


તામિલનાડુના નાનકડા ગામમાં જન્મેલી પણ સર્ફિંગની ગજબ આવડત ધરાવતી કમલી મૂર્તિ પર એક શાોર્ટ ફિલ્મ બની છે જેમાં તેની સિંગલ મધરની દીકરીને ઉછેરવાની સંઘર્ષ ગાથા વણી લેવાઈ છે. ભારતીયો માટે ગર્વની વાત એ છે કે આ ફિલ્મ આખી દુનિયામાં વખણાઈ છે. એટલાન્ટા ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મના ભારે વખાણ થયા હતા. મહાબલિપુરમમાં શૂટ થયેલી આ ફિલ્મને ઓસ્કાર્સ 2020 માટે નોમિનેટ કરવામાં આવી છે.

આ ફિલ્મમાં સુગંથિ નામની એક યુવતીની વાત છે જે કમલીની સિંગલ મધર છે. તે માછલી વેચીને ગુજરાન ચલાવે છે અને તે સ્ત્રી શક્તિનો પર્યાય છે. દીકરીને ઉછેરવા અને તેનું સ્કેટબોર્ડિંગ ચેમ્પિયન બનવાનું સપનુ પૂરુ કરવા માટે તે અનેક અડચણોનો સામનો કરવા તૈયાર થઈ જાય છે. કમલી મૂર્તિની માતા તેનો સૌથી મોટો આધાર છે.
આ ફોટો જેઈમી થોમસ દ્વારા ક્લિક કરાયો હતો. જેઈમી પોતે સ્કેટર, સર્ફ બોર્ડર અને જાણીતો ફોટોગ્રાફર છે. મહાબલિપુરમના પ્રવાસ દરમિયાન તેણે આ ફોટો ક્લિક કર્યો હતો અને ટોની હૉકનું ધ્યાન ખેંચ્યું હતું. કમલીના ભારતીય સ્ત્રીઓના સશક્તિકરણના પ્રતીક તરીકે જોવામાં આવી રહી છે. કમલી પર બનેલી 24 મિનિટની શોર્ટ ફિલ્મ ન્યુઝીલેન્ડની સાશા રેઈનબો દ્વારા ડિરેક્ટ કરાઈ છે. આ ફિલ્મનું ટાઈટલ કમલી છે. આ ફિલ્મ મુંબઈ ઈન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ 2018માં બેસ્ટ ડિરેક્ટર એવોર્ડ જીતી ચૂકી છે.
It was one fateful day for little Kamali Moorthy when she was spotted by photographer, skater, and surfboarder Jamie Thomas. He clicked the contrasting image of a barefoot Kamali, with her hair going awry, clad in a white cotton frock, skating with the expressions of a seasoned skateboarder, everything about which spelled rebellion.
Skating icon and superstar Tony Hawk then shared Kamali’s picture with the caption “new favourite skate shot” on Instagram and soon the little skateboarder from Mahabalipuram went viral. In almost no time the six-year-old emerged out as a symbol of empowerment for Indian women.
Soon after in December 2016 a filming crew found their way to Bangalore to trace and film “burgeoning female skate movement for a music video for Wild Beasts’ single, Alpha Female.” The video gained immense popularity as everyone got intrigued and bombarded the crew with questions about the “skating sari girls.” The response inspired the crew to narrate the story of these girls and how skateboarding altered their lives and thus Kamali became the eponymous muse for the film Kamali.
You’d be surprised to know that besides the traditional fishing, Mahabalipuram boasts of a strong surfing culture. While the residents of the Fisherman’s Colony where Kamli resides are mostly into fishing, some of them have embraced the sea to surf as well. Kamali’s is an eccentric story as she was taught surfing by Áine Edwards who introduced her to Jamie, her skateboard was later sponsored by someone who spotted her surfing and later Jamie gifted her his own skateboard which she cherishes more than her own life.
Suganthi, Kamali’s mother, believes that letting Kamali follow her dreams will empower her to break free from the vicious cycle of poetry that they entrapped into. She has made up her mind to support her and will do it even if her family objects to it. “Kamali is becoming a symbol of hope for the future of women in India,” as the movie website says and her mother is determined to give her all the access to education and independence that she couldn’t have any access to.
The movie is aiming to be a story of empowerment and its proceeds will go to Kamali’s education and inspire more girls from the area to take up skateboarding. “In India, a female skateboarder is a symbol; a symbol of going against the grain, standing boldly in front of society and taking ownership of one’s life.” The image of Kamali in her white frock is all of that and more. The shooting of the movie is over and we can hardly wait for it to hit the screens.
યુનાઇટેડ આરબ અમિરાતની રાજધાની અબુધાબીમાં બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ શ્રી સ્વામીનારાયણ મંદિરના સ્વરૂપમાં પહેલા હિંદુ મંદિરનું ખાત મુહૂર્ત મહંત સ્વામી મહારાજના હસ્તે તાજેતરમાં જ સંપન્ન કરવામાં આવ્યું છે. અબુધાબી ખાતે બીએપીએસ હિન્દુ મંદિરના શિલાન્યાસ પ્રસંગે યોજાયેલા દબદબાભર્યા સમારોહમાં સાધુ સંતો અને અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેક જાયેદ પણ હાજર રહ્યા હતા. આ સાથે 5000થી વધુ ભક્તોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.

દુબઈ-અબુધાબી હાઈ-વે પર અલ રાભા ઉપનગરના કિનારે, આજે 27 એકરની ભૂમિ પર. આ મંદિર અબુધાબીથી 20 અને દુબઈથી 45 મિનિટના અંતરે બનશે. મંદિરનું નિર્માણકાર્ય 55 હજાર વર્ગ મીટરમાં તૈયાર થશે. જેમાં પાર્કિંગ માટે અલગથી જગ્યા રહેશે.
અબુધાબીમાં બનાવા જઈ રહેલા સ્વામિનારાયણ મંદિરનો ફાઈનલ પ્લાન
અબુધાબીમાં બની રહેલું મંદિર આટલું ભવ્ય હશે, જુઓ મંદિરની અંદરનો પ્લાન
Posted by Mahant Swami Na Ashirwad on Saturday, 20 April 2019
સન 1997માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અહીંની આરબ ભૂમિ પર પધાર્યા હતા ત્યારે તેઓએ અહીં વસતા હિન્દુઓની ધર્મભાવનાનું પોષણ કરવા એક પવિત્ર સંકલ્પ કર્યો હતો કે આરબભૂમિ પર સંસ્કૃતિધામ ભવ્ય હિન્દુ મંદિરનું નિર્માણ થાય. બે દાયકાઓના પ્રયાસ પછી આજે એ સંકલ્પ સાકાર થઈ રહ્યો છે. તેઓના એ સંકલ્પને સાકાર કરતો અનોખો અવસર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા ગુરુહરિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં અબુધાબી ખાતે તા. 20 એપ્રિલ, 2019ના રોજ યોજાઈ ગયો. એ હતો – અબુધાબીમાં રચાઈ રહેલા બી.એ.પી.એસ. હિન્દુ મંદિરનો ભવ્ય શિલાન્યાસ વિધિ.
આ અવસર માટે જ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 50થી વધુ સંતોના સંઘ સાથે યુ.એ.ઈ.ની 11 દિવસીય યાત્રાએ પહોંચ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના અનુગામી તરીકે યુ.એ.ઈ. ખાતેની પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આ સર્વપ્રથમ ધર્મયાત્રા છે.
દુબઈ-અબુધાબી હાઈ-વે પર અલ રાભા ઉપનગરના કિનારે, આજે 27 એકરની ભૂમિ પર નંદનવન ખડું થયું હતું. હાઈ-વે પરથી બી.એ.પી.એસ. હિન્દુ મંદિરની આ વિશાળ ભૂમિ પર પ્રવેશ કરતાં જ ભારત, યુ.એ.ઈ.ના રાષ્ટ્રધ્વજ ઉપરાંત વિવિધ રંગી ધ્વજાઓ અનોખા ઉત્સવનું વાતાવરણ ખડું કરતી હતી. સુશોભિત પ્રવેશદ્વારો, રેતીના એક ઊંચા ઢગ પર નિર્માણાધીન મંદિરની વિશાળ પ્રતિકૃતિ, બે વાતાનુકુલિત અને અલંકારોથી મંડિત વિશાળ મહામંડપો, મહાનુભાવો માટે સુંદર મજલિસ – આ બધું જ સંતો અને સ્વયંસેવકોના દિવસ-રાતના પુરુષાર્થની છડી પોકારતું હતું.

યુ.એ.ઈ. તથા મસ્કત, બાહરીન, કતાર, કુવૈત, સાઉદી અરેબિયા વગેરે આરબ દેશો ઉપરાંત ભારત, કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, થાઈલેન્ડ વગેરે દેશોના નિમંત્રિત હરિભક્તો હજારોની સંખ્યામાં આ અવસરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
બ્રહ્મવિહારીદાસ સ્વામીએ ચલમૂર્તિનું પૂજન કરી મહંત સ્વામીજીનું સ્વસ્તિવાચન કર્યું. ત્યારબાદ સ્વામીશ્રીએ ભારતીય પરંપરા મુજબ ઓજારોનું પૂજન કર્યું. ત્યારબાદ તેઓએ આ વિશાળ મંદિરના નિર્માણની પ્રક્રિયામાં જોડાયેલા શિલ્પી શ્રી વિપુલ સોમપુરા, સંજયભાઈ પરીખ, શ્રી જસબિરસિંઘ સાહની વગેરેનું સ્વામીશ્રીએ પૂજન કરીને તેઓને આશીર્વાદ આપ્યા.ત્યારબાદ મહંત સ્વામી મહારાજના હસ્તે બ્રહ્મશિલાના મુખ્ય ગર્તનું પૂજન કરવામાં આવ્યું, હિન્દુ પરંપરા મુજબ ખાતદેવતાઓનું પૂજન કરીને સ્વામીશ્રીએ ગર્તમાં સ્વર્ણિમ યંત્ર સ્થપિત કર્યું. ત્યારબાદ સ્વામીશ્રીએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે નિધિકુંભનું એટલે કે ગર્ભબીજનું સ્થાપન કર્યું અને તેના પર સ્વર્ણીમ લેલા વડે સિમેન્ટ સ્થાપન કર્યું. ત્યારબાદ આ પૂજિત અને સ્થાપિત બ્રહ્મશિલા પર અન્ય મહાનુભાવોએ પણ પૂજાદ્રવ્યો પધરાવ્યાં.
જયેશ બ્રહ્મભટ્ટ
યંગસ્ટર્સમાં કેટલી અપાર શક્તિ ભરેલી હોય છે અને યંગસ્ટર્સ ધારે તો શું ન કરી શકે તેનું જીવંત ઉદાહરણ બન્યો છે સુરતનો યંગસ્ટર રાહુલ દલાલ. આ સુરતી યુવાને 22 વર્ષની ઉંંમરે જે સિદ્ધિઓ હાંસલ કરી છે એ કદાચ ન ભૂતો ન ભવિષ્યતી લેખાય રહી છે અને લેખાશે.
રાહુલ દલાલની ઉંમરના બીજા યંગસ્ટર્સને એક ડિગ્રી ભણતા ભણતા મોઢે ફીણ આવી જાય, ડચકાં ખાતા ખાતા એકાદ ડિગ્રી આવી જાય અને ભણવાનું પૂરું થઇ જાય. 85 ટકા યંગસ્ટર્સની આ હાલત હોય છે જેઓ ગ્રેજ્યુએશન કરે એટલે ભયો ભયો
રાહુલ દલાલ નામનો સુરતી યુવાન જે હાલમાં સુરતની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ, એસ.વી.એન.આઇ.ટી.માં બી.ટેક. કેમિકલ બ્રાન્ચમાં ફાઇનલ ઇયરનું એન્જિનિયરિંગ ભણી ચૂક્યો છે. આ થઇ તેની પહેલી સિદ્ધિ.
રાહુલ દલાલની બીજી સિદ્ધિએ છે કે એન્જિનિયરિંગ ભણવાનું શરૂ કર્યું એટલે કે ધો.12 પાસ થયા પછી રાહુલ દલાલે સી.એ. (ચાર્ટર્ડ અકાઉન્ટન્સી) કોર્સમાં પણ પ્રવેશ મેળવ્યો હતો અને સુરતના જાણીતા સી.એ. કોચ રવિ છાવછરીયા પાસે કોચિંગ મેળવ્યું હતું અને હાલમાં એ સી.એ. ફાઇનલની પરીક્ષાનું પ્રિપેરેશન કરી રહ્યો છે.
એન્જિનિયરિંગ અભ્યાસ અને એ પણ નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં અને તેની સાથે સી.એ. કોર્સમાં ફાઇનલ સુધી પહોંચી ચૂકેલા રાહુલ દલાલની ત્રીજા અદ્વિતિય સિદ્ધિ એ છે કે તેણે તાજેતરમાં આઇ.આઇ.એમ. (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ) માં પ્રવેશ માટે આંતર રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવતી આઇ.આઇ.એમ. કેટ (કોમન એન્ટ્રન્સ એકઝામ) પરીક્ષા આપી હતી અને તેમાં પણ 98.88 પર્સન્ટાઇલ મેળવીને અવ્વલ રહ્યો છે. રાહુલ દલાલને પહેલા જ પ્રયત્ને આઇ.આઇ.એમ. એ. એટલે કે અમદાવાદ આઇ.આઇ.એમ. કે જ્યાં મેનેજમેન્ટ સ્ટડી કરવા માટે હજારો નહીં લાખો વિદ્યાર્થીઓનું સપનું સપનું જ બની રહી જાય છે.
આમ આ સુરતી યુવાને કોલેજ કાળમાં એક સાથે ત્રણ-ત્રણ અદ્વિતિય સિદ્ધિઓ મેળવી લીધી છે.

