CIA ALERT

Blog - Page 478 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
July 15, 2019
djokovic-1280x720.jpg
1min5910

વિમ્બલ્ડનની મૅરથૉન ફાઇનલમાં જૉકોવિચે ફેડરરને હરાવ્યો

કુલ પાંચમી વખત જીત્યો આ ટાઇટલ, કુલ ૧૬ ગ્રૅન્ડ સ્લૅમ સાથે નડાલની કરી બરોબરી

વિમ્બલ્ડનની ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન સર્બિયાના નોવાક જૉકોવિચે સ્વીડનના રૉજર ફેડરરને ૭-૬, ૧-૬, ૭-૬, ૪-૬, ૧૩-૧૨થી હરાવ્યો હતો. આ સાથે જ તેણે પાંચમી વખત વિમ્બલ્ડન ટાઇટલ જીતીને કુલ ૧૬ વખત ગ્રૅન્ડ સ્લૅમ જીતવાના રાફેલ નડાલના રેકૉર્ડની બરાબરી કરી હતી. આ મૅચ લાંબા સમય સુધી ચાલી હતી. પાંચ વખત વિમ્બલ્ડન જીતનારો તે ચોથો પુરુષ ખેલાડી બન્યો હતો. આ મૅચ વિમ્બલ્ડનના ઇતિહાસની સૌથી લાંબી ફાઇનલ મૅચ હતી, જે અંદાજે પાંચ કલાક ચાલી હતી.

wimbledon winner 2019 માટે છબી પરિણામ

 

July 15, 2019
dev_vrat.jpg
1min8150

આચાર્ય દેવવ્રત ગુજરાતના નવા રાજ્યપાલ બન્યા છે. જેઓ હિમાચલના રાજ્યપાલ હતા. આચાર્ય દેવવ્રત 2015થી આજ સુધી હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા. તેઓ કુરુક્ષેત્રમાં પ્રિન્સીપાલ તરીકે કામ કરતા હતા. તેઓ હિમાચલ પ્રદેશની સ્ટેટ યુનિવર્સિટીની ચાન્સેલર પણ છે.

કલરાજ મિશ્રા હિમાચલ પ્રદેશના નવા રાજ્યપાલ છે. હિમાચલના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને ગુજરાતના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આચાર્ય દેવવ્રતની ટ્રાન્સફર કરવામાં આવી છે. તેઓ ઓ. પી. કોહલીની જગ્યા લઈ રહ્યા છે.

ગુજરાતના વર્તમાન રાજ્યપાલ ઓ. પી. કોહલીનો પાંચ વર્ષનો કાર્યકાળ 15 જુલાઈએ પૂર્ણ થઈ ગયો છે. ઓ. પી. કોહલીને 16 જુલાઈ 2014ના રોજ ગુજરાતના રાજ્યપાલ નિયુક્ત કરાયા હતા.

ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ઓ. પી. કોહલીની રાજ્યના ગવર્નર તરીકે નિમણૂંક થઈ હતી. વચ્ચે એવી પણ ચર્ચા હતી કે વિવાદ વગરની કરિયરને કારણે કેન્દ્ર સરકાર રાજ્યપાલને ઓ. પી. કોહલીને એક્સટેન્શન આપી શકે તેવી ચર્ચા હતી. જો કે હવે આચાર્ય દેવવ્રતની પસંદગી કરવામાં આવી છે.

 

July 15, 2019
world_cup_logo.png
1min5260

વર્લ્ડ કપના અદ્ભુત થ્રિલરમાં ન્યૂ ઝીલૅન્ડ છેવટે હાર્યું: ટાઈ-ટાઈ ફિનીશ: બ્રિટિશ ટીમને ૨૮ કરોડ રૂપિયા

વન-ડે વર્લ્ડ કપમાં અભૂતપૂર્વ ફાઇનલ રમાઈ હતી બે વખત ટાઇ થવાને પગલે પરિણામ આવ્યું હતું જેમાં ન્યૂ ઝીલૅન્ડ સામે યજમાન ઇંગ્લૅન્ડ પહેલીવાર વિજેતા જાહેર થયું હતું. મુખ્ય મૅચ ટાઇ થયા પછી સુપર ઓવર થઈ હતી અને એ સુપર ઓવર પણ ટાઇ થઈ હતી જેને પગલે ઇંગ્લૅન્ડે વધુ બાઉન્ડરી ફટકારી હોવાથી વિજેતા થયું હતું.

મુખ્ય મૅચ ૨૪૧-૨૪૧ રનના સ્કોર પર લેવલ થઈ હોવાથી આ મુકાબલો ટાઇમાં પરિણમ્યો હતો. એકંદરે, બન્ને ટીમો બધી રીતે મુખ્ય મુકાબલામાં બરાબરીમાં રહી હતી અને છેવટે

વન-ડે વર્લ્ડ કપના ઇતિહાસમાં આ અભૂતપૂર્વ ટાઇ હતી. દિલધડક મુખ્ય મુકાબલામાં ઇંગ્લૅન્ડ ઑલઆઉટ થયું હતું, પરંતુ એણે ન્યૂ ઝીલૅન્ડ જેટલા જ ૨૪૧ રન બનાવ્યા હોવાથી મૅચ બરાબરીમાં રહેતાં ટાઇ જાહેર થઈ હતી. એ વખતે બેન સ્ટૉક્સ (૮૪ અણનમ, ૯૮ બૉલ, બે સિક્સર, પાંચ ફોર) નૉટઆઉટ રહ્યો હતો.

મૅચ છેક છેલ્લે સુધી બધાના શ્ર્વાસ અધ્ધર કરી મૂકે એવી હતી. અનેક ઉતાર-ચઢાવ પછી મુકાબલો છેવટે ટાઇમાં પરિણમ્યો હતો અને સુપર-ઓવરથી પરિણામ લાવવાનું નક્કી થયું હતું. સુપર ઓવરમાં બન્ને ટીમના ૧૫-૧૫ રન થયા હતા, પણ બ્રિટિશરોની વધુ ફોરને લીધે એને વિજેતા જાહેર કરાયું હતું.

ઇંગ્લૅન્ડની ટીમે મુખ્ય મૅચમાં ઓવરથ્રોમાં જે ફોર મેળવી એ ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઈ હતી.

એ અગાઉ, જૉસ બટલર અને બેન સ્ટૉક્સ વચ્ચે પાંચમી વિકેટ માટે ૧૧૦ રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. જોકે, સેમી ફાઇનલમાં છેલ્લે-છેલ્લે ભારતની જેવી હાલત હતી એવી ગઈ કાલે ઇંગ્લૅન્ડની હતી. ધોની છેલ્લી ક્ષણોમાં રનઆઉટ થયો હતો અને જાડેજા પાંચમી સિક્સર મારવા જતાં કૅચઆઉટ થયેલો એમ ગઈ કાલે જૉસ બટલર (૬૦ બૉલમાં ૫૯ રન) તથા તેના પછી ક્રિસ વૉક્સ (ચાર બૉલમાં બે રન) અને લિયામ પ્લન્કેટ (૧૦ બૉલમાં ૧૦ રન) ઊંચો શૉટ મારવાની લાલચમાં કૅચઆઉટ થયા હતા. બન્નેની વિકેટ લૉકી ફર્ગ્યુસને લીધી હતી.

