ખરેખર ઉમદા સમાજ સેવા કોઇપણ જાતની પબ્લિસિટી વગર કર્યે રાખતા હોય છે. બીજા પ્રકારના લોકોને સી.આઇ.એ. ન્યુઝ પોર્ટલ પ્લેટફોર્મ આપે છે. અમે એવા લોકો, એવી સંસ્થાઓને શોધીને તેમની પ્રવૃતિને મહેક ચારે કોર પ્રસરાવવાનું કામ કરે છે.

આજે અહીં એવા જ એક ગ્રુપની વાત કરી રહ્યા છે. મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર એવી સંસ્થા છે જે સિનિયર સિટીઝન્સ (વયોવૃધ્ધ) માટે કાર્યરત છે. આ ગ્રુપ ડો.રમેશ ઠક્કરે 2010માં સ્થાપ્યું હતું. આ ગ્રુપમાં 11 જેટલા તબીબો જોડાયેલા છે.  મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર સાથે જોડાયેલા તબીબોમાં એક કોમન શોખ છે અને એ છે સંગીત. મ્યુઝિકની પેશન ધરાવતા આ તબીબો શહેરના સિનિયર સિટીઝન્સની મનોરંજક મ્યુઝિકલ ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. મનોરંજક મ્યુઝિકલ ટ્રીટમેન્ટ શબ્દ અમે આપ્યો છે, કહેવાનું તાત્પર્ય એ છે કે મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર સિનિયર સિટીઝન્સ માટે ઓડિટોરીયમમાં સંગીત સંધ્યા રાખે છે, અહીં સિનિયર સિટીઝન્સના તેમના ઠેકાણેથી બસમાં લાવીને તેમની સામે 11 તબીબો એક એકથી ચઢીયાતા ગીતો ગાય છે, મનોરંજન કરાવે છે, સંગીત સંધ્યા બાદ તેમને પ્રેમથી જમાડે છે અને ફરીથી તેમને તેમના મુકામ સુધી સહીસલામત પહોંચાડે છે. તાજેતરમાં આ જ પ્રકારે મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હારના ડો.રમેશ ઠક્કર, ડો. યોગેશ કાંઠાવાલા અને ડો.મુકેશ વાઘેલા સમેત અન્યોએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ના ઓડિટોરીયમ ખાતે ખાસ મ્યુઝિકલ ઇવનિંગનું આયોજન કર્યું હતું. સિનિયર સિટીઝન્સની આવી સેવા જો કોઇ કરતું હોય તો એ ફ્કત મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર છે.

(મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઓડીટોરીયમ ખાતે યોજાયેલી સંગીત સંધ્યામાં શહેરના સિનિયર સિટીઝન્સને લઇ જવામાં આવી રહ્યા હતા એ પ્રસંગની તસ્વીર)

મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર સાથે 11 તબીબો જોડાયેલા હોવા ઉપરાંત 30 જેટલા મેમ્બર્સ પણ છે જેઓ કોઇપણ જાતની અપેક્ષા, સ્વાર્થ વગર સિનિયર સિટીઝન્સની દેખભાળ રાખે છે, સ્વૈચ્છીક બધી જ કામગીરી કરી રહ્યા છે. તાજેતરમાં મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર દ્વારા શહેરના અંદાજે 1200 જેટલા સિનિયર સિટીઝન્સ માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઓડિટોરીયમ ખાતે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની તસ્વીરી ઝલક આ મુજબ છે.

 

 

The Statement of The Music group of Malhar Founder Member Dr.Ramesh Thakkar. ( Pediatrician )