Exceptional! Amazing! Brilliant!
Our student Rahul Dalal, studying CA Final and in last year of Chemical Engineering (SVNIT)..yes you read it right— CA parallel with engineering from last 4 years..
Now cracked CAT with 99.88 percentile and got admission into IIM A.
A true techno-commercial guy!
Many congratulations to Rahul Dalal and his family.
Surat’s youth are performing amazingly beautiful year after year in all spheres of education..and setting benchmarks.
12 વર્ષની વયજૂથની છોકરીઓ મોબાઈલ, રમકડાં, એક્ટીવા, ટેબ્લેટ વગેરે અપાવવા માટે માબાપ પાસે હઠાગ્રહ કરતા હોય છે પણ થાઈલેન્ડની નેથાનન નામની એક કિશોરીએ 12 વર્ષની ઉંમરે પોતાની કમાણીથી એક બીએમડબલ્યુ લક્ઝુરિયસ કાર ખરીદી છે.
12 વર્ષની Natthananએ પોતાને જ BMW Sedan ગિફ્ટ કરી છે, ગઇ તા.9મી એપ્રિલના રોજ નેથાનનનો જન્મ દિવસ હતો અને પોતાના જન્મદિવસે નેથાનને પોતાને જ બીએમડલબ્યુ જેવી લક્ઝરીયસ કાર ગીફ્ટ કરી છે.
નેથેનન ફક્ત થાઇલેન્ડમાં જ નહીં બલ્કે વિશ્વભરમાં સૌથી નાની ઉંમરની એક જાણીતી મેકઅપ આર્ટિસ્ટ છે. થાઈલેન્ડના ચેંટાબુરીમાં રહેતી નેથાનન ‘લંડન ફેશન વીક – 2018’માં પણ ભાગ લઈ ચૂકી છે.