એ પહેલાં, ન્યૂ ઝીલૅન્ડે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કર્યા બાદ ૫૦ ઓવરમાં ૮ વિકેટના ભોગે ૨૪૧ રન બનાવ્યા હતા. એમાં એકમાત્ર હેન્રી નિકોલ્સ (૭૭ બૉલમાં પંચાવન રન)ની હાફ સેન્ચુરી હતી. એકંદરે, ઇંગ્લૅન્ડની અનેક ગુણો ધરાવતા બોલિંગ-આક્રમણ સામે કિવીઓનો બૅટિંગ-પર્ફોર્મન્સ સાધારણ હતો. ઇંગ્લૅન્ડના પેસ બોલર ક્રિસ વૉક્સ (૯ ઓવરમાં ૩૭ રનમાં ત્રણ વિકેટ)ના પ્રારંભિક અફલાતૂન સ્પેલ બાદ હેન્રી અને કૅપ્ટન કેન વિલિયમસન (૫૩ બૉલમાં ૩૦ રન) વચ્ચે બીજી વિકેટ માટે ૭૪ રનની ભાગીદારી થઈ હતી. લૉર્ડ્સમાં બોલરોને વધુ ફાયદો કરાવતી પિચ પર ઇંગ્લિશ પેસ બોલર જોફરા આર્ચર (૧૦ ઓવરમાં ૪૨ રનમાં એક વિકેટ)ની પણ બોલિંગ અસરકારક હતી.

જોકે, બ્રિટિશ બોલરોમાંથી લિઆમ પ્લન્કેટ (૧૦ ઓવરમાં ૪૨ રનમાં ત્રણ વિકેટ) કિવીઓ માટે સૌથી વધુ ઘાતક રહ્યો હતો.

કિવી બૅટ્સમેનોનો રનરેટ ઇનિંગ્સમાં મોટા ભાગે ૪.૫૦થી નીચે રહ્યો હતો. અન્ય બૅટ્સમેનોમાં ગપ્ટિલે ૧૯, રૉસ ટેલરે ૧૫, ટૉમ લેથમે ૪૭, જેમ્સ નીશૅમે ૧૯, કૉલિન ગ્રેન્ડમે ૧૬, મિચલ સૅન્ટનરે અણનમ પાંચ, મૅટ હેન્રીએ ચાર અને ટ્રેન્ટ બૉલ્ટે અણનમ એક રનનું યોગદાન આપ્યું હતું. બ્રિટનના અન્ય બોલરોમાંથી માર્ક વૂડે એક વિકેટ લીધી હતી, જ્યારે આદિલ રશીદે ૩૯ રન આપીને બૅટ્સમેનોને કાબૂમાં રાખ્યા હતા.

July 14, 2019
CIA_Live_Logo_New2.jpg
1min14500

જયેશ બ્રહ્મભટ્ટ

ચંદ્રયાન-૨, ભારતનું ચંદ્રયાન-૧ પછીનું બીજું ચંદ્ર યાન છે. આ યાન ઇસરો દ્વારા નિર્મિત કરાયું છે અને GSLV Mk III રોકેટ વડે પ્રક્ષેપણ કરાશે. તેમાં ચંદ્રની ભ્રમણકક્ષામાં ફરતા યાન, ચંદ્ર પર ઉતરનાર યાન અને વાહન (રોવર) નો સમાવેશ થાય છે, આ ત્રણેય સંપૂર્ણપણે સ્વદેશી ટેકનિકથી અને ભારતીય વૈજ્ઞાનિકો વડે જ નિર્મિત છે. ભારતના સ્પેશ મિશનનું આ સૌથી મહત્વાકાંક્ષી કદમ માનવામાં આવી રહ્યું છે અને એટલે જ તા.15મીની મધરાત્રે ખુદ ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આ વિરલ ઘટનાના સાક્ષી બનવા માટે શ્રીહરીકોટા લોંચ સ્ટેશન ખાતે ખાસ ઉપસ્થિત રહેશે.

chandrayaan 2 માટે છબી પરિણામ

આ યાન તા.15મી જુલાઇએ મધરાત્રે લોંચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જિઓસિંક્રોન સેટેલાઇટ લોંચ વેહિકલ માર્ક III (જીએસએલવી એમકે 3) કે જેને “બાહુબાલી”ના હુલામણા નામથી પણ ઓળખવામાં આવે છે કેમકે તે અત્યાર સુધીના ભારતના સ્પેશ મિશનનું સૌથી વજનદાર રોકેટ છે. 640 ટન રોકેટ 15 માળની ઇમારત જેટલું ઊંચું છે અને તે ચંદ્રની મુસાફરી દરમિયાન 3.8 ટન સેટેલાઇટ તેમજ રોવરનું વહન કરીને ત્યાં લઇ જશે.

chandrayaan 2 માટે છબી પરિણામ

ચંન્દ્રયાન -2માં પણ સુરતના હિમસન સિરેમિકમાં ઉત્પાદિત થયેલા પાર્ટસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સુરત શહેર માટે ગૌરવવંતી બાબત એટલા માટે છે કેમકે સુરતના હિમસન સિરેમિક કે જેઓ છેલ્લા 25 વર્ષથી ઇસરોને જરૂરી સ્પેરપાર્ટસ સિરેમિકમાંથી ઉત્પાદિત કરી આપીને તેમને સપ્લાય કરે છે.

(Nimeshbhai Bachkaniwala, Director of Himson Ceremic)

સુરત સ્થિત હિમસન સિરેમિકના ડાયરેક્ટર શ્રી નિમેષભાઇ બચકાણીવાલાએ જણાવ્યું હતું કે તેઓ તેમનું સદભાગ્ય માને છે કે આજથી 25 વર્ષ પહેલા પહેલી વખત તેમણે ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનને તેના જુદા જુદા સ્પેશ મિશન માટે જરૂરી સિરેમિકના પાર્ટસ બનાવી આપવાનો આરંભ કર્યો હતો. છેલ્લા 25 વર્ષથી ઇસરોના દરેક અવકાશી અભિયાનમાં સુરતમાં બનેલા પાર્ટસનો ઉપયોગ કરાયો છે.

આમ, સુરત માટે પણ આ ગૌરવવંતી બાબત છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સુરતનું પણ ભારતના સ્પેશ મિશનમાં ફુલ નહીં તો ફુલની પાંખડી સમાન યોગદાન રહ્યું છે. છેલ્લા 25 વર્ષથી ઇસરોના અવકાશ મિશન માટે, રોકેટ્સ, સેટેલાઇટ્સ વગેરે માટે સિરેમિક પાર્ટસ બનાવી આપતા સુરતની હિમસન સિરેમિકના ડાયરેક્ટર શ્રી નિમેષભાઇ બચકાણીવાલાએ અંતમાં કહ્યું કે તેઓ ઇસરોના આભારી છે કે છેલ્લા 25 વર્ષથી અવિરત પણે તેમને ભારતના સ્પેશ મિશનમાં યોગદાન આપવા માટે સંસ્થા પર અને અમારા પર વિશ્વાસ જગાડ્યો. તેમણે ઉમેર્યું કે સૌથી મોટી ખુશી એ છે કે ભારતને ગૌરવ અપાવતા સ્પેશ મિશનમાં સુરતના એક અદની સંસ્થાના પ્રતિનિધિ તરીકે યોગદાન કરવાની તક મળી છે એ અમારા માટે પણ ગૌરવવંતી બાબત છે.

 

July 13, 2019
CIA_Live_Logo_New2.jpg
1min14490

જયેશ બ્રહ્મભટ્ટ

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં દિનેશ નાવડીયાની ઉમેદવારીના મૂળમાં જે મુદ્દો હતો કે હીરા ઉદ્યોગકારને પ્રતિનિધિત્વ મળવું જોઇએ, એ ખરેખર ખરેખર સાર્થક થયાની અનુભૂતિ તા.12મી જુલાઇ 2019ના રોજ ચેમ્બર દ્વારા જીવનભારતી ઓડિટોરીયમ ખાતે યોજાયેલા ડાયમંડ ઉદ્યોગકારો માટેના ગાઇડન્સ પ્રોગ્રામમાંથી થઇ છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્લેટફોર્મ પર જે રીતે હીરા ઉદ્યોગકારોને માર્ગદર્શન મળ્યું એવા કાર્યક્રમોની આવશ્યકતા રહેલી છે

સુરતનું અર્થતંત્ર જેના પર સૌથી વધુ આધારિત છે, જે ઉધોગ પર શહેરના લાખો પરિવારોનું ગુજરાન ચાલી રહ્યું છે એ હીરા ઉધોગ હાલમાં મંદી અને નાણાભીડમાંથી પસાર થઇ રહ્યો છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવાના નાતે સ્વાભાવિક છે કે દિનેશ નાવડીયા સતત પ્રયાસો કરતા રહે છે કે ડાયમંડ ઉદ્યોગકારો પછી એ નાના હોય કે મોટા તમામ આ મંદીના સમયમાંથી હેમખેમ બહાર નીકળી જાય.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પાયાના હેતુઓમાં એક હેતુ એ છે કે દક્ષિણ ગુજરાતના વેપાર, ધંધા-રોજગાર, ઉદ્યોગના વેલ્ફેર માટે સક્રીય રહીને કાર્યક્રમો કરવા. બસ આ મૂળભૂત હેતુને આગળ ધપાવતા વર્તમાન ચેમ્બર પ્રમુખ કેતનભાઇ દેસાઇ અને વાઇસ પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયાએ શહેરના હીરા ઉદ્યોગકારો માટે ગાઇડન્સ કાર્યક્રમ રાખીને ચેમ્બરના બેઝિક્સને વળગી રહીને કાર્યક્રમો આપવાનો સંકેત આપી દીધો છે.

તા.12મી જુલાઇ 2019ના રોજ ચેમ્બર દ્વારા હીરા ઉદ્યોગકારો માટે યોજવામાં આવેલો ગાઇડન્સ કાર્યક્રમ ખરેખર સમયસરનો અને સચોટ રહ્યો હતો. હીરા ઉધોગપતિ શ્રી સેવંતીભાઇ શાહ અને શ્રી ગોવિંદભાઇ ધોળકીયાએ તેમના ઉદ્યોગજીવન દરમિયાન જોયેલી તડકી-છાંયડીનો નિચોડ ઠાવલતા જે માર્ગદર્શન આપ્યું એ શહેરના અનેક નાના હીરા ઉદ્યોગકારો માટે રાહ ચિંધનાનું બની રહેશે એમાં બે મત નથી. આ શક્ય એટલે જ બની શક્યું કેમકે ચેમ્બરના વહીવટમાં હીરા ઉદ્યોગના દિનેશ નાવડીયાની એન્ટ્રી થઇ અને તેમાં વર્તમાન પ્રમુખ કેતન દેસાઇની લિડરશીપ મળી.

કાર્યક્રમ પૂરો થયા બાદ અનેક ઉદ્યોગકારોએ સી.આઇ.એ લાઇવ ને જણાવ્યું કે ખરેખર આવા કાર્યક્રમો ચેમ્બર ઓફ કોમર્સે યોજવા જોઇએ.

અત્યાર સુધી એવું જણાયું હતું કે હીરા ઉધોગ માટે કેટલાક સ્ટીરીયોટાઇપ કાર્યક્રમો ચેમ્બર જે દર વર્ષે યોજે છે એ યોજીને કામ પૂરું, પણ જેની જરૂરીયાત છે એ શોધી કાઢીને ઉદ્યોગકારોને મદદરૂપ થવાનો આ અભિગમ ખરેખર બિરદાવવા લાયક રહ્યો છે.

July 13, 2019
sgcci_dia1-1280x853.jpg
1min7710

ચેમ્બર દ્વારા હીરા ઉદ્યોગની વર્તમાન પરિસ્થિતિઅંગે વિચાર વિમર્શ કાર્યક્રમ યોજાયો

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના મૂળમાં શહેરના ઉદ્યોગ-ધંધા-રોજગારના મૂળભૂત હેતુઓનું જતન-સંવર્ધન કરવાનો સમાવેશ કરાયો છે, એને અનુરૂપ એક સમયસરનો આવકારદાયક કાર્યક્રમ તા.12મી જુલાઇ 2019ના રોજ જીવનભારતી ઓડિટોરીયમ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં હીરા ઉદ્યોગમાં પ્રવર્તમાન મંદીની સ્થિતિ દરમિયાન કેવી રીતે વર્તવું, કેવી રીતે કામ કરવું એ અંગે શહેરના ટોચના ઉદ્યોગપતિઓ શ્રી સેવંતીભાઇ અને શ્રી ગોવિંદ ધોળકીયાનું માર્ગદર્શન નાના, મધ્યમ હિરા કારખાનેદારોને મળ્યું હતું.

કાર્યક્રમમાં વિનસ જવેલ્સના ફાઉન્ડર અને ચેરમેન શ્રી સેવંતિભાઇ શાહ અને શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ્‌સના શ્રી ગોવિંદભાઇ ધોળકીયા દ્વારા હીરા ઉદ્યોગની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હીરાના કારખાનેદારોને ધીરજ રાખી અને શિસ્તબદ્ધ રહીને વિકટ સમયમાંથી પસાર થવાની દિશામાં મહત્વનું માર્ગદર્શન આપ્યુ હતુ.

