CIA ALERT

Blog - Page 477 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
July 17, 2019
baggage-1280x853.jpg
1min14790

ઍર ઇન્ડિયાની ફલાઇટ દ્વારા યુએઇ જનાર પ્રવાસીઓ હવે 40 કિલો ચેક-ઇન લગેજ લઇ જઇ શકશે. ઍર ઇન્ડિયાએ યુએઇ જનાર પ્રવાસીઓ માટે ચેક-ઇન લગેજની મર્યાદામાં 10 કિલોનો તાત્કાલિક ધોરણે વધારો કર્યો છે. આ ફેરફારનો લાભ મંગળવાથી ટિકિટ બુક કરાવનાર પ્રવાસીઓ લઇ શકશે.

A passenger enters the terminal Thursday March 27, 2014 at Los Angeles International Airport in Los Angeles. Police say six people were arrested Wednesday March 26, 2014, after officers served more than two dozen search warrants after a months-long investigation into baggage theft at Los Angeles International Airport. Officials say those arrested were primarily employees or ex-employees of contracting companies hired to handle luggage and do not work for the airport itself. (AP Photo/Nick Ut)

ઍર ઇન્ડિયાના ચેરમેન અને સીએમડી અશ્ર્વિની લોહાનીએ ભારતીય સમુદાયે યોજેલા કાર્યક્રમ વખતે સોમવારે રાતે જણાવ્યું હતું કે અહીંના લોકોની માગણીને ધ્યાનમાં લઇને ઍર ઇન્ડિયા પ્રવાસીઓને હેન્ડ બેગેજ તરીકે 7 કિલો અને ચેક-ઇન લગેજ તરીકે 40 કિલો સુધીનો સામાન લઇ જઇ જવાની પરવાનગી આપશે.

આ કાર્યક્રમ વખતે ભારતીય સમુદાયે લોહાની પાસે ચેક-ઇન લગેજની મર્યાદા 30 કિલોથી વધારીને 40 કિલો કરવાની માગણી કરી હતી.

ઇંદોર-દુબઇ અને કોલકતા-દુબઇ ફ્લાઇટના ઉદ્ઘાટન પ્રસંગે ભારતીય સમુદાયે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

ઇંદોરથી દુબઇ શિફ્ટ થયેલ એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ઇંદોર માટેની સીધી ફ્લાઇટને લીધે પ્રવાસના સમયમાં સાડાત્રણ કલાકનો ઘટાડો થશે અને એ વાત આનંદદાયક છે.

July 17, 2019
mumbai_building_collapse.jpg
1min6440

2013માં 101 જણનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 183 જણ ઇજા પામ્યા હતા.

2014માં 21 જણના મૃત્યુ, જ્યારે 121 જણ ઘવાયા હતા.

2015માં 15 જણનાં મૃત્યુ, જ્યારે 120 જણ ઘાયલ

2016માં 24 જણનાં મૃત્યુ, 171 જણ ઘાયલ

2017માં 66 જણનાં મૃત્યુ, 165 જણ ઘાયલ

2018માં 07 જણનાં મૃત્યુ, 100 જણ ઘાયલ

July 16, 2019
CIA_Live_Logo_New2.jpg
1min8100

એક વખતનું મોદીનું ગુજરાત એવું હતું કે જ્યાં કન્યાઓને મુક્ત વાતાવરણમાં કેળવણીને પ્રોત્સાહન મળે અને ટેકનોલોજીથી સજ્જ આધુનિક શિક્ષણ વ્યવસ્થા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પરંતુ, હવે રૂપાણી સરકારમાં કન્યાઓ પર અવળચંડા પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યા છે. ઉત્તર ગુજરાત 12 ગામ ક્ષત્રિય ઠાકોર સમાજે તો એવો ફતવો જારી કર્યો છે કે સમાજની કુંવારી યુવતિઓ મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં, તેમના મોબાઇલ ફોનના વપરાશ પર તા.14મી જુલાઇથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સમાજે એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે જો આમ છતાંં, સમાજની કોઇ કુંવારી યુવતિ મોબાઇલ ફોનનો વપરાશ કરતા ઝડપાશે તો તેના પિતા પાસેથી સમાજ રૂ.દોઢ લાખનો જંગી દંડ વસૂલ કરશે.

BK

ઉત્તર ગુજરાતના 12 ગામ ક્ષત્રિય ઠાકોર સમાજે કુંવારી યુવતીઓને મોબાઈલ ફોન રાખવા પર પ્રતિબંધ 14 જુલાઈથી લાગુ કરી દેવામાં આવ્યો છે, જેનો ચૂસ્તપણે અમલ કરવા તાકિદ કરાઈ છે.

ઉત્તર ગુજરાત 12 ગામ ક્ષત્રિય ઠાકોર સમાજનો આ ફતવો હાલ ગુજરાતમાં ભારે વાઇરલ થયો છે અને કુંવારી યુવતિઓ પર મૂકવામાં આવેલા મોબાઇલ વપરાશ પ્રતિબંધની ચોમેરથી ટીકા કરવામાં આવી રહી છે. કેટલીક મુક્ત વિચારશરણી ધરાવતી સંસ્થાઓએ ગુજરાત સરકાર તેમજ હ્યુમન રાઇટ્સ, મહિલા અધિકાર આયોગ સુધી આ બાબતની ફરીયાદો કરવાની શરૂ કરી છે.

બુદ્ધિજીવીઓનું કહેવું છે કે કુંવારી યુવતિઓ પર મોબાઇલ પ્રતિબંધ મૂકવા પાછળ નો તર્ક બેહૂદા છે. મોબાઇલથી દુષણો ફેલાય રહ્યા છે માની શકાય એવી વાત છે પણ મોબાઇલ આધુનિક ટેકનોલોજીનું સૌથી મહત્વનું પરીબળ છે, શિક્ષણમાં મોબાઇલ ફોનની આવશ્યકતા પ્રવેશથી લઇને પરીક્ષા, પરીણામ સુધીની છે.

July 16, 2019
t.jpg
1min20630

22 નિર્દોષ વિદ્યાર્થીઓને યાતનાભર્યું મોત આપવા માટે જવાબદાર સુરતના વરાછાના તક્ષશિલા આર્કેડના ગેરકાયદેસર તાણી બાંધવામાં આવેલા ડોમનું ડિમોલિશન કરવાની કામગીરી આજે સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ડોમનું બાંધકામ ગેરકાયદેસર હોવા છતાં તેને યેનકેન પ્રકારે ભ્રષ્ટાચારી રીતરસમોથી ઇમ્પેક્ટ ફી ના કાયદામાં લાવી દેવાયું હોવાનું ધ્યાને આવ્યું હતું.

આગ હોનારત બાદ આજે અહીં સુરત મહાનગરપાલિકાએ સ્ટાફને ખડકી દઇને ડોમની તોડફોડ શરૂ કરી છે.

સુરત મહાનગરપાલિકાનો સ્ટાફ તક્ષશિલા આર્કેડના ડોમની તોડફોડ માટો પહોંચ્યા ત્યારે અહીં લોકો ભેગા થઇ ગયા હતા.

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, બરાબર ડોમની નીચે જ ચલાવવામાં આવતા ટ્યૂશન ક્લાસમાં વિદ્યાર્થીઓની સિટીંગ એરેંજમેન્ટના ભાગરૂપે નોનયુઝ્ડ ટાયર રાખવામાં આવ્યા હતા. તક્ષશિલાની આગ સાથે ટાયરો પણ બળવા માંડતા ભયંકર ધૂમાડો ઉત્પન્ન થયો હતો, અને તેમાં કેટલાક સ્ટૂડન્ટ્સ ગુંગળાઈને મોતને ભેટ્યા હતા.

સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓએ આજે ડોમની ઉપરના ભાગે ચઢીને એક પછી એક છાપરાઓ ઉતારવાની કામગીરી હાથ ધરી હતી.

July 16, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7080
જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ઇતિહાસમાં નહીં નોંધાઇ હોય તેવી માસ કોપી (સામૂહિક ચોરી)ની ઘટનામાં 959 જેટલા ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના પરીણામ 2020 સુધી અટકાવી દેવાયા છે. આ વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયમાં એવી ચોરી કરી કે નિબંધ સરખો લખ્યો, બધા જ જવાબો એટલા સરખા ડિટ્ટો ટુ ડિટ્ટો લખ્યા અને બુદ્ધિ વગરના નકલખોરોએ ભૂલો પણ એક સરખી જ લખે રાખી અને પછી પણ આ બધા જ પાસ થઇ શક્યા નહીં અને અધૂરામાં પૂરું આખો માસ કોપીનો કિસ્સો પકડી પાડવામાં આવ્યો છે. સામૂહિક ચોરી કરનાર અને કરાવનારાઓ પણ એટલી હદે ભાન ભૂલ્યા કે ચોરી કરવા માટેનું સાહિત્ય પણ તમામને એક સરખું જ આપ્યું અને તમામે એક પણ શબ્દ કે વાક્ય આગળપાછળ કર્યા વગર બધું જ ચોરીના કોઇ સાહિત્યમાંથી ઉઠાવીને કોપી કરી દીધું હતું.

બિહાર અને યુ.પી.ના પરીક્ષા કેન્દ્રોમાં આપણે સામૂહિક ચોરીના વાઇરલ થયેલો વિડીયો જોયા, પણ ગુજરાત બોર્ડની પરીક્ષામાં સામૂહિક ચોરીનો એવો મસમોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે જેમાં પરીક્ષા પૂરી થઇ, પરીણામો જાહેર થઇ ગયા પછી આખો કિસ્સો ઝડપી પાડવામાં આવ્યો છે.

જ્યાંથી 959 વિદ્યાર્થીઓની સપ્લીમેન્ટરી કે જેમાં એક જ સરખા જવાબો, સરખી ભૂલો પકડી પાડવામાં આવી છે એ પરીક્ષા કેન્દ્રો જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાના છે, અહીંની સેલ્ફ ફાઇનાન્સ સ્કુલોના સંચાલકોની પણ સંડોવણી આ કિસ્સામાં બહાર આવવા પામી છે. કેમકે બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદના વિદ્યાર્થીઓએ જ્યાંથી સામૂહિક ચોરી ઝડપાઇ છે એ સેન્ટરની સેલ્ફ-ફાઈનાન્સ સ્કૂલોમાં એક્સટર્નલ સ્ટૂડન્ટ તરીકે પ્રવેશ લીધો હતો.

જ્યાંથી મોટા પ્રમાણમાં માસકોપીના કેસો મળી આવ્યા છે એ પરીક્ષા કેન્દ્રો, અમરપુર (ગીર સોમનાથ), વિસણવેલ (જૂનાગઢ) અને પ્રાચી પીપળા (ગીર સોમનાથ)ના પરીક્ષા કેન્દ્રો સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી પરીક્ષા વખતે આ ત્રણેય કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા નહીં લેવાય અને એ કેન્દ્ર રદ કરી દેવામાં આવે તેમ પણ જાણવા મળ્યું છે.

વિદ્યાર્થીઓએ પોતાના જવાબોમાં એમ પણ જણાવ્યું હતું કે તેમણે એક્સટર્નલમાં પ્રવેશ લીધો હોવા છતાં તેમની પાસેથી રેગ્યુલર કોર્સમાં ભણતા હોય એ રીતે રૂ.35000 જેટલી રકમ વસૂલ કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓને ઓનપેપર રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પણ દર્શાવાયા હોવાનું જાણવા મળે છે.

 

July 16, 2019
Simon-Taufel.jpg
1min11040

અમ્પાયરોએ નિયમ પ્રમાણે ઓવરથ્રોમાં ઇંગ્લૅન્ડને છ નહીં, પણ પાંચ રન આપવા જોઈતા હતા

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ અમ્પાયર અને એક સમયે વિશ્ર્વભરના ક્રિકેટ-અમ્પાયરોમાં નંબર વન (સુપર અમ્પાયર) કહેવાતા સાયમન ટૉફેલે ગઈ કાલે કહ્યું હતું કે ‘રવિવારે વર્લ્ડ કપમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની અત્યંત રસાકસીભરી ફાઇનલમાં મેદાન પરના અમ્પાયરોએ એક ઓવરથ્રો સંબંધમાં ઇંગ્લૅન્ડને પાંચ રનને બદલે છ રન આપીને નિર્ણય લેવામાં ભૂલ કરી હતી. દેખીતી રીતે એ ભૂલ જ હતી.’

ટૉફેલના આ નિરીક્ષણ સંદર્ભમાં ક્રિકેટની સંચાલક આઇસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)એ કોઈ જ પ્રતિક્રિયા નહોતી આપી.

ફાઇનલ ટાઇ થઈ એ પહેલાંની મુખ્ય મૅચની આખરી ઓવરમાં ઇંગ્લૅન્ડે જીતવા ૩ બૉલમાં ૯ રન બનાવવાના હતા. ટ્રેન્ટ બૉલ્ટની એ નિર્ણાયક ઓવરના ચોથા બૉલમાં બેન સ્ટૉક્સે દોડીને એક રન લીધો હતો અને પછી બીજો રન પણ પૂરો કર્યો ત્યારે માર્ટિન ગપ્ટિલના ઓવરથ્રોમાં બૉલ સીધો સ્ટૉક્સના બૅટને વાગ્યો હતો જેમાં બૉલ સીધો બાઉન્ડરી લાઇનની બહાર પહોંચી જતાં અમ્પાયરે એ બૉલમાં કુલ ૬ રન (૨+૪) આપ્યા હતા. ત્યાર પછી બે બૉલમાં બ્રિટિશ ટીમે ત્રણ રન બનાવવાના હતા અને બે બૉલમાં બરાબર ત્રણ રન થતાં મૅચ ટાઇ થઈ હતી. ત્યાર પછીની સુપર ઓવર પણ (૧૫-૧૫ રનથી) ટાઈ થઈ હતી અને છેવટે ઇંગ્લૅન્ડને ન્યૂ ઝીલૅન્ડ કરતાં વધુ બાઉન્ડરી ફટકારી હોવાથી નિયમ મુજબ વિજેતા જાહેર કરાયું હતું.

જોકે, ભૂતપૂર્વ ‘સુપર અમ્પાયર’ ટૉફેલે કહ્યું છે કે ‘આઇસીસીના નિયમ ૧૯.૮ મુજબ ફીલ્ડરના હાથમાંથી બૉલ છૂટે ત્યારે જ ઓવરથ્રો શરૂ થયો કહેવાય. જો કોઈ ફીલ્ડરથી ઓવરથ્રો થઈ જાય અને એમાં જો એ ફીલ્ડરના હાથમાંથી ઓવરથ્રો પહેલાં બૉલ છૂટે એ અગાઉ બૅટ્સમેનો દોડીને રન લેવા માટે ક્રોસ ન થયા હોય તો તેમનો એ રન ગણતરીમાં નથી લેવાતો. જોકે, રવિવારની લૉર્ડ્સની ફાઇનલમાં બેન સ્ટૉક્સ અને આદિલ રશીદે બીજો રન દોડવા એકમેકને ક્રોસ કરે એ પહેલાં ડીપમાંથી ગપ્ટિલના હાથમાંથી બૉલ છૂટી ગયો હતો. એ જોતાં, નિયમ મુજબ સ્ટૉક્સ-રશીદે દોડેલો બીજો રન ગણતરીમાં ન લેવાય અને ઇંગ્લૅન્ડને કુલ ૬ (૨+૪)ને બદલે પાંચ (૧+૪) રન મળે. જો બેઉ બૅટ્સમેનો આ સ્થિતિમાં એકમેકને ક્રોસ ન કર્યા હોય તો એ રન પૂરો થયો ન ગણાય. બીજું, તેઓ એક જ રન દોડ્યા હોવાથી સ્ટૉક્સ પાંચમા બૉલમાં સ્ટ્રાઇકર્સ-એન્ડને બદલે નોન-સ્ટ્રાઇકર્સ એન્ડ પર હોવો જોઈતો હતો.’

જોકે, ટૉફેલે ફાઇનલના અમ્પાયરોની થોડી તરફેણ પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘અમ્પાયરો નિયમના તેમના અર્થઘટનને આધારે નિર્ણય લેતા હોય છે અને અમે સામાન્ય રીતે તેમના નિર્ણયો પર કોઈ કમેન્ટ નથી કરતા. ક્યારેક ગરમાગરમીમાં અમ્પાયરથી ખોટો નિર્ણય લેવાય પણ ખરો.’

July 16, 2019
1min5570

30 જિલ્લામાં કેરોસીન અને અનાજના કાળાબજાર અટકાવવા માટે તા. 31/05/2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં આશરે 15171 રેડ કરવામાં આવી અને આ પ્રકારની ગેરકાયદે પ્રવૃતિ કરતા 232 દુકાનદારોના પરવાના મોકૂફ કરવાની સાથે 75 પરવાનાઓ રદ્દ કરવાની દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે.

અન્ન નાગરિક પુરવઠાના રાજ્ય પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તારીખ:31.05.2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં નર્મદા જિલ્લામાં 364 અને છોટાઉદેપુરમાં 954 એમ મળીને કુલ 1318 રેડ કરવામાં આવી હતી.આ ગેરકાયદે પ્રવૃત્તિ બદલ કુલ 21 પરવાના મોકૂફ કરી, બે પરવાના રદ્દ કરવાની કામગીરી કરવામાં આવી હતી.

અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં ગેરકાનૂની પ્રવૃત્તિ બદલ 157 દુકાનદારો સામે કાર્યવાહી કરીને 29 પરવાના મોકૂફ કરીને 18 પરવાના રદ કરવામાં આવ્યા છે.

ખેડા-નવસારીમાં અનુક્રમે 1253 અને 430, બનાસકાંઠા-કચ્છમાં અનુક્રમે 1977 અને 373, પાટણ-મહેસાણામાં અનુક્રમે 557 અને 174, વડોદરા-વલસાડમાં અનુક્રમે 792 અને 426, ગાંધીનગર-પોરબંદરમાં અનુક્રમે 493 અને 228, દાહોદ-ભરૂચમાં અનુક્રમે 744 અને 1009, મોરબી-રાજકોટમાં અનુક્રમે 182 અને 227, જૂનાગઢ-ગીર સોમનાથમાં અનુક્રમે 364 અને 347, જામનગર-દેવભૂમિ દ્વારકામાં અનુક્રમે 248 અને 110, અમદાવાદ-ડાંગમાં અનુક્રમે 500 અને 107, આણંદ- મહીસાગરમાં અનુક્રમે 288 અને 413, સુરત-તાપીમાં અનુક્રમે 443 અને 318 અને સાબરકાંઠા-અરવલ્લીમાં અનુક્રમે 756 અને 408 રેડ કરવામાં આવી હતી.

July 16, 2019
mehsana.jpg
1min7270

 

મહેસાણામાં રવિવાર 14 July 2019 સવારે જન્મભૂમિ એક્સપ્રેસ(19107) ટ્રેન આવી પહોચતા સાંસદ જુગલજી ઠાકોર ,સ્ટેશન અધિકારી એસ.આર.મીના સહિત આગેવાનો,અધિકારીઓએ સ્વાગત કર્યુ હતું અને લીલીઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યુ હતું.

 

 

July 16, 2019
harbal_hooka.jpg
1min10000

બૉમ્બે હાઈ કોર્ટે મુંબઈના એક રેસ્ટોરાં-માલિકને તેની રેસ્ટોરાંમાં ગ્રાહકોને તમાકુ-મુક્ત હર્બલ હૂકા આપવાની સોમવારે છૂટ આપી હતી.

‘શીશા સ્કાયલાઉન્જ’ નામની આ રેસ્ટોરાંના માલિક અલી રઝા આબ્દી દ્વારા નોંધાવવામાં આવેલી પિટિશનના સંબંધમાં ન્યાયમૂર્તિઓ રણજિત મોરે તથા ભારતી ડાંગરેની ડિવિઝન બેન્ચે ઠરાવ્યું હતું કે ‘હાઈ કોર્ટ પિટિશનરને હર્બલ હૂકા માટે છૂટ આપે છે. જોકે, ભવિષ્યમાં જો આ પિટિશનર તેમના કોઈ ગ્રાહકને કોઈ પણ પ્રકારના તમાકુની પ્રૉડક્ટ સર્વ કરતો જણાશે તો સત્તાવાળાઓ કાયદા મુજબ તેમની સામે પગલાં ભરી શકશે.’