નેથેનને 9 એપ્રિલના દિવસે પોતાના ફેસબુક પેજ પર કાર ખરીદી હોવાની વાત શેર કરી. તે લખે છે, ‘મને જન્મદિવસ મુબારક. હું આજે 12 વર્ષની થઈ ગઈ છું. તમારા પ્રેમ અને સપોર્ટ માટે આભાર. મારા તરફથી પણ બધાને અભિનંદન.’ જણાઈ કે, નેથેનનને ફેસબુક પર 9 લાખથી વધુ લોકો ફોલો કરે છે.
સોશ્યલ મિડીયાનો સદુપયોગ કર્યો નેથાનને
12 વર્ષની ઉંમરે વિદ્યાર્થિનીઓ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ પર બિનજરૂરી ચેટિંગમાં પોતાનો સમય, શક્તિ, મગજ બગાડતી હોય જોવા મળે છે, જ્યારે થાઇલેન્ડની નેથાનને ઇન્ટરનેટ અને સોશ્યલ મિડીયાનો સદુપરયોગ કર્યો છે.
તે યૂટ્યૂબના વિડીયોની મદદથી મેકઅપ કરતા શીખી છે. તેણે 7 વર્ષની ઉંમરથી સોશિયલ મીડિયા પર પોતાના મેકઅપ ટ્યૂટોરિયલ મૂકવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ તે લોકોની નજરમાં આવતી રહી અને ફેમસ બની ગઈ. જોકે, પ્રૉફેશનલ મેકઅપ આર્ટિસ્ટ બનવા માટે તેણે પ્રોફેશનલ મેકઅપ કોર્સિસ પણ કર્યા છે.
સુરતની ઐતિહાસિક ઓળખ સમો ચોકબજાર સ્થિત કિલ્લો રિનોવેટ કરાયા બાદ લોકો માટે ખુલ્લો મૂકાયો હતો. એ વાતને આવતીકાલ તા.13મી એપ્રિલ 2019ના રોજ એક વર્ષ થઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ ઐતિહાસિક સુરત ફોર્ટમાં છેલ્લા એક વર્ષ દરમિયાન 34,501 મુલાકાતીઓ આવી ચૂક્યા છે અને સુરતવાસીઓ કરતા સુરતના બહારના લોકો વધુને વધુ સુરતના કિલ્લાને નિહાળવા માટે આવી રહ્યા છે.

સુરત ફોર્ટમાં ઉપલબ્ધ સુવિધાઓમાં થયેલા વધારા અંગે માહિતી આપતા ભામિનીબેન મહિડાએ જણાવ્યું હતું કે સુરત ફોર્ટ સાઇટ પર વધઉ બે ફેસેલિટી ઉભી કરવામાં આવી છે. એક ફેસેલિટી છે કોન્ફરન્સ રૂમની. 40થી 50 વ્યક્તિઓ માટે કોન્ફરન્સ, પ્રોડક્ટ લોંચ વગેરે કરવા માટે ત્રણ કલાકના સેશન માટે સુરત મહાનગરપાલિકા જગ્યા ભાડે આપશે. એવી જ રીતે આર્ટ ગેલેરીની રચના કરવામાં આવી છે. આર્ટ ગેલેરી પણ જુદા જુદા હેતુસર ભાડે આપવામાં આવશે.

(Photo by Khushi Moda)
Surat fort was opened for general public last year on 13 April (year 2018). On this 13 April, it completes 1 year. Surat fort has become the benchmark of Surat’s heritage sites in the city and attracts the tourists more than common people. A lot of students from schools also visit the fort on regular basis and it is staffed by expert members from Surat Municipal Corporation.
Some important features are listed below.
About the original fort
Surat fort was built between 1540 and 1547
It was commissioned by Ahmedabad king Sultan Mahmood-III and the in-charge was Khudawand Khan (his tomb is also a brilliant heritage site near SMC main office in Mugalisara)
The fort was built to protect from the repeated invasions by Portuguese rulers.
During the construction, the Portuguese spies had tried to bribe General Khudawan Khan repeatedly, but they did not succeed.
The Fort derives its inspiration from a number of cultures and so today it houses very interesting areas like British barracks, a hammam (popularly found in Turkish cultures), the court-room made in Dutch style, etc.
The cannons installed on the fort were believed to be brought in either from Junagadh or from Diu.
About and after the restoration
The restoration was done by a Surat based company called People for Heritage Concern (PHC), headed by Architect Sumesh Modi & Architect Sonal Modi.
It was reconstructed in almost the same way, and in most parts, by the material used at that time or its replica.
Today it houses an audio-visual room, library, art gallery, hammam, display gallery, reading room, café, etc.
It is being managed and maintained by Surat Municipal Corporation under the curatorship of Mrs Bhamini Mahida.
The current fort is still half of the actual site and the other half will open for public after restoration after a couple of years.

Appropriate people if you want to take more details
Mrs Bhamini Mahida (SMC), Curator Science Centre & Surat Fort – 0261 – 2255947
Mr Sumesh Modi (Chief architect, People for Heritage Concern) – 98251 29961
Prakash Hathi (Founder, Dharohar Foundation) – 98252 34861
કરણ જોહરનું ધર્મા પ્રોડકશન દિવ્યાંગ પર્વતારોહી અરૂણિમા સિંહા પર બાયોપિક ફિલ્મ બનાવી રહયું છે. રિપોર્ટ અનુસાર અરૂણિમા સિંહાના પાત્ર માટે આલિયા ભટ્ટ પર પસંદગી ઉતારવામાં આવી છે. આ ફિલ્મને નિતેશ તિવારી નહીં, પણ મસાન ફેમ ડાયરેકટર નિરજ ઘેવન ડિરેકટ કરશે. આલિયાએ પુષ્ટિ કરી છે કે મારી નિરજ સાથે બેઠક થઇ છે.

હું આ ફિલ્મ માટે રોમાંચિત છું. આ એક જીવનને પ્રોત્સાહિત કરતી કહાની છે. જેને દર્શકો સુધી પહોંચાડવી જરૂરી છે. અમને આશા છે કે અરૂણિમા સિંહાની બાયોપિક ફિલ્મનું શુટીંગ આ વર્ષના અંતમાં શરૂ કરી દેશું. આલિયા ભટ્ટ હાલ બોલિવૂડની નંબર વન હિરોઇન છે.
તેની નવી ફિલ્મ કલંક 17 એપ્રિલે રીલિઝ થવાની છે.’ તે પિતા મહેશ ભટ્ટની ફિલ્મ સડક-2 પણ કરી રહી છે. આ ઉપરાંત જમૌલીની આરઆરઆરમાં પણ આલિયા છે. સંજય લીલા ભણશાલીની નવી ફિલ્મ ઇન્શાઅલ્લાહમાં તે સલમાન ઓપોઝિટ
સાઇન થઇ છે.
તા.5મી એપ્રિલ 2019ના રોજ યુપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલા ફાઇનલ્સ 2018ના પરિણામે સુરતનું એ મહેણું દૂર કર્યું હતું કે 60 લાખથી વધુની વસતિ ધરાવતા સુરત શહેરમાંથી હજુ સુધી એકેય યુવક કે યુવતિ આઇ.એ.એસ. કે આઇ.પી.એસ. બન્યા નથી. જી હા, તા.5મી એપ્રિલે જાહેર થયેલા યુપીએસસી સિવિલ સર્વિસીઝ ફાઇનલ્સ 2018 પરીક્ષાના પરીણામમાં સુરતના વરાછા રોડનો એક યુવાન એન્જિનિયર નામે કાર્તિક જીવાણી સમગ્ર દેશમાં 94 અને ગુજરાતમાં પહેલા રેન્કથી પાસ થઇને સનદી અધિકારી બન્યો છે.

કાર્તિક સુરતના વરાછાની પી પી સવાણી સ્કુલ અને એ પછી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલિંગ પૂરું કર્યું હતું. કાર્તિક જીવાણીએ એન્જિનિયરિંગમાં ઉચ્ચ શિક્ષણ આઈઆઇટી મુંબઈથી લીધું હતું. મેકૅનિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચમાં બી.ટેક થયા બાદ કાર્તિક જીવાણીએ ગત 2017માં યુપીએસસીની પરીક્ષા આપી હતી જેમાં એ ફેલ થયો હતો અને પછી પુનઃ 2018માં ફરીથી પરીક્ષા આપી હતી, જેનું પરીણામ સમગ્ર સુરત જ નહીં બલ્કે ગુજરાતને પણ ગૌરવ અપાવી રહ્યું છે.
હાર્દિકના પિતા વરાછા રોડ પર જીવાણી લેબોરેટરી ચલાવી રહ્યા છે. ડો.એન.ડી. જીવાણી વરાછા રોડ પર સારી શાખ ધરાવે છે, તેમના પુત્રની સિદ્ધિથી તેઓ અત્યંત ખુશી અનુભવી રહ્યા છે.
કાર્તિક જીવાણીએ યુપીએસસીની સિવિલ સર્વિસીઝ ઉપરાંત ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસીઝમાં સમગ્ર ભારતમાં 3જો રેન્ક તેમજ ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસીઝમાં સમગ્ર ભારતમાં 101મો રેન્ક હાંસલ કર્યો છે.
સી.આઇ.એ. સાથે વાતચીત દરમિયાન કાર્તિક જીવાણીએ જણાવ્યું હતું કે તેણે આઇ.એ.એસ. અગર આઇ.પી.એસ. બ્રાન્ચ સિલેક્ટ કરી છે. બ્રાન્ચની સાથે સ્ટેટ (રાજ્ય)ની પસંદગી કરવાની હોય છે. તેમાં પણ ગુજરાતને પસંદ કરી છે.