આ કાર્યક્રમમાં સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શ્રી બાબુભાઇ ગુજરાતી અને હીરા ઉદ્યોગના અગ્રણીઓ અને કારખાનેદારો ખૂબ જ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ સર્વેને આવકાર્યા હતા અને પ્રારંભિક ઉદ્‌બોધનમાં જણાવ્યુ હતુ કે, દેશના અર્થતંત્રમાં હીરા ઉદ્યોગનો મોટો ફાળો રહયો છે. રોજગાર માટે પણ આ ઈન્ડસ્ટ્રીનું મોટું યોગદાન છે. હાલ આ ઇન્ડસ્ટ્રી કપરા સમયમાંથી પસાર થઇ રહી છે ત્યારે આ સમયે શું કાળજી રાખવી તે વિશે આજના મહાનુભાવો આપણને માર્ગદર્શન આપશે.

માનવસર્જિત મંદી છે હિરા ઉદ્યોગમાં કહે છે સેવંતીભાઇ શાહ

શ્રી સેવંતીભાઇ શાહે હીરાના કારખાનેદારોને સંબોધતા જણાવ્યુ હતુ કે, વર્ષ ર૦૦૮–૦૯ની મંદીમાંથી હીરા ઉદ્યોગ પસાર થઇ ચૂકયો છે. એવો સમય ફરીથી નહીં આવે તે માટે વિચાર વિમર્શ જરૂરી છે. વર્ષ ૧૯૬પમાં હું જયારે આ ધંધામાં આવ્યો ત્યારે ધંધામાં શિસ્ત હતી. બેંકોની ફેસિલિટી મળતી હતી અને ધંધો પણ મર્યાદામાં ચાલતો હતો. હવે કારખાનેદારો ખૂબ જ ઝડપથી પસાર થઇ રહયા છે. પાઇપલાઇનમાં પુષ્કળ સ્ટોક હોય એવું આજે ધંધાનું મોડલ બનાવી દીધું છે. તેમણે જણાવ્યુ હતુ કે કારખાનેદારને માલ બનાવવાનો છે, આપણું કામ ફાયનાન્સનું નથી. ફાયનાન્સનું કામ બેંકોનું છે. ધંધામાં શિસ્તના અભાવને કારણે આ માનવસર્જીત મંદી છે. આપણે શિસ્તમાં આવીશું તો આ વિકટ પરિસ્થિતિમાંથી વહેલામાં વહેલા બહાર આવી શકીશું.

તેમણે કારખાનેદારોને ટકોર કરતા જણાવ્યુ હતુ કે, કારીગરો આપણો પરિવાર જ છે. એટલે તેઓની જવાબદારી પણ આપણી બને છે. બેંકરપ્ટ થયેલા લોકો મુળમાં ખોટા ન હતા પણ જે રીતે ધિરાણ મળ્યુ. એના કારણે ગજા કરતા મોટો ધંધો થયો અને પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી. બેંકરપ્સી પાછળ તેમણે બેંકોના વ્યાજને પહેલું કારણ ગણાવ્યુ હતુ. તેમણે કહયુ કે હાલની પરિસ્થિતિ પહેલા કરતા જુદી છે. મેન્યુફેકચરીંગ નહીં પણ મુડી ઘટતી જાય છે. એટલે બધાએ પરિસ્થિતિનો સ્વીકાર કરવો પડશે અને આ સ્થિતિમાંથી પસાર થવુ પડશે.

થોડી કાળજી રાખીશું તો હિરા ઉદ્યોગ ફરી ઝળહળતો થશે

શ્રી સેવંતીભાઇ શાહે કહયુ કે, મંદીના કારણમાં સિન્થેટીક ડાયમંડની અસર ગણાવી શકાય છે. નેચરલ અને સિન્થેટીક ડાયમંડની ભેળસેળને કારણે પણ લોકોએ ડાયમંડ ખરીદવાનું ઓછું કરી દીધું છે. લોકોની હીરા ખરીદવાની ઇચ્છા તુટી ગઇ છે એ પણ વાસ્તવિકતા છે. પણ નિરાશાવાદી થવાનું કામ નથી. અઠવાડીયામાં ચાર – પાંચ દિવસ કારખાનું ચલાવો અને કારીગરોનો પણ વિચાર કરો. ધંધો ફરીથી પહેલાની જેમ ચાલી જશે. થોડી કાળજી રાખીશું તો હીરા ઉદ્યોગને ફરીથી ઝળહળતો કરી દઇશું.

જીવનમાં કોઇ પરિસ્થિતિ કાયમી નથી, મંદી આવી છે ને જવાની છે એ નક્કી છે કહે છે ગોવિંદ ધોળકીયા

શ્રી ગોવિંદભાઇ ધોળકીયાએ પોતાના વકતવ્યમાં જણાવ્યુ હતુ કે, આપણે સમયની સાથે ચાલવું પડશે. જે સમય આવ્યો છે તે જવાનો છે. મંદી હોય કે તેજી કોઇવાર કાયમી રહેતી નથી. આ ચક્ર ફરતુ રહેવાનું છે. મંદીનું પુર બધાને જ આવ્યુ છે. મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે પોતાના પ્રત્યે તેમજ આપણી કંપની કયાં છે તે અંગે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. હીરાનો ધંધો ખૂબ જ સારો છે અને એનો હું પપ વર્ષનો સાક્ષી છું. હીરો એ કલ્પવૃક્ષ અને ચિંતામણી છે. આ વિકટ પરિસ્થિતિ કાયમી રહેવાની નથી. ધીરજ રાખીને આગળ વધવું અને આવેગ કે આવેશમાં આવીને કોઇ નિર્ણય લેવો નહીં.

આ કાર્યક્રમમાં ચેમ્બરના ઇવેન્ટ્‌સ એન્ડ પ્રોગ્રામ્સ સેલના હેડ શ્રી મૃણાલ શુકલ અને ચેમ્બરની ડાયમંડ ઇન્ડસ્ટ્રી કમિટીના ચેરમેન શ્રી કીર્તિકુમાર શાહે પ્રાસંગિક વિધી કરી હતી.

હીરા ઉદ્યોગના બંને અગ્રણીઓએ કારખાનેદારોના સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા.

અંતે ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી દિનેશ નાવડીયાએ સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયુ હતુ.

July 13, 2019
pandesara.jpg
1min9390
સુરતમાં કારીગરનાં મૃત્યુ બાદ ટોળાંનો હોબાળો: અશ્રુવાયુ છોડાયો
સુરતના ઔદ્યોગિક વિસ્તાર, પાંડેસરા બમરોલીમાં એક કારખાનામાં કારીગરનું કહેવાતા ઇલેક્ટ્રીક શોટ લાગવાથી મોત નિપજ્યું હતું જો કે લોકટોળાએ આ મોતને શંકાસ્પદ મોત જણાવીને મોટું તોફાન મચાવી મૂક્યું હતું. તોફાનીઓને વિખેરવા માટે પોલીસે અશ્રુવાયુ છોડયા હતાં. ઘટનાસ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલાને ખડકી દેવાયો હતો.
તા.12મી જુલાઇને શુક્રવારે સવારે પાંડેસરાનાં બમરોલી વિસ્તારની હરિઓમ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતો મૂળ ઓરિસ્સાવાસી 40 વર્ષીય દયા મોહન ગોડ નામનો કારીગર અચાનક જ જમીન પર ઢળી પડયો હતો. દયા મોહન ગોડને જમીન પર ઢળેલો જોઈ સાથી કારીગરો તેને બહાર લાવ્યા હતાં. એકમનાં માલિક અંકુર જંયતિ ચેવલીને ઘટનાની જાણ કરવામાં આવતાં તેઓ કારખાનાએ દોડી આવ્યા હતાં.
કારીગર ભાનમાં નહીં આવતા 108 એમ્બ્લુલન્સ બોલાવીને તેને નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પ્રાથમિક તપાસમાં જ તબીબોએ મૃત ઘોષિત કર્યો હતો.
ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોએ કારીગરનું મોત કરંટ લાગવાથી થયું હોવાની અફવા ફેલાવતાં વાતાવરણ તંગ બન્યું હતું. આ દરમિયાન એક શબવાહિનીની તોડફોડ કરવામાં આવી હતી અને પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે તંગ બની ગયેલાં વાતાવરણમાં સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે અશ્રુવાયુના ચાર સેલ છોડયા હતાં.
કારખાનાના માલિક અંકુર જંયતિ ચેવલીએ નવી સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારજનોની હાજરીમાં જણાવ્યું હતું કે પાંડેસરામાં આવેલા વડોદ ગામના ગણેશનગરમાં દયા ગોડ રહે છે. છેલ્લા 6 માસથી અમારા કારખાનામાં કામ કરતો હોય રાત્રી દરમિયાન દયા ચા પીવા માટે બહાર ગયો હતો. ત્યારબાદ તેણી તબિયત લથડતા ઓફિસમાં સૂઇ ગયો હતો. સવારે 6.55 કલાકે સાથી કારીગર તેણે જગાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તે ઉઠયો ન હતો.
દરમિયાન કેટલાક કારીગરોએ કરંટથી મોત થયું હોવાની વાતા ફેલાવતાં આજુબાજુમાં મોટી સંખ્યામાં લોકોનાં ટોળા એકત્ર થયા હતાં. કારીગરના પરિવારે રૂા. 10  લાખ વળતર પેટે માગ્યા હતાં. કારીગરનાં મોતનું સાચુ કારણ પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.
July 13, 2019
floods.jpg
1min5470

દેશભરમાં વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે. નદીઓના જળસ્તરમાં સતત થઈ રહેલા વધારના કારણે ઘણા વિસ્તારોમાં પુરનું સંકટ ઉભું થયું છે. પૂર્વોત્તરના રાજ્ય આસામમાં સતત વરસાદના કારણે બ્રહ્મપુત્ર નદી જોખમી નિશાનથી ઉપર વહી રહી છે. પુરનું પાણી રાજ્યના ઘણા મંદિરોમાં ઘૂસી ચૂક્યું છે.

ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદના કારણે નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મેઘાયલમાં પણ પુરની સ્થિતિ ઉભી થવાની ભીતિ છે. આસામ સહિતના રાજ્યોમાં સંકટ વચ્ચે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી બે અઠવાડિયામાં સરેરાશથી ઓછો વરસાદ થશે. આ આગાહીના કારણે લોકોએ રાહતનો શ્વાસ ખેંચ્યો છે.

મેઘાલય, આસામ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં હજી પણ જોખમ છે. કેન્દ્ર જળ આયોગના રિપોર્ટ પ્રમાણે કાનપુર, ડલમઉ, ફાફામઉ, પ્રયાગરાજ,’ મિર્ઝાપુર, વારાણસી, ગાઝીપુર, અને બલિયામાં ગંગાનું જળસ્તર જ્યારે કાલાગઢ, મુરાદાબાદ, અને બરેલીમાં રામગંગાનું જળસ્તર સતત વધી રહ્યું છે. આવી જ રીતે ગોમતીમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે. મહારાષ્ટ્રમાં પણં વરસાદના કારણે સંકટમાં વધારો થયો છે.

July 13, 2019
rai1.jpg
1min5630

17 જિલ્લામાં 4 લાખને અસર હ વરસાદ ચાલુ રહેતાં વધુ વકરે તેવી વકી હ બીમારીઓમાં 14 બાળકનાં મૃત્યુ
આસામમાં પૂર પરિસ્થિતિ વધુ વણસી છે: રાજ્યના 17 જિલ્લાઓના આશરે સાતસો ગામડામાં વસતા ચાર લાખ લોકોને તેની માઠી અસર થઈ રહી છે. ગઈ કાલે પૂરથી 3 જણાના મૃત્યુ થયા હતા અને કેટલાક આવાસો નાશ પામ્યા હતા.
ગુવાહાટીમાંથી પસાર થતી બ્રહ્મપુત્ર નદી ચેતવણીસૂચક સપાટીએથી વહી રહી છે. હાલ તે હજી ભયસૂચક આંકે પહોંચી નથી પણ એકાદ બે દિવસમાં તે ભયસૂચક સપાટીને વળોટી જઈ શકે છે એમ ઈનલેન્ડ વોટરવેઝ ઓથોરિટીના સેકશન ઓફિસરે જણાવ્યું હતું.
ધેમાજી, લખીમપુર, બિશ્વનાથ, જોરહાટ, દારંગ, બારપેટા, નલબારી, માજુલી, ચિરંગ, દિબ્રુગઢ અને ગોલાઘાટ વ. જિલ્લાઓને પૂર થકી માઠી અસર થઈ છે. દસ જુલાઈ સુધી રાજ્યની કુલ 13,267 હેકટર જેટલી જમીન પરનો પાક પૂરથી તારાજ થયાનું રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જણાવે છે. રાજ્યમાં વરસાદ’ ચાલુ રહેતાં પરિસ્થિતિ વધુ વણસવા વકી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. એકધારા વરસાદ અને પૂરની પરિસ્થિતિના વાંકે રાજ્યમાં એઈએસ અને જાપાની એન્સેફેલાઈટીસની બીમારીના કેસો વધતાં ઓછામાં ઓછા 14 બાળકો માર્યા ગયા છે અને 189 કેસ નોંધાયા છે. એનડીઆરએફ અને સ્ટેટ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સને બચાવ તથા રાહત કામગીરી માટે તૈનાત કરાયા છે.
મુખ્ય મંત્રી સર્બનંદા સોનોવાલે અસરગ્રસ્ત જિલ્લાઓમાંની પૂર પરિસ્થિતિને તત્કાળ પ્રતિસાદ આપવા પોતાના જિલ્લાના કન્ટ્રોલ રુમ ચોવીસે કલાક સક્રિય રાખવાની તેમ જ હોસ્પિટલોમાંની દવાઓનો પુરવઠો અપડેટ રાખવા તથા તબીબો સુલભ રહે તે અંકે કરવા જિલ્લા કમિશનરોને તાકીદ કરી છે.
July 12, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6140

ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી દ્વારા બુધવારે,તા. 10 જુલાઇ ર019ના રોજ સાંજે 4:00 કલાકે નાનપુરા સમૃદ્ધિ ખાતે ‘ધી સુરત એરપોર્ટ સાગા’ પુસ્‍તકનું વિમોચન કરવામાં આવ્‍યુ હતુ. આ પુસ્‍તકમાં ચેમ્‍બર દ્વારા વર્ષ 1989થી આજદિન સુધી સુરત શહેરને એરપોર્ટ અપાવવા માટે કરેલા પ્રયાસોનો ચિતાર રજૂ કરવામાં આવ્‍યો છે. ચેમ્‍બરના પ્રમુખ તથા હોદ્દેદારો, ભુતપુર્વ પ્રમુખો અને ચેમ્‍બરની મેનેજિંગ કમિટીના સભ્‍યોના હસ્‍તે પ્રેસ એન્‍ડ મિડીયાની હાજરીમાં આ પુસ્‍તકનું વિમોચન કરવામાં આવ્‍યુ હતુ.

ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ આ પ્રસંગે સર્વેને આવકાર્યા હતા અને પ્રારંભિક ઉદ્‌બોધનમાં જણાવ્‍યુ હતુ કે, ચેમ્‍બર તથા અન્‍ય સંસ્‍થાઓના વર્ષોના ખૂબ અથાગ પ્રયાસો થકી જ નાની જગ્‍યામાંથી ઇન્‍ટરનેશનલ એરપોર્ટ ધમધમતું કરી શકયા છીએ.ચેમ્‍બર દ્વારા આ પ્રયાસને પુસ્‍તકમાં સમાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છે. ચેમ્‍બરના ભુતપુર્વ પ્રમુખશ્રી રજનિકાંત મારફતિયાએ શરૂઆતથી જ એરપોર્ટ માટેનું કામ કરી તેને સાકાર બનાવ્‍યુ છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીના ભુતપુર્વ પ્રમુખશ્રી રજનિકાંત મારફતિયાએ જણાવ્‍યુ હતુ કે, આજથી 30 વર્ષ પહેલા ચેમ્‍બર દ્વારા સુરતને એરપોર્ટ અપાવવા માટેનો પ્રયાસ શરૂ કરવામાં આવ્‍યો હતો અને ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીના સૂચનોને સરકાર તથા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્‍ડીયાએ સ્‍વીકાર્યા હતા.

સુરતમાં ઈન્‍ટરનેશનલ ટ્રાફિક થઇ શકે તે વાત ચેમ્‍બર દ્વારા એરલાઇન્‍સ અને ઓથોરિટીને સમજાવવામાં આવી હતી. અંતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને સાંસદ શ્રી સી.આર. પાટીલ તથા શ્રીમતી દર્શનાબેન જરદોશના પ્રયાસોથી આજે ઈન્‍ટરનેશનલ ફલાઇટ પણ સુરતથી શરૂ કરી શકયા છીએ.

ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીની એરપોર્ટ કમિટીના ચેરમેન શ્રી મનોજ સિંગાપુરીએ પ્રાસંગિક વિધી કરી હતી. ચેમ્‍બરના માનદ્‌ મંત્રી શ્રી ધીરેન થરનારીએ પુસ્‍તક માટે સહયોગી બનનાર શ્રી મહેશભાઇ અને શ્રી કિરીટભાઇ ગાંધી તેમજ પ્રેસ એન્‍ડ મિડીયા સહિત સર્વેનો આભાર માન્‍યો હતો અને ત્‍યારબાદ કાર્યક્રમનું સમાપન થયુ હતુ.

‘ધી સુરત એરપોર્ટ સાગા’ પુસ્‍તકમાં આલેખવામાં આવેલી બાબતોના મુખ્‍ય મુદ્દાઓ નીચે મુજબ છે.

ગુજરાત સરકારે વર્ષ 1948માં સચિનના નવાબ થકી વારસામાં મળેલી સુરત એરપોર્ટ અંગેની જગ્‍યાનો કબજો લઇ એરપોર્ટ ચાલી શકે એ અંગે પોતાના પ્રયત્‍ન શરૂ કર્યા હતા અને એના ભાગરૂપે જાગૃત નાગરિકોની માંગણીને માન આપીને ગુજરાત ફલાઈંગ કલબની પ્રવૃત્તિ સુરત ખાતે શરૂ કરવા પ્રોત્‍સાહન આપી વર્ષ 1968માં જરૂરી જમીન ફાળવી રનવે બનાવી આપ્‍યો હતો. ફલાઈંગ કલબની પ્રવૃત્તિ વર્ષ 197રમાં બંધ થતા ગુજરાત સરકારે પોતે કાર્યવાહી હાથમાં લઇ વધુ જમીન સંપાદન કરી તથા રનવેને પણ વિસ્‍તારવાનું કામ ચાલુ કર્યુ હતુ.

નાણાંના ટાંચા સાધનોને કારણે એરપોર્ટ વિકસાવવું મુશ્‍કેલ હતુ છતાં પણ સરકારના પ્રયત્‍નથી સફારી એરવેઝની પ્રથમ સર્વિસિસ સુરત – ભાવનગર – અમદાવાદ વચ્‍ચે શરૂ કરવા સફળતા મળી હતી. આ પ્રવૃત્તિ ત્રણ વર્ષ બાદ બંધ થઇ ગઇ હતી. ઘણા વર્ષો સુધી એરપોર્ટના વિકાસ અંગે ખાસ કોઇ પ્રવૃત્તિ થઇ શકી ન હતી. આથી વર્ષ 1989થી ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સે સુરત શહેરને એરપોર્ટ આપવાની પોતાની ફરજ સમજીને તે દિશામાં નકકર કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં વર્ષ 1989માં ચૂંટાયેલા સાંસદ શ્રી કાશીરામ રાણાનો પણ ઉત્‍સાહી સપોર્ટ મળ્‍યો હતો.

સુરત એરપોર્ટના સર્વાંગી વિકાસ વ્‍યવસ્‍થિત થાય એ માટે ગુજરાત સરકારે એક રિપોર્ટ રાઇટ્‍સ કંપની પાસે તૈયાર કરાવડાવ્‍યો હતો. જેમાં પ્રોજેકટ ફિઝીબીલિટી, ટ્રાફિકના આંકડાઓ તથા ર0 વર્ષના વિકાસની વાતો વિસ્‍તૃતપણે જણાવવામાં આવી હતી. આ રિપોર્ટથી ઈન્‍ટરેસ્‍ટેડ આંત્રપ્રિન્‍યોર સાથે વાતચીત કરવાનું સરળ થયુ અને કેટલાક એનજીઓ સાથે આના આધારે વાતચીત શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોઇ નકકર પરીણામ આવ્‍યુ ન હતુ.

