વારાણસી-ગુજરાત માટે શરૂ થઈ Weekly સ્પેશિયલ ટ્રેન
ગુજરાતથી વારાણસી માટે એક નવી સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ સમર સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેન છે જે ઉધના સ્ટેશન પરથી ચાલશે. કાનપુર સેન્ટ્રલ થઈને આ ટ્રેન બનારસ પહોંચશે. આ સ્પેશિયલ ટ્રેન ૨૬ એપ્રિલથી ૬ મે સુધી ચલાવવામાં આવશે. આ અઠવાડિયક સ્પેશિયલ ટ્રેન રહેશે જે સપ્તાહમાં એક જ દિવસ ચાલશે. ગુજરાતમાં આ ટ્રેનની શરૂઆત મંગળવારે થઈ છે. બીજા દિવસે આ ટ્રેન વારાણસી પહોંચશે. આ ટ્રેનમાં એર-કંડીશન કોચ સિવાય જનરલ અને સ્લીપર કોચ રહેશે. આ ટ્રેન માટે સોમવારથી બુકિંગ શરૂ થઈ ગઈ છે. આ ટ્રેનનો નંબર ૦૯૦૧૩ છે.
ટ્રેન નંબર ૦૯૦૧૩ ગુજરાતના ઉધના રેલ્વે સ્ટેશન પરથી ૨૬ એપ્રિલથી ૩ મે સુધી દરેક મંગળવારે સવારે ૭.૨૫ વાગ્યે રવાના થશે. બુધવારે સવારે ૫.૨૫ વાગ્યે ગોવિંદપુરી રેલ્વે સ્ટેશન પર પાંચ મિનિટ ઉભી રહેશે. સવારે ૧૦.૫૦ વાગ્યે પ્રયાગરાજ થઈને વારાણસી રેલ્વે સ્ટેશન પહોંચશે. આ સિવાય ટ્રેન નંબર ૦૯૦૧૪ ૨૯ એપ્રિલથી ૪ મે સુધી દરેક બુધવારે વારાણસીથી સાંજે ૬.૧૦ વાગ્યે રવાના થશે. ગોવિંદપુરી રાત્રે ૧૦.૪૦ વાગ્યે પહોંચશે અને પાંચ મિનિટ બાદ રવાના થશે. બીજા દિવસે ગુરૂવારે રાત્રે ૮.૧૦ વાગ્યે આ ટ્રેન ઉધના પહોંચશે.
આ ટ્રેનમાં ચાર જનરલ કોચ, ૧૨ સ્લીપર, ત્રણ એસી થર્ડ અને એક એસી સેક્ધડ ક્લાસ કોચ રહેશે. ગરમીના વાતાવરણને જોઈને સમર સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે. સમર સ્પેશિયલ ટ્રેન પ્રવાસીઓની ભીડને જોઈને શરૂ કરવામાં આવી છે અને કેટલાક દિવસો માટે દોડી શકે છે. આ ગરમીમાં આ પ્રકારની સ્પેશિયલ ટ્રેનનું સંચાલન કરવામાં આવે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now