CIA ALERT
07. May 2024

Related Articles



27/4/22 આજે PM કોરોનાની સ્થિતિ વિશે CMs સાથે ચર્ચા કરશે

Share On :
Print Friendly, PDF & Email

વડા પ્રધાન નરેન્દ્ર મોદી Dt.27/4/22, બુધવારે બપોરે બાર વાગ્યે રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે કોરોના રોગચાળાની સ્થિતિ વિશે વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ચર્ચા કરશે. કૉન્ફરન્સમાં કેન્દ્રના આરોગ્ય ખાતાના સચિવ રાજેશ ભૂષણ પ્રેઝન્ટેશન પણ કરશે. 

આગામી દિવસોમાં કેટલાક તહેવારો પણ આવતા હોવાથી વડા પ્રધાને ગયા રવિવારે કોરોનાના ચેપ સામે સાવધ રહેવાનો અનુરોધ દેશની જનતાને કર્યો હતો. 

માસિક રેડિયો વાર્તાલાપ ‘મન કી બાત’માં વડા પ્રધાને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ઇદ, અક્ષય તૃતીયા, ભગવાન પરશુરામની જન્મજયંતી, વૈશાખ બુધ પૂર્ણિમા ઉજવાશે. 

એ માહોલમાં સૌએ કોરોના સામે સાવધ રહીને માસ્ક પહેરવાનું ચાલુ રાખવાનું રહેશે. તે ઉપરાંત સમયાંતરે હાથ ધોવાનો નિયમ જાળવવા અને ફિઝિકલ ડિસ્ટન્સ રાખવાની કાળજી રાખવાની રહેશે.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા વધુ ૨૪૮૩ કેસ નોંધાયા હતા, આ સાથે જ દેશમાં કોરોનાના કેસની સંખ્યાનો કુલ આંક વધીને ૪,૩૦,૬૨,૫૬૯ થઈ ગયો હતો. આ સાથે જ દેશમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારાંઓનો આંક વધીને ૫,૨૩,૬૨૨ થઈ ગયો હતો. દેશમાં કોરોનાનો રિકવરી રેટ ૯૮.૭૫ રહ્યો હતો. સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને ૪,૨૫,૨૩,૩૧૧ થઈ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની વૅક્સિનના ૧૮૭.૯૫ કરોડ કરતા પણ વધુ ડૉઝ આપી દેવામાં આવ્યા હોવાનું બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યુ હતું.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :