CIA ALERT
01. May 2024
July 15, 20191min13330

Related Articles



આસારામને સુરત દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટે જામીન ફગાવ્યા

Share On :
Print Friendly, PDF & Email

હાલમાં રાજસ્થાનની જેલમાં દુષ્કર્મ અન્વયે પૂરાયેલા આસારામે સુરત દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી. મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટે આસારામ બાપૂની સુરત દુષ્કર્મ કેસમાં જામીન આપવા માટે કરાયેલી અરજી ફગાવી દીધી છે.

એવી પણ માહિતી મળી છે કે જ્યાં સુધી કેસની ટ્રાયલ ચાલે ત્યાં સુધી જામીન ન આપવા  સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.

સુરત દુષ્કર્મ કેસની સુનાવણી દરમિયાન ગુજરાત સરકારે રજૂઆત કરી હતી કે સુરતમાં ચાલી રહેલા કેસમાં 10 સાક્ષીઓના નિવેદન લેવાના બાકી છે. ત્યારે સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટે આદેશ આપીને હાઈકોર્ટની ટિપ્પણથીથી પ્રભાવિત થયા વગર કાર્યવાહી કરવા કહ્યું છે.

હાલ આસારામ દુષ્કર્મ કેસમાં જ આજીવન કેદની સજા કાપી રહ્યા છે. આ પહેલા હાઈકોર્ટે 26મી માર્ચ, 2019ના રોજ હાઈકોર્ટે સજા પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી હતી. હાલ આસારામ 2013માં રાજસ્થાનના જોધપુર આશ્રમમાં 16 વર્ષની કિશોરી પર દુષ્કર્મ કરવાના કેસમાં આજીવન કેદ ભોગવી રહ્યો છે.

 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :