CIA ALERT
27. April 2024

Alert Archives - Page 2 of 443 - CIA Live

February 12, 2024
Cia_business_news-1280x936.jpg
2min255

Dated 08 February 2024

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તા. ૧૦થી ૧ર ફેબ્રુઆરી દરમ્યાન સરસાણા ખાતે ‘હેલ્થ એન્ડ વેલનેસ’ અને ‘ફૂડ એન્ડ એગ્રીટેક’ 

એક્ષ્પો યોજાશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ૧૦/૦ર/ર૦ર૪થી ૧ર/૦ર/ર૦ર૪ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘હેલ્થ એન્ડ વેલનેસ– ર૦ર૪’ અને ‘ફૂડ એન્ડ એગ્રીટેક– ર૦ર૪’ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધીનો રહેશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ર૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની પરિકલ્પના રજૂ કરી તેને સાકાર કરવા માટે પ્રયાસો શરૂ કર્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૮૩ વર્ષથી ઉદ્યોગ – ધંધાઓના વિકાસ હેતુ પ્રયાસ કરતી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ આરોગ્ય સબંધિત ઇન્ડસ્ટ્રીઝ, સ્ટાર્ટ–અપ અને ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ આપવાના ભાગ રૂપે ‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો– ર૦ર૪’નું આયોજન કર્યું છે. આ એક્ષ્પોના આયોજન પાછળનો મુખ્ય હેતુ એ છે કે, હેલ્થ ઇન્ડસ્ટ્રીઝમાં ઝંપલાવી રહેલા યુવા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટ–અપ, કેન્દ્ર તથા રાજ્ય સરકારની આરોગ્ય સબંધિત જુદી–જુદી યોજનાઓથી વાકેફ થઇ શકે અને તેનો લાભ લઇ પોતાના ઉદ્યોગોનો ઝડપી વિકાસ સાધી શકે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ એક્ષ્પો થકી દક્ષિણ ગુજરાતમાં હેલ્થ ઇન્ડસ્ટ્રીમાં એક પ્રકારનું હેલ્ધી વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ એકઝીબીશનમાં એક જ છત્ર નીચે સુરત સહિત દક્ષિણ ગુજરાત, ગુજરાત અને દેશના અન્ય શહેરોમાં મેડિકલ સુવિધાઓ કેટલી ઉપલબ્ધ છે? તેની જાણકારી મેળવી શકાશે. આ ઉપરાંત સુરતમાં મેડીકલ ટુરીઝમ વિકસાવવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્રદર્શન થકી પ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો છે. વિશ્વના જુદા–જુદા દેશોમાંથી બિન નિવાસી ભારતીયો અને બિન નિવાસી ગુજરાતીઓ સુરતમાં આવે છે અને તબીબી સારવાર પણ લે છે ત્યારે તેઓને સુરતની કઇ હોસ્પિટલમાં મેડીકલ ટુરિઝમ છે? તેના વિશે પણ વિસ્તૃત માહિતી મળી રહે તે હેતુથી પણ આ પ્રદર્શન યોજાયું છે. આ પ્રદર્શન થકી સુરતમાં મેડીકલ ક્ષેત્રે સ્પેશિયલ તબીબી સ્કીલ્સ, સ્પેશિયલ રોબોટ્‌સ અને સર્જરી તેમજ સારી મેડીકલ સર્વિસિસ મળી રહે છે તેની માહિતી એનઆરઆઇ, એનઆરજી અને દેશના અન્ય લોકો સુધી પહોંચાડી શકાશે.

ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, ‘હેલ્થ એન્ડ વેલનેસ’ પ્રદર્શન થકી મેડીકલ સંસાધનોના ઉત્પાદકોને તેમજ સર્વિસ આપનારાઓને સીધું માર્કેટ પૂરું પાડવાનો હેતુ તો છે જ પણ તેની સાથે સાથે આ એકઝીબીશનને કારણે જાહેર જનતામાં તબીબી સારવાર માટેની જનજાગૃતિ કેળવાશે અને મેડીકલ ફેટર્નિટીને પણ તેનો લાભ થશે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કઇ હોસ્પિટલની કયા રોગ માટેની સારવાર માટે શું વિશેષતા છે? તેની જાણ સામાન્ય લોકોને થશે, જેથી કરીને તેઓ સંબંધિત રોગની સારવાર માટે સંબંધિત હોસ્પિટલમાં લેતા થશે.                 

ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ભારત દેશ હવે ‘વિકસિત ભારત @ર૦૪૭’ની પરિકલ્પનાને સાકાર કરવા કૃષિ ક્ષેત્રમાં નવી ઓળખ ઉભી કરવા જઇ રહયો છે ત્યારે માનનીય વડાપ્રધાન ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે આગળ વધી રહયા છે. દેશના વિકાસમાં કૃષિ અને કૃષિકારોનું અનન્ય યોગદાન રહયું છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વય અને આગવી સૂઝબૂઝ થકી કૃષિ ક્ષેત્ર પ્રગતિના પંથે આગળ વધી રહયું છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કૃષિ ક્ષેત્ર અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળી રહે અને તેના થકી તેનો વિકાસ થાય તેવા આશય સાથે ફૂડ એન્ડ એગ્રીટેક એકઝીબીશનનું આયોજન કરવામાં આવે છે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતનો બેલ્ટ કૃષિ ઉદ્યોગ માટે હબ છે ત્યારે આવનારા સમયમાં ઉદ્યોગ સાહસિકો તેમજ નવા એગ્રો ગ્રેજ્યુએટ્‌સ કૃષિ ઉદ્યોગમાં પોતાનું યોગદાન આપી શકે તે હેતુથી પણ આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકઝીબીશનમાં ભાગ લેનારા એકઝીબીટર્સને ગુજરાત સરકારની માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ સ્કીમનો લાભ પણ મળી રહેશે.

તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ‘હેલ્થ એન્ડ વેલનેસ’ પ્રદર્શનના આયોજન માટે ગુજરાતના આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનશેરીયા, સુરતના મેયર દક્ષેશ માવાણી અને સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલનું માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું. સુરત શહેરમાં તેમજ રાજ્યમાં મેડીકલ ટુરિઝમને વિકસાવવા માટે આ પ્રદર્શન મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેના વિશે તેઓની સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઇ હતી અને તેઓનું પણ માર્ગદર્શન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મેળવવામાં આવ્યું હતું, આથી મેડીકલ ટુરિઝમને વિકસાવવા માટે સહિયારો પ્રયાસ કરવામાં આવી રહયો છે.

માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ શનિવાર, તા. ૧૦ ફેબ્રુઆરી, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે યોજાશે. જેમાં ગુજરાત સ્ટેટ કો–ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિમિટેડના ચેરમેન દિલીપ એન. સંઘાણી મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવશે. જ્યારે ધી સુરત ડિસ્ટ્રીકટ કો–ઓપરેટીવ બેંક લિમિટેડના ચેરમેન બળવંતભાઇ પટેલ અને સુરત – તાપી ડિસ્ટ્રીકટ કો–ઓપરેટીવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લિમિટેડના ચેરમેન માનસિંહભાઇ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મરે જણાવ્યું હતું કે, હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ શનિવાર, તા. ૧૦ ફેબ્રુઆરી, ર૦ર૪ના રોજ બપોરે ૩:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે યોજાશે. જેમાં સુરત શહેરના પ્રથમ નાગરિક મેયર દક્ષેશભાઇ માવાણી ઉદ્‌ઘાટક તરીકે પધારશે અને તેમના વરદ હસ્તે આ એક્ષ્પોનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહી સમારોહની શોભા વધારશે. જ્યારે ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડના એડીશનલ ડાયરેકટર ડો. આર.એન. દિક્ષીત અને સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર (હેલ્થ એન્ડ હોસ્પિટલ) ડો. આશિષ કે. નાયક અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, હેલ્થ એન્ડ વેલનેસ પ્રદર્શનમાં આરોગ્યના ક્ષેત્રે સુરતમાં કાર્યરત જુદી–જુદી હોસ્પિટલો, આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સુવિધા આપતી હોસ્પિટલો, આયુર્વેદિક હોસ્પિટલો, હેલ્થ ઇન્ડસ્ટ્રી, મેડીકલ પ્રોડકટ, સોફટવેર, લેબોરેટરી તેમજ મેડીકલ ઇકવીપમેન્ટનું ઉત્પાદન કરતા ઉત્પાદકો તેમજ તે અંગેની સર્વિસ આપતી કંપનીઓ મળી ૬૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા આ પ્રદર્શનમાં ભાગ લેવામાં આવ્યો છે. બીજી તરફ, ફુડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોમાં ૧૦૦થી વધુ એકઝીબીટર્સે ભાગ લીધો છે. જેમાં ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રે ફુડ પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ્‌સ એન્ડ મશીનરી, પેકેજિંગ મશીનરી એન્ડ મટિરિયલ્સ, કોલ્ડ ચેઇન ઇકવીપમેન્ટ એન્ડ રેફ્રીજરેશન એપ્લાયન્સિસ, વેર હાઉસિંગ એન્ડ કાર્ગો હેન્ડલીંગ, ફુડ ટેસ્ટીંગ લેબોરેટરીઝ, ઇન્સ્યુરન્સ એજન્સીઝ, ફાયનાન્શિયલ સોલ્યુશન્સ, ડ્રાયડ, ફ્રોઝન એન્ડ કેનડ ફુડ, બેકરી એન્ડ ગ્રોસરીઝ, બેવરેજ એન્ડ ડ્રીન્કસ (નોન આલ્કોહોલિક), ફુડ પાર્કસ અને કન્ઝયુમર પેકેજડ ગુડ્‌સનું પ્રદર્શન કરવામાં આવશે.

‘હેલ્થ એન્ડ વેલનેસ’ એક્ષ્પોના ચેરપર્સન ડો. પારૂલ વડગામાએ જણાવ્યું હતું કે, આ એક્ષ્પોમાં ભાગ લેનારા એકઝીબીટર્સ પર એક નજર કરીએ તો હોસ્પિટલ્સ, ડોકટર્સ, નર્સિંગ હોમ્સ, લેબ્સ (ડાયગ્નોસ્ટીક સેન્ટર્સ), બાયોમેડિકલ કંપનીઝ, હોસ્પિટલ ફર્નિચર, ઇમ્પોર્ટર એન્ડ એક્ષ્પોર્ટર, ફાર્મા કંપનીઝ, ઇન્સ્યુરન્સ કંપનીઝ, મેડિકલ આર્કિટેકટ્‌સ, મેડિકલ/હોસ્પિટલ કન્સલ્ટન્ટ, મેડિકલ ટુરીઝમ, આયુર્વેદા, હોમિયોપેથિક, ફિઝીયોથેરાપી સેન્ટર, આઇવીએફ સેન્ટર્સ, બેરિયાટ્રિક સર્જરી, પેઇન મેનેજમેન્ટ, હોમ કેર સર્વિસ પ્રોવાઇડર્સ, વેલનેસ સેન્ટર્સ, ન્યુટ્રિશન, કિલનિકલ રિસર્ચ, માર્કેટીંગ કંપનીઝ, જીમ – હેલ્થ કલબ, યોગા કલાસિસ, વેલનેસ ફુડ પ્રોડકટ, એચઆર રિકુ્રટર્સ – નર્સિસ એન્ડ સ્ટાફ, મેડિકલ કોલેજીસ, નર્સિંગ કોલેજીસ, ફિઝીયો કોલેજીસ, પેરામેડિકલ કોલેજીસ, એડમિશન એજન્સીઝ, ઓડિયોલોજી એન્ડ હિયરીંગ એડ, મેડિકલ લેજર્સ, ડેન્ટલ લેબ્સ, ટેલીમેડિસીન રેડિયોલોજી, સોફટવેર પ્રોવાઇડર્સ, મેડિકલ ફાયનાન્શીયલ પ્રોવાઇડર્સ, બ્લડ બેન્ક, મેડિકલ ડિવાઇસ કેલીબ્રેશન સર્વિસિસ, આયુષ એન્ડ અલ્ટરનેટીવ ટ્રિટમેન્ટ સેન્ટર, આઇટી ઇન મેડિકલ સેકટર અને મેન્ટલ હેલ્થની સર્વિસ આપનારાઓનો સમાવેશ થાય છે.

ફુડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોના ચેરમેન કે.બી. પિપલીયાએ જણાવ્યું હતું કે, ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોની મુલાકાત લેવા માટે ફુડ પ્રોસેસિંગ એન્ડ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીના મેન્યુફેકચરર્સ એન્ડ પ્રોફેશનલ્સ, એગ્રીકલ્ચર મશીનરી મેન્યુફેકચરર્સ, સપ્લાયર્સ એન્ડ એકસપર્ટ, ફુડ એન્ડ બેવરેજ પ્રોડયુસર્સ, ઇમ્પોર્ટર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ, એન્જીનિયર્સ/ટેકનોક્રેટ્‌સ, કન્સલ્ટન્ટ્‌સ એન્ડ એડવાઇઝર્સ, ફુડ કવોલિટી એસ્યોરન્સ પ્રોફેશનલ્સ, ઇન્ટરનેશનલ ડેલીગેટ્‌સ એન્ડ ડિપ્લોમેટ્‌સ, સીડ ફર્ટિલાઇઝર્સ એન્ડ એગ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારો, ટ્રેડર્સ, ઉદ્યોગ સાહસિકો અને ખેડૂતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ એક્ષ્પોમાં એકજ સ્થળે સુરતીઓને ૪૦૦થી પણ વધુ ટેસ્ટી તથા હેલ્ધી વાનગીઓનો સ્વાદ માણવાનો મોકો મળશે.

‘તમાકુ મુકત ભારત’ અભિયાનની સાથે આ પ્રદર્શનમાં જીંગર પ્રોડકટનું પ્રદર્શન કરવામાં આવશે. તમાકુનું સેવન કરનારાઓ તમાકુથી મુકિત મેળવવા માટે વિવિધ પ્રયાસ કરે છે ત્યારે જીંજર પ્રોડકટ તેઓને તમાકુથી મુકિત અપાવવા માટે ઘણી ઉપયોગી સાબિત થશે. આ પ્રદર્શનમાં કેટલીક પ્રોડકટ એવી છે કે એકની ખરીદી પર બીજી વિના મૂલ્યે આપવામાં આવશે.

આ પ્રદર્શનથી ખાદ્ય ઉદ્યોગ, સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ માટે ઉજળી તક મળશે. ભવિષ્યમાં ઉદ્યોગ સાહસિકોને પણ સારુ પ્લેટફોર્મ મળી રહેશે. કૃષિ ક્ષેત્રે એગ્રીકલ્ચર મશીનરી એન્ડ ઇકવીપમેન્ટ્‌સ, એગ્રો કેમિકલ્સ, પેસ્ટીસાઇડ્‌સ એન્ડ ફર્ટિલાઇઝર્સ, કવોલિટી કન્ટ્રોલ સર્વિસિસ, હેન્ડલીંગ માટેના ઇકવીપમેન્ટ, માઇલીંગ એન્ડ મિકસીંગ, ડ્રાયર્સ, કલીનર, સિલોસ એન્ડ સ્ટોરેજ સિસ્ટમ્સ, ડેરી એન્ડ મિલ્ક પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ, એગ્રીકલ્ચર ઇકવીપમેન્ટ, ઇરીગેશન સિસ્ટમ્સ, બાયો ટેકનોલોજી, સીડ્‌સ એન્ડ પ્લાન્ટીંગ મશીનરી, ગ્રીન હાઉસિસ, પોલી હાઉસિસ, હાયડ્રોપોનિકસ એન્ડ એકવાપોનિકસ, નર્સરીઝ, સોલાર પ્રોડકટ્‌સ એન્ડ સોલ્યુશન્સ, ટેરેસ ગાર્ડનીંગ અને ડ્રોન ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે.

–––––––––––––––––––––––––––––––––––––

હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો દરમ્યાન પબ્લીક અવેરનેસ પ્રોગ્રામ યોજાશે

ર૦થી વધુ વિવિધ મેડિકલ વિષયો પર વિવિધ નિષ્ણાંત તબીબો વકતવ્યો આપશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ૧૦/૦ર/ર૦ર૪થી ૧ર/૦ર/ર૦ર૪ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘હેલ્થ એન્ડ વેલનેસ– ર૦ર૪’ અને ‘ફૂડ એન્ડ એગ્રીટેક– ર૦ર૪’ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. એકઝીબીશન દરમ્યાન રવિવાર, તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૪ના રોજ સવારે ૧૦ઃ૩૦થી સાંજે પઃ૦૦ કલાક દરમ્યાન પબ્લીક અવેરનેસ પ્રોગ્રામ યોજાશે, જેમાં વિવિધ નિષ્ણાંત તબીબો મેડિકલ વિષયો પર પોતાનું વકતવ્ય રજૂ કરશે.

પહેલા સેશનમાં સ્ટ્રોક એન્ડ બ્રેઇન બાયપાસ વિશે ડો. લિપે ચેરિયન (ઓનલાઇન), ઇમ્પોર્ટન્સ ઓફ હેલ્થ ચેકઅપ વિશે ડો. દીપક ઉપાધ્યાય, એકસપ્લોરીંગ ધ ડાઇવર્સિટી ઓફ હિયરીંગ લોસ એન્ડ ટેઇલર્ડ ટ્રિટમેન્ટ ઓપશન્સ વિશે ડો. સૌમિત્ર શાહ, ઓકયુપેશનલ હેલ્થ વિશે ડો. વિકાસ દેસાઇ, હાઉ ટુ કેર યોર ડાયાબિટીસ વિશે ડો. પિયુષ દેસાઇ, હાઉ ટુ ડીલ વીથ સિરિયલ સાયલન્ટ કિલર વિશે ડો. મુકુર પેટ્રોલવાલા, હાઉ યુ કેર યોર હાર્ટ વિશે ડો. નરેન્દ્ર તન્વર, ડોકટર – પેશન્ટ રિલેશનશિપ વિશે ડો. નિર્મલ ચોરારિયા, ન્યુટ્રિશન્સ એન્ડ હેલ્થ વિશે ડો. મિતા પાસવાલા, ઓર્ગન ડોનેશન વિશે નિખિલ વ્યાસ, રોબોટિકસઃ ઇનોવેશન્સ ટુ મેક યોર સર્જરી સેઇફ વિશે ડો. ધૈવત વૈષ્ણવ, આઇ એમ યોર બ્રેઇન – યુ આર ફોર મી એન્ડ આઇ એમ ફોર યુ વિશે ડો. કાંતા ભુતડા માર્ગદર્શન આપશે.

બપોર બાદ બીજા સેશનમાં કેન્સર વેકસીનેશન ઇન વુમન વિશે ડો. સોનિયા ચંદાની, વ્હોટ શુડ યુ નો એબાઉટ યોર જોઇન્ટ? વિશે ડો. હિરેન શાહ, ટ્રોમા એન્ડ એકિસડન્ટ – પ્રાઇમરી કેર વિશે ડો. અમિત પટેલ, હાઉ યુ ડીલ વીથ યોર કેન્સર? એન્ડ રોલ ઓફ ટેકનોલોજી વિશે ડો. નિલેશ મહાલે, એલર્જીસ વિશે ડો. સમિર ગામી, સ્કીન એન્ડ હેર કેર વિશે ડો. જગદીશ સખિયા અને દવા ઇન્ડિયાના સીઇઓ ડો. સુજિત પોલ મહત્વનું વકતવ્ય રજૂ કરશે. બંને સેશનમાં ડો. પારૂલ વડગામા અને ડો. મિતા પાસવાલા કન્વીનર તરીકે ભૂમિકા ભજવશે.

January 22, 2024
cia_multi-1280x1045.jpg
1min962

અયોધ્યામાં બિરાજમાન ભગવાન રાજારામ ચંદ્રના મસ્તક પર સુરતમાં બનેલો મુગટ પહેરાવાશે

અયોધ્યાના ભવ્ય મંદિરમાં બિરાજેલા રામલલ્લાને સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે 11 કરોડનો મુગટ અર્પણ કર્યો

ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે પોતાની કંપનીમાં સોનુ, હીરા, નિલમ, વગેરે સાથે 6 કિલો વજનનો મુગટ બનાવડાવ્યો હતો

સમગ્ર વિશ્વભરમાં હલચલ જગાડનાર અયોધ્યા રામલલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની પૂર્વ સંધ્યાએ સુરતના જાણિતા ઉદ્યોગપતિ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે અયોધ્યા સ્થિત મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં શ્રી રામજન્મભૂમિ તિર્થ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ભગવાન શ્રી રામલલ્લા માટે તૈયાર કરવામાં આવેલો સોના અને આભુષણોથી મઢેલો મુગટ અર્પણ કર્યો હતો.
વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડીયાએ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશભાઇ પટેલને અયોધ્યાના વિશ્વપ્રસિદ્ધ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થનારા ભગવાન શ્રી રામ માટે આભુષણ અર્પણ કરવાની વિચારણા કરવા માટે કહ્યું હતું. જેને પગલે ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે પોતાના પરિવારજનો અને કંપનીમાં પરામર્શ કરીને નક્કી કર્યું કે ભગવાન શ્રી રામ માટે સોનાનો આભુષણોથી જડેલો મુગટ અર્પણ કરવામાં આવે.

January 17, 2024
auro.png
1min462

શહેરના ઇચ્છાપોર ખાતે આવેલી ઑરો યુનિવર્સિટીનો 11મો દિક્ષાંત (વાર્ષિક પદવીદાન) સમારોહ આવતીકાલ તા.18મી જાન્યુઆરીને ગુરુવારે યોજવામાં આવશે. દિક્ષાંત સમારોહમાં પોંડીચેરીના પૂર્વ ગર્વનર અને રિટાર્યડ મહિલા આઇ.પી.એસ. કિરણ બેદી ખાસ ઉપસ્થિત રહીને દિક્ષાંત પ્રવચન આપશે.વધુ માહિતી આપતા ઑરો યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એચ.પી. રામા અને પ્રોવૉસ્ટ ડો.પરીમલ વ્યાસે જણાવ્યું હતું કે 11માં પદવીદાન સમારોહમાં કુલ 271 વિદ્યાર્થીઓને અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની જુદી જુદી પદવીઓ એનાયત કરવામાં આવશે. જેમાં સ્કુલ ઓફ બિઝનેસમાંથી કુલ 116 વિદ્યાર્થીઓ, સ્કુલ ઓફ હોસ્પિટાલિટીમાંથી 46 વિદ્યાર્થીઓ, સ્કુલ ઓફ ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાંથી 36 વિદ્યાર્થીઓ, સ્કુલ ઓફ લોમાંથી 32 વિદ્યાર્થીઓ, સ્કુલ ઓફ લિબરલ આર્ટસ એન્ડ હ્યુમન સાયન્સમાંથી 24 વિદ્યાર્થીઓ, સ્કુલ ઓફ ડિઝાઇનમાંથી 21 વિદ્યાર્થીઓ અને સ્કુલ ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશનમાંથી 14 વિદ્યાર્થીઓએ તેમની તમામ પરીક્ષાઓ સફળતાપૂર્વક સંપન્ન કરતા તેમને પદવી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.આ ઉપરાંત ઑરો યુનિવર્સિટીએ અમેરીકાની કેનસાસ યુનિવર્સિટી અને સેન ડિયેગો યુનિવર્સિટી સાથે એમ.ઓ.યુ. સાઇન કર્યા છે. જે અંતર્ગત ફેકલ્ટી એક્ષચેન્જ, એજ્યુકેશનલ ઇવેન્ટ, ટ્રેનિગ, રિસર્ચ વગેરે મુદ્દા પર ટૂંકાગાળા અને લાંબાગાળાના કાર્યક્રમો યોજવામાં આવશે.

January 17, 2024
Bharat-Ratnam-CFC-1.jpg
1min174

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16/01/2024 મુંબઇના સ્પેશયલ ઇકોનોમિક ઝોનમાં નિર્માણ પામેલા હીરા ઉદ્યોગ માટે અત્યંત આવશ્યક કોમન ફેસેલિટી સેન્ટર ભારત રત્નમ્ નું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું હતું. હીરા ઉદ્યોગ માટે જરૂરી તમામે તમામ ટેસ્ટીંગથી લઇને ટ્રેનિંગ સુધીની સુવિધાઓ, મેટલ પ્રિન્ટર સુધીની ફેસેલિટી ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

સુરતના અનેક હીરા ઉદ્યોગકારોએ જણાવ્યું કે મુંબઇ સીએફસીને કારણે હીરા ઉદ્યોગની અનેક મહત્વની પ્રક્રિયાઓ સચોટ રીતે અને ઝડપથી પૂર્ણ કરી શકાશે.ભારત રત્નમ મેગા કોમન ફેસેલિટી સેન્ટર ફોર જેમ એન્ડ જ્વેલરીની કલ્પના જીજેઈપીસી દ્વારા કરવામાં આવી હતી. જીજેઇપીસી અને નેશનલ પ્રોડકટીવીટી કાઉન્સિલ દ્વારા ફિઝિબિલિટી સ્ટડી અને પ્રોજેક્ટ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ રિપોર્ટ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો અને એસઈઈપીઝેડ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ નું અમલીકરણ એસઈઈપીઝેડ ઓથોરિટી સાથે જીજેઈપીસી દ્વારા નામાંકિત મેગા સીએફસી સમિતિ હેઠળ કરવામાં આવ્યુંહ તું. જીજેઈપીસી એ ભારત રત્નમ મેગા સીએફસી ચલાવવા અને તેનું  સંચાલન કરવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.”ભારત રત્નમ મેગા સીએફસી એ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, જીજેઈપીસી ઈન્ડિયા અને એસઈઈપીઝેડ સેઝ ઓથોરિટી દ્વારા દેશમાંથી નિકાસ કરવા માટે પ્રમોટ કરાયેલ એક સામાજિક-આર્થિક પ્રોજેક્ટ છે.જીજેઈપીસી ના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે, મેગા કોમન ફેસેલિટી સેન્ટરને કારણે હીરા ઝવેરાતનું નિકાસ લક્ષ્ય ને 7 બિલિયન ડોલર થી બમણું એટલે કે 15 બિલિયન ડોલર કરવાની ઉદ્યોગની યોજના માટે ગેમચેન્જર પુરવાર થશે, ભવિષ્યમાં આ જ નિકાસ 30 બિલિયન ડોલર સુધી પણ પહોંચાડી શકાશે.

January 17, 2024
sgcci-food-1280x625.jpg
6min256

આગામી ફેબ્રુઆરી મહિનાની તા.10થી 12 દરમિયાન સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે એક સાથે બે જુદા જુદા વિષયો પર બે એક્ષ્પોનું આયોજન એક જ સ્થળે કરીને ચેમ્બર ઓફ કોમર્સ એક નવો ઇતિહાસ સર્જવા માટે આગળ વધ્યું છે. તા.10થી 12 દરમિયાન શહેરમાં પહેલો હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો યોજાશે અને સાથે જ કન્વેન્શન સન્ટરમાં જ ફુડ એન્ડ એગ્રિટેક એક્ષ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બન્નેની થીમ અલગ હોવા છતાં ટાર્ગેટ ઓડિયન્સ સમાન હોવાનો મત ચેમ્બરના અગ્રણીઓએ વ્યક્ત કર્યો હતો.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ રમેશ વઘાસીયા, આઇપીપી હિમાંશુ બોડાવાલા, વીપી વિજય મેવાવાલા, સેક્રેટરી નિખીલ મદ્રાસી, ખજાનચી કિરણ ઠુમ્મર, બિજલ કાપડીયાએ સંયુક્તપણે જણાવ્યું હતું કે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ૧૦/૦ર/ર૦ર૪થી ૧ર/૦ર/ર૦ર૪ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘હેલ્થ એન્ડ વેલનેસ– ર૦ર૪’નું ભવ્ય પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શનનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધીનો રહેશે.

કોરોના પછી બધાને આરોગ્યનું મહત્વ સમજાયું છે અને લોકો હવે આરોગ્યની જાળવણી માટે સજાગ થયા છે ત્યારે હેલ્થ સંબંધિત ઇન્ડસ્ટ્રીઝ, સ્ટાર્ટ–અપ અને ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ આપવાના ભાગ રૂપે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો– ર૦ર૪’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને હેલ્થ ઇન્ડસ્ટ્રીઝમાં ઝંપલાવી રહેલા યુવા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટ–અપ, સરકારની આરોગ્ય સંબંધિત જુદી–જુદી યોજનાઓથી વાકેફ થઇ શકે અને તેનો લાભ લઇ પોતાના ઉદ્યોગોનો ઝડપી વિકાસ સાધી શકે.

હેલ્થ એક્ષ્પોમાં એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી સારવારથી સાધન સુધીની સુવિધાઓ

હેલ્થ એકઝીબીશન્સ ચેરપર્સન ડો. પારુલ વડગામાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં આરોગ્યના ક્ષેત્રે સુરતમાં કાર્યરત જુદી–જુદી હોસ્પિટલો, આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સુવિધા આપતી હોસ્પિટલો, આયુર્વેદિક હોસ્પિટલો, હેલ્થ ઇન્ડસ્ટ્રી, મેડીકલ પ્રોડકટ, સોફટવેર, લેબોરેટરી તેમજ મેડીકલ ઇકવીપમેન્ટનું ઉત્પાદન કરતા ઉત્પાદકો તેમજ તે અંગેની સર્વિસ આપતી કંપનીઓ દ્વારા ભાગ લેવામાં આવશે. આશરે પ૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા આ પ્રદર્શનમાં ભાગ લેવામાં આવશે. એક્ષ્પોમાં ભાગ લેનારા એકઝીબીટર્સ પર એક નજર કરીએ તો હોસ્પિટલ્સ, ડોકટર્સ, નર્સિંગ હોમ્સ, લેબ્સ (ડાયગ્નોસ્ટીક સેન્ટર્સ), બાયોમેડિકલ કંપનીઝ, હોસ્પિટલ ફર્નિચર, ઇમ્પોર્ટર એન્ડ એક્ષ્પોર્ટર, ફાર્મા કંપનીઝ, ઇન્સ્યુરન્સ કંપનીઝ, મેડિકલ આર્કિટેકટ્‌સ, મેડિકલ/હોસ્પિટલ કન્સલ્ટન્ટ, મેડિકલ ટુરીઝમ, આયુર્વેદા, હોમિયોપેથિક, ફિઝીયોથેરાપી સેન્ટર, આઇવીએફ સેન્ટર્સ, બેરિયાટ્રિક સર્જરી, પેઇન મેનેજમેન્ટ, હોમ કેર સર્વિસ પ્રોવાઇડર્સ, વેલનેસ સેન્ટર્સ, ન્યુટ્રિશન, કિલનિકલ રિસર્ચ, માર્કેટીંગ કંપનીઝ, જીમ – હેલ્થ કલબ, યોગા કલાસિસ, વેલનેસ ફુડ પ્રોડકટ, એચઆર રિકુ્રટર્સ – નર્સિસ એન્ડ સ્ટાફ, મેડિકલ કોલેજીસ, નર્સિંગ કોલેજીસ, ફિઝીયો કોલેજીસ, પેરામેડિકલ કોલેજીસ, એડમિશન એજન્સીઝ, ઓડિયોલોજી એન્ડ હિયરીંગ એડ, મેડિકલ લેજર્સ, ડેન્ટલ લેબ્સ, ટેલીમેડિસીન રેડિયોલોજી, સોફટવેર પ્રોવાઇડર્સ, મેડિકલ ફાયનાન્શીયલ પ્રોવાઇડર્સ, બ્લડ બેન્ક, મેડિકલ ડિવાઇસ કેલીબ્રેશન સર્વિસિસ, આયુષ એન્ડ અલ્ટરનેટીવ ટ્રિટમેન્ટ સેન્ટર, આઇટી ઇન મેડિકલ સેકટર અને મેન્ટલ હેલ્થની સર્વિસ આપનારાઓનો સમાવેશ થાય છે.

ફુડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો ખેડૂતોના એક્ષ્પોર્ટર બનાવશે

ફુડ એગ્રિટેક એક્ષ્પોના ચેરમેન કે.બી. પીપલીયાએ જણાવ્યું હતું કે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ૧૦/૦ર/ર૦ર૪થી ૧ર/૦ર/ર૦ર૪ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફુડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– ર૦ર૪’નું ભવ્ય પ્રદર્શન યોજાશે. આ એકઝીબીશનનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધીનો રહેશે. ફુડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોમાં કૃષિ ક્ષેત્રે એગ્રીકલ્ચર મશીનરી એન્ડ ઇકવીપમેન્ટ્‌સ, એગ્રો કેમિકલ્સ, પેસ્ટીસાઇડ્‌સ એન્ડ ફર્ટિલાઇઝર્સ, કવોલિટી કન્ટ્રોલ સર્વિસિસ, હેન્ડલીંગ માટેના ઇકવીપમેન્ટ, માઇલીંગ એન્ડ મિકસીંગ, ડ્રાયર્સ, કલીનર, સિલોસ એન્ડ સ્ટોરેજ સિસ્ટમ્સ, ડેરી એન્ડ મિલ્ક પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ, એગ્રીકલ્ચર ઇકવીપમેન્ટ, ઇરીગેશન સિસ્ટમ્સ, બાયો ટેકનોલોજી, સીડ્‌સ એન્ડ પ્લાન્ટીંગ મશીનરી, ગ્રીન હાઉસિસ, પોલી હાઉસિસ, હાયડ્રોપોનિકસ એન્ડ એકવાપોનિકસ, નર્સરીઝ, સોલાર પ્રોડકટ્‌સ એન્ડ સોલ્યુશન્સ, ટેરેસ ગાર્ડનીંગ અને ડ્રોન ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે.આ પ્રદર્શનમાં ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રે ફુડ પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ્‌સ એન્ડ મશીનરી, પેકેજિંગ મશીનરી એન્ડ મટિરિયલ્સ, કોલ્ડ ચેઇન ઇકવીપમેન્ટ એન્ડ રેફ્રીજરેશન એપ્લાયન્સિસ, વેર હાઉસિંગ એન્ડ કાર્ગો હેન્ડલીંગ, ફુડ ટેસ્ટીંગ લેબોરેટરીઝ, ઇન્સ્યુરન્સ એજન્સીઝ, ફાયનાન્શિયલ સોલ્યુશન્સ, ડ્રાયડ, ફ્રોઝન એન્ડ કેનડ ફુડ, બેકરી એન્ડ ગ્રોસરીઝ, બેવરેજ એન્ડ ડ્રીન્કસ (નોન આલ્કોહોલિક), ફુડ પાર્કસ અને કન્ઝયુમર પેકેજડ ગુડ્‌સનું પ્રદર્શન કરાશે.આ પ્રદર્શનમાં ૧૦૦થી વધુ એકઝીબીટર્સ ભાગ લઈ રહયાં છે. આ પ્રદર્શનથી ખાદ્ય ઉદ્યોગ, સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ માટે ઉજળી તક મળશે. ભવિષ્યમાં ઉદ્યોગ સાહસિકોને પણ સારુ પ્લેટફોર્મ મળી રહેશે. આ પ્રદર્શનમાં એકજ સ્થળે સુરતીઓને ૬૦૦થી પણ વધુ ટેસ્ટી તથા હેલ્ધી વાનગીઓનો સ્વાદ માણવાનો મોકો મળશે.

સુરતમાં મેડિકલ ટુરિઝમ વિકસાવવાના ભાગ રૂપે ચેમ્બરનો પ્રથમ પ્રયાસ છે, NRI/NRG તથા સામાન્ય લોકોને સુરતની કઇ હોસ્પિટલમાં કયા રોગની સારવાર મળી રહે છે? તેના વિશેની માહિતી મળી રહે તે હેતુથી પ્રદર્શન યોજાશે : ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ૧૦-૦ર-ર૦ર૪થી ૧ર-૦2-૦ર૪ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘હેલ્થ એન્ડ વેલનેસ– ર૦ર૪’નું ભવ્ય પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શનનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધીનો રહેશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, કોરોના પછી બધાને આરોગ્યનું મહત્વ સમજાયું છે અને લોકો હવે આરોગ્યની જાળવણી માટે સજાગ થયા છે ત્યારે હેલ્થ સંબંધિત ઇન્ડસ્ટ્રીઝ, સ્ટાર્ટ–અપ અને ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ આપવાના ભાગ રૂપે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો– ર૦ર૪’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને હેલ્થ ઇન્ડસ્ટ્રીઝમાં ઝંપલાવી રહેલા યુવા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટ–અપ, સરકારની આરોગ્ય સંબંધિત જુદી–જુદી યોજનાઓથી વાકેફ થઇ શકે અને તેનો લાભ લઇ પોતાના ઉદ્યોગોનો ઝડપી વિકાસ સાધી શકે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ એક્ષ્પો થકી દક્ષિણ ગુજરાતમાં હેલ્થ ઇન્ડસ્ટ્રીમાં હેલ્ધી વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ ઉપરાંત સુરતમાં મેડીકલ ટુરીઝમ વિકસાવવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક પ્રયાસના ભાગ રૂપે પણ આ પ્રદર્શનનું આયોજન કરાયું છે. વિશ્વના જુદા–જુદા દેશોમાંથી બિન નિવાસી ભારતીયો અને બિન નિવાસી ગુજરાતીઓ સુરતમાં આવે છે અને તબીબી સારવાર પણ લેતા હોય છે ત્યારે તેઓને સુરતની કઇ હોસ્પિટલમાં મેડીકલ ટુરિઝમ છે તેના વિશે પણ વિસ્તૃત માહિતી મળી રહે તે હેતુથી પણ આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં મેડીકલ ક્ષેત્રે સ્પેશિયલ તબીબી સ્કીલ્સ, સ્પેશિયલ રોબોટસ અને સારી મેડીકલ સર્વિસિસ મળી રહે છે તેની માહિતી એનઆરઆઇ, એનઆરજી અને દેશના અન્ય લોકો સુધી પહોંચાડી શકાશે.

ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન થકી મેડીકલ સંસાધનોના ઉત્પાદકોને તેમજ સર્વિસ આપનારાઓને સીધું માર્કેટ પૂરું પાડવાનો હેતુ તો છે જ પણ તેની સાથે સાથે આ એકઝીબીશનને કારણે જાહેર જનતામાં તબીબી સારવાર માટેની જનજાગૃતિ કેળવાશે અને મેડીકલ ફેટર્નિટીને પણ તેનો લાભ થશે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કઇ હોસ્પિટલની કયા રોગ માટેની સારવાર માટે શું વિશેષતા છે? તેની જાણ સામાન્ય લોકોને થશે. જેથી કરીને તેઓ સંબંધિત રોગની સારવાર માટે સંબંધિત હોસ્પિટલમાં લેતા થશે.

તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસી અને માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મરે જણાવ્યું હતું કે, આ પ્રદર્શનના આયોજન માટે ગુજરાતના આરોગ્ય મંત્રી ૠષીકેશ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા, સુરતના મેયર દક્ષેશ માવાણી અને સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર શાલીની અગ્રવાલનું માર્ગદર્શન મેળવવામાં આવ્યું છે. સુરત શહેરમાં તેમજ રાજ્યમાં મેડીકલ ટુરીઝમને વિકસાવવા માટે આ પ્રદર્શન મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેના વિશે તેઓની સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને તેઓનું પણ માર્ગદર્શન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મેળવવામાં આવ્યું હતું. આથી મેડીકલ ટુરિઝમને વિકસાવવા માટે સહિયારો પ્રયાસ કરવામાં આવી રહયો છે.

ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં આરોગ્યના ક્ષેત્રે સુરતમાં કાર્યરત જુદી–જુદી હોસ્પિટલો, આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સુવિધા આપતી હોસ્પિટલો, આયુર્વેદિક હોસ્પિટલો, હેલ્થ ઇન્ડસ્ટ્રી, મેડીકલ પ્રોડકટ, સોફટવેર, લેબોરેટરી તેમજ મેડીકલ ઇકવીપમેન્ટનું ઉત્પાદન કરતા ઉત્પાદકો તેમજ તે અંગેની સર્વિસ આપતી કંપનીઓ દ્વારા ભાગ લેવામાં આવશે. આશરે પ૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા આ પ્રદર્શનમાં ભાગ લેવામાં આવશે. આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સની ટીમે સુરતની સાથે ફલાઇટ કનેકટેડ શહેરોની પણ મુલાકાત લેવામાં આવી છે અને તે શહેરોની હોસ્પિટલની મુલાકાત લઇને તેઓને પણ પ્રદર્શનમાં ભાગ લેવા અનુરોધ કરાયો છે.

‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો– ર૦ર૪’ના ચેરપર્સન ડો. પારૂલ વડગામાએ જણાવ્યું હતું કે, આ એક્ષ્પોમાં ભાગ લેનારા એકઝીબીટર્સ પર એક નજર કરીએ તો હોસ્પિટલ્સ, ડોકટર્સ, નર્સિંગ હોમ્સ, લેબ્સ (ડાયગ્નોસ્ટીક સેન્ટર્સ), બાયોમેડિકલ કંપનીઝ, હોસ્પિટલ ફર્નિચર, ઇમ્પોર્ટર એન્ડ એક્ષ્પોર્ટર, ફાર્મા કંપનીઝ, ઇન્સ્યુરન્સ કંપનીઝ, મેડિકલ આર્કિટેકટ્‌સ, મેડિકલ/હોસ્પિટલ કન્સલ્ટન્ટ, મેડિકલ ટુરીઝમ, આયુર્વેદા, હોમિયોપેથિક, ફિઝીયોથેરાપી સેન્ટર, આઇવીએફ સેન્ટર્સ, બેરિયાટ્રિક સર્જરી, પેઇન મેનેજમેન્ટ, હોમ કેર સર્વિસ પ્રોવાઇડર્સ, વેલનેસ સેન્ટર્સ, ન્યુટ્રિશન, કિલનિકલ રિસર્ચ, માર્કેટીંગ કંપનીઝ, જીમ – હેલ્થ કલબ, યોગા કલાસિસ, વેલનેસ ફુડ પ્રોડકટ, એચઆર રિકુ્રટર્સ  નર્સિસ એન્ડ સ્ટાફ, મેડિકલ કોલેજીસ, નર્સિંગ કોલેજીસ, ફિઝીયો કોલેજીસ, પેરામેડિકલ કોલેજીસ, એડમિશન એજન્સીઝ, ઓડિયોલોજી એન્ડ હિયરીંગ એડ, મેડિકલ લેજર્સ, ડેન્ટલ

January 4, 2024
cia_multi-1280x1045.jpg
3min950

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

Image

સમગ્ર વિશ્વમાં હિન્દુઓનું સૌથી મોટું તિર્થધામ બની રહેનારા અયોધ્યા રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ આગામી તા.22મી જાન્યુઆરી 2024ના રોજ યોજાઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા આ ભવ્યાતિભવ્ય સમારોહમાં ફક્તને ફક્ત આમંત્રિતો જ ઉપસ્થિત થઇ શકશે. અયોધ્યા રામલલ્લાના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે દેશના ખૂણેખૂણામાંથી ગણ્યમાન્ય વ્યક્તિઓ તેમજ રામ મંદિર નિર્માણ કાર્યમાં રૂ.25 લાખ કે તેનાથી વધુનું દાન આપનારા દાતાઓને જ આમંત્રણ કાર્ડ પાઠવવામાં આવી રહ્યા છે. તદુપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી 25 અગ્રગણ્ય સાધુ સંતોને પણ અયોધ્યા ખાતેથી સત્તાવાર રીતે નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના મંત્રીમંડળના સભ્યો, સાંસદો, રાજ્યસભાના સાંસદો, ભાજપના વરિષ્ઠ નેતાગણ વગેરેને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યા છે.

સુરત શહેરમાંથી તા.4 જાન્યુઆરી 2024 સુધીમાં કુલ 13 લોકોને અયોધ્યા ખાતે તા.22મી જાન્યુઆરીએ યોજાનારા રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે સત્તાવાર રીતે નિમંત્રણ મળ્યા છે. જે અંગેની સૌથી પહેલી માહિતી સી.આઇ.એ. લાઇવ ચેનલ દ્વારા આપ સુધી પહોંચાડવામાં આવી રહી છે.

આ સુરતીઓને મળ્યા અયોધ્યા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહના સત્તાવાર આમંત્રણ

  • ગોવિંદભાઇ ધોળકીયા – શ્રીરામકૃષ્ણ એક્ષ્પોર્ટ દાન રૂ.11 કરોડ (CiA Live)
  • જયંતિભાઇ કબૂતરવાલા – કલરટેક્ષ ગ્રુપ દાન રૂ.5 કરોડ (CiA Live)
  • સવજીભાઇ ધોળકીયા – શ્રીહરી કૃષ્ણએક્ષ્પોર્ટ (CiA Live)
  • લવજીભાઇ બાદશાહ – ઉધોગપતિ રિયલ એસ્ટેટ (CiA Live)
  • ઘનશ્યામભાઇ શંકર – હીરા ઉદ્યોગપતિ (CiA Live)
  • પ્રભુજી ચૌધરી (CiA Live)
  • સંજયભાઇ સરાવગી (CiA Live)
  • વિનોદભાઇ અગ્રવાલ (CiA Live)
  • દ્વારકાદાસ મારુ (CiA Live)
  • જગદીશભાઇ પ્રયાગ (CiA Live)
  • સી.પી. વાનાણી (CiA Live)
  • દિનેશભાઇ નાવડીયા (CiA Live)
  • અરજણભાઇ ધોળકીયા (CiA Live)

  • Note: હજુ પણ સુરતના નાગરીકોને સત્તાવાર રીતે અયોધ્યાથી આમંત્રણ પત્રિકા મળી હોઇ શકે અથવા ભવિષ્યમાં મળી શકે છે. જો કોઇને આમંત્રણ મળ્યા હોય અને અમને 98253 44944 પર જાણકારી આપવામાં આવશે તો અમે અહીં તેમના નામ સમાવિષ્ટ કરીશું.
Ayodhya's Ram Temple consecration on this date; 6,000 invitations being  sent out | Latest News India - Hindustan Times

દેશભરમાંથી 6000 લોકોને જ આમંત્રિત કરવામાં આવી રહ્યા છે

ઉત્તર પ્રદેશના પવિત્ર નગરમાં નવનિર્મિત રામ મંદિરમાં સમારોહ માટેના આમંત્રણ કાર્ડ 6,000 થી વધુ મહેમાનોને મોકલવામાં આવી રહ્યા છે, જેમાં પૂજારીઓ, દાતાઓ અને કેટલાક રાજકારણીઓનો સમાવેશ થાય છે. મંદિરનો શિલાન્યાસ મોદીએ ઓગસ્ટ 2020માં કર્યો હતો.

22 જાન્યુઆરીએ યોજાનાર સમારોહમાં દેશભરના પૂજારીઓ અને સંતો જ નહીં, પરંતુ મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સહિત ટોચના રાજકારણીઓ પણ ભાગ લેશે.

રામ મંદિરના ભવ્ય ઉદઘાટન સમારોહ પહેલા, ઉત્તર પ્રદેશ સરકાર જાન્યુઆરી 2024માં રાજ્યના મુખ્ય મંદિરોમાં અખંડ રામાયણ અને હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. 14 થી 22 જાન્યુઆરી દરમિયાન પારાયણ કાર્યક્રમો યોજાશે.

હાલમાં રામ મંદિરના ભવ્ય અભિષેક સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે, અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.

ભગવાન શ્રીરામલલ્લા, સીતા મૈયા, લક્ષ્મણભૈયાની મૂર્તિ તા.22 જાન્યુઆરીએ રામ મંદિરની અંદર ભવ્ય સમારોહમાં સ્થાપિત કરવામાં આવશે, તે દિવસ માટે અનેક ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે.

અયોધ્યા રામ મંદિર નિર્માણ

અયોધ્યા વિવાદ પર 2019માં સુપ્રીમ કોર્ટના ચુકાદાએ ભવ્ય રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો કર્યો હતો. સર્વોચ્ચ અદાલતના ચુકાદા પછી, કેન્દ્રએ મંદિરના નિર્માણ અંગેના તમામ નિર્ણયો લેવા માટે શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની સ્થાપના કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરનો શિલાન્યાસ કર્યા પછી 5 ઓગસ્ટ, 2020 ના રોજ બાંધકામ શરૂ થયું. રામ મંદિરનું આર્કિટેક્ચર 1988માં અમદાવાદના સોમપુરા પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવેલી ડિઝાઇન પર આધારિત છે, જેમાં 2020માં થોડા ફેરફાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, થાઈલેન્ડ ખાસ સાંસ્કૃતિક સંકેતોમાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા રામજન્મભૂમિ પર માટી મોકલી રહ્યું છે. આ કર્મ થાઈલેન્ડની બે નદીઓનું પાણી ભગવાન રામના મંદિરમાં મોકલવાના પહેલાના સંકેતને અનુસરે છે.

January 4, 2024
Cia_business_news-1280x936.jpg
1min252

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તા. ૬થી ૮ જાન્યુઆરી દરમ્યાન સરસાણા ખાતે ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૪’ યોજાશે

‘સીટેક્ષ એક્ષ્પો’માં ૧૦૦થી વધુ એકઝીબીટર્સ ભાગ લેશે, મલ્ટી ફીડર સકર્યુલર નિટિંગ મશીન તથા એમ્બ્રોઇડરી અને જેકાર્ડ ફેબ્રિક માટે ઉપયોગી પોઝીશનલ ડિજીટલ પ્રિન્ટીંગ મશીન પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે આગામી તા. ૬, ૭ અને ૮ જાન્યુઆરી, ર૦ર૪ ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૬:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૪’નું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા યોજાતા સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન ‘સીટેક્ષ’ શ્રેણીનું આ નવમું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ શહેરના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકઝીબીશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મળશે. ‘સીટેક્ષ– ર૦ર૪’ એ ખરેખર વિકસિત ભારત @ ર૦૪૭ની દિશામાં એક મહત્વનું કદમ બની રહેશે, જે ઉત્પાદતામાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે.

ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં ટેક્ષ્ટાઇલ મશીનરી, ટેક્ષ્ટાઇલ એન્સીલરી અને મશીનરીઓ, એમ્બ્રોઇડરી એન્ડ બ્રીડીંગ મશીનરી તથા એસેસરીઝ, ટેક્ષ્ટાઇલ એન્જીનિયરીંગ, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ સંબંધિત મશીનરી, પોઝીશન અને ડિજીટલ પ્રિન્ટીંગ મશીન અને એસેસરીઝ, યાર્ન અને ફેબ્રિકસ જેવા તમામ સેકટર્સને આવરી લેવામાં આવ્યા છે, આથી જ અમને ટેક્ષ્ટાઇલ ઇનડસ્ટ્રીના તમામ સેકટર્સના એકઝીબીટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ ર૦ર૪’નો ઉદ્‌ઘાટન સમારોહ તા. ૬ જાન્યુઆરી, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે, જેમાં ઉદ્‌ઘાટક તેમજ મુખ્ય મહેમાન તરીકે ભારત સરકારના એડિશનલ ટેક્ષ્ટાઇલ સેક્રેટરી એસ.પી. વર્મા પધારશે અને તેમના વરદ હસ્તે સીટેક્ષ એકઝીબીશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત ઉદ્‌ઘાટન સમારોહમાં ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા અને ફોસ્ટાના પ્રમુખ કૈલાસ હકીમ તથા સ્ટોબલી ઇન્ડિયાના મેનેજિંગ ડિરેકટર સુરજીત સિંઘ મહાજન અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસી અને માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મરે જણાવ્યું હતું કે, આ એકઝીબીશનમાં ભારતમાં જ બનાવવામાં આવેલી હાઇસ્પીડ ઇલેકટ્રીક જેકાર્ડ મશીનનું પ્રદર્શન કરવામાં આવશે. જેની વિવિધ વિશેષતાઓ જોઇએ તો આ હાઇસ્પીડ ઇલેકટ્રીક જેકાર્ડ મશીન ગડર લગાવ્યા વગર ઓછામાં ઓછી હાઇટ (૮.પ)માં ડાયરેકટ મશીન પર સરળતાથી ફીટીંગ કરી શકાય છે. આ ઉપરાંત આ મશીનરીને કારણે જેકાર્ડ લગાવવા માટે ગડર લગાવવાની જરૂર પડતી નથી. સાથે જ જેકાર્ડ હાઇટવાળા મકાનની જરૂર પડતી નથી. કોઇપણ હાઇટમાં ડાયરેકટ મશીન પર ફિટીંગ થઇ શકે અને જાળા (હાર્નેસ) કપાવવાનો કોઇ ડર રહેતો નથી.

ચેમ્બરના ગૃપ ચેરમેન તેમજ ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ પ્રદર્શનમાં ભારતમાં બનેલા ૪૦૦ આરપીએમવાળું તેમજ ર૬૮૮ હૂક ધરાવતું ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન અને તેની સાથે સુપર હાઇસ્પીડ ટીએફઓનું પ્રદર્શન કરવામાં આવશે. તદુપરાંત મલ્ટી ફીડર સકર્યુલર નિટિંગ મશીન તથા એમ્બ્રોઇડરી અને જેકાર્ડ ફેબ્રિક માટે ઉપયોગી પોઝીશનલ ડિજીટલ પ્રિન્ટીંગ મશીન પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

સીટેક્ષ એકઝીબીશનના ચેરમેન સુરેશ પટેલ અને કો–ચેરમેન મયુર ગોળવાલાએ જણાવ્યું હતું કે, સરસાણા સ્થિત ‘સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ૧.૩૦ લાખ સ્કવેર ફૂટમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પીલરલેસ એસી હોલમાં તથા બહાર અલગથી ઉભા કરવામાં આવેલા ડોમમાં ૧૦૦થી પણ વધુ એકઝીબીટર્સ દ્વારા ટેક્ષ્ટાઇલ મશીનરી, એસેસરીઝ મેન્યુફેક્‌ચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપીયર લૂમ્સ, ઈલેક્‌ટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સકર્યુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, પોઝીશન પ્રિન્ટીંગ મશીન, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક, સ્યુઇંગ મશીન, હીટ ટ્રાન્સફર મશીન, હોટ ફિકસ મશીન, ટીએફઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં મશીનરી તથા એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે.

આ પ્રદર્શનના આયોજનમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને સર્જન અને સોલટેક્ષ ઉપરાંત સુરતના ટેક્ષ્ટાઇલ એસોસીએશનો જેવા કે ફિઆસ્વી, ફોગવા, ફોસ્ટા, સાસ્કમા, સાસ્મી, પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટી લિમિટેડ, વેડરોડ આર્ટ સિલ્ક સ્મોલ કો. – ઓપ. ફેડરેશન, લિ. સુરત, ધી સાઉથ ગુજરાત યાર્ન ડીલર્સ એસોસીએશન, સાઉથ ગુજરાત ટેકચ્યુરાઇઝર્સ વેલ્ફેર એસોસીએશન, કીમ–પીપોદરા વિવર્સ એસોસીએશન, માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલ્ફેર એસોસીએશન, ધી સુરત ટેક્ષ્ટાઇલ કલબ, સુરત વણકર સહકારી સંઘ, સૌરાષ્ટ્ર ટેક્ષ્ટાઇલ ટ્રેડર્સ એસોસીએશન, સાઉથ ગુજરાત વોર્પ નીટર્સ એસોસીએશન, સુરત નેરો ફેબ્રિક એસોસીએશન, ધી ઉધના ગૃપ વિવર્સ પ્રોડયુસર કો–ઓપરેટીવ સોસાયટી, સાઉથ ગુજરાત ટેક્ષ્ટાઇલ પ્રોસેસર્સ એસોસીએશન, સુરત મર્કન્ટાઇલ એસોસીએશન, શટલલેસ વિવર્સ એસોસીએશન, સુરત ઓટોલૂમ્સ વિવર્સ એસોસીએશન, ધી ઉધના ઉદ્યોગનગર સહકારી સંઘ લિમિટેડ, સકર્યુલર નીટર્સ એસોસીએશન, સુરત એમ્બ્રોઇડરી એસોસીએશન, ધી સુરત યાર્ન બ્રોકર્સ એસોસીએશન, બોમ્બે માર્કેટ આર્ટ સિલ્ક કો–ઓપરેટીવ સોસાયટી, મેરીયોટ સુરત, સત્વ હોસ્પિટલ, એરલીન્ક અને આરકે ઇન્ફ્રાટેલનો સહયોગ પ્રાપ્ત થયો છે.

December 30, 2023
sri-ram.jpg
1min440

આજે ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવી હાકલ કરી છે કે આખું વિશ્વ તા.22મી જાન્યુઆરીની રાહ જોઇ રહ્યું છે. તેમણે 22 જાન્યુઆરીના રોજ પ્રતીક્ષિત કાર્યક્રમ માટે અયોધ્યામાં પ્રવાસ ન કરવા લોકોને વિનંતી કરી, ભારપૂર્વક જણાવ્યું કે મંદિરના નગરમાં ઐતિહાસિક દિવસે ફક્ત આમંત્રિત વ્યક્તિઓએ જ હાજરી આપવી જોઈએ. તા.22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય રહ્યો છે.

PM Modi inaugurates new airport in Ayodhya ahead of Ram Temple consecration  on Jan 22 - India Today

પીએમ નરેન્દ્ર મોદીએ તમામ નાગરિકોને આગામી તા.22 જાન્યુઆરીએ તેમના ઘરોને દીવાઓથી પ્રકાશિત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. “આ ઐતિહાસિક ક્ષણ ખૂબ જ સદભાગ્યે આપણા જીવનમાં આવી છે. આપણે દેશ માટે એક નવો સંકલ્પ કરવાનો છે અને પોતાને નવી ઉર્જાથી ભરવાનો છે. આ માટે, હું તમામ 140 કરોડ દેશવાસીઓને વિનંતી કરું છું કે તેઓ 22 જાન્યુઆરીએ તેમના ઘરોમાં શ્રી રામ જ્યોતિ પ્રગટાવે અને દીપાવલી ઉજવે, ”પીએમે કહ્યું.

વધુમાં, તેમણે સ્વચ્છતા અને પવિત્રતા જાળવવા માટેના સામૂહિક પ્રયાસને પ્રોત્સાહન આપતા, 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી સમગ્ર દેશમાં તીર્થસ્થળો અને મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવાનું આહ્વાન કર્યું હતું.

રામ લાલાને પાકું ઘર અપાયુંઃ પીએમ મોદી

પીએમ મોદીએ રામ લાલાના નિવાસસ્થાનને તંબુમાંથી કાયમી માળખામાં રૂપાંતરિત કરવાનો ઉલ્લેખ કરીને રાષ્ટ્રના વિકાસ માટે વારસાની જાળવણીનું મહત્વ નોંધ્યું હતું. “રામ લાલા એક તંબુમાં હતા, આજે પાકું ઘર માત્ર રામ લાલાને જ નહીં પરંતુ દેશના ચાર કરોડ ગરીબોને પણ આપવામાં આવ્યું છે. ભારતને વિકસિત દેશ બનાવવાની ઝુંબેશને અયોધ્યાથી નવી ઉર્જા મળી રહી છે.” .

“આજે, અહીં રૂ. 15 હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ માળખાકીય સુવિધાઓને લગતા કામો ફરી એકવાર દેશના નકશા પર ગૌરવ સાથે આધુનિક અયોધ્યાની સ્થાપના કરશે. આજનો ભારત તેના તીર્થસ્થળોને સુંદર બનાવી રહ્યું છે. અને ડિજિટલ ટેક્નોલોજીની દુનિયામાં પણ ડૂબી ગયો છે,” તેમણે ઉમેર્યું.

દિવસની શરૂઆતમાં, PM એ સુધારેલ અયોધ્યા રેલ્વે સ્ટેશન, અમૃત ભારત ટ્રેનોનું ઉદ્ઘાટન કર્યું અને ચાલુ વિકાસ પહેલના ભાગ રૂપે વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી.

રામ મંદિર રામ જન્મભૂમિના આદરણીય સ્થળ પર છે, જે ભગવાન રામનું જન્મસ્થળ માનવામાં આવે છે. આ જગ્યા પર પહેલા બાબરી મસ્જિદનો કબજો હતો. 2019 માં, ભારતની સર્વોચ્ચ અદાલતે સર્વસંમતિથી ચુકાદો આપ્યો, મંદિરના નિર્માણ માટે હિન્દુઓને વિવાદિત જમીન આપી. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) ના અહેવાલથી પ્રભાવિત થયેલો નિર્ણય, તોડી પાડવામાં આવેલી બાબરી મસ્જિદની નીચે બિન-ઈસ્લામિક માળખું હોવાનું સૂચવે છે.

5 ઓગસ્ટ, 2020 ના રોજ, એક સમારોહમાં રામ મંદિરના નિર્માણની શરૂઆત કરવામાં આવી હતી, જેનું સંચાલન પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ચાલુ બાંધકામની દેખરેખ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કરે છે.

December 7, 2023
cia_edu-1280x925.jpg
1min566

જો તમારું સંતાન આગામી માર્ચ 2024માં ધો.10 (એસ.એસ.સી.)ની પરીક્ષા કોઇપણ બોર્ડમાંથી આપવાનું હોય અને આગળ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવાનું આયોજન હોય તો સુરત શહેર જ નહીં સમગ્ર ગુજરાતની બેસ્ટ સ્કુલ્સની યાદીમાં અગ્રેસર ભૂલકા વિહાર સ્કુલની ધો.11-12 સાયન્સમાં અભ્યાસ કરવાની સિસ્ટમ સમજવા જેવી છે.

અત્યાર સુધી શહેરને અનેક તબીબો, એન્જિનિયર્સ, સી.એ., આર્કિટેક્ટ્સ આપી ચૂકેલી ભૂલકા વિહાર સ્કુલમાં મર્યાદિત વિદ્યાર્થીઓને ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ આપીને તેમને બોર્ડ સિલેબસ ઉપરાંત જુદી જુદી પ્રવેશ પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે.

ભૂલકા વિહાર સ્કુલના આચાર્યા મીતાબેન વકીલ કહે છે કે ભૂલકા વિહાર સ્કુલમાં ધો.11-12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જેઇઇ મેઇન્સ, જેઇઇ એડવાન્સ્ડ, નીટ યુજી, ગુજકેટ જેવી પ્રવેશ પરીક્ષાની તૈયારીઓ સાથે જ બોર્ડના સિલેબસ પર પણ પૂરતું ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે.

2024ના ધો.11 વિજ્ઞાન પ્રવાહના બેચ માટે ખાસ પેરેન્ટ મિટીંગ

મીતાબેન વકીલે કહ્યું કે આગામી વર્ષે ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવાની ઇચ્છા કે આયોજન ધરાવતા વિદ્યાર્થીઓના વાલીઓ પછી એ વિદ્યાર્થી ભલે કોઇપણ બોર્ડમાં અભ્યાસ કરતો હોય તેમને

  • ધો.11-12 વિજ્ઞાન પ્રવાહ ભૂલકા વિહાર સ્કુલમાં કેવી રીતે ભણાવવામાં આવે છે?,
  • કયા શિક્ષકો કયો વિષય ભણાવશે, રિવિઝન કેવી રીતે થશે?,
  • ડાઉટ ક્લાસ શું હોય છે?,
  • વિદ્યાર્થીઓએ શું ભોગ આપવો પડશે?,
  • વાલીઓએ કેવી તૈયારી કરવી પડશે?,
  • ભૂલકા વિહાર સ્કુલ તરફથી કેવા પ્રકારનું એક્સ્ટ્રા નોલેજ અપાશે?,
  • ધો.11-12 વિજ્ઞાન પ્રવાહ સફળતાપૂર્વક પાસ થયા પછી કયા અભ્યાસક્રમોમાં કેવી રીતે પ્રવેશ મેળવવો?,
  • ફોરેન જવાનું પ્લાનિંગ કેવી રીતે કરવું?
  • વગેરેની માહિતી વિદ્યાર્થીઓના માબાપ, વાલીઓને મળી રહે તે માટે એક ખાસ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.

મિટીંગની વિગતો

  • તા.10 ડિસેમ્બર 2023
  • રવિવાર
  • સમય સવારે 8.30 કલાકે
  • સ્થળ- ભૂલકાવિહાર સ્કુલ, પાલ-ભાઠા રોડ, સુરત
  • સંપર્ક નં.0261-2971900 – 89800 08283