આબ્દીએ સિગારેટ્સ ઍન્ડ અધર ટૉબેકો પ્રોડક્ટ્સ ઍક્ટ (કૉટ્પા), 2003ની જોગવાઈઓ

તમાકુ-મુક્ત હૂકાને લાગુ ન પડે એવું ડેક્લેરેશન માગતી અરજી કરી હતી. તેમણે પિટિશનમાં એવું પણ જણાવ્યું હતું કે પોતે જો પોતાની રુફ-ટૉફ રેસ્ટોરાં ખાતે હર્બલ હૂકા સર્વ કરવાનું શરૂ કરે તો કાયદાની જોગવાઈ મુજબ સત્તાવાળાઓ તેમની વિરુદ્ધ પગલાં ન ભરી શકે. આબ્દીએ એવું પણ જણાવ્યું હતું કે ‘હું શીશા સ્કાયલાઉન્જ બ્રૅન્ડ-નેમ હેઠળ મુંબઈમાં ત્રણ આઉટલેટ ચલાવું છું અને એમાં કુલ 400 કર્મચારીઓ કામ કરે છે.

જોકે, 28 ડિસેમ્બર, 2017ના દિવસે કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં બે રુફ-ટૉપ રેસ્ટોરાંઓમાં આગ લાગવાની બનાવ બાદ મારી આઉટલેટોને બંધ કરાવી દેવાઈ હતી. એક વર્ષ કરતાં વધુ સમયથી આ આઉટલેટો બંધ પડી છે.’ આબ્દીના વકીલ સુજોય કાંટાવાલાએ સોમવારે જણાવ્યું હતું કે કોટ્પામાં સુધારા થયા પછી તેમના અસીલે વિવિધ સત્તાવાળાઓ સમક્ષ સંખ્યાબંધ રજૂઆતો કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તમાકુ-મુક્ત હર્બલ હૂકા તાજેતરના સુધારાની જોગવાઈઓ હેઠળ ન આવે એટલે નીકોટિન-મુક્ત હર્બલ હૂકા તેમની આઉટલેટો ખાતે સર્વ કરવામાં આવે ત્યારે તેની સામે કાનૂની કાર્યવાહી ન થઈ શકે.

July 15, 2019
asaram.jpg
1min15380

હાલમાં રાજસ્થાનની જેલમાં દુષ્કર્મ અન્વયે પૂરાયેલા આસારામે સુરત દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી. મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટે આસારામ બાપૂની સુરત દુષ્કર્મ કેસમાં જામીન આપવા માટે કરાયેલી અરજી ફગાવી દીધી છે.

એવી પણ માહિતી મળી છે કે જ્યાં સુધી કેસની ટ્રાયલ ચાલે ત્યાં સુધી જામીન ન આપવા  સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.

સુરત દુષ્કર્મ કેસની સુનાવણી દરમિયાન ગુજરાત સરકારે રજૂઆત કરી હતી કે સુરતમાં ચાલી રહેલા કેસમાં 10 સાક્ષીઓના નિવેદન લેવાના બાકી છે. ત્યારે સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટે આદેશ આપીને હાઈકોર્ટની ટિપ્પણથીથી પ્રભાવિત થયા વગર કાર્યવાહી કરવા કહ્યું છે.

હાલ આસારામ દુષ્કર્મ કેસમાં જ આજીવન કેદની સજા કાપી રહ્યા છે. આ પહેલા હાઈકોર્ટે 26મી માર્ચ, 2019ના રોજ હાઈકોર્ટે સજા પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી હતી. હાલ આસારામ 2013માં રાજસ્થાનના જોધપુર આશ્રમમાં 16 વર્ષની કિશોરી પર દુષ્કર્મ કરવાના કેસમાં આજીવન કેદ ભોગવી રહ્યો છે.