CIA ALERT

Blog - Page 519 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
May 10, 2019
bihar_evm.jpg
1min11840

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં પાંચમાં તબક્કાના મતદાન દરમિયાન એક હોટલમાં છ ઈવીએમ રાખવા બદલ ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે અને સંબંધિત મતદાન અધિકારીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. જોકે, જિલ્લા અધિકારીઓએ કહ્યું કે ઈવીએમનો ઉપયોગ નથી કરવામાં આવ્યો કે નથી તેનું સીલ તોડવામાં આવ્યું.

May 10, 2019
rajiv_admiral.jpeg
1min11580


પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીએ આઈએનએસ વિરાટ જહાજનો ઉપયોગ પોતાની ટેક્સી તરીકે કર્યાનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આક્ષેપ પછી રાજકીય બબાલ મચી ગઈ છે. નૌસેનાનાં પૂર્વ વરિષ્ઠ અધિકારી આ મુદ્દે આગળ આવીને મોદીનાં આરોપોને નકારી રહ્યા છે. પૂર્વ ચીફ નેવલ સ્ટાફ એડમિરલ એલ.રામદાસે બાકાયદા નિવેદન જારી કરીને મુદ્દાસર એ પ્રવાસનો ઉલ્લેખ કર્યો છે જેમાં રાજીવ પરિવાર સાથે છૂટ્ટી ગાળવા ગયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન અને તેમના પત્ની સિવાય એ અધિકૃત યાત્રામાં અન્ય કોઈ વિદેશી સામેલ નહોતાં. દિવંગત રાજીવે લક્ષદ્વીપ ટાપુ ઉપર 10 દિવસ માટે નૌસેનાનાં જહાજનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. આ નિવેદન કદાચ ઈન્ડિયા ટૂડેનાં એક અહેવાલ આધારિત હોઈ શકે છે. પરંતુ આમાં સચ્ચાઈ નથી. વાસ્તવમાં એ વડાપ્રધાનનો અધિકૃત પ્રવાસ જ હતો. તેનાં ઉપર કોઈ મિજલસો યોજાઈ નહોતી.

May 10, 2019
modi.jpg
1min5090

ગળામાંથી અવાજ નહીં નીકળતો હોવા છતાં ખેંચી ખેંચીને 20 મિનિટ ભાષણ કર્યું ન.મો.એ

દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ બનતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાબડતોડ રેલીઓનો સિલસિલો શરૂ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં ઉર્જા સતત ચર્ચાનો વિષય રહ્યો છે. મોદી દરરોજ બેથી પાંચ જનસભાને સંબોધિત કરી રહ્યા છે. ગુરુવારે પણ મોદીએ પાંચ રેલી કરી હતી. એક પછી એક જનસભાઓ સંબોધિત કરવાના કારણે મોદીનું ગળું જવાબ આપી ગયું હતું અને પ્રયાગરાજમાં સંબોધન કરવા પહોંચ્યા તો ગળું બેસી ગયું હતું. તેમ છતા ઉપસ્થિત જનસમૂહને નિરાશ ન કરતા 20 મિનિટ ભાષણ કર્યું હતું. જો કે તેઓ સરેરાશ 40 મિનિટ ભાષણ કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરેરાશ એક દિવસમાં બે રાજ્યોમાં રેલી કરે છે. ગુરુવારે છઠ્ઠા તબક્કાના મતદાન માટે ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં પાંચ જનસભા કરી હતી. સાંજે જૌનપુરમાં રેલી કર્યા બાદ પ્રયાગરાજ પહોંચ્યા હતા. જ્યાં છઠ્ઠા તબક્કામાં મતદાન થવાનું છે. પીએમ મોદીની વેબસાઈટ પ્રમાણે 25 ડિસેમ્બર બાદ તેઓ 200થી પણ વધારે કાર્યક્રમ કરી ચૂક્યા છે. જેમાંથી મોટાભાગના કાર્યક્રમ ચૂંટણીલક્ષી હતી. ચૂંટણીનું એલાન થાય તે પહેલા જ મોદી 100થી વધારે લોકસભા બેઠકો કવર કરી ચૂક્યા હતા. આ દરમિયાન 100થી વધારે પ્રોજેક્ટસનું પણ ઉદ્ઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કાર્યક્રમમાં પણ હાજર રહ્યા હતા.’
May 9, 2019
gurukrupa_logo.jpg
1min8720

સમગ્ર રાજ્યમાં હિન્દી મિડીયમ વિજ્ઞાન પ્રવાહમાં કુલ 4 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડ હાંસલ કરી શક્યા જેમાંથી બે વિદ્યાર્થીઓ સુરતના ઉધના સ્થિત ગુરુકૃપા વિદ્યાસંકુલના હિન્દી મિડીયમમાં અભ્યાસ કર્યો છે

સુરતના ઉધના વિસ્તારમાં સૌથી વધુ લોકપ્રિય વિદ્યાસંકુલ, ગુરુકૃપા વિદ્યાસંકુલના ધો.12 સાયન્સ હિન્દી મિડીયમના વિદ્યાર્થીઓએ આજે ગુજરાત બોર્ડના પરીણામમાં મેદાન માર્યું છે.

ગુરુકૃપા વિદ્યાસંકુલનું ધો.12 સાયન્સ હિન્દી મિડીયમનું પરીણામ તો સુરત નહીં ગુજરાતમાં સૌથી શ્રેષ્ઠ છે જ પરંતુ, સમગ્ર રાજ્યમાં કુલ 4 વિદ્યાર્થીઓ હિન્દી મિડીયમમાં એ-વન ગ્રેડ હાંસલ કરી શક્યા છે. આ ચાર વિદ્યાર્થીઓ પૈકી 2 વિદ્યાર્થીઓ ગુુરુકૃપા હિન્દી મિડીયમના છે.

ગુરુકૃપા વિદ્યાસંકુલના સર્વેસર્વા શ્રી મુકેશભાઇ પટેલે એ જણાવ્યું હતું કે શાળાના વિદ્યાર્થીઓ વિશ્વકર્મા અશ્વનિ ઉમાશંકર તેમજ મિશ્રા બિપિનકુમાર બિમલકુમારએ અનુક્રમે ગુજરાત બોર્ડમાં ધો.12 સાયન્સમાં 99.82 અને 99.66 માર્કસ મેળવીને એ-વન ગ્રેડ હાંસલ કર્યો છે. સમગ્ર ગુજરાતમાં શાળાનું નામ રોશન કર્યું છે.

ઉધના વિસ્તારથી લઇને શહેરમાં હિન્દી મિડીયમમાં આમેય ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ક્વોલિટી એજ્યુકેશન આપતી શાળાઓની કમી વર્તાય રહી છે ત્યારે ગુરુકૃપા વિદ્યાસંકુલની હિન્દી મિડીયમ સ્કુલ સતત દર વર્ષે શ્રેષ્ઠ પરીણા આપી રહી છે.

સુરતમાં એ-વન ગ્રેડમાં કઇ સ્કુલના કેટલા વિદ્યાર્થીઓ

  • શાળાનું નામ                           એ-વન ગ્રેડની સંખ્યા
  • આશાદીપ સાયન્સ ભવન            31
  • પીપી સવાણી ગ્રુપ                       12
  • તપોવન વિદ્યાભવન                    05
  • આઇએન ટેકરાવાળા સ્કુલ          04
  • મૌની ઇન્ટરનેશનલ સ્કુલ             04
  • દિપદર્શન વિદ્યાસંકુલ                   04
  • સ્વામીનારાયણ ગુરુકુળ               03
  • સેંટ ઝેવિયર્સ સ્કુલ                        03
  • કૌશલ વિદ્યાભવન                        02
  • માધવબાગ વિદ્યાભવન                02
  • જીવનભારતી                               02
  • એલપી સવાણી સ્કુલ                   02
  • અક્ષરજ્યોત વિદ્યાલય                  02
  • ગુરુકૃપા વિદ્યાભવન (હિન્દી)       02
  • વશિષ્ઠ વિદ્યાલય                          02
  • વિદ્યામંગલ કામરેજ                      01
  • ડીઆર રાણા વિદ્યાસંકુલ             01
  • શારદા વિદ્યાભવન                       01
  • ગજેરા વિદ્યાભવન                        01
  • જયઅંબે વિદ્યાભવન                    05
  • જેબી ડાયમંડ સ્કુલ                      01
  • સીસી શાહ એક્સપેરિમેન્ટલ        01
May 9, 2019
CIA_Live_Logo_New2.jpg
1min11990

જયેશ બ્રહ્મભટ્ટ

ધો.12 વિજ્ઞાન પ્રવાહના આજે જાહેર થયેલા પરીણામમાં વરાછા રોડની સાયન્સ સ્કુલોનું પરીણામ સુરતની અન્ય સ્કુલોની સરખામણીમાં શ્રેષ્ઠ રહ્યું હતું. ખાસ કરીને વરાછા રોડ પર આવેલી આશાદીપ સાયન્સ ભવન, પી.પી. સવાણી ગ્રુપ, તપોવન વિદ્યાભવન જેવી સ્કુલોમાંથી સૌથી વધુ એ-વન ગ્રેડ વિદ્યાર્થીઓએ હાંસલ કર્યા છે.

વરાછા રોડ પર આવેલી આશાદીપ સાયન્સ ભવન ધો.12 સાયન્સના નબળા પરીણામ વચ્ચે પણ આ વખતે અડીખમ ઉભી રહી છે. સુરત શહેર જિલ્લા મળીને કુલ 31 એ-વન ગ્રેડ આવ્યા છે. જેમાં એકલી આશાદીપ સાયન્સ ભવન સ્કુલના જ 31 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં આવ્યા છે.

કેમેસ્ટ્રીના ખરાબ પરીણામ વચ્ચે આશાદીપના બે વિદ્યાર્થીઓ 100માંથી 99 માર્કસ ખેંચી લાવ્યા

આશાદીપ સાયન્સ ભવનમાં અક્ષર દિનેશભાઇ રોય તેમજ પરીબ મુકેશભાઇ બલર એ બે વિદ્યાર્થીઓ એવા છે કે જેમના કેમેસ્ટ્રી વિષય કે જેમાં આખા ગુજરાતના વિદ્યાર્થીઓ ધોવાય ગયા છે આ બે વિદ્યાર્થીઓએ કેમેસ્ટ્રમાં 100માંથી 99 માર્કસ હાંસલ કર્યા છે. આમ સુરતમાં વિજ્ઞાન પ્રવાહમાં આશાદીપ સાયન્સ ભવન સ્કુલ 40 ટકા જેટલા એ-વન ગ્રેડ એકલા હાથે ખેંચી લાવી છે.

સુરતમાં એ-વન ગ્રેડમાં કઇ સ્કુલના કેટલા વિદ્યાર્થીઓ

  • શાળાનું નામ                           એ-વન ગ્રેડની સંખ્યા
  • આશાદીપ સાયન્સ ભવન            31
  • પીપી સવાણી ગ્રુપ                       12
  • જયઅંબે વિદ્યાભવન                    05
  • તપોવન વિદ્યાભવન                    05
  • આઇએન ટેકરાવાળા સ્કુલ          04
  • મૌની ઇન્ટરનેશનલ સ્કુલ             04
  • દિપદર્શન વિદ્યાસંકુલ                   04
  • સ્વામીનારાયણ ગુરુકુળ               03
  • સેંટ ઝેવિયર્સ સ્કુલ                        03
  • કૌશલ વિદ્યાભવન                        02
  • માધવબાગ વિદ્યાભવન                02
  • જીવનભારતી                               02
  • એલપી સવાણી સ્કુલ                   02
  • અક્ષરજ્યોત વિદ્યાલય                  02
  • ગુરુકૃપા વિદ્યાભવન (હિન્દી)       02
  • વશિષ્ઠ વિદ્યાલય                          02
  • વિદ્યામંગલ કામરેજ                      01
  • ડીઆર રાણા વિદ્યાસંકુલ             01
  • શારદા વિદ્યાભવન                       01
  • ગજેરા વિદ્યાભવન                        01
  • જેબી ડાયમંડ સ્કુલ                      01
  • સીસી શાહ એક્સપેરિમેન્ટલ        01

આશાદીપ સાયન્સ ભવન આ રહ્યા તેજસ્વી તારલાઓ

May 9, 2019
CIA_Live_Logo_New2.jpg
1min11410

જયેશ બ્રહ્મભટ્ટ

આજે તા.9મી મે 2019ના રોજ જાહેર થયેલા ગુજરાત બોર્ડના ધો.12 સાયન્સના પરીણામથી સુરતીઓને જરૂર આંચકો લાગશે. અત્યાર સુધી છેલ્લા દાયકા દરમિયાન સાયન્સના એજ્યુકેશનમાં સુરતીઓનું પ્રભુત્વ હતું. સાયન્સના પરીણામમાં સુરત પહેલા અથવા બીજા ક્રમે આવતું હતું જે 2019ના પરીણામમાં છેક આઠમા ક્રમે ધકેલાય ગયું છે.

ગુજરાતના જિલ્લાવાર ધો.12 સાયન્સનું પરીણામ ચકાસીએ તો સૌથી હાઇએસ્ટ પરીણામ

  1. રાજકોટ જિલ્લાનું 84.47 ટકા
  2. અરવલ્લી જિલ્લાનું 84.12 ટકા
  3. મહિસાગર જિલ્લાનું 84.02 ટકા
  4. અમદાવાદ જિલ્લાનું 91.28 ટકા
  5. મહેસાણા જિલ્લાનું 80.85 ટકા
  6. ભાવનગર જિલ્લાનું 80.22 ટકા
  7. જામનગર જિલ્લાનું 79.60 ટકા અને છેક
  8. સુરત જિલ્લાનું 77.86 ટકા પરીણામ આવ્યું છે.

અત્યાર સુધી સુરતી વિદ્યાર્થીઓને સાયન્સમાં અન્ય કોઇ જિલ્લાના વિદ્યાર્થીઓ બીટ કરી શકતા ન હતા. વ્યક્તિગત પરીણામ એટલે કે એ ગ્રેડની સંખ્યા હોય કે ઓવરઓલ પરીણામ હોય સુરતીઓનું પરીણામ છેલ્લા દાયકામાં પહેલા અથવા બીજા ક્રમે રહ્યું હતું. પરંતુ આ વખતે એવો રકાસ થયો છે કે સુરતી વિદ્યાર્થીઓ ધો.12 સાયન્સમાં છેક આઠમા ક્રમે ધકેલાય ગયા છે.

ડમી સ્કુલો અને ધંધાદારી કોચિંગવાળાઓએ ડાટ વાળ્યો

સુરતી વિદ્યાર્થીઓનું ધો.12 સાયન્સમાં કંગાળ પરીણામ માટે સૌથી વધુ જવાબદાર હોય તો એ ડમી સ્કુલો અને જેઇઇ, નીટના ધંધાદારી કોચીંગવાળા છે. માબાપ અને વિદ્યાર્થીઓને ભોળવીને એવી સ્કુલોમાં એડમિશન લેવડાવે કે જ્યાં શાળાકીય શિક્ષણ વગર, ગેરહાજરી હોવા છતાં હાજરી પૂરીને, સ્કુલના ભોગે ટ્યુશનો કરાવીને ધો.12 સાયન્સનો અભ્યાસ કરાવાયો હતો.

આ રહ્યું જિલ્લાવાર ધો.12 સાયન્સનું પરીણામ

May 9, 2019
sensex1.jpg
1min13240

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વ્યાપાર યુદ્ધ શરૂ કરવાનું શંખ ફૂંક્યું છે ત્યારથી વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટની દશા બેસી ગઇ છે. રોકાણકારોએ ઇક્વિટી તરફથી સેફ હેવન ઇન્વેસ્ટમેન્ટ તરફ દોડી ગયા હોવાથી વૈશ્ર્વિક શેરબજારોનું સેન્ટિમેન્ટ ડહોળાયું છે.

ટ્રેડવોર વકરવાના ભય વચ્ચે સેન્સેક્સમાં 488 પોઈન્ટ્સનું ધોવાણ જોવા મળ્યું હતું. અમેરિકા ચીન વચ્ચે ટ્રેડવોર ગંભીર સ્વરૂપ ધારણ કરે તેવી આશંકા સાથે આજે વૈશ્ર્વિક શેરબજારોની

સાથે સાથે ભારતીય ઈક્વિટી માર્કેટમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી અને સેન્સેક્સ 488 પોઈન્ટના કડાકા સાથે 38,000 પોઇન્ટની નીચે ગબડી ગયો હતો.

આ તરફ એ જ કારણે રોકાણકારો સેફ હેવન ગોલ્ડ તરફ દોડી ગયા હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું એક સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.

લંડન સોનું 0.2 ટકા વધીને 1287.20 ડોલર બોલાયું હતું. સ્થાનિકમાં પણ સોનાના ભાવમાં રૂ. 120નો ઉછાળો હતો. આ તરફ ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 28 પૈસા ગબડ્યો હતો.

અમેરિકાએ ચીન પર અગાઉ સધાયેલી સમજૂતીમાંથી પીછેહઠ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો અને તેને કારણે વૈશ્ર્વિક બજારોમાં ગભરાટ ભરી વેચવાલી જોવા મળી હતી.

મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.96 ટકા અને 1.21 ટકા ઘટીને બંધ રહ્યા હતા. સેન્સેક્સની પડતી માટે મુખ્ય કારણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક અને સ્ટેટ બેન્કના શેરોમાં જોવા મળેલું 3.35 ટકા સુધીનું ધોવાણ છે.

વિશ્ર્વબજારમાં નરમાઇનો માહોલ રહ્યો હતો. એક્સચેન્જ પાસેથી ઉપલબ્ધ પ્રારંભિક માહિતી અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ પાછલા સત્રમાં રૂ. 645.08 કરોડની વેચવાલી નોંધાવી હતી જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ રૂ. 818.84 કરોડના શેર ખરીદ્યા હતાં.

રોકાણકારો 23મી મેએ લોકસભાની ચૂંટણીના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હોવાથી બજાર રેન્જબાઉન્ડ થઇ ગયું છે. જોકે એક વર્ગ અનુસાર એનડીએ સરકારના વિજય અને નીતિમાં સાતત્યનું પરિબળ બજારમાં ડિસ્કાઉન્ટ થઈ ગયું છે. આ સ્થિતિમાં હવે બજાર પર વૈશ્ર્વિક પરિબળોની અસર વધુ વર્તાવા માંડી છે.

May 9, 2019
Sadhvi-Pragya-Digvijya-Singh.jpg
1min6170

ભોપાલમાં ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરનો મુકાબલો કરવા કૉંગ્રેસ તરફથી દિગ્વિજય સિંહને ઉતાર્યા છે. સાધ્વી સામે દિગ્વિજયે સાધુનો સહારો લઈને મંગળવારે કોમ્પ્યુટર બાબાની આગેવાનીમાં હવન અને હઠયોગ કરાવ્યો હતો. બુધવારે સાધુઓ સાથે ભગવા ધારણ કરીને જયશ્રી રામના નારા સાથે રોડ શૉ કર્યો હતો.

દિગ્વિજય સિંહે કોમ્પ્યુટર બાબાની સાથે સાધુઓનો રોડ શૉ ભોપાલમાં કર્યો હતો. ભગવા ઝંડા સાથે જયશ્રી રામના નારા સાથે ભવાની ચોકથી લાલ પરેડ ગ્રાઉન્ડ ફર્યા હતા.

નવાઈની વાત એ હતી કે અમુક પોલીસો (મહિલા સહિત) ભગવા કપડાં ધારણ કર્યા હતા. ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહે બીજેપી વિઝન ડોક્યુમેન્ટ બહાર પાડ્યું હતું. જેમાં ભોપાલના સાર્વત્રિક વિકાસની ખાતરી અપાઈ હતી.

May 9, 2019
congress.jpg
1min5530

કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ બુધવારે જણાવ્યું હતું કે પરિવર્તનનો સમય આવી ગયો છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સમય હવે પૂરો થયો છે.

તેમણે જણાવ્યું હતું કે મોદીએ જનતાનો વિશ્ર્વાસ ગુમાવ્યો છે. વડા પ્રધાન મોદી આપેલા વચન પૂરા કરી નથી શક્યા અને તેથી સત્યનો સામનો કરી નથી શકતા.

કૉંગ્રેસના પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે મોદી ક્યારેય સામાન્ય જનતા, ગરીબો અને મહિલાઓ માટે નથી બોલતા.

રાહુલ ગાંધીએ ભિણ્ડમાં જાહેરસભાને સંબોધતા આક્ષેપ કર્યો હતો કે મોદીએ ફ્રાંસ પાસેથી રાફેલ યુદ્ધવિમાનો ખરીદવા માટે સમાંતર મંત્રણા કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે મોદીએ ભિણ્ડના યુવાનોના રૂપિયા 30,000 કરોડ છીનવીને તે અનિલ અંબાણીના ખાતામાં જમા કરાવ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે મોદીજીએ શહીદોનું અપમાન કર્યું હતું. મોદીજી, તમે ચોરી કરી હતી ત્યારે તમારી ભાવના ક્યાં હતી? શું તમે વિચાર્યું હતું કે તમે ભિણ્ડના યુવાનો પાસેથી રોજગાર છીનવી રહ્યા છો? શું તમે વિચાર્યું હતું કે તમે શહીદોનું અપમાન કરી રહ્યા છો? ભિણ્ડના અનેક યુવાનોનો દેશ માટે શહીદ થયેલા જવાનોની યાદીમાં સમાવેશ થાય છે.

રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકર પણ રાફેલ યુદ્ધવિમાનોના સોદા અંગે કંઇ પણ નહોતા જાણતા.

તેમણે જણાવ્યું હતું કે મેં ‘ચોકીદાર ચોર’નું સૂત્ર નથી આપ્યું, પરંતુ તે દેશના યુવાનો, ખેડૂતો અને મજૂરોએ આપેલું સૂત્ર છે.

May 9, 2019
rahul.jpg
1min5120

સુપ્રીમ કોર્ટના રાફેલ મુદ્દે પ્રથમ ઓર્ડર બાદ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટને ટાંકીને ‘ચોકીદાર ચોર છે’ નિવેદન જાહેરમાં અને મીડિયા સમક્ષ કરતા કોર્ટના અવમાનની અરજી ભાજપના સાંસદ મિનાક્ષી લેખીએ કરી હતી તેની સુનાવણી દશેક દિવસથી ચાલતી હતી.

અગાઉ રાહુલ ગાંધીએ આ બાબતમાં ખેદ દર્શાવ્યો હતો તેનાથી કોર્ટને સંતોષ થયો નહોતો. બુધવારે રાહુલે બિનશરતી માફી માગી હતી. તેમણે અવમાનની પ્રક્રિયા બંધ કરવા વિનંતી કરી હતી.

ત્રણ પાનાંની નવેસરથી કરાયેલી એફિડેવિટમાં ગાંધીએ કહ્યું હતું કે તેમને કોર્ટ માટે ઘણું માન છે. ન્યાયની પ્રક્રિયામાં દરમિયાનગિરી કરવાનો તેમનો કોઈ ઉદ્દેશ નહોતો. તેમની એફિડેવિટ સ્વીકારવામાં આવે અને હાલનો કેસ બંધ કરવામાં આવે એમ અનુરોધ કર્યો હતો.

એફિડેવિટ શુદ્ધ દાનતથી ન્યાય પ્રક્રિયાના હિતમાં કરાઈ છે અને કશું છુપાવાયું નથી. ભાજપના સાંસદ મિનાક્ષી લેખીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના નામે પોતાનું નિવેદન જાહેરમાં કરીને પૂર્વગ્રહ ઊભો કર્યો હતો. ગાંધીએ 10 એપ્રિલે નિવેદન કર્યું હતું જે દિવસે સુપ્રીમ કોર્ટે રાફેલ મુદ્દે રીવ્યૂ પિટિશન સ્વીકારી હતી. સુપ્રીમ કોર્ટે ચોકીદાર નરેન્દ્ર મોદી ચોર છે, એવું કહ્યું નહોતું. છતાં રાહુલે રજૂઆત જાહેરમાં કરી હતી.

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ફટકાર લગાવતા કહ્યું હતું કે તમે ભૂલ કરી છે તો તમારે સ્વીકારવી જોઈએ. પ્રથમ એફિડેવિટ સ્પષ્ટ હતી નહીં તેથી નવેસરથી એફિડેવિટ કરવા કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટનો ઓર્ડર વાંચ્યા વિના રાજકીય પ્રચારના જુસ્સામાં તેમણે ‘ચોકીદાર ચોર છે’નું નિવેદન કર્યું હતું તેના માટે બિનશરતી માફી માગું છું, એવું નવેસરની એફિડેવિટમાં જણાવાયું છે.