સુરતના વરાછા રોડ સ્થિત બિનસરકારી સંસ્થાઓ જેવી કે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ, લોક સમર્પણ બ્લેડ બેંક, વરાછા કો.બેંક વગેરેના આગેવાનોએ તા.6 એપ્રિલના રોજ વરાછા સ્થિત લોકસમર્પણ બ્લડ બેંકના હોલમાં આઇ.એ.એસ.ની પરીક્ષા પાસ કરનાર કાર્તિક જીવાણીનું જાહેર અભિવાદન કર્યું હતું, તે વેળાની તસ્વીર

આરબીઆઈ દ્વારા આજે તા.4 એપ્રિલ 2019ના રોજ ભારતના અર્થતંત્રને વેગ આપતી મોનેટરી પોલિસી જાહેર કરી હતી. જેના ભાગરૂપે રેપોરેટ, વ્યાજના દરમાં 0.25 ટકાનો સતત બીજી વાર ઘટાડો કરાયો છે. આ સાથે જ એશિયામાં ભારત એક માત્ર એવો દેશ છે કે જેણે ત્રણ મહિનામાં વ્યાજના દરમાં બે વાર ઘટાડો કર્યો છે.
નાણાકીય વર્ષ 2019-20ની સૌ પહેલી મોનેટરી પોલિસીમાં રેપો રેટ એટલે કે વ્યાજ દરમાં ઘટાડો કરાતા હવે તે 6 ટકા પર આવી ગયો છે. રેપો રેટ એવો દર છે કે જેના પર રિઝર્વ બેંક અન્ય બેંકોને નાંણા ધીરે છે.
વ્યાજ દરમાં ઘટાડો કરવાના કારણમાં મધ્યસ્થ બેંકે જણાવ્યું હતું કે હાલના નાણાકીય વર્ષના પહેલા છ મહિનામાં જીડીપી ગ્રોથ રેટ 6.8 થી 7.1 ટકા વચ્ચે રહી શકે છે, અને પછીના છ મહિનામાં તે વધીને 7.3 થી 7.4 ટકા થઈ શકે છે.
આ સિવાય ફુગાવાનો દર આ નાણાકીય વર્ષમાં 2.9 થી 3 ટકા આસપાસ રહેશે. ફુગાવો ઘણો નીચો રહેવાની શક્યતા પર આરબીઆઈએ વ્યાજના દર ઘટાડ્યા છે. જ્યારે 2019-20ના છેલ્લા છ મહિનામાં ફુગાવાનો દર 3.5 થી 3.8 ટકા સુધી રહેવાનો અંદાજ રિઝર્વ બેંકે વ્યક્ત કર્યો છે.
આરબીઆઈ આ વખતે પણ વ્યાજના દરમાં ઘટાડો કરશે તેવું નક્કી મનાતું હતું. જો વ્યાજ દરમાં ઘટાડો ન થાય તો પણ તે સ્થિર રહે તેવી પૂરી શક્યતા હતી, કારણકે હાલની સ્થિતિને જોતા રિઝર્વ બેંક કોઈ સંજોગોમાં વ્યાજ દર નહીં વધારે એમ માનવામાં આવી રહ્યું છે.