CIA ALERT

Blog - Page 473 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
July 27, 2019
guj_gov_logo.png
1min16050

ગુજરાત સરકારના નાણાકિય વહિવટની કમ્પ્રોટર એન્ડ ઓડિટર જનરલ અર્થાત કેગના અહેવાલમાં આકરી ટીકા કરવામાં આવી છે. સરકાર વિવિધ વિભાગો પાસેની બચતની રકમને આવક દર્શાવી રહી છે અને વિકાસ યોજનાઓ પાછળ કરોડોનું દેવું કરી રહી હોવાના મુદ્દે કેગના અહેવાલમાં ગંભીર નોંધ લેવામાં આવી છે.કેગે સરકારના 73 બોર્ડ અને નિગમોમાં થયેલી બારેખમ ખોટ અને સામાન્ય નફા અંગેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
સરકારના વિવિધ વિભાગોના વાર્ષિક બજેટમાં કરાયેલી જોગવાઇ મુજબની રકમ’ ન ખર્યાય તો તેને વર્ષના અંતે પરત કરવાની જોગવાઇ છે.’ છતાં રાજ્યસરકારના સંખ્યાબંધ વિભાગોએ આવી વણવપરાયેલી બચતની રકમ સરકારમાં જમા કરાવવાને બદલે પોતાના વિભાગની મહેસૂલી આવક દર્શાવવાની ભૂલ કરી છે.’ કેગ દ્વારા આ બાબતની ગંભીર નોંધ લઇ સરકારની ભારેભાર ટીકા કરતી નોંધ કરી છે.
‘2014-15થી 2016-17 મહેસૂલી ખર્ચની રૂા.160.81 કરોડની વણવપરાયેલી સિલકો શરૂઆતમાં જી.એસ.એફ.એસ.માં મુકવામાં આવી હતી અને ત્યારબાદ સરકારના હિસાબમાં મહેસૂલી આવક તરીકે જમા કરવામાં આવી હતી.’ 12 માં નાણાંપંચ દ્વારા મહેસૂલની આવકની સામે વ્યાજની ચુકવણીનો ગુણોત્તર 15 ટકા સુધી નીચો હોવો જોઇએ એવી તાકીદ કરાઇ હોવા છતાં ગુજરાતમાં આ ગ્રોથ જળવાતો નથી. કેગના કહેવા પ્રમાણે શિસ્તબદ્ધ નાણાંકીય વ્યવસ્થાપનમાં સર્વશ્રેષ્ઠ હોવાનો દાવો કરતી રાજ્યસરકાર દ્વારા તેને મહેસૂલ તરીકે પ્રાપ્ત દરેક 100 રૂપિયા માટે 15.37 રૂપિયા વ્જાય પેટે ચુકવવામાં આવે છે. સરકારને માથે 5.44 ટકાના દરે જવાબદારીઓમાં વધારો થયો છે.કેગે એવું પણ નોંધ્યું છે કે, સરકાર જે રકમ વ્યાજે લેશે તેનો સરેરાશ દર 7.59 ટકા જેટલો છે જ્યારે સરકાર જે વ્યાજની ચુકવણી કરે છે તે દર 15.37 ટકા છે.
સરકાર હસ્તકના કુલ 73 જેટલા બોર્ડ નિગમમાંથી 19 જેટલા બોર્ડ-નિગમોએ રૂા.3813 કરોડની ખોટ કરી છે’ જ્યારે 50 જેટલા બોર્ડ નિગમોએ રૂા.5113 કરોડનો નફો કર્યો હતો. બાકીના 4 બોર્ડ નિમગોમાં નફો કે નુકશાન કાંઇ થયું નથી. નફો કરતા બોર્ડ-નિગમો તરફથી સરકારને સાવ સામાન્ય વળતર મળ્યું હતું એવો ઉલ્લેખ પણ કેગ દ્વારા કરાયો છે.
કેગ દ્વારા જાહેર કરાયેલા રાજ્યની નાણાંકીય પરિસ્થિતિ અંગેના ઓડિટ અહેવાલમાં નોંધાયું છે કે, ગુજરાત સરકારના 19 જેટલા અબજો રૂપિયાની ખોટ કરતા બોર્ડ નિગમોમાં મુખ્યત્વે ગુજરાત રાજ્ય પેટ્રોલિયમ કોર્પોરેશન (જીએસપીસી)એ રૂા.1564 કરોડની ખોટ કરી છે.’ જ્યારે સરદાર સરોવર નર્મદા નિગમે રૂા.1075 કરોડની ખોટ કરી છે. તો ભાવનગર એનર્જી કંપનીએ રૂા.617 કરોડ, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે રૂા.264 કરોડ અને ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે રૂા.137 કરોડની ખોટ કરી છે.
નોંધનીય બાબત એ છે કે, ગુજરાત સરકારના જે 50 નિગમોએ નફો કર્યો હતો તેણે ગુજરાત સરકારને માત્ર રૂા.97 કરોડ ડિવિડન્ડ પેટે ચુકવ્યા હતા. જે આ બોર્ડ નિગમોમાં સરકાર દ્વારા રોકાયેલા અબજો રૂપિયાના મુડીરોકાણ સામે માત્ર 1.91 ટકા જેટલું હતું.

July 27, 2019
chikufarmbullet.jpg
1min10070

રેલવેના રાજ્ય કક્ષાના પ્રધાન સુરેશ અંગડીએ રાજ્યસભામાં શુક્રવારે જણાવ્યું હતું કે મુંબઈ અને અમદાવાદ વચ્ચેના ૫૦૮ કિલોમીટરના બુલેટ ટ્રેન નેટવર્કને ૨૦૨૩માં પૂરું કરવાનો લક્ષ્ય છે.

બુલેટ ટ્રેનથી ગુજરાતના ૨૯૭ ગામને અસર થવાની છે અને તેના ૯૭ ટકાથી વધુ ખેડૂતે પોતાની જમીન આપવા સંમતિ આપી છે.

તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન માટે જમીન આપવા અમુક વિસ્તારના ખેડૂત ના પાડી રહ્યા છે, પરંતુ તેઓ પણ જલદી સંમતિ આપે એવી આશા છે.

સુરેશ અંગડીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનને લીધે મુંબઈમાં ચેર (મેન્ગ્રોવ્સ)ને ઓછામાં ઓછી અસર થાય તેનું ધ્યાન રખાશે અને પાંચ ગણા મેન્ગ્રોવ્સ ઉગાડવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન માટે દરિયામાં સાત કિલોમીટરના બોગદા સહિત કુલ ૨૧ કિલોમીટરના બોગદા બનાવાશે.

રેલવેના રાજ્ય કક્ષાના પ્રધાને જણાવ્યું હતું કે મુંબઈ – અમદાવાદ બુલેટ ટ્રેનનો પ્રકલ્પ સફળ થાય તે પછી દિલ્હી – કોલકાતા, દિલ્હી મુંબઈ અને અન્ય 

શહેરો વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવા પ્રયાસ કરાશે.

રેલવેના રાજ્ય કક્ષાના પ્રધાને રાજ્યસભામાં શુક્રવારે જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનમાં સરેરાશ ૩૬,૦૦૦ લોકો પ્રવાસ કરે એવી આશા છે અને તેનું લઘુતમ ભાડું રૂપિયા ૩,૦૦૦ રહેવાની શક્યતા છે.

તેમણે જણાવ્યું હતું કે ચીને ૧૯૬૪માં અતિ ઝડપી ટ્રેન શરૂ કરી હતી અને હાલમાં ચીનમાં અતિ ઝડપી ટ્રેનનું ૨૦,૦૦૦ કિલોમીટરથી લાંબું નેટવર્ક છે.

July 26, 2019
CIA_Live_Logo_New2.jpg
2min6910
શહેરના વરાછા રોડ પર જય જવાન નાગરિક સમિતિ પ્રેરિત રોટરેક્ટ સુરત ઈસ્ટ દ્વારા આયોજીત વીર શહિદો ને પુષ્પાંજલિ અંતર્ગત એક પ્રભાવક રેલી કાઢવામાં આવી હતી, એ વેળાની તસ્વીરો
શહેરના વરાછા રોડ પર જય જવાન નાગરિક સમિતિ પ્રેરિત રોટરેક્ટ સુરત ઈસ્ટ દ્વારા આયોજીત વીર શહિદો ને પુષ્પાંજલિ અંતર્ગત એક પ્રભાવક રેલી કાઢવામાં આવી હતી, એ વેળાની તસ્વીરો

આજે તા.26 જુલાઇ ભારતમાં કારગીલ વિજય દિન તરીકે ઉજવવામાં આવે છે. આજના આ પ્રસંગે શહેરના વરાછા રોડ પર જય જવાન નાગરિક સમિતિ પ્રેરિત રોટરેક્ટ સુરત ઈસ્ટ દ્વારા આયોજીત વીર શહિદો ને પુષ્પાંજલિ અંતર્ગત એક પ્રભાવક રેલી કાઢવામાં આવી હતી. સમગ્ર વરાછા રોડ પર આ રેલી પુષ્પાંજલિ કાર્યક્રમની સાથે જનજાગૃતિ અભિયાન સમાન બની હતી.

આજના રોટરેક્ટના આ પ્રોજેક્ટના ચેરમેન રો.સતીષ ભાઈ વઘાસીયા દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

શહેરના વરાછા રોડ પર જય જવાન નાગરિક સમિતિ પ્રેરિત રોટરેક્ટ સુરત ઈસ્ટ દ્વારા આયોજીત વીર શહિદો ને પુષ્પાંજલિ અંતર્ગત એક પ્રભાવક રેલી કાઢવામાં આવી હતી, એ વેળાની તસ્વીરો

કાર્યક્રમની સાથે જ હાલ ચોમાસાને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ કાર્યક્રમ પણ રોટરેક્ટ સુરત ઇસ્ટ પરિવારે શોર્ટ નોટિસમાં સફળ આયોજન કર્યું હતું. જેમાં રો.હિરેન અભંગી દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા.

શહેરના વરાછા રોડ પર જય જવાન નાગરિક સમિતિ પ્રેરિત રોટરેક્ટ સુરત ઈસ્ટ દ્વારા આયોજીત વીર શહિદો ને પુષ્પાંજલિ અંતર્ગત એક પ્રભાવક રેલી કાઢવામાં આવી હતી, એ વેળાની તસ્વીરો

રોટરેક્ટ સુરત ઇસ્ટના આ કાર્યક્રમમાં મેમ્બર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એ ઉપરાંત વરાછઆ રોડની અનેક સંસ્થાઓ, જેવી કે રોટરી ક્લબ, ઇનરવ્હીલ ક્લબ ,આશાદીપ સ્કૂલ, સોશીયલ આર્મી વગેરેના પ્રતિનિધિઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

શહેરના વરાછા રોડ પર જય જવાન નાગરિક સમિતિ પ્રેરિત રોટરેક્ટ સુરત ઈસ્ટ દ્વારા આયોજીત વીર શહિદો ને પુષ્પાંજલિ અંતર્ગત એક પ્રભાવક રેલી કાઢવામાં આવી હતી, એ વેળાની તસ્વીરો
શહેરના વરાછા રોડ પર જય જવાન નાગરિક સમિતિ પ્રેરિત રોટરેક્ટ સુરત ઈસ્ટ દ્વારા આયોજીત વીર શહિદો ને પુષ્પાંજલિ અંતર્ગત એક પ્રભાવક રેલી કાઢવામાં આવી હતી, એ વેળાએ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલના શ્રી મહેશભાઇ રામાણીએ મિડીયા મિત્રોને સંબોધન કર્યું હતું.
July 26, 2019
Whisky.jpg
1min9110

ગુજરાતમાં દારૂબંધીનો અમલ ગેરવ્યાજબી હોવા અંગે તેમજ દારુ પીવો એ બંધારણિય અધિકાર છે અને રાજ્ય સરકાર જબરદસ્તીથી આ અધિકાર છીનવી રહી છે એવા મતલબની ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પીટીશનના અનુસંધાને ગુજરાત સરકારે પોતાનો જવાબ સોગંદનામા સ્વરૂપે રજૂ કર્યો હતો. રાજ્ય સરકારે જણાવ્યું કે ખાનગી જગ્યાઓ પર પણ ગુજરાતમાં દારૂ પીવાની છૂટ આપી શકાય નહીં. દારુબંધીના નિયમો હળવા કરવાની વાત રાજ્ય સરકારે સાફ શબ્દોમાં ફગાવતા એફિડેવિટમાં કહ્યું છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે દારુબંધી જરુરી છે.

દારુ પીવાની બાબતને વાણી સ્વાતંત્ર્યના બંધારણીય હક્ક સાથે સરખાવી શકાય નહીં એવો પણ અભિપ્રાય સરકારે રજૂ કર્યો છે.

દારુ બંધી ગરીબોના હિતમાં છે એવું જણાવતા સરકારે પોતાના જવાબમાં લખ્યું છે કે ગરીબો જ દારુના દુષણનો સૌથી મોટો ભોગ બને છે દારુના વ્યસનને કારણે જ તેઓ ગુનાખોરી તેમજ ઘરેલુ હિંસા જેવા દૂષણ તરફ વળે છે.

દારુબંધીના નિયમો હળવા કરવા માટે હાઇકોર્ટમાં રીટ કરનાર અરજદારોની દલીલ હતી કે સરકારે ખાનગીમાં દારુ પીવાની છૂટ આપવી જોઈએ. જેમ બંધારણે સમાનતાનો, પ્રાઈવસીનો અને વાણી સ્વાતંત્ર્યનો હક્ક આપ્યો છે, તે જ રીતે વ્યક્તિએ શું ખાવું કે પીવું તેનો પણ તેને હક્ક હોવો જોઈએ.

ખાનગીમાં દારુ પીવા દેવાની માગ સામે પણ વિરોધ કરતા સરકારે જણાવ્યું હતું કે, જો ખાનગી સ્થળો પર દારુ પીવાની છૂટ અપાશે તો તે માત્ર સમાજના ભદ્ર વર્ગ સુધી મર્યાદિત નહીં રહે. જો આ રીતે દારુ પી શકાશે તો સમાજનો નબળો વર્ગ પણ તેનું સેવન કરશે, અને તેનાથી સામાજીક દૂષણો ઉભા થશે.

ગુજરાતમાં બીજા રાજ્યોમાંથી આવતા મુલાકાતીઓને દારુ પીવા દેવાય છે, પણ ગુજરાતીઓને તેનાથી દૂર રહેવાની ફરજ પડાય છે તેવી દલીલનો પણ સરકારે એફિડેવિટમાં જવાબ આપ્યો છે. સરકારે જણાવ્યું છે કે, રાજ્યમાં થોડા સમય માટે રોકાવવા માટે આવતા લોકોને તેમની લાઈફસ્ટાઈલમાં પરિવર્તન કરવાની સરકાર ફરજ ન પાડી શકે.

July 26, 2019
amarnath-1.jpg
1min6280
Amarnath Yatra 2019

ગઇ તા.1લી જુલાઇ 2019થી શરૂ થયેલી બાબા અમરનાથ યાત્રામાં આ વખતે યાત્રીઓની સંખ્યામાં વિક્રમી વધારો જોવા મળ્યો છે. છેલ્લા 25 દિવસમાં જ ત્રણ લાખ જેટલા યાત્રીઓએ બાબા અમરનાથના દર્શન કરી લીધા છે, યાત્રા હજુ અવિરતપણે જારી છે.

પહેલા 25 દિવસમાં અમરનાથ યાત્રીઓની સંખ્યામાં ગયા વર્ષના આ સમયગાળા કરતાં 25.51%નો વધારો થયો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને રજિસ્ટ્રેશન કરાવીને કાફલામાં આવતા ભક્તોની સંખ્યામાં 54.98 ટકાનો ઉછાળો આવ્યો છે.

2018માં કુલ 61 દિવસમાં આખી યાત્રા પૂરી થઇ ત્યાં સુધીમાં 2.85 લાખ યાત્રીઓએ બાબા અમરનાથના દર્શન કર્યા હતા. આમ, આ વખતે યાત્રીઓની સંખ્યામાં જંગી વધારો જોવા મળ્યો છે.

કુદરતી રીતે આકાર પામતા શિવલિંગના દર્શનાર્થે ભારત ઉપરાંત એન.આર.આઇ. પણ મોટી સંખ્યામાં દર વર્ષે આવતા હોય છે.

આ વર્ષની યાત્રા 15 ઓગસ્ટે પૂરી થશે. હજુ 21 દિવસ સુધી યાત્રા ચાલવાની હોવાથી સત્તાવાળાઓ એવી ગણતરી માંડી રહ્યા છે કે અભૂતપૂર્વ રીતે અમરનાથયાત્રીઓની સંખ્યા વધશે, અગાઉના કોઇ વર્ષમાં નહીં નોંધાયા હોય તેટલા અમરનાથ બાબાના ભક્તો આ વખતે યાત્રામાં ઉમટશે એ બાબત નિશ્ચિત થઇ ચૂકી છે.

અત્યાર સુધી અમરનાથા યાત્રામાં સામેલ થયેલા સવા ત્રણ લાખ શ્રદ્ધાળુ પ્રતિ ચોંકાવનારુ તથ્ય એ છે કે લગભગ સવા બે લાખ લોકોએ કોઇ પણ સુરક્ષા વિના એટલે કે જમ્મુથી રવાના થતા કાફલાથી અલગ થઇને યાત્રા કરી છે. એનો અર્થ એ થાય છે કે માત્ર એક લાખ જેટલા શ્રદ્ધાળુ માટે જ રોડબંધી કરવામાં આવે છે, જેને કારણે લખનપુરથી લઇને યાત્રાના પડાવ સ્થળ સુધી લાખો લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. 

આ પરેશાની માત્ર યાત્રીઓને નહીં, પરંતુ સ્થાનિકોને પણ ભોગવવી પડે છે અને આ યાત્રા સિવાય અહીં ફરવા આવેલા ટૂરિસ્ટોને પણ ભારે અગવડ ભોગવવી પડે છે, જેઓ લાખો રૂપિયા ખર્ચીને કાશ્મીર ફરવા આવ્યા છે. 

અનંતનાગમાં રહેતા એક વ્યક્તિ જહૂર અહમદે સવાલ કર્યો હતો કે માત્ર મુઠ્ઠીભર લોકોને કોન્વોયમાં લઇને જવાના હોય છે તે એના માટે લાખો લોકોને શા માટે પરેશાન કરવામાં આવે છે. જહૂર અનંતનાગથી શ્રીનગર કામ માટે આવે છે. જે દિવસથી યાત્રા શરૂ થઇ છે તે દિવસથી તેની બે કલાકની સફર સાત કલાકની થઇ ગઇ છે. રોડબંધી અને રેલબંધીને કારણે જમ્મુના હજારો લોકો ત્રસ્ત છે, જેમને રાજમાર્ગથી જવાનું હોય છે અને તેમને લિંક માર્ગ પર રોકી દેવામાં આવે છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે આમ નાગરિકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ પ્રક્રિયા ૧૫ ઑગસ્ટ સુધી ચાલશે. 

જમ્મુ નિવાસી ૪૫ વર્ષીય અજય ખજૂરિયા છેલ્લાં કેટલાક વર્ષથી અમરનાથ યાત્રામાં સામેલ થઇ રહ્યા છે. તેઓ આજ સુધી કોઇ પણ કાફલાનો હિસ્સો બનીને યાત્રામાં નથી ગયા. તેમણે જણાવ્યું હતું કે અસુરક્ષાનો કોઇ માહોલ નથી. લોકોમાં ખાલી હાઉ પેદા કરવામાં આવ્યો છે. જોકે, તેમના પાછા ફરતી વખતે રોડબંધીનો સામનો જરૂર કરવો પડ્યો છે.

24 જુલાઈ સુધીમાં રજિસ્ટર કરાવેલા કાફલામાં 1.07 લાખ લોકો આવ્યા હતા. ગયા વર્ષે આ સમયગાળામાં 69,164 યાત્રીઓ રજિસ્ટર કરાવેલા કાફલામાં ગયા હતા. આ વર્ષે વાહનોના કાફલામાં 80.98%નો વધારો થયો છે. 24 જુલાઈ સુધીમાં વાહનોના કાફલાની સંખ્યા વધીને 4,349 થઈ છે. 2018ના પહેલા 25 દિવસમાં આ સંખ્યા 2,403 હતી.

અમરનાથની ગુફામાં દર્શન કરવા જતા લોકોની સંખ્યામાં વધારો થવા પાછળનું કારણ આ વખતે ગોઠવાયેલો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત છે. આ વખતે નવો સિક્યુરિટી પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં લોકલ પોલીસ બંદોબસ્ત, 24 કલાક નાકા પર ચેકિંગ, સીસીટીવી અને સેટેલાઈટ ઈમેજ દ્વારા યાત્રા પર રખાતી નજર, RFID ટેગિંગવાળા વાહનો, બચાવકાર્ય માટે પર્વતારોહકોની ટીમ, અમુક ચોક્કસ સ્થળોએ SDRFની ટીમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહે ગયા મહિને જમ્મૂ-કાશ્મીર જઈને સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. લોકસભામાં કેંદ્રીય ગૃહમંત્રાલયે માહિતી આપી હતી કે આ વખતે અમરનાથ યાત્રીઓ પર પથ્થરમારો થવાની શક્યતા નથી.

July 26, 2019
boris.jpeg
1min5180
British Prime Minister Boris Jhonson

બ્રિટનમાં કોન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અલેક્ઝાન્ડર બોરિસ દ ફેફેલ જૉન્સન પક્ષનું નેતૃત્વ સંભાળીને બ્રિટનના નવા વડા પ્રધાનપદે બિરાજમાન થવા માટે પસંદગી પામ્યા છે. બોરિસ બહાદુરીનો દેખાડો કરવા, ડંફાસો મારવા, લેટિનમાં કટાક્ષો કરવા કે ટોણા મારવા તથા વિખરાયેલાં પીળા-બ્લોન્ડ વાળ માટે જાણીતા છે. તેમની અને ટ્રમ્પ વચ્ચેની સરખામણી કરતાં અનેક વાતો કહેવામાં આવે છે અને એ વાતો ટ્રમ્પને પણ ગમતી હોવી જોઈએ. બોરિસ જૉન્સન વિશે ડોનલ્ડ ટ્રમ્પે ગયા મંગળવારે જ કહ્યું હતું કે, “એ લોકો (અંગ્રેજો) એમને બ્રિટનના ટ્રમ્પ કહે છે. લોકો જ્યારે એમ કહે છે ત્યારે એ સારી જ વાત કહેવાય! ત્યાં પણ હું લોકોમાં પ્રિય અને જાણીતો છું. એમને ટ્રમ્પ જોઈએ છે અને એમને ટ્રમ્પની જરૂર પણ છે.

એક અમેરિકન અખબારે લખ્યું છે કે, અર્થહીન બકવાસ અને વગર કારણની દલીલો કરવાની બાબત જો માણસના ગુણ કહેવાતા હોય તો બોરિસ જૉન્સનની ગણના આંગળીના વેઢે ગણાતા ‘વિદ્વાનો’માં સહેલાઈથી થઈ શકે છે. એ જ અખબારે વધુમાં એમ પણ જણાવ્યું છે કે, જવાબદારીની સભાનતા વિનાનો માણસ જે બાલિશતા આચરે એવા લગભગ તમામ ‘ઉદ્યોગ’ કર્યાનું લિસ્ટ બોરિસ જૉન્સનના નામે છે. યુવાનીમાં જ તેમણે આવા ઉધમાત કર્યા છે એવું નથી, મોટા-પુખ્ત, પીઢ થયા બાદ પણ કર્યા છે. પીઢ થયા બાદ એટલે કે વય વધ્યા બાદ પણ ચોથા ભાગના કદનું પેન્ટ પહેરીને દોડવા જવું, ફાટેલાં કપડાં પહેરીને ફરવું, લંડનના મેયર હોવા છતાં કાદવ-કાંપમાં ઊતરવું, ઊંચા દોરડા પરથી લટકવું વગેરે તેમની પ્રવૃત્તિ વિશે યુકેવાસીઓ ગણગણતાં સાદે વાતો કરે છે. પ્રથમ પત્નીથી ચાર સંતાનો અને સંબંધમાં રહેલી સ્ત્રીના પણ કેટલાક સંતાનોના પિતા એવા બોરિસ જૉન્સન આવતા સપ્તાહે ‘૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ’નાં સરનામા પર વડા પ્રધાન તરીકે રહેવા જશે! જૉન્સનનાં પહેલાં પત્ની એલેગ્રા મોસ્ટીન-ઓવેન સાથે ૧૯૮૭માં થયેલું લગ્ન ૧૯૯૩માં ફોક થયું પછી થોડાં સપ્તાહમાં બોરિસ જૉન્સન મરિના વ્હીલરને પરણ્યા હતા. અહીં ભારતીયોને ગમે એવી વાત કહેવાની છે કે મરિના વ્હીલરની માતા દીપ સિંહ મૂળ પંજાબનાં છે. એ નાતે બોરિસ જૉન્સન ભારતના જમાઈ થાય છે! 

આ વાતો તો જાણે તેમનાં અંગત જીવનની થઈ, એના પ્રત્યે દુર્લક્ષ કરીને તેમના વ્યાવસાયિક જીવનમાં જોઈએ તો તેમાં પણ આવા જ ઉત્પાત હોવાનું બ્રિટિશ મીડિયાએ કહ્યું છે. આ માણસ મૂળમાં એક પત્રકાર. હજી પણ અખબારોમાં કટારો લખીને પુષ્કળ કમાણી કરે છે. કેટલાક લખાણો માત્ર કલ્પનાના તરંગો પર સવાર થઈને કર્યા હતા એટલે તેમને અખબારની તેમની નોકરી ગુમાવવી પડી હતી. આગળ જતાં કોન્ઝર્વેટિવ પક્ષના પ્રવક્તા તરીકે કામ કરતા હતા ત્યારે અસત્ય નિવેદનો માટે તેમને ઠપકો આપવામાં આવ્યો હતો અને પનિશમેન્ટ પણ મળી હતી. આ મહાનુભાવને વિદાય લઈ રહેલા વડાં પ્રધાન થેરેસા મેએ વિદેશ પ્રધાનપદે ગોઠવ્યા ત્યારે એક યુરોપિયન નેતાની પ્રતિક્રિયા બળતરા કરાવે એવી બોલકી હતી. તેમણે કહ્યું હતું કે, “હવે તો ડ્રેક્યુલા પણ હેલ્ધ મિનિસ્ટર બની શકે. આ વાતને કદાચ અંગત કડવાશ સમજીને ભૂલી જઈએ. જૉન્સનની વડા પ્રધાનપદ માટે પસંદગી કરાઈ છે ખરી, પણ બ્રિટન અને યુરોપમાં એક ફિકર છે કે, ‘બ્રિટિશ વડા પ્રધાન પદ માટે પસંદગી પામેલા બોરિસ જૉન્સન ‘બ્રેક્ઝિટનું ખરેખર શું કરશે?’

એમ કહેવાય છે કે, કોન્ઝર્વેટિવ પક્ષે વડા પ્રધાનપદ માટે પસંદગી એટલા માટે કરી છે જૉન્સન યુરોપિયન યુનિયનના કટ્ટર વિરોધી છે. જોકે, જૉન્સન મૂળથી વિરોધના વિચારના નથી. તેમણે આવું કટ્ટર વલણ લીધું એટલા માટે કે થેરેસા મે સામેની સ્પર્ધામાં મેદાન મારી જવાય! તોય થેરેસાબાઈએ પક્ષની નેતાગીરી માટેની સ્પર્ધામાં બોરિસને ધૂળ ચટાડી હતી. એ પછી તેમને શાંત પાડવા માટે પ્રધાનમંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા, પણ થેરેસા મેના બ્રેક્ઝિટ સંબંધી મવાળ વલણનો નિષેધ કરીને બોરિસે પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યું હતું, પણ પાર્લામેન્ટમાં આ માટે મતદાન કરતી વખતે તેમણે થેરેસા મેના ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું. મક્કમ બ્રેક્ઝિટ સમર્થક તરીકે બોરિસ આજે માઈગ્રન્ટોની વિરુદ્ધ જોરદાર ભાષણબાજી કરે છે એ ખરું, પણ હજી હમણાં સુધી સ્થળાંતર કરનારાઓના કલ્યાણ માટે શું શું કરી શકાય એ માટે મોખરે રહીને કામ કરતા હતા. આ છે બ્રિટનના આવતી કાલના વડા પ્રધાન બોરિસ જૉન્સનનો ટૂંકો ઈતિહાસ.

બ્રિટનના ‘પોતાના આગવા ડોનલ્ડ ટ્રમ્પ’ એવી બોરિસ જૉન્સનની ઓળખ તેમના વિશે ઘણું કહી દે છે, એટલું જ નહીં પણ જૉન્સન અને ટ્રમ્પ એકબીજાના સારામાં સારા દોસ્તો છે! બ્રિટનનાં અખબારોના કહેવા પ્રમાણે ‘કોઈ પણ વિચારશીલ વ્યક્તિની ઊંઘ ઉડાવી દેવા માટે આ દોસ્તીની વાત જ પૂરતી છે.’ એ કારણે જ આખા યુરોપ અને બ્રિટનમાં “આ માણસ આગળ જતાં શું કરશે એ અંગે ભારે ઉચાટ છે. 

July 26, 2019
auranga-river.jpg
1min6650

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી બાદ નવસારી અને ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. નવસારીની કાવેરી, અંબિકા, ખરેરા અને ઔરંગા નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. ત્યારે ખેરગામથી પસાર થતી ઔરંગા નદીનો પુલ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. તો બજી તરફ ચીખલી કાવેરી નદીમાં આવેલ તરકેશ્ર્વર મહાદેવનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઇ ગયું છે. નવસારી જિલ્લામાં ગત રાત્રીથી અવિરત વરસાદ માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વરસાદને પગલે લોકો ગરમીથી રાહત અનુભવી રહ્યાં છે તો બીજી તરફ નદીઓમાં ઘોડાપૂર આવતા અને ગામો ભારે હાલાંકીનો સામનો કરી રહ્યાં છે. નવસારી અને ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે.

July 26, 2019
madhuban_dam-1280x720.jpg
1min5450

જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જોકે જિલ્લાના ઉપરવાસના ધરમપુર અને કપરાડા તાલુકામાં ભારે વરસાદને કારણે જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થતા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ મધુબન ડેમમાં ૮૨,૪૮૩ ક્યુસેક પાણીની આવકના કારણે ડેમનું લેવલ ૭૩.૬૫ મીટર સુધી પહોંચી ગયું હતું આથી ડેમનું રૂટ લેવલ મેઇનટેઈન કરવા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. મધુબન ડેમના આઠ દરવાજા બે મીટર સુધી ખોલી તેમાંથી ૬૮,૦૭૦ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેને કારણે દમણ ગંગા નદી કિનારાના લોકોને સાવચેત રહેવાનું સૂચન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લાના ઉપરવાસ એવા કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદ વરસ્યો હતો. 

કપરાડામાં ધોધમાર વરસાદથી સીલધા હાટસરી ફળિયા નજીક કોલક નદીના પાણી ફરી વળ્યા હતા. તો પટેલપાડા પાસે આવેલ કોઝવે પર ચવેચા ઓહળ નદીના પાણી ફરી વળ્યા હતા. આમ ગામના બે કોઝવે પર પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

July 26, 2019
bitcoinamrely.jpeg
1min7530

અમેરિકાની એફબીઆઈના બે અધિકારીઓ બિટકનેકટની તપાસ માટે સુરત આવ્યાં હતા. જ્યાં બિટ કનેકટના માસ્ટર માઇન્ડ સતીશ કુંભાણીની પૂછપરછ કરી હતી. સતીશ કુંભાણીએ વિયેતનામ, મલયેશિય, ઈન્ડોનેશિયા, સાઉથ કોરીયા, જાપાન, ફિલિપાઇન્સ, દુબઈ, અમેરિકા વગેરે દેશોમાં પણ રોકાણ કરાવ્યું હતું. જેને લઈને એફબીઆઈએ આવવાની ફરજ પડી હતી. બિટકોઈન જેવી બિટકનેકટ લિમિટેડ કંપની બનાવી કરોડોનું કૌભાંડ કરનારા મુખ્ય સૂત્રધાર સતીશ કુંભાણીની એફબીઆઈએ પૂછપરછ કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર એફબીઆઈના બે અધિકારીઓ ભારત આવ્યા હતા અને તેમણે સીઆઈડી ક્રાઇમના અધિકારીની હાજરીમાં બિટકનેકટના મુખ્ય કૌભાંડ સતીશ કુંભાણીની ત્રણ કલાક સુધી પૂછપરછ કરી હતી. જેમાં એફબીઆઈના સત્તાધીશોએ કુંભાણી પાસેથી ત્યાંના પ્રમોટરોની માહિતી મેળવી હતી અને ત્યાંના લોકો કંપનીનો કર્તાહર્તા તરીકે વીંડીનું નામ આવતું હતું. જોકે પાછળથી ખબર પડી કે બિટકનેક્ટમાં મુખ્ય કૌભાંડી સતિષ કુંભાણી જ છે. સીઆઈડી ક્રાઇમના સ્ટાફે સતીશ કુંભાણી સાથે સુરેશ ગોરસીયાને પણ લઈ આવી હતી. જો કે એફબીઆઈએ માત્ર સતીશ કુંભાણીની પૂછપરછ કરી હતી. 

અત્રે ઉલેખનીય છે કે, આ ગુનામાં મુખ્ય કૌભાંડીમાં સતીશ કુંભાણી, દિવ્યેશ દરજી, ધવલ વિજય માવાણી અને સુરેશ ગોરસીયાની ધરપકડ કરી હતી. સીઆઇડી ક્રાઇમે કૌભાંડીઓની અલગ અલગ ૧૦ પ્રોપર્ટીઓ કબજે કરી હતી. બિટકોઇનના નામે અલગ અલગ પ્રકારના કોઇનમાં રોકાણકારો મોટેભાગના આરોપીઓ સુરત વિસ્તારના છે. અત્યાર સુધીમાં બિટકોઈનની બાબતે સીઆઈડી ક્રાઇમમાં ૯ ગુનાઓ તેમજ કામરેજ અને સરથાણા પોલીસમાં એક ગુનો નોંધાયો હતો. ઉપરાંત બરોડા અને અમદાવાદમાં એક-એક ગુનો સીઆઈડી ક્રાઇમમાં દાખલ થયેલો છે. જેમાં અત્યાર સુધીમાં સીઆઈડી ક્રાઇમે સુરતમાંથી આ કેસોને લઈને લગભગ ૫૦થી વધુ કરોડની પ્રોપટી ટાંચમાં લીધી હતી.

July 26, 2019
azamkhan.jpg
1min5750

સમાજવાદી પક્ષના વિવાદાસ્પદ સાંસદ આઝમ ખાન ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. બિહારની સાંસદ રમાદેવી સામે આઝમ ખાને ભદ્ર અને અશ્ર્લીલ ટિપ્પણી કરતાં ગુરુવારે લોકસભામાં ધાંધલ ધમાલ થઈ હતી.

શુક્રવારે મહિલા સાંસદોએ આઝમ ખાન લોકસભામાં માફી માગે એવી માગણી કરી હતી. શૂન્યકાળ દરમિયાન ટેક્સ ટાઈલ્સ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, ટ્રિપલ તલાક બિલની ચર્ચા દરમિયાન આઝમ ખાને જે અશ્ર્લીલ ભાષા વાપરી તેનાથી પુરુષ સહિત તમામ લેજિસ્લેટર માટે કલંક સમાન છે. આપણે આ બાબતમાં મૌન રહી શકીએ નહીં. આપણે બધાએ એક અવાજે બોલવું જોઈએ કે તેમનું નિવેદન અસ્વીકાર્ય છે.

કાનૂન ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે સ્મૃતિ ઈરાનીને સમર્થન આપતા કહ્યું હતું કે, આઝમ ખાન ગૃહમાં માફી માગે અથવા તેમને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવે. અનેક મહિલા સાંસદોએ નારાજગી દર્શાવી હતી. સ્પીકરે કડક પગલાં લેવા જોઈએ, એવી માગણી કરાઈ છે.

એનસીપીના સુપ્રિયા સૂળે, ટીએમસીના કલ્યાણ બેનરજી, બીજેડીના બી. મહેતાબે આઝમ ખાનના નિવેદનને વખોડ્યું હતું. કૉંગ્રેસના ગૃહ નેતા અધિરરંજન ચૌધરીએ કહ્યું હતું કે, મહિલાઓ સાથે નીચાજોણું થાય તેવા કોઈપણ નિવેેદન કરનારા સામે પગલાં લેવા જોઈએ. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને પણ આઝમ ખાનના નિવેદનને વખોડી કાઢ્યું હતું. 

મહિલા સાંસદ પર લૈગિંક ટિપ્પણી : આઝમ ખાન ફરી વિવાદમાં

સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાને લોકસભામાં કાર્યવાહી સમયે ભાજપના સાંસદ રમા દેવી સામે લૈંગિક ટિપ્પણી કરી ફરીથી વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. ભાજપે તેમની પાસે માફીની માગણી કરી છે. 

નેશનલ કમિશન ફોર વુમન (એનસીડબ્લ્યુ) અને દિલ્હી કમિશન ફોર વુમન (ડીસીડબ્લ્યુ)એ ખાનની ટિપ્પણીને નિંદાજનક અને અપમાનજનક ગણાવી વખોડી કાઢી છે. 

ટ્રિપલ તલાક બિલ પરની ચર્ચામાં ભાગ લેતા ખાને કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વીના હસ્તક્ષેપનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, ‘તું ઇધર ઉધર કી બાત ના કર.’

આ સમયે કાર્યવાહીનું અધ્યક્ષપદ કરનાર રમા દેવીએ ખાનને આમ તેમ ના જોતા અધ્યક્ષને સંબોધન કરવા કહ્યું હતું. આ સમયે ખાને અધ્યક્ષ સામે લૈંગિક ટિપ્પણી કરતા ભારે વિવાદ થયો હતો. 

રમા દેવીએ બાદમાં આ ટિપ્પણીને કાર્યવાહીમાંથી કાઢી નાખવા જણાવ્યું હતું. જોકે, તેમણે જણાવ્યું હતું કે તેઓ આઝમ ખાનની નાની બહેન જેવા છે. 

ખાનની ટિપ્પણીથી ગુસ્સે ભરાયેલા કેન્દ્રીય પ્રધાન રવિ શંકર પ્રસાદ અને અર્જુન રામ મેઘવાલે ખાનને માફી માગવા જણાવ્યું હતું. રમા દેવીએ જ્યારે ખાનને માફી માગવા કહ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમનું અપમાન કરવાનો તેનો કોઇ ઇરાદો નહોતો અને રમા દેવી તેમની બહેન સમાન હતા. 

વિવાદ અને આઝમ ખાન એ એક સિક્કાની બે બાજુ જેવા છે. લોકસભાના ચૂંટણી પ્રચાર વખતે પણ આઝમ ખાનની જીભ વારંવાર લપસતી હતી. 

અભિનેત્રી અને ભાજપના સભ્ય જયા પ્રદા સામે લૈંગિક ટિપ્પણી કરી તેઓ વિવાદમાં ફસાયા હતા. તેમની સામે એફઆઇઆર પણ કરવામાં આવી હતી. એસપીના વડા અખિલેશ યાદવ તેમની મદદે આવ્યા હતા.