CIA ALERT
19. May 2024

PM Modi Speaks with CMs Archives - CIA Live

April 27, 2022
modi.jpeg
1min250

વડા પ્રધાન નરેન્દ્ર મોદી Dt.27/4/22, બુધવારે બપોરે બાર વાગ્યે રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે કોરોના રોગચાળાની સ્થિતિ વિશે વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ચર્ચા કરશે. કૉન્ફરન્સમાં કેન્દ્રના આરોગ્ય ખાતાના સચિવ રાજેશ ભૂષણ પ્રેઝન્ટેશન પણ કરશે. 

આગામી દિવસોમાં કેટલાક તહેવારો પણ આવતા હોવાથી વડા પ્રધાને ગયા રવિવારે કોરોનાના ચેપ સામે સાવધ રહેવાનો અનુરોધ દેશની જનતાને કર્યો હતો. 

માસિક રેડિયો વાર્તાલાપ ‘મન કી બાત’માં વડા પ્રધાને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ઇદ, અક્ષય તૃતીયા, ભગવાન પરશુરામની જન્મજયંતી, વૈશાખ બુધ પૂર્ણિમા ઉજવાશે. 

એ માહોલમાં સૌએ કોરોના સામે સાવધ રહીને માસ્ક પહેરવાનું ચાલુ રાખવાનું રહેશે. તે ઉપરાંત સમયાંતરે હાથ ધોવાનો નિયમ જાળવવા અને ફિઝિકલ ડિસ્ટન્સ રાખવાની કાળજી રાખવાની રહેશે.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા વધુ ૨૪૮૩ કેસ નોંધાયા હતા, આ સાથે જ દેશમાં કોરોનાના કેસની સંખ્યાનો કુલ આંક વધીને ૪,૩૦,૬૨,૫૬૯ થઈ ગયો હતો. આ સાથે જ દેશમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારાંઓનો આંક વધીને ૫,૨૩,૬૨૨ થઈ ગયો હતો. દેશમાં કોરોનાનો રિકવરી રેટ ૯૮.૭૫ રહ્યો હતો. સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને ૪,૨૫,૨૩,૩૧૧ થઈ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની વૅક્સિનના ૧૮૭.૯૫ કરોડ કરતા પણ વધુ ડૉઝ આપી દેવામાં આવ્યા હોવાનું બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યુ હતું.