1999માં ગુજરાત સરકારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્‍ડીયા સાથે રહી સુરતની એરપોર્ટનું માળખું કેવી રીતે વિકસાવવું તે અંગે એક કમિટી બનાવવાનું સૂચન કર્યુ હતુ. જેથી રામલીંગમ કમિટી બનાવવામાં આવી હતી. જેમાં એરપોર્ટ ઓથોરિટી અને ગુજરાત સરકારના નિષ્‍ણાતો હતા. આ કમિટી રિપોર્ટને આધારે સુરતના એરપોર્ટનો વિકાસ કાર્યક્રમ થયો છે.

અત્રે એ નોંધવું જરૂરી છે કે 1989થી 1999 સુધીના ગુજરાત સરકાર તથા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્‍ડીયાના તમામ કામોમાં ચેમ્‍બરને સાથે રાખવામાં આવી હતી અને તેના સૂચનો આમેજ કરવામાં આવ્‍યા હતા. 1989થી ર019 સુધીના 30 વર્ષ દરમિયાન ચેમ્‍બરના જુદા-જુદા પ્રમુખશ્રીઓએ કરેલી કામગીરી વિગતવાર આ પુસ્‍તકમાં આપેલી છે.

ચેમ્‍બર તથા ગુજરાત સરકારના સઘન પ્રયાસોથી સુરતને સફારી એરલાઇન્‍સ, વાયુદુત, ગુજરાત એરવેઝ, ડકકન એરવેઝ, એનઇપીસી વિગેરે એરલાઇનોની સવલતો મળી હતી. પરંતુ એ બધી જ નબળા ઈન્‍ફ્રાસ્‍ટ્રકચરને કારણે ટૂંકજીવીની નીવડી હતી. ગુજરાત સરકાર પાસે નાણાંની ખૂબ જ મર્યાદિત સગવડ હોવાથી ચેમ્‍બરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રાજકીય દબાણ ઉભો કરવાનો પ્રયત્‍ન કર્યો હતો. જેને કારણે જે તે સમયે ગુજરાત સરકારના માનનીય મુખ્‍યપ્રધાન શ્રી નરેન્‍ફ્‍ભાઇ મોદીએ સુરત એરપોર્ટની જમીન, બાંધકામ સાથે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્‍ડીયાને સુપરત કરવાનો એક ઐતિહાસિક નિર્ણય લીધો હતો. જેને કારણે સુરત એરપોર્ટનો વિકાસ ખૂબ જ શિસ્‍તબદ્ધ અને સમયબદ્ધ થઇ શકવાના સંજોગો ઉભા થયા હતા. એ અંગેના એમઓયુ થતા પ્રોપર્ટી હસ્‍તાંતરણનો કાર્યક્રમ પણ યોજાયો હતો અને એરપોર્ટના વિકાસની વિગતો ઝડપથી તૈયાર કરવામાં આવી હતી.

સરકાર બદલાતા શ્રી પ્રતાપસિંહ રૂડીની જગ્‍યાએ શ્રી પ્રફુલ પટેલ આવતા વિકાસનો દોર તેમના હાથમાં આવતા એમણે નવો પ્‍લાન તૈયાર કર્યો હતો. તેમાં ઘણો વિલંબ થયો હતો અને કામ શરૂ થયા બાદ પણ ઘણી રૂકાવટો બાદ ખૂબ પ્રેશરને વશ થઇ, કોન્‍ટ્રાકટરની ફેરબદલી કરીને આખરે રર10 મીટરનો રનવે તૈયાર કરાવી એર ઇન્‍ડીયાની દિલ્‍હી – સુરતની પ્રથમ ફલાઇટ તા. 7 મે ર007ના રોજ ચાલુ કરી હતી. આ અંગે સુરત ચેમ્‍બર ઓફ કોમર્સે કરેલા પ્રયત્‍ન અને સહાયને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્‍ડીયાએ બિરદાવી હતી. જયારે એરપોર્ટ બિલ્‍ડીંગનું કામ વર્ષ ર009માં પૂર્ણ કરવામાં આવ્‍યુ હતુ અને ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી દિનશા પટેલના હસ્‍તે સુંદર સમારંભમાં શુભારંભ કરવામાં આવ્‍યો હતો. ત્‍યારે પણ ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રયત્‍નને સવિશેષ નવાજવામાં આવ્‍યા હતા.

આમ એરપોર્ટના વિકાસનો પહેલો તબકકો પુરો થયો હતો, જે પૂર્ણ કરવામાં ભુતપુર્વ મંત્રી અને સાંસદ શ્રી કાશીરામભાઇ રાણા, શ્રી જીવાભાઇ પટેલ, શ્રી પ્રમોદભાઇ ચૌધરી તથા શ્રીમતી સવિતાબેન શારદાનો સઘન ફાળો રહયો હતો.

હવે વધુ કનેકટીવિટી અંગેના પ્રયાસો શરૂ થયા હતા. ચેમ્‍બર તથા સાંસદ શ્રી સી. આર. પાટીલ અને શ્રીમતી દર્શનાબેન જરદોશ તેમજ અન્‍ય સંસ્‍થાઓના પ્રયત્‍નથી સ્‍પાઇસ જેટની દૈનિક દિલ્‍હી-સુરત-મુંબઇની ફલાઇટની શરૂઆત થઇ. એરપોર્ટમાં બાંધકામની કેટલીક ખામી અને ભેંસના અકસ્‍માતથી નવી ફલાઇટો આવતી બંધ થઇ હતી. દરમિયાન વેન્‍ચુરા કનેકટે પોતાની ફલાઇટ શરૂ કરી એક મહત્‍વનું પગલું ભર્યુ હતુ.

એરપોર્ટના બાંધકામની ખામી સુધારવા અંગે ચેમ્‍બરે કરેલા સૂચનને સ્‍વીકારી એરપોર્ટ વિસ્‍તરણ અને રિપેરીંગનું કામ સાથે જ શરૂ કરાયુ જે પુર્ણ થતા પણ લગભગ ત્રણ વર્ષનો સમય થયો અને સ્‍પાઇસ જેટે પણ પોતે બંધ કરેલી ફલાઇટ ફરી શરૂ કરી અને એર ઇન્‍ડીયાએ પણ પોતાની દિલ્‍હી – સુરતની ફલાઇટમાં વધારો કર્યો હતો. આ અંગે એર ઇન્‍ડીયાની દિલ્‍હી – સુરત ફલાઇટ માટે મોટું પ્‍લેન મળે એ અંગે સાંસદ શ્રી સી.આર. પાટીલે ખૂબ જ હિંમતભર્યુ પગલું ભરી ગેરંટી આપીને પણ ફલાઇટ ચાલુ કરવાનું બીડુ ઝડપ્‍યુ હતુ અને આમ ટ્રાફિક અંગેની ગેરમાન્‍યતાનું ખંડન કર્યુ હતુ અને વધુ એર સર્વિસિસ શરૂ થવા માટે માર્ગ મોકળો કર્યો હતો.

વર્ષ ર01પથી શરૂ થયેલું રિપેર અને એ1ટેન્‍શનનું કામ વર્ષ ર018માં પુરુ થયુ. વધુમાં સુરત શહેરના ટ્રાફિકની ખાતરી થતા સ્‍પાઇસ જેટે ઘણા નવા શહેરો સાથે કનેકટીવિટી આપી. જયારે એર એશિયા અને ઈન્‍ડીગોએ પોતાની ફલાઇટની શરૂઆત કરી હતી. આમ ર018થી વિકાસ રોકેટની ગતિથી આગળ વઘ્‍યો અને આજે રોજની 30 ફલાઇટ અને 1 લાખ પ0 હજાર મુસાફરો સાથે સુરતને ભારતના પ0 એરપોર્ટની યાદીમાં 3પમો દરજજો મળે છે. વધુમાં ચેમ્‍બરના પ્રયાસોથી સુરતને કસ્‍ટમ નોટીફાઇડ એરપોર્ટ બનાવવાની તક સાંપડી હતી અને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્‍ડીયાના વેસ્‍ટર્ન રિજનલ ડાયરેકટર શ્રીમતી હેમલથાજીના માર્ગદર્શન અને સહકારથી વર્ષ ર017થી શરૂ થયેલા પ્રયાસો ર019માં ફળીશ્રુત થયા. અત્રે નોંધવું જરૂરી છે કે સુરતને કસ્‍ટમ નોટીફાઇડ એરપોર્ટ તરીકે વિકસાવાનો નિર્ણય ચેમ્‍બર ઓફ કોમર્સમાં શ્રીમતી હેમલથાજીએ બોલાવેલી ખાસ મિટીંગમાં લેવામાં આવ્‍યો હતો. સુરતને ભારતના નવ નોટીફાઇડ કસ્‍ટમ એરપોર્ટમાં સ્‍થાન મળ્‍યું તથા સુરત – શારજાહની પહેલી ઈન્‍ટરનેશનલ ફલાઇટ તા. 16 ફેબ્રુઆરી ર019થી શરૂ થઇ અને જે હાલ પણ સારી ચાલી રહી છે.

અત્રે ખાસ નોંધવું જરૂરી છે કે મર્યાદિત ઈન્‍ફ્રાસ્‍ટ્રકચરને કારણે સુરતની ઇન્‍ટરનેશનલ ફલાઇટ માટે રાત્રે 1રઃ30 થી સવારે પ:00 વાગ્‍યા સુધીનો જ ટાઇમ સ્‍લોટ મળી શકે એમ હોવાથી એર ઈન્‍ડીયા એકસપ્રેસે પોતાની એનાઉન્‍સ કરેલી ફલાઇટ શરૂ કરવામાં વિલંબ કર્યો હતો, જે સાંસદ શ્રી સી.આર. પાટીલના અથાગ પ્રયત્‍નથી માનનીય મંત્રી શ્રી જયંત સિંહાએ સદર ફલાઇટ શરૂ કરવા એર ઇન્‍ડીયા એકસપ્રેસને જરૂરી દબાણ કરી સુરત – શારજાહ ફલાઇટ શરૂ કરવા જણાવ્‍યુ હતુ.

આ સાથે જ સુરતના વધુ વિકાસનો નકશો પણ તૈયાર થઇ ગયો છે અને 3પ0 કરોડના રોકાણ સાથે વર્તમાન એરપોર્ટથી ત્રણ ગણું મોટુ એરપોર્ટ વધુ એરોબ્રિજીસ, ટે1ાીવેજ અને પાર્કીંગવેજ સાથે વર્ષ ર0ર1માં સુરત એરપોર્ટ સંપૂર્ણ રીતે વિકસિત થશે. જેમાં સ્‍થાનિક અને આંતરરાષ્‍ટ્રીય ફલાઇટો ર4 કલાક ચાલુ રહેશે તથા ર6થી 30 લાખ મુસાફરોની અવરજવર અને ર0 ઈન્‍ટરનેશનલ ફલાઈટ શરૂ થઇ શકશે એવો અંદાજ છે. સુરત એરપોર્ટના વિકાસ અંગે કામનું શુભ મુહુર્ત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍ફ્‍ભાઇ મોદીના હસ્‍તે તા. 30 જાન્‍યુઆરી ર019ના રોજ થયુ હતુ. જે પણ સાંસદ શ્રી સી.આર. પાટીલના પ્રયત્‍નને જ આભારી હતું.

ચેમ્‍બરને એ વાતનો સંતોષ અને ગર્વ છે કે આ 30 વર્ષની યાત્રામાં ચેમ્‍બરના દરેક પ્રમુખે તેમનો મહત્‍વનો ફાળો આપ્‍યો હતો. આમ 1989થી શરૂ કરેલું આ મીશન ર019ની શારજાહની ફલાઇટથી આંતરરાષ્‍ટ્રીય ઉડાન શરૂ થતા એક મહત્‍વનો તબકકો સાકાર કરવામાં સંપૂર્ણપણે સફળ રહયુ.

સુરત એરપોર્ટના 1989થી શરૂ થયેલી વિકાસની ગાથા જેમાં સુરતને સંપૂર્ણ ક1ાાનું એરપોર્ટ આપવાનું ચેમ્‍બર ઓફ કોમર્સનું સુરત શહેર પ્રત્‍યેનું ઉત્તરદાયિત્‍વ સમજી આદરેલા અને સફળપૂર્વક પૂર્ણ કરેલા અભિયાનનું સંપૂર્ણ આલેખન ‘ધી સુરત એરપોર્ટ ગાથા’ પુસ્‍તકમાં કરવામાં આવ્‍યુ છે.

વધુમાં આ પ્રસંગે તા. 13મી ફેબ્રુઆરી ર019ના રોજ ચેમ્‍બર ઓફ કોમર્સે યોજેલા એરપોર્ટ ફેલિસીટેશન પ્રોગ્રામમાં સાંસદ શ્રી સી.આર. પાટીલ તથા શ્રીમતી દર્શનાબેન જરદોશ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્‍ડીયાના દિલ્‍હી, મુંબઇ અને સુરતના અધિકારીઓ, વેન્‍ચુરા કનેકટ એરવેઝના પ્રમોટર્સ, એર ઇન્‍ડીયાને ગેરંટી આપનાર સચિન – પાંડેસરા તથા વિવિધ પ્રોસેસર્સ એસોસિએશનના હોેદારો તથા અન્‍ય વ્‍યકિત અને સંસ્‍થાઓએ કરેલા પ્રદાનની સવિશેષ નોંધ લઇ તેઓને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. જેની વિગતો તથા એર ઇન્‍ડીયા એકસપ્રેસની તા. 16મી ફેબ્રુઆરી ર019થી સુરત – શારજાહ વચ્‍ચે શરૂ થયેલી પ્રથમ ફલાઇટ વખતના એરપોર્ટ ખાતેના માહોલની અને સાંસદ શ્રી સી.આર. પાટીલ તથા શ્રીમતી દર્શનાબેન જરદોશે કરેલા ઉદ્‌ઘાટન વિધીની વિગતો પણ ‘ધી સુરત એરપોર્ટ સાગા’ પુસ્‍તકમાં આમેજ કરવામાં આવી છે.