I m founder member of my group, named ” Music group of Malhar ” ! The name was given by me. I have started this group ( as a founder members ) in 2010. This is small group of ( 11 ) doctors, having common, passion for music. The concept was generated in my mind (in 2010 ). Do some social services for the benefits of those section of society , who are socially deprived from their home – society and who are really in need of help-support . ( group of people from Old age home, poor Students from orphan center , poor Patients, and students from tribal area’s school ). What me and my group are doing…? As we all members are music lovers. So, we are doing once -twice large scale music concerts in big auditorium, usually after diwali. We ourselves are performing ( singing ) on stage with live orchestra. We invite people from old age home and from different senior citizens clubs for this live music program. We make arrangements of transport (of almost 20 plus buses ) for these all people. The group viewers( almost plus 1500) are there, to attend our program. Really, it’s worth to watch, how these old aged group of persons are enjoying in our program! ! ! It’s really great enjoyment for all of them. Prog is running for, almost 3 hrs plus. Afterwards, at the end of program, We all serving food ( dinner ) for all. After dinner, they will return to their place through buses. 30 Volunteers are working with my group, to help us this kind work. Charity should be start from our home. So, we individual( all my members ) contribute for this prog. And during program, we many times receiving donation from rich members of different seniors citizens clubs. Here, we ( me & my group) are using this donation for those, who are socially deprived from society, ( old age homes ) poor patients and poor students of tribal area’s school. So, in brief, my self and members of my group are doing such social activities, through music platform. Sometimes, we are receiving invitation for music program out of Surat also. Small scale music program are running every 3 – 4 months at local (surat ) level round the year. Regards ! Dr.Ramesh Thakkar. ( Pediatrician )

December 24, 2018
mainved.jpg
1min18100

સમગ્ર વિશ્વમાં હાલમાં એક ભારતીય સાહસિક સાયકલિસ્ટ યુવતિ વેદાંગી કુલકર્ણી સોશ્યલ મિડીયામાં ટ્રોલ થઇ રહી છે. વેદાંગી કુલકર્ણીએ એ કહેવતને સાર્થક કરી દેખાડી છે કે, … મહેનત ઇતની ચૂપકે સે કરો કી સફલતા શોર મચા દે….પૂણેની સાહસિક યુવતિ વેદાંગીએ એવો રેકોર્ડ કર્યો છે કે ભલભલા અચંબામાં પડી ગયા છે. સમગ્ર વિશ્વનો સૌથી ઝડપી સાઇકલ પર રાઉન્ડ મારનાર જો કોઇ હોય તો એ વેદાંગી કુલકર્ણી છે.

  • જુલાઇ-2018 માં વેદાંગીએ ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરથી સાઇક્લિગંની શરૂઆત કરી
  • દરરોજ ૩૦૦ કિમી જેટલું અંતર સાઇકલ પર કાપે છે વેદાંગી
  • ૧૫૯ દિવસોમાં ૧૪ દેશોમાં સાઇકલ લઇને ફરી ચૂકી છે વેદાંગી

પુણેની ૨૦ વર્ષની વેદાંગી કુલકર્ણી નામની યુવતીએ સાઇકલ પર આખા વિશ્વનો ઝડપથી પ્રવાસ કરી એશિયાની સૌથી ઝડપી મહિલા બની હોવાનો અદ્ભુત અને અવિશ્વસનીય ખિતાબ મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પુણેમાં રહેતી વેદાંગીએ કલકત્તામાં તા.23 ડિસેમ્બર 2018ને રવિવારે સવારથી સાઇકલ ચલાવવાનું શરૂ કર્યું હતું. સમગ્ર વિશ્વમાં સાઇકલ ચલાવવા માટે લાયક બનવા ૨૯,૦૦૦ કિમી અંતરની જરૂર હતી. જુલાઇ-2018 માં વેદાંગીએ ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરથી સાઇક્લિંગની શરૂઆત કરી હતી અને હવે તે રેકોર્ડ પૂર્ણ કરવા માટે ઓસ્ટ્રેલિયાના શહેરમાં પાછી ફરશે. આ અંગે વેદાંગીએ જણાવ્યું હતું કે દરરોજ ૩૦૦ કિમી જેટલું અંતર કાપીને ૧૫૯ દિવસોમાં ૧૪ દેશો ફરી વળી છું. દરમિયાન મને સારા અને ખરાબ અનુભવો પણ થયાં હતાં.

બ્રિટિશ સાહસિક જૅની ગ્રહમ (૩૮) ૨૦૧૮માં ૧૨૪ દિવસોમાં આખી દુનિયામાં સાઇકલ ચલાવી શકનારી સૌથી ઝડપી મહિલા છે, જે અગાઉના રેકોર્ડ કરતાં ત્રણ અઠવાડિયા ઝડપી હતી.

December 24, 2018
ankur_logo.png
4min21760

પુસ્તકોમાં રહેલું જ્ઞાન કલ્પના સમું હોય છે, બાળકો જ્યાં સુધી એ જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ કરતા નહીં શીખે ત્યાં સુધી એ જ્ઞાન ફક્ત પુસ્તકિયું જ્ઞાન બની રહે છે. પુસ્તકોમાં રહેલા જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ નહીં કરી શકવાના કારણે જ આજે મોટી મોટી ડિગ્રીધારકો નોકરી વિહોણા રહી જાય છે. આ ભેદ પારખી ગયેલા સુરતના હીરાબાગ ખાતે આવેલી અંકુર વિદ્યાવિહાર શાળાના મિત્તલ બી. પરડવા અને તેમની ટીમે પ્રાઇમરી શિક્ષણથી જ બાળકોને પુસ્તકના જ્ઞાનના વ્યવહારુ ઉપયોગની તાલિમ આપવાનું શરુ કર્યું છે અને આ તાલિમ ગઇ તા.22-23 ડિસેમ્બર 2018ના રોજ શાળામાં યોજાયેલા નોલેજ કાર્નિવલના સ્વરૂપમાં ચરિતાર્થ થયેલી દેખાઇ આવી હતી. નોલેજ કાર્નિવલમાં હીરાબાગની અંકુર વિદ્યાવિહારના બાળકોએ પુસ્તકોમાં રહેલી કલ્પનાઓને તેમના વાલીઓ, શાળાની આસપાસના રહેવાસીઓને વાસ્તવિક કરી દેખાડી હતી.

વરાછા રોડ પર હીરાબાગ સર્કલ ખાતે આવેલી અંકુર વિદ્યાવિહાર શાળામાં ગઇ તા.22-23 ડિસેમ્બ દરમિયાન નોલેજ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળભવનથી શરૂ કરીને ધો.12 સુધીના 300થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના વિદ્યાર્થીઓએ વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને તેનું ડિસપ્લે કરીને મુલાકાતીઓને અચંબામાં મૂકી દીધા હતા. તદુપરાંત વિદ્યાર્થીઓએ પાઠ્ય પુસ્તકોમાં નિર્દેશિત વિવિધ પ્રકારના નમૂનાઓ, સેલ્ફ સ્ટડી માટેના મોડેલ, ટ્રાફિક અવેરનેસ પ્રોજેક્ટ, કરીયર ગાઇડન્સ માટેની માહિતીઓ રજૂ કરી હતી.

બાળભવનના બાળકોની કૌશલ્ય કલાઓનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. એવી જ રીતે યોગ અને આયુર્વેદિક ટેકનિક્સ, ભારતના રાજ્યોની લોકસંસ્કૃતિ, ગુજરાતના તમામ જિલ્લાઓની માહિતી, જાણીતા સ્થળોનું ડિસ્પ્લે, પ્રાથમિક વિભાગના બાળકોએ વિજ્ઞાનના નિયમો આધારિત પ્રયોગોના વર્કિંગ મોડેલ રજૂ કરીને એક ખરા અર્થમાં નોલેજ કાર્નિવલને સાકાર કર્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, આસપાસના રહેવાસીઓ વગેરેએ ફુડ ઝોનની પણ મજા માણી હતી.

દરમિયાન સુરત જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રાજ્યગુરુએ પણ નોલેજ કાર્નિવલની મુલાકાત લીધી હતી.

હીરાબાગ સ્થિત અંકુર વિદ્યાવિહાર શાળાના નોલેજ કાર્નિવલનું ઉદઘાટન મધુવન ઇન્ટરનેશનલ સ્કુલના સંચાલક શ્રી ભૂપતભાઇ સુખડીયાએ કર્યું હતું.  શનિ અને રવિવાર દરમિયાન શાળાના બે હજાર વાલીઓ ઉપરાંત શાળાની આસપાસ રહેતા અંદાજે 1500 લોકોએ અંકુર વિદ્યાવિહાર શાળાના વિદ્યાર્થીઓના અદભૂત પ્રયોગ નોલેજ કાર્નિવલની મુલાકાત લઇને બાળકોના પ્રયાસને બિરદાવ્યો હતો.

વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થીઓ દ્વારા આયોજીત નોલેજ કાર્નિવલ અંતર્ગત દરેક વિદ્યાર્થીએ ભણતરને મનોરંજક સ્વરૂપે દર્શાવ્યુ હતું અને પોતાની અદ્ભૂત કૃતિઓ રજૂ કરી હતી. આ ઉપરાંત શિક્ષકોએ પણ આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

અંકુર વિદ્યાવિહાર ખાતે યોજાયેલા નોલેજ કાર્નિવલની તસ્વીરી ઝલક

 
December 21, 2018
ms2-1280x853.jpg
1min10190
  • તા.૨૩મીએ પી. પી. સવાણી પરિવાર દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર ૨૬૧ દીકરીઓનો જાજરમાન લગ્નોત્સવ યોજાશે
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ‘લાડકડી’ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહી પિતાવિહોણી દીકરીઓનું કન્યાદાન કરશે
  • નાત જાત કે ધર્મના ભેદભાવ વિના આજ સુધીમાં ૩૧૭૨ દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવનાર સુરતના ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીની પ્રેરણાદાયી પહેલ
  • નવદંપતિઓને લગ્નસ્થળે જ રાજ્ય સરકારની ‘કુંવરબાઈનું મામેરું’, સપ્તપદીના સાત ફેરા જેવી ઉપયોગી યોજનાઓથી લાભાન્વિત કરાશે
  • ‘લાડકડી’ લગ્નોત્સવના આયોજન સંદર્ભે આયોજક સવાણી ગ્રુપ અને મોવલિયા પરિવાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

પિતાવિહોણી દિકરીઓ માટે પિતાતુલ્ય ભૂમિકા ભજવી હજારો દિકરીઓના રંગે ચંગે લગ્ન કરાવી સાસરે વળાવનાર સેવાભાવી ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી દ્વારા આ વર્ષે પણ આગામી તા.૨૩મીના રોજ પિતાની છત્રછાયા ગુમાવનાર ૨૬૧ દીકરીઓનો જાજરમાન ‘લાડકડી’ લગ્નોત્સવ યોજાશે. જેમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી પણ વિશેષ ઉપસ્થિત રહી પિતાવિહોણી દીકરીઓનું કન્યાદાન કરશે. સવાણી પરિવારના પ્રેરણાદાયી કાર્યમાં ભોજલરામ ગ્રુપના બટુકભાઈ અને અશ્વિનભાઈનો મોવલિયા પરિવાર પણ ગત વર્ષની જેમ આ વર્ષે પણ સહભાગી બન્યો છે.

પી પી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ, અબ્રામા ખાતે યોજાનાર લાડકડી લગ્નોત્સવ વિષે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને જાણકારી આપતા શ્રી મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, પિતાવિહોણી દિકરીઓ અને પરિવારની વ્યથા સમજી લગ્નના આર્થિક ભારણને પહોંચી ન વળનાર પરિવારની દિકરીઓને પી. પી. સવાણી પરિવાર દર વર્ષે ભવ્ય લગ્ન સમારંભ યોજીને દીકરીઓને પરણાવે છે. આ વર્ષે પણ ૨૬૧ દીકરીઓના પિતા બની સવાણી અને મોવલિયા પરિવાર કોઇ પણ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના પિતાવિહોણી તેમજ વિધવા બહેનોની દીકરીઓને પરણાવી સાસરે વળાવશે.

આ વર્ષે ૨૬૧ ‘લાડકડી દીકરીઓ’ પૈકી છ મુસ્લિમ, ત્રણ ખ્રિસ્તી દીકરીઓ પણ એમની પરંપરાગત રિતીરિવાજ-લગ્ન વિધિ મુજબ લગ્ન ગ્રંથિથી જોડાશે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત દેશભરમાંથી ૫૦ રાજસ્વી મહાનુભાવો, બ્યુરોક્રેટસ, ઉચ્ચ અધિકારીઓ, વિવિધ ધર્મના સંતોમહંતો, મહાનુભાવો આ લાડકડીઓનું કન્યાદાન કરશે.

શ્રી મહેશભાઈએ એક નવી જ પહેલ કરી દરેક દીકરીને રાજ્ય સરકારની ‘કુંવરબાઈનું મામેરું’, સપ્તપદીના સાત ફેરા જેવી બીજી ઉપયોગી યોજનાનો લાભ મળે એનું પણ આયોજન કર્યું હોવાનું જણાવી ઉમેર્યું કે, દીકરીના ખાતામાં સરકાર અમુક રકમ ફિક્સ ડિપોઝીટમાં મુકે છે, જે ૨૦-૨૧ વર્ષ પછી એના બાળકને ૬ લાખથી વધુ રકમ મળે છે. આ યોજનાના લાભ સાથે જ “લાડકડી”ના મંડપમાં લગ્ન કરનાર નવયુગલને ‘પ્રધાનમંત્રી વિમા યોજના અંતર્ગત ૨-૨ લાખનું વિમા કવચ પણ મળશે. ઉપરાંત લગ્નસ્થળે જ સુરત મહાનગરપાલિકાના સહયોગથી મેરેજ સર્ટિફિકેટ એનાયત કરાશે.

લગ્ન કરનારી ૨૬૧ દીકરીઓની પસંદગી માટે પણ લાંબી કવાયત હાથ ધરીને ચોક્કસ નિયમો મુજબ પસંદગી કરવામાં આવી છે. લગ્ન માટેના ફોર્મ ભરવાની શરૂઆતમાં માત્ર ૨૫ દિવસમાં પિતાવિહોણી ૬00 દીકરીઓની અરજી આવી હતી. જેમાં માતા અને પિતા બંનેની છત્રછાયા વિનાની ૫૪ દીકરીઓને પસંદગીમાં પ્રાથમિકતા આપી છે. ત્યાર બાદ પિતા વિનાની ૧૧૮ દીકરીઓ પસંદ કરાઈ છે. આ વર્ષે ‘લાડકડી’માં કામરેજના આંબોલી સ્થિત જનનીધામમાં રહેતી ૪ એચ.આઈ.વી.ગ્રસ્ત દીકરીઓના પણ લગ્ન થશે એમ શ્રી સવાણીએ કહ્યું હતું.

મહેશભાઈ સવાણીએ વધુમાં કહ્યું કે, વર્ષ ૨૦૦૮માં ૦૨ દિકરીઓથી પ્રારંભ કરીને નાત જાત કે ધર્મના ભેદભાવ વિના આજ સુધીમાં ૩૧૭૨ દીકરીઓના નિ:સ્વાર્થભાવે ધામધૂમથી લગ્ન કરાવી તેમના સપના પૂરા કર્યા છે. કરિયાવરમાં અનેક જીવન જરૂરિયાત વસ્તુઓ આપીએ જ છીએ, સાથે જ લગ્ન પછી પણ પી.પી.સવાણી ગ્રુપ દીકરીની તમામ સામાજિક જવાબદારી નિભાવતું રહ્યું છે. પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલ દીકરાઓની ધો.૧૦ સુધીની અભ્યાસ ફી અને કોલેજ સુધીના અભ્યાસની ફી ભરવામાં આવે છે. શિક્ષણની સાથે વિધવા બહેનોના પરિવારની આરોગ્યની જવાબદારી પણ પી. પી. સવાણી પરિવાર ઉપાડે છે. સુરતના ૮૦૦૦ થી વધુ પરિવારના પાલકપિતા તરીકેની જવાબદારી આજે પી.પી. સવાણી પરિવાર નિભાવી રહ્યો હોવાની વિગતો તેમણે આપી હતી.

‘લાડકડી’ લગ્નોત્સવના ૨૬૧ નવયુગલોમાંથી લક્કી ડ્રો દ્વારા વિજેતા થયેલા ૧૦ દંપતિને આડતીયા ફાઉન્ડેશનના રિઝવાનભાઈ આડતીયાના સૌજન્યથી સીંગાપુર-મલેશિયા ક્રુઝ ટુર પ્રવાસ અને ૫૦ લક્કી કપલને કિઆન એરવેઝના કેપ્ટન નૈયુમભાઈ સૈયદ કિઆન એરવેઝ દ્વારા હેલિકોપ્ટર મારફત સુરત દર્શન પણ કરાવવામાં આવશે.

December 21, 2018
grahak.gif
1min10260

દેશમાં ગ્રાહકોના અધિકારો અને હક્કોની સુરક્ષા વધુ મજબૂત કરે તે સંદર્ભેના બિલને લોકસભામાં પસાર કરી દેવાયું છે. સર્વિસમાં ઊણપ કે ચીજ-વસ્તુમાં કોઈ નુકસાની હોય તો હવેથી ગ્રાહકોની ફરિયાદનું સત્વરે નિવારણ થઈ શકશે. કન્ઝ્યુમર પ્રોટેક્શન બિલ 2018 કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986નું સ્થાન લેશે અને હવે તેને રાજ્યસભામાં પસાર કરાવવાનું રહેશે.

આ અંગેની ચર્ચામાં ગ્રાહક બાબતના કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે, છેલ્લાં 30 વર્ષથી આ કાયદામાં કોઈ સુધારો કરવામાં આવ્યો નહોતો અને ગ્રાહકોના અધિકારોને વર્તમાન સમયમાં વધુ સુરક્ષિત કરવા માટે તેમાં સુધારાની આવશ્યકતા હતી. બિલમાં કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશનની રચના ઉપરાંત જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે ફોરમની રચનાનો માર્ગ મોકળો થાય તેવી જોગવાઈ કરવામાં આવી છે. ગ્રાહકોનાં હિતો, અધિકારો અને તેમના હક્કોના રક્ષણ માટે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીને તમામ પ્રકારની સત્તા આપવામાં આવી છે.

બિલમાં ગ્રાહકોના અધિકારોનો પ્રોત્સાહન, રક્ષણ આપવા સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી સ્થાપવાની સત્તા આપવામાં આવી છે.

બીજુ જનતા દળના તથાગત સતપથીએ કહ્યું હતું કે, “આ બિલમાં અમલદારશાહીને વધુ પડતી સત્તા આપી દેવામાં આવી છે, તેને સ્થાને થોડી અલગ જોગવાઈઓ હોવી જોઈતી હતી. તેમણે કહ્યું કે, બિલમાં દેશના બંધારણીય માળખાને હાનિકર્તા જોગવાઈઓ છે.” આના જવાબમાં પાસવાને જણાવ્યું હતું કે, બિલમાં આ પ્રકારની કોઈ જોગવાઈ નથી અને તેને કારણે ગ્રાહકોને લાભ થશે.આ ચર્ચામાં એનસીપી, ટીએમસી અને જેડીયુના સભ્યોએ ભાગ લીધો હતો.

December 20, 2018
nilanshi.jpg
1min12660

મોડાસાના સાયરા ગામમાં રહેતી નીલાંશી પટેલ દસમા ધોરણમાં ભણે છે અને હાલમાં તેના નામે સૌથી લાંબા વાળ ધરાવતી ટીનેજરનો ગિનેસ વર્લ્ડ  રેકૉર્ડ બન્યો છે. તે છ વર્ષની હતી ત્યારે છેલ્લે વાળ કપાવ્યા હતા. એ પછીથી તેણે કદી વાળ કપાવ્યા નથી. દસ વર્ષમાં તેના વાળ ૧.૭૫ મીટર જેટલા લાંબા થઈ ચૂક્યા છે. તે અઠવાડિયે એક વાર વાળ ધુએ છે.

અડધો કલાક વાળને સૂકવતાં થાય છે. રોજેરોજ વાળની ગૂંચ કાઢીને ઓળતાં પૂરો એક કલાક થાય છે. લાંબા વાળ હોવા છતાં તે સ્પોર્ટ્સમાં પણ રસ ધરાવે છે. ટેબલ ટેનિસ, સ્વિમિંગ અને ડાન્સિંગનો તેને જબરો શોખ છે. જ્યારે પણ સ્પોર્ટ્સ રમવાની હોય ત્યારે તે લાંબો ચોટલો વાળીને એનો અંબોડો વાળી લે છે. થોડાક સમય પહેલાં તેને લિમ્કા બુક ઑફ રેકૉર્ડમાં સ્થાન મળ્યું છે. અને હાલમાં ગિનેસ વર્લ્ડ  રેકૉર્ડ્સમાં સૌથી લાંબા વાળ ધરાવતી ટીનેજરનો ખિતાબ મળ્યો છે.

December 18, 2018
nitin12.jpg
2min18420

(ઇટલી મોનાકોમાં હેર ડ્રેસિંગની ટ્રેનિંગ લઇ રહેલા સુરતના કટ્સ એન્ડ કલર્સના ઓનલ નીતિન)

(ઇટલીમાં હેર ડ્રેસિંગની ટ્રેનિંગ લઇ રહેલા સુરતના કટ્સ એન્ડ કલર્સના ઓનલ નીતિન)

(ઇટલીના મોનાકોમાં હેર ડ્રેસિંગની ટ્રેનિંગ લઇ રહેલા સુરતના કટ્સ એન્ડ કલર્સના ઓનલ નીતિન)

( સુરતના કટ્સ એન્ડ કલર્સના ઓનલ નીતિન માસ્ટર ટ્રેનર સાથે ઇટલીમાં )

ઇટલીમાં હેર ડ્રેસિંગની ટ્રેનિંગ લઇ રહેલા નીતિન લિંબાચીયા

(ઇટલીમાં હેર ડ્રેસિંગની ટ્રેનિંગ લઇ રહેલા નીતિન લિંબાચીયા પોતાના આર્ટથી ઇટલીમાં પણ નામના મેળવી રહ્યા છે)

કહેવાય છે ને કે નોકરી-ધંધામાં એ લોકો જ સફળ થાય છે જેઓ તેમના ધંધો-રોજગારને દિલોજાનથી ચાહતા હોય છે. સામાન્ય સંજોગોમાં આજે હાલતા-ચાલતા કોઇને પણ પૂછીએ કે નોકરી-ધંધો કેવો ચાલે છે, ત્યારે 99 ટકા જવાબો એવા જ આવે છે કે કશું બરાબર ચાલતું નથી, ફરીયાદોના ઢગલા થઇ જાય એટલું સાંભળવા મળે, ભાગ્યે જ એવા લોકો હોય કે જેમને પોતાના ધંધા-રોજગારથી પ્રેમ હોય. અહીં સુરતના એવા યુવાનની વાત કરી રહ્યો છું જે વ્યવસાયે વાળંદ છે પણ તેને પોતાના વ્યવસાય પ્રત્યે અનહદ પ્રેમ છે અને એટલે જ સુરતનો આ યુવાન નીતિન લિંબાચિયા ભારતનો જ નહીં પણ આંતર રાષ્ટ્રીય સ્તરે પોતાના ક્ષેત્રનો રોકસ્ટાર બની ચૂક્યો છે. અગાઉ ફેશન સિટી એમ્સટરડેમ ખાતે અને હાલમાં ઇટલીના મોનાકો, મોન્ટી કાર્લો ખાતે હેર ડ્રેસિંગની ઇન્ટરનેશનલ ટ્રેનિંગમાં પણ આ યુવાન વાહવાહી લૂટીં રહ્યો છે.

કટ્સ એન્ડ કલર્સના નીતિન કહે છે ઇટલીમાં હેર ડ્રેસિંગની ઇન્ટરનેશનલ ટ્રેનિંગનો લાભ સુરતના લોકોને જ મળવાનો છે 

હેર  ડ્રેસિંગમાં આંતર રાષ્ટ્રીય સ્તરે રોજેરોજ નીતનવી ટ્રીક્સ એન્ડ ટેકનિક્સ આવી જતી હોય છે

વાત કરી રહ્યો છું સુરતના ઘોડદોડ રોડ પર ક્રોમા નજીક આવેલા નીતિન્સ કટ્સ એન્ડ કલર્સના નીતિન લિંબાચીયાની. નીતિન હાલમાં ઇટાલીમાં છે અને હેર ડ્રેસિંગની લેટેસ્ટ ટેક્નોલોજી, ટ્રેન્ડસ જાણી રહ્યો છે. નીતિન કહે છે કે હેર ડ્રેસિંગ એ આર્ટ હોવાની સાથે સાયન્સ પણ છે. આ એટલું ડીપ સાયન્સ છે કે તેને સમજવામાં એક યુગ નીકળી જશે. અમારી પાસે આવતા ક્લાયન્ટસને ફક્ત એક હેરકટ, હેર સ્ટાઇલ કે બ્યુટી ટ્રીટમેન્ટથી એવો સંતોષ થાય કે તેમનું કમ્પલિટ મેકઓવર થયું છે, એનાથી મોટી ખુશી કઇ હોઇ શકે.

ઇટાલીના મોનાકોથી સી.આઇ.એ. લાઇવ સાથે વાત કરતા નીતિને કહ્યું કે હું જે કંઇપણ ટ્રેનિંગ નેશનલ, ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પરથી લઇ રહ્યો છું એ ફક્તને ફક્ત મારા ક્લાયન્ટસ, કસ્ટમર્સ અને સુરતના લોકો માટે છે. હું સુરતના લોકોને તેમની હેયરસ્ટાઇલ થકી નવી પહેચાન આપવા માગુ છું. આજે પણ સુરતમાં નીતિન પાસે હેર ડ્રેસિંગ કે અન્ય ટ્રીટમેન્ટ કરાવનારાઓનો વર્ગ ખાસ્સો મોટો છે, એપોઇન્ટમેન્ટ વગર નીતિન પાસે જઇ શકાય નહીં. આવું થવા પાછળનું કારણ ફક્ત એ જ છે કે નીતિન સાયન્ટિફીક એપ્રોચ થકી પોતાના ક્લાયન્ટની હેર સ્ટાઇલ, હેર કટ કે અન્ય બ્યુટી ટ્રીટમેન્ટસને આકાર આપે છે.

(ઇટલીના મોનાકોમાં જે ટીમ સાથે રહીને ટ્રેનિંગ લઇ રહી છે એ ટીમ સાથે ગ્રુપ ફોટો)

પરંપરાગત રીતે દાયકાઓ સુધી સિમીત રહેનાર હેર ડ્રેસિંગ પ્રોફેશનને સુરતના નીતિનએ એવા સ્ટેજ પર મૂકી દીધું છે કે તેના ક્લાયન્ટસ ટોળામાં પણ અલગ જ તરી આવે. નીતિન કહે છે કે વ્યક્તિની પર્સનાલિટીમાં હેર સ્ટાઇલ સૌથી મહત્વની ભૂમિકા ધરાવે છે, અમારી પાસે જ્યારે કોઇ ક્લાયન્ટ હોય ત્યારે તેના ચહેરા પર કઇ હેર સ્ટાઇલ સૌથી વધુ શૂટ થશે એ નક્કી કરીને તેને ઓપ આપવા માટે વિઝન જરૂરી છે, ટ્રેનિંગ અને નોલેજ વગર વિઝન મેળવવું મુશ્કેલ છે અને એટલે જ ક્લાયન્ટને 100 ટકા આપવા માટે અમારે સમયનો ખૂબ ભોગ આપવો પડે છે.

નીતિન સાથે તેમના વાઇફ પણ વુમન્સ બ્યુટી પાર્લરનું સુપેરે સંચાલન કરી રહ્યા છે.

December 17, 2018
competitive.png
1min15880

ભરૂચમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિનામૂલ્યે તાલીમ વર્ગ ♦️

પોલીસ, તલાટી અને બિનસચિવાલયની ભરતી માટે લેવાનાર સ્પર્ધાત્મક પરીક્ષા માટે તમામ વર્ગના યુવાન-યુવતીઓ માટે વિના મૂલ્યે એક મહિનાના તાલીમ વર્ગ

✔️ 20 ડિસેમ્બરથી શરૂઆત
********************
એસ.સી., એસ.ટી., ઓબીસી અને જનરલ કેટેગરી સહિત તમામ વર્ગના યુવાન-યુવતીઓ જોડાઈ શકશે.

 સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ વિના મૂલ્યે મેળવવાની અમૂલ્ય તક

ભરૂચમાં માં મણિબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ, નવેઠા તથા નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, ભરૂચ ઘ્વારા દરેક વર્ગના યુવાન યુવતીઓ માટે વિના મૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તાલીમ વર્ગનું આયોજન કરાયું છે. સરકાર ઘ્વારા પોલીસ, તલાટી અને બિનસચિવાલય વિભાગોમાં ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે. જેના માટે ભરૂચ જીલાના યુવાન અને યુવતીઓ મફત તાલીમ મેળવી પરીક્ષામાં સફળ થઈ સરકારી નોકરી મેળવી શકે તેવા શુભ આશયથી આ તાલીમ વર્ગનું આયોજન હાથ ધરાયુ છે. જેનો લાભ લેવા તમામ વર્ગના યુવાન-યુવતીઓને અપીલ છે

✒️ પ્રવેશ ફોર્મ મેળવવાનું સ્થળ
**********************
નર્મદા ચેનલ,
સ્ટેચ્યુ પાર્ક પાસે,
ભરૂચ.

✔️ ફોર્મ પરત કરવાની તારીખ
********************
૧૯-૧૨-૨૦૧૮

✒️ વધુ માહિતી માટે સંપર્ક
******************

નરેશ ઠક્કર
મો. 95865 22666
ધર્મેશ પરમાર
મો. 99257 58409
જગદીશ પરમાર
મો. 94